________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઇતિહાસ. પરંતુ જનસ્વભાવની આ ગણના મનુષ્યને જંગલી દશામાં મૂકે છે અને તેથી નીતિનું નામ જ રહેતું નથી, કારણકે આ સિદ્ધાંત પ્રમાણે સર્વ આચરણ એક ટિનાં થઈ જાય છે. વળી જે આ સિદ્ધાંત પ્રમાણે સૈ વર્તવા માંડે તે માણસે માહે માંહે વઢી મરે અને કોઈને સ્વાર્થ સરવાનો પ્રસંગજ રહે નહિ. પણ સુભાગે એ આપણ વાસ્તવિક સ્થિતિ નથી. અનુ. ભવ આપણને એમ શીખવે છે કે બીજાની સહાય વિના અને સમાજની કોઈક વ્યવસ્થા વિના આપણી ઘણી ખરી ઈચ્છાઓ પાર પાડી શકતી નથી. તેથી આપણું કુદરતી હવસનું કાંઈક નિયમન કરવાની આવશ્યકતા રહે છે. આ નિયમને માટે કાયદા રચાય છે અને પારિતોષિક અને દંડથી તેમનું સમર્થન થાય છે, અને આમ સમાજના શ્રેયમાં વ્યકિતનું શ્રેય ગણવા લાગે છે. તેથી જ હૈબ્સ કહે છે કે નિરંકુશ રાજ્ય–શાસન પદ્ધતિમાં સર્વોત્તમ શ્રેય છે; રાજાની આજ્ઞા સર્વોપરી છે અને તે આજ્ઞાઓનું પાલન એજ નીતિ. વળી તેથીજ કરીને આ મતના અન્ય અનુયાયીઓ રાજ્ય સ્થાપન કળાને નીતિ-શાસ્ત્રનું મુખ્ય અંગ ગણે છે; કારણકે તેમના મત પ્રમાણે આપણું સઘળું વર્તન સ્વાર્થથીજ થાય છે. સમાજના લાભની સાથે આપણા લાભની એકતા તે રદ્દગુણ; અને આ એકતાનો વિવેક કાયદાથી સાધ્ય હોવાથી, કાયદા બાંધકાર અને નીતિવેત્તાની ફરજે લગભગ સરખી હેય છે. પરંતુ આ રાજ્યસત્તા ઉપરાંત લેક-અભિપ્રાયનું એક બીજું બળ પણ તેઓ સ્વીકારે છે. સગુણથી આપણને ખ્યાતિ અને મિત્રતા મળે છે; દુર્ગુણથી નિંદા અને દુશ્મનાવટ પ્રાપ્ત થાય છે. કાયદાથી મળતી કેળવણીને લીધે અને સમાજનાં ભિન્ન ભિન્ન અંગ ભૂતનાં હિત એક બીજા ની સાથે ઓતપ્રોત થએલાં હોય છે એવા વધતા જતા અનુભવને લીધે, એક જાતને એવો લેકમત ઉભો થતો જાય છે કે જેને અનુકૂળ રહી માણસે શાંત અને મિલનસાર રહેતાં શીખે છે, અને સુખચેનમાં પોતાનાં જીવ ગાળે છે. આવી રીતે ન્યાય, ઉપકારવૃત્તિ, વિનય, નિષ્પક્ષપાતતા, વિશુદ્ધ અને પાતિગત્યના ગુણ અસ્તિત્વમાં આવતા જાય છે. આ ગુણોથી ( જે સમાજને સુખ થતું ન હોય તે તેમને દુર્ગુણ કહેવા જોઈએ, અને જેમ