Book Title: Samayik Vigyan
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan

View full book text
Previous | Next

Page 527
________________ ૪૧૮ સામાયિક-વિજ્ઞાન વિચારવાનું છે. ભગવાન મહાવીર સાધનાકાલમાં ઘણી વખત આકાશ તરફ નજર રાખીને લાંબા સમય સુધી ઊભા રહેતા હતા, તે આ લેકસ્વરૂપભાવના–નિમિત્તે કે સંસ્થાનવિચયધર્મસ્થાન નિમિત્તે ઊભા રહેતા હશે, એવું અનુમાન અસ્થાને નથી. તાત્પર્ય કે ધર્મસ્થાનના અભ્યાસીઓ માટે આ ધ્યાન પણ ઘણું ઉપગી છે. સામાન્ય ગૃહ કે જે અધ્યાત્મમાં આગળ વધ્યા નથી કે ભાવનાને અનુભવ લઈ શકયા નથી, તેઓ પણ ધર્મનું ચિંતન તે અવશ્ય કરે. ધર્મ કેને કહેવાય ? તેના કેટલા પ્રકારો છે ? તેની આરાધના કઈ રીતે થઈ શકે? એમાંથી હું કેટલી આરાધના કરું છું ?” વગેરે વિચારો કરવાથી મનનું વલણ ધર્માભિમુખ થાય છે, તેમાંથી ધાર્મિક પ્રવૃત્તિને જન્મ થાય છે અને છેવટે ધર્મપરાયણતા આવે છે. સામાયિક, પ્રતિક પણ, પિષધ, જિનદર્શન, જિનપૂજા, ધાર્મિક ઉત્સવ–મહોત્સવ, તીર્થયાત્રા એ બધાને મૂલ હેતુ તે એક જ છે કે જીવનમાં ધર્મભાવનાનું રોપણ કરવું અને તેને કમશઃ વધારતા જવું, એટલે આપણે ધર્મ સામે સતત દષ્ટિ રાખીને બધી પ્રવૃત્તિઓ કરીએ. ધર્મ તારનાર છે, અધર્મ ડૂબાડનાર છે. પ્રશ્નોત્તરી પ્રશ્ન-જીવનમાં ધર્મની આવશ્યકતા ખરી ? ઉત્તર-હા. જીવનને સુંદર ઘાટ ઘડવા માટે ધર્મની આવશ્યક્તા છે.

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598