________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦
કલશામૃત ભાગ-૨ અરે..! પ્રભુ! મારગ તો આવો છે. અહીં તો પરમાત્મા ન્યાયથી કહે છે. વાત તો ન્યાયથી–લોજીકથી છે, અને પોતાની સ્વતંત્રતાથી છે એવી વાત છે. વિકાર કેવી રીતે થયો? કર્મથી થયો તેમ માનવાનો તે સમયે અમે તો બિલકુલ નિષેધ કર્યો. કહ્યું કેપોતાનો વિકાર પોતાથી થાય છે કર્મથી થતો નથી. તો તેમને એમ લાગ્યું કે આ લોકોએ મૂળમાં ભૂલ કરી. જો વિકાર પુદ્ગલથી નથી થતો તો વિકાર સ્વભાવ થઈ જશે!? અરે..! શાંતિથી સાંભળ તો ખરો !
અમે વિહાર કરતાં-કરતાં કલકત્તા આવ્યા. ત્યાં ગજરાજજીને ત્યાં ભોજન હતું, ત્યાં શેઠ પ્રશ્નનો પત્ર લઈને આવ્યા. સાહેબ ! વિકાર પોતાથી થાય છે કે કર્મથી થાય છે? ત્યાં અમે ઉત્તર આપી દીધો છે. શેઠ હોય તો અમારે શું?! પ્રશ્ન આવ્યો- વિકાર કેવી રીતે થાય છે? વિકાર પોતાથી થાય છે. આ પ૩ નંબરનાં કળશમાં આવશે. “ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે. તેનો અર્થ વિકારરૂપ અશુદ્ધરૂપે પરિણમવું કે શુદ્ધરૂપે પરિણમવું તે વ્યાપ્ય નામ કાર્ય છે તે આત્માનું છે પરનું કાર્ય નથી. થોડો થોડો અભ્યાસ તો કરવો પડશે. અહીં તો ઠપકો આપવો છે ને!? આહા.. હા! જિંદગીમાં આવી સ્વતંત્ર ચીજ સમજમાં ન આવે તો પ્રભુ ! તારું શું થશે!
પ્રશ્ન:- બધી જવાબદારી જ્ઞાન ઉપર જ આવી.
ઉત્તર- બીજું શું હોય ભગવાન ! તારું જ્ઞાન ખોટું તો બધું જ ખોટું અને તારું જ્ઞાન સાચું તો બધું સાચું. એવું આ લોકમાં ચાલે છે. ત્રણે સંપ્રદાયમાં ચાલે છે કે-કર્મથી વિકાર થાય છે. શ્વેતામ્બરમાં મુખ્યપણે આ વાત જ ચાલે છે. કારણ કે શ્વેતામ્બરમત તો પાછળથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં દિગમ્બરમાંથી જ નીકળ્યો છે તેથી તેમાં તો આજ ચર્ચા ચાલે છે.
ખેડાવાળા. શ્વેતામ્બરના જેઠાભાઈ છે. તેમણે પહેલી વખત આ વાત સાંભળી તો તેમને રુચિ નહીં, પછી બેઠી તો તેમને થયું કે-આ કોઈ બીજી વાત કરે છે. પછી તેમણે પચાસ પ્રશ્ન કાઢયા અને તેમના સાધુ સાથે ચર્ચા કરવા ગયા. તો રામવિજય સાધુએ એમ કહ્યું કે મારી પહેલી શરત એ છે કે-કર્મથી વિકાર થાય છે તેને સાચું માનો તો અમે તમારી સાથે ચર્ચા કરીએ. આહા... હા! શ્વેતામ્બરમાં આ ચીજ છે જ નહીં. આવી સ્પષ્ટતા તો દિગમ્બરમાં જ છે.. બીજે કયાંય છે જ નહીં.
જુઓ, અહીં પ૩ કળશના ભાવાર્થમાં શું કહે છે.. “જીવદ્રવ્ય પોતાની અશુદ્ધ ચેતનારૂપ કે શુદ્ધ ચેતનારૂપ” જે સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ પરિણતિ અથવા અશુદ્ધ ચેતનારૂપ પુણ્ય-પાપ-મિથ્યાત્વરૂપી પરિણતિનો વ્યાપ્ય-વ્યાપકરૂપ કર્તા છે. પરિણતિ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. તેમ હોય છે. પુદ્ગલ દ્રવ્ય પોતે પોતાના લક્ષણરૂપ શુદ્ધ પરમાણુરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk