________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧/૯ જે પ્રગટ છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે. શું કહ્યું? ફરીથી.. આ શરીર, વાણી, મન તેને એક બાજુ રાખો. આ પુણ્ય-પાપ બહિર્ભાવ તેને એક બાજુ રાખો. હવે જે જ્ઞાનની પર્યાય વર્તમાન છે જેમાં શરીર, મન, વાણી જાણવામાં આવે છે એવી જે પર્યાય પ્રગટ છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે તેમ ભગવાન કહે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પરમાત્મા જણાય છે એમ ફરમાવે છે.
આહા! આત્મા ચૈતન્ય જ્યોતિ છે. તેની વર્તમાન જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે. તે રાગને પણ પ્રકાશે અને સ્વને પણ પ્રકાશે છે. ઝીણી વાત છે બાપુ ! ભગવાન શું કહીએ? મારગડા અપૂર્વ છે. અનંત-અનંત કાળ થયો તેણે વાસ્તવિક તત્ત્વ કયારેય સાંભળ્યુંય નથી, અને સાંભળ્યું છે તો રુચિ થઈ નથી. આ રાગ અને પુણ્યના ભાવને મારા માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ-દુઃખી છે. પાઠમાં આનંદનો આસ્વાદી કહ્યો ને! તે સુખી છે. જે કોઈ જીવ રાગથી ભિન્ન થઈને પોતાની ચીજનો એટલે જ્ઞાન ને આનંદના સ્વભાવનો પત્તો લઈને અનુભવ કરે છે તે પ્રાણી સુખી છે.
સુખિયા જગતમેં સંત દુરિજન દુઃખિયા રે..” સુખિયા જગતમેં સંત એટલે કે-અનાદિ અનંત પોતાની આનંદમયી જે ચીજ છે તેનો સ્વાદ લ્ય છે તે સુખી છે. સમકિતી જીવ સુખી છે. બાકી બધા કરોડપતિ, અબજોપતિ, રાજા ને શેઠ, દેવ તે બધા દુઃખી છે. કેમકે પોતાના આનંદસ્વરૂપથી વિપરીત પુણ્ય ને પાપના ભાવમાં તેને એકત્વબુદ્ધિ છે તેથી દુઃખી છે.
કેવો છે જીવ? તે તો પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. તે જ્ઞાન આનંદ આદિ સ્વભાવથી પ્રકાશમાન છે. જ્ઞાનની પર્યાયમાં તે આત્મા જ પ્રકાશે છે. પણ તેની દષ્ટિ ત્યાં નથી. તેની દષ્ટિ રાગ ઉપર ને પર્યાય ઉપર છે. શું કહે છે? જ્ઞાનની વર્તમાન અવસ્થા જે પ્રગટ છે વ્યક્ત છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે. ત્રિકાળી વસ્તુ જ જાણવામાં આવે છે. પણ ત્યાં તેની નજર નથી. અનાદિકાળથી તેની નજર વર્તમાન પર્યાયમાં, રાગમાં કે નિમિત્ત ઉપર છે. સ્વપરપ્રકાશક પર્યાયમાં ચૈતન્ય જ જાણવામાં આવે છે. પરંતુ તેની દૃષ્ટિ આત્મા ઉપર નથી તેથી તેને આત્માનું જ્ઞાન થયું નહીં. આત્માનું જ્ઞાન થાય છે એવું જ્ઞાન થતું નથી. આ તો વીતરાગનો માર્ગ છે-લોજીકથીન્યાયથી સમજાય એવો છે.
ફરીથી.. એ.. શું કહ્યું? જ્ઞાનની વર્તમાન પર્યાય જાણવાવાળી છે. આ રાગ છે, શરીર છે, વાણી છે, મન છે તેમ જાણે છે તે જ્ઞાનની પ્રગટ અવસ્થા છે. સર્વજ્ઞ ભગવાન કહે છે-પર્યાયમાં તો પર્યાયવાન દ્રવ્ય જ જાણવામાં આવે છે. કેમકે એક સમયની જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ તેનો સ્વ-ચૈતન્ય ભગવાન જ પ્રકાશમાં આવે છે, પરંતુ અજ્ઞાનીની નજર અંતરમાં નથી. એટલે કે જ્ઞાનમાં આવે છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk