________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ: ભેટી લેવું; (2) જે દુઃખમાં કાંઈ સુખ ન હોય તે તજી દેવું; (3) જે જે સુખ મેળવતાં તેના કરતાં પણ મોટું સુખ અટકી જતું હોય અથવા તેથી સુખ કરતાં દુ:ખ વિશેષ થતું હોય તો તે સુખ તજી દેવું; (4) જે દુઃખથી મોટું દુઃખ અટકી જતું હોય અથવા મેટું સુખ મળે તેમ હોય તે. તે દુઃખ ભોગવી લેવું અત્યાર સુધી ઐહિક સુખ દુઃખની વાત થઈ. પણ તે મતના કેટલાક અનુયાયીઓ પારલૌકિક સુખ દુઃખને પણ નૈતિક આચરણમાં કારણભૂત ગણે છે. જે માણસ સ્વભાવથી જ સ્વાર્થી હોય તો પછી તેઓ નિઃસ્વાર્થી કેમ થઈ શકે ? એ મુશ્કેલી આ મતમાં મુખ્ય છે. પારલૌકિક સુખ દુઃખનો વિચાર વચમાં લાવવાથીજ આ મુશ્કેલી ટળી શકે છે એમ કેટલાક કહે છે. ઍહિક સુખો ઉપર આપણા પૂરેપૂરો અમલ ચાલતું નથી; પણ સર્વજ્ઞ ન્યાય-કર્તા એક એવો છે કે જે આપણે સર્વ કાર્યને બદલે પરલોકમાં પણ જરૂર આપશે જ—એ વિચારથી બેશક માણસને સદાચારમાં પ્રવૃત્ત રહેવાનું મન વધારે થાય છે. તેથી આ મતવાળાઓ કહે છે કે જે કોઈ માણસને યોગ્ય લાભની આશા ન હોય તે તેણે પિતાના સુખને વામાં અડચણ નથી, કારણ કે તેને બદલે અન્ય દુનિયામાં તેથી વિશેષ સુખ મળવાનું છે. સ્વર્ગની પ્રાપ્તિ અને નરકમાંથી મુક્તિ–એ બન્ને માટે જ આપણું આચરણ માત્રની પ્રવૃત્તિ થાય છે. અને મૃત્યુ પછી પણ પહોંચે એવી સ્વાર્થની ગણત્રી કરવી તેજ સદ્દગુણ; અને આ ગણત્રી સિવાય અન્ય થઈએ છીએ એવી વિધર્મીઓની માન્યતા કેવળ ભ્રમજનક છે. કેવળ નફાટાની દૃષ્ટિથી જોઈએ તે આ મત વિરૂદ્ધ બે આક્ષેપ મૂકી શકાય છે. સ્વર્ગ-પ્રાપ્તિને માટે સદ્દગુણના કેટલા સંચયની જરૂર છે એ આ મતમાં ચોક્કસ ઠરાવેલું ન હોવાથી પરિણામ એ આવે કે કેટલાક દુખ આ દુનિયામાં નિર્ભયતાથી આચરી શકાય. આને જવાબ તેઓ એમ આજે