________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૫. થઈ જાય છે. સ્વભાવમાં એકતા થતાં, સ્વભાવના તેજ વડે રાગની એકતાનો ભાવ નાશ પામી જાય છે.
શ્રોતા- લાદી બનાવવી હોય તો તેની વિધિ કાંઈક હોય કે નહીં?
ઉત્તર:- કોણ બનાવે ? લાદીના રજકણો થવાના હોય તે લાદીપણે પરિણમે. એના પરમાણું તેનો કર્તા છે. આવી વાતું છે.
શ્રોતા- એટલા માટે તો વિલાયતથી રંગ મંગાવવો પડે છે.
ઉત્તર- એ લાદીમાં છાંટ નાખવા જોઈએ. અરે ! અંતરમાં અનંત શક્તિના ચિતરામણવાળો પ્રભુ તેને રાગના પરિણામથી ભિન્ન પાડતા... સૂર્યના તેજ વડે જેમ અંધકાર નાશ પામે. તેમ સ્વભાવની એકતા થતાં રાગની એકતાનો ભાવ નાશ પામે છે. તેની રીત તો આ છે. બીજી રીતે પ્રાપ્ત કરવા જાય તો નહીં મળે.
હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાપ્ય વ્યાપતા તાત્મિનિ મવેત” સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા એક દ્રવ્યરૂપ વસ્તુ એક સત્વરૂપ વસ્તુમાં હોય છે.”
કહે છે! વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે દ્રવ્યરૂપ વસ્તુ તે એક સત્ત્વરૂપ વસ્તુમાં હોય છે. કહે છે-ગુણનો જે નિર્મળ પર્યાય છે તે એનું વ્યાપ્ય છે અને આત્મા તેનો વ્યાપક છે. શુદ્ધ સ્વભાવનું જે વીતરાગી અને નિર્મળ પરિણમન થયું તે જીવનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય છે. અને જીવ તેનો કર્તા છે. આવું છે! અહીં બહારનું તો કયાંય ગયું.
અહીં વ્યાપ્ય-વ્યાપકતાનું સ્વરૂપ બતાવવું છે. વ્યાપક એટલે કરનારો-પ્રસરનારો અને વ્યાપ્ય એટલે પર્યાય-કાર્ય. ભગવાન આત્મા દ્રવ્યગુણથી વ્યાપક છે અને તેની નિર્મળ પર્યાય તે તેનું વ્યાપ્ય એટલે કાર્ય-કર્મ છે. આહાહા! ભાષા તો પકડાઈ એવી છે.
અરેરે..! ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો પણ તેને ચૈતન્યની ગંધ કયાંય આવી નહીં. તેણે જ્યાં હોય ત્યાં રાગાદિ પુણ્ય ને પાપના ભાવની ગંધ અને સુગંધ દેખીને ત્યાં મૂર્છાઈ ગયો અંદર ભાવમાં-મૂર્છાઈ ગયો. બહારના પૈસા-ધૂળ એ તો કયાંય બહાર રહી ગઈ. આહા! શરીરની સુંદરતા અને સ્ત્રી કુટુંબની અધિકતા, બહોળા પૈસા અને બહોળા મકાન, બહોળા પરિવાર એ બધું તો પર છે ભાઈ !
પુણ્ય ને પાપના ભાવને અને તારા સ્વભાવને શું સંબંધ છે? નિર્મળ પર્યાય તે મારું સત્ત્વ અને હું દ્રવ્ય તેનો કર્તા એ એક સત્ત્વમાં છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એ એક સત્ત્વમાં હોઈ શકે નહીં. કેમકે તેની સત્તા જ ભિન્ન છે. આત્મા પોતે શુદ્ધ પરિણતિનો કર્તા–વ્યાપક અને શુદ્ધ પરિણતિ તેનું કાર્ય-વ્યાપ્ય તે એક સત્ત્વમાં જ સંભવે છે, ભિન્ન સત્ત્વમાં એ સંભવતું નથી. રાગ એ ભિન્ન સત્ત્વ છે. તેથી આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય એ સંભવતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk