________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
કલશામૃત ભાગ-૨ જે પુણ્ય-પાપના ભાવ, શરીર-વાણીનું અસ્તિત્વ તે બધું પુદ્ગલનું કાર્ય છે. આહા.. હા ! એકલા પુગલનું કાર્ય છે-આત્માનું નહીં. ભાષા સાદી છે ભાવ ભલે ઊંચા હોય. ધ્યાન રાખે તો પકડાય તેવું છે. કઈ વિધિથી ને કઈ પદ્ધતિથી કહેવાય છે તે ખ્યાલમાં તો તેને આવવું જોઈએ ને !
શ્રોતા:- આ કઈ પદ્ધતિથી કહેવાય છે?
ઉત્તર:- જેટલા પુણ્ય-પાપના ભાવ, શરીર-મન-વાણી એ બધી પુદ્ગલની રચના છે-એ પદ્ધતિ છે. એ તેની રીત છે. રીતની રીતભાત છે. તે પુદ્ગલની ભાત છે. તે પુદ્ગલનો ઠાઠ છે તેમ કહે છે.
પેલા આવી વાત કરે-થોડા વ્રત કર્યા હોય, અહીંસા ને બ્રહ્મચર્ય પાળીને. અપવાસ કરે તો ધર્મ થઈ જાય. વ્રત પાળે તો સંવર થાય, અપવાસ કરે તો નિર્જરા થાય. અને સંવર, નિર્જરા થાય એટલે મોક્ષ થાય. એ બધા ગપે ગપ્પ છે.
અહીંયા તો પરમેશ્વરના ઘરની વાતો છે. ભાઈ ! અહીંયા તો વજન અહીં છે. “ સ્ય પુ સ્થ” તેનું વજન છે. દ્રવ્ય સ્વભાવ જે છે આનંદકંદ તેની દૃષ્ટિ કરી તેણે આત્માને જાણ્યો. અને જે પુણ્ય-પાપને જાણે તેણે આત્માને જાણ્યો નથી. એ પર ને જાણવામાં રોકાઈ ગયા છે. પરને મારા માને તે તો મિથ્યાષ્ટિ તીવ્ર અજ્ઞાની છે. આ ધૂળ જે મળી ગઈ છે પાંચ-પચ્ચીસ કરોડ તેને મારી માને તે મૂઢ છે. એ પૈસા તો જડઅજીવ છે, તે તારા કયાંથી થઈ ગયા?
અહીંયા તો પ્રભુ એમ કહે છે-શુભ-અશુભ ભાવ થાય તે તો રાગ છે–તે અચેતન છે. તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ ન હોવા છતાં, તેમજ રાગ અરૂપી હોવા છતાં તેમાં ચેતનના સ્વભાવનો અંશ નથી. તેમાં ચેતનના પ્રકાશનો અભાવ છે. માટે પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. બીજું શરીર, મન, વાણી જડકર્મ તે અચેતન છે.
કહ્યું, ફરીથી.. આ પુણ્ય-પાપના ભાવમાં રંગ-ગંધ-રસ-સ્પર્શ નથી, અને તેમાં ચેતનના પ્રકાશના નૂરના પૂરનો અભાવ છે-માટે પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે.
ત્રણ પ્રકારના અચેતન કહ્યાં છે. (૧) આ શરીર, મન, વાણી, પૈસા, ધૂળ, બંગલા તે બધું સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું અચેતન છે. (૨) પુણ્ય-પાપના ભાવ તેમાં આ પરમાણુના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ભલે નથી, પરંતુ તેમાં જ્ઞાયક ભગવાનના શુદ્ધ પ્રકાશનો અંશ નથી, તેથી પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. અહીંયા તેને અજીવ કહ્યાં છે. અજીવ કહો કે અચેતન કહો એનાર્થ છે. (૩) ત્રીજા અચેતનની વાત જરા ઝીણી છે. ભગવાન આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ છે. ચૈતન્ય સિવાયના બીજા ગુણો આત્મામાં છે–તેમાં ચૈતન્યનો અભાવ છે. તે અપેક્ષાએ આત્મામાં જે જાણવું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk