________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
“હરિનો મારગ છે શૂરાનો, કાયરના નહીં કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.” પુણ્યથી ધર્મ માનનારા કાયર નપુંસકોનું વીતરાગ માર્ગમાં કામ નથી. શુભભાવથી ધર્મ માનનારાને પરમાત્મા પાવૈયા-હિજડા કહે છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવમાં ધર્મની પ્રજા ન હોય. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં નપુંસક કહ્યાં છે ને?
વીતરાગ માર્ગની તેને ખબર નથી. વીરતાનો માર્ગ તેને કહીએ કે જેનું વીર્ય સ્વભાવ તરફ પ્રેરાય છે અને વિભાવથી જેનું વીર્ય ખસી જાય છે. એવો જે વીરનો માર્ગ ત્યાં કાયરના કામ નથી. આવી વાતું સાંભળીને તેને એમ થાય કે આ તો એકાન્ત નિશ્ચય નિશ્ચયની વાત છે. આમ માનવું તે અજ્ઞાનીનું મિથ્યા એકાન્ત છે. તમારે જેમ માનવું હોય તેમ માનો ભાઈ !
અમને તો સંપ્રદાયની ખબર છે. તેને છોડયે સાડી બેતાલીશ વરસ થયા. સંપ્રદાયમાં કહે છે– કર્મના કારણે વિકાર થયો. અહીં તેને પુદ્ગલની પર્યાય કહી તે કઈ અપેક્ષાએ? કર્મ તો જડ દ્રવ્ય છે. જડમાંથી જડને કારણે વિકાર થાય. પુષ્ય-પાપના ભાવ થાય એમ નથી. પુણ્ય-પાપના ભાવ તે ચેતનની વિકારી પર્યાય છે. તેનો કર્તા જડ કર્મ નથી. અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે રાગનો કર્તા થાય છે-કારણ કે તેની દૃષ્ટિ પર્યાય ઉપર છે. અહીંયા તો સમ્યગ્દષ્ટિની વાત છે, તેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે.
આ. હા. હા! ભગવાન ચેતન સ્વરૂપી પ્રભુ ! એમાં તો અનંત આનંદ આદિ ગુણો મળેલાં છે. પણ, આ અચેતન પૌદ્ગલિક વિકાર તે ગુણો સાથે મળેલાં નથી.. તે તો ભિન્ન છે. બીજી રીતે કહીએ તો ભગવાન ચેતન દ્રવ્ય અનંત ચેતન શક્તિથી અને અનંત ગુણથી મળેલું તત્ત્વ છે. તેમાં વિકારી પર્યાયનો મેળ સાથે નથી. સમ્યગ્દષ્ટિ જીવને તો ચેતના શક્તિથી ભરેલું તત્ત્વ તે હું છું અને આ પર્યાયમાં જે વિકાર છે તે કર્મના સંગે ઉત્પન્ન થયેલો ભાવ છે તે સ્વભાવમાં નથી તેમ દૃષ્ટિ થઈ છે. તેથી તેને પૌગલિક કહીને હેય તરીકે જાણે છે. ધર્મી જીવ તેને હેય જાણે છે. અહીં વાતે વાતે ફેર છે. આવે છે કે
આનંદ કહે પરમાનંદા માણસે માણસે ફેર,
એક લાખે ન મળે તો એક તાંબિયાના તેર.” તેમ અહીંયા ભગવાન કહે છે તારે ને મારે વાતે-વાતે ફેર છે. તું કાંઈ માને છે અને અમે બીજું કાંઈ જ કહીએ છીએ. આહા! આવી વાત કયાં છે? આ તો પરમાત્માના ઘરની વાત છે.
અહીં કહે છે-રાગાદિ ભાવ અચેતન પુદ્ગલથી ઉપજ્યા છે. પેલા સંપ્રદાયવાળા કહે છે-કર્મથી વિકાર થયો છે. એ બીજી દૃષ્ટિથી વાત છે. અજ્ઞાનીને વિકાર થયો છે. તે પોતાની પર્યાયમાં અજ્ઞાન ભાવે કરે છે. વિકાર કર્મને લઈને થયો છે તેમ નથી. હવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk