________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ પરમાત્માએ એ આત્મા જોયો છે. તેથી કહ્યું છે કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતાં હો લાલ.” મહાવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે. ત્યાં લાખો કેવળીઓ બિરાજે છે. અત્યારે મનુષ્યપણામાં મોજુદ છે. ભક્તિવંત કહે છે–અમારો આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ પ્રભુ તમે દેખો છો. પુણ્ય ને પાપના વિકલ્પ વિનાનો આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ અમારા આત્માને પ્રભુ તમે દેખો છો. અમારો આત્મા રાગવાળો ને પુષ્યવાળો છે એમ આપ દેખતા નથી. બધા ભગવાન આત્મા નિજ સત્તાએ શુદ્ધ છે હોં !
નિગોદથી માંડીને બધા જીવો શુદ્ધ છે. એક લસણની કળીની રાય જેવડી કટકીમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે. એક શરીરમાં અનંત જીવ છે. એક-એક જીવ પોતે દ્રવ્ય સ્વરૂપે એટલે ભગવત્ સ્વરૂપે છે. તે બધા જીવ આનંદઆદિ ગુણોથી ભરેલા ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે તેને એક બાજુએ રાખો. નિગોદનો જીવ પણ દ્રવ્ય તરીકે તો ભગવાન સ્વરૂપ જ છે, પર્યાયમાં અજ્ઞાન છે. (શ્રી સમયસારજી ની જયસેન આચાર્ય દેવની ટીકામાં આવે છે કે -લોકમાં સર્વે જીવો, સર્વ કાળે આનંદ આદિ શક્તિથી ભરેલા પરમાત્મા છે.
“કેવું છે જીવ દ્રવ્ય? (પુદત્તાત્ મિન્ન:), દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન છે.” દ્રવ્યકર્મ એટલે આઠ કર્મથી જુદો અંદર છે. ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ જે થાય તેનાથી જુદો છે. નોકર્મ અર્થાત્ શરીર, મન, વાણી તેનાથી જુદો અંદર ભગવાન છે. નવ તત્ત્વમાં પુણ્ય ને પાપતત્ત્વ છે તે કાંઈ આત્મતત્ત્વ નથી. કર્મ અને શરીર એ તો અજીવ તત્ત્વ છે, એ આત્મતત્ત્વ નથી. એ અજીવ ને પુણ્ય-પાપ બન્નેથી ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. જે ચિદાનંદપ્રભુ છે તે આત્મતત્ત્વ છે.
તત્ત્વની એક પણ વાતની ખબર ન હોય અને અમે ધર્મ કરીએ છીએ. બાપુ! એના ફળ આવશે ત્યારે તને ખબર પડશે. અજ્ઞાનથી માંડેલી વાતોના ફળ ચોરાશીના અવતાર છે.
કેવું છે જીવદ્રવ્ય? તેમ જ તીર્થકર કેવળીએ જોઈ છે તે વસ્તુ કેવી છે? “પુનીતા fમન્નધાન:” દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેય પુદ્ગલ છે. એ જીવનું સ્વરૂપ નથી. જુઓ, ભાવકર્મને પુદ્ગલ કીધું. એ પુણ્યનો શુભોપયોગ-રાગ તે પુદ્ગલ તત્ત્વમાં જાય છે. આહા. હા! ભગવાન તેનાથી ભિન્ન છે તેને આત્મા કહીએ. એ આત્માની પ્રાપ્તિ ત્રણ કર્મથી રહિત થઈને થાય છે. આહા... હા! તો અહીંયા તો ભાવકર્મથી રહિત થાય તો આત્માની પ્રાપ્તિ થાય એમ કહ્યું. પેલા કહે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય. ભાવકર્મ એટલે દયાદાન, વ્રત-ભક્તિ કરતાં-કરતાં નિશ્ચય થશે તેની અહીંયા ભગવાન ના પાડે છે. જે ભાવકર્મથી આત્મા રહિત છે તે ભાવકર્મથી આત્માની પ્રાપ્તિ કેમ થાય?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk