________________
માયા અને લેભને હઠા
૩૧૫ (૮) પુરષદ-જેના ઉદયથી સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય છે.
(૯) નપુસદ-જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બંનેને ભેગવવાની ઈચ્છા થાય છે.
આ નવ ચિત્તવૃત્તિઓને “નેકષાય”ની સંજ્ઞા આપવામાં આવી છે.
પ્રશ્ન–કે મનુષ્ય દેવ-ગુરુધર્મની નિંદા કરતો હોય, તેના તરફ કોઈ આવે ?
ઉત્તર–તે વ્યવહારિક દૃષ્ટિએ ઠીક ગણાય, પણ તાત્વિક દષ્ટિએ ઠીક ગણાય નહિ. એવા મનુષ્ય પર કોધ ન કરતાં તેની દયા ચિંતવવી જોઈએ.
પ્રશ્ન-પિતા કે માતા પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે ક્રોધ કરે તે શું તેમની દુર્ગતિ થાય ?
ઉત્તર–પિતા કે માતા પિતાને પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કિધ કરે છે, તેમાં હેતુ સારે હોવાથી દુર્ગતિ ન થાય, પણ કર્મબંધન તો થાય જ. તેથી ઈછનીય એ છે કે પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કોંધ ન કરતાં સ્નેહ અને સભાવને ઉપયોગ કરે.
પ્રશ્ન-ધર્મનું અભિમાન કરાય કે નહિ ?
ઉત્તર-ધર્મ પ્રત્યે ઉત્કટ આદર રાખે, પણ તેનું અભિમાન કરવું નહિ. એ અભિમાન પણ છેવટે પતન તરફ દેરી જાય છે.