________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. સારાંશ કે તેમના મતે, નીતિને વિષય મનુષ્યનું કલ્યાણ છે, ઈશ્વરની ઈચ્છા તેને કાયદો છે, અને સતત સુખ તેનું પ્રયોજન અને ઉદ્દેશ છે. આ પ્રમાણે આપણે સ્વભાવના ઉત્કૃષ્ટ અને હલકા વિભાગના ભેદનું ભાન થવા માટે આપણુમાં એક એવી કુદરતી સ્વભાવ-સિદ્ધ શક્તિ રહેલી છે કે જેને લીધે આપણું કર્તવ્યના કાયદાનું ભાન અથવા આપણું વર્તન કેવા પ્રકારનું થવું જોઈએ તેનું પ્રકાશન આપેઆપ આપણને થઈ જાય છે એ વાતની આ અનુભવવાદીઓ ચોખ્ખી ફુલ જેવી ના કહે છે. સુખની ઈચ્છા કે સદાચારમાં કે મનોભાવમાં જે કાંઈ પ્રશંસનીય તત્ત્વ રહેલું હોય તે તે માણસ જાતનું સુખ વધારવાનું તેમાં રહેલું વલણ માત્ર છે; અને કર્તાએ માનેલું કે વાસ્તવિક સુખ જ માત્ર તેના સદાચારનું પ્રયોજન છે. અને આ પ્રયોજન સિદ્ધ કરવા જે સાધનની અપેક્ષા છે તે ઉપ જાદી જાતનાં અને જુદાં જુદાં વજનવાળાં તેઓ માને છે. પેલે ધર્મ ઉપર ભાર મૂકી કહે છે કે સદાચારનું પ્રયોજન માત્ર એજ છે, જે કે અન્ય સ્થળે એ બીજા સાધનોને પણ સ્વીકાર કરે છે. દેવી દાન અને દેડ, કાયદાની સજા અને સામાજીક શિક્ષા–એ સાધને લેાક સ્વીકારે છે. શારીરિક રાજકીય, નૈતિક અથવા સામાજીક, અને ધાર્મિક એવા વિભાગ એના બેન્જામ પાડે છે. ત્યાં દુરાચારથી શરીરની જે દુર્દશા થાય તે શારીરિક, મંત્રીઓના કાયદાથી જે શિક્ષા થાય તે રાજકીય, સામાજીક વ્યવહારમાંથી ઉપજનાં સુખ દુઃખ તે નૈતિક; અને પારલૌકિક દાન અને દંડ તે ધાર્મિક.. જનહિતવાદીઓ કહે છે કે મનુષ્યનું જીવન સ્વાર્થથી શરૂ થઈ નિસ્વાર્થમાં પરિણમે છે. પણ તેઓ કહે છે તેમ જે મનુષ્ય જન્મથીજ સ્વાથ હોય તે આગળ જતાં તે નિઃસ્વાર્થી કેમ થઈ શકે છે એ બાબતને ખુવાસો તેમણે કરવો જોઈએ. અર્થાત મનુષ્યના સ્વભાવમાં નિઃસ્વાર્થનું તત્વ મૂળ જ ન હોય તે તે આવી જાય છે જ્યાંથી તેઓ કહે છે કે સ્વાર્થને વૃત્તિઓને સ્વીકાર અને વિચાર–સાહચર્યને સિદ્ધાંત. 34