________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૫ પ્રવચન નં. ૫૩
તા. ૨૯-૭- '૭૭ “વસ્તુ જેવી ભિન્ન છે તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમકે ઘણું અંતર છે. અનાદિથી એકત્વબુદ્ધિ ચાલી આવે છે. ચૈતન્ય વસ્તુ જે છે એ તો જેવી છે તેવી જ છે. અને તે રાગના વિકલ્પથી અને શરીરાદિથી તો તદ્દન ભિન્ન છે. તે બન્ને કદી એક થયા નથી. વસ્તુ જે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેને રાગની સાથે એકત્વ કરતાં એકત્વનો અનુભવ થવા છતાં એક થતી નથી. તે માને ભલે પણ એક થતી નથી. ચૈતન્ય વસ્તુ તો ત્રણેય કાળ રાગથી ભિન્ન છે. આહા... હા! આવી વાતું છે.
ચૈતન્યસ્વભાવ અને રાગમાં પૂરેપુરુ અંતર છે. આહા. હા! રાગનો જે વિકલ્પ ઊઠે છે તે તદ્દન અચેતન છે. જેમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. ભગવાન આત્મા તો અનાદિ અનંત ચૈતન્યસ્વરૂપી છે બંને એક કરીને અનુભવવા છતાં પણ એક થતા નથી. જેમ શરીર, વાણીને પોતાના માનવા છતાં તે પોતાના થતાં નથી. કેમકે એ તો પર પૃથક છે. તેમ રાગ અને આત્માના ત્રિકાળી સ્વભાવને એક અનુભવતાં તે કાંઈ એક થતા નથી.
કેવું છે અવિવેક નાટય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવ પરિણામ.”) આહા.. હા ! જીવ અને રાગાદિ અજીવ પરિણામ તે બેની એકત્વબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. અનાદિથી ભેદજ્ઞાનનો અભાવ હોવાથી એકપણાની માન્યતા ચાલી આવે છે. પણ કદી એક થયા નથી. ચૈતન્ય ભગવાનને પરની સાથે એકત્વ છે જ નહીં. પાછું એમ પણ કહે છે-વસ્તુ રાગથી તો ભિન્ન છે, બે વચ્ચે ઘણું અંતર છે છતાં રાગની સાથે અનાદિથી એકત્વબુદ્ધિ ચાલી આવે છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન પ્રભુની રાગની સાથે પહેલાં એકતા ન હતી અને પછી એકતા થઈ છે તેમ નથી. જેમ જીવ છે. તે સદાય રાગથી ભિન્ન છે તેમ ચાલ્યું આવે છે તેમ રાગની સાથે એકત્વબુદ્ધિ પણ અનાદિથી ચાલી આવે છે.
બે વાત કરી.
(૧) ચૈતન્ય વસ્તુ છે તે તો જ્ઞાન સ્વભાવે અને આનંદ સ્વભાવે છે. તે તો અનાદિથી રાગથી ભિન્ન જ છે.
(૨) અનાદિથી આત્મા રાગાદિથી ભિન્ન હોવા છતાં. અનાદિથી રાગની સાથે એકત્વબુદ્ધિ ચાલી આવે છે. સમજાણું કાંઈ ? માર્ગ બહુ સૂક્ષ્મ છે.
આહા હા ! ચૈતન્યવસ્તુને અંતર્મુખ થઈને જોતાં એ ચીજ તો રાગથી ભિન્ન જ છે. તે રાગ સાથે કદી એક થઈ નથી. અનાદિથી ભેદજ્ઞાનનો અભ્યાસ નહીં હોવાથી તેને એકત્વબુદ્ધિનો અભ્યાસ છે તેમ કહે છે. ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk