________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, જેમ સુધારો આગળ વધતો જાય છે તેમ તેમ આ લોકમત વધારે વધારે દઢ થતો જાય છે, માણસના ચારિત્ર્ય બંધાતાં જાય છે અને તેથી લેકે વધારે વધારે નિઃસ્વાર્થી થતા જાય છે. ત્યારે પ્રૌઢનીતિવાળો અને નિઃસ્વાર્થી કેણ એ પ્રશ્ન થતાં આ મતવાળાઓ જવાબ આપે છે કે તે માણસ પિતાનું જ સુખ શોધવામાં કેવળ મશગુલ રહે છે, પણ તે સુખ એ એવી રીતે શેધે છે કે તેની પિતાની તૃપ્તિની સાથે બીજાને પણ તેથી સુખ મળે છે. પ્રાચીન કાળથી લેકે કહેતાં આવ્યા છે કે જે માણસ દીર્ધ દ્રષ્ટિથી વિચાર કરીને પિતાનું સુખ શોધે છે તેનું જીવન યથાર્થ નીતિમાન જ હોય છે તેઓને આ મત ઘણો આદરણીય થાય છે અને દરેક માણસ સ્વભાવથી જ પોતાનું સુખ શોધવામાં તત્પર હોય છે એ તેમને મત હોવાથી, દુર્ગણ એ અજ્ઞાનનું પરિણામ છે એ પ્લેટના સિદ્ધાંત ઉપર આમ અન્ય રીતે આપણે આવીએ છીએ. સદ્દગુણ એ સુખની પ્રાપ્તિ માટે વિચારવંત ઉદ્યમ છે, દુગુણ અવિચારી ઉદ્યમ છે. સદ્દગુણ તો વ્યવહાર-નિપુણતાની શાખા માત્ર છે. સુખદુઃખની ગણત્રી કરતાં ન આવડે તે દુર્ગુણ. જેને સમાજજની નીતિ સુધારવાને ઉદ્યમ આરંભ હોય તેને બે જ રસ્તા ખુલ્લા છે. દરેકને સ્વાર્થ બીજાના સ્વાર્થની સાથે વધારેને વધારે જોડાએલ કેમ રહે તેના ઉપાય એણે યોજવા; અને જે અજ્ઞાનતાને લીધે માણસ પિતાને ખરે સ્વાર્થ સમજી શકતો નથી તે અજ્ઞાનતા દૂર કરાવવી. અર્થાત નીતિનું શાસ્ત્ર માત્ર ગણિતનો જ વિષય છે. જે પતિવ્રત્ય કે સત્યથી સુખ કરતાં દુઃખ વધારે થતું હોય અથવા મેટા સુખના ભોગે નાનું સુખ મળતું હોય તે તેવા આચરણમાં પાપ છે, મુર્ખાઈ છે. જે ગુણેને સદ્દગુણ ગણવામાં આવે છે તેમને આચરણમાં મૂકવાથી આપણને લાભ થતો ન હોય તે તે પ્રમાણે વર્તવાનું આપણને કોઈ બંધન નથી. અર્થાત આખું નીતિશાસ્ત્ર આ ચાર નિયમમાં સમાઈ જાય છે: (1) જે સુખમાં કાંઈ દુ:ખ ન હોય તે