________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧ON. પ્રશ્ન- કોઈ ઠેકાણે તો એમ કહ્યું છે કે-રાગ આત્મામાંથી નીકળી જાય છે માટે જડ છે?!
ઉત્તર- રાગ જડ છે તેનો અર્થ જ એ છે કે-આ ચૈતન્યસ્વરૂપ આત્મા છે તેનું કિરણ નથી. જ્ઞાનનું જાણવું-દેખવું તેવો અંશ રાગમાં નથી. સમજમાં આવે છે? આવી વાત છે.
અહાહા ! અંદર જે ભગવાન આત્મા છે તેને જીવ કહો કે આત્મા કહો તે કાર્ય છે. આત્મા ભગવસ્વરૂપ જ છે. તેનું લક્ષણ તો જાણવું... દેખવું.. , જાણવું. દેખવું છે. આત્મા જાણવાના લક્ષણથી જાણવામાં આવે છે. તે કોઈ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામથી જાણવામાં આવે તેવી વસ્તુ નથી. જિનેશ્વરદેવનો જગતને માટે આવો પોકાર છે-હુકમ છે. સમજાણું કાંઈ?
આત્મજ્ઞાન વિના જે કાંઈ વ્રત-તપ-ભક્તિ આદિના જે ભાવ છે તે બધા રાગ છેજડ છે. આત્મજ્ઞાનમાં આત્માનો અનુભવ થયો કે-હું તો જ્ઞાનાનંદ અને સહજાનંદ સ્વરૂપ છું. આહાહા ! પરથી ભિન્ન થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ ધર્મ તે મોક્ષમાર્ગ છે. આનાથી ભિન્ન જેટલા ભાવ છે તે બધા જડ લક્ષણવાળા છે. આહાહા...! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ જડ-રાગ છે. આકરી વાત છે ભાઈ !
અહીં જિનેશ્વરદેવ પરમાત્માએ જેવું દેખ્યું છે તેવું કહે છે.. અને તે જ વાણી વીતરાગી સંતો મુનિઓ કહે છે. આહાહા! મુનિ તો તેને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય. પ્રચુર કેમ કહ્યું? પ્રથમ સમ્યગ્દર્શન થતાં આનંદનો સ્વાદ તો છે પરંતુ મુનિઓને તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રચુર હોય છે-ઘણો હોય છે. માટે પ્રચુર કહ્યો છે.
અહીંયા કહે છે-આ કોઈ વાર્તા કથા નથી. આ તો અધ્યાત્મની વાત છે ભાઈ ! આમાં એકેએક શબ્દમાં ઘણો મર્મ પડ્યો છે. આ શરીર, વાણી, મન-તે તો જડ છે અને તેની ક્રિયા પણ જડ છે. અંદરમાં થતો પુણ્ય-પાપનો શુભ ઉપયોગ-શુભરાગ તેને પણ જડ કહેવામાં આવે છે. સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે-ભગવાન આત્મા અને જડ (રાગ)માં ભેદ છે. તે બન્નેમાં મોટો (વિચક્ષણ )ભેદ છે. આવી વાત હવે તેને કયાં બેસે?
તેથી જીવદ્રવ્યથી પુદ્ગલ આદિ સહજ જ ભિન્ન છે.” અહીં “આદિ' શબ્દ છે તેમાં જડ પુદ્ગલ અને રાગાદિ બધું લઈ લેવું. પુદ્ગલ કહેતાં-જડ શરીર, મન, વાણી અને “આદિ' કહેતાં પુણ્ય-પાપના ભાવ બધા જડ છે. તેથી પુદ્ગલાદિ જીવના સ્વભાવથી સહજ જ ભિન્ન છે. ભગવાન અંદર જ્ઞાન સ્વભાવથી ભર્યો છે; તે જ્ઞાન સ્વભાવથી અનુભવમાં આવે છે. સમજાય એટલું સમજો ભાઈ ! વાત તો આવી છે. વર્તમાન દુનિયાથી (બિલકુલ) વિલક્ષણ છે.
અહીં તો હજુ સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નથી. આ વ્રત ને પડિમા લઈને બેસી ગયા ધર્મ કરવા ! ધૂળમાં એ ધર્મ નથી સાંભળને ! આ અગિયાર પડિમા, દસાડિમા,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk