________________ 14 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. આંતરવાદીઓ કહે છે કે માણસેમાં મરણોત્તર કીર્તિને લેભ હોય છે; તેથી એમ સિદ્ધ થાય છે કે મનુષ્યના સ્વભાવમાં નિઃસ્વાર્થનું તત્વ મૂળથીજ રહેલું છે. જનહિતવાદીઓ કહે છે કે એ વાત ખેતી છે. મનુવ્યનું આચરણ મૂળે તે સ્વાર્થની શોધમાં જ ફરે છે, પણ પછી વિચારસાહચર્યના બળે તે નિઃસ્વાર્થ રૂપે પ્રતીત થાય છે. પ્રશંસા સ્તુતિ કરનારને પ્રેમ સૂચવે છે અને બીજાના પ્રેમનું આપણને લક્ષ્ય બનાવે છે. પણ પછી તે સાધન મટી ઉશ બની જાય છે, અને તેનું ઘેલું પછી માણસને એવું તે લાગી જાય છે કે જે પ્રશંસા પિતે કાને સાંભળવા રહેવાને પણ નથી એવી મુઆ પછીની કીર્તિ મેળવવા દુઃખ વેઠીને પણ તે પ્રયાસ કરે છે. પ્રશસાથી કેટલાક લાભ આપણને થાય છે તેથી આપણે તેને પ્રથમ ઈચ્છીએ છીએ. પણ પછી લાભની વાત અળગી રહી જાય છે અને પ્રશંસાને શોધતા ફરીએ છીએ. એજ ન્યાયે પ્રશંસાને છોડીને જે વસ્તુઓથી સ્વાભાવિક રીતે અથવા ઘણું કરીને પ્રશંસા પ્રાપ્ત થતી હોય તે વસ્તુઓ ઉપરજ આપણું મન એટયું રહે છે. આમ આપણા સઘળા નૈતિક મનેભાવ આ કિમિયા જેવી કૃતિને જ ઉપકૃત છે. સ્વભાવથી માણસમાં પરેપકાર વૃત્તિ હોતી જ નથી. પ્રથમ તે એના આચરણનું નિયમન કેવળ સ્વાર્થથીજ છે. પરંતુ બાળક અવસ્થામાં માતૃભાવ સાથે પિતાનું સુખ જોડાએલું છે એમ એ શીખે છે. જરીક મેટ થતાં કુટુંબની સાથે તે સંયુક્ત થએલું એને સમજાય છે, અને ઉમરે પહોંચતાં પિતાની જ્ઞાતિ, ધર્મ, દેશ, અને છેવટે આખી આદમ જાતની જોડે તે જોડાએલું છે એમ એને સમજાય છે. આમ નિઃસ્વાર્થ પ્રેમ છેવટે રચાય છે. બીજાને દુઃખી જોઈ પિતાનાજ દુઃખની દુઃખદ સ્મૃતિ બાળકમાં જાગ્રત થાય છે, અને બાળકની કલ્પના શક્તિને ઉશ્કેરી આ સ્મૃતિને માબાપ દઢ રાખતાં જાય છે. વળી નિશાળમાં પણ એકનાં સુખ દુઃખ કઈને કઈ રીતે સર્વ સાથે જોડાયેલાં લાગે છે. અને આમ બીજાઓનાં દુઃખ સાથે આપણું પિતાના દુઃખને વિચાર જોડાઈ જાય છે અને આપણામાં દયાની લાગણી ઉત્પન્ન થાય છે, શુભેચ્છા અને ન્યાય માણસે આચરે છે તે એટલા માટે કે