________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
કલશાકૃત ભાગ-૨ કહે છે? વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા. વ્યાપ્ય એટલે પર્યાય અને વ્યાપક એટલે પર્યાયવાન. વ્યાપ્ય તે પર્યાય છે અને વ્યાપક તે પરિણામી છે. શબ્દમાં પરિણામી પરિણામ સ્વરૂપ એમ લીધું છે. પરિણામી વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય છે. શબ્દ આગળ પાછળ છે. વ્યાપ્ય નામ અવસ્થા-પર્યાય-પરિણામ અને વ્યાપક નામ પ્રસરવાવાળું દ્રવ્ય. અહીં વસ્તુ છે તેને વ્યાપક કહે છે અને પર્યાયને વ્યાપ્ય કહે છે. સમજમાં આવ્યું?
કહે છે કે–વીતરાગમૂર્તિ ભગવાન આત્મા વ્યાપક થઈને રાગરૂપી પરિણામમાં બદલી જાય તેમ અશકય છે તેમ થતું નથી. આવે છે ને...
“જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમઝલે, જિન પ્રવચનકા મર્મ.” જિન સોહી આતમા એટલે રાગના ત્યાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. બપોરે શ્રી સમયસારજી ચાલે છે તેમાં એમ આવશે કે-ભગવાન આત્મા રાગના ત્યાગ સ્વરૂપ છે. તેનો અર્થ એ થયો કે-તે તો વીતરાગ સ્વરૂપ જ છે. આત્માની શક્તિ અને તેનો સ્વભાવ વીતરાગ સ્વરૂપ જ છે. એ વીતરાગ સ્વરૂપ આત્મા રાગમાં સંક્રમણ થઈ જાય-પલટી જાય તેમ થવું અશકય છે. જો આત્મા પલટીને રાગમાં જાય તો રાગનો કર્તા અને રાગ તેનું કર્મ એમ થઈ શકે. સમજમાં આવ્યું?
પ્રશ્ન- અનુમાન જ્ઞાનમાં આવે છે, અનુભવમાં કેમ આવતો નથી?
ઉત્તર- પહેલાં અનુમાનમાં ખ્યાલ આવે પછી અનુભવમાં આવે ને? પહેલાં શુકન થાય પછી તેનું ફળ આવે ને!!માણસ નથી કહેતા કે શુકન સારાં થયાં હવે ચાલો... કામે! એમ આ પહેલાં શુકનમાં અર્થાત્ લક્ષમાં આવવું જોઈએ. આહાહા.! અરે ભાઈ ! પરમાત્માના ઘરની, તત્ત્વની વાત સાંભળવા માટે પણ ભાગ્ય હોવા જોઈએ.
ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ પરમાત્મા જેને સો ઇન્દ્રો પૂજે અને જેને સાંભળવા માટે સૌધર્મ-શકેન્દ્ર દેવલોકનો ઇન્દ્ર આવે છે. તે ઇન્દ્રની સેવામાં અસંખ્ય દેવ છે. તે બત્રીસ લાખ વિમાનનો સાહેબો છે. એક-એક વિમાનમાં અસંખ્યદેવ છે. એ ઇન્દ્રને આત્મજ્ઞાન છે. અને ભગવાને તેને એક ભવતારી કહ્યો છે.
ત્રિલોકીનાથ પરમાત્માએ કહ્યું છે કે ઇન્દ્ર એક ભવતારી છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. એ ઇન્દ્રની પટરાણી જે ઇન્દ્રાણી છે એ જ્યારે ઉત્પન્ન થઈ હતી ત્યારે મિથ્યાદેષ્ટિ હતી. સ્ત્રી પણે અવતરી ત્યારે મિથ્યાદેષ્ટિ હતી. સ્ત્રી થાય એ મિથ્યાષ્ટિ પણે થાય અને પછી આત્મજ્ઞાન પામી. તે પણ એકભવતારી છે. પતિ-પત્નિ બન્ને એક મનુષ્ય ભવ ધારણ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરીને પછી મોક્ષે જવાના છે. એવા ઇન્દ્રને ઇન્દ્રાણી જે ભગવાનની સભામાં આવે છે તે વાણી કેવી હોય! જેની પાસે ત્રણજ્ઞાન છે મતિ-શ્રુત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk