________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૯ આહાહા ! શું કહ્યું? ધર્મના વીતરાગી પરિણામ એ વ્યાપ્ય નામ કાર્ય અને પરિણામી દ્રવ્ય એ એનો કર્તા એ તો ભેદ થયો. નિશ્ચયથી તો વીતરાગી પરિણામનો કર્તા અને તેનું કર્મ પરિણામ જ છે. સમજાય છે કાંઈ? આ તો વીતરાગના મારગની ગહન વાતો છે. અત્યારે તો આ બધું લોપ જેવું થઈ ગયું છે.
અહીં તો પ્રભુ એમ કહે છે કે-આ ચેતનદ્રવ્ય જે અંદર વસ્તુ છે, જે અનંત શક્તિનો સંગ્રહાલય છે. સંગ્રહાલય-સંગ્રહનું આલય-સ્થાન છે. દ્રવ્ય સ્વભાવને જ્યારે વ્યાપક અને કર્તા કહેવો હોય, ત્યારે તેના નિર્મળ પરિણામ તેનું કર્મ એવા ભેદથી કહેવામાં આવે છે. આહાહા.. હા ! આવો ભેદ ન પાડીએ તો દ્રવ્યર્જા અને પરિણામ કર્મ એમ પણ નથી. વીતરાગી સમ્યગ્દર્શન આદિ ધર્મના પરિણામ એ કર્તા અને પરિણામ કર્મ છે પરંતુ દ્રવ્ય કર્તા અને પરિણામ કર્મ તેવો ભેદ તેમાં છે નહીં. સમજાણું કાંઈ? આહાહા!
શ્રોતા:- ઘડીકમાં દ્રવ્ય કર્તા ઘડીકમાં પર્યાય કર્તા..!
ઉત્તર- કઈ અપેક્ષાએ કહ્યું! વસ્તુ પોતે છે એ પરિણામી સ્વભાવ તેને જ્યારે વ્યાપક અને કર્તા કહેવો હોય ત્યારે ભેદથી વીતરાગી પરિણામ તેનું કાર્ય એમ કહેવામાં આવે છે. ઝીણી વાતું બાપા! ભગવાનનો મારગ આવો છે. અરે! અત્યારે સત્યવાત સામે આવતાં તેને એમ થઈ જાય છે કે આ તો બધું લોપ થઈ જશે... પણ માગતો ભાઈ આવો છે.
વસ્તુ છે જે ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ તો ધ્રુવ છે. એ તો પલટતી નથી. પલટે છે એ તો પર્યાય છે. એ પલટતી પર્યાય કાર્ય અને આત્મા તેનો કર્તા એ ભેદબુદ્ધિથી કહીએ તો કહો! બહુ ઝીણી વાત છે.
આહાહા...પ્રભુ એકલો ચૈતન્ય સ્વભાવથી ભરેલો પવિત્ર ભગવાન છે. એના પવિત્ર પરિણામ એ એનું કાર્ય કહેવું એ પણ ભેદથી છે તેમ કહે છે.
આહાહા..! એ શરીર, વાણી, મન અને પરના કાર્ય એની તો વાત છે જ નહીં બાપુ ! કર્મ છે એમાં પણ પરમાણુઓ કર્મ પર્યાયપણે પરિણમે છે. એ પુદ્ગલ પરમાણુઓ કર્મની પર્યાયપણે પરિણમે છે. તેમાં પણ પરમાણુઓને કર્તા કહેવો અને કર્મની પર્યાય થાય તેને તેનું કાર્ય કહેવું એ પણ ભેદથી કથન છે. આહાહા..! પરમાણુઓમાં પણ કર્મરૂપી અવસ્થા થાય; એ પર્યાયનો કર્તા તે પર્યાય છે તેનો કર્તા પરમાણું દ્રવ્ય પણ નહીં. આવી વાતું છે.
આહાહા ! જે ભેદજ્ઞાનના ફળમાં અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. અનાદિથી પ્રાણી અનંત દુઃખમાં પડ્યો છે. અતીન્દ્રિય આનંદ જે અનંત. અનંત છે જેનું વર્ણન ન થઈ શકે તેવો અનંત આનંદ તેના કારણ તરીકેના ઉપાયની શું વાતું કરવી! અગમ્યને ગહન લાગે... પણ પ્રભુ! મારગ તો આ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk