________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
કલશાકૃત ભાગ-૨ આટલી વાત સિદ્ધ થયા પછી જ્યારે પર્યાયદૃષ્ટિ છૂટી જાય છે અને જ્ઞાયક સ્વભાવ ઉપર દૃષ્ટિ આવે છે ત્યારે સમકિતી તેમ માને છે કે વિકારના પરિણામ જીવના નહીં, પુદ્ગલના છે. દૃષ્ટિમાંથી કાઢી નાખવા એમ કહેવામાં આવ્યું છે.
કેટલાક લોકો એમ કહે છે કે સોનગઢમાં સાંભળનારા ભોળા લોકો છે. આ રામજીભાઈને બધા ભોળા લોકો છે? જે કહે તેની હા એ હા.. કરનારા છે. એમ લખ્યું છે કે ત્યાં જે વાત કરે છે તેની ભોળા લોકો જી.. હા! જી. હા! કહે છે. અરે! ભગવાન એકવાર સાંભળતો ખરો!
શ્રોતા:- આપ સાચું કહો છો તેથી “હા” તો પાડવી જોઈએ ને?
ઉત્તર- સાચી વાત છે માટે “હા” કહો છો તેમ નહીં, પણ તમે ભોળા છો માટે “હા” પાડો છો તેમ તેની દૃષ્ટિએ તે કહે છે. પરીક્ષા પ્રધાન થયા વિના આ બધું છોડીને અહીં આવે? પેલા જૈનદર્શનમાં આવ્યું છે-ચાર જણા ભેગા થઈને ચર્ચા કરો. બાપુ! ચર્ચા કોની સાથે કરવી ? તમારે તો એમ કહેવું છે ને કે અમે સાચા ને તમે ખોટા છો ! તેમાં અમારે શું ચર્ચા કરવી?
અહીંયા નિયમસારમાં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે-સ્વસમય અને પરસમયની સાથે વાદ-વિવાદ કરીશ નહીં. જ્ઞાન સ્વરૂપી ભગવાનનું નિધાન જો તને મળ્યું છે, તને પ્રાપ્ત થયું છે, તેમજ પુદ્ગલાદિ પરિણામ આત્માથી ભિન્ન છે તેમ ભાન થયું છે તો હવે તું કોની સાથે ચર્ચા કરીશ? એ સ્વસમય જૈનમતવાળા સાથે ચર્ચા કરીશ નહીં અને પરમત-અન્યમતિ સાથે પણ ચર્ચા કરીશ નહીં.
જેમ કોઈ માણસ બહારગામ ગયો હોય પરદેશ અને બે-પાંચ કરોડ પેદા કર્યા હોય તેને કહે છે-વતનમાં આવીને એકલો ભોગવજે. બહાર ઢોલ ન પીટાવજે કે-હું પાંચ કરોડ લઈને આવ્યો છું તો બહારમાં લોકો લૂંટવા આવશે. મને ધો.. મને ઘો.. તેમ લેનારાઓ લેવા આવશે. તેવી રીતે આચાર્યદેવ કહે છે તને જો આત્મજ્ઞાન-જ્ઞાનઘન સ્વરૂપ પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન છે એવું જો તને સમ્યગ્દર્શન થયું હોય તો તું એકલો ભોગવજે. વાદ-વિવાદમાં પડીશ નહીં. એને નહીં બેસે અને તને મફતમાં હેરાન કરશે. સમજાણું કાંઈ?
આહા... હા! આ તો જેમને ભવ ભ્રમણના દુ:ખ લાગ્યા હોય તેની વાતો છે ભાઈ ! અરે રે! ક્યાં જઈશ? કયાં રહીશ? ચોરાશીના અવતાર.. ભવાબ્ધિ-મોટો સિંધુ છે. જો મિથ્યાશ્રદ્ધા રહી ગઈ તો ભવસિંધુમાં કયાં જશે? ક્યાં ઉપજશે? ત્યાં કોઈ માસીબા બેઠી નથી. કરોડો રૂપિયાના બંગલામાં બેઠા હોય અને મરીને ઢોરમાં (તિર્યંચમાં) જાય, મિથ્યાશ્રદ્ધાના ફળ તો ચારગતિ છે.
આહા.... હા! રતનના પલંગે સૂતો હોય, આર્ય માણસ હોય તેથી માંસ-દારૂ ખાતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk