________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
કલશામૃત ભાગ-૨ કલશ-૫૦
(સગ્ધરા). ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५-५०।।
ખંડાન્વય સહિત અર્થ- “યાવત્ વિજ્ઞાના િન વસ્તિ તાવત શનયો: કર્તકર્મમતિ: જ્ઞાનાત્ ભાતિ” (વાવ) જેટલો કાળ (વિજ્ઞાનાર્વેિ:) ભેદજ્ઞાનરૂપ અનુભવ (૧ વાસ્તિ) પ્રગટ થતો નથી (તાવ) તેટલો કાળ (1નયો) જીવ-પુદ્ગલ વિષે (ક ર્મ-જનમતિ) “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (જ્ઞાનોત્સાતિ) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ ” તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? “જ્ઞાની પુન: ૨ વ્યાકૃવ્યાખ્યત્વમ અન્ત: સયિતુમ સદી” (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (૨) અને (પુન:) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વ્યાકૃવ્યાખ્યત્વમ) પરિણામી-પરિણામભાવે (સત્ત: વયિતુમ) એક સંક્રમણરૂપ થવાને (સાદી) અસમર્થ છે, કેમ કે “નિત્યમ અત્યન્ત મેવા” (નિત્યમ) દ્રવ્યસ્વભાવથી (અત્યન્તમે વાતુ) અત્યન્ત ભેદ છે. વિવરણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ, –એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની? “માં સ્વ૫Rપરિતિં નાનન પિ” (માં) પ્રસિદ્ધ છે એવાં (સ્વ) પોતાનાં અને (૫૨) સમસ્ત જ્ઞેયવસ્તુઓનાં (પરિતિ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદવ્યય-ધ્રૌવ્યનો (નાનન) જ્ઞાતા છે. (પ) (જીવ તો) એવો છે. તો પછી કેવું છે પુદ્ગલ? તે જ કહે છે-“(૩માં સ્વપ૨પરિણતિ) અનાનન” (રૂમાં) પ્રગટ છે એવાં (સ્વ) પોતાનાં અને (૫૨) અન્ય સમસ્ત પરદ્રવ્યોનાં (પરિણતિ) દ્રવ્ય-ગુણપર્યાય આદિને (નાનન) નથી જાણતું-એવું છે પુદ્ગલદ્રવ્ય. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલકર્મ શેય છે–એવો જીવન અને કર્મને શેયજ્ઞાયકસંબંધ છે તોપણ વ્યાપ્યવ્યાપકસંબંધ નથી; દ્રવ્યોનું અત્યન્ત ભિન્નપણું છે, એકપણું નથી. કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ? “ વવત્ અવયં સદ્ય: મેટું ઉત્પાદ” જેણે કરવતની માફક નિર્દય રીતે (ઉગ્ર રીતે ) શીઘ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે. પ-૫૦.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk