________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર
કલશામૃત ભાગ-૨ વાળની છાલછે. વાળ હોય છે, તે વાળને છેડે તેના બે ભાગ હોય છે. બધી ચીજને દેખી છે. બધી ચીજને એક એકને જોઈને નક્કી કર્યું છે. એક દિવસ જંગલમાં બેઠા હતા તો વાળ તોડીને જોયું તો વાળને છેડે બે ભાગ હતા. તે વાળને કોઈ ચીરી અને તેના બે ભાગ કરવા ધારે તો ન થઈ શકે. વાળની છેલ્લે બે કટકા છે.
તેમ ભગવાન આત્મા ને રાગ બન્ને ભિન્ન છે. આહા.... હા! રાગને પણ પરદ્રવ્ય તરીકે અને પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય તરીકે જાણે છે. આ કર્તાકર્મ અધિકાર છે ને!? સમજમાં આવ્યું ભાઈ !
જિનેશ્વર પરમાત્માનો માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ! વળી જેનાં ફળમાં તો અનંત આનંદ છે. જેના ફળમાં અનંત આનંદ હો તેનો ઉપાય કેવો હોય છે! લોકો તો બહારથી માંડીને બેઠા છે. આપણે વાત કરીએ. અપવાસ કરીએ એટલે ધર્મ થઈ જાય ! પ્રભુ! વિપરીત ભ્રમણામાં તું તારા ભગવાનને ભૂલી ગયો.
અહીં પુદ્ગલ કેવું છે તે વાત ચાલે છે. તે શરીર, રાગ, પરને નથી જાણતું તેમજ પોતાને પણ જાણતું નથી. આહા.. હા! વ્યવહાર રત્નત્રયના રાગનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ પોતાને પણ જાણતો નથી અને અંદર જ્ઞાતા સ્વરૂપ ચૈતન્ય તેને પણ જાણતો નથી. તો નિશ્ચયથી.. અર્થાત્ પોતાના સ્વભાવની અપેક્ષાએ રાગને પણ અચેતન પુદ્ગલ કહેવામાં આવ્યો છે.
પ્રશ્ન:- રાગ નીકળી જાય છે માટે (અચેતન કહ્યો છે.)
ઉત્તર:- હા, નીકળી જાય છે-છૂટી જાય છે. સિદ્ધ ભગવાન થયા તેને રાગ હોય છે? રાગ તેનો (સ્વભાવ) હોય તો રહેને! તેનો સ્વભાવ કયાં છે! આવું તત્ત્વ તમારે મુંબઈમાં મળે તેમ નથી. તે કરોડપતિ છે, તેમનો મુંબઈમાં મોટો ધંધો છે.
શ્રોતા- પહેલા વખાણ કરો છો ને પછી ધૂળ કહો છો ?
ઉત્તરઃ- એ ધૂળ જ છે. વખાણ કોણ કરે છે? તેની કિંમત શું? તે તો ધૂળને-માટી છે. જેમ શરીર ધૂળ છે તેમ તે પણ ધૂળ છે–અજીવ છે. એકવાર શરીર છે તે મસાણની રાખ થશે. અગ્નિ. અગ્નિ થશે. રાગને જ્યાં અચેતન કહ્યો ત્યાં રાખની તો વાત કયાં કરવી!.
અજાનનું પુદ્ગલ કેવું છે? પુદ્ગલ દ્રવ્ય પોતાને નથી જાણતું અને પરને પણ નથી જાણતું... એવું છે પુદ્ગલ દ્રવ્ય.
ભાવાર્થ આમ છે કે-જીવ દ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલ કર્મ શેય છે એવો જીવને અને કર્મને શેયજ્ઞાયક સંબંધ છે.
આહા. હા! ભગવાન તો જાણવા દેખવાવાળો પ્રભુ છે. અને રાગ, શરીર. પુદ્ગલ આદિ તો પરશેય છે. તે પરશેય તરીકે છે અને સ્વફ્લેય તરીકે આનંદ પ્રભુ ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk