Book Title: Kalashamrut Part 2
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 378
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ કલશાકૃત ભાગ-૨ કલશ ને : ૧૯ (વસંતતિલકા) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।। १४-५९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ : તુ પરાત્મનો વિશેષમ નાનાતિ” (: ) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (પર) દ્રવ્યકર્મપિંડ અને (માત્મનો:) શુદ્ધ ચૈતન્યમાત્રનું (વિશેષમ) ભિન્નપણું (નાનાતિ) અનુભવે છે. શું કરીને અનુભવે છે? “જ્ઞાનાત વિવેચતયા” ( જ્ઞાના) સમ્યજ્ઞાન દ્વારા (વિવેવતા ) લક્ષણભેદ કરીને તેનું વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ; તેથી જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે. દષ્ટાન્ત કહે છે-“વા:પસો: હંસ: ફુવ(વ:) પાણી (પચો) દૂધ (કં: રુવ) હંસની માફક, ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે “સ: દિ નાનીત , ગ્વિના ન રતિ” (સ: દિ) તે જીવ (નાનીત પવ) જ્ઞાયક તો છે, (વિષ્યનાgિ) પરમાણુમાત્રને પણ (ન રોતિ) કરતો તો નથી. કેવો છે જ્ઞાની જીવ? “સ: સવા અવતં ચૈતન્યધાતું :” તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દઢતાથી રહ્યો છે. ૧૪-૫૯. પ્રવચન નં. ૭૩ - તા. ૨૧-૮-'૭૭ કલશ-૫૯ : ઉપર પ્રવચન આ કળશમાં ધર્મી-સમ્યજ્ઞાની કેવા હોય છે તે વાત કરે છે. અજ્ઞાનીના ભોક્તાની અને કર્તાની વાત કરી. ૫: તુ પરાત્મનો: વિશેષમ નાનાતિ” જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્યકર્મ પિંડ અને શુદ્ધ ચૈતન્યમાત્રનું ભિન્નપણું અનુભવે છે.” જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ”-હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યઘન છું તેમ જાણે છે. મારી ચીજમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ પણ નથી. આહા.. હા! મારો સહજ સ્વભાવ. જ્ઞાયક સ્વરૂપ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં છઠ્ઠીનાં લેખ લીધા છે ને! “બ વિ દોઃિ અપ્પમન્તો પત્તો નાનો ટુ નો માવો ” પ્રભુ! આત્મા પ્રમત્ત કે અપ્રમત્ત નથી. તે જ્ઞાયકભાવ તો જ્ઞાતા-દેષ્ટા (સ્વભાવથી) ભરેલો ભગવાન છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401