________________ આચરણને સ્વભાવ–સિદ્ધ ઇતિહાસ. માં કઈ એવી શક્તિ નથી કે તમારા હૃદયને એ ઉન્નત બનાવી દે. તખ્તશ્વરની ટેકરી ઉપર જઈ કઈ ખ્રિસ્તિ મહાદેવની પ્રાર્થના કરે છે તે પિકળ પ્રાર્થનાથી તેને શું લાભ થવાને હતે? વળી અવિવેકી ઉદારતાથી મળતું આનંદ કોઈ વ્યક્તિ કે સમાજને થતા નુકસાનથી વિશેષ હોય તે તેની ઉદારતા કરવામાં જનહિતવાદ પ્રમાણે કાંઈ અડચણ નથી. પરંતુ જે માણસ સુખ મેળવવાના ઇરાદાએ શુભેચ્છા રાખતા હોય તેને તે આનંદ મળતું નથી. આપણે સારું કૃત્ય કર્યું છે એવા વિચારથી આપણને આનંદ થાય છે. આપણે નુકસાન કરીએ છીએ એવી ખાત્રી જ્યાં આપણને હોય ત્યાં તે આનંદ કદી પણ આપણને પ્રાપ્ત થતા નથી. આપણી મનોદેવતાના સંતોષ પરત્વે પણ એજ વાત સત્ય છે. કર્તવ્યની ખાતર કર્તવ્ય કર્યા પછી સંતોષની વૃત્તિ એની મેળે ઉપજે છે; પણ માનસિક આનંદ મેળવવાની અપેક્ષાએ જે કર્તવ્ય આચરવામાં આવે તે નફા ટોટાને એ હિસાબ સ્વીકારવાની આપણું મને દેવતા સાફ ને કહે છે. અર્થાત્ આનંદ મેળવવાના ઉદેશે સદ્ગુણ આચરવામાં આવે છે તેવા સદ્દગુણમાંથી આનંદ મળે. મુશ્કેલ છે. વળી આપણા સ્વભાવમાં રહેલા ભિન્ન ભિન્ન અંશેમાં નૈતિક અંશ બીજાથી તદન ભિન્ન છે એ વાત સામાન્ય રીતે સૌને સ્પષ્ટ છે. આ ભેદને ખુલાસો આપવા જનહિતવાદ કેવળ અસમર્થ છે. માત્ર ઉપયોગિતા અથવા માણસોનું સુખ વધારવાની વૃત્તિમાંજ જે સદાચારની સર્વોત્તમતા સમાએલી હોય, તે અનેક અપવિત્ર આચરણેને આપણે પવિત્ર માનવાં પડશે. ભિન્ન ભિન્ન સમાજના ગુણ અને ધર્મને અજવાળામાં આણનારા અર્થશાસ્ત્ર અને તત્ત્વદર્શક ઇતિહાસના ગ્રંથને સઘળો પ્રયાસ એમજ સિદ્ધ કરવામાં છે કે જેને આપણે સગુણી કૃત્યો કહીએ છીએ તેમના કરતાં સ્વાથી કૃત્યોને લીધે મનુષ્ય જાતને વિશેષ સુખ અને લાભ થયાં છે. “સ્વાર્થમાં પરાર્થતા” ના નિયમ પ્રજાઓની આબાદી અને સુધારાની પ્રગતિ થઈ છે. ઉદારતાના જે ઉછાળાથી માણસે નાણું કાઢી નાખે છે તેમના કરતાં સ્વાર્થ-વૃત્તિને લઈને જે માણસે ધન સંચે છે તેમનાથી અંતે દુનિયાને વધારે લાભ થ છે. એક મહાન ઈતિહાસકાર તે એમ પણ કહે છે