________________
પ૪
સામાયિક-વિજ્ઞાન. એ છે કે તેને વ્યુત્પન્ન-વ્યુત્પત્તિજન્ય અર્થ ખ્યાલમાં આવે. આ અર્થ વ્યવહારમાં સર્વત્ર ઉપયોગી નથી, તે પણ શબ્દની ઉત્પત્તિ અને તેને મૂળ આશય સમજવામાં તે જરૂર કામ લાગે છે. પછી વિશેષ વ્યાખ્યા કરવાનું કારણ એ છે કે તે અંગેનું પ્રચલિત વ્યવહાર લક્ષ્યમાં આવે અને તેની સિદ્ધિ કરી શકાય.
તેઓ કહે છે કે “ચોકના ચો:” એ વ્યુત્પત્તિને સ્વીકાર કરતાં “પરમ શુદ્ધ આશયવાળી જે જે ક્રિયાઓ મોક્ષમાં જોડાનારી છે, તે બધી જ વેગ કહેવાય, કારણ કે તેમાં જોડવાની ક્રિયા રહેલી છે. ગ શબ્દ ગુર-જોડવું, to unite એ ધાતુ પરથી બનેલ છે, એટલે તે જોડવાને અર્થ દર્શાવે છે. પરંતુ યોગ શબ્દથી ખરેખરી કઈ કિયાને વ્યવહાર છે? તે આમાંથી સ્પષ્ટ થતું નથી, એટલે તેમણે તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ “નિગ્રંથ સંપ્રદાયમાં પરંપરાથી પ્રચલિત એવી (૧) સ્થાનગત, (૨) વગત, (૩) અર્થગત, (૪) આલંબનસહિત અને (૫) આલંબનરહિત એવી પાંચ પ્રકારની ક્રિયાઓ મોક્ષમાં જોડનારી હેવાથી તેના સમુદાયને યોગ જાણ.”
આ પરથી એમ સમજવાનું કે જૈન ધર્મમાં પંચાંગ
પદ્ધતિ ઘણું પ્રાચીનકાલથી ચાલી આવતી હતી. તેમણે ત્રીજી પંક્તિમાં “તંતમ્ વંવદ્દા મળ’ કહ્યું છે, એટલે આ વસ્તુ પિતાની મતિકલ્પનાથી નહિ, પણ પ્રાચીન શાસ્ત્રીય ઉલ્લેખના આધારે કહી છે.