________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૨
કલશાકૃત ભાગ-૨ આહા...!ભગવાન આત્માનું ચૈતન્ય લક્ષણ અને પુણ્ય-પાપનું અચેતન લક્ષણ છે. કેમકે રાગ-દ્વેષ છે તે પોતાને જાણતા નથી અને ચૈતન્ય આત્માને પણ જાણતા નથી પરંતુ તે ચૈતન્ય દ્વારા જાણવામાં આવે છે તેથી તે કારણે તે અચેતન છે.
દૃષ્ટાંત કહે છે- “વા: પયસી: હંસ રૂવપાણી દૂધ હંસની માફક” વા: એટલે પાણી પયો: અર્થાત્ દૂધ, પાણી અને દૂધ એક સ્થાનમાં, એક ક્ષેત્રમાં દેખાય છે.. છતાં હંસની ચાંચનો સ્વભાવ એવો છે કે તેમાં ચાંચ નાખવાથી પાણીને દૂધ ભિન્ન થઈ જાય છે. હંસની ચાંચમાં ખટાશ હોય છે. જળ અને દૂધ એક સ્થાનમાં હોય અને તેમાં ચાંચ નાખે તો જળ અને દૂધ બન્ને ભિન્ન થઈ જાય છે.
ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે.”
જે પ્રકારે હંસ દૂધ અને પાણીને ભિન્ન-ભિન્ન કરે છે તે પ્રમાણે જે કોઈ જીવ અને પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે તેને ચૈતન્ય સ્વરૂપ ભગવાન અને તેનાથી રાગાદિ દોષ છે તે ભિન્ન છે તેમ અનુભવે છે. જેમ દૂધ અને જળ ભિન્ન છે તેમ આનંદસ્વરૂપ ભગવાન અને પુણ્ય-પાપના દોષ તે જળ સમાન દૂધથી ભિન્ન છે. આહા. હા! આવી વાત છે સમજમાં આવ્યું!?
દૂધ અને પાણીને જેમ હંસ ભિન્ન-ભિન્ન કરે છે તે સમાન, પરલક્ષી પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અચેતન છે, તે પાણી સમાન છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ત્વશાશ્વત ચિજ્ઞાન, જે શાશ્વત જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. આનંદઘનજી શ્વેતામ્બરમાં થયા તેમની ભક્તિમાં આવે છે
“અબધુ અપના રુપ જબ દેખા, કોણ માગેગા લેખા.. અબધુ.. કરતા કોણ.. કોણ કોની કરણી,
કોણ માગેગા લેખા.... અબધુ....” પોતાનું સ્વરૂપ જ્યારે દેખ્યું તો તે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપથી ભિન્ન (સદા ) ભિન્ન છે ( તેમ જણાયું.)
અહીંયા તે વાત કહે છે–ભગવાન આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને પુણ્ય ને પાપના ભાવ છે તે અચેતન-બંધ લક્ષણવાળા છે. તે બેનું ભેદજ્ઞાન કરવાથી આહા.. હા! રાગ ઉપરથી લક્ષ છોડીને, દોષ ઉપરથી લક્ષ છોડીને જે નિર્દોષ ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ પ્રભુ છે તે ઉપર દૃષ્ટિ કરવાથી સ્વરૂપનો અનુભવ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
આનંદઘનજીએ તો એ કહ્યું કે “અબધુ અપના સ્વરૂપ જબ દેખા”, કરતા કોણ...
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk