________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
કલશાકૃત ભાગ-૨ સ્વયં જ્ઞાનીમૂત: ફત: તિ: સાક્ષી વાસ્તિ” જીવદ્રવ્ય પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું.” ભગવાન આત્મા ! જીવદ્રવ્ય.. ચૈતન્યસ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધસ્વરૂપી અંદરમાં છે. તેને સ્વયં-પોતાથી એટલે કે શુભાશુભ ભાવરૂપ જે રાગ છે તેની અપેક્ષા છોડીને પોતાથી પોતાના જ્ઞાન આનંદની સાથે અનુભવ કરે છે.
શું કહ્યું? આહાહા! સૂક્ષ્મ વાત છે પ્રભુનો માર્ગ સૂક્ષ્મ છે. જિનેશ્વર વીતરાગ પરમાત્મા ! જેમણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોક દેખ્યા છે તે ફરમાવે છે કે ધર્મી જીવ ધર્મ કેવી રીતે પામે છે? આ ત્રિકાળી ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છે. પવિત્ર છે તેનું પોતાથી જ સ્વરૂપના આનંદનું વેદન કરે છે તે પોતાથી જ પોતે કરે છે. (તે આનંદના વેદનમાં) રાગની નિમિત્તની કે પરની કોઈ અપેક્ષા નથી.
પુમાન” ભગવાન આત્મા જીવદ્રવ્ય વસ્તુ અનાદિ અનંત જ્ઞાનાનંદ સ્વભાવથી બિરાજમાન છે. આત્મવસ્તુ પોતાથી પોતે જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલી છે રાગ અને જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે તેની તેને અપેક્ષા નથી. શરીર, વાણી, રજકણની તો અપેક્ષા નથી પરંતુ દયા–દાન, વ્રત-ભક્તિના શુભભાવના પરિણામની પણ જેને પોતાના અનુભવમાં અપેક્ષા નથી તેવી આત્મવસ્તુ પોતાથી જ પોતે શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ છે. પુણ્ય-પાપનો ભાવ છે તે અશુદ્ધ છે-મલિન છે તે આત્મામાંથી નીકળી જાય છે., જે નીકળી જાય છે તે આત્માની ચીજ નથી. ન્યાય સમજાય છે? આ તો ભગવાનનો માર્ગ લોજીકથી-ન્યાયથી છે. જેમ તેમ માની લેવું તેવી આ ચીજ નથી.
શ્રી ત્રિલોકીનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ ફરમાવે છે કે માર્ગ આ છે. દિગમ્બર સંતો આડતીયા થઈને ભગવાનનો માલ દુનિયાને આપે છે. મહાવિદેહમાં તીર્થકર શ્રી સીમંધર સ્વામી સાક્ષાત બિરાજે છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા અને ત્યાંથી આ માલ લાવ્યા છે. આ મૂળ શાસ્ત્રો કુંદકુંદાચાર્યે બનાવેલા અને તેની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્યદેવ આ કહે છે. પ્રભુની વાણી ઘણી સૂક્ષ્મ છે. સમ્યગ્દર્શન તે ધર્મની પહેલી સીઢી છે. વીતરાગ માર્ગ સિવાય બીજે કયાંય છે નહીં.
જિનેશ્વર પરમેશ્વર એમ કહે છે પ્રભુ! પોતાનો અનુભવ પોતાથી થાય છે. પોતાનો પોતાથી એટલે શું? પુણ્ય-પાપ તો પોતાના છે નહીં. આનંદ ને જ્ઞાન ને શાંતિ પોતાનો સ્વભાવ છે. એ જ્ઞાન ને આનંદના સ્વભાવથી પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. કોઈ કહે છે ને! વ્યવહાર કરતાં-કરતાં અનુભવ-સમ્યગ્દર્શન થાય છે અહીં તેનો નિષેધ કરે છે. આહાહા ! અહીં કહે છે–સ્વયં પોતાથી આત્મા પ્રાપ્ત થાય છે.
જેમ હરણાંની નાભિમાં કસ્તુરી હોવા છતાં મૃગલાને તે કસ્તુરીની કિંમત નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk