________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૫૯ સમ્યજ્ઞાનપણે, આનંદપણે થઈ તેનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ?
“પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું.” કોણ અનુભવશીલ થયું? જ્ઞાન. પહેલાં ચિકૂપશક્તિ કહી હતી અને તેનું અનુભવશીલ થયું. જે (જ્ઞાન) અનાદિથી રાગ અને પુણ્ય-પાપના વિકારભાવને અનુભવતું હતું એ મિથ્યાત્વભાવ હતો. આહાહા ! એ ભ્રાંતિ ને ભ્રમ ભાવ હતો. પુણ્ય-પાપના ભાવ તેને કરવા અને વેદાવા એ મિથ્યાત્વભાવ હતો.
શ્રોતા:- અમે વાણીયા થઈને એમ માનીએ એ મિથ્યાત્વ?
ઉત્તરઃ- આત્મા વાણિયો કે 'દિ હતો? તે વાણીયો તો નથી પરંતુ અહીં કહે છે જરા દયાના, દાનના ભાવ આવે એને એ કરતો ને વેદતો નથી, તેનું નામ ધર્મ છે. બાપુ! વાતું બહું ઝીણી !
વસ્તુ જે ચૈતન્યસ્વરૂપ છે એ તો જ્ઞાનનો પુંજ છે. એ તો અનાકુળ આનંદનો ઢગલો છે. એવું જે વિદ્યમાન, ત્રિકાળી ટકતું તત્ત્વ તેની કાળલબ્ધિ એટલે વર્તમાન સન્મુખના પુરુષાર્થથી તે વર્તમાનમાં આનંદરૂપે પર્યાયમાં પરિણમ્યો-જ્ઞાનરૂપે પરિણમ્યો-સમ્યકરૂપે થયો તેનું નામ અનુભવશીલ પરિણમન કહેવાય છે.
કહ્યું એ? અનાદિથી પુણ્ય ને પાપ, રાગ-દ્વેષ શુભ કે અશુભ ભાવ એનું એને જે કરવાપણું અને વેદવાપણું જે હતું તે મિથ્યાત્વભાવ હતો. એ હવે પોતાના જ્ઞાન ને આનંદ સ્વરૂપનો અનુભવશીલ થયો. અરે! આવી વ્યાખ્યા હવે. પુષ્ય ને પાપના વિકલ્પ નામ રાગ તેનાથી ભિન્ન પડીને, ચૈતન્ય સ્વભાવનો જ્યાં સ્વીકાર થયો ત્યારે તે રાગને કરવું અને વેદવું એવા ભાવથી ગુંલાટ ખાય છે. શુદ્ધ ચૈતન્યઘનનો આદર કરતાં તેની પર્યાયમાં પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયો. વીતરાગનો માર્ગ તો આવો છે બાપુ! પેલું તો સહેલું ને સટ હતું કે મંદિર બનાવી દ્યો તો ધર્મ થઈ જશે. અહીં કહે છેશુભભાવથી ધર્મ નહીં થાય લે !
અહીં તો કહે છે-પુણ્યના ભાવ જે થાય તેનાથી પણ ચૈતન્ય ભિન્ન છે એવું જે ભાન કરે છે તેને રાગનું પરિણમન-અનુભવ ન હોવાથી તેને જ્ઞાનનો-આનંદનો સ્વભાવ પ્રગટ થાય છે. પુણ્ય ને પાપના ભાવ થાય પરંતુ તે ચૈતન્યસ્વરૂપથી ભિન્ન છે. તેને ભિન્ન કરીને અનુભવશીલ થા. અહીં તો કહે છે તે બન્નેને જુદા પાડવા તે તારું કર્તવ્ય છે. જન્મ મરણને મૂકવાના મારગ તો આ છે બાપુ! હજુ તો આ પહેલું સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત ચાલે છે.
આહા ! શું કહ્યું? “પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયો.” કોણ અનુભવશીલ થયું? જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા તે પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. જ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળી ભગવાન તેને પુણ્ય-પાપના રાગથી ભિન્ન પાડી, સ્વભાવ સન્મુખ થઈ અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk