________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
કલામૃત ભાગ-૨ દ્રવ્યના જે ઉત્પન્ન થયેલાં પરિણામ-એ પદાર્થમાં નવી ઉત્પન્ન થયેલી દશા તેને કર્મ કહેવામાં આવે છે. આ તો મહા સિદ્ધાંત છે. ભગવાન પરમેશ્વર, ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ તેની વાણીમાં આવેલો આ સિદ્ધાંત છે. ભાઈ ! હું કરું.. હું કરું... હું કરું એ તારે ગર્વ ઉતારવો પડશે. દુકાનની ગાદી ઉપર જ્યાં સુધી હું બેઠો 'તો ત્યાં સુધી બરોબર ચાલતી 'તી પણ.. જ્યારથી નોકર આવ્યો ત્યારથી વ્યવસ્થા બગડી ગઈ છે.
પ્રશ્નઃ- કોઈ ઠેકાણે નોકરથી ચાલતી વ્યવસ્થા શેઠ કરતાં સારી હોય છે.
ઉત્તરઃ- એવું પણ હોય છે. કોઈ ઠેકાણે નોકર બેઠા હોય અને વ્યવસ્થા બરોબર ચાલતી હતી. રાણુપરમાં એક શેઠને નોકર આવો હતો. શેઠ આવે અને જરી ગરબડ કરે તો નોકર કહે શેઠને તમે ચાલ્યા જાઓ ઘરે. શેઠને નોકર આમ કહે હોં! શેઠ કહે-હું ચાલ્યો જાઉં છું. નોકર કહે–અહીં તમારું કામ નથી. તમને ખબર પડે નહીં અને આવીને ગરબડ કરો છો.! શેઠ સાંભળે અને પછી ઘરે ચાલ્યા જાય.
નોકર માને છે કે-આ વ્યવસ્થા હું બરોબર કરું છું; શેઠને આવડતું નથી એમ માનનાર મૂઢ છે. નોકર બહુ અભિમાની અને ઇર્ષાળુ. શેઠ આવે અને તેને ખૂબ બોલે. શેઠ કહે ભાઈ આમ કામ કરો ને! નોકર કહે-તમને કોણ પૂછે છે. શેઠ, ચાલ્યા જાઓ! તો શેઠ કહે–તારી વાત સાચી છે મને કાંઈ આવડતું નથી. હું જાઉં છું.
બહારના કાર્ય એને ધૂળ આવડે છે. આ લખાણ લખે તેમાં મોતીના દાણા જેવા અક્ષર થાય તો એ ક્રિયા આત્મા કરતો હશે?! એ ક્રિયા આંગળી કરે છે? નહીં. આ ગજબ વાત છે. ભગવાન! એ સત્ત્વ-રજકણ છે, તે સત્ત્વની એ પર્યાય છે. આંગળી અને અક્ષર ભિન્ન ચીજ છે.
આ લોકોત્તર વાત છે. આખી દુનિયાથી આ ચીજ જુદી છે. પ્રભુ! તારી ચીજ તારા સત્ત્વમાં છે. તારી પર્યાયનું કાર્ય તારા સત્ત્વમાં છે. તારા સત્ત્વમાં તારું સત્ત્વ છે પરમાં તારું સત્ત્વ નહીં. તારું અસ્તિત્વ પરની સત્તામાં પ્રવેશ કરતું નથી. તો પછી પર સત્ત્વની પર્યાયનું અસ્તિત્વ તારામાં કયાંથી આવ્યું? લોજીકથી તો વાત ચાલે છે. ભગવાન ! સમજમાં આવ્યું!?
વસ્તૃતીયા ત્રયં મfપ ન ભિન્ન” સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રયમ) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ નિશ્ચયથી (નમન્ન) ત્રણ સત્ત્વ તો નથી.”
વ્યવહારથી ત્રણ ભેદ છે. માટી કર્તા, ઘટ કર્મ અને પિંડ અવસ્થા પલટીને જે ઘડાની ક્રિયા થઈ એવા ત્રણ બોલ વ્યવહારથી કહેવામાં આવે છે. (૧ મિન્ન) નિશ્ચયથી ત્રણરૂપ નથી, એક જ સત્ત્વ છે. ત્રણેયનું સત્ત્વ એક જ છે. કર્તાનું સત્ત્વ, કાર્યનું સત્ત્વ અને કિયાનું સત્ત્વ તે ત્રણેય એક સત્ત્વ છે. બીજા સત્ત્વએ તેમાં પ્રવેશ કર્યો એમ તો છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk