________________ આચરણને સ્વભાવ-સિદ્ધ ઈતિહાસ. વાદીઓ એમ માને છે કે આપણું મનેભાવની નૈતિક સારાસારતાનું ભાન અને તેમના પ્રત્યે આપણું કર્તવ્યની સમજ આપણને અંતરમાં એની મેળે પ્રત્યક્ષ થાય છે. આપણુમાં એક એવી સ્વસિદ્ધ શક્તિ રહેલી છે કે જેને લીધે શુભેચ્છા, સત્ય, દાંપત્ય ધર્મ ઈત્યાદિ સર્વ ગુણે બીજા કરતાં વધારે ઉત્તમ છે અને આ ગુણ આપણે કેળવવા જોઈએ અને તેમના વિરોધી ગુણોને દબાવી દેવા જોઈએ એમ આપણને એની મેળે વિદિત થાય છે; બાહ્ય અનુભવનું તે કામ નથી. અર્થાત તેઓ એમ કહે છે કે મનુષ્યના સ્વભાવની રચનાજ એવી છે કે નીતિના વિચારની સાથે જ તે વિચારને આચરણમાં મૂકવાનું બંધન રહેલું છે; અમુક જાતનું વર્તન આપણું કર્તવ્ય છે એમ જાણવામાં જ વ્યવહારમાં તેવું વર્તન કરવાનું કારણ આપણને બુદ્ધિગમ્ય અને પૂરતું થાય છે; અને તેવા વર્તનમાંથી ઉપજતા પરિણામ ઉપર દ્રષ્ટિજ રાખવાની નથી. આપણું કર્તવ્યના મૂળ નિયમ આપણને પ્રેરણાથી જ પ્રાપ્ત થાય છે. તેમના પ્રતિપક્ષીઓ કહે છે કે નીતિના મૂળ નિયમોનું આમ સ્વાભાવિક પ્રત્યક્ષ આપણને થતું જ નથી. પાપ પુણ્યનું જ્ઞાન, આપણી મનોવૃત્તિઓ અને કાર્યોના મુકાબલાનું જ્ઞાન આપણને સ્વભાવસિદ્ધ નથી, પરંતુ જે માનુષી જીવન સુખમાં પર્યવસાન પામે છે તેના નિરીક્ષણથીજ તે પ્રાપ્ત છે. અર્થાત જે કાર્યોથી માણસ જાતનું સુખ વધે અથવા દુઃખ ઓછું થાય તે સારાં; તેથી વિરૂદ્ધ જે કાર્યોનું વલણ હેય તે નઠારાં. તેથી કરીને મોટામાં મોટી સંખ્યામાં વધારેમાં વધારે સુખ હસ્તગત કરવું એ ઉત્તમ ઉદ્દેશ નીતિને હોય છે અને જે માણસ એમ કરવામાં સફળ થાય તે માણસ સદ્દગુણનું સ્વરૂપ છે એમ સમજવું. આ પાછલા સિદ્ધાંતીઓ પિતાના સિદ્ધાંતનું મંડાણ બાહ્ય અનુભવ ખશું, હવે અહીં પ્રશ્ન આમ થાય છે. ખરી વાત છે કે કેટલાંક કાર્યો માણસ જાતને સુખકારક છે એ અનુભવથી જણાય છે. પરંતુ તેટલા માટે તે કાર્યો કરવાનું આપણું કર્તવ્ય છે એવું નૈતિક બંધન ક્યાંથી આવી જાય છે? જે કાર્યો સમાજને ઉપયોગી છે એમ અનુભવ જણાવે તે સારાં-એમ