________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૮૧ ત્યાં સુધી બંધનદશા છે. હવે ત્યારે વસ્તુ સ્વરૂપથી જોતાં આત્મા મોક્ષસ્વરૂપ જ છે. આત્માનો મોક્ષ થાય છે તેમ કહેવું તે વ્યવહારથી પર્યાયથી વાત છે. અનાદિથી તેણે એમ માન્યું છે કે હું બંધાણો છું, રાગનો બંધ મને થયો છે, પરનો બંધ તો તેને નથી. આ પુણ્ય-પાપના રાગના બંધનમાં હું છું એવી માન્યતા તેની છે. અહીં કહે છે-વસ્તુ કયારેય બંધનમાં આવી જ નથી. વસ્તુ એટલે આત્મા તે તો મોક્ષ સ્વરૂપી જ છે.
શ્રી સમયસારની પંદરમી ગાથામાં પણ કહ્યું છે કે “નો પસ્સદ્ધિ ભપ્પાનું નવદ્ધપુર્ક [Dવિસે ” આમાં અબદ્ધ લીધું છે. અબદ્ધ કહો કે મોક્ષસ્વરૂપ કહો (એકાર્થ છે). પોતાનું સ્વરૂપ મુક્ત જ છે. રાગથી ભિન્ન જે દ્રવ્ય સ્વભાવ છે તે તો મુક્ત સ્વરૂપી જ છે. એવી દૃષ્ટિ થતાં આત્મા મોક્ષ સ્વરૂપ છે તેવું ભાન થયું તો પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. તે તેનું તાત્પર્ય છે. બંધ મારો છે, હું બંધનો કર્તા છું તે પર્યાયષ્ટિની વાત છે. પરથી તો બંધન નથી પરંતુ રાગ મિથ્યાત્વનું બંધન છે એ પણ પર્યાયષ્ટિથી બંધન છે. દ્રવ્યને બંધન નથી. દ્રવ્યદૃષ્ટિએ દ્રવ્યને બંધન નથી. આહા... હા! જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જુઓ દ્રવ્ય સ્વભાવને તો ચૈતન્ય ઝળહળ જ્યોતિ આનંદનો કંદ પ્રભુ ભગવાન આત્મા અતીન્દ્રિય સુખ સાગરનો સિંધુ છે. આનંદ અમૃત સાગર ભગવાન તે ભવસિંધુની પર્યાયથી ભિન્ન છે.
અહીં એ વાત ચાલે છે કે-કર્તા-કર્મ-ક્રિયા એક જ દ્રવ્યમાં પોતાથી થાય છે. તેવો પહેલાં નિર્ણય કરાવ્યો. તે પરિણામ વિકારી હો કે પછી ધર્મના પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાનની પર્યાય હો તેનો કર્તા આત્મા છે. ધર્મની પર્યાય થઈ કે અધર્મની પર્યાય થઈ તે આત્માનું કાર્ય છે. પલટતી ક્રિયા તે આત્માનું કાર્ય છે. નિમિત્ત આવ્યું માટે પલટે છે તેમ નથી. આહા. હા! પર્યાય મારું કાર્ય અને હું તેનો કર્તા છે. તેવું લક્ષ છોડીને.. આવો જ્યારે નિર્ણય થાય છે અને તે નિર્ણયમાંથી છૂટીને પર્યાયદેષ્ટિનું લક્ષ છોડીને મોક્ષ સ્વરૂપ ભગવાન જે અતીન્દ્રિય આનંદને સુખનો સાગર છે તેનું લક્ષ થતાં (સમ્યજ્ઞાન પ્રગટ થાય છે.)
શ્રી દીપચંદજીકૃત અધ્યાત્મ પંચસંગ્રહ છે તેમાં તો એક એક ગુણમાં નવરસ ઉતાર્યા છે. અભૂતરસ, બિભત્સરસ, શૃંગારરસ, આનંદરસ આદિ અનેક રસ છે. અહીં કહે છે કે-આત્મા આનંદરસ છે. અતીન્દ્રિય આનંદરસ સ્વરૂપ ભગવાન તો મુક્ત સ્વરૂપ છે. તેની દૃષ્ટિ કરવી તેમ કહે છે. સૌ પ્રથમ પર્યાયમાં થતી વિકારી કે અવિકારી દશા તેનો કર્તા આત્મા છે તેમ સિદ્ધ કર્યા પછી મોક્ષ સ્વરૂપ આત્મ સ્વભાવની દૃષ્ટિ કરવી. ભગવાન! આવી વાત છે. બહુ ઝીણું બાપુ!
અરે.. રે! ચોરાશીના ભવસિંધુના દરિયામાં રઝળતો-રખડતો એ દુઃખી છે. જેમ ઘાણીમાં તલ પિલાય તેમ દુઃખમાં પિલાય છે. તેને સનેપાત છે તેથી દુઃખની ખબર નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk