________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
કલશાકૃત ભાગ-૨ ત્રિકાળ ધ્રુવ ચિત્ક્રપશક્તિ જે છે તે સમ્યગ્દર્શન થતાં પ્રગટ થઈ. દ્રવ્ય છે તે ધ્રુવ સ્વરૂપ છે. આત્મા છે તેનો ચૈતન્ય સ્વભાવ, ચેતના સ્વભાવ, આનંદ સ્વભાવ છે, એવી નિત્ય ધ્રુવ ચીજ તેના ઉપર દૃષ્ટિ પડતાં એટલે ધ્રુવ સ્વભાવનો દૃષ્ટિમાં સ્વીકાર થતાં તેની પરિણતિ આત્મસ્વભાવરૂપ થઈ જાય છે.
વિદ્યમાન એવી ચિકૂપ શક્તિ પ્રગટ થઈ. એટલે કે જે જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ છે તેનું પરિણમન જ્ઞાન ને આનંદની દશારૂપ થયું. તેને ચિશક્તિ પર્યાયમાં પ્રગટ થઈ. આ તો કર્તાકર્મ અધિકાર ચાલે છે ને? વીતરાગનો માર્ગ ઝીણો છે.
શું કહે છે? ચૈતન્ય વસ્તુ જે ધ્રુવ છે તેનો એક સમયમાં દૃષ્ટિએ સ્વીકાર કર્યો એટલે જ્ઞાન અને આનંદની દશાનું પરિણમન થયું. ચિશક્તિ, આત્મશક્તિ તેનો જે ત્રિકાળ સ્વભાવ છે તેનું પરિણમન પર્યાયમાં થયું. તેને આત્મા પ્રગટયો તેમ કહો કે ચિતૂપ શક્તિ પ્રગટ થઈ તેમ કહો કે ધર્મ થયો એમ કહો બધું એકાર્થ છે.
ધર્મી એવો જે ભગવાન આત્મા પૂર્ણ ચૈતન્ય, સુખરૂપ છે તેની સન્મુખ થતાં એટલે કે ત્રિકાળી સ્વભાવનો સ્વીકાર થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શક્તિની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થઈ. તેને ચિતૂપ શક્તિ પ્રગટી એમ કહેવામાં આવે છે. આહા! આવો ઝીણો માર્ગ છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું.” વસ્તુ જેવી છે જ્ઞાન સ્વભાવી એવી શક્તિથી તો ત્રિકાળ વિદ્યમાન છે-મોજૂદ છે એટલે કે એ તત્ત્વ હૈયાતીવાળું છે. “પરંતુ કાળલબ્ધિ પામીને.' એટલે કે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને તે કાળે તે દશા પ્રાપ્ત થાય છે. તેને કાળલબ્ધિભવિતવ્યતાયે પ્રાપ્ત થઈ તેમ કહે છે.
અહીં જ્ઞાનપ્રધાન વાત છે. કેમકે જ્ઞાન અંશ પ્રગટ છે. માટે જ્ઞાનની મુખ્યતાથી વાત લીધી છે. બાકી વસ્તુ આનંદસ્વરૂપ છે. તે અતીન્દ્રિય આનંદનું ધામ-સ્થળ, અતીન્દ્રિય આનંદનું સ્થાન છે એવી જે વિદ્યમાન ચૈતન્ય વસ્તુને કાળલબ્ધિ પામીને એટલે કેઆત્માની સન્મુખ પુરુષાર્થ કરીને અનુભવશીલ થયો. આહાહા ! આવી વાત છે.
આ ગાથા જ અલૌકિક ને ઝીણી છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તો શી રીતે થાય અને થાય તો તે શું કરે? તે કહે છે. “વિદ્યમાન છે એવી ચિટૂપશક્તિ”. વિદ્યમાન અર્થાત્ હૈયાતિ. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપે ચિસ્વરૂપે છે. તેની હૈયાતિ કહો કે મોજૂદગી છે તેમ કહો બન્ને સમાન છે. ચિતૂપશક્તિ છે તે આનંદરૂપ, જ્ઞાનરૂપ, શાંતરૂપ, સ્વચ્છતારૂપ, ઈશ્વરતારૂપ મોજૂદ ચીજ છે. તેનાં ઉપર દૃષ્ટિ આપતાં તે હવે પ્રગટ થઈ. એ શક્તિમાં જેટલું સામર્થ્ય હતું એમાંનું કેટલુંક પર્યાયમાં પરિણમન થયું. તે દશા સમ્યગ્દર્શનપણે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk