Page #1
--------------------------------------------------------------------------
________________
T સામાયિક BgIH.
લેખકઃ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
દtag આ. વિ. સદયરિજી 33333
સામાયિક-વિજ્ઞાન
: લેખક : અધ્યાત્મવિશારદ વિદ્યાભૂષણુ મંત્રમનિષી ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
૨૨૨૨૧
: પ્રસ્તાવના :
પરમ પૂજ્ય વિદર્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજ
૨૨૨૨૨૨૪૧૨૧૫
Y૨૫૨
પ્રજ્ઞા પ્રકાશન મંદિર-મુંબઈ ૪૦૦ ૦૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપક પ્રજ્ઞા પ્રકાશન મંદિર
લધાભાઈ, ગણપત બીલ્ડીંગ, ૧૧-૧૫ કેશવ નાયક રોડ-મુંબઈ : ૧, ', ૦૯
આવૃત્તિ પહેલી
સને 1 9 5.
મૂલ્ય : રા. ૧ર-
મણિલાલ છગનલાલ શાહ - થી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ
ઘીકાંટારોડ, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય આજથી લગભગ દશ વર્ષ પહેલાં શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે આરાધના–વિષયક ઉચ્ચ કોટિનું મનનીય સાહિત્ય લખવાનો આરંભ કર્યો અને અમે તેને પ્રસિદ્ધિ આપતા ગયા. તેમાં પ્રથમ ‘નમસ્કાર-મંત્રસિદ્ધિ નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. જેની ત્રણ આવૃત્તિઓ પૂરી થઈ છે અને હાલ તે ગ્રંથ અપ્રાપ્ય બને છે. તે પછી “મહા પ્રાભાવિક ઉવસગ્ગહરં સ્તવ યાને જૈન મંત્રવાદની જયગાથા” નામનો ગ્રંથ બહાર પાડ્યો, જેની આજે બીજી આવૃત્તિ ચાલી રહી છે. તે પછી પ્રસિદ્ધ કરેલ હીંકાર કહપતરુ યાને જૈન ધર્મને દિવ્ય પ્રકાશ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે. ત્યાર પછી અનુક્રમે બહાર પાડેલ “ભક્તામરરહસ્ય. “શ્રી ઋષિમંડલ-આરાધના ” તથા “શ્રી પાર્થ પદ્માવતી આરાધને ' ગ્રંથની બીજી આવૃત્તિ ચાલી રહી છે. તે પછી ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ “સિદ્ધિદાયક સિદ્ધચક” નામના બૃહદ મનનીય ગ્રંથની લગભગ પોણા ભાગની નકલે ખપી ગઈ છે. આ પરથી અમે પ્રસિદ્ધ કરેલ આરાધના-વિષયક સાહિત્યની લેકપ્રિયતા સમજી શકાશે.
આ બધા ગ્રંથો આરાધના–વિષયક અનેક પ્રકારની માહિતીને રજૂ કરનારા છે, ઉપરાંત આરાધકને ગ્ય માર્ગદર્શન આપનારા પણ છે, એ દષ્ટિએ એનું ઘણું મહત્ત્વ છે. હજી તેની માંગ ચાલુ છે, પણ હવે અનેક કારણોસર તેની નવી આવૃત્તિઓ પ્રકટ કરવાનું બની શકે એમ નથી.
ગત વર્ષે પંડિતશ્રીએ ઘણા ચિંતન, મનન અને અનુભવના નિચોડ ૨૫ “સામાયિક-વિજ્ઞાન” નામને મનનીય ગ્રંથ તૈયાર કર્યો, તેમાં સામાયિક જૈન ધર્મને પ્રાણ શા માટે ગણાય છે ? તેમાં ધાર્મિક, આધ્યાત્મિક અને યૌગિક તવાની ગૂંથણી કેવી રીતે થયેલી છે? વગેરે બાબતો શાસ્ત્ર પ્રમાણે અને દાખલા-દલીલે સાથે સુગમ શિલી અને સરલ ભાષામાં રજૂ કરવામાં આવી છે. ઉપરાંત લગભગ
Page #5
--------------------------------------------------------------------------
________________
દરેક પ્રકરણમાં પ્રશ્નોત્તરી આપીને આ વિષયમાં ઉઠતા અનેકવિધ પ્રશ્નોનું સુંદર સમાધાન કરવામાં આવ્યું છે. ટૂંકમાં આ ગ્રંથ સામાયિકનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા માટે ઘણો ઉપયોગી બને છે અને તેથી જ અમે પાઠકના કરકમળમાં મૂકી રહ્યા છીએ.
આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપવા માટે અમે ૫. પૂ. વિવર્ય મુનિરાજશ્રી ભદ્રગુપ્તવિજ્યજી મહારાજના ઘણા આભારી છીએ.
આ ગ્રંથનું સમર્પણ સેવાભાવી સૌજન્યમૂતિ શ્રી ભાનુકુમાર એમ, દોશીએ સ્વીકાર્યું છે, તે માટે તેમના ખાસ આભારી છીએ.
આ ગ્રંથના પ્રકાશન–સમર્પણ નિમિત્તે તા. ૧૮-૧૨– ૭૭ રવિવારના રોજ બીરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલ સમારોહના અધ્યક્ષ, સ્વાગતાધ્યક્ષ, મુખ્ય મહેમાન તથા અતિથિવિશેષ કે જેમણે અમારા સાહિત્યસર્જન–પ્રકાશન–પ્રચારમાં સહૃદયતાભર્યો સાથે આપી અમારા કાર્યને સરલ બનાવ્યું છે, તેમને અનેકાનેક ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથમાં વંદના આપી અમારી પ્રવૃત્તિ પ્રત્યે શુભેચ્છા અને સહકારની લાગણી વ્યક્ત કરનાર દરેક મહાનુભાવનો અમે અંતઃકરણથી ઋણ–સ્વીકાર કરીએ છીએ.
આ સમારોહના મંત્રીપદની જવાબદારી સંભાળવા માટે અમે શ્રી સુરેન્દ્ર એ. છેડા, પં. પૂનમચંદ કેવલચંદ શાહ, શ્રી રસિકલાલ નંદલાલ દોશી, શ્રી ભરત એમ. શાહ તથા શ્રી દેવેન્દ્ર પી. શાહનો તથા વેચાણવિભાગની જવાબદારી સ્વીકારવા માટે શ્રી પ્રવીણચંદ્ર સી. શાહને હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રંથપ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરનાર સર્વેનું અમે અંતરથી અભિવાદન કરીએ છીએ. આશા છે કે સાહિત્યપ્રેમી સહૃદયી સજને આ મહત્ત્વપૂર્ણ ગ્રંથના પ્રચારમાં બને તેટલે સાથ-સહકાર આપશે.
– પ્રકાશક
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
સેવાભાવી સૌજન્યમૂતિ શ્રીમાનું ભાનુકુમાર એમ. દોશી
જેમને આ ગ્રંથ સાદર સમર્પિત કરવામાં
આવ્યું છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
વિદ્યાપ્રેમ, સૌજન્ય અને
ઉદારતાના
ત્રિવેણી સંગમસમા
શ્રી ભાનુકુમાર એમ, દોશીને
આ ગ્રંથ
વિનમ્રભાવે સમર્પિત કરીને
કૃતાર્થ થાઉં છું.
*
ધીરજલાલ શાહ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
સેવાપરાયણ સૌજન્યમૂર્તિ શ્રીમાનું ભાન કુમાર એમ. દોશીને
ટૂંક પરિચય ભાવનાથી જેમનું જીવન ભવ્ય બનેલું છે, દાનથી જેમનું જીવન દેદીપ્યમાન થયેલું છે અને વિચાર તથા સદાચાર વડે જેમના જીવનમાંથી અનેરી સૌરભ પ્રકટી રહી છે, એવા શ્રીમાન ભાનુકુમાર એમ. દોશીને ટૂંક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે.
જામનગરના વીશા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં વિ. સં. ૧૯૮૬ ના જેઠ વદિ ૨, તા. ૧૩-૬-૩૦ ના રોજ શ્રી ભાનુકુમારનો જન્મ થયો. પિતાનું નામ મગનલાલ કાલીદાસ, માતાનું નામ અચરતબહેન. બે પુત્રીઓ પર તેમને જન્મ થયેલ હોઈ કુટુંબમાં અનેરા આનંદની લાગણી પ્રસરી હતી. તેમણે લાડકોડમાં ઉછરી જામનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તે પછી તેઓ મુંબઈ આવ્યા અને અંધેરી ભવન્સ કોલેજમાં દાખલ થઈ ઈન્ટર સાયન્સ સુધી પહોંચ્યા.
સને ૧૯૫૫માં તેમણે જામનગરના જ એક સંસ્કારી કુટુંબમાં ઉછરેલા શ્રી મૃદુલાબહેન સાથે પ્રભુતામાં પગલાં માંડવ્યાં અને તે જ સાલથી તેમણે જીવન વીમા કેરેશનના એજન્ટ તરીકે કામ કરવા માંડયું. બુદ્ધિકૌશલ્ય, લાગવગ તથા ગ્રાહક સાથેના વ્યવહારથી તેમણે આ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ કરી.
સને ૧૯૬૫ થી તેમણે મીનરલ્સ એટલે ખનીજના વ્યાપારમાં રસ લીધે અને ધીમે ધીમે બોક્ષાઇટના અગ્રગણ્ય વ્યાપારી તથા નિકાસકાર બન્યા. લગભગ આ જ અરસામાં તેમણે જયશ્રી ટેક્ષટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એજન્ટ તરીકે ઈલેકટ્રીક ઈસ્યુલેટર્સનું કામ કરવા માંડયું અને તેમાં પણ સારી એવી પ્રગતિ સાધી.
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાનુભાઈ જીવનના સર્વાગી વિકાસમાં માનનારા છે, તેથી તેમણે વ્યાપારના વિકાસની સાથે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ રસ લેવા માંડ્યો અને જ્ઞાન–તૃષા છીપાવવા માટે તત્ત્વજ્ઞાન તથા રાજકારણનું સાહિત્ય પણ અવલકવા માંડયું. તેમાં તેમને ખૂબ રસ પડ્યો.
સને ૧૯૭૧માં પાકિસ્તાનના યુદ્ધ પછી તરત જ શ્રી ઈન્દિરા ગાંધી એક જાહેરસભાને સંબોધી રહ્યાં હતાં, અને તેમાં આપણું જવાનોએ કેવો ભોગ આયે, તેનું વર્ણન કરી રહ્યાં હતાં, તે વખતે શ્રી ભાનુભાઈએ યુદ્ધમાં ખપી જનારા જવાનોની સ્ત્રીઓને આવક થાય તે માટે સીંગરના ૧૦૦ સંચાની શ્રી ઈન્દિરા ગાંધીને ભેટ કરી આત્મસંતેષ અનુભવ્યો હતો.
સને ૧૯૭૨ થી તેમણે વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિઓ આપવા માંડી તથા ખાસ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ગણવેશનું દાન કરવા માંડયું. તેમની એ પ્રવૃત્તિ ઓછાવત્તા અંશે આજે પણ ચાલુ રહી છે.
" તે પછી જામનગર જિલ્લામાં દુકાળના ભિષણ ઓળા પથરાતાં તેમણે “મહાભિયાન ટ્રસ્ટ”ના ઉપક્રમે ખૂબ જ સુંદર કાર્ય કર્યું અને આખા જીલ્લાને અત્યંત વિષમ પરિસ્થિતિમાંથી ઉગારી લીધો. ત્યાર પછી પણ તેઓ માનવરાહતનાં કાર્યોમાં ઊંડે રસ લેતા આવ્યા છે અને તેને પોતાનું એક કર્તવ્ય ગણું તે માટે શક્ય એટલે ભગ આપતા આવ્યા છે. “પરોવરાય સંત મિતચઃ- સપુરુષોની સંપત્તિ પરેપકાર માટે છે ' એ સૂત્રમાં તેઓ અનન્ય વિશ્વાસ ધરાવે છે.
થોડા વખત પહેલાં તેમના પૂજ્ય કાકા શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીની સ્મૃતિમાં જામનગરમાં બંધાયેલ મહિલા કેલેજને તેમના કુટુંબ–પરિવાર તરફથી રૂપિયા એક લાખની સખાવત કરવામાં આવી છે. આ રીતે નાનીમોટી બીજી પણ શૈક્ષણિક સંસ્થાઓ પ્રત્યે તેમનો હાથ લંબાતો જ રહ્યો છે અને તેમાં તેઓ અનન્ય આનંદ અનુભવે
Page #12
--------------------------------------------------------------------------
________________
૯
છે. ટૂંકમાં દાન, દયા અને પરોપકારનાં કાર્યોંમાં તેઓ જીવનની સાકતા માને છે અને તેથી તેમાં શકય એટલા તન-મન-ધનને ભાગ આપે છે. ઉદારતા તેમના જીવનમાં વણાઈ છે, એટલે ખરી જરૂરિયાતવાળા કાઈ પણ મનુષ્ય તેમની પાસેથી નિરાશ થઈને જતા નથી. તેઓ પોતાના બુદ્ધિચાતુર્ય વડે સાચા અને ખોટાની પરીક્ષા ઘેાડી વારમાં જ કરી લે છે, એટલે ભાગ્યે જ છેતરાય છે.
તે સમાજહિતનું વિશાળ કાય કરવા છતાં કોઈ પણ રાજદ્વારી પક્ષમાં ભઠ્યા નથી, પરંતુ દરેક પક્ષના આગેવાને સાથે સારા સબંધ ધરાવે છે અને કાય કર્તાઓના પ્રેમ તથા લાગણીભર્યાં સહકારને લીધે દરેક કાર્યોંમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરે છે.
મુંબઈમાં શ્રી મહાવીર કીતિસ્થંભ નિર્માણ સમિતિના તે ફાઉન્ડર ટ્રસ્ટી છે અને સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી બીજી પણ અનેક નાની–મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
શ્રી મૃદુલાબહેન પણ જીવનની ઊર્ધ્વગામી દૃષ્ટિ ધરાવે છે અને તેથી પતિએ ઉપાડેલી બધી સેવામય પરોપકારી પ્રવૃત્તિએામાં સાથસહકાર આપે છે.
શ્રી ભાનુકુમારનું દામ્પત્યજીવન સુખી છે. તેએ વીરેન્દ્ર, બીના અને પરાગ એ ત્રણ સંતાનેના પિતા છે. તેમાં શ્રી વીરેન્દ્ર બી. કેમ. થયા છે, બીનાબહેન બી. એ. થયા છે, શ્રી પરાગ નવમીને અભ્યાસ કરે છે.
શ્રી ભાનુભાઈની સેવાપરાયણ સાત્ત્વિક વૃત્તિથી પ્રેરાઈ ને અમે આ ‘સામાયિક-વિજ્ઞાન” નામના ગ્રંથ તેમને સાદર સર્પિત કરી રહ્યા છીએ અને તે દી નિરામય જીવન જીવીને સમાજ તથા રાષ્ટ્રની વિશેષ ને વિશેષ સેવા કરે, એવી પરમાત્માને પ્રાથના કરીએ છીએ.
Page #13
--------------------------------------------------------------------------
________________
સમારોહના અધ્યક્ષ શ્રીમાનું દીપચંદ એસ. ગાડી
આપબળે આગળ વધી સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર તથા સાત્વિક ભાવના અને સેવાપરાયણતાથી જીવનને અને આપ આપનાર શ્રીમાન દીપચંદ ગાડી આજે જૈન સમાજને સુપરિન્ટ ચિત છે. પિતા સવરાજભાઈ, માતા કપૂરબહેન, મૂળ વતન સૌરાષ્ટ્રપડધરી. ચાર વર્ષની વયે પિતાની છત્રછાયા દર થતાં વિષમ સંયોગ ઉત્પન્ન થયા, પરંતુ ધૈર્યથી તેમનો સામનો કરીને તેઓ આગળ વધ્યા.
અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પડધરીમાં જ કર્યો. વાંકાનેર હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા અને ત્યાર બાદ ભાવનગર શામળદાસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કરી મુંબઈ આવ્યા. અહીં થોડો વખત મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને અને ત્યાર પછી સ્વતંત્ર કમાણી કરવા પૂર્વક બી. એસસી. થયા. તે પછી કાયદાનો અભ્યાસ કરી એલ.એલ.બી. થયા અને સોલીસીટર્સના આર્ટિકલ્સ પૂરા કરી મુંબઈમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરવા લાગ્યા, તેમ જ અનેક કંપનીઓના સલાહકાર બન્યા. સને ૧૯૬૧ માં તેઓ ઇંગ્લેંડ જઈ બાર-એટ-લે થઈ આવ્યા. પરંતુ આ અરસામાં તેમનું ધ્યાન જમીન તરફ દોરાયું અને ધીમે ધીમે તેના નિષ્ણાત બની તેના વ્યવસાયમાં પડ્યા. તેમને આ વ્યવસાય આજ પર્યત ચાલુ છે અને તેણે તેમને લક્ષ્મીનંદનની કેટિમાં મૂક્યા છે.
તેમનાં પ્રથમ પત્ની શ્રી અમિણી બહેનથી તેમને શ્રી રમિકાન્ત તથા શ્રી હસમુખલાલ નામના બે પુત્રરત્નો સાંપડ્યાં છે, જેમાંના પ્રથમ ડોકટર તરીકે અને બીજા એડવોકેટ તરીકે ઈંડમાં પ્રેકટીસ કરે છે. તેમના બીજા પત્ની શ્રી વિદ્યાબહેન બી. એ., એલ. એલ. બી., બી. ઈ. ડી, બાર-એટ-લે છે અને કેળવણીના ક્ષેત્રમાં ઊંડે રસ લઈ રહેલ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી દીપચંદભાઈ લક્ષ્મીના લાડીલા બન્યા, તે જ વખતથી તેમણે દીન-દુ:ખીઓને સહાય કરવા માંડી અને શિક્ષણક્ષેત્રને પોતાની સખાવતેથી સમૃદ્ધ કરવા માંડયું. આજે તેમના વતન પડધરીમાં તેમના પિતાશ્રીના નામથી સવરાજ જીવરાજ ગાડી કન્યા મહાવિદ્યાલય” ચાલે છે, તેમનાં માતુશ્રીના નામથી “શ્રી કપૂરબહેન જૈન પાઠશાળા ” ચાલે છે, તેમ જ આસપાસના પ્રદેશમાં તેમણે પ્રાથમિક શાળાઓનાં ૧૨ થી ૧૩ મકાનો બંધાવી આપ્યાં છે. મુંબઈમાં તેમના તરફથી ગાડી હાઈસ્કૂલ ચાલે છે તથા બીજી સંસ્થાઓમાં તેમના તરફથી સારી સખાવત થયેલ છે. દુષ્કાળના પ્રસંગેમાં તેમણે રાહતકાર્યમાં પિતાની લક્ષ્મીને સારો એવો સદુપયોગ કરેલો છે.
શ્રી દીપચંદભાઈ મુંબઈની સામાજિક અને શૈક્ષણિક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા છે. સને ૧૯૭૩ માં પાલીતાણા ખાતે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાતાં તેના પ્રમુખપદે ચૂંટાયા, એ વખતે સ્થિતિ ડામાડોળ હતી, પણ તેમણે કુશળતાથી અધિવેશનને સફલતાથી પાર પાડયું અને તે પછી આજ સુધી કેન્ફરન્સનું સુકાન સંભાળતા રહ્યા છે. બાહ્ય દેખાવો કરતાં સંગીન કામ કરવું અને સર્વ સંપ્રદાયો સાથે હળીમળીને કામ કરવું એ એમની મુખ્ય નીતિ રહી છે.
તેઓ અમારી સાહિત્ય-સર્જન–પ્રકાશન–પ્રચારની પ્રવૃત્તિમાં વર્ષોથી ઊંડો રસ લઈ રહેલ છે. સને ૧૯૬૮ માં અમે તેમને “સંકલ્પસિદ્ધિ” નામનો ગ્રંથ ભવ્ય સમારેહપૂર્વક બીરલા માતુશ્રી સભાગારમાં અર્પણ કર્યો હતો. ત્યારથી તેઓ આજ સુધી અમારા પ્રકાશન–સમર્પણ–સમારોહના એક યા બીજા સ્થાને રહીને તેને શોભાવતા આવ્યા છે. આ વખતે સામાયિક-વિજ્ઞાન-સમર્પણ–સમારે હતું અધ્યક્ષપદ સ્વીકારતાં અમે ગૌરવની ઊંડી લાગણી અનુભવીએ છીએ અને તેમને સફલતાભર્યું દીર્ધાયુષ્ય ઈચ્છીએ છીએ.
Page #15
--------------------------------------------------------------------------
________________
સમારોહના સ્વાગતાધ્યક્ષ શ્રીમાનું વસનજી લખમશી ઘેલાભાઈ દાન, દયા, પરેપકાર તથા સેવાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને લીધે શ્રીમાન વસનજીભાઈ માત્ર કચ્છી સમાજમાં નહિ, પણ મુંબઈના સારાયે ગુજરાતી સમાજમાં ખૂબ લોકપ્રિય બનેલા છે. કચ્છ-દુર્ગાપુરનિવાસી વિસા ઓસવાલ જ્ઞાતીય પિતા લખમશીભાઈ અને માતા રતનબાઈની શીળી છાયામાં ઉછરતાં તેમને ધાર્મિક સંસ્કારો સારા પ્રમાણમાં મળેલા છે. તેમના દાદીમા શ્રી મેઘબાઈ માતા કે જેઓ ધર્મપરાયણ ઉચ્ચ કેટિનું જીવન જીવતાં હતાં અને જેમને તાજેતરમાં મુંબઈ-ઘાટકોપરમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયે, તેમની મીઠી નજરે શ્રી વસનજીભાઈના જીવનને સુસંસ્કાર અને સેવાવૃત્તિની સૌરભથી મહેકતું કર્યું છે.
કોલેજનું બે વર્ષનું શિક્ષણ લીધા પછી શ્રી વસનજીભાઈ પિતાની પેઢી મે. લાલજી પુનશીની કાં.માં જોડાયા છે જે અનાજ, તેલ અને તેલીબિયાંના કમિશનનું કામ મોટા પ્રમાણમાં કરે છે અને ભાતબજારની એક સહુથી જૂની પ્રામાણિક પેઢીની ખ્યાતિ પામેલી છે. ઉત્સાહ, ખંત અને ડહાપણભરેલા ચોક્કસ નિર્ણને લીધે અહીં તેઓ સારી રીતે ઝળકી ઉઠડ્યા અને વ્યાપારીવર્ગ પર સુંદર છાપ પાડી શક્યા.
અનુક્રમે તેઓ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીટ્સ મર્ચન્ટ એસોસીએશનના મંત્રી બનેલા છે અને તે પદ સારી રીતે શાભાવી રહેલ છે. સને ૧૯૭૦માં તેઓ ધી બેઓ ઓઈલ સીલ્સ એકસચેન્જના ડિરેકટર બન્યા. ત્યાર પછી અખિલ હિંદ સેન્ટ્રલ આગેનિઝેશન ઓફ ઓઈલ ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડની મેનેજીંગ કમીટીના સભ્ય બન્યા તથા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડની ટેકસેશન સબ કમીટી તથા આંતરિક વ્યાપાર સબ કમીટીના સભ્ય નિમાયા. આમ વ્યાપારી ક્ષેત્રમાં તેમની ઉત્તરોત્તર ઉન્નતિ થતી ગઈ અને તે હજી ય ચાલુ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી વસનજીભાઈની સેવાપરાયણ–વૃત્તિએ સામાજિક ક્ષેત્રને પણું સારી રીતે શેભાવ્યું છે. તેઓ છેલ્લાં બાર વર્ષથી કચ્છી વીશા ઓશવાળ સેવા સમાજના પ્રમુખ છે, તેમ જ હીરજી ભેજરાજ એન્ડ સન્સ માટુંગા જૈન બેઠીગ અને હીરજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય કન્યાશાળાના–ઘાટકોપરના ટ્રસ્ટી તથા માનદ મંત્રી છે અને કચ્છ-દુર્ગાપુર જેન મહાજન તથા પાંજરાપોળના ટ્રસ્ટી છે. વળી જેન આશ્રમ કચ્છ-માંડવીના પણ ટ્રસ્ટી છે. આ રીતે તેઓ ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી કે કાર્યવાહક સમિતિના સભ્ય બનીને કચ્છની અનેક સંસ્થાઓને પોતાની સેવાઓ વિનમ્ર ભાવે આપી રહેલ છે.
સાર્વજનિક સેવાના ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. ઘાટકોપર હિંદુ મહાસભાની કાર્યવાહક સમિતિના સભ્ય છે, ઘાટકોપર સેવાસંધ જે આંખની હોસ્પિટલ ચલાવે છે, તેના ટ્રસ્ટી છે અને ઘાટકેપર સાર્વજનિક સેવા સમાજની કાર્યવાહક સમિતિના સભ્ય છે. વળી તેઓ ધી રોટરી કલબ ઓફ બોમ્બે ડાઉન ટાઉનના પણ સક્રિય સભ્ય છે. આ રીતે બીજી પણ કેટલીયે સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
શ્રી કાંતાબહેનથી તેમનું લગ્નજીવન સુખી છે. તેઓ બે પુત્રી અને એક પુત્રને પ્રેમાળ પિતા છે.
ગત વર્ષે કચ્છ–ગોધરાથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળતે જે સંઘ નીકળે, તેના ત્રણ યાજકેમાંના એક પેજક શ્રીમાનું લખમશી ઘેલાભાઈ હતા. શ્રી વસનજીભાઈએ આ સંઘમાં જોડાઈને યાત્રિકોની ઉમદા સેવા બજાવી હતી. તેમની ધર્મપરાયણતા અને શ્રુત ભક્તિથી પ્રેરાઈને અમે તેમને ગત વર્ષે ‘સિદ્ધિદાયક સિદ્ધચક” નામનો ગ્રંથ ભવ્ય સમારોહપૂર્વક અર્પણ કર્યો હતો. આ વખતે સામાયિક–વિજ્ઞાન–સમર્પણ–સમારેહની સ્વાગત–સમિતિનું અધ્યક્ષપદ સ્વીકારવા માટે તેમને અનેકાનેક ધન્યવાદ ઘટે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાનું નારાણજી શામજી મોમાયા
ધર્મપરાયણતા, તત્ત્વચિંતન અને અનેખા વ્યક્તિત્વને લીધે સામાન્ય મનુષ્યોથી જુદા તરી આવતા શ્રીમાન નારાણજીભાઈ સમસ્ત જૈન સમાજના એક પીઢ આગેવાન તરીકેનું સ્થાન શોભાવી રહેલ છે.
એમને જન્મ માઈસેર રાજ્યના હુબલી શહેરમાં ઈ.સ. ૧૯૧૩ ના મે માસની એકવીસમી તારીખે થે. પિતા શામજીભાઈ કચ્છી દશા ઓશવાળ જૈન કેમના અગ્રણી હતા અને માતા શ્રી માનબાઈ ધર્મના રંગે રંગાયેલાં હતાં. માત્ર નવ માસની ઉંમરે પિતૃછાયા દૂર થતાં તેઓ દશ વર્ષ સુધી કચ્છ-વરાડિયામાં માતૃછાયામાં મોટા થયા. ત્યાર બાદ મુંબઈ આવી બાબુ પનાલાલ સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરી મેટ્રિક થયા. ત્યાર બાદ વિદેશમાં જઈ આઈ. સી. એસ.નો અભ્યાસ કરવાનો વિચાર હતો, પણ માતાની ઈચ્છાને માન આપી એ વિચારને તિલાંજલિ આપી. સોળ વર્ષની ઉંમરે ધંધામાં જોડાયા અને વ્યવહારને બધો ભાર ઉપાડી લીધો. તે સાથે તેમણે કાયદા, ટેક્ષેશન, કરંસી, એક્ષચેન્જ, એકાઉન્ટ્સ અને પોલિટિસને અભ્યાસ કર્યો અને વિવિધ વિદ્યાસંપન્ન બન્યા.
સને ૧૯૪૨ માં તેઓ રૂની વિશ્વવિખ્યાત પેઢી ખીમજી વિશરામની કુ. માં ભાગીદાર બન્યા. આજે પણ તેઓ એ પેઢીના એક અગ્રણી સુકાની છે અને “કે. વી. કોટન જીનીંગ અને પ્રેસીંગ ફેકટરી ના ડિરેકટર છે તથા મે. નારાણજી કુ. અને મે. પૃથ્વીરાજ નારાણજી કાં.માં ભાગીદાર છે. વિશેષમાં તેઓ ધી કરૂર મીલ્સ લિ. કરૂર અને પુદુકટા ટેક્ષટાઈલ્સ લિ. પુદુકાટાનું સંચાલન પિતાના જયે છ પુત્ર કુલીનકાંતભાઈ મારફત કરી રહેલ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રી નારાણજીભાઈએ કપાસ ઉગાડનાર ભારતીય ખેડૂતોના હિતમાં : દશ વર્ષ સુધી લડત ચલાવી હતી. પરિણામે સરકારે રૂના સીલીંગ ભાવમાં ૨૫ ટકાને વધારે કરી આપે હતો અને બીજા વર્ષે પણ ૧૦૦ ટકાનો વધારો કર્યો હતો. તેઓ કૃષિપ્રેમી પણ છે, અને પોતાના વતનમાં ૩૦૦ એકર જેટલી જમીનમાં “મેમાયા ખેતીકેન્દ્ર” ચલાવી ઘણું માણસોને રોજી આપી રહ્યા છે.
સને ૧૯૬૭ માં કચ્છ-ભદ્રેશ્વરમાં શ્રી અખિલ ભારત અચલ ગચ્છીય ચતુર્વિધ સંઘ સંમેલન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે એ સંમેલનનું કાર્ય કુશલતાથી પાર પાડયું અને આજ સુધી એ સ્થાને રહીને અનેક પ્રકારે સેવા કરી છે.
ભગવાન મહાવીરની ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવની મુંબઈ ખાતે શાનદાર ઉજવણી થઈ એ વખતે તેમણે જે હિંમ્મત, દીર્ધદષ્ટિ અને કચ્છી જૈન સમાજ પરના પ્રભુત્વને પરિચય કરાવ્યો, તે લાંબા સમય સુધી ભૂલાશે નહિ.
તેઓ બે પુત્ર અને ત્રણ પુત્રીઓના વહાલસોયા પિતા છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મલાબહેન એક આદર્શ ગૃહિણું છે. '
શ્રી નારાણજીભાઈ અમારા સાહિત્યના અનન્ય પ્રેમી હોઈ સને ૧૯૭૧ માં અમે તેમને “ભક્તામર-રહસ્ય” ગ્રંથ કેસ મેદાનમાં
જાયેલ ભવ્ય સમારોહમાં અર્પણ કર્યો હતો. આજે તેઓ સામાયિકવિજ્ઞાન–સમર્પણ–સમારોહમાં અતિથિવિશેષ તરીકે પધારી રહ્યા છે, તેને અમને ખૂબ જ આનંદ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
મળલ છે. એવામાં અને તે થાય એ
માદ અને તેમાં
સમારેહના અતિથિવિશેષ શ્રીમાન ચિત્તરંજન ડી. શાહ
s. E, M.] સૌમ્ય સ્વભાવ, વિશદ વ્યક્તિત્વ અને સૌજન્યભર્યા સકારથી - સહુને પ્રભાવિત કરનાર શ્રીમાન ચિત્તરંજન ડી. શાહ આજે સમાજનું
અનેરું આકર્ષણ કરી રહ્યા છે. પિતા દામોદરદાસ કરશનદાસ અને માતા વિજયા બહેનના સુસંસ્કારો તથા સેવાપરાયણતા તેમને વારસામાં મળેલ છે. એકવીસ વર્ષની ઉમરે બી. એસસી. થયા પછી તેમણે
વ્યવસાયમાં ઝંપલાવ્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જ ગયા. જે. ચિત્તરંજન એન્ડ કાં; કેમીફાઈન, શાહ એન્ડ મહેતા, એન. એલ. મહેતા શાહ એન્ડ એસોસિયેસ, જ્યુપિટર એકસપાસ આદિ અનેક પેઢીએનું તેઓ કુશલતાભર્યું સંચાલન કરે છે. સને ૧૯૭૫ માં તેમણે અંધેરી ખાતે લાખ રૂપિયાના ખર્ચે બહાર” નામનું અદ્યતન સિનેમાગૃહ બાંધ્યું અને સને ૧૯૭૬-૭૭માં વલી ખાતે તેનું જોડીદાર “સત્યમ” નામનું સિનેમાગૃહ તૈયાર કર્યું. કાંદીવલી પૂર્વમાં ઝાલાવાડ હાઉસીંગ સોસાયટીના ચેરમેન તરીકે સંસ્થા તરફથી “લાભ પણ નહિ અને નુકસાન પણ નહિ” એ ધોરણે ૫૦ ફલેટો બાંધી આપ્યા છે. વલમાં સેપ્યુરી બજાર નજીક મનીષ કોમર્શિયલ સેન્ટર નામની ભવ્ય ઈમારત પણ તેમનું સર્જન છે.
શ્રી ચિત્તરંજનભાઈએ વ્યવસાયના વિકાસની સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સારે રસ લીધે છે. સને ૧૯૬૪માં અંધેરી લાયન્સ કલબના સભ્ય થઈ, જુદા જુદા હોદ્દાઓ ભોગવી પ્રમુખ બન્યા છે અને ડેપ્યુટી ડ્રિસ્ટ્રીકટ ગવર્નર સુધી પહોંચ્યા છે. તેમના પ્રમુખપદ દરમિયાન તેમણે વિવિધ પ્રકારની સેવાઓ બજાવી છે. રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિ માટે “યુથ એકસચેન્જ પ્રોગ્રામ” નક્કી
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭
થતાં તેમણે યુથ કેમ્પ ઊભું કરવામાં અને તેમાં જુદા જુદા પ્રાંત તથા દેશના સભ્ય ભાગ લે તે માટે ઘણે પરિશ્રમ કર્યો હતો.
ધોળકા એજ્યુકેશન સોસાયટી મુંબઈના તેઓ વર્ષોથી મંત્રી છે. ધોળકાની બંને કલેજેને પ્રારંભ કરવામાં અને તેને પૂર્ણ કરવામાં તેમની સેવા નોંધપાત્ર રહી છે. મુંબઈની ઘણી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજી રીતે જોડાયેલા છે અને તેને પિતાની યથાશક્તિ સેવા આપે છે.
શ્રી નેમિનાથ જૈન દેરાસર, શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સંઘ, ભગવાન મહાવીર કીર્તિસ્થંભ નિર્માણ સમિતિ વગેરેના તેઓ ટ્રસ્ટી છે અને ચિત્રકલા નિદર્શન કે જેમાં જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તથા યશોભારતી પ્રકાશન સંસ્થા જોડાયેલા છે, તેના તેઓ મંત્રી છે.
આટલી મોટી જવાબદારીઓ વહન કરવા છતાં તેઓ નિત્યનિયમ ચૂકતા નથી. પોતાનો પૂજાપાઠ કર્યા પછી જ કામે લાગે છે અને સહુ સાથે પ્રેમથી વર્તે છે. દાનધર્મ પણ તેમણે સારી રીતે વિકસાવેલે છે.
શ્રી ચિત્તરંજનભાઈ શ્રી સરલા બહેનથી વિવાહિત થયેલા છે અને વિરલ તથા સચીન નામના બે પુત્રના પિતા છે.
શ્રી ચિત્તરંજનભાઈએ સને ૧૯૬રમાં ધંધાના વિકાસ અર્થે વિદેશયાત્રા કરી હતી અને સને ૧૯૬૫ માં શ્રી સરલાબહેન તથા પુત્ર વિરલ સાથે જગતનો પ્રવાસ પણ કરેલ છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની પદવી આપી તેમની સેવાઓની કદર કરેલી છે.
આવી એક વિશિષ્ટ વ્યક્તિ આ સમારોહના અતિથિવિશેષ તરીકે સાંપડવા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રોમતી સરલાબહેન સી. શાહ
સરલાબહેનને જન્મ કરાંચીના એક સંસ્કારસ ંપન્ન જૈન કુટુંબમાં તા. ૨૯-૧૦-’૩૦ રાજ થયા હતા. પિતાનું નામ છેટાલાલ ખેતશીભાઈ અને માતાનુ નામ સમજુબહેન. ચાર ભાઈ વચ્ચે તે એક જ બહેન હતાં, એટલે પૂરા લાડકાડમાં ઉર્ષ્યા હતાં. માતા સમજુબહેન સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સારા રસ લેતાં હતાં, તેના સંસ્કાર તેમના પર બહુ ઊંડા પડ્યા હતા.
કરાંચી પાકિસ્તાનમાં ભળ્યા પછી તેમનું કુટુંબ મુંબઈ આવ્યું. આ વખતે તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીણ થયેલાં હતાં, એટલે વિશેષ અભ્યાસ માટે સેંટ ઝેવયસ કોલેજમાં દાખલ થયાં. સને ૧૯૫૧માં તે બી. એ. થયા અને એમ. એ.ના અભ્યાસ શરૂ કર્યાં, પણ એક વર્ષ` બાદ શ્રીમાન્ ચિત્તરંજન ડી. શાહ સાથે લગ્નગ્રંથિથી નેડાતાં વિશેષ અભ્યાસ કરી શકયાં નહિ.
શ્રી સરલાબહેન શરૂઆતથી જ સામાજિક પ્રવૃત્તિએમાં ઘણા રસ લેતાં હતાં. તેઓ અનુક્રમે Al! India Women's Conferecne–અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી થયાં અને પ્રમુખપદ સુધી પહાંચ્યાં. આજે પણ તેએ આ પરિષદની મધ્યસ્થ સમિતિના એક કાર્યવાહક સભ્ય છે. આ સંસ્થાના આશ્રયે તેમણે હાસ્પીટલ સર્વિસ કમીટી ઊભી કરેલી છે, જે કામા, કૂપર, વાડિયા વગેરે હાસ્પિટલેામાં જઈ બાળકાને સેવા આપે છે. ઉપરાંત આ સંસ્થાના આશ્રયે જ અંધેરીમાં એક મહિલા ઉદ્યોગગૃહ ઊભું કરવામાં આવ્યું છે, જે ૧૦૦ જેટલી મહેનેાને રાજી આપે છે.
મહિલાઓના ઉલ્હાર માટે United Women's Orga
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
nisation નામની એક સંસ્થા રચાયેલી છે કે જેમાં ૧૦૦ જેટલી મહિલાઓ જોડાયેલી છે. તેનું મંત્રીપદ પણ તેઓ શોભાવે છે. ફેમીલી પ્લાનીંગ મુંબઈ–શાખાનાં પણ તેઓ સક્રિય મંત્રી છે. આ રીતે મહિલાઓના ઉદ્ધાર માટે ચાલતી સંસ્થાઓમાં તેમણે ઘણે રસ લીધેલ છે અને તન-મન-ધનનો ભેગ આપે છે.
સને ૧૯૬૫માં ઓસ્ટ્રીયા–વિયેનામાં Children's International Summer Camp જાય, તેમાં તેમણે કેમ્પ લીડર તરીકે હાજરી આપી હતી અને ત્યાર બાદ બીજા જ વર્ષે લંડનમાં International Alliance of Women નામની પરિષદ
જાઈ તેમાં તેમણે પ્રતિનિધિ તરીકે હાજરી આપી પોતાના મનનીય વિચારે દર્શાવ્યા હતા.
ધોળકા એજ્યુકેશન સેસાયટીની કાર્યવાહક સમિતિમાં પણ તેઓ સભ્ય તરીકેની સેવા આપે છે.
ગૃહસ્થ જીવનમાં રહીને એક આદર્શ ગૃહિણીની ફરજો બજાવવા ઉપરાંત તેઓ આ બધી પ્રવૃત્તિઓમાં રસ લે છે, તે પરથી તેમની સેવાપરાયણવૃત્તિને ખ્યાલ આવી શકશે.
પતિ અને પત્ની બંને સુશિક્ષિત અને સેવાભાવી હોય, એવો મેળ ભાગ્યે જ મળે છે, પણ કુદરતે એવો મેળ મેળવી આપે છે અને તેનાં મધુર ફલે સમાજને મળી રહ્યાં છે.
શ્રી ચિત્તરંજનભાઈની જેમ શ્રીમતી સરલાબહેન પણ અમારી સાહિત્યપ્રવૃત્તિમાં ઊંડે રસ લઈ રહેલ છે. તેઓ આજે સામાયિકવિજ્ઞાન–સમર્પણ-સમારેહના અતિથિવિશેષ તરીકે પધારી રહ્યાં છે, તેથી અમે આનંદવિભેર બન્યા છીએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાનું કેશવલાલ ચુનીલાલ શાહ
સૌરાષ્ટ્રના સપૂતોની હરોળને શોભાવનાર શ્રીમાન કેશવલાલ ભાઈને જન્મ તા. ૨૩–૪–૧૭ના રોજ લીંબડી મુકામે થયો હતો. પિતા ચુનીલાલ ચત્રભુજ શાહ કાયદાના નિષ્ણાત હોવા સાથે ધર્મ પરાયણવૃત્તિના હતા, માતા ઝવેરીબહેન પણ ધર્મના રંગે રંગાયેલા હતા, એટલે શ્રી કેશવલાલભાઈને ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. તેમને બે મોટાભાઈ ત્રણ નાનાભાઈ તથા એક નાની બહેન હતાં.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં લીધું અને ત્યાર બાદ રાજકોટ જઈ દિવિજય આર્ટસ્ એન્ડ સાયન્સ કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંથી મુંબઈ આવી બે વર્ષ કાયદાનો અભ્યાસ કરી સને ૧૯૪૫માં એલ. એલ. બી. થયા અને બાર-કાઉન્સિલમાં જોડાયા, પરંતુ તેમનું આંતરિક વલણ વ્યાપાર તરફ હોઈ એડવોકેટ તરીકે પ્રેકટીસ ન કરતાં “ઈસ્ટર્ન ઈન્ડસ્ટ્રીયલ સીન્ડીકેટ' નામની વ્યાપારી પેઢી ઊભી કરી પિતાના ત્રણ બંધુઓ સાથે તેમાં કામ કરવા લાગ્યા. પ્રામાણિક્તા, ખંત અને કર્તવ્યનિષ્ઠાને લીધે થેડા જ વખતમાં આ પેઢીએ સારી પ્રગતિ કરી, પરંતુ શ્રી કેશવલાલભાઈની મહત્વાકાંક્ષી દીર્ઘદૃષ્ટિને આથી સંતોષ ન થયો, એટલે તેમણે આ પેઢીથી છૂટા પડી સને ૧૯૭૦ની સાલમાં ઇલેકટ્રીક મશીન બનાવનારી “પાવર એન્ડ કોલ ટ્રાન્સફોર્મર ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.” તથા “પટીલ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ.” તથા “ચેતન સવીચગીયર ઈન્ડસ્ટ્રીઝ” નામની ત્રણ પેઢીઓ ઊભી કરી, જેના તેઓ મેનેજીંગ ડાયરેકટર છે. આ પેઢીઓ ઉપરાંત તેઓ “સી. ટી. આર. મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.” તથા “મે. પોલસન લિ.ના પણ ડાયરેકટર
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧
છે. ટૂંકમાં શ્રી કેશવલાલભાઈની વ્યાવસાયિક કારકીર્દિ` ધણી ઝળકતી છે અને ભવિષ્યમાં તેઓ વ્યવસાયક્ષેત્રે મહાન સાહસેા ખેડવાની ક્ષમતા ધરાવે છે.
તે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સની વિવિધ સમિતિએ અને ઉપસમિતિઓમાં સભ્ય હતા અને પ્રેગ્રેસીવ ગ્રુપના પણ સક્રિય સભ્ય હતા. આજે તેઓ ‘ઇન્ડિયન ઇલેકટ્રીકલ મેન્યુફેકચરસ' એસસીએશન', · એલ ઈન્ડિયા મેન્યુફેકચરર્સ એસેસીએશન', ‘ થાણા મેન્યુફેકચરર્સ એસેાસીએશન’, ‘ મશીનરી ડીલસ` એસેાસીએશન ’ વગેરેના સભ્ય છે.
*
શ્રી કેશવલાલભાઈ એ વ્યવસાયના વિકાસની સાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં પણ સારે રસ લીધેા છે, એટલુ જ નહિ, નાનપમાં ધાર્મિ ક શિક્ષણ લીધેલું, તેને જીવનઘડતર માટે ખૂબ ચીવટાઈથી ઉપયાગ કર્યાં છે. શ્રી લાવણ્યસરિજ્ઞાનમદિરએટાદના તેએ ટ્રસ્ટી છે અને મુંબઈશ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહક સમિતિના સભ્ય છે. તેમણે લાયન્સ કલબની પ્રવૃત્તિઓમાં પણ રસ લીધેલા છે અને તેના ઉપક્રમે સમાજસેવાનાં કેટલાંક સુંદર કાર્યા કરેલાં છે.
જાણીતા શિક્ષણપ્રેમી સ્વ. શ્રી ચંદુલાલ વધમાન શાહની ખીજી પુત્રી રમાલક્ષ્મીથી તેમનું લગ્નજીવન સુખી નીવડયું છે. તે ત્રણ પુત્ર તથા એક પુત્રીના પ્રેમાળ પિતા છે.
શ્રી કેશવલાલભાઈ અમારા સાહિત્યનું પ્રેમથી પાન કરે છે અને તેના પ્રચારમાં આનંદ માને છે; તેથી જ ગત વર્ષે અમે તેમને ( શ્રી ઋષિમ`ડલ–આરાધના'ની બીજી આવૃત્તિનું સુંદર સમારેલુપૂર્ણાંક સમર્પણ કર્યું હતું. આજે તેઓ સામાયિક—વિજ્ઞાન–સમર્પણુસમારેહના અતિથિવિશેષ તરીકે પધારત અમારાં આનંદ અને ઉત્સાહમાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. તેમને અનેકાનેક ધન્યવાદ !
Page #25
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાન્ જયંતિલાલ રાજપાળ શાહ
જેમના જીવનમાં સ્વાશ્રય, સંસ્કાર અને સેવાપરાયણતાના સુંદર સ્વસ્તિકે પૂરાયા છે, એવા શ્રીમાન જયંતિલાલ રાજપાળ શાહને ટૂંક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે.
સૌરાષ્ટ્ર્ધ્વ–સુરેન્દ્રનગર નજીક મૂળી ગામમાં સને ૧૯૧૪ ના મા મહિનાની ૧૭ મી તારીખે સ્થાનકવાસી વીશા શ્રીમાળી જૈન કુટુંબમાં તેમનેા જન્મ થયા. પિતા રાજપાળભાઈ તથા માતા ડાહી બહેન પરગજુ સ્વભાવનાં હતાં તથા ધર્મના રંગે રંગાયેલાં હતાં, એટલે શ્રી જયંતિભાઇને ઉછેર સેવામય ધામિ`ક વાતાવરણમાં થયા.
પ્રાથમિક કેળવણી કેાંઢ અને મૂળીમાં લીધા પછી તે અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયા અને શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં અભ્યાસ કરવા લાગ્યા. અહીં છાત્રાલયના ગૃહપતિ શ્રીમનસુખરામ અને પચંદ શાહ તથા વિદ્યાલયના મુખ્ય શિક્ષક શ્રી ધીરજલાલ ટોકરશી શાહના હાથે તેમના જીવનનું સુંદર ઘડતર થયુ. એ વખતે ગાંધીયુગની આભા સત્ર પ્રસરી હતી, એટલે તેના સંસ્કારો પણ તેમના જીવન પર સારા પ્રમાણમાં પડ્યા.
'
વિનીત થયા પછી તેમણે છાત્રાલય છેડયું અને મુંબઈ આવી નોકરી કરવા લાગ્યા. તેને કેટલાક અનુભવ લીધા પછી તેમણે · મે. જયતિલાલ એન્ડ બ્રધસ''ના નામની પેઢી ખેાલી જુની મશીનરી, લાખંડ, તથા અન્ય ધાતુઓ અને તેના ભંગારના ધંધા શરૂ કર્યાં. ખંત, પ્રામાણિકતા અને સાહસિકવૃત્તિને લીધે થેાડા જ વખતમાં તેમના યુધાના વિસ્તાર થયા અને તે દારૂખાનાની એક પ્રતિષ્ઠિત પેઢી મની, જે આજે પણ એ સ્થાન સાચવી રહી છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
આ સિવાય તેઓ બીજી પણ કેટલીક પેઢીઓનું મુંબઈ તથા કલકત્તા ખાતે સંચાલન કરે છે.
સને ૧૯૩૭ની સાલમાં શ્રી જયંતિભાઈ શ્રીમતી મરઘાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ત્રણ પુત્રો તથા ચાર પુત્રીના પિતા બન્યા. સને ૧૯૬૪ ની સાલમાં તેમના ધર્મપત્નીને સ્વર્ગવાસ થતાં તેમણે માતા અને પિતા બંનેનું કર્તવ્ય બજાવી ગૃહજીવનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું.
શ્રી જયંતિભાઈ એ વ્યવસાયના વિકાસની સાથે શિક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો અને પોતાના લઘુબંધુ શ્રી અનોપચંદભાઈ તથા શ્રી પૂનમચંદભાઈના સાથ-સહકારથી પોતાના વતનમાં “ભૂરીબહેન રાજપાળ બાલમંદિર ” “રાજપાળ પુરુષોત્તમ જન વાડી” તથા “માતુશ્રી ડાહીબહેન રાજપાળ કન્યાવિદ્યાલય” નામની ત્રણ સંસ્થાઓ સ્થાપી આત્મસંતોષ અનુભવ્યો.
તેઓ મૂળી પ્રજામંડળના પ્રમુખ છે, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-માટુંગા તથા અ. નં. જૈન પાઠશાળા–માટુંગાની કારબારીના સભ્ય છે, સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી પ્રગતિ મંડળ-કલકત્તાના પેટ્રન છે અને શ્રી મુંબઈ ચીમન છોત્રમંડળના આજીવન સભ્ય તથા કાર્યવાહક સમિતિના સભ્ય છે. છેલ્લાં ચાર વર્ષ તેઓ તેના પ્રમુખ પણ હતા. શેઠ ચીમનલાલ નગીનદાસ શતાબ્દી સ્મારક નિધિમાં તેમણે નોંધપાત્ર ફાળો આપે છે અને તેની કાર્યવાહીમાં ઊંડો રસ લીધેલો છે. વિનય, વિવેક, વ્યવહારકુશળતા અને ઉદારતાને લીધે તેઓ મિત્રમંડળ તથા સંબંધીવર્ગમાં ઘણું આદરભર્યું સ્થાન પામેલા છે.
તેઓ અમારી સાહિત્યપ્રવૃત્તિમાં પ્રથમથી જ સારે રસ લે છે અને આ વખતે સામાયિક-વિજ્ઞાનસમર્પણ–સમારેહમાં અતિથિવિશેષ તરીકે પધારી રહેલ છે, તેથી અમને ખૂબ ખૂબ આનંદ થયે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાનું જવાહર મોતીલાલ શાહ
સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ (S.E.M.) જેમના જીવનમાં નાનપણથી જ સેવાની જ્યોત જલવા લાગી અને તે દિન-પ્રતિદિન વિશેષ પ્રજ્વલિત બનતી ગઈ તે સેવાપરાયણ શ્રીમાન જવાહરભાઈનો પરિચય કરાવતાં અમને આનંદ થાય છે.
માલેગામના અગ્રગણ્ય નાગરિક શ્રીમાન મેતીલાલ વીરચંદ શાહને ત્યાં સને ૧૯૪૦ માં તેમનો જન્મ થયે. માતાનું નામ જાનકીબાઈ. પિતાની સેવાપરાયણતા અને માતાની ધર્મપરાયણતા બંનેને તેમને વારસે મળે, તેમ જ તે વખતના વાતાવરણમાંથી તેમને રાષ્ટ્રીય ભાવનાને રંગ પણ સારા પ્રમાણમાં ચડ્યો.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માલેગામમાં લીધા પછી તેઓ મુંબઈમાં આવ્યા અને સીડનહેમ કેલેજમાંથી સને ૧૯૬૪ની સાલમાં બી. કોમ. થયા. ત્યાર પછી તરત જ તેમણે રંગ અને રસાયણના ધંધામાં ઝુકાવ્યું. તે સાથે સૂતરનો ધંધો પણ વિકસાવ્યું અને પેઢીઓ તથા કંપનીઓને નાણાનું ધીરાણ કરવા માંડયું. એક કુશળ વ્યાપારીમાં જે ગુણ જોઈએ, તે બધા ગુણોથી તેઓ સંપન્ન હતા, એટલે તેઓ દિન-પ્રતિદિન પ્રગતિ કરવા લાગ્યા અને લાભ તથા યશ બંનેના અધિકારી બન્યા.
સને ૧૯૬૪ ની સાલમાં તેઓ શ્રીમતી માયાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. જીવનના આદર્શો અને સંસ્કારોની સમાનતાને લીધે તેમનું લગ્નજીવન સુખી નીવડ્યું. આજે તેઓ બે પુત્રરત્નના પિતા છે.
શ્રી જવાહરભાઈએ વ્યવસાયના વિકાસની સાથે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં રસ લેવા માંડયો અને ધાર્મિક પ્રત્તિઓમાં પણ દિલચસ્પી દાખવી. આજે મહારાષ્ટ્રમાં “યુવક બિરાદરી” નામની એક મેટી સંસ્થા ચાલે છે, જે યુવકને જુદા જુદા પ્રકારનું શિક્ષણ આપે
Page #28
--------------------------------------------------------------------------
________________
૫
છે અને તેમને ઉત્તમ નાગરિક બનાવવાના પ્રયાસ કરે છે. આ સંસ્થાના પ્રમુખ સન્માનનીય શ્રી મધુકરરાવ ચૌધરી છે. છેલ્લાં ત્રણ વર્ષોંથી શ્રી જવાહરભાઈ આ સંસ્થાના ડીરેકટર તરીકે સુ ંદર કામગીરી અજાવી રહ્યા છે.
માલેગામની ‘ વધમાન શિક્ષણ સંસ્થા’ જે પ્રાથમિકથી માંડીને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપે છે, તેના તે માનદ મંત્રી છે અને તેની નાની મેટી બધી પ્રવૃત્તિઓમાં ઊંડા રસ લે છે.
તે
માલેગામ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંધમાં અગ્રસ્થાન ભાગવે છે અને મુંબઈ-પ્રાર્થનાસમાજ જૈન સંઘની બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં તન–મન-ધનને ભાગ આપી રહેલ છે. તાજેતરમાં શ્રી ગાડીજી જૈન દહેરાસરમાં દીવાળીની રજાએમાં ૨૦૦ જેટલા વિદ્યાથી એ માટે ધાર્મિક શિક્ષણવર્માંની યેાજના થઈ, તેનું ઉદ્ઘાટન તેમણે ક' હતું અને તેમાં સારો રસ લીધા હતા. તીક્ષેત્રામાં લક્ષ્મીને સર્વ્યય કરવામાં તેએ આન૬ માને છે.
વિશેષમાં તેમણે પ્રાંતભેદ સિવાય અનેક યુવક-યુવતીઓને વ્યાવસાયિક મા દર્શન આપી કામધે ચડાવ્યા છે અને અંતરના આશીર્વાદ મેળવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી શ્રી કે. એમ. પાટીલ તથા શ્રી મધુકરરાવ ચૌધરી સાથે તેએ બીજા પણ કેટલાંક ક્ષેત્રમાં નેધપાત્ર કામ કરી રહેલ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને ‘સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ ( `. E. M. ) ' ની માનદ પદવી આપીને તેમની સેવાઓની કદર કરી છે.
શ્રી જવાહરભાઈ અમારા સાહિત્યના પ્રેમી છે અને તેએ આજે સામાયિક—વિજ્ઞાન–સમપ ણુ–સમારેાહના એક અતિથિવિશેષ તરીકે પધારી રહ્યા છે, તેથી અમને ખૂબ આનંદ થયા છે. અમે તેમને અત્યંત ઉજજવલ ભવિષ્ય ઈચ્છીએ છીએ.
Page #29
--------------------------------------------------------------------------
Page #30
--------------------------------------------------------------------------
________________
સમારોહના પેટન
શ્રીમતી મૃદુલાબહેન બી. દોશી જે સમાજસુધારણા અને પાપકારની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ રહ્યા છે.
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પૃષ્ઠ સંખ્યા
૧૧૭
૧૩૯
૧૫૬
૧૭૦
૧૮૩
૧. સામાયિકને મહિમા ૨. સામાયિકનો અર્થ ૩. સામાયિક-સારભૂત સુંદર ક્રિયા ૪. સામાયિક–અનેરી યોગસાધના ૫. બે પ્રકારની તૈયારી ૬. આલંબનરૂપ સૂત્રપાઠી ૭. સામાયિક લેવા–પારવાની વિધિ (સમજ સાથે) ૮. મુહપત્તીના પચાશ બેલનું રહસ્ય ૯. સામાયિકમાં શું ન કરાય ? ૧૦. સામાયિકને સાધનાક્રમ ૧૧. મન જીતવાની કલા ૧૨. સમભાવ અંગે કેટલુંક ૧૩. રાગને છેડો ૧૪. દ્વેષને ત્યજે ૧પ. ક્રોધ અને માનને કાઢે ૧. માયા અને લેભને હઠાવે ૧૭. દષ્ટ આત્મા ભણી રાખો ૧૮. ભાવનાઓનું સેવન–૧ ૧૯. ભાવનાઓનું સેવન–૨ ૨૦. આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ ૨૧. ધર્મધ્યાનનો અભ્યાસ ૨૨. શુકલધ્યાનનો પરિચય ૨૩. અન્ય ચાર ધ્યાને
૨૨૭ ૨૫૧
२७४
૩૧૮ ૩૩૬
છ
»
૩૮૩
૪૦૨
૪૨૩ ૪૩૫-૪૪૮
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉપયાગમાં લેવાયેલા ગ્રન્થાની યાદી
અનુયેાગદ્રારચૂણી આન ધનપદભાવા આનધન–સ્તવનાવલી
આવશ્યકસૂત્ર
આવશ્યકનિયુક્તિ
ઉત્તરાધ્યયનસૂત્ર ગુરુવદનભાષ્ય
જ્ઞાતધમ કથા
જ્ઞાનાવ તત્ત્વાર્થ સૂત્ર-સંબધકારિકા
ધ્યાનદીપિકા
ધ્યાનવિચાર
ધ્યાનશતક
બૃહત્ કપભાષ્ય
ભક્તામરસ્તાત્ર
યેગશતક
ચેોગશાસ્ત્ર-સ્ત્રાપજ્ઞ વિવરણુસહ
યેાગસાર વિશેષાવશ્યકભાષ્ય
શાંતસુધારસભાવના
શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રોધટીકા ભા. ૧-૨-૩
શ્રી ભગવતીસૂત્ર સૂત્રકૃતાંગસૂત્ર
સેનપ્રશ્ન સ્થાનાંગસૂત્ર–ટીકા
તથા
અમારા રચેલા અનેક ગ્રંથા
Page #34
--------------------------------------------------------------------------
________________
છ ી અ નમઃ પ્રસ્તાવના
પાપમાં અશાતિ! પાપથી દુઃખ અને ત્રાસ ! પાપથી સર્વનાશ...
સર્વજ્ઞ સર્વદશી પુરુષોએ કરેલું આ સચોટ નિદાન છે. જેમના સચોટ નિદાન વિના સાચો અસરકારક ઉપચાર ન થઈ શકે. સકલ વિશ્વના સર્વ જીવોની દુઃખમય, ત્રાસમય સ્થિતિનું જ્ઞાનદષ્ટિથી
અવલોકન કરતાં કરુણવંત જ્ઞાની પુરુષનું હૃદય રડી ઉઠયું. તેમણે પિતાનાં સર્વ વૈષયિક સુખનો ત્યાગ કરી દીધો. તપ, ત્યાગ અને તિતિક્ષાને ધમપુરુષાર્થ આરંભી દીધો. સુદીર્ધકાળ એ સાધનાના માગે અવિરત પ્રગતિ કરતા રહ્યા...અને આત્મજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો. એ દિવ્યપ્રકાશમાં તેમણે વિશ્વની યથાર્થ પરિસ્થિતિનું દર્શન કર્યું. “જીવો શાથી દુઃખી ? જીવ શાથી અશાન્ત ?” આ પ્રશ્નનું સમાધાન મળી ગયું. “પાપોથી દુ:ખ છે. પાપથી અશાતિ છે.'
અનંત અનંત પાપના ભારે રસિયા જીવોને સમજાવવું કે ‘તમે આ પાપોથી દુઃખી છે...” કેટલું બધું અઘરું કામ છે ! ન માને આ વાત. વાત કરનારની હાંસી કરે. આવી વાત કરનારને પાગલ માને ! “પાપોથી સુખ મળે છે.” આ દૃઢ બની ગયેલી માન્યતાનાં મૂળિયાં પાતાળમાં ગયેલાં છે. એ મૂળિયાંને ઉખેડી નાંખવાં...એ સામાન્ય માનવીનું ગજુ નહીં. એ દુષ્કર કાર્યને કરવા માટે તે જોઈએ અનંત આત્મશક્તિ! જોઈએ અનંત જ્ઞાન અને અનંત કરુણા.
તીર્થકર એટલે આ ત્રણ અપૂર્વ તનું સંમિશ્રણ. અનંત - આત્મશક્તિ + અનંત જ્ઞાન + અનંત કરુણું = તીર્થકરત્વ. આ
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
તીથ કરત્વના ચરણે વિશ્વની શ્રેષ્ઠ વિભૂતિ નિવાસ કરે છે. તીથ - કરત્વ અદ્ભુત પ્રભાવશાળી બની જાય છે. આ પ્રભાવથી હારા, લાખા...કરાડો માનવા...... પ્રભાવિત થાય છે. જ્યારે તેઓ પ્રભાવિત થાય છે, ત્યારે તે તીથ કરની વાતાને સાચી માને છે, સ્વીકારે છે અને એ મુજબ આચરણ કરે છે. · પાપા જ દુ:ખાનાં કારણ છે. પાપા જ અશાન્તિનુ કારણ છે.’ આ વાત એમના ગળે ઉતરી જાય છે. તેઓ પ્રતિજ્ઞા કરે છેઃ
करेमि भंते! सामाइयं । सावज्जं जोगं पच्चकुखामि ॥
'
= ૪૮
હે ભગવંત! હું પાપમય પ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરૂ છુ, સામાયિક કરૂં છું.' જો એ મનુષ્યને એવા આત્મવિશ્વાસ જાગે...એવા વીયે*લ્લાસ પ્રગટે તે એ જીવનપર્યંત પાપાને ત્યાગ કરવાની... નિષ્પાપ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી લે છે અને · સામા યિકમાં સ્થિર થઈ જાય છે. જો એને જીવનપર્યંત નિષ્પાપજીવન જીવવાને આત્મવિશ્વાસ નથી હોતા તે એ ચેાવીસ કલાક માટે પ્રતિજ્ઞા કરે છે... બાર કલાક માટે પ્રતિજ્ઞા કરે છે, છેવટે એલડી મીનીટ માટે પ્રતિજ્ઞા કરે છે. એ પ્રતિજ્ઞા મન, વચન અને કાયાથી કરે છે. મનમાં પણ પાપાનુ આકર્ષણ ન જાગે, તે માટે તત્પર બને છે. ‘મારે જો મારાં દુ:ખોને સમૂળ ઉચ્છેદ કરવા છે, તે મારે પાપાનેદ સમૂળ ઉચ્છેદ કરવા જ પડશે. તે માટે ‘સામાયિકધમ” એ જ સાચે ને સચોટ ઉપચાર છે.' આ વાત એના અંતઃકરણમાં જચી જાય છે. આવે! મહાત્મા પાપાને પ્રતિક્રમે છે, પાપાને નિંદે છે, પાપાની ગર્હા કરે છે અને આત્માને પાપાથી અળગેા કરે છે. મન, વચન અને કાયાથી પાપ કરતા નથી અને ખીજાએ પાસે કરાવતા પણ નથી. આવા મનુષ્ય જ રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. સમતાભાવમાં સ્થિર રહી શકે છે. પ્રશમભાવમાં લીનતા અનુભવી શકે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૧
સમ=મધ્યસ્થ [ રાગ–દ્વેષરહિત ] આય=પ્રાપ્તિ.
સમ+ગાયતમાય મધ્યસ્થ ભાવની પ્રાપ્તિ થવી તે સામાયિક
સામાન્ય મનુષ્ય ‘ સામાયિક’ ના એક જ અથ સમજે છે, એ ઘઢીનું સામાયિક ! પર ંતુ એમ નથી, સામાયિકના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ
૧. શ્રુત સામાયિક.
૨. સમ્યક્ત્વ સામાયિક,
૩. દેશવિરતિ સામાયિક,
૪. સવિરતિ સામાયિક,
શ્રુત સામાયિક : ગીતા સદ્ગુરુએ પાસે વિનયબહુમાનપૂર્ણાંક સૂત્ર અને અ`તું જ્ઞાન પ્રાપ્ત કરવું.
સમ્યક્ત્વ સામાયિક : જિનભાષિત તત્ત્વા ઉપર દૃઢ શ્રદ્ધા. સુદેવસુગુરુ-સહુ પ્રત્યે અવિચલ શ્રદ્ધા.
દેશવિરતિ સામાયિક : પાપ પ્રવૃત્તિઓને આંશિક ત્યાગ. આ સામાયિક અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતાની અપેક્ષાએ અનેક પ્રકારનુ છે.
સર્વવિરતિ સામાયિક : સર્વ પાપપ્રવૃત્તિને સર્વથા ત્યાગ.
સામાયિક- ધની આરાધનામાં જેમ ખાદ્ય દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનુ મહત્ત્વ છે, એ અંગેના કેટલાક વિધિ-નિષેધા છે, તેમ ‘ભાવ’ની અગત્યતા પણ એટલી જ છે. એટલું જ નહીં, દ્રવ્ય-ક્ષેત્ર અને કાળના વિધિ નિષેધાની પાલના ‘ ભાવ” ની પ્રાપ્તિ માટે છે. એ મનેાભાવ ઉત્તરાત્તર વિશુદ્ધ વિશુદ્ધતર થતા જાય. આંતર-આનન્દની, આંતરસુખની નિરંતર વૃદ્ધિ થતી જાય. સામાયિકના ઉપાસક
Page #37
--------------------------------------------------------------------------
________________
૩
મહાનુભાવનું અંતઃકરણ સવ જીવે પ્રત્યેના મૈત્રીભાવથી નવપલ્લવિત અને. સવ` જીવા પ્રત્યે શુદ્ધ સ્નેહનું ઝરણું એના હૃદયગિરિમાંથી વહેતુ રહે. સામાયિક-કાળમાં તો એ મૈત્રીના ભાવ એટલેા બધા મધુર બની જાય... કે એની મીઠાશ શબ્દોમાં અભિવ્યક્ત ન થઈ શકે.
સામાયિક કરનાર પુણ્યાત્મા વૈર–વિરાધના કીચડમાં પેાતાના પવિત્ર ચરણાને ખરડાવા ન દે. ક્રાધ અને અભિમાનની ભડભડતી આગમાં પેાતાના કામળ હૃદયને સળગવા ન દે. સવમૈત્રીના પવિત્રતમ ભાવથી ભાવિત પુણ્યાત્મા હષધેલા ન બને, કે શાનિમગ્ન ન ખને. તિ–અતિ, હ–ઉદ્બેગ અને રાગ-દ્વેષનાં દ્વન્દ્વોથી અળગા રહે. એ દ્વન્દ્વોને પેાતાના આત્મા પાસે ફરકવા ન દે.
આ ભાવવિશુદ્ધિથી હૃદય પરમ પવિત્ર બને છે, ત્યારે જ્ઞાન–દન અને ચારિત્ર અલગ-અલગ નથી રહેતાં. ત્રણે એકરસ બની જાય છે. આ રત્નત્રયીની એકરસતા ‘શીખ’ડ’ જેવી બની જાય છે. એવી મધુરતા ! એવી સ્વાદિષ્ટતા !
'
સામાયિક એ આ શ્રેષ્ઠ માના અનુભવ તરફની અન્તર્યાંત્રા છે. પાંચ ઈન્દ્રિયાના અસંખ્ય વિષયે। તરફથી બાહ્યુ-યાત્રા સ્થગિત કરી દેવામાં આવે, તેા જ આ અન્તર્યાંત્રાને પ્રારંભ થઇ શકે. ૪૮ મિનિટનું ‘સામાયિક’ આ અન્તર્યાંત્રાની શરૂઆતનેા તબક્કો છે. ‘શ્રુત સામાયિક' એ અન્તયાર્બાની ‘ગાઇડ' છે. ‘સમ્યક્ત્વ સામાયિક’એ અન્તર્યાંત્રા માટે જરૂરી મનેખળ પૂરૂં પાડનારૂ પાવરહાઉસ ’ છે. દેશવિરતિ સામાયિક' અન્તયાત્રામાં આવતા ‘ગેસ્ટ હાઉસ ’ ‘રેસ્ટ
:
:
*
,
હાઉસ ’ છે. • સવિરતિ સામાયિક ' એ અન્તર્યાંત્રાને છેલ્લે પડાવ છે. એ પડાવમાં જ પેલા રત્નત્રયીની એકરસતા શ્રેષ્ઠ માને રસા
સ્વાદ અનુભવવાના હોય છે. ખસ, એ અનુભવ થયા...કે અન્તર્યાંત્રા પૂણ થાય છે.
つ
'
?
આ · સામાયિકમ''ની વિસ્તૃત ચર્ચા · વિશેષાવશ્યક ’ વગેરે
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૩
ગ્રન્થમાં કરવામાં આવી છે. મુખ્યતયા ૩૬ દ્વારેથી એ વિચારણું કરવામાં આવી છે. એ ૩૬ દ્વારને અહીં માત્ર નામનિર્દેશ જ કરૂં છું: ૧. ક્ષેત્ર ૨. દિશા ૩. કાળ ૪. ગતિ ૫. ભવ્ય ૬. સંસી ૭. શ્વાસોચ્છુવાસ ૮. દષ્ટિ ૯. આહાર ૧૦ પર્યાપ્તિ ૧૧. સુપ્ત–જાગ્રત ૧૨. જન્મ ૧૩. સ્થિતિ ૧૪. વેદ ૧૫. સંજ્ઞા ૧૬. કષાય ૧૭. આયુષ્ય ૧૮. યોગ ૧૯. શરીર ૨૦. જ્ઞાન ૨૧. ઉપગ ૨૨. સંસ્થાન ૨૩. સંધયણ ૨૪. અવગાહના ૨૫. લેશ્યા ૨૬. પરિણામ ૨૭. વેદના ૨૮. સમુઘાત ૨૯. નિર્જરા ૩૦. ઉદ્વર્તના ૩૧. આશ્રવ ૩૨. અલંકાર ૩૩. શયન ૩૪. આસન ૩૫. સ્થાન ૩૬. ચંક્રમણ. ક
વર્તમાનકાળે શ્રાવક-શ્રાવિકાઓ જે બે ઘડીનું સામાયિક કરે છે, તે અનેક ક્ષતિઓથી વિક્ષત થયેલું જોવામાં આવે છે. + કાયાના બાર દોષો ટાળવાનું દુર્લક્ષ્ય, વચનના દસ અને મનના દસ દોષ નિવારવાનું દુર્લક્ષ્ય! આ બેકાળજીના પરિણામે સામાયિકધર્મની પ્રતિષ્ઠા ઘટી છે. સામાયિક કરનારાઓમાં સમતા ભાગ્યે જ જોવા મળે છે. સામાયિકની ક્રિયામાં અવિધિ પ્રવેશી ગઈ છે. સામાયિકના કાળમાં પણ વિકથાઓ ચાલે ! ઊંઘવાનું ચાલે ! છીંકણી સુંઘવાનું ચાલે !” અનેક અયોગ્ય પ્રવૃત્તિઓ ચાલે... છતાં માને કે મેં સામાયિક કર્યું!'
સામાયિકધર્મની આરાધના કરનારા સ્ત્રી-પુરુષોના જીવનમાં જ્યારે કેઈ સારું પરિવર્તન જોવામાં નથી આવતું, ત્યારે તેઓ બીજા મનુષ્યોની દષ્ટિમાં “સામાયિકધર્મના પ્રભાવને ઝાંખું પાડે છે. સામા* આ ૩૬ દ્વારે ઉપર સંક્ષિપ્ત પણ સુંદર વિવેચન માટે વાંચો
“શ્રી સર્વજ્ઞકથિત પરમ સામાયિક ધર્મ 57
પ્રકાશક: શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળઃ અંજાર (કચ્છ) + આ ૩૨ દોષોની સમજણ મેળવવા પ્રસ્તુત ગ્રંથમાં પ્રકરણ
ધ્યાનપૂર્વક વાંચે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
વિકધર્મથી અપરિચિત મનુષ્ય જ્યારે અવિધિથી અને અવિવેકથી સામાયિકની ક્રિયા કરનારાઓને જુએ છે, ત્યારે તેમના મનમાં સામા યિકધર્મ અંગે કેઈ વિશેષ સદ્ભાવ કે એની ઉપાદેયતાને ભાવ જાગ્રત થતો નથી.
સામાયિકધર્મ અંગે વિશદ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ, સામાયિક ધર્મની આરાધના ખોડખાંપણ વિનાની કરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ આ પ્રસ્તુત ગ્રંથ “સામાયિક-વિજ્ઞાન” વાંચો જોઈએ. આ ગ્રંથના લેખક શ્રી ધીરૂભાઈએ સરલ ભાષામાં અને સમય શૈલીમાં સામાયિકધર્મને સમજાવ્યું છે. વીસ પ્રકરણોમાં તેમણે સામાયિક અંગેની સર્વાંગીણ વાતો કરી છે.લેખકની લેખનપ્રતિભાથી જૈન સમાજ અપરિચિત નથી. તેમણે અનેક વિષયો ઉપર સેંકડે પુસ્તક લખ્યાં છે. તાત્વિક અને શાસ્ત્રીય વિષયોને વિશદ કરવામાં તેમની “માસ્ટરી” છે.
તેઓએ પ્રસ્તુત ગ્રંથમાં પાન નં. ૮૧ ઉપર પ્રશ્નોત્તરીમાં સામાયિક કરનારની ઉંમર આઠ વર્ષ અને તેની ઉપરની.. બતાવી છે. તે સર્વવિરતિ–સામાયિક માટે બરાબર છે; પરંતુ તે સિવાયના ત્રણ સામાયિકની આરાધના તો આઠ વર્ષથી નાની ઉંમરનાં બાળકે પણ કરી શકે.
લેખકે લગભગ દરેક પ્રકરણમાં એક એક રસમય વાર્તા મૂકીને, સામાયિક-વિજ્ઞાન” જેવા ગહન વિષયને પણ સરલ અને સુબોધ બનાવી દીધું છે. મોટા ભાગના પ્રકરણમાં “પ્રશ્નોત્તરી ” મૂકીને લેખકે વિષયને ખૂબ જ રોચક બનાવ્યો છે. વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ગયેલા એવા આ શતાવધાની પંડિતજીએ “સામાયિક-વિજ્ઞાન” લખીને સ્વયં તે અનુપ્રેક્ષા–સ્વાધ્યાયને રસાસ્વાદ માણ્યું છે. સાથે જ, વિશાળ જનસમુદાયને સામાયિક-ધર્મ તરફ અભિમુખ કરવાને પુણ્ય
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૫
લાભ પ્રાપ્ત કર્યાં છે. આ સાડા—ચારસા પૃષ્ઠને ગ્રન્થ જે કાઈ અવગાહશે તેને સમતાની પ્રાપ્તિ થશે.
6
અશાન્તિ અને અજંપાથી ખદબદી રહેલી આજની દુનિયાને શાન્તિ અને સમતાની શીતળતા ૮ સામાયિક 'ની આરાધનામાં મળી શકશે. પ્રયોગાત્મક ભૂમિકાએ સામાયિક કરવું જોઈ એ. સમત્વની પ્રાપ્તિના લક્ષપૂર્વક સામાયિક કરવું જોઈએ. સામુદાયિક રીતે પણ • સામાયિક-પ્રયાગ ’ કરાવી શકાય. સામાયિકમાં ૧પ અને ધ્યાનના સુંદર પ્રયાગેા કરાવી શકાય. આથી અપૃ ચિત્તશાન્તિના અનુભવ કરાવી શકાય છે. · ગ્રીષ્મકાલીન જ્ઞાનસત્રે 'માં સેકડા વિદ્યાર્થીઓને મેં આ રીતે સામાયિક કરાવીને, જાપ-ધ્યાનના પ્રયાગ દ્વારા ચિત્તનાં સ્થિરીકરણ કરાવેલાં છે. કાલેજના વિદ્યાર્થીઓના અનુભવ છે કે આ રીતે સામાયિક કરવાથી તેમનાં મન ઘણાં નિળ બન્યાં છે.
'
પડિંત શ્રી ધીરૂભાઈ પ્રત્યે મારા હૃદયમાં સહજ સ્નેહ અને સદ્ભાવ રહે છે, કારણ કે તેએ મારી માનસિક–વિકાસયાત્રામાં સહાયક બનેલા છે. ‘ શતાવધાન ’ના પ્રયાગેાની દૃષ્ટિએ તે મારા ‘વિદ્યાગુરુ’ પણ રહેલા છે ! તેના ગ્રન્થ પર પ્રસ્તાવના ’ લખતાં મને આજે ખૂબખૂબ આનંદ થાય છે. તે હજી પણ આવા ઉત્તમ ગ્રંથેાની રચના કરી સ્વ–પરનું શ્રેય સાથે, એ જ અંતઃકરણની
*
.
એક કામના.
સંવેગર ગ–દાનપ્રેમ પાષધશાળા. ડભાઈ
આસા સુદ : ૧. વિ. સં. ૨૦૩૨,
મુનિ ભદ્રગુપ્તવિજ્ય.
Page #41
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સંસ્કારો રેડવા માટે
અધ્યાત્મની પુષ્ટિ કરવા માટે
સર્વાંગી વિકાસ સાધવા માટે
શતાવધાની પંડિત
શ્રી ધીરજલાલ ટોકરશી શાહનુ
રચેલું
પ્રાણવાન પ્રતિષ્ઠિત સાહિત્ય
અવશ્ય વાંચા
અને
બીજાઓને વંચાવો.
Page #42
--------------------------------------------------------------------------
________________
-
ર ર રહી
P
સમારોહના અધ્યક્ષ શ્રીમાનું દીપચંદ એસ. ગાડી
Page #43
--------------------------------------------------------------------------
________________
D
છે.
છે
.
છે
કી કીજી
છે
કરી
સમારોહના સ્વાગતાધ્યક્ષ શ્રીમાનું વસનજી લખમશી ઘેલાભાઈ
Page #44
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાન્ નારાણજી શામજી મેામાયા
Page #45
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાન્ ચત્તર’જન ડી. શાહ
( S. E. M.)
Page #46
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમતી સરલાબહેન સી. શાહ
Page #47
--------------------------------------------------------------------------
________________
સમારોહના અતિથિવિશેષ શ્રીમાનૂ કેશવલાલ સી. શાહ
Page #48
--------------------------------------------------------------------------
________________
સમારાહના અતિથિવિશેષ શ્રીમાન્ જયંતિલાલ રાજપાળ શાહ
Page #49
--------------------------------------------------------------------------
________________
3
0િ08
200
છે
જ કરી
સમારોહના અતિથિવિશેષ શ્રીમાન્ જવાહરલાલ મોતીલાલ શાહ
[ S. P. M. ]
Page #50
--------------------------------------------------------------------------
________________
સમારેહના પેટ્રન શ્રીમાનું દલીચંદ પૂનમચંદ શાહ બાલ્યાવસ્થામાં ધાર્મિક સંસ્કાર પામી આપબળે આગળ વધેલા રાજસ્થાન-શિરોહીના મૂળ વતની શ્રી દલીચંદભાઈ આજે કર્ણાટક-ગગના
ખ્યાતનામ વ્યાપારી છે અને જૈન સંધમાં પ્રતિષ્ઠાભર્યુ* સ્થાન ધરાવે છે. તેમનાં હાથે અનેક ધાર્મિક કાર્યો થયેલાં છે, તેઓ જૈન સાહિત્યના પ્રચારમાં પણ ઊંડો રસ લે છે અને અમને વખતોવખત પ્રોત્સાહન આપતા રહ્યા છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
સમારોહના મુખ્ય મંત્રી શ્રીમાન્ સુરેન્દ્ર એ. છેડા જેઆ
સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ રહ્યા છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
સમારોહના સન્નિષ્ઠ કાર્યકર શ્રીમાનું પ્રવીણચંદ્ર સી. શાહ જેઓ ધર્મપરાયણ ઉદાર વૃત્તિના છે અને અમારા દરેક સમારોહમાં ગ્રંથવેચાણ વિભાગ સંભાળે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
છે દિકરી છે.
કે જ
.
.
ગ્રંથલેખક અધ્યાત્મવિશારદ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ કરશી શાહ
Page #54
--------------------------------------------------------------------------
________________
*****************
× વંદના પહેલી
મમમ:
****
જેની સહાયથી આજ ગુ ધીમાં અનંત આત્માએ ભયંકર ભવારણ્યને
પાર પામી
સિદ્ધિસ્થાનમાં બિરાજ્યા, તે
સામાયિક યોગને અમારી ફિટ કટિ વંદના હૈ..
ભાનુકુમાર એમ. દોશી
તથા
મૃદુલાબેન બી. દેશી, વેલા બ્યુ, ૮ મે માળે, પ્રી-બ્લેક ન. ૪૩/૪૪ તારદેવ રાડ, મુંબઈ-૪૦૦૦૩૪.
***********
****
****************
Page #55
--------------------------------------------------------------------------
________________
XAVAVAVAALALALALALALAEX
* વંદના બીજી *
જેના આલંબનથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે
તથા
સંસારસાગરને પાર
પમાય છે,
૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭
સામાયિગને
અમારી કેટિ કોટિ-વંદના હો.
xalAVAVAVAVAVAVERCAVEVEAGAGLACA
વ, મગનલાલ કાલીદાસ દોશીના
મરણાર્થે કુટુંબીજને,
આશ્ચર્યકુંજ ગુરુનાનક રોડ, જામનગર (સૌરાષ્ટ્ર)
Page #56
--------------------------------------------------------------------------
________________
*********************************
****
*******************
≈ વંદના ત્રીજી
જેની સાધના
માનવ જીવનનુ સુંદર ઘડતર કરે છે
તથા
અપૂર્વ અધ્યાત્મિક અલ પ્રકટાવે છે, તે સામાયિક–ચેગને અમારી કોટિ કેડિટ વઢના હૈ.
સ્વ. સધરાજ નેમચંદ શાહુ
સ્વ. જીવીબાઇ સધરાજ શાહના
સ્મરણાર્થે કુટુંબીજનો,
પ્રભુનિવાસ, વજીર ફળી,
તથા
જામનગર
( સૌરાષ્ટ્ર )
****
********
******
****
Page #57
--------------------------------------------------------------------------
________________
CARE
૭.
૪ વંદના ચેાથી ઝ
જે જિનશાસનના સાર
તથા
આધ્યાત્મિક શક્તિઓને
પ્રકટાવવાનું સર્વોત્તમ
સુંદર સાધન છે,
તે
સામાયિક–ચેાગને
અમારી
કોટિ કેપ્ટિવક્રના હા.
સ્વ. પ્રભુલાલ સંધરાજ શાહનો
સ્મરણાર્થે કુટુંબીજનો, પ્રભુનિવાસ, વજીર ફળી,
જામનગર
( સૌરાષ્ટ્ર )
MAX
Page #58
--------------------------------------------------------------------------
________________
TAAAA
do do doAAAAAAAAAAL
૪ વંદના પાંચમી X
૨૦૦
જે આધ્યાત્મિક સાધનાને મૂળ પાયા છે
તથા
સ
યોગ પ્રણાલિકાઓને ઉત્તમ સાર છે,
તે
સામાયિક-યાગને
અમારી
કેડિટ કોટિ વંદના હા.
કાકિલાબહેન પ્રભુલાલ શાહ પ્રભુનિવાસ,
વજીરફળી,
જામનગર
( સૌરાષ્ટ્ર )
*$*D*D^D^D^D^Y^D^/......................................RINI
Page #59
--------------------------------------------------------------------------
________________
* વંદના છઠ્ઠી x
આરાધના કરતાં અધ્યાત્મની પુષ્ટિ થાય છે, ભાવનાઓ પ્રબલ બને છે
- તથા શુદ્ધ ધર્મધ્યાન ધરવાની
ક્ષમતા આવે છે,
સામાયિક–વેગને
અમારી કેટિ કેટિ વંદના હો.
અમૃતલાલ દેવશીભાઈ કોઠારી
છાયા” ૩ જો માળ, ૫૯૪–જામેજમશેદ રોડ,
માટુંગા મુંબઈ-૪૦૦૦૧૯
Page #60
--------------------------------------------------------------------------
________________
Y'VT1YYITYYYI[YII
* વંદના સાતમી *
ASS
જેની આરાધનાથી
અનુક્રમે શુકલ ધ્યાનના બીજા પાયે
પહોંચી ચારઘાતી કર્મને
ક્ષય કરવાપૂર્વક કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે,
NAYANWW.sxsxso ess.
સામાયિક–ગને
અમારી કેટિ કોટિ વંદના હે.
00
કલીક ઈન્ડસ્ટ્રીયલ એજીનીયર્સ
ચકલા,
અંધેરી, મુંબઇ-૪૦૦૦૬૯
(DADAJDAD
9
Page #61
--------------------------------------------------------------------------
________________
આ વંદના આઠમી ,
જેના
આરાધન વડે આશ્રવને નિરોધ થાય છે, સંવરની સાધના થાય છે,
તથા નિર્જરાને અતિ વેગ મળે છે,
સામાયિક-યોગને
અમારી કેટિ કેટિ વંદના હિ.
યુફાર્મા લેબોરેટરીઝ તેજપાળ સ્કીમ રેડ નં. ૫,
વિલેપાર્લે (ઈસ્ટ), મુંબઇ-૪૦૦૦પ૭ ટે. નં. ૫૭૨૪૭૧-૨
Page #62
--------------------------------------------------------------------------
________________
************:
*************************************
૪ વંદના નવમી
જૈન ધમે સમભાવની સિદ્ધિ માટે સામાયિકને
અગ્રતા આપી
અને તેના અપૂર્વ વિધિ અતાન્યે, તે જૈન ધર્મને
અમારી ટિ કોટિ વંદના હા.
શાંતિલાલ નાગરદાસ શાહ
વિશ્વમ‘ગલ હાઉસિંગ કુાં. લી. ૩૫-કોટ ચેમ્બર્સ, ચેાથેમાળે, ૪-ડી બ્લેક, સર વિઠ્ઠલદાસ ઠાકરશી મા સુબઇ-૪૦૦૦૨૦
************************************
******
******
Page #63
--------------------------------------------------------------------------
________________
XAFEVERLAYACAVEVAVAVACOEX
* વંદના દશમી *
*૭૭૭૭૩૭૭ ૭૭૭૭૭૭૭૭
જૈન ધર્મ અધ્યાત્મને ઉત્કૃષ્ટ વિકાસ કરનારું સામાયિક નામનું અનન્ય અનુષ્ઠાન
આપ્યું, તે જૈન ધર્મને
અમારી કોટિ કોટિ વંદના હે.
રમણીકલાલ મંગળદાસ શાહ
૩/સી, સુરેશ કેલેની, સ્વામી વિવેકાનંદ રોડ,
વિલેપા. મુંબઈ-૪૦૦૦૧૬
કરે ઉઉઉઉહ ઉછ કay
Page #64
--------------------------------------------------------------------------
________________
2: 22222
* વદના અગિયારમી ૫
એક
જૈન ધર્મ જગતના સર્વ જીવે
પ્રત્યે સમભાવ કેળવવાને આદેશ આપે
અને તેને સક્રિય બનાવવા માટે સામાયિકની સાધના | દર્શાવી, તે જૈન ધર્મને
અમારી કેટિ ટિ વંદના હે.
શકુતલાબહેન રમણીકલાલ શાહ
૩) સી, સુરેશ કેલોની, સ્વામી વિવેકાનંદડ,
વિલેપાર્લે, મુંબઈ-૪૦૦૦૧૬
એક છે
એક
ઝક
Page #65
--------------------------------------------------------------------------
________________
XALASVAVATAPERALATAEX
વંદના બારમી *
૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭
જૈન ધર્મ મન-વચન-કાયાને પવિત્ર બનાવવા માટે
તથા આત્માની સુષુપ્ત શક્તિઓને
જાગૃત કરવા માટે સામાયિક–ગનું પ્રતિપાદન કર્યું, તે જૈન ધર્મને
અમારી કેટિ કોટિ વંદના હે.
જયંતભાઈ માવજીભાઈ શાહ ૧૩૭–૧૯, કાલબાદેવીપેડ,
મુંબઈ-૪૦૦૦૦૨ ટે. નં. ૩૧૧૫૪૪
Page #66
--------------------------------------------------------------------------
________________
S L
YIYIYIYIYIYIYTYY OMG09GWĀMA
IST
* વંદના તેરમી *
999999
DRD
BUDDEERDERENDURO DONNNNNNNNNNNMYYYYYYS
જૈન ધર્મ શ્રુત–સામાયિક સમ્યકત્વ-સામાયિક, દેશવિરતિ–સામાયિક
અને સર્વવિરતિ–સામાયિકની
ભવ્ય ભેટ આપી માનવ માત્રની મુક્તિનો માર્ગ
ખુલ્લે કર્યો, તે જૈન ધર્મને
અમારી કેટિ કેટિ વંદના હે.
IST
ફાઈબર ગ્રુપ કોરપોરેશન ૩૭૭-બી, જગન્નાથ શંકર શેઠ રેડ,
ચીરા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨ ટે. નં. ૩૧૮૧૬૯
55555
TATT
Page #67
--------------------------------------------------------------------------
________________
* વંદના ચૌદમી
જૈન ધર્મ
મનુષ્યના વિચાર, વાણી અને વર્તનને સુસંસ્કારની સૌરભ
આપવા માટે સામાયિક-ગની
પ્રરૂપણું કરી, તે જૈન ધર્મને
અમારી કેટિ કોટિ વંદના હે.
ઝવેરચંદ ભુરાભાઈ ઝવેરી [ સિલ્વર મ્યુઝિયમવાળા ! ર૨૯શેખમેમણ સ્ટ્રીટ,
ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨ ટે. નં. ૩૨૬૧૩૦
>
>
>
>
>
>
>
Page #68
--------------------------------------------------------------------------
________________
DD 1 2 LAD PADALAJ ADALLOADD SATELLS ' XY5CY YYYYYYYYYYYY / YYYY , , ;Y
* વંદના પંદરમી *
YYYY. Y
in
I
જિજિજિજિજિજYSTORE
જૈન ધર્મ માનવને મહામાનવ
અને મહામાનવને પુરુષોત્તમ
બનાવવા માટે
સામાયિક રૂપી દિવ્ય રસાયણ આપ્યું, તે જૈન ધર્મને
અમારી કેટિ કોટિ વંદના હે.
KAJAL YYYYYYY
રમણલાલ નગીનદાસ પરીખ
જયંતમહાલ, ૪ થે માળે,
ચર્ચગેટ “ડી” રેડ, મુંબઈ-૪૦૦૦૨
SAN
75
EyY
TWITT LAKUL
Page #69
--------------------------------------------------------------------------
________________
જ વંદના સાળમી X
જૈન ધર્મ વિષમતાને વારવા માટે, સમત્વને સિદ્ધ કરવા માટે
તથા અનંત સુખની પ્રાપ્તિ માટે સામાયિકનું આયોજન
તે જૈન ધર્મને
અમારી કેટિ કોટિ ના હે.
બેન ચંપાબેન પ્રેમજી તથા રળિયાત બેન
પાનાચંદ ચેરીટી ટ્રસ્ટ. હા. ટ્રસ્ટી શ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાણી
ફીરદેશ, ૨ જે માળે,
૫૬-મરીનડ્રાઇવ, મુંબઈ-૪૦૦ ૦૨૦
Page #70
--------------------------------------------------------------------------
________________
* વંદના સત્તરમી *
જૈન ધર્મ સામાયિક-ગની
સિદ્ધિ કરનાર અરિહંતને અગ્રતા આપી
અને તેમની અનન્ય ઉપાસના કરવાનો આદેશ આપે, તે જૈન ધર્મને
અમારી કેટિ કેટિ વંદના હૈ.
કાટ તપગચ્છ મૂર્તિપૂજક શ્વેતાંબર
જૈન સંઘ વેરા બજાર, ફેટ, મુંબઈ-૪૦૦૦ ૮ ૧
Page #71
--------------------------------------------------------------------------
________________
XALAVAVAVAVAVACACACGVESEX
* વંદના અઢારમી *
જૈન ધર્મ અસાર સંસારના સારરૂપે ધર્મની રજૂઆત કરી
અને તેના યથાર્થ પાલનમાં
માનવજીવનના કર્તવ્યની ઇતિ બતાવી,
૭૩૭૭૭૭ 89 ફક૭૭૭૭૭
X Veeve GVGVEG EGZAEVAVEGVEZAVEGVEGVAVOV
જૈન ધર્મને
અમારી કેટિ કોટિ વંદના હે.
છેડા જવેલરી માટે મુંબઈ-૪૦૦૦૦૩
Page #72
--------------------------------------------------------------------------
________________
************************************
******************
વંદના એગણીસમી
જૈન ધર્મ અહિંસાને અગ્રપન્નુ આપ્યુ અને જીવનની પ્રત્યેક ભૂમિકામાં તેના
અમલ કેમ કરવા ?
******
તેનુ પદ્ધતિસર શિક્ષણ આપ્યું, તે જૈન ધર્મોને
અમારી કેટિ કોટિ વંદના હા.
નંદુ સ્ટાસ
સ, પ્રેમજી કુંવરજી ન૬ કચ્છ લાહાણા હાઉસ, ૬૯-એચ, મઝગાંવ રેડ, મુંબઇ-૪૦૦૦૦૧૦ 2. ન. ૩૯૫૦૩૯
*****
************
********
Page #73
--------------------------------------------------------------------------
________________
XALALALALALALALALALAREX
% વંદના વીસમી .
જૈન ધર્મ
જીવનના સર્વાગી વિકાસ માટે
સંયમની અત્યંત આવશ્યકતા સ્વીકારી
અને
૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૪
તેના વિવિધ અંગોને વિશદ વિકાસ કર્યો, તે જૈન ધર્મને
અમારી ડેટિ કેટિ વંદના છે,
VAVALLAVAVAVAVEGVEEVAVAVAVAVAVAVAVAVAVEX
દલાલ જગદીશ રેડીંગ કુ.
તથા દલાલ દીપકકુમા૨ શામજી એને ફાં
૧૩૬/૧, કબૂતરખાના ખા બજાર, શાહપુર, અમદાવાદ
તથા ઠા. ટોકરશી દેવચંદ એન્ડ કુ.
૨૩–ચી ચબંદર મુંબઇ-૪૦૦ ૦૦૯
Me૭૭૭૭૭૭૭
Page #74
--------------------------------------------------------------------------
________________
BJELL 1130 13130 LLLMALAD
* વંદના એકવીસમી *
જૈન ધર્મ
માનવજીવનની બાહ્ય-અત્યંતર શુદ્ધિ માટે તપની ઘોષણા કરી
તેનું મહાવિજ્ઞાન વિકસાવ્યું,
— www
જૈન ધર્મને
અમારી કેરી કેટી વંદના હો.
- - - — —
છાડવા ટ્રાન્સપોર્ટ કુ.
બાલાજી ભવન, સાયન એ રોડ,
ચેમ્બરનાકા, મુંબઈ-૪૦૦૦ ૭૧
-
Page #75
--------------------------------------------------------------------------
________________
> વંદના બાવીસમી
જૈન ધર્મ મિથ્યાત્વને મહારગ
હિણવા માટે સમ્યકત્વ-સુધાનું વર્ષણ કર્યું
અને અનંત આત્માઓને મુક્તિના મંગલમય માગે
ચડાવ્યા, તે જૈન ધર્મને
અમારી કેટિ કેટિ વંદના હો.
વિજય ટ્રાન્સપોર્ટ કો. ૯/૧૦૧, કેશવજી નાયક રેડ,
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૫૩૧-૩૨.
Page #76
--------------------------------------------------------------------------
________________
TARA
0
૪ વંદના ત્રેવીસમી
જૈન ધર્મ
જડ અને જીવની જુદાઈ જણાવી
તથા
સમ્યગજ્ઞાનની વૃદ્ધિ કરવા માટે
નવ તત્ત્વની પ્રરૂપણા કરી, તે જૈન ધર્મને
અમારી
કેડિટ કેડિટ વંદના હેા.
રામજી ભવાનજીની કુ. ૨૫૨-૨૫૬, નલબજાર, મુંબઈ-૪૦૦૦૦૩
ટે. નં. ૩૩૮૨૭૮
*<><><><><><«^.^^. ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈
ARABADALUNDULANZA
Page #77
--------------------------------------------------------------------------
________________
જ વંદના વીસમી 4
જૈન ધર્મ ચારિત્રનું સુંદર ઘડતર
કરવા માટે આશ્રવ-નિરોધ રૂપી સંવરને સુંદર માર્ગ
બતાવ્યું અને તેના સાવન જેની
પ્રરૂપણ કરી, તે જૈન ધર્મને
અમારી કેટિ કોટિ વંદના હો.
હીરજી કોરશીની કું, ૧૭૬–૭૮, ઓરકાઈન રેડ.
નલબજાર, મુંબઈ-૪૦૦૦૦૩ ટે. નં. ૩૩૨૩૧૬
Page #78
--------------------------------------------------------------------------
________________
* વંદન પચીશમી જ
ઝઝઝ 2-
22222222222222222222222
શુકલ ધ્યાનરૂપો કલાસગિરિમાં વાસ કરનાર
તથા ત્રિપદીરૂપ ત્રિશલને
ધારણ કરનારા મહાદેવ – સ્વરૂપ જિન ભગવતેને
અમારી કેટિ કોટિ વંદના હૈ,
લગ્ન માટે એક
એક
હર્યા પ્રીન્ટરી ૧૨–ડૉ. મહેશ્વરી રેડ, સર્વોદય કેન્દ્ર બીલ્ડીંગ, મુંબઈ-૪૦૦૦૦૦ટે. નં. ૩૩પ૬૮૮
કk :
Page #79
--------------------------------------------------------------------------
________________
૪ વંદના છવીશમી X
જન્મ, જરા અને મરણની ભીષણ શ્રૃંખલા ભેદીને
અક્ષય – અમરપદે
આર્દ્ર થનારા
જગન્નાથ
જિનેશ્વરદેવાને
અમારી
કેટિ કોટિ વંદના હૈ.
જવાહર મેડીકલ એન્ડજન લ સ્ટીસ
૯૯-૧૦૧, કેશવજી નાયક રેડ, દુકાન ન. ૪-૫, મુંબઇ-૪૦૦૦૦૯,
ફેશન : ૩૩૪૬૧૪, ૩૩૬૦૮૩.
NANNINX
Page #80
--------------------------------------------------------------------------
________________
* વંદના સત્તાવીશમી કે
અજ્ઞાનના ઘેરા પટેલે ભેદીને અનન્ય અપ્રતિહત
જ્ઞાનનો પ્રકાશ પ્રકટાવનારા જ્ઞાનમાર્તડરૂપ જિનરાજોને
અમારી કોટિ કોટિ વંદના હો.
સમગ્ર
બોમ્બે ફાઈબર ઈન્ડિસ્ટ્રીઝ લીમીટેડ
૨૦૨, શારદા ચેમ્બર્સ,
ન્યુ મરીન લાઈન્સ,
મુંબઈ-૪૦૦૦૧૦. ફેન : ૨૫૪૦૩૩, ૨૫૧૮૬૨, ૩૧૭૧૨૧.
કડક
Page #81
--------------------------------------------------------------------------
________________
3 વંદના અઠ્ઠાવીશમી રૂમ,
૭૭૨૭૭૩૭૭૭૭૭૭૭૭૭૭૭
સમસ્ત કાલેકના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન
સર્વભાવને યથાર્થપણે પ્રકાશનારી સર્વજ્ઞ દેવાધિદેવ પરમાત્માને
અમારી કેટિ કોટિ વંદના હે.
KಳಿಗೆಅಅಅಅಅಅಅಅಅಅಅಅಅಅಅX
છેડા જનરલ સ્ટોર્સ
- તથા છેડા મેડીકલ સ્ટોર્સ મહાત્મા ગાંધી રોડ, - ઘાટકેપર, મુંબઈ-૪૦૦૦૭૭ ફેન : પર૮૭૪૪
૪૭૭૭૭૭૭૭૭૭૩૭*
Page #82
--------------------------------------------------------------------------
________________
P
MYYYYYYYYYYYYYYTYTYYNYOYOY POD.
OPADA DAVAO
* વંદના ઓગણત્રીશમી
શમરસરૂપી
સ્નાને
g99s999
TITUTTITICS(IST
સર્વત્ર
RODAY
છંટકાવ કરનારા નિષ્કલંક અને સદદિત
એવા શ્રી જિનચંદ્રને
અમારી કોટિ કોટિ વંદના હ.
(SATTAKE
YYYYYYYYyy Awwwwwww
શાહ ટ્રાન્સપોર્ટ કુ. ટ્રાન્સપોર્ટ કેન્સેકટર્સ ,
આગ્રા રેડ, ઘાટકોપર નાકા,
મુંબઈ-૪૦૦૦૮૬ ફોન : ૫૮૩૨૩૭, ૫૮૩૦૬૪.
TOYOVO
NLRIRULLALLA ADDAL
Page #83
--------------------------------------------------------------------------
________________
* વંદના ત્રીશમી *
સન્માર્ગના અનુસરણપૂર્વક
વિરતિના વિમલપંથે વિચરવાની પ્રબલ પ્રેરણા કરનાર
જગદ્ગુરૂ
જિનેશ્વર દેવેને
અમારી કેટિ કેટિ વંદના છે.
વીરચંદ મેઘજી થોભણ
ગીલ કાં (પ્રા.) લી. એન. ટી. સી. હાઉસ, ૨ જે માળે, ૧૫–નરોત્તમ મેરારજી માર્ગ,
બેલાઈ એસ્ટેટ, મુંબઈ-૪૦૦૦૩૮
Page #84
--------------------------------------------------------------------------
________________
AJ DAKLKA
KADASADASA ATDADA ADAJ 12 A
4. . . * ૫૮: 2; , ,
'2
છે
# SepteX
* વંદના એકત્રીશમી .
8
જીવનપથને જ્યોતિર્મય બનાવવા માટે
ધર્મરૂપી અખંડ દીપક પ્રકટાવનારા
પ્રદ્યોતકર મહાપુરુષને
અમારી કેટિ કેટિ વંદના હે.
see
51 LLLLL
જજY YYYYYYYYYYYYYYYYYYYY ANY )
999
બી. વિજયકુમાર એન્ડ કુ. મહેતાભુવન, ૬ઠે માળે,
૩૧૧–૨ની રેડ, મુંબઈ-૪૦૦૦૦૪
YeYSY SY TY/VTV UP R OX DIA
YYYYYYYYYYYYYES
Page #85
--------------------------------------------------------------------------
________________
ૐ વંદના ખત્રીશમી
મિથ્યાત્વના મહારાગન
હણવા
સભ્યસુધાનું સતત
વણુ કરનારા જિનરૂપી મહામેઘને અમારી
કોટિ કોટિ વંદના હૈ..
બી. અરુણકુમાર એન્ડ કાં પ્રસાદ ચેમ્બર્સ, ૧૬ મે માળે, બ્લેક નં. ૧૬૧૬
ટાટા રોડ ન. ૨
એપેરા હાઉસ, મુંબઇ-૪૦૦૦૦૪. ટે. નં. ૩પ૩૬૭૧-૭૨-૭૩
<>>><
Page #86
--------------------------------------------------------------------------
________________
32:
* વંદના તેત્રીશમી :
પ્રશસ્ત પ્રરૂપણા વડે
જીવ અને જડની જુદાઈ જણાવનારા
અને ચેતનની ચીનગારીમાં સમ્યગ જ્ઞાનને પ્રકાશ પૂરનાર
- મહાતત્વસૃષ્ટા શ્રી અરિહંત દેવેને
અમારી કેટિ કેટિ વંદના હે.
જગદીધી અને
આર. રમેશચંદ્ર એન્ડ કુ. ૭૧૭–પ્રસાદ ચેમ્બર્સ, ૭ મે માળ, સ્વદેશી મિલ કમ્પાઉન્ડ,
ટાટા રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ટે. નં. ૩૮૮૩૯૩.
એક ઝરી
Page #87
--------------------------------------------------------------------------
________________
道
છે તે અ
તેલ = • = = વંદના ચેાત્રીશમી
આત્મશુદ્ધિના
અપૂર્વ અનુષ્ઠાન ચાજીને મુમુક્ષુઓનુ
મહા કલ્યાણ કરનારા
શ્રમણનાયક
વીતરાગ દેવાને
અમારી કોટિ કોટિ વંદના હૈ..
ખુમદ રતનચંદ શાહ રતનચદ જોરાજીની કાં.
૨૧૯-ગુલાલવાડી,
મુંબઇ-૪૦૦૦૦૨
ટે, ન', ૩૩૨૭૨૮, ૩૩૫૨૩૩
કરે છે ને ધરે ધરે ક
AGA
Page #88
--------------------------------------------------------------------------
________________
પર રાજ
કરે
છે
* વંદના પાંત્રીશમી
શ્રી જિનેશ્વર દેવે અને પૂજ્ય ગુરુ ભગવંતની
અસીમ કૃપાથી સર્વને પીડિતની સેવા કરવાને, દીન-દુઃખનાં આંસુ લૂછવાને,
દયા ધર્મના પાયારૂપી અનુકંપાને માર્ગ પ્રાપ્ત થાઓ.
આવા પરમેપકારી
દેવ-ગુરુને અમારી વારંવાર વંદના હે.
- એક એક એક
+
+
-
1
૨
:
સ્વ. પૂજ્ય દીવાળી મા પરિવાર મુંબઈ-૪૦૦ ૦૨૦
Page #89
--------------------------------------------------------------------------
________________
.
XAVALAVAVAVAVAAVALEA CAVEX
* વંદના છત્રીસમી
અહિંસાની અપૂર્વ સિદ્ધિ વડે વૈરવૃત્તિના વિષમ તરંગનું નેહ અને સભાવમાં પરિવર્તન કરનારા મહા ધર્મદેશકોને
અમારી કોટિ કોટિ-વંદના હે.
AAALALALALAVAVCEVA CATALACALAVACATAEX
VEQVANOVEGVEGVEEVARVAVAVAVALLAVALAVE:
બાબુભાઈ નરોત્તમદાસની કાં.
૩૦૮–નત્તમ નિવાસ, જાવજી દાદાજી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૭ ટે. નં. ૩૬૩૨૮૪
Page #90
--------------------------------------------------------------------------
________________
ADITIVITY) IDHYAYIKIYIYA)
DODAU ADA
LADALAL SYSeco
YYYYY
Aj
* વંદના સાડત્રીશમી /
0
(
wdsssssssssssssss
ITTS
અદ્ભુત અતિશય વડે સર્વ ઈતિ–ભીતિઓને
નાશ કરીને મગલમાલાને વિસ્તાર કરનારા
સંત શિરોમણિ અરિહંત ભગવંતને
અમારી કેટિ કોટિ વંદના હે.
-
TITLE
નંદલાલ રૂપચંદ શાહ
તથા ધીરજબહેન નંદલાલ શાહ
નંદનવન ૨૯-કેન્ડઝ સેસાયટી, જુહુ, મુંબઈ-૪૦૦૦૧૬.
YAAN
OTOS TORRORISE
Page #91
--------------------------------------------------------------------------
________________
* વંદના આડત્રીશમી ઝ
મરણના ભયથી હતાશ થયેલા
અને શક-સંતાપથી રીબાતા
જગતના પ્રાણીઓને અનન્ય શરણ આપનારા
લેકનાથ જિનેશ્વરદેવને
અમારી કેટિ કેટિ વંદના હો,
પ્રભાબેન નાથાલાલ પરીખ સાઈનારા’ ૩૧, ૩જે માળે,
૧૭–કફપરેડ,
બઈ-૪૦૦૦૦૫ ઘરન્ટે. નં. ૨૧૧૧૩૨
Page #92
--------------------------------------------------------------------------
________________
છે.
, ,
.
. .
.
. .
.
. .
.
.'
's
!
!
.
.
.
'
'
* વંદના ઓગણચાલીશમી *
*
A
ભવારણ્યમાં ભટકી રહેલા
પ્રાણીઓને સાચે માર્ગ દર્શાવી
શીવ્ર સિદ્ધિસદનમાં લઈ જનાર
મહા સાર્થવાહરૂપ અરિહંત દેને
અમારી કેટિ કેટિ વંદના હે.
શાહ હરિલાલ મૂલચંદ ઠે. ભુપેન્દ્રકુમાર એન્ડ કું. મણિભુવન, ૨ જે માળે,
લેહારચાલ, મુંબઈ-૪૦૦૦૦૨ ટે. નં. ૨૫૧૭૯
Y
FY Y
YYYYY) SY
Page #93
--------------------------------------------------------------------------
________________
* વંદના ચાલીશમી *
પ્રશમરસ–નિમગ્ન મુદ્રાના દર્શન માત્રથી અદ્દભુત શાંતિ
અને અપૂર્વ સમતાને અનુભવ થાય છે,
વીતરાગ દેવને
અમારી કેટિ કોટિ વંદના હો.
ધરણીધર ખીમચંદ શાહ મનીષ એકસપિટસ (પ્રા.) લી. માંગરેલ મેન્શન, ૧લે માળે,
ગનબાવ સ્ટ્રીટ, પ. એ. બ. ૧૭૩૭, મુંબઈ-૪૦૦૦૦૧. ટે. નં. ૨૬૫૪૩
Page #94
--------------------------------------------------------------------------
________________
* વંદના એકતાલીશમી *
કાગ
જેની ભકિત સર્વ પ્રકારના ભયેનું ભંજન કરનારી છે
અને સર્વ મનોરથ પૂર્ણ
કરનારી છે,
જિનેશ્વર દેવને
અમારી કેટિ કોટિ વંદના હે.
કલાકાર સરકઝક કરો માત્ર એક એક
=======ાત્રાના ઝાડના ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઃ
પાર આણંદ એન્ડ સન્સ
–ચચ બંદર, પિ. બો. નં. ૫૦૪૩, મુંબઈ-૪૦૦૦૦૮ ટે, નં. ૩૩૧૫૬૫
કરવા
&
2
%
Page #95
--------------------------------------------------------------------------
________________
ક વંદના બેંતાલીમ .
જેમની અનન્ય આરાધના કરતા પાપને પુંજ પ્રજલે છે,
- તથા
સર્વ કર્મો ક્ષીણ થાય છે,
પરોપકારી અરિહંત દેવેને
અમારી કોટિ કોટિ વંદના હે.
ધીરજલાલ એન્ડ કું. ૩૦ ૦૩, તારદેવ રેડ,
નાનાક, મુંબઈ-૪૦૦૦૦૭ ટે, ન. ૩૬૬૭૭૪, ૩૬ઠ્ય૩૦
Page #96
--------------------------------------------------------------------------
________________
************************************************
વંદના તેતાલીમમાં
જેમણે માનવજીવનના
ઊંચામાં ઊ ંચે આદર્શ
રજૂ કર્યાં અને
સુખની સર્વોત્તમ સ્થિતિ સંપાદન કરવાની કલા દર્શાવી,
તે લેાકનાયક
જિન ભગવ તાને
અમારી કેટિ કોટિ વંદના હા.
સ્વ, શ્રી કાન્તાબહેન ઉત્તમચક્ર વાર ના રમરણાર્થે
પૂના મેટર ગુડ ટ્રાન્સપોર્ટ પૂના
********************
****************
Page #97
--------------------------------------------------------------------------
________________
XACATATAVAVALALALALALAEX
* વંદના સુમાલીશમી *
જેમનું રૂપ અપૂર્વ છે, લાવણ્ય અનુપમ છે,
અને જ્ઞાન અપરિમિત છે,
૭૭૭૭૭૭૭૩૦૦૦૭૭૭૭૭૭
ત્રિભુવનનાથ અરિહંત પરમાત્માઓને
અમારી કેટિ કોટિ વંદના હો.
હરકુંવરબેન નંદલાલ દોશી
૨૩-લીલાનિવાસ, લખમશી નપુરેડ,
માટુંગા, મુંબઇ-૪૦૦૦૧૯ ટે. નં. ૪૭૪૭૪૮
મહ૭૭૭૭૭૭૭૭૭૭
Page #98
--------------------------------------------------------------------------
________________
TYTYTYY
STS
કરછ
* વંદના પીસ્તાલીશમી
જેમણે ચૌદ રાજલેકમાં રહેલા | સર્વ જીને મિત્ર માનવાની હાકલ કરી
અને સર્વ ગુણીજનેને જોઈ
પ્રમોદ પામવાની અણમોલ શિક્ષા આપી,
ISTOCROSOPPIRછ99RE
જગદ્ગુ, જિનેશ્વર દેવને
અમારી કેટિ કેટિ વંદના હે.
કે. ચંદ્રકાન્ત એન્ડ કાં.
૩૦૭-મહેતા ભવન, ૩૧૧-ચની રેડ, મુંબઈ-૪૦૦૦૦૪ ટે. નં. ૩૮૬૦૬૮
Page #99
--------------------------------------------------------------------------
________________
* વંદન છેતાલીશમી
અનંત જ્ઞાન તથા શક્તિના સ્વામી, પરમજ્યોતિ સ્વરૂપ, સર્વજ્ઞ અને સર્વદેશી
એવા તીર્થંકર પરમાત્માઓને
અમારી કેટિ કેટિ વંદના હે.
ગીતાંજલિ એકસપર્ટસ કોરપોરેશન
૮૦૧-પ્રસાદ ચેમ્બર્સ, ક્ષિી સીનેમા પાસે, મુંબઈ-૪૦૦૦૦૪ ટે. નં. ૩૫૮૯૦૩
Page #100
--------------------------------------------------------------------------
________________
^ & * ૪+
ૐ વંદના સુડતાલીશમી
।।
TA
જેમનુ
નામ સ્મરણ સ ભર્યાના નાશ કરનારુ છે, જેમનુ
પૂજન સર્વ સિદ્ધિઓને
આપનારુ છે. અને જેમનુ
ધ્યાન આત્માની અનંત શક્તિને પ્રકટાવનારું છે, તે પતિતપાવન
અરિહંત દેવાને
અમારી કેડિટ કોટિ વંદના હા.
ચપ્રભસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ
પ્રાર્થના સમાજ, ચની રોડ,
મુંબઈ-૪૦૦૦૦૪
WRON
wwww ww w WN NL NELA DENTAISAIAKKAAMMMA
Page #101
--------------------------------------------------------------------------
________________
* વંદના અડતાલીશમી
જેમની
અનન્ય મને
સેવા-ભક્તિ-પૂજા કરનારને
આ લેાકની સ` વસ્તુએ તેમજ
પરલેાકનાં સર્વ સુખા
અવશ્ય મળે છે,
તે જગદીશ્વર
જિન ભગવ તાને
અમારી
કેટ કેટિ વંદના હેા.
જયસુખલાલ કામદાર ડામરના વેપારી
પેા. એ. ન. ૧૬૮ ઝરીઆ
( ડી. ધનખાદ-બિહાર )
Page #102
--------------------------------------------------------------------------
________________
AAAAAFZ********************
********
U
૪ વંદના આગણુપચાશમી
જેમના
પરમ પ્રભાવ આગળ
કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન કે કામકું ભ કઇ વિસાતમાં નથી, તે અચિંત્ય માહાત્મ્યશાલી
જિનેશ્વર દેવાને
અમારી ક્રેડિટ કેડિટ વઢના હૈ.
મેાતીલાલ વીરચ’દ શાહે માલેગાંવ માલેગાંવ ( ડી. નાશિક )
*************************
**********************
Page #103
--------------------------------------------------------------------------
________________
INTI
યોગીશ્વરની અપૂર્વ ખ્યાતિ પામેલા છે
અને
સમાધિના સમુદ્રમાં
લીન છે
તથા પરમાત્મપદને અનુભવ કરી રહેલા છે,
અરિહંત દેવેને
અમારી કોટિ ફેટિ વંદન. હે.
પનાલાલ કસ્તુભાઈ શાહ
લક્ષ્મીનિવાસ, શાહીબાગ રેડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪
Page #104
--------------------------------------------------------------------------
________________
૪ વંદના એકાવનમી પ્ર
જેમની
વાણી મંત્રરૂપ છે, જેમના વિચારમાં વિજ્ઞાનભર્યું છે અને જેમના ઉપદેશમાં અમીરસની એકસરખી ધારા વહે છે, તે
પરમગુરુ જિનેશ્વર દેવાને
અમારી કેડિટ કટિ વંદના હૈ.
નટવરલાલ એમ. શાહ અને
લલિતા નટવરલાલ શાહ
અડવાકેટ હાઇકોટ, એડવાઇઝર, બુલાખીદાસ બીલ્ડીંગ, બીજે માળે,
વિઠ્ઠલદાસ રોડ, સુઈ-૪૦૦૦૦૨ 2. ન. ૩૧૦૫૨૪
Page #105
--------------------------------------------------------------------------
________________
26:26:436363
3625EઉદE
* વંદના બાવનમી .
-
-
જેઓ
કર્મરૂપી વાદળના સમૂહથી | મુક્ત છે,
તથા સહસ સૂર્યથી પણ અધિક
તેજસ્વી
અને સર્વ લેકને ઉદ્યોત
કરનાર છે,
જિનેશ્વર ભગવતેને
અમારી કેટિ કેટિ વંદન હે.
દલાલ શાહ પોપટલાલ શીવજીની કુ. –રાંભીયા હાઉસ, ૧લે માળે.
ચીંચબંદર, મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૫૧લ્ય
Page #106
--------------------------------------------------------------------------
________________
DAS AS CAVAVAVAVAVAEVALEO
* વંદના ત્રેપનમી x
ૐકાર સ્વરૂપ છે, હીકાર દ્વારા વ્યક્ત થાય છે, અ બીજથી અલંકૃત છે,
તથા મંત્રસમૂહના
શક્તિરૂપે વિરાજમાન છે,
98988299899
અહંદુ ભગવંતેને
અમારી કેટિ ટિ વંદના હે.
KAVOVAVAVAVATARGERVEEVOG AVGVE:AVEVO
નવીન સી. શાહ
શ્યામસદન” ૮૫-મરીનડ્રાઈવ, મુંબઈ-૪૦૦૦૦૨ ટે. નં. ૨૯૭૦૯૬
Page #107
--------------------------------------------------------------------------
________________
* વંદના ચોપનમી *
જેમણે મૈત્રીભાવથી વિશ્વને
વ્યાપ્ત કર્યું, પ્રમેદભાવનાને સર્વત્ર
વિસ્તાર કર્યો, કારુણ્ય ભાવનાનું અનુપમ દષ્ટાંત પૂરું પાડ્યું.
તથા માયસ્થ જમાવનાનું સતત સેવન કરીને સમભાવની સિદ્ધિ કરી.
AAAAAAAG
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ વંદન. હા.
શાન્તાબેન વાડીલાલ દોશી
વાડીલાલ શીવલાલ દાસી
અનંત બીલ્ડીંગ, ૨૧૭–પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨
ST
Page #108
--------------------------------------------------------------------------
________________
IT'S ATMIYYYYYY) & Y . . . . # જે છે એ
S
50 (TIYA, C
A 9
'
11TH
»
ના પંચાવન :
જેમની મધુર ધર્મદેશનાએ
હૈયાનાં મિથ્યાત્વને મંલ ધોઈ નાખે, કવાયરૂપી કાદવને દૂર કર્યો,
તથા સમ્યકત્વ-સુધાની વર્ષા કરી,
YYYYYYYYYYYYYYYYYYYYYYYY)
10.11/11) RYSYA
મહાન ઉપષ્ટ શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ વંદના હે.
MAXMAYYALALA NANANANANANANATION
મિકાત હિંમતલાલ મોદી
દેવેન
Bળતા
છે.
જમીના - સતિ સોસાયટી, લેક નં. એ, ૩૫-કામાગલી,
ઘાટકૈાપર, મુંબઈ-૪૦૦૦૮૬
SYLY.
YYYYYYYY
Page #109
--------------------------------------------------------------------------
________________
Gavana
જ વંદના છપ્પનમી જ
જેમનાં પાવન પગલે સર્વ પ્રકારના અપાયેનું ' ઉપશમન થયું,
તથા આનંદ-મંગલની અપૂર્વ
વૃદ્ધિ થઈ,
čocessedecesucesoesoesscesce
પરમ કલ્યાણકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી કેટિ કટિ વંદના હે.
cercevescence
કાંતિલાલ ખોડીદાસ શાહ
જે. કે. બ્રધર્સ ૩૯૧-એચ. ગ્રાન્ટ રોડ, લેકમાન્ય ટિલક મારકેટ, (વી. જી. મારકેટ) મુંબઇ-૪૦૦૦૦૭
Seo
Page #110
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
STDru
Page #111
--------------------------------------------------------------------------
Page #112
--------------------------------------------------------------------------
________________
રહી અહૈ નમ:
[ 1 ]. સામાયિકને મહિમા
સામાયિક એ જિનશાસનની મહામહિમાશાલી વસ્તુ છે. તીર્થકરદેવેએ તેને આશ્રય લીધે હવે, ગણધર ભગવંતએ તેને આશ્રય લીધે હતા અને મહામના મુનિવરોએ પણ તેને આશ્રય લીધો હતે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે ય વર્ગ માટે સામાયિક વિહિત મનાયું છે, કારણ કે તેના આરાધન–અનુષ્ઠાનથી જૈન ધર્મના ઉદ્દાત્ત સિદ્ધાંતે જીવનમાં ઉતરે છે, આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે અને ગસાધનામાં પ્રાણ પૂરાય છે. ખરેખર! સામાયિકને મહિમા અપાર છે.
નમસ્કાર-મંત્રને જિનશાસનને સાર કહેવામાં આવે છે અને તે ખરેખર ! જિનશાસનને સાર છે, પરંતુ એ નમસકાર-મંત્રને સાર સામાયિક છે. અમારું આ વિધાન કદાચ કોઈને નવાઈભરેલું કે વધારે પડતું લાગશે, પણ અમે આ વિધાન ખૂબ સમજી-વિચારીને કરી રહ્યા છીએ..
Page #113
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન નમસ્કાર-મહામંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, પણ એ પરમેષ્ઠિપદને મુખ્ય આધાર સામાયિક છે. તાત્પર્ય કે સામાયિકની સાધના વડે જ અરિહંત અરિહંતપણું પામે છે, સિદ્ધ સિદ્ધપણું પામે છે, આચાર્ય આચાર્યપણું પામે છે, ઉપાધ્યાય ઉપાધ્યાયપણું પામે છે અને સાધુ સાધુપણું પામે છે.
અરિહંત સંસારને ત્યાગ કર્યા પછી સામાયિકની સાધનાને સ્વીકાર કરે છે, તેના વડે આત્માને નિર્મલ કરે છે અને ત્યારે જ તેઓ ચાર ઘાતકર્મને નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. કહ્યું છે કે
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः। स्यात् केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥
સામાયિકથી વિશુદ્ધ થયેલે આત્મા ઘાતકર્મોને સર્વથા ક્ષય કરીને લેક અને અલકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન શીધ્ર પામે છે.’
કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અરિહંતે સાતિશયા વાણી વડે ધર્મને ઉપદેશ આપે છે અને સર્વત્ર પૂજાય છે. આ જ તેમનું સાચું અરિહંતપણું છે, પણ તેના મૂલમાં સામાયિકની સાધના રહેલી છે, તે ભૂલવાનું નથી.
બીજા સિદ્ધ પરમેષ્ઠી અત્યારે સિદ્ધિસ્થાનમાં બિરાજી અનિર્વચનીય સુખને ઉપભેગ કરી રહ્યા છે, પણ તેઓ
31મી
Page #114
--------------------------------------------------------------------------
________________
સામાયિકને મહિમા એ સિદ્ધિસ્થાને પહોંચ્યા શી રીતે ? એ વિચારવાનું છે. શાસ્ત્રકારો તે સ્પષ્ટ વાણીમાં વદે છે કેजे के वि गया मोक्ख, जे वि य गच्छंति जे य गमिस्सति । ते सव्वे सामाइयप्पभावेण मुणेयव्वं ॥
“આજ સુધીમાં જે આત્માએ મોક્ષમાં ગયા છે, આજે જે મેક્ષમાં જાય છે અને ભવિષ્યમાં જે મેક્ષમાં જશે, તે બધે પ્રભાવ સામાયિકને જાણ.” તાત્પર્ય કે તે બધા સામાયિકની સાધના વડે જ મોક્ષમાં–સિદ્ધિસ્થાનમાં પહોંચેલા છે.
અહીં કદાચ પ્રશ્ન થશે કે “જૈન ધર્મમાં માક્ષસાધક ચિગે અસંખ્ય કહ્યા છે, તે બધા સિદ્ધ ભગવંતે સામાયિકની સાધના–આરાધનાથી જ મોક્ષમાં ગયા છે, એમ શી રીતે કહી શકાય? ” તેને ઉત્તર એ છે કે મેક્ષસાધક ગે ભલે અસંખ્ય હોય, પણ તે સમત્વની સિદ્ધિમાં ઉપકારક થાય, ત્યારે જ મોક્ષસાધક બને છે, અન્યથા નહિ; એટલે છેવટે તે સમત્વસિદ્ધિ-સામાજિક એ જ મોક્ષનું કારણ બને છે, તેથી ઉપરનું વિધાન યથાર્થ છે.
ત્રીજા પરમેષ્ઠી આચાર્ય, ચોથા પરમેષ્ઠી ઉપાધ્યાય અને પાંચમા પરમેષ્ઠી સાધુ એ બધાએ સાવજજીવ સામાયિકની સાધનાને સ્વીકાર કરેલો છે અને તેના પાલનમાં પ્રયત્નશીલ છે, તેથી જ તેમને પરમેષ્ઠી માન્યા છે. જે પરમસ્થાનમાં રહેલા હોય, તે પરમેષ્ઠી. આ પરમ સ્થાન તે આત્મશુદ્ધિ છે અને તે સામાયિકની સાધના વડે જ પમાય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચતુર્યામ ધર્મને માનનારા શ્રી કાલાસ્યષિ અણગારે ભગવાન મહાવીરના પંચમહાવ્રતધારી
વિરેને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, એ ઉલ્લેખ છે. તેમાંને એક પ્રશ્ન એ હતું કે “જે મે જ્ઞો સારૂ ?
મે જો સામારૂબરૂ બ ?” “હે આર્ય ભગવંતે ? આપનું સામાયિક શું? અને સામાયિકને અર્થ શો ?” એ વખતે સ્થવિરેએ જણાવ્યું કે “ગાયા અજ્ઞો સામારૂપ, સાચા ને વાન્નો સામારૂબરૂ ” “હે આર્ય ભગવંતે! આમા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ એને અર્થ છે. તાત્પર્ય કે આત્મશુદ્ધિ એ અમારું સામાયિક છે અને એ આત્મશુદ્ધિ પ્રત્યે લઈ જનારા જે જે ઉપાય છે, તે પણ સામાયિક છે.
મોક્ષપ્રાપ્તિનું સહુથી નજીકનું કારણ સમ્યફ ચારિત્ર મનાય છે, પણ એ સમ્યક ચારિત્રને પાયે સામાયિકથી જ નંખાય છે. તે અંગે કહેવાયું છે કે
सामायिकं गुणनामाधारः खमिव सर्वभावानाम् । न हि सामायिकहीनाश्चरणगुणान्विता येन ॥
જેમ સર્વ પદાર્થોને આધાર આકાશ છે, તેમ સર્વે ગુણોને આધાર સામાયિક છે. જેને સામાયિક નથી, તે ચરણગુણથી એટલે કે સમ્યફ ચારિત્રથી યુક્ત બની. શતા નથી.”
Page #116
--------------------------------------------------------------------------
________________
સામાયિકને મહિમા
તપને કર્મનિર્જરાનું મુખ્ય સાધન માનવામાં આવ્યું છે, પરંતુ સામાયિકની કર્મ ખપાવવાની શક્તિ તેના કરતાં અનેક ગણી વધારે છે. તે અંગે શાસ્ત્રશબ્દો આ પ્રકાસ્ના છે – तिव्वतव्वं तवमाणो, जं न विनिट्ठवइ जम्मकोडीहि । तं समभावभाविअचित्तो खवेइ कम्मं खणद्धेणं ॥
કોડે વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મ ખપાવી શકતું નથી, તે કર્મને સમભાવથી ભાવિત ચિત્તવાળા એટલે કે સામાયિકને સાધક અધીક્ષણમાં ખપાવે છે. ”
દાન કરતાં પણ સામાયિકને મહિમા અધિક છે, તે અંગે શાસ્ત્રવચને સાંભળે : दिवसे दिवसे लक्खं, देइ सुवन्नस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥
એક મનુષ્ય રેજ લાખ ખાંડી સેનાનું દાન દે અને બીજે મનુષ્ય રેજ સામાયિક કરે તે દાન દેનારે તેની બરાબરી કરી શકે નહિ. ”
લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય, ૨૦ લાખ મણના ૮ કોડ શેર થાય અને ૮ ઝેડ શેરના ૩૨૦ ક્રોડ તેલા થાય. એક તેલનો ભાવ આજના ધરણે ૬૦૦ રૂપિયા ગણીએ તે તેની કિંમત ૧૯૨૦ અબજ રૂપિયા જેટલી થાય!
Page #117
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
એક અબજની સખ્યા કેટલી મેાટી છે, તે દર્શાવવા વર્તમાનકાલના ગણિતશાસ્ત્રીઓએ નીચેના એ દાખલાઓ આપ્યા છેઃ (૧) ધારા કે એક કપનીમાં ૧ અબજ રૂપિયાની મૂડી છે. હવે તે કપની સારી રીતે ચાલતી નથી, અને ખાટમાં કામ કરે છે. તે જો રાજના ૧૦૦૦ રૂપિયા ગુમાવે, તા પણ એ મૂડી પૂરી થતાં ૨૫૦૦ વર્ષોંથી અધિક સમય લાગે. (૨) અથવા ધારો કે તમારી ફાઉન્ટન પેન અમજગણી માટી થાય, તે તેની લખાઈ ૯૫૦૦૦ માઈલની થાય અને તેના ઢાંકણાથી ૭૯૦૦ માઈલ જેટલે પૃથ્વીના ભાગ ઢંકાઈ જાય. એટલે ૧ અમજની સંખ્યા એ રાક્ષસી સંખ્યા છે. આવા રાજના ૧૯૨૦ અખજ રૂપિયાના દાન કરતાં પણ સામાયિકનુ” મૂલ્ય વધારે છે. કહેવાના આશય એ છે કે તેનું મૂલ્ય આ જગતના કોઈ પણ પાર્થિવ પદાર્થથી આંકી શકાય એમ નથી. આ સંબંધમાં એક કથા જાણવા જેવી છે.
૯
પૂણિયા શ્રાવકની કથા
રાજગૃહી નગરીમાં એક શ્રાવક હતા. તે રૂની પૂણીએ વેચીને રાજ ૧૨ ટકા કમાતા અને તેમાંથી પેાતાના તથા પોતાની ધર્મ પત્નીના નિર્વાહ કરતા, તેથી તે પૂણિયા શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયા હતા. જરૂર જેટલું જ કમાવું અને બાકીના સમયમાં ધર્મધ્યાન કરવું, એ એના જીવનને આદર્શ હતા. ૧૨ ટકાની કમાણી તેા તે થાડા વખતમાં જ કરી લેતા અને બાકીના સમયમાં અને તેટલાં સામાયિકા કરતા.
Page #118
--------------------------------------------------------------------------
________________
સામાયિકનો મહિમા
આ સામાયિક ઘણા શુદ્ધ મને કરતા. તેમાં મનવચન-કાયાને કોઈ દોષ લાગવા દેતા નહિ. કદાચ અજાણે દોષ લાગી જાય તે તરત પ્રાયશ્ચિત્ત કરી લેતા, આથી તેનુ' સામાયિક વખણાયુ' અને ભગવાન મહાવીરે પણ તેની પ્રશંસા કરી.
હવે શ્રેણિક રાજાએ જાણ્યું કે પેાતાની ગતિ નરકની છે, એટલે કે મૃત્યુ ખાદ્ય નરકમાં ઉત્પન્ન થવુ' પડશે અને ત્યાંની અકથ્ય વેદનાએ અનુભવવી પડશે, એટલે તેમણે ભગવાન મહાવીરને કહ્યું: · પ્રભા ! મારા માથે આપના જેવા ગુરુ છતાં મારી નરકની ગતિ થાય, એ ઉચિત નથી; માટે કોઈ એવા ઉપાય બતાવા કે જેથી મારી નર્કગતિનું નિવારણ થાય.’
:
ભગવાને કહ્યું: હું શ્રેણિક ! જો એના ઉપાય જ જાણવા હાય તા એક નહિ, ચાર ઉપાયા અતાવુ છુ. તેમાંના કોઈ પણ એક ઉપાય કરીશ, તે તારી નરકંતિનું નિવારણ થશે. પહેલા ઉપાય એ છે કે તારે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફૂલ મેળવવુ'. બીજો ઉપાય એ છે કે તારી કપિલા નામની દાસીએ દાન દેવું. ત્રીજો ઉપાય એ છે કે તારે આવતી પતિથિએ એકાસણું કરવું અને ચેાથેા ઉપાય એ છે કે તારા નગરમાં કાલસૌરિક નામના કસાઈ રાજ ૫૦૦ પાડાના વધ કરે છે, તેણે એ કાર્ય એક દિવસ માટે અંધ રાખવુ’
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦
સામાયિક-વિજ્ઞાન ભગવાનના આ શબ્દો સાંભળી શ્રેણિક રાજી થયા. તેમને લાગ્યું કે આ બધી બાબતે સહેલાઈથી થઈ શકે એવી છે અને તે હું જરૂર કરી શકીશ.
પછી શ્રેણિક શેડા રાજસેવકે સાથે પૂણિયા શ્રાવકને ઘરે ગયા. પૂણિયા શ્રાવકે તેમને એગ્ય આદરસત્કાર કર્યો અને બેસવા માટે આસન આપ્યું. શ્રેણિકે પૂછ્યું: “હે શેઠ ! કુશળ તે છો ને ?” પૂણિયા શ્રાવકે કહ્યું “દેવગુરુની કૃપાએ કુશલતા વર્તે છે.'
શ્રેણિક-શેઠ! તમે રોજના કેટલાં સામાયિક કરે છે ? પૂણિ–આઠ-દશ તે ખરાં જ! શ્રેણિક–તમને એટલે સમય શી રીતે મળે છે ?
પૂણિ-મહારાજ ! સમય તે મેળ મેળવાય છે. મેં ઝાઝી ઉપાધિ રાખી નથી, એટલે આટલે સમય સહેલાઈથી મળી જાય છે.
શ્રેણિક–આ રીતે તે તમારા સામાયિકની સંખ્યા ઘણી મોટી થઈ હશે?
પૂણિ-મહારાજ ! મેં એની ગણતરી રાખી નથી. એ તે મારા જીવનનું એક સ્વાભાવિક અંગ બની ગયું છે.
શ્રેણિક–એક સામાયિકનું ફળ કેટલું ?
પૂણિયે એની મને ખબર નથી. હું તે શ્રાવક તરીકે મારું કર્તવ્ય સમજીને સામાયિક કર્યા કરું છું અને તેમાં આનંદ માનું છું.
Page #120
--------------------------------------------------------------------------
________________
સામાયિકને મહિમા
૧૧. શ્રેણિક-તમે રેજ સામાયિક કરે છે અને તેના ફલની ખબર ન હોય, એ કેમ બને ?
પૂણિમહારાજ ! જે હકીકત છે તે કહું છું. પરંતુ આપને સામાયિકનું ફળ શા માટે જાણવું છે ?
શ્રેણિક-મારે એક સામાયિકના ફળની જરૂર છે. તે . માટે તમે કહે તેટલા પૈસા આપવા તૈયાર છું.
પૂણિયે–મહારાજ ! આ કંઈ જમરૂખ, દાડમ કે કેરી જેવું ફલ નથી કે તે પૈસાથી વેચી શકાય.
શ્રેણિક–શેઠ! આ ફલ ભલે બીજી જાતનું હોય, પણ તે મારે જોઈએ છે. તેને મારી સાથે સે કરે. આ એક જ સદામાં તમારું કામ પાકી જશે અને તમારી ગરીબાઈ સદાને માટે ચાલી જશે.
પૂણિ–મહારાજ! મેં જે કંઈ કહ્યું છે, તે વિચારીને જ કહ્યું છે. હું ડું કમાઉં છું, પણ ગરીબ નથી. ગરીબ તે તે કહેવાય કે જેના દિલમાં દીનતા ભરી હેય. હું દીન પણ નથી અને દુઃખી પણ નથી. સ્વકમાણમાં સંતોષ માનનારો એક ગૃહસ્થ છું. મારે વિશેષ ધનની જરૂર નથી, કારણ કે વિશેષ ધન દુર્ગતિનું કારણ છે.
શ્રેણિક-જે તમે એક સામાયિકનું ફલ વેચાતું આપી. શકતા ન હૈ તે કૃપા કરીને આપે, પણ એક સામાયિકનું, ફલ જરૂર આપે.
Page #121
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
પૂર્ણિયા–મહારાજ ! એ પણ અશકય છે. એ ફલ આપ્યું અપાતું નથી, એ તેા જાતે જ મેળવવું પડે છે. શ્રેણિક–તા તમે મને તમારા એક સામાયિકનું લ • નહિ જ આપી શકે, એમ ને ?
૧૨
પૂણિયા–જો એ શકય હોત તો મેં કયારનું એ આપી દીધું હાત, પણ દિલગીર છું કે એ શકય નથી.
આ પ્રસંગથી શ્રેણિકને લાગી તા ઘણું આવ્યું, પણ શુ કરે ? આ કંઈ ફ્રેંડ કે શિક્ષા કયે મળે એવી વસ્તુ ન હતી. આખરે તેમણે ત્યાંથી વિદાય લીધી.
C
હવે બીજો ઉપાય અજમાવ્યેા. તેમણે પેાતાની કપિલા દાસીને મેલાવીને કહ્યું : 'કાલથી તારે દાન દેવાનુ છે. ’ કપિલાએ કહ્યું : મે હજી સુધી કોઈને દાન આપ્યું નથી અને આપી શકું એમ નથી.’ શ્રેણિકે કહ્યું : ‘ તે માટે હું તને કુંડી ભરીને સાનામહોરો આપીશ, પછી તને દાન દેવામાં શે। વાંધે છે ? ’કપિલાએ કહ્યું : · મને દાન દેવું ગમતું જ નથી.' છતાં શ્રેણિકે તેને દાન દેવાના આગ્રહ કર્યાં અને તે માટે જોઇતી સવ સામગ્રી પૂરી પાડી, ત્યારે કપિલાએ પેાતાના હાથે ચાટવા માંધ્યા અને તેનાથી દાન દેવા માંડયુ. તે દાન દેતી જાય અને કહેતી જાય કે ‘ આ દાન હું નથી આપતી, શ્રેણિક રાજાને ચાટવા આપે છે.’ તાત્પ કે કપિલા દાસીએ પેાતાના દિલથી દાન દીધું નહિ, એટલે બીજો ઉપાય પણ નિષ્ફળ નીવડચો.
શ્રેણિકમાં શ્રદ્ધા હતી, જ્ઞાન હતું, પણ તેના જીવનમાં
Page #122
--------------------------------------------------------------------------
________________
સામાયિકને મહિમા
૧૩: અમલ ન હતું. તેથી એક એકાસણું પણ તેમના માટે ભારે હતું. છતાં નરકગતિનું નિવારણ કરવા માટે તેમણે આગામી પર્વતિથિએ એકાસણું કર્યું. પછી તેઓ પોતાના કામમાં મગ્ન થયા. હવે ત્રીજા પહોરે તેમના બગીચામાંથી તાજાં રસદાર બેરને એક ટોપલે આ. શ્રેણિક તે જોઈને રાજી થયા અને પિતાના બગીચામાં આવાં સુંદર બાર પાકે છે, એ વિચારે ડું અભિમાન પણ આવ્યું. એમ કરતાં તેમને બોર ચાખવાનું મન થયું, એટલે એક બેર ઉપાડીને મુખમાં મૂકી દીધું અને તેને સ્વાદ માણવા લાગ્યા. ત્યાં યાદ આવ્યું કે આજે તે મારે એકાસણું છે અને મેં આ શું કર્યું ? પરંતુ એકાસણને ભંગ થઈ ચૂક્યું હતું અને એ રીતે ત્રીજો ઉપાય પણ નિષ્ફલ થયે હતે.
હવે તેમણે બાકી રહેલા છેલ્લા ઉપાય માટે કાલસૌકરિકને પિતાની પાસે બોલાવ્યા અને કહ્યું : “આવતી કાલે તારે કઈ પાડો મારવાનું નથી.” કાલસીરિકે કહ્યું: “મહારાજ ! એ કેમ બને? એ તે મારે ધંધે છે અને તે માટે કર્યા વિના ચાલે તેમ નથી. મારે સઘળે વ્યવહાર તેના આધારે જ ચાલે છે.”
શ્રેણિકે કહ્યું : “જે એમ હોય તે કાલને ખર્ચ મારી. પાસેથી લઈ જજે.” કાલસૌકરિકે કહ્યું: “મહારાજ ! મારા હાથપગ ચાલતા હોય, છતાં જીવનનિર્વાહને ખર્ચ બીજા પાસેથી લઉં, તે મને શોભતું નથી. મને મારે છે કરવા દે.”
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૪
સામાયિક-વિજ્ઞાન શ્રેણિકે જોયું કે કાલસૌકરિક એમ માને એવું નથી, એટલે સિપાઈઓને હુકમ કર્યો કે આને અહીંથી લઈ જાઓ અને આવતી કાલ સવાર સુધી કૂવામાં ઊંધા માથે લટકાવી રાખો.” સિપાઈઓએ આજ્ઞાને અમલ કર્યો.
ત્યાર પછી તેઓ ભગવાન મહાવીર પાસે ગયા અને જણાવ્યું કે “પ્રભે! આપે બતાવેલા ચાર ઉપાયોમાંથી ત્રણ ઉપાયે નિષ્ફલ નીવડ્યા છે, પણ એથે ઉપાય સફલ થયે છે.” ભગવાને કહ્યું : “હે શ્રેણિક ! તારે ચોથો ઉપાય પણ નિષ્ફલ નીવડે છે. કાલસૌકરિકને તે ઊંધા માથે કુવામાં લટકાવ્યું હતું, પણ ત્યાં એના હાથ પાણીમાં પહોંચતા હતા, એટલે પાણીમાં લીંટા કરીને તેણે પ૦૦ પાડા કપ્યા હતા અને તેને મનથી વધ કરીને સંતોષ માન્ય હતે. મનથી પાડાનો વધ કર્યો, એ પણ વધ જ કહેવાય.”
પછી શું બન્યું? તે કહેવાની જરૂર નથી. આ કથામાંથી આપણે તે પૂણિયા શ્રાવકને પ્રસંગ યાદ રાખવાને છે. તે સામાયિકને બહુ ઊંચે આદર્શ પૂરા પાડે છે.
સામાયિક આવું મહિમાશાલી હેવાથી જ દે પણ તેની ઈચ્છા કરે છે. તે અંગે શામાં કહેવાયું છે કે
सामाइयसामग्गि, देवा चिंतंति हिययमज्झम्मि । जह होइ मुत्तमेग, ता अम्ह देवत्तणं सुलहं ॥
દેવે પણ હૃદયમાં એવું ચિતવે છે કે જે સામા
Page #124
--------------------------------------------------------------------------
________________
૧પ
સામાયિકને મહિમા યિકની સામગ્રી અમને એક મુહૂર્ત એટલે બે ઘડી પણ મળી જાય, તે અમારું દેવપણું સફલ થાય.’
પરંતુ દેવે અવિરતિપણાને લીધે પિતાના સમગ્ર દેવભવ દરમિયાન એક પણ સામાયિક કરી શકતા નથી. જે વસ્તુ દેવને દુર્લભ છે, તે આપણા માટે સરલ છે, છતાં આપણે તેમાં કે અને કેટલે રસ લઈએ છીએ ? તે વિચારવાનું છે. જે આપણે સામાયિકમાં રસ લઈશું, તેની સાધના કરીશું અને તેની સિદ્ધિ સુધી પહોંચીશું, તે જ આપણે ભવનિસ્તાર છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-મહિમાશાલી કેને કહેવાય ?
ઉત્તર–જેને મહિમા ઘણો હોય, તેને મહિમાશાલી કહેવાય.
પ્રશ્ન–તે પછી મહામહિમાશાલીને અર્થ છે?
ઉત્તર-જેને મહિમા ઘણું વધારે હોય, તે મહામહિમાશાલી.
પ્રશ્ન-મહિમા શબ્દનો અર્થ શું ? ઉત્તર-મહિમા એટલે મહત્ત્વ, મેટાઈ, માહાસ્ય.
પ્રશ્ન-શું જૈન ધર્મમાં સામાયિકથી વધારે મહિમાશાલી કઈ વસ્તુ ખરી ?
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તરના. સામાયિકને જૈન ધર્મમાં સહુથી વધારે મહિમાશાલી વસ્તુ માનવામાં આવી છે.
પ્રશ્ન–શું નમસ્કાર-મહામંત્ર કરતાં પણ સામાયિકને મહિમા વધી જાય ?
ઉત્તર-હા. નમસકાર--મહામંત્ર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, જ્યારે સામાયિક તે મેક્ષપ્રાપ્તિનું સીધું સાધન છે.
પ્રશ્નતે પછી સામાયિકને મહિમા મુક્ત કંઠે કેમ ગવાતું નથી ?
ઉત્તર–આપણા જીવનમાંથી અધ્યાત્મ અને યોગને રંગ ઉડી ગયું છે, એટલે સામાયિકને મહિમા જેવા અને જેટલા જોરથી ગવા જોઈએ, તેવા અને તેટલા જોરથી ગવાતું નથી. પરિણામે લોકો સામાયિકને એક સામાન્ય કેટિની ધાર્મિક ક્રિયા સમજી તેના તરફ ઉપેક્ષા કરવા લાગ્યા છે.
પ્રશ્ન-આ પરિસ્થિતિ કેમ સુધરે ?
ઉત્તર–આપણે સામાયિકને વિષય બરાબર સમજીએ અને તેને વ્યવસ્થિત પ્રચાર કરીએ તે આ પરિસ્થિતિ સુધરે. આજે સામાયિક વિષે લોકેની જે સમજ છે, તે ઉપલક અને અધૂરી છે, તેથી તેને સુધારવી જ જોઈએ. પ્રસ્તુત ગ્રંથરચના એ દિશામાં એક નમ્ર પ્રયાસ છે.
પ્રશ્ન–તમે આ વિષયમાં પૂર્વે કંઈ લખ્યું છે ?
ઉત્તર-હા. અમે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં શ્રી પ્રતિકમણુસૂત્રપ્રબોધટીકા-પ્રથમ ભાગમાં સામાયિકસૂત્રે પર અષ્ટાંગ–વિવરણ રચ્યું છે, તેની વિધિએ.
Page #126
--------------------------------------------------------------------------
________________
સામાયિકના મહિમા
૧૭
અંગે સમજ લખી છે તથા • સામાયિકની સાધના નામના એક ખાસ નિબંધ લખી ઉપર્યુક્ત ગ્રંથના પરિશિષ્ટમાં જોડેલા છે. ત્યાર પછી લગભગ ત્રણ વર્ષે સામાયિક અંગે બે ઘડી યાગ ? નામના ખીજે નિબ ંધ લખેલે છે અને તે ધ બાધગ્રંથમાલાના પંદરમાં પુષ્પ તરીકે પ્રકટ થયેલા છે. તે પછી લગભગ છ વષૅ સામાયિકની સુંદરતા ' નામને ત્રીજો નિબંધ લખેલેા છે, જે જૈન શિક્ષાવલી-ખીજી શ્રેણીમાં છઠ્ઠા મણકા તરીકે સ્થાન પામેલા છે, આમ સામાયિકના વિષયમાં છેલ્લાં વીશ વર્ષમાં ચિંતનમનન ચાલતું જ રહ્યું છે.
4
"
પ્રશ્ન-શું એ સાહિત્યથી સ તાષ
ગ્રંથની રચના કરવી પડી ?
ન થયે કે આ
ઉત્તર-જે કઈ થયું છે, એ તેા ઠીક જ થયું છે, પણ વિશેષ વિચાર કરતાં અમને એમ લાગ્યુ કે સામાયિકના વિષય ઘણા મહત્ત્વપૂર્ણ છે, તેથી તે અંગે એક બૃહદ્ ગ્રંથરચના કરવી જોઇએ. અને તેમાં સામાયિકને લગતા તમામ મહત્ત્વના મુદ્દાઓને સ્પશી લેવા જોઇએ. તેથી આ ગ્રંથરચના ઘણા પશ્રિમપૂર્વક કરવામાં આવી.
પ્રશ્ન-આમાં પૂર્વ સાહિત્યના ઉપયાગ તા થયા જ હશે ? ઉત્તર—આમાં પૂર્વ સાહિત્યના ઉપયોગ તા થયા છે, પણ મેટા ભાગે તે નવા આકાર પામ્યો છે, કારણ કે પ્રથમ કરતાં આજે અમારું અધ્યયન વધ્યું છે. અને દૃષ્ટિમાં
સા. ૨
Page #127
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન વિશાલતા આવી છે. વળી દરેક ગ્રંથરચનાને પિતાનું ખાસ દષ્ટિબિંદુ હોય છે, એટલે આ ગ્રંથની રચના તેના ખાસ દષ્ટિબિંદુઓને અનુસરીને થયેલી છે અને એ રીતે તેના સર્જનમાં અભિનવતા આવેલી છે.
પ્રશ્ન–આ ગ્રંથરચનાનું ખાસ દષ્ટિબિંદુ શું છે?
ઉત્તર–અધ્યાત્મ અને રોગની દૃષ્ટિએ સામાયિકનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને સરલ ભાષામાં અને સુગમ શૈલિમાં તેની રજૂઆત કરવી, એ ગ્રંથરચનાનું ખાસ દષ્ટિબિંદુ છે.
પ્રશ્નપૂણિયા શ્રાવકે પિતાની એક સામાયિકનું ફલ શ્રેણિક રાજાને આપ્યું હોત તે પરોપકાર થાત કે નહિ ? અને પોપકાર જેવું બીજું પુણ્ય કયું છે ?
ઉત્તરકિયા એક કરે અને તેનું ફલ બીજાને મળે, એ સિદ્ધાંત જૈન ધર્મને માન્ય નથી. જૈન ધર્મ તે એમ માને છે કે જે મનુષ્ય જેવી ક્રિયા કરે, તેને તે પ્રકારનું ફલ મળે. પૂણિયા શ્રાવકે કદાચ એમ કહ્યું હતુ કે “તમને એક સામાયિકનું ફલ આપ્યું છે એ મન મનાવવાની વાત હોત. વાસ્તવમાં એ ફલ તેમને મળતા નહિ. પૂણિયે શ્રાવક તે જ શુદ્ધ અને સામાયિક કરવાથી દંભ અને ખુશામતથી પર થયે હતું, એટલે તેણે સ્પષ્ટ જણાવી દીધું કે એમ બનવું અશક્ય છે.
પારકાનું ભલું થાય, એવી વૃત્તિ અને પ્રવૃત્તિને પરોપકાર કહેવામાં આવે છે અને તે કરવા જેવું છે, પણ અહીં પોપકાર થાય એવી પરિસ્થિતિ ન હતી. વળી
Page #128
--------------------------------------------------------------------------
________________
સામાયિકને મહિમા પાપકાર પુણ્યની આશાએ નહિ, પરંતુ પિતાનું કર્તવ્ય સમજીને કરવાનો છે. એ રીતે કરાયેલ પરોપકાર ઘણે ફલદાયી થાય છે.
પ્રશ્ન–શ્રેણિક રાજાને જે ચાર ઉપાય બતાવવામાં આવ્યા. તે સાવ સામાન્ય કેટિના હતા. શું એવા ઉપાયથી નરકગતિનું નિવારણ થાય ખરું ?
ઉત્તર–ભગવાન મહાવીર સર્વજ્ઞ અને સર્વદશી હતા, તેથી તેઓ જાણતા હતા કે શ્રેણિકની નરકગતિનું નિવારણ થવાનું નથી, પણ તેમણે શ્રેણિકના મનનું સમાધાન કરવા માટે આ પ્રકારના સાવ સામાન્ય ઉપાય બતાવ્યા. છતાં તે જઈ ન શક્યા, એ શું બતાવે છે? ભવિતવ્યતા બળવાન છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
[ 2 ] સામાયિકને અર્થ
સામાયિક એ ખરેખર એક રહસ્યમયી વસ્તુ છે. તેનું વાસ્તવિક રહસ્ય સમજવા માટે આપણે ઠીક ઠીક મજલ. કાપવી પડશે, પરંતુ હાલ તો તેના અર્થજ્ઞાનથી શરૂઆત કરીએ.
- ઘણા સુંદર શબ્દો લેકજિહૂવાએ ચડીને અપભ્રંશ પામે છે અને તેને મૂલ અર્થ ખેઈ બેસે છે. સામાયિક શબ્દનું પણ લગભગ એમ જ બન્યું છે. આજે કેટલાક તેને સમાયક કહે છે, તે કેટલાક તેને “સામાયક કહે છે, તે કેટલાક વળી ‘સમાક’ અને ‘સમાગ સુધી પણ પહોંચ્યા છે. પરંતુ આ ચારે ય શબ્દો અશુદ્ધ છે. મૂલ શબ્દ સામાયિક છે અને તેને જ શુદ્ધ માનીને આપણે ચાલવાનું છે.
શાસ્ત્રીય શબ્દને મૂલ સ્થિતિમાં રાખવા, એટલે કે તેમાં એક પણ અક્ષરની હાનિ કે વૃદ્ધિ કરવી નહિ, તેમજ તેના કાના, માત્રા, વરડુ કે અનુસ્વારમાં કંઈ પણ ફેરફાર
Page #130
--------------------------------------------------------------------------
________________
સામાયિકનો અર્થ
૨૧ કરે નહિ, એ આપણું મહાપુરુષને આદેશ છે. જે શબ્દના મૂલ સ્વરૂપમાં ફેરફાર કરીએ તો તેને અર્થ જ બદલાઈ જાય અને જ્ઞાનની આશાતના થાય કે જે માટે આપણે પ્રાયશ્ચિત્ત-દંડના અધિકારી ઠરીએ. આમ છતાં આપણે તેના પર પૂરું લક્ષ્ય આપ્યું નથી, એટલે સ્થિતિ આ હદે પહોંચી છે.
શબ્દની સાથે તેને અર્થ પણ શીખવું જોઈએ, તો જ જ્ઞાન સાંપડે અને તે આપણા જીવનને ઉજાળી શકે. આપણે જેને અર્થ જાણતા નથી, એવા શબ્દોનું ભંડેળ ભેગું કરવાથી શું ? તે માત્ર બોલી જવાથી કેઈ ઉપયોગી હેતુ સરતો નથી. આપણે ઘણી ખરી પાઠશાલાઓમાં આજે સત્ર કંઠસ્થ કરાવવામાં આવે છે, પણ તેના અર્થો શીખવવામાં આવતા નથી કે સામાન્ય અર્થો શીખવીને જ સંતોષ માનવામાં આવે છે. તેનું પરિણામ એ આવ્યું છે કે આ પાઠશાલાઓમાં ભણેલા બાલક–બાલિકાઓને જૈન ધર્મના સિદ્ધાંતોને કે કિયાઓને સ્પષ્ટ ધ હેતું નથી. આ પરિસ્થિતિનું નિવારણ ક્યારે થશે ?
પ્રાકૃત-અર્ધમાગધી ભાષાને “સામારૂચ શબ્દ સંસ્કૃત ભાષામાં “સીમચ શબ્દ બને છે અને તે ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં તત્સમ તરીકે ઉતરી આવે છે, એટલે કે તે એ ને એ રહ્યો છે.
જેમ નગર પરથી નાગરિક, શરીર પરથી શારીરિક અને ધર્મ પરથી ધાર્મિક શબ્દ બનેલે છે, તેમ સમાય શબ્દ પરથી સામાયિક શબ્દ બનેલું છે. જ્યારે કઈ પણ
Page #131
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન શબ્દના પ્રથમ અક્ષરમાં રહેલે સ્વર વૃદ્ધિ પામે તેના છેલ્લા અક્ષરમાં રહેલા સ્વરને લેપ થાય અને તેને સ્વાર્થમાં ઈક પ્રત્યય લાગે, ત્યારે વ્યાકરણની પરિભાષામાં તેને તદ્ધિત રૂપ કહેવામાં આવે છે. સામાયિક એ સમાય શબ્દનું તદ્ધિત રૂપ છે. તે કેવી રીતે સિદ્ધ થયેલું છે તે જોઈ લઈએ.
શબ્દને પ્રથમ અક્ષરસ છે, તે + અ થી બનેલે છે. તેમાં શું વ્યંજન છે અને આ સ્વર છે. સંસ્કૃત ભાષામાં ૧૬ સ્વર અને ૩૩ વ્યંજન છે, જ્યારે ગુજરાતી ભાષામાં ૧૨ સ્વરે અને ૩૩ વ્યંજને છે, એ તે જાણો છે ને ? આ અ સ્વરની વૃદ્ધિ થતાં આ બને છે, એટલે સમાયનું સામાય રૂપ થાય છે. હવે છેલ્લો અક્ષર ય છે, તે જ + આ. ને બનેલું છે. તેમાં ૨ વ્યંજન છે અને આ સ્વર છે. આ અ સ્વરનો લેપ થતાં સામાન્યૂ એવું રૂપ બને છે.. અને તેને સ્વાર્થમાં ઈક પ્રત્યય લગાડતાં “સામાયિક એ શબ્દ તૈયાર થાય છે.
- જ્યારે કઈ પણ શબ્દ તદ્ધિતરૂપ ધારણ કરે છે, ત્યારે તે સંબંધદર્શક બને છે. જેમકે-નગર સંબંધી તે નાગરિક, શરીર સંબંધી તે શારીરિક અને ધર્મ સંબંધી તે ધાર્મિક. આ રીતે જે સમાય સાથે સંબંધ ધરાવે છે, તે સામાયિક એમ સમજવાનું છે. તાત્પર્ય કે સામાયિકમાં સમાય શબ્દ ઘણું મહત્વનું છે અને તેનો અર્થ જાણીએ તે જ સામાયિકને અર્થ જાણી શકાય એમ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૩
સામાયિકનો અર્થ
હવે સમાય શબ્દ એક કરતાં વધારે અર્થો દર્શાવે છે. અહીં તમે કદાચ એમ કહેશો કે “સાવ સાદે જણને સમાય શબ્દ અનેક અર્થો શી રીતે દર્શાવતું હશે ? પરંતુ સાવ સાદા જણાતા શબ્દોમાં પણ ઘણા અર્થો દર્શાવવાની શક્તિ હોય છે, તે નીચેના દષ્ટાંતથી જાણી શકાશે –
ભીલ રાજા અને તેની ત્રણ રાણુઓ
એક જંગલમાં કેઈ ભીલ રાજા તેની ત્રણ રાણીએ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. એવામાં એક રાણીએ કહ્યું : “હે સ્વામિનાથ ! મને બહુ તરસ લાગી છે, તે પાણી લાવી આપ.” ચેડે દૂર ગયા પછી બીજી રાણીએ કહ્યું : “પ્રિયતમ! આ પ્રવાસ કંટાળાભરેલો લાગે છે, તો તમે કંઈ ગાએ તે સારું.’ પ્રવાસ થેડે આગળ વધ્યા પછી ત્રીજી રાણીએ કહ્યું કે “હે પ્રીતમ ! આ જંગલ ઘણું સુંદર હરણોથી ભરેલું છે. જો તમે તેમાંના એક હરણને શિકાર કરે તે તેના માંસ વડે આપણે મીજબાની ઉડાવીએ.
ત્રણ જુદા જુદા પ્રકારની માગણીઓ એકી સાથે પૂરી શી રીતે કરવી ? એ એક મુંઝવણભર્યો પ્રશ્ન હતું, પણ એ ભીલરાજા ચતુર હતા, એટલે તેણે એક જ ઉત્તરમાં બધાનું કામ પતાવી દીધું. એ ઉત્તર હતે “ો ”
આ ઉત્તર પરથી પ્રથમ રાણી એમ સમજી કે નજીકમાં કઈ સર એટલે સરેવર નથી, તેથી તેઓ પાણી કયાંથી લાવે ? આગળ પર કેઈ સરવર આવશે, ત્યારે જોયું જશે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૨૪
સામાયિક-વિજ્ઞાન - આ ઉત્તર પરથી બીજી રાણી એમ સમજી કે અત્યારે તેમને સર એટલે સ્વર નથી, અર્થાત્ તેમનું ગળું બેસી ગયેલું છે, એટલે તેઓ ગાઈ શકે એમ નથી. ચાલે, ગાવાથી સયું!
અને આ ઉત્તર પરથી ત્રીજી રાણ એમ સમજી કે અત્યારે તેમની પાસે સર એટલે શર–બાણ નથી, તેથી તે હરણને શિકાર કરી શકે એમ નથી. આ સંગમાં તેમને આગ્રહ કરે નકામે છે.
તાત્પર્ય કે પ્રાકૃત ભાષાને સર શબ્દ સાવ સાદો દેખાવા છતાં તેણે ત્રણ અર્થે પ્રદર્શિત કર્યા, તે પછી સંસ્કૃતગુજરાતી “સમય” શબ્દ અનેક અર્થો પ્રદર્શિત કરે, એમાં આશ્ચર્ય શું ?
અહીં એ પણ સમજી લે કે શબ્દના અર્થો મનસ્વી રીતે કરી શકાતા નથી. તે માટે શાસ્ત્ર, પરંપરા, વ્યાકરણ કે કેષનું પ્રમાણ જોઈએ છે. આવા કેઈ પણ પ્રમાણ વિના અર્થ કરવા લાગીએ તે તેમાં છબરડા વળે છે અને સ્થિતિ હાસ્યાસ્પદ બન્યા વિના રહેતી નથી.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાગમાં સામાયિકને અર્થ આ પ્રમાણે કર્યો છે – राग-दोस विरहिओ समो त्ति अयणं अयोति गमणं त्ति । समगमण (अयणं)त्ति समाओ, स एव सामाइयं नाम ॥
રાગ અને દ્વેષથી રહિત એ આત્માને પરિણામ
Page #134
--------------------------------------------------------------------------
________________
સામાયિકના અ
૨૫
• સમ ’ કહેવાય. અય એટલે અયન કે ગમન. તે ગમન સમ પ્રત્યે થાય, તેથી સમાય કહેવાય અને એવા જે સમાય તે જ સામાયિક કહેવાય. અહી` સમ + અય = સમાય એમ માનીને અથ કરવામાં આવ્યો છે.
તાત્પ કે જેનાથી રાગ-દ્વેષ દૂર થઈ સમભાવ કેળવાય તે સામાયિક કહેવાય. આજે તે આપણું જીવન રાગ-દ્વેષથી ભરેલું છે અને તેમાં સમભાવ તે શેાધ્યેા ય જડતા નથી, એટલે આપણા ઉદ્ધારની ચાવી આ સામાયિકમાં રહેલી છે. હવે તે ચાવીના ઉપયોગ કેવા અને કેટલા કરવા ? તે આપણે જોવાનું છે.
શ્રી હેમચદ્રાચાર્યે યાગશાસ્ત્રના સ્ત્રાપજ્ઞવિવરણમાં કહ્યું છે કે ‘રાગદ્વેષ-નિર્મુહસ્ય સત: બાયો જ્ઞાનાવીનાં છામઃ પ્રણમનુપમમાયઃ, સમાય ત્ર સામાચિમ્ । રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેને પ્રથમ સુખરૂપ જે લાભ થાય, તે સમાય અને તે જ સામાયિક. ' અહી સમ + આય = સમાય માનીને અર્થ કરવામાં આવ્યે છે. તેમાં સમને અર્થ શમ-પ્રશમ-પ્રશમસુખ અને આયના અથ લાભ દર્શાવેલા છે. તાત્પર્ય કે જેનાથી શમસુખને લાભ થાય-પ્રશમસુખ મળે, તેને સામાયિક જાણવું. શમને સામાન્ય અર્થ શાંતિ છે. ખાસ કરીને રાગદ્વેષજન્ય ઇન્દ્રિયા તથા મનના વિકારો શમી જતાં જે સુખ-શાંતિને અનુભવ થાય, તેને શમ કહેવામાં આવે છે. આ શમગુણ જ્યારે પ્રકૃષ્ટપણું પામે, ત્યારે તેને પ્રશમ કહેવામાં આવે છે. આજે
.
Page #135
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન તે આપણે ઈદ્રિય અને મનના અનેકવિધ વિકારોના ભોગ બનેલા છીએ, તેથી શાંતિનો અનુભવ કરી શકતા નથી. વિવિધ પ્રકારના ભેગે વડે જે શાંતિને અનુભવ થાય છે, તે ક્ષણિક હોય છે, એટલે ફરી એ ભોગ ભોગવવાની વાસના સળવળે છે અને ફરી ક્ષણિક શાંતિને અનુભવ કરી અશાંતિની આગમાં હોમાઈ જઈએ છીએ. તેથી ખરી જરૂર શમ–પ્રશમ પ્રકટાવવાની છે. આ શમ-પ્રશમ સુખને લાભ સામાયિકની સાધનાથી મેળવી શકાય છે, એ તેનું કેટલું મહત્વ ?
હવે સમ શબ્દના બીજા પણ કેટલાક અર્થો થાય છે, તે જોઈ લઈએ.
સમ એટલે સમસ્થિતિ, વિષમ સ્થિતિને અભાવ. આ વિષમ અને સમસ્થિતિ આત્માના સંબંધમાં સમજવાની છે. આત્મા અનાદિકાલથી કર્મો વડે બંધાયેલ છે. તે જુનાં કર્મો ભગવતે જાય છે અને નવાં કર્મો બાંધતો જાય છે. આ બધાં કર્મોનું ફળ ભેગવવા માટે તેને ચારગતિ અને રાશી લાખ જીવનિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અને વિવિધ પ્રકારનાં દુખે ભેગવવા પડે છે. આ તેની વિષમ સ્થિતિ છે. જે આ વિષમ સ્થિતિ દૂર થાય, તે જ તે સમસ્થિતિને પામી શકે અને તેના મૂળ સ્વરૂપમાં અવસ્થાન પામી અનિર્વચનીય સુખ અને આનંદને ઉપભેગ કરી શકે. તાત્પર્ય કે જેના વડે આત્માની કર્મસહિત અવસ્થા દૂર થઈ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત થઈ શકે તેને સામાયિક કહેવાય.
સમ એટલે મિત્રતા કે બંધુત્વ. તે જગતના સર્વે
Page #136
--------------------------------------------------------------------------
________________
સામાયિકને અર્થ જ પ્રત્યે ઉત્પન્ન થાય, ત્યારે વિશ્વમૈત્રી કે વિશ્વબંધુત્વની ભાવના ઉત્પન્ન થઈ ગણાય. જેના અંતરમાં વિશ્વમૈત્રી કે વિશ્વબંધુત્વની ભાવના પાંગરી હોય, તે કઈ જીવને પિતાને વરી, શત્રુ કે અહિત કરનાર માને નહિ, એટલે તેમના પ્રત્યે કોઈ જાતને ઠેષ ધરાવે નહિ. વળી જ્યાં બંધુત્વની ભાવના બળવાન બની હોય ત્યાં આત્મસદશ-વ્યવહાર સહેજે સંભવે, એટલે કે તે સર્વ જીવને પિતાના જેવા જ સુખની ભાવનાવાળા માની કેઈને જરા યે દુઃખ દેવા તત્પર થાય નહિ. આવી સમ અવસ્થા એટલે વિશ્વબંધુત્વની ભાવના જેનાથી કેળવાય, તેને સામાયિક કહેવાય.
સમ એટલે મધ્યસ્થતા કે વીતરાગતા. તે ત્યારે જ પ્રકટે છે કે જ્યારે સંસારના વિવિધ પદાર્થોમાં કરેલી મને અને અમનોજ્ઞ, અથવા ઈષ્ટ અને અનિષ્ટ અથવા પ્રિય અને અપ્રિયની કલ્પના દૂર થઈ અનાસક્ત ભાવ પ્રકટે. રાગથી પણ ન ખેંચાવું અને દ્વેષથી પણ ન ખેંચાવું, પરંતુ એ બેની મધ્યમાં રહેવું તે મધ્યસ્થતા અને દરેક પરંપદાર્થ પર રાગ ચાલે જ, આસક્તિ ચાલી જવી; એ વીતરાગતા. જેનાથી આવી . વીતરાગતા ઉત્પન્ન થાય, તેને સામાયિક કહેવાય.
સમને એક અર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમન્વય છે, એટલે જેનાથી સરયદર્શન પ્રકટે, તેને આધારે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય અને તેના આધારે સચ્ચારિત્રની પ્રાપ્તિ થાય, તેને પણ સામાયિક કહેવાય.
સમાય શબ્દમાં કેવા ગંભીર અને જીવનસંપશી અર્થે
Page #137
--------------------------------------------------------------------------
________________
:૨૮
સામાયિક-વિજ્ઞાન - સમાયેલા છે, તે આ પરથી સમજી શકાશે. પરંતુ તેના
આવા અર્થે આપણું જાણવામાં આવ્યા નથી અને કદાચ - જાણવામાં આવ્યા હોય, તે પણ આપણે તેના પર ગંભીર વિચાર કર્યો નથી, એટલે તે આપણા હૃદયને સ્પર્શી શકેલ નથી. આ તે અમૃતસરેવરના કિનારે ઊભા રહીને તરસ્યા મરવા જેવી સ્થિતિ છે.
સામાય શબ્દનું તદ્ધિતરૂપ પણ સામાયિક બની શકે છે. જેનાથી સામ એટલે શાંતિને લાભ થાય, તે સામાય.
અથવા જેનાથી સામ એટલે અહિંસાને લાભ થાય, તે - સામાય. અથવા જેનાથી સામ એટલે વિશ્વમૈત્રીને લાભ થાય, તે સામાય. આ સામાય તે જ સામાયિક. પરંતુ ઉપરના અર્થોમાં આ બધા અર્થોને લગભગ સમાવેશ થઈ જાય છે, એટલે મુખ્ય લક્ષ્ય એ અર્થો તરફ જ આપવાનું છે. તેનું અહીં તારણ આપીએ તે યાદ રાખવાનું ઠીક પડશે.
(૧) જેનાથી રાગ-દ્વેષ દૂર થઈ સમભાવ કેળવાય, તે - સામાયિક કહેવાય.
(૨) જેનાથી શમસુખને લાભ થાય, તે સામાયિક કહેવાય.
(૩) જેનાથી આમાની કર્મમય વિષમ સ્થિતિ દૂર થાય અને કર્મરહિત સમ–અવસ્થા પ્રાપ્ત થાય, તે સામાયિક કહેવાય.
(૪) જેનાથી સાંસારિક પદાર્થો પરની આસકિત દૂર થઈ અનાસક્ત ભાવ કેળવાય, તે સામાયિક કહેવાય.
Page #138
--------------------------------------------------------------------------
________________
સામાયિકને અર્થ
૨૯ : (૫) જેનાથી સર્વ જીવે પ્રત્યે મૈત્રી કેળવાય, તે સામાયિક કહેવાય.
(૬) જેનાથી સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન તથા સભ્ય - ચારિત્રની પ્રાપ્તિ થાય, તે સામાયિક કહેવાય.
સામાયિકના આ છ અર્થો ફરી ફરી વિચારવા જેવા છે, ફરી ફરી ચિંતવવા જેવા છે. તેનાથી સામાયિક પ્રત્યે અભિરુચિ કેળવાશે અને આધ્યાત્મિક ઉન્નતિનાં દ્વાર . ખુલી જશે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન–સામાયિકના અર્થો અનેક છે, તેમાંથી કયા અર્થને મુખ્ય માનીને ચાલવું?
ઉત્તર–શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે સામાયિકને જે અર્થ કર્યો છે, તેને મુખ્ય માનીને ચાલવું. શાસ્ત્રીય પરં. પા અને વ્યાકરણ એ બંને દષ્ટિએ એ અર્થ બરાબર છે.
પ્રશ્ન-તે બીજા અર્થો શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણ ની દષ્ટિએ બરાબર નથી શું ?
ઉત્તર-બીજા અર્થો પણ શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણની દૃષ્ટિએ બરાબર છે, પણ તત્ત્વથી એ બધા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે.
પ્રશ્ન–જે બીજા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામી જાય એવા હતા, તે જણાવવાની જરૂર શી હતી ?
Page #139
--------------------------------------------------------------------------
________________
૩૦
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-સામાયિક શબ્દમાં કેવું અર્થગાંભીર્ય રહેલું છે, તે દર્શાવવા માટે આ અર્થે અહીં જણાવેલા છે. શું આ અર્થો જાણ્યા પછી તમને એમ નથી લાગતું કે સામાયિક શબ્દ ગહન અર્થને ભંડાર છે ?
પ્રશ્ન-એમ તે લાગે જ છે, પણ બીજા બધા અર્થે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે, એ વાત મગજમાં ઉતરતી નથી, તેનું કેમ?
ઉત્તર-ઇન્દ્રિય અને મનના વિકારો શમતાં જે સુખનો અનુભવ થાય છે, તેને શમસુખ કહેવામાં આવે છે. હવે ઈન્દ્રિય અને મનના વિકારે રાગ–ષને આધીન છે. એટલે કે રાગ–ષને લીધે તે ઉત્પન્ન થાય છે અને રાગદ્વેષને નાશ થતાં તે શમી જાય છે. એટલે સમભાવ અને શમસુખ એક જ સ્થિતિનાં બે જુદાં નામે છે. અપેક્ષાવિશેષથી તેમનું નામકરણ જુદું થયું છે, એટલું જ. જ્યાં સમભાવ નથી, ત્યાં શમસુખ નથી અને જ્યાં શમસુખ નથી. ત્યાં - સમભાવ નથી. હવે તમે જ કહો કે સામાયિકને બીજો અર્થ પ્રથમ અર્થમાં અંતર્ગત થાય કે નહિ?
પ્રશ્ન-તમારે આ ખુલાસે સાંભળ્યા પછી એમ લાગે છે કે બીજો અર્થ પ્રથમ અર્થમાં અંતર્ગત થઈ જાય છે, - પરંતુ ત્રીજો અર્થ તે સાવ જુદો જ લાગે છે, તે પ્રથમ - અર્થમાં શી રીતે અંતર્ભાવ પામે?
Page #140
--------------------------------------------------------------------------
________________
સામાયિકને અર્થ
ઉત્તર-દેખીતી જુદાઈમાં ઘણું વાર એકતા હોય છે અને દેખીતી એકતામાં ઘણીવાર જુદાઈ હોય છે, એટલે આ ત્રીજો અર્થ દેખીતો જુદો છતાં એક જ વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરનાર છે. સઘળાં કર્મબંધનનું મુખ્ય કારણ રાગ અને દ્વેષ છે. એ ઘટવા માંડે એટલે કર્મ બંધન ઘટવા માંડે અને તે સર્વથા ઘટી જાય એટલે કે નાશ પામે ત્યારે સઘળાં કર્મબંધને પણ નાશ પામે. તાત્પર્ય કે રાગદ્વેષને નાશ એ જ વાસ્તવમાં કર્મનાશ છે, એટલે કર્મ રહિત સમ અવસ્થા અને સમભાવ વસ્તુતઃ એક જ છે.
પ્રશ્નો અર્થ પણ દેખીતો જુદો છે. શું તેમાં ય આ રીતે એકતા સિદ્ધ થશે ખરી ?
ઉત્તર–તેની હમણાં જ ખબર પડશે. સાંસારિક પદાર્થો પર આસક્તિ થવાનું મૂળ કારણ રાગ છે અને અપેક્ષાવિશેષથી Àષ પણ છે. તે બંનેનું પ્રમાણ ઘટતાં અનાસક્તભાવ ઉત્પન્ન થવા લાગે છે અને એ પ્રમાણ પૂરેપૂર ઘટી જાય એટલે કે શૂન્યબિંદુ પર આવી જાય, ત્યારે અનાસક્તભાવ સંપૂર્ણપણે સિદ્ધ થાય છે. એટલે આ એથે અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે, એમ માનવું જ રહ્યું.
પ્રશ્ન-એ માની લીધું. હવે પાંચમે અર્થ પ્રથમ અર્થમાં શી રીતે અંતર્ભાવ પામે છે, એ જણાવે !
ઉત્તર-જગતના કેટલાક જીવેને આપણે મિત્ર કે દોસ્ત માનીએ છીએ અને કેટલાક અને શત્રુ કે દુશ્મન માનીએ
Page #141
--------------------------------------------------------------------------
________________
૩૨
સામાયિક-વિજ્ઞાન છીએ, તેનું કારણ આપણામાં રહેલી રાગ-દ્વેષની વૃત્તિ છે. જે આ રાગ અને દ્વેષની વૃત્તિ નાશ પામે તે અમુકને મિત્ર અને અમુકને શત્રુ માનવાની વૃત્તિ ઉદ્ભવે જ નહિ. પછી તે જગતના સર્વજીને સમાન માનવાની અને તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખવાની ભાવના પ્રબળ બને, એટલે વિશ્વમૈત્રી એ સમભાવનું બીજું નામ છે. જ્યાં સમભાવ હોય ત્યાં જગતના બધા જ સાથે અવશ્ય મૈત્રી હોય, તેથી પાંચમે અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામી. જાય છે.
પ્રશ્ન-શું છદ્રો અર્થ પણ આ રીતે પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામશે ખરો ?
ઉત્તર–એમાં શંકા શી? સમ્યગુદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સચારિત્ર એ આત્માના ગુણો છે, જે રાગ-દ્વેષને નાશ થવાથી પૂર્ણ પણે પ્રગટ થાય છે. તાત્પર્ય કે સમભાવની આરાધનામાં સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યાત્રિની આરાધનાને સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રકારોએ સામાયિકના શ્રત-સામાયિક, સમ્યકત્વ-સામાયિક, દેશવિરતિ–સામાયિક અને સર્વવિરતિ-સામાયિક એવા જે ચાર પ્રકારે પાડ્યા છે, તે આ વસ્તુનું સમર્થન કરનારા છે.
શ્રત એટલે શા–તેનું અધ્યયન કરી સમ્યગૂજ્ઞાન મેળવવું, એ શ્રુત-સામાયિક. તત્ત્વભૂત પદાર્થોમાં શ્રદ્ધા રાખવી.
Page #142
--------------------------------------------------------------------------
________________
સામાયિકને અર્થ એ સમ્યકૃત્વ-સામાયિક. સમ્યકત્વમૂલ શ્રાવકનાં બાર વ્રત પાળવાં એ દેશવિરતિ-સામાયિક અને સાધુનાં પાંચ મહાવ્રત પાળવા એ સર્વવિરતિ–સામાયિક. આમાં સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણેયને સમાવેશ થયેલ છે. તાત્પર્ય કે સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન તથા સમ્યફચારિત્ર રૂપી રત્નત્રયી અને સામાયિક તાત્વિક દૃષ્ટિએ અભિન્ન છે, તેથી આ છો અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે.
સા. ૩
Page #143
--------------------------------------------------------------------------
________________
[ 3 ]
સામાયિક–સારભૂત સુંદર ક્રિયા
સામાયિક શ્રદ્ધારૂપ પણ છે, જ્ઞાનરૂપ પણ છે અને ચારિત્ર કે ક્રિયારૂપ પણ છે. તેમાંથી ક્રિયા તરીકે તેની પ્રસિદ્ધિ વિશેષ હોવાથી, પ્રથમ તે સબંધી કેટલીક વિચારણા કરીશું.
ગત એ પ્રકરણામાં સામાયિકના મહિમા તથા અ અંગે જે વિવેચન કરવામાં આવ્યું છે, તેના પરથી પાકમિત્રા એટલુ તે સમજી ગયા હશે કે સામાયિક એ જૈન ધર્માંની મહાન સાધના છે, તે સમત્વ કે સમભાવની સિદ્ધિ માટે ચેાજાયેલી છે અને સાધુ-સાધ્વીઓ માટે ફરજિયાત છે.’ સામાયિક વિના સાધુતા નહિ' એ ન્યાયે તો પ્રત્યેક સાધુસાધ્વી સાધુજીવનના સ્વીકાર કરતાં પહેલાં સામાયિકની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને પેાતાના સમસ્ત જીવન દરમિયાન તેના પાલન માટે પ્રયત્નશીલ રહે છે. જો સામાયિકની ક્રિયા સારભૂત અને સુંદર ન હોત તો તેને સાધુ-સાધ્વીઓ માટે આ રીતે ફરજિયાત અનાવવામાં આવી ન હોત.
Page #144
--------------------------------------------------------------------------
________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
૩૫ જે સર્વ શાની દોહનરૂપ કિયાને સારભૂત કહેવાતી હોય તે સામાયિકની કિયા સર્વશાના દેહન રૂપ છે અને જે શુભ કે પ્રશસ્ત પરિણામ લાવનારી ક્રિયાને સુંદર કહેવાતી હોય તે સામાયિકની ક્રિયા શુભ કે અશરત પરિણામ લાવનારી છે.
અહીં કે એમ કહેતું હોય કે “શા તે લાખ કલેકપ્રમાણ છે, તેનું દોહન આ રીતે એક કિયામાં શી રીતે થાય ?” તે ચાર પંડિતની વાત જાણવાથી આ પ્રશ્નનું સમાધાન થશે.
ચાર પંડિતેની વાત એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલે આ વેદમાં નિષ્ણાત હતા, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રી નીતિશાસ્ત્રમાં નિપુણ હતું અને એ કામશાસ્ત્રમાં પારંગત હતા. આ ચારે ય પંડિતએ પોતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાને વિચાર કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લેકની રચના કરી. પછી તેઓ જિતશત્રુ નામના રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા : “હે રાજન્ ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળો.”
રાજાએ કહ્યું : “કેટલા ફ્લેકપ્રમાણ છે ? ” પંડિતાએ કહ્યું : “દરેક ગ્રંથ લાખ લેકપ્રમાણ છે.”
રાજાએ કહ્યું : “આટલા મોટા ગ્રંશે સાંભળવા બેસું તે મારું બધું કામ રખડી જાય.”
Page #145
--------------------------------------------------------------------------
________________
૩૬
સામાયિક–વિજ્ઞાન
પડિતાએ કહ્યું : ‘તે તેના પચીશ-પચીશ હજાર
શ્લોકોમાં સક્ષેપ કરીએ, ’
રાજાએ કહ્યું : ‘· તો પણ બધા થઈ ને એક લાખ લૈક થાય. માટે હજી સક્ષેપ થઈ શકે એમ હાય તા જણાવો.’ પંડિતાએ કહ્યું : ' જો આપની ઈચ્છા એવી જ હાય તે તેને હજાર-હજાર શ્લોકપ્રમાણ બનાવી દઈએ.’
પરંતુ રાજાને આ પ્રમાણ પણ વધારે લાગ્યું, એટલે પડિતા પાંસસો શ્લોકો પર આવ્યા, તેમાંથી સો શ્લોક પર આવ્યા, તેમાંથી દશ શ્લોકો પર આવ્યા અને છેવટે એક શ્લોક પર આવ્યા. ત્યારે રાજાએ કહ્યું : તમે જે કઈ કહા, તે સાંભળીને હું યાદ રાખવા માગું છું અને ચાર શ્લાકો યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારે ય મળીને એક શ્લોક કહે। તો હું સાંભળું. પ ંડિતાએ એ વાત કબૂલ કરી.
પછી પહેલા પંડિત બોલ્યા :
जीर्णे भोजनमात्रेयः,
જમેલુ' પચી જાય પછી જ ભાજન કરવુ, એ આયુવેદમાં પરમ નિષ્ણાત આત્રેયના મત છે.
પછી બીજો પંડિત ખેલ્યા :
कपिलः प्राणीनां दया ।
પ્રાણીઓ પર દયા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પ વિશારદ કપિલ ઋષિના મત છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૩૭
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા પછી ત્રીજે પંડિત ગો :
बृहस्पतिरविश्वासः, કેઈ પર અંધવિશ્વાસ રાખ નહિ, એ નીતિશાસ્ત્રમાં પરમ નિપુણ બૃહસ્પતિને મત છે. છેવટે ચોથે પંડિત છે ?
પચાર સ્ત્રીપુ જાવ સ્ત્રીઓ પ્રત્યે મૃદુતાથી વર્તવું, એ કામશાસ્ત્રમાં કાબેલ પાંચાલ ષિને મત છે.
આ રીતે દરેક પંડિતે એક લાખ શ્લેકને સંક્ષેપ માત્ર એક એક ચરણમાં સંભળાવતાં રાજા ઘણે ખુશી થયે અને તેમને ભારે ઈનામ આપ્યાં.
એટલે લાખ કલેકેને સારી માત્ર એક ક્રિયામાં ઉતરી શકે છે.
અમે અનુભવે જોયું છે કે સામાયિકની ક્રિયા થડે વખત કરવામાં આવે તે પણ તે મન-વચન-કાયાને પવિત્ર કરે છે, શાંતિ અને સમતાને અનુભવ કરાવે છે તથા ધર્મભાવનામાં ભરતી લાવે છે, તે પછી લાંબા સમય સુધી સામાયિકની કિંયા કરનારને કયા લાભ ન થાય ?
કેટલાક એમ સમજે છે કે “સામાયિક તે એક સામાન્ય ક્રિયા છે અને તે ડેસા-ડોસીઓ કે કુરસદિયા લેકને કરવા જેવી છે, તેમાં આપણું કામ નહિ. પણ આ
Page #147
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન:
૩૮
પછી,
સમજણ ભૂલભરેલી છે. શ્રાવક-શ્રાવિકા માટે સામાયિકની જે ક્રિયા કરવાનું વિધાન છે, તે સામાયિકની મહાસાધનાના એક પ્રતીક રૂપ છે અને તે આધ્યાત્મિક વિકાસ સાધવા માટે તથા યોગસાધના કરવા માટે એક સુંદર સાધન છે, તેથી નાના—મેટા સહુએ કરવા જેવી છે. જે લોકો એમ કહે છે કે વ્યવહાર અને વ્યાપાર પહેલા, ધાર્મિક ક્રિયા તે ગાડીની આગળ ઘેાડા જોડવાને બદલે પાછળ જોડે છે અને તે ગાડીને હુંકારવાના પ્રયત્ન કરે છે, પછી તેનુ પરિણામ દુ:ખ, શોક કે નિરાશામાં આવે તેમાં નવાઈ શી ? જેમ ગાડીની આગળ ઘેાડો જોડવાથી તે ખરાબર ચાલે છે, તેમ જીવનમાં ધર્માંને પ્રાધાન્ય આપવાથી, ધામ ક ક્રિયાઓને મહત્ત્વ આપવાથી જીવન સ ંવાદી ( Harmonius ) અને સુંદર અને છે. તાય કે વ્યવહાર અને વ્યાપારની ગમે તેવી ધમાલ હાય, તે પણ સામાયિકની ક્રિયા દરરોજ કરવા જેવી છે.
સામાયિક એ સર્વ આધ્યાત્મિક ક્રિયાઓના સાર છે. તેથી પણ તે સારભૂત અને સુંદર છે. આ વસ્તુ અમે પાઠક મિત્રાને સ્પષ્ટતાથી સમજાવવા ઈચ્છીએ છીએ.
6
આધ્યાત્મિક વિકાસ માટે જે ક્રિયાએ અવગ્ય કરવા જેવી છે, તેને જૈન ધર્મીમાં · આવશ્યક’ની સંજ્ઞા અપાચેલી છે. આવાં આવશ્યકો છે છે: (૧) સામાયિક, (૨) ચતુર્વિ શતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણુ, (૫) કાર્યા-ડ્સ અને (૬) પ્રત્યાખ્યાન. તેમાં સામાયિકના મુખ્ય હેતુ
Page #148
--------------------------------------------------------------------------
________________
સામાયિક–સારભૂત સુંદર ક્રિયા
૩૯
6
મનુષ્યમાં રહેલી રાગ-દ્વેષની વૃત્તિઓને ઘટાડી સમત્વ કે સમભાવ તરફ લઈ જવાના છે. ચતુવિંશતિસ્તવના મુખ્ય હેતુ ચાવીશ તી કરી પ્રત્યે અનન્ય ભક્તિ ઉત્પન્ન કરવાને છે. વદનના મુખ્ય હેતુ ગુણવાન ગુરુ પ્રત્યે વિનય કેળવી તેમની કૃપા મેળવવાનો છે. પ્રતિક્રમણના મુખ્ય હેતુ જાણે કે અજાણે થયેલી ભૂલેાને સુધારી ભાવી ભૂલેા સામે પાળ બાંધવાના છે. કાચાસ ના મુખ્ય હેતુ કાયાનું મમત્વ ટાળી મનની વૃત્તિએને આત્મા તરફ વાળવાના છે અને પ્રત્યાખ્યાનના મુખ્ય હેતુ આત્માને સંયમમાં લાવી ત્યાગ ગુણ કેળવવાના છે. X છ આવશ્યકોમાં સામાયિકને પ્રથમ મૂકવાનું કારણુ શુ' ? ' આ પ્રશ્નના ઉત્તર શ્રીમાન હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં આ પ્રમાણે આપ્યા છે : તંત્ર પ્રથમ मध्ययनं सामायिकं समभावलक्षणत्वात् चतुर्विंशतिस्तवादीनां ૪. તદ્દ મેકવાન પ્રાધન્યમસ્યંતિ ' ષડાવસ્યકનાં છ અધ્યયનામાં પહેલું અધ્યયન સામાયિક છે. સમભાવ લક્ષણને લીધે તે સામાયિક કહેવાયું છે. ચતુર્વિશતિસ્તવઆદિ બીજા પાંચ અધ્યયનેા તેના જ ભેદો છે, એટલે તેની પ્રાથમિકતા સમજવાની છે.' તાત્પર્ય કે છ આવશ્યકેામાં સામાયિક એ સાધ્ય હાવાથી પહેલુ મૂકાયેલું છે અને બીજા' પાંચ આવશ્યક તેનાં સાધના કે અગા હેાવાથી પછી મૂકાયેલાં છે.
X
· શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રોટીકા ના ત્રણ દળદાર ભાગેામાં આ છ આવશ્યક પર અમે વિસ્તૃત વિવેચન કરેલુ છે, તે જિજ્ઞાસુએએ જરૂર જોવુ.
Page #149
--------------------------------------------------------------------------
________________
go
સામાયિક-વિજ્ઞાન જ્યારે શ્રીમાન હરિભદ્રસૂરિ જેવા જૈન શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા આ વસ્તુ કહી રહ્યા છે, ત્યારે તેને યથાર્થ માનવી જ રહી. આજે “ષડાવશ્યકને સંસ્કાર આપણું મન પર દઢ થયેલ છે, એટલે પ્રશ્ન ઉઠે છે કે “આ શી રીતે હોઈ શકે ?” પણ જિનાગમેના પ્રાચીન ઉલ્લેખ આ વસ્તુનું પૂરું સમર્થન કરે છે.
આવશ્યકનિર્યક્તિમાં કહ્યું છે કે “તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિવાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગે પર્યત ભણ્યા.
જ્ઞાતાધર્મકથા નામને છÉ અંગસૂત્રના શૈલકજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે “ત્યારબાદ તે થાવગ્રા પુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથા પ્રકારના ગુણવિશિષ્ટ
વિરે પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વોને અભ્યાસ કરે છે. તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે.'
શ્રી ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં &દચરિત આવે છે. તેમાં જણાવ્યું છે કે “તે કંઇક અણ ગાર ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરે પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કરે છે.”
આવા ઉલ્લેખ જિનાગમમાં અનેક સ્થળે થયેલા છે. જ્યારે કેઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરી શ્રુતના પારગામી
13 પાર સમાચાર દીક્ષા અંગીક
પૂર્વનું
Page #150
--------------------------------------------------------------------------
________________
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા
૪૧ થયા, એવું કહેવું હોય ત્યારે તેમણે સામાયિક આદિ અગિયાર અંગે કે સામાયિક આદિ ચૌદ પૂર્વે એવા શબ્દોને પ્રયોગ કરે છે. આનો અર્થ એ થયો કે શ્રમને-સાધુએને સહુ પ્રથમ સામાયિકસૂત્રનું અધ્યયન કરાવવામાં આવતું અને ત્યાર પછી જ અગિયાર અંગે તથા ચૌદ પૂર્વેને અભ્યાસ કરાવવામાં આવતું. સામાયિક એ સાધુ
જીવનની મુખ્ય સાધન હતી, એટલે તેને આ રીતે પ્રાથમિક્તા અપાતી. વળી દરેક સ્થળે સામાયિક શબ્દને જ પ્રયોગ કરે છે, નહિ કે ષડાવશ્યકને, એટલે સામાયિક મુખ્ય મનાતું અને બીજાં આવશ્યકે તેનાં સાધને કે અંગે મનાતાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
“બીજાં આવશ્યક સામાયિકનાં સાધને કે અંગે શી રીતે ? ” એ પ્રશ્ન પાઠકેના મનમાં અવશ્ય ઉઠવાને. તેને ખુલાસે એ છે કે વીશ તીર્થકરે સામાયિકના સાધકે તથા ઉપદેશક હતા. તેથી તેમનું સ્મરણ કરતાં સામાયિકની ભાવના પુષ્ટ થાય છે, આદર્શ સામાયિક કેવું હોવું જોઈએ ? તેને ખ્યાલ આવે છે અને તેમના સભુત ગુણોનું કીર્તન કરતાં ચિત્તમાં રહેલે રાગ-દ્વેષરૂપી મલ ઓછા થતાં સમભાવની સિદ્ધિમાં સહાય મળે છે, એટલે તેને સામાયિકનું એક અંગ માનવામાં આવ્યું છે.
ગુણવાન ગુરુને વિનય કરતાં સામાયિકના હેતુઓ સમજાય છે, સામાયિકનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે અને તેના વિધિ અંગે એગ્ય માર્ગદર્શન મળે છે, તેથી તેને
Page #151
--------------------------------------------------------------------------
________________
૪૨
સામાચિક—વિજ્ઞાન
પણ સામાયિકનું જ એક અંગ માનવામાં આવ્યું છે. જો ગુણવાન ગુરુના વિનય કરવામાં ને આવે તે સામાયિકના લાભ થાય નહિ, સામાયિકની ક્રિયા તેમની નિશ્રામાં, તેમના માદન નીચે જ કરવાની છે, પછી તેમને વિનય કર્યાં વિના કેમ ચાલે ? વળી દેવ અને ગુરુ અને પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાથી જ સામાયિકની સિદ્ધિ થાય છે, એટલે તેમને વિનય, તેમની ભક્તિ, તેમનું બહુમાન આવશ્યક છે.
પ્રમાદ, અણુસમજ કે ઉપયાગની ખામીને લીધે સામાચિકની ક્રિયામાં–સાધનામાં ઘણી સ્ખલનાએ થાય છે. પરંતુ પ્રતિક્રમણને આશ્રય લેતાં એ સ્ખલના સુધરી જાય છે અને નવી સ્ખલનાએ ન થાય, તેની તકેદારી જાગે છે. આ રીતે સામાયિકની શુદ્ધિ જાળવી રાખવામાં અને તેની ધ્યેયલક્ષી પ્રવૃત્તિને ગતિ આપવામાં પ્રતિક્રમણુ ખાસ સહાય કરે છે, તેથી તેને સામાયિકના એક અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે.
સામાયિક એ શુદ્ધ આધ્યાત્મિક ક્રિયા છે, પણ દેહની મમતાને લીધે તેમાં ડહેાળાણ થાય છે અને નહિ ધારેલા– નહિ પેલા દોષો ફૂટી નીકળે છે, પરંતુ કાયાત્સ તુ આલમન લેતાં દેહની એ મમતા દૂર થાય છે અને આત્મશૈાધન કરવાની અનેરી તક સાંપડે છે કે જે સામાયિકની સાધનામાં અત્યંત જરૂરી છે, તેથી કાયાત્સગને પણ સામાયિકનું એક અંગ ગણવામાં આવ્યું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
પ્રત્યાખ્યાન પાપને અટકાવનારું છે, ત્યાગગુણની અભિવૃદ્ધિ કરનારું છે અને સંકલ્પબલને વધારનારું છે. તેથી તેની ગણના પણ સામાયિકના એક અંગમાં જ કરેલી છે.
ટૂંકમાં સર્વ આધ્યાત્મિક ક્રિયાઓમાં પડાવશ્યકની મુખ્યતા છે અને ષડાવસ્થામાં સામાયિકની મુખ્યતા છે, એટલે તેને સર્વ આધ્યાત્મિક ક્રિયાઓને સાર સમજવાને છે.
અહી પ્રાસંગિક એટલું જણાવી દઈએ કે આજે તે પડાવશ્યક એ જાણે માત્ર બોલી જવાને વિષય હોય, એ રીતે તેનાં સૂત્રે પ્રતિકમણ-સમયે કડકડાટ બોલી જવામાં આવે છે, પણ તેના અર્થ–ભાવ-રહસ્યને વિચાર કરી તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવતા નથી, તેથી જ આપણું જીવનમાંથી અધ્યાત્મનો રંગ ઉડી ગયું છે અને ભૌતિકવાદની ભરતી થઈ રહી છે. તેનાં જે અનિષ્ટ પરિણામો આવ્યાં છે અને આવી રહ્યાં છે, તે આપણી આંખ ખોલના બનવા જોઈએ, પણ હજી સુધી બન્યાં નથી, એ કેટલું શોચનીય છે ?
પાઠકમિત્ર! જેન મહષિઓએ ધર્મ, તત્ત્વજ્ઞાન, અચાત્મ, ગ અને મંત્ર-યંત્ર-તંત્રના વિષયમાં ઘણું ખેડાણ કરેલું છે, તેનું આપણે શોધન કરીએ, તેને આપણે સંગ્રહ કરીએ, તેનાં રહસ્યને સમજવાને નિષ્ઠાભર્યો પ્રયાસ કરીએ તે આપણે આ વસ્તુઓ માટે અન્ય કઈ જગાએ નજર દોડાવવાની જરૂર નથી. અધ્યયન-અભ્યાસ માટે તે.
Page #153
--------------------------------------------------------------------------
________________
- ૪
સામાયિક-વિજ્ઞાન - તરફ નજર દોડાવીએ, એ જુદી વાત છે. અમે પોતે અમારી જિંદગીનાં ઘણાં કિંમતી વર્ષે એની પાછળ ગાળ્યાં છે અને તેનું કેટલુંક શુભ પરિણામ આવ્યું છે, પણ આ બધું વિશાલ પાયે અને વ્યવસ્થિતપણે થવું જોઈએ, એવી અમારી આંતરિક માન્યતા છે.
“સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રિયાથી મોક્ષ મળે છે” એવી આપણું મહાપુરુષની જોરદાર જાહેરાત છે, પણ આપણામાં નથી તે સમ્યગૃજ્ઞાન અને નથી તે સમકિયા! પછી આપણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શી રીતે કરવાના ? જે આપણે મેક્ષ જોઈને જ હોય તે આ પ્રશ્નની ગંભીર વિચારણા કરવી જોઈએ. તેના પ્રત્યેની ઉપેક્ષા આપણને અધઃપતન તરફ ઘસડી રહી છે અને હજી વિશેષ ઘસડશે, તેથી એ ઉપેક્ષા છોડે અને ગંભીર વિચારપૂર્વક સમ્યગૂજ્ઞાન તથા સમ્યકકિયાના માર્ગે આગળ વધવાને નિર્ણય કરે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ક્રિયા કેને કહેવાય?
ઉત્તર-જે આત્મશુદ્ધિ નિમિત્તે કરવામાં આવતી હોય, તે ક્રિયા કહેવાય. ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં આવી ક્રિયાનું જ મહત્ત્વ છે.
પ્રશ્ન-કિયા વિના કાર્યસિદ્ધિ થાય ખરી ?
ઉત્તર-ના. જે રાંધવાની ક્રિયા કરીએ તે જ રઈ થાય છે અને ભણવાની ક્રિયા કરીએ તે જ વિદ્યા મળે છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
સામાયિક-સારભૂત સુંદર ક્રિયા
૪૫
એ જ રીતે ધાર્મિક કે આધ્યાત્મિક ક્રિયાએ કરીએ, તે જ ધાર્મિક આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે.
પ્રશ્ન-જ્ઞાન વિના ક્રિયા થાય ખરી?
ઉત્તર-થાય, પણ તેનું ધાર્યુ પરિણામ આવે નહિ. જ્ઞાનથી ક્રિયાના હેતુ અને તેનુ સ્વરૂપ ખરાખર સમજાય છે અને તે કાર્યસિદ્ધિ માટે ઉપયોગી છે, તેથી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાનું વિધાન છે.
પ્રશ્ન—જો જ્ઞાનપૂર્ણાંક ક્રિયા કરવામાં આવતી હાય, તે તેમાં શ્રદ્ધાની જરૂર ખરી ?
ઉત્તર-હા. તેમાં શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિના જ્ઞાન નહિ,જ્ઞાન વિના ક્રિયા નહિ અને ક્રિયા વિના મુક્તિ નહિ, એ જૈન ધમે સ્વીકારેલા સિદ્ધાંત છે.
પ્રશ્ન-માત્ર શ્રદ્ધાથી ક્રિયા કરવામાં આવે તો ?
ઉત્તર-તા એ ક્રિયા ખરાખર થાય નહિ, શ્રદ્ધા અને ક્રિયા વચ્ચે જ્ઞાનની ભૂમિકા સ્વીકારવામાં આવી છે, તે . આપણે ભૂલવું ન જોઇ એ. જો માત્ર શ્રદ્ધાથી ક્રિયા ખરાખર થતી હાય તે જ્ઞાની ભગવંતા વચ્ચે જ્ઞાનને લાવત જ નહિ. શ્રદ્ધા એ ક્રિયા માટે એક આવશ્યક પગથિયું છે, પણ ક્રિયાશુદ્ધિ માટે તે જ્ઞાનની જરૂર પડે જ છે. આપણા અંતરમાં શ્રદ્ધા હાય કે હું માટે। સંગીતકાર થઈશ અને તે માટે થોડાં વાજિંત્રો ભેગાં કરી ગમે તેમ વગાડવા માંડીએ તે સંગીતકાર થવાતું નથી. તે માટે સંગીતવિદ્યાનુ ચાગ્ય વ્યક્તિ
Page #155
--------------------------------------------------------------------------
________________
૪૬
સામાયિક-વિજ્ઞાન પાસેથી જ્ઞાન મેળવવું પડે છે અને તેના આધારે આગળ - વધવું પડે છે. તે જ એક દિવસ સંગીતકાર થઈ શકાય છે.
પ્રશ્ન-માત્ર શ્રદ્ધાથી કરાયેલી ક્રિયાનું ફલ તે મળે ને?
ઉત્તર-ફલ મળે, પણ ઘણું ઓછું. જે વ્યાપારમાં લાખ રૂપિયાના નફાની આશા રાખી હોય, તેમાં એ બસોને લાભ થાય, એ કંઈ લાભ કહેવાય?
પ્રશ્ન-કિયા કરતી વખતે મનમાં કે ભાવ હોવું જોઈએ? ઉત્તર–શુદ્ધ. પ્રશ્ન-શુદ્ધ ભાવ કેને કહેવાય ?
ઉત્તર–જેમાં સાંસારિક સુખની કોઈ પણ પ્રકારની - ઈચ્છા-આશા-આકાંક્ષા–અભિલાષા ન હોય, પણ માત્ર આત્મવિકાસની જ ભાવના હોય, તેને શુદ્ધભાવ કહેવાય.
પ્રશ્ન-શું આ શક્ય છે ખરું?
ઉત્તર–શક્ય છે, તેથી તે જણાવીએ છીએ. મહાપર જે ક્રિયા વડે સંસારસાગરને પાર કરી ગયા, તે આવા શુદ્ધ ભાવવાળી કિયા હતી.
પ્રશ્ન–શું સામાયિકની ક્રિયા રેજ કરવી જોઈએ ?
ઉત્તર-હા. તેનાથી લાભ જ છે, તેથી તે રેજ કરવી જોઈએ. શ્રાવકના દિનકૃત્યનું સૂચન કરતા “મન્નત જિણાવ્યું
સ્વાધ્યાયમાં “દિવ૬ બાવરણ, ઉષ્ણુતા ફોરૂ ઉદ્ધવ - -છ પ્રકારનાં આવશ્યકેમાં પ્રતિદિન ઉદ્યત થવું” એ શબ્દ - વડે તેને દિનકૃત્ય તરીકે નિર્દેશ કરાયેલે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
સામાયિક-સારભૂત સુંદર કિયા
પ્રશ્ન–રેજ સામાયિક કરવા જેટલે સમય ન હોય તે?
ઉત્તર-સમય તે મેળવ્યો મેળવાય છે. જે વહેલા ઉઠવાની ટેવ પાડીએ અને સમયને કરકસરભર્યો ઉપયોગ કરીએ તો રેજ એક નહિ, પણ બે કે ત્રણ સામાયિક જેટલો સમય જરૂર મળી રહે. મૂળ વાત એ છે કે સામાયિક કરવાની પ્રબલ ભાવના જોઈએ. ભાવના હોય તે બધું બરાબર ગોઠવાઈ જાય છે.
પ્રશ્ન-ચોવીશ કલાકમાં કેટલાં સામાયિકે કરી શકાય ?
ઉત્તર-જેટલાં ધારીએ તેટલાં. જ્યારે એમ લાગે કે હવે શિરીર અને મન સ્વસ્થ નહિ રહે, ત્યારે સામાયિક કરવાનું છેડી દેવું જોઈએ. એક સાથે ત્રણ સામાયિકે કરી શકાય છે, પછી તેને પારીને પાછું સામાયિક લઈ શકાય છે અને એ રીતે તેની સંખ્યા આગળ વધારી શકાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
સામાયિક–અનેરી યોગસાધના
સામાયિક એ સારભૂત સુંદર ક્રિયા છે તથા સર્વ આધ્યાત્મિક ક્રિયાના સાર છે, એ વસ્તુ ગત પ્રકરણમાં કહેવાઈ ગઈ. હવે સામાયિક એ અનેરી ચેાગસાધના છે, એ હકીકત પુષ્ટ પ્રમાણેા સાથે પ્રસ્તુત પ્રકરણમાં રજૂ કરીશુ.
જૈન ધમ પમ મેક્ષવાદી છે અને ચાગ એ મોક્ષપ્રાપ્તિનું સબલ સાધન છે, તેથી જ જૈનધમે યોગા સ્વીકાર કરેલા છે. પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ ભગવાને ચાગના પ્રકાશ કર્યાં હતા અને સ્વયં મહાયોગી બનીને પેાતાના શિષ્યસમુદાયને તેનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ શ્રી માનતુંગસૂરિએ ભક્તામરસ્તેાત્રમાં તેમને । વિતિયેાગ ’ અને ૮ ચેાગીશ્વર ’ તરીકે સ્તવ્યા છે. તેમની પછીના ખાવીશ
,
* त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं,
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ ‘વિદિતયેાગ' એટલે યાગને યથાથ પણે જાણનાર.
Page #158
--------------------------------------------------------------------------
________________
સામાયિક અનેરી યોગસાધના
૪
તીથ કરા પણ વિદ્વિતયાગ અને યોગીશ્વરા જ હતા, તેથી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પણ એ જ રસ્તે ચાલ્યા હતા, તેનાં અનેક પ્રમાણેા પ્રાપ્ત થાય છે. તે અંગે શ્રી જિનભદ્રગણક્ષમાશ્રમણે ધ્યાનશતકના પ્રારંભમાં કહ્યું છે કે
वीरं सुकझाणग्गदकम्मिणं पण भिऊण | जोइसरं सरणं झाणज्झयण पवक्खामि ||
· શુકલધ્યાન રૂપી અગ્નિથી કરૂપી ઈંધનાને બાળી નાખનાર, યાગીશ્વર અને શરણુ કરવા ચેાગ્ય, એવા શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને હું ધ્યાન સંબંધી અધ્યયન કહીશ.’ અહી' પ્રશ્ન થવે સહજ છે કે જે ચેાગસાધનાના સ્વીકાર કરે, તેમાં નિપુણ અને અને બીજા અનેકને તેનું મા દન આપે, તે જ યાગીશ્વર કહેવાય; તે શુ ભગવાન મહાવીરે કોઇ ચેાગસાધનાને સ્વીકાર કર્યાં હતા ? તેમાં તેઓ નિપુણ બન્યા હતા ? અને તેમણે આ વિષયનુ અનેકને માદન આપ્યું હતું? આ પ્રશ્નોના ઉત્તર તેમના ચરિત્ર પરથી જ મળી રહે છે.
ભગવાન મહાવીરે વૈરાગ્યથી વાસિત થઈ ને ત્રીશ વર્ષની ઉંમરે રાજ્ય પાટ તથા કુટુંબકબીલા છેાડીને સામાયિકની સાધના સ્વીકારી હતી અને તે જ એમની ચેાગસાધના હતી. આ સાધના સારી રીતે થઈ શકે તે માટે તેમણે પાંચ મહાત્રતાની ધારણાપૂર્ણાંક શ્રમણ-અવસ્થાના સ્વીકાર કર્યાં
સા. ૪
Page #159
--------------------------------------------------------------------------
________________
૫o
સામાયિક-વિજ્ઞાન હતું. તે અંગે વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે તવાર્થાધિગમસૂત્રની સંબંધકારિકામાં કહ્યું છે કેजन्मजरामरणात जगदशरण्यमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शुभाय धीमान् प्रवत्राज ॥ १५ ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥१६॥
“જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ જોઈ, વિશાલ પરંતુ નિઃસાર એવા રાજ્યસુખને ત્યાગ કરી, એ મેઘાવી મહાપુરુષ શમસાધના માટે પ્રત્રજિત થયા અને તેમણે સામાયિકકર્મ કરવાપૂર્વક વ્રતનો વિધિવત્ સ્વીકાર કરીને અશુભને શમાવનાર તથા મેક્ષને સાધનાર શ્રમણલિંગને ધારણ કર્યું.'
આ શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરે સંસાર છોડીને પ્રત્રજ્યા અંગીકાર કરી તેને મુખ્ય હેતુ શમસુખ હતું અને તે સામાયિક વડે જ સિદ્ધ થઈ શકે એવું હતું, તેથી તેમણે સામાયિક નામની શાસ્ત્રવિહિત યોગસાધનાને સ્વીકાર કર્યો અને આ સાધના યથાર્થપણે થઈ શકે તે માટે તેમણે વિધિપૂર્વક પાંચ મહાવ્રતો ધારણ કર્યા.
અનેકવિધ ઉપસર્ગો અને પરીષહ સહન કરવાને પ્રસંગે પ્રાપ્ત થવા છતાં તેઓ પિતાની આ સાધનામાંથી ચલાયમાન થયા ન હતા અને અંતે સિદ્ધિ પ્રાપ્ત કરીને
Page #160
--------------------------------------------------------------------------
________________
પ૧
સામાયિક –અનેરી યોગસાધના જ જંપ્યા હતા. મહાપુરુષો જે કાર્ય હાથ ધરે છે, તે પૂરું કર્યા વિના રહેતા નથી.
સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીરે પોતાના સર્વ અંતરશત્રુઓ પર જ્ય મેળવ્યો, એટલે તેઓ “જિન” કહેવાયા. પરમ પવિત્ર જીવનને લીધે સર્વ લેકમાં પૂજાયા, એટલે
અહંતુ ” તરીકે ઓળખાયા અને લોકેને તારવા માટે તેમણે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી, એટલે “તીર્થકર” તરીકે વિખ્યાત થયા.
ભગવાન મહાવીર મહાન યેગી છે, સર્વજ્ઞ અને સર્વદશી છે, એવું જાણીને હજારો લોકેએ વર્ણ કે ન્યાતજાતના ભેદ વિના તેમનું શરણ સ્વીકાર્યું. તે સર્વે ને તેમણે સામાયિની દીક્ષા આપી અને તેની પુષ્ટિ માટે પાંચ મહાવ્રત ધારણ કરાવ્યાં. આ રીતે તેમની છત્રછાયા અને માર્ગદર્શન નીચે ગાભ્યાસીઓનું–ગીઓનું એક મહાવૃંદ તૈયાર થયું, તેના તેઓ સ્વામી બન્યા.
આ રીતે ભગવાન મહાવીરે સામાયિકોગની સાધના સ્વીકારી હતી, તેમાં નિપુણતા–સિદ્ધિ મેળવી હતી અને અનેકને તેનું માર્ગદર્શન આપ્યું હતું, એટલે તેમને અપાચેલું ગીશ્વર વિશેષણ યથાર્થ છે.
જે ધર્મના વીશે તીર્થકરો-ધર્મ પ્રવર્તકે ગીશ્વર હોય, તે ધર્મમાં અને કેવું અને કેટલું મહત્વનું સ્થાન અપાયું હોય ? તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. જેનાચાર્યોએ ગિવિષયક અનેક ગ્રંથો લખ્યા છે, એ પણ જૈન ધર્મની
Page #161
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
ચેગપ્રિયતાને પ્રબલ પુરાવા છે. તેમાં શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યાગબિંદુ, ચેાવિંતિકા, યાગશતક અને યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ રચીને આ વિષય પર ઘણા પ્રકાશ પાડયો છે. ચૈાવિશતિકામાં તેમણે કહ્યું છે કેमुक्खेण जोयणाओ जोगो, सव्वो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाउ गओ विसेसेणं || ठाणुन्नत्थालंबणरहिओ तंतम्सि पंचहा भणिओ ।
પર
પ્રથમ આ ગાથાના શબ્દાર્થ કહીશું, પછી તેને વિશેષા કહીશુ અને પછી તેના પર વિવેચન કહીશું, તે જ તેમના આ કથનના ભાવા ખરાબર સમજાશે.
શદા —પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલે એવા સ પણ ધર્મ વ્યાપાર મેાક્ષમાં જોડનારા હાવાથી ચેગ જાણવા, વિશેષતાથી કહીએ તે સ્થાનાદિગત એવા જે ધમ વ્યાપાર તે ચાગ જાણવા. શાસ્ત્રોમાં આવા સ્થાનાદિગત ધર્મ વ્યાપાર સ્થાન, વર્ણ, અર્થ, આલખનસહિત અને આલ બનરહિત એમ પાંચ પ્રકારના કહેલા છે.
વિશેષા-પ્રણિધાનથી અત્યંત શુદ્ધ એટલે પરમ શુદ્ધ આશયવાળા, પ્રણિધાન શબ્દના ઘણા અથ થાય છે, તેમાંથી અહીં આશય અથ સંગત છે, ધર્મ વ્યાપાર એટલે ધને લગતી પ્રવૃત્તિ, ધાર્મિક ક્રિયા. મેાક્ષમાં જોડનાર એટલે માક્ષમાં લઈ જનાર, મેાક્ષની પ્રાપ્તિ કરાવનાર. ટાળ એટલે સ્થાન-સ્થાનગત ધર્મ વ્યાપાર. ઇન્ન એટલે વહુ –વણું ગત ધર્મ -
Page #162
--------------------------------------------------------------------------
________________
સામાયિક અનેરી યોગસાધના
વ્યાપાર, અર્થ એટલે અથ-અગત ધર્મ વ્યાપાર. બાવળ આલંબન--આલંબનસહિત એવા ધ વ્યાપાર અને ોિરહિત–આલ’ખનરહિત એવા ધર્માં વ્યાપાર. તાત્પય કે “ પરમ શુદ્ધ આશયથી થતી સધાર્મિક ક્રિયાઓ મેાક્ષની પ્રાપ્તિ કરાવનારી હાઈ ચેાગ કહેવાય. તેની વિશેષ કે ખાસ વ્યાખ્યા તા એ છે કે સ્થાનગત, વણુ ગત, અંગત, આલેખનસહિત અને આલ બનરહિત એ પાંચ પ્રકારના ધર્મ વ્યાપારને ચાગ જાણવા.’
૧૩
વિવેચન- જૈન ધમ ચાગને માને છે કે નહિ ? માને છે તે તેની વ્યાખ્યા કયા પ્રકારે કરે છે? અને તેના કેટલા પ્રકાશ કે કેટલાં અંગેા માને છે?” તે બધા પ્રશ્નોના ઉત્તર શ્રીમાન હરિભદ્રસૂરિએ ઉપર્યુક્ત ત્રણ પંક્તિઓમાં આપી દીધા છે. જૈન ધમ ચાગને માનનારા છે, એટલે જ ચૈાગ સંબધી વિચારણા છે. સ્વ-પર-હિતની સાધના એ જૈન સાધુઓને ધમ છે, એટલે સ્વ-પર-હિતાર્થે તેમણે આ ગ્રંથની રચના કરેલી છે. તેમણે આ વિષયમાં ગુરુમુખેથી જે કંઈ સાંભળ્યું તથા અનુભવ્યું, તેને સાર આ વીશ ગાથાની નાનકડી કૃતિમાં વ્યવસ્થિત રીતે રજૂ કરી દીધા છે, એટલે તે પરમ શ્રદ્ધેય છે.
તેએ જિજ્ઞાસુજાને ચેાગનું રહસ્ય સમજાવવા ઇચ્છે છે, તેથી પ્રથમ યાગની વ્યાખ્યા કરે છે. આ વ્યાખ્યામાં પ્રથમ સામાન્ય અને પછી વિશેષ એ શાસ્ત્રીય કમને તેએ અરાખર અનુસરે છે. પ્રથમ સામાન્ય વ્યાખ્યા કરવાનું કારણ
Page #163
--------------------------------------------------------------------------
________________
પ૪
સામાયિક-વિજ્ઞાન. એ છે કે તેને વ્યુત્પન્ન-વ્યુત્પત્તિજન્ય અર્થ ખ્યાલમાં આવે. આ અર્થ વ્યવહારમાં સર્વત્ર ઉપયોગી નથી, તે પણ શબ્દની ઉત્પત્તિ અને તેને મૂળ આશય સમજવામાં તે જરૂર કામ લાગે છે. પછી વિશેષ વ્યાખ્યા કરવાનું કારણ એ છે કે તે અંગેનું પ્રચલિત વ્યવહાર લક્ષ્યમાં આવે અને તેની સિદ્ધિ કરી શકાય.
તેઓ કહે છે કે “ચોકના ચો:” એ વ્યુત્પત્તિને સ્વીકાર કરતાં “પરમ શુદ્ધ આશયવાળી જે જે ક્રિયાઓ મોક્ષમાં જોડાનારી છે, તે બધી જ વેગ કહેવાય, કારણ કે તેમાં જોડવાની ક્રિયા રહેલી છે. ગ શબ્દ ગુર-જોડવું, to unite એ ધાતુ પરથી બનેલ છે, એટલે તે જોડવાને અર્થ દર્શાવે છે. પરંતુ યોગ શબ્દથી ખરેખરી કઈ કિયાને વ્યવહાર છે? તે આમાંથી સ્પષ્ટ થતું નથી, એટલે તેમણે તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ “નિગ્રંથ સંપ્રદાયમાં પરંપરાથી પ્રચલિત એવી (૧) સ્થાનગત, (૨) વગત, (૩) અર્થગત, (૪) આલંબનસહિત અને (૫) આલંબનરહિત એવી પાંચ પ્રકારની ક્રિયાઓ મોક્ષમાં જોડનારી હેવાથી તેના સમુદાયને યોગ જાણ.”
આ પરથી એમ સમજવાનું કે જૈન ધર્મમાં પંચાંગ
પદ્ધતિ ઘણું પ્રાચીનકાલથી ચાલી આવતી હતી. તેમણે ત્રીજી પંક્તિમાં “તંતમ્ વંવદ્દા મળ’ કહ્યું છે, એટલે આ વસ્તુ પિતાની મતિકલ્પનાથી નહિ, પણ પ્રાચીન શાસ્ત્રીય ઉલ્લેખના આધારે કહી છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
સામાયિક-અનેરી ગસાધના
પપ અહીં સ્થાનગતકિયાને શું અર્થ છે ? વર્ણગતક્રિયાથી શું સમજવાનું છે? અર્થગતક્રિયાથી કઈ વસ્તુ અભિપ્રેત છે? અને આલંબનસહિત અને આલંબનરહિતથી કઈકિયાએને નિર્દેશ કરવામાં આવ્યો છે? તે બધું કમશઃ વિચારીશું.
સ્થાનગત કિયા એટલે સ્થાન સંબંધી કિયા. અહીં સ્થાનથી એક સ્થાને પ્રતિબદ્ધ થવાની ક્રિયા સમજવાની છે. સ્થાનથી પ્રતિબદ્ધ થવું, એટલે ગસાધના માટે અનુકૂલ સ્થાનની પસંદગી કર્યા પછી ત્યાં સ્થિર થવું, પણ તે સ્થાનને બદલવું નહિ. અહીં આસન શબ્દને પ્રયાગ ન કરતાં સ્થાનને –સ્થાનગત કિયાનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ? તે સમજવા જેવું છે. આસનમાં તે માત્ર બેસવાને અર્થે આવે છે, ત્યારે સ્થાનમાં-સ્થાન પ્રતિબદ્ધતામાં ઊભા રહેવાને, બેસવાને અને સૂવાને એમ ત્રણેય અર્થ સમાયેલા છે.
શું યોગસાધના આ ત્રણેય અવસ્થામાં થાય ખરી?” એને ઉત્તર જૈનશા અને પરંપરાના આધારે અમે હકારમાં આપીએ છીએ. ઉપર જણાવી તે ગસાધના છદ્મસ્થાવાસ્થામાં રહેલા તીર્થકર દેવે, જિનકલ્પી સાધુઓ અને અન્ય સામર્થ્યવાન આત્માઓ ઊભા ઊભા જ કરતા. તમે શ્રી તીર્થકર દેવેની ઊભી પ્રતિમા ધ્યાનાવસ્થામાં જોઈ હશે. દક્ષિણાપથમાં શ્રવણળગેલમાં શ્રીબાહુબલીની પ૬ ફૂટ ઊંચી વિરાટકાય પ્રતિમા છે, તે ઊભેલી અવસ્થામાં છે. કાર્યોત્સર્ગમાં જે ગણેશ દોષ થવાની સંભાવના છે, તે ઊભેલી અવસ્થાને લક્ષ્યમાં રાખીને
Page #165
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન જણાવેલા છે, એટલે જૈન ધર્મમાં ઊભા ઊભા ગસાધના કરવાની પદ્ધતિ પ્રચલિત હતી, એ નિશ્ચિત છે.
પરંતુ ઊભા ઊભા ગસાધના કરવામાં શારીરિક સામર્થ્ય ઘણું ઊંચા પ્રકારનું જોઈએ. અમને ખ્યાલ છે કે એક મુમુક્ષુ આ પ્રાચીન પ્રણાલિકાનું અનુસરણ કરી બાર કે ચૌદ કલાક કાસગવસ્થામાં ઊભા રહેવા જતાં તેમના પગ સૂજી ગયા હતા અને પછી તેઓ બિલકુલ ઊભા રહી શકતા ન હતા. ઘણા દિવસના ઔષધાદિ ઉપચાર પછી તેઓ સારા થયા હતા અને ત્યાર પછી “શક્તિ પ્રમાણે ભક્તિ કરવા લાગ્યા હતા.
જેઓ ઊભા ઊભા યોગસાધના કરવા જેટલું શારીરિક સામર્થ્ય ધરાવતા ન હતા, તેઓ બેઠા બેઠા ચાગસાધના કરતા હતા અને તે માટે પદ્માસન, પર્યકાસન, સ્વસ્તિકાસન આદિ આસનને ઉપગ કરતા હતા. આજે તે મેટા ભાગે બેઠા બેઠા જ ગસાધના થાય છે અને તેમાં મુખ્યત્વે સુખાસનને જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ આસને લાંબા સમય સુધી બેસી શકાય છે. પલાંઠી વાળીને બેસવું, તેને ગની પરિભાષામાં સુખાસન કહે છે.
અંતસમય નજીક જાણીને મહામુનિઓ વગેરે અણસણ કરતા, તે વખતે તેઓ કેઈ મોટી શિલાને પૂછ–પ્રમાજીને તેના પર સૂઈ રહેતા. આ વખતે પણ તેમની ઉપર્યુક્ત યોગસાધના ચાલુ રહેતી, એટલે કે સૂતાં સૂતાં પણ યોગસાધના થતી.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ૭
સામાયિક-અનેરી ગસાધના
આ રીતે સ્થાન પ્રતિબદ્ધતામાં ઊભા, બેસવા તથા સૂવાને અર્થ સમાયેલું છે, એટલે તે આસન શબ્દ કરતાં વધારે વ્યાપક છે. પ્રાચીનકાલમાં આસન શબ્દ કરતાં આ ટાપસ્થાન શબ્દને જ ખાસ ઉપગ થતું, તે અન્નત્થસૂત્રમાં આવતા “કાળે મોળેvi સાથેvi” આદિ શબ્દો પરથી સમજી શકાય એવું છે.
જ્યાં વિશેષ કાંટા-કાંકરા ન હોય, હિંસક પશુઓને ભય ન હોય તથા નજીકમાં વિશેષ ઘંઘાટ ન હોય, તેવું સ્થાન ગસાધના માટે વિશેષ પસંદગી પામતું. . ટૂંકમાં જેનેની પ્રાચીન પદ્ધતિનું પ્રથમ અંગ સ્થાન પ્રતિબદ્ધતા હતું અને તેને ખૂબ ચીવટાઈથી અમલ
થત.
વર્ણગતક્રિયા એટલે વર્ણ કે અક્ષરના આલંબનથી થતી કિયા. વર્ણ કે અક્ષરના સંયેજનથી સૂત્રે નિર્માણ થાય છે. શાસ્ત્રોમાં તેનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે
अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवा च सूत्रं सूत्रविदो विदुः॥
જે થોડા અક્ષરવાળું હોય, સંદેહરહિત હય, સારુ ગર્ભિત હોય, સર્વ ભણી મુખવાળું હોય, એટલે કે યથાગ્ય અન્વય થવાની ગ્યતાવાળું હોય, નિરર્થક શબ્દ વિનાનું હોય અને નિર્દોષ હોય, તેને સૂત્રવેત્તાઓ સૂત્ર જાણે છે–કહે છે.”
Page #167
--------------------------------------------------------------------------
________________
૫૮
સામાયિક-વિજ્ઞાન. - શ્રી તીર્થકરદે કે જ્ઞાની ભગવંતેનાં વચને સૂત્રરૂપ, હોય છે, એટલે કે તેમાં ઘણું જ્ઞાન ભરેલું હોય છે. ખાસ કરીને આત્માને ઢંઢોળવાની, જગાડવાની, કુતિમાં લાવવાની અને તેને કામે લગાડવાની અદ્દભુત–અપૂર્વ શક્તિ તેમાં ભરેલી હોય છે, એટલે સ્થાન પ્રતિબદ્ધ થયા પછી ગુરુએ આપેલા કે પોતે પસંદ કરેલા આવા કઈ પણ સૂત્રની આવૃત્તિ કરવામાં આવતી. તેનાથી મનને એકાગ્ર કરવામાં મદદ મળતી અને અધ્યાત્મ તરફનું વલણ વધતું. “અપ્પા સો ઘરમHI’ “Sણું નત્યિ શોરૂ” “નાળ-વિશ્વરિયાë મુક્યો” વગેરે આ પ્રકારનાં સૂત્રે હતાં.
મનનાટુ મન્નઃ' એ વ્યાખ્યા અનુસાર જે સૂત્ર કે જે શબ્દસંજન વારંવાર મનન–રટણ કરવાને ગ્ય હતું, તે મંત્ર કહેવાતું. એટલે મેંગસાધનાની આ બીજી ભૂમિકાએ મંત્રજપ પણ થતો. તેમાં નમસકાર મહામંત્રનાં પ્રથમ પાંચ પદે, ચૂલિકાસહિતને પૂરો પાઠ, અહં” મંત્ર વગેરે ખાસ પસંદગી પામતા. “ ફ્રી જ નમઃ' એ ચાર પદો અહંમંત્ર તરીકે ઓળખાતા. તે સંબંધી વિસ્તૃત વિવેચન અમેએ “સિદ્ધિદાયક સિદ્ધચક્ર” નામના ગ્રંથમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું.
અન્ય વેગસંપ્રદાયે પણ યોગસિદ્ધિ માટે મંત્રજપનો આશ્રય લેતા, એ હકીકત શ્રીપતંજલિ મુનિકૃત ગદર્શન પરથી જાણી શકાય છે. તેમાં “તસ્ય વાર: પ્રણવઃ . ” તન્ન પત્તર્થમાવનમ્ ” એ સૂત્રે આવે છે. તેને અર્થ એ છે
Page #168
--------------------------------------------------------------------------
________________
૫૯ :
સામાયિક–અનેરી ચાગસાધના
કે તેને—તે પરમેશ્વરના વાચક પ્રણવમત્ર એટલે ૐકાર છે. તેને જપ કરવા તથા તેની અભાવના કરવી.’
અહી' પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈ એ કે શ્રી પત જલિમુનિએ ચેાગઢનની રચના કરતાં પહેલાં ભારતની અનેકવિધ ચેાગપદ્ધતિઓ-પ્રણાલિકાઓનુ નિરીક્ષણ કર્યું હતું, તેમ જૈનયેાગપદ્ધતિનું પણ નિરીક્ષણ કર્યું હશે એમ લાગે છે, કારણ કે તેમાં અનેક સ્થળે જૈનયોગપદ્ધતિના પારિભાષિક શબ્દો વપરાયેલા છે. કોઈ જૈન વિદ્વાન આ વિષયમાં ઊડા ઊતરીને ખાસ નિબંધ તૈયાર કરે, એ જરૂરનુ છે.
ટૂંકમાં જૈનોની પ્રાચીન યાગપદ્ધતિનું બીજું અગ સ્વાધ્યાય કે જપ હતું અને તે યાસિદ્ધિ માટે અસરકારક ભાગ ભજવી જતું.
અ ગતક્રિયા એટલે અચિ ંતન, અ ભાવના કે અનુપ્રેક્ષા. સ્વાધ્યાય કે જપ માટે જે સૂત્ર કે મંત્ર ગ્રહણ કરેલા હાય, તેના અર્થનુ આ ભૂમિકાએ ખૂબ ઊંડાણથી ચિંતન થતું. વિશેષતા આ ભૂમિકાએ ખાર ભાવના એટલે દ્વાદશાનુપ્રેક્ષાનો આશ્રય લેવાતા, જેથી આત્માને અધ્યાત્મને પાકો રંગ ચડી જતા. ભગવદ્ગીતાની ભાષામાં કહીએ તે આથી સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકા તૈયાર થતી. બૌદ્ધો પણ પોતાની ચેાગસાધનામાં ભાવનાના ઉપયાગ કરતા. ચાર ભાવનાનુ સેવન પણ આ ભૂમિકાએ ઉપયેગી મનાતું.
આજે વાચના છે, પૃચ્છના છે અને પરિવત ના પણુ છે, પરંતુ અનુપ્રેક્ષા નથી, તેથી જિનપર્દિષ્ટ આધ્યાત્મિક રહસ્યાના સૂક્ષ્મ બેધ થતા નથી. અનુપ્રેક્ષા માટે કાયાત્સગ ને
Page #169
--------------------------------------------------------------------------
________________
o
સામાયિક-વિજ્ઞાન -અભ્યાસ જરૂરી છે, પણ એ તે આજે માત્ર નામને રહ્યો છે. કેઈ વિરલ આત્માથી પુરુષે જ તેને અભ્યાસ કરતા જણાય છે !
ટૂંકમાં, જેનેની પ્રાચીન પદ્ધતિનું ત્રીજું અંગ ભાવના કે અનુપ્રેક્ષા હતું કે જેનું આલંબન લેતાં ઘણી વાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ જેવાં ચમત્કારિક પરિણામે આવતાં. ભાવનાબળે કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરનારા અનેક ભવ્યાત્માઓની ધ જૈનશાસ્ત્રોમાં થયેલી છે.
આલંબનસહિત એટલે સાલંબન ધ્યાન અને આલંબન- રહિત એટલે નિરાલંબન ધ્યાન. આ બંને ધ્યાનેનું વર્ણન આગળ ધ્યાન-પ્રકરણમાં આવશે, પણ તે અંગે હાલ એટલું જણાવી દઈએ કે ભાવના પછી ધ્યાનને અધિકાર હતું અને તે સાધકને સમભાવમાં સ્થિર કરી મોક્ષ સુધી લઈ જતે.
શ્રીમાન હરિભદ્રસૂરિએ રોગની જે વ્યાખ્યા કરી છે, તે સામાયિકને બરાબર લાગુ પડે છે, કારણ કે તે આત્માને મોક્ષમાં જોડનારી ક્રિયા છે. એમની જે અન્ય પ્રસિદ્ધ વ્યાખ્યાઓ છે, તે પણ સામાયિકને બરાબર લાગુ પડે છે, તેથી તેનું યોગત્વ સિદ્ધ છે. દાખલા તરીકે ગની એક વ્યાખ્યા એવી છે કે “જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે તે ગ.” તો સામાયિક જીવાત્માને-સામાન્ય આત્માને પરમાત્મા સાથે જોડે છે, એટલે કે પરમાત્મપદે પ્રતિષ્ઠિત કરે છે. એમની બીજી વ્યાખ્યા એવી છે કે જે આત્મદર્શનને ઉપાય તે ગ. તો સામાયિક એ આત્મદર્શનને જ ઉપાય છે. ગની
Page #170
--------------------------------------------------------------------------
________________
સામાયિક અનેરી યોગસાધના
6
ત્રીજી વ્યાખ્યા એવી છે કે ઃ સમત્વ એ ચેાગ સામાયિક એ સમત્વને સમભાવને સાધનારી જ ક્રિયા છે. ચેગની ચેાથી વ્યાખ્યા એવી છે કે · કર્મીની કુશલતા તે ચેાગ છે.” તે સામાયિકમાં કર્મીની વિહિત ક્રિયાઓની કુશલતા રહેલી છે. ચેાગની પાંચમી વ્યાખ્યા એવી છે કે ચિત્તવૃત્તિએને નિરાય એ યેાગ છે.” તે સામાયિકમાં ચિત્તની સ ક્લિષ્ટ વૃત્તિઓને નિરોધ કરવામાં આવે છે.
છે.
.
૬૧
તા .
<
હાલમાં ચેગની કેટલીક નવી વ્યાખ્યાએ પ્રચલિત થઈ છે, તે પણ સામાયિક એ ચેાગ હાવાનુ સિદ્ધ કરે છે. દાખલા તરીકે તેમાંની એક વ્યાખ્યા એવી છે કે જે વિચાર, વાણી અને વનને પૂરેપૂરા કાબૂમાં લાવે તે ચેાગ.’ તા સામાયિકની ક્રિયા વિચાર, વાણી અને વર્તનને પૂરેપૂરા કાબૂમાં લાવનારી છે. તેમાંની બીજી વ્યાખ્યા એવી છે કે ‘ જે મનુષ્યના પૂ વિકાસ કરે તે ચેાગ.' તે સામાયિક મનુષ્યના પૂર્ણ વિકાસ કરે છે.
તાત્પર્ય કે સામાયિકના યાગત્વ અંગે કોઈ એશી શંકા કરવા જેવું નથી.
હવે ચાગના પ્રકારો પર આવીએ. ભારતવષ માં યાગની જે પ્રણાલિકાઓ વિકાસ પામી, તેમાં મુખ્યત્વે ચાર પ્રકારો હતા ઃ (૧) મ ંત્રયાગ, (૨) હયેાગ, (૩) લયયોગ અને (૪) રાજ્યાગ, તેમાં મંત્રયોગ કરતાં હાગ ચડિયાતા ગણાતા, હઠયોગ કરતાં લયયેાગ ચડિયાતા ગણાતા અને લયયેગ કરતાં રાજ્યેાગ ચડિયાતા ગણાત, એટલે કે રાજ્યેાગ સર્વાં
Page #171
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન શ્રેષ્ઠ ગણાતો. તેમાં મંત્રગનો મદાર ગુરુદત્તમંત્ર પર હતું, હઠગને મદાર મુખ્યત્વે હ–ઠ નામની પ્રાણકિયા પર હતા, લગને મદાર મલય પર હતા અને રાજગન મદાર યમ–નિયમાદિ સાધને પર હતું. આ ચેગ પરમાત્માને પ્રાપ્ત કરવાને રાજમાર્ગ હતો અને સર્વ રોગોને રાજા હતે, એટલે તે રાગ તરીકે પ્રસિદ્ધિ પામે. કિલષ્ટ કિયાઓને આધાર ન લેતાં આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને દયાનના બળે આગળ વધવું એ એની પદ્ધતિ હતી. આ પદ્ધતિ જૈન ધર્મ તે પ્રથમથી જ અપનાવી હતી, એટલે તેણે જેલી સામાયિકની ક્રિયા વિશિષ્ટ કોટિના રોગની સાધના હતી અને તે શમણ સમુદાય તથા અન્ય સાધકવર્ગ માં ઘણી આદરપાત્ર બનેલી હતી. પરંતુ કાલાંતરે એક યા બીજા કારણે આપણે અધ્યાત્મ અને પેગની બાબતમાં ઢીલી દોર મૂકી અને ભક્તિ તથા ઉત્સવ–મહોત્સવે પર વધારે જોર આપ્યું, એટલે આ વસ્તુ ભૂલાઈ ગઈ અને સામાયિકને એક ધાર્મિક ક્રિયા કહી સંતોષ માન્યો. પરંતુ હવે યોગના પુનરુદ્ધારને સમય આવી ગયો છે, એટલે આપણે આપણા પ્રાચીન ગખજાના તરફ દષ્ટિ દોડાવીએ અને તેમાં જે કંઈ સારભૂત જણાય, તેને જગતના ચેકમાં રજૂ કરીએ.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ધર્મ, અધ્યાત્મ અને યોગની મર્યાદાઓ શી છે?
* આ ચારે વેગને વિસ્તૃત પરિચય અમાએ આત્મદર્શનની અમેઘ વિદ્યા નામના ગ્રંથમાં આપેલ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
સામાયિક-અનેરી યોગસાધના
૩
-
ઉત્તર-ધર્મ માં મુખ્યત્વે આચાર – વિચારની નિયત ભૂમિકાઓને સ્પર્શીવાની હોય છે; અધ્યાત્મમાં મુખ્યત્વે આત્મસ્વરૂપ તથા આત્મવિકાસની વિચારણાઓને પ્રાધાન્ય આપી તે માટે પ્રયત્નશીલ બનવાનુ હાય છે અને યાગમાં આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કે મેક્ષપ્રાપ્તિ માટે યોજાયેલી વિશિષ્ટ પ્રક્રિયાઓને અનુસરવાનું હેાય છે.
પ્રશ્ન–પ્રાચીન નિગ્રંથ-સંપ્રદાયે ધર્મ, અધ્યાત્મ અને ચેાગમાંથી કેાને વધારે મહત્ત્વ આપ્યું હતું?
ઉત્તર–પ્રાચીન નિગ થ-સંપ્રદાયે ધર્મના અ ઘણા વિશાલ કર્યાં હતા અને અધ્યાત્મ તથા યોગને તેના જ એક ભાગ ગણ્યો હતા. તેઓ ધર્મના સાર અધ્યાત્મ અને અધ્યાત્મને સાર યોગ માનતા હતા.
પ્રશ્ન તેઓ ધમ ના સાર અધ્યાત્મ શી રીતે માનતા ? ઉત્તર-મનુષ્યની વિવિધ ભૂમિકાએ લક્ષ્યમાં રાખીને ધર્માંની અંદર અનેક પ્રકારની વિચારણાઓને સ્થાન અપાયેલું હતું, પણ તે બધામાં આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાએ ઘણી મહત્ત્વની હતી, એટલે તે ધર્મોને
સાર અધ્યાત્મ માનતા.
પ્રશ્ન-તે અધ્યાત્મના સાર યોગ શી રીતે માનતા ? ઉત્તર-આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાઓને સક્રિય સ્વરૂપ યોગમાં અપાયેલું હતું, એટલે તેએ અધ્યામના સાર યોગ માનતા.
Page #173
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન–એક મનુષ્ય ધર્મ કરતો હોય, પણ અધ્યાત્મ તથા યોગને મહત્ત્વ ન આપતા હોય છે?
ઉત્તર-તે એ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજેલ નથી. અધ્યાત્મ અને યોગ એ ધર્મની જ ઉચ્ચ ભૂમિકાઓ છે, એટલે ધર્મને માનનારે તેને અવગણી શકે નહિ. આમ છતાં જે તે એમ કરતો હોય તે તે ધર્મરૂપી શરીરના પગ પકડે છે અને હૃદય તથા મસ્તકને જતું કરે છે, એમ સમજવું જોઈએ. ધર્મ માત્ર બાહ્ય ક્રિયાકાંડોમાં જ સમાપ્ત થતું નથી, તે પરમાત્મપદ તરફ દષ્ટિ રાખીને આત્મવિકાસ કરવામાં તથા તેને ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડવામાં માને છે, અને તે અધ્યાત્મ કે મને માન્યા – અનુસર્યા સિવાય શક્ય નથી.
પ્રશ્ન-જૈનધર્મ ભક્તિગને માને છે ખરો ? માને છે તે કેવા સ્વરૂપે ?
ઉત્તર-જૈનધર્મ ભક્તિયોગને માને છે, કારણ કે ભક્તિનું આલંબન લઈ આત્મા મેક્ષ સુધી પહોંચી શકે છે. જિનાગમમાં એવાં વચને આવે છે કે “મત્તી નિવા, વિન્નતી વિત્તિયા માં-પૂર્વે સંચિત કરેલાં કર્મો જિનેશ્વરદેવની ભક્તિ વડે ક્ષય પામે છે.” શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ, વંદન, કીર્તન, પૂજન તેમજ જપ અને ધ્યાન એ તેનું મુખ્ય સ્વરૂપ છે. આ બધી વસ્તુ શ્રદ્ધા, શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા-- પૂર્વક થાય, ત્યારે તે યેગનું સ્વરૂપ પકડે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
સામાયિક-અનેરી યોગસાધના
પ્રશ્નજૈનધર્મ જ્ઞાનયોગને માને છે ખરે ? માને છે તે કેવા સ્વરૂપે ?
ઉત્તર––જૈનધર્મ જ્ઞાનયોગને પણ માને છે, કારણ કે આત્મજ્ઞાનનું અનન્ય આલંબન લેતાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જેણે આત્માને જાણ્યો, તેણે બધું જાણ્યું.” એવું તેનું મંતવ્ય છે અને તેથી આત્માને જાણવા માટે તેને વિશેષ ભાર છે. આત્માને જાણવાથી સ્વભાવ અને વિભાવનું જ્ઞાન થઈ શકે છે અને એ રીતે વિભાવને છોડી સ્વભાવમાં સ્થિર થવાની ક્ષમતા આવે છે. આ રીતે સ્વભાવમાં સ્થિર થવું–આત્મજ્ઞાનમાં રમણતા થવી, એ જ્ઞાનયોગ છે. જેને મહર્ષિઓએ તેની ખૂબ પ્રશંસા કરેલી છે.
પ્રશ્ન—જૈનધર્મ કર્મયોગને માને છે ખરે? માને છે તે કયા સ્વરૂપે ?
ઉત્તર–જેનધર્મ કર્મયોગને પણ માને છે, પણ તે એને ક્રિયાયોગ કહેવાનું પસંદ કરે છે. કર્મને અર્થ કિયા પણ થાય છે. “સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો મચાવ:” એ કર્મયોગનું મુખ્ય સૂત્ર મનાય છે, તેને જૈનધર્મ પિતાની રીતે અપનાવેલું છે. સ્વધર્મ એટલે આત્માને ધર્મ. તેનું પાલન કરતાં મરવું પડે તે સારું, પણ પરધર્મ એટલે પગલો ધર્મ–ભૌતિકવાદ તે દરેક રીતે ભયને ઉત્પન્ન કરનારે હોઈ છેડવા ગ્ય છે. વળી જે કિયા કરવી, તે કઈ પણ પ્રકારની સાંસારિક વસ્તુની આસક્તિથી કરવી નહિ,
સા. ૫
Page #175
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
પણ માત્ર કનિ રાથે કરવી, આત્મશુદ્ધિના હેતુથી કરવી, એ પ્રકારના નિષ્કામભાવના પણ તેણે સ્વીકાર કરેલા છે. આ રીતે સમ્યકચારિત્રને લગતી જે જે ક્રિયાઓ કરવામાં આવે તે મેાક્ષમાં લઈ જનારી હાઇ કમ યોગ કે ક્રિયાયોગ છે.
પ્રશ્ન—જૈનધમ ભક્તિયેાગ, જ્ઞાનયોગ અને ક યોગ કે ક્રિયાયોગમાંથી કેાને વધારે મહત્ત્વ આપે છે?
ઉત્તર જૈનધમે આ ત્રણેય ચેાગને મહત્ત્વના માની તેને સમન્વય કરેલા છે. सम्यग्दर्शन - ज्ञान – चारित्राणि મોક્ષમાર્ગ:’ એ સૂત્રમાં તેને પડઘા પડેલા છે, પણ તેના પરના સમ વિવેચનના અભાવે આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થઈ નથી. આ સૂત્ર પર ચિંતન-મનન-નિદિધ્યાસન કરનારને આ વસ્તુ જરૂર સમજાશે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫ ] એ પ્રકારની તૈયારી
સામાયિક એક ધાર્મિક ક્રિયા છે, સામાયિક એક પ્રકારનુ` આધ્યાત્મિક અનુષ્ઠાન છે અથવા તા સામાયિક એ વિશિષ્ટ કેટિના રાજ્યાગની સાધના છે, એ જાણ્યા પછી આપણું' ક બ્ય એક જ રહે છે કે તેની સાધના કરવી.
સાધના કર્યા વિના સિદ્ધિ મળતી નથી. જો સાધના કર્યા વિના જ સિદ્ધિ મળતી હાત, તે અમે, તમે અને તે એટલે બીજા મધા કયારના ચે સિદ્ધિ મેળવીને સિદ્ધ મની ગયા હૈાત, પણ આપણે બધા તે। · નહિં ત્રણમાં, નહિ તેરમાં અને નહિ છપ્પનના મેળમાં ' એવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છીએ, કારણ કે આપણે જોઇએ તેવી સાધના કરેલી નથી.
ભગવાન મહાવીરે પૂર્વભામાં ઘણી સાધના કરી હતી અને તી કરના ભવમાં પણ તેએ સંસાર છોડયા પછી સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી સતત
Page #177
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
સામાયિકયેાગની
સાધનારત રહ્યા હતા, તેથી જ તે સિદ્ધિ કરીને સજ્ઞ તથા સદી અની શકયા. જે જિનના પગલે ચાલે તે જૈન, એ રીતે આપણે એ જિનના–જિનેશ્વરનાં પગલે ચાલવું જોઇએ. લેાકનીતિ પણ એવી છે કે ‘ મહાનનો ચેન થતઃ સ્પન્થાઃ-મહાજન-મહાપુરુષ જેના વડે ગયા, તે જ મા’ તાત્પર્ય કે ભગવાન મહાવીરે ધ્યેયની સિદ્ધિ અર્થે સાધનામાર્ગ અપનાવ્યો હતા, એટલે આપણે પણ ધ્યેયની સિદ્ધિ અર્થે સાધનામાર્ગ અપનાવવા જોઇએ.
3
અહી સાધના, સાધ્ય અને સાધક વિષે થોડુ જાણી લઇએ, જે ક્રિયા વડે સાધ્યની સિદ્ધિ થાય, તેને સાધના કહેવાય છે, એટલે સાધના એ એક પ્રકારની ક્રિયા છે અને તે સાધ્યની સિદ્ધિ માટે કરવાની હોય છે. સાધના, આરાધના, ઉપાસના એ બધા એકાથી શબ્દો છે. જે સાધવાનુ હાય, તે સાધ્ય કહેવાય છે. એવી કોઈ ક્રિયા હાતી નથી કે જેમાં કઈ પણ સાધવાનું ન હેાય. જો કંઈ પણ સાધવાનું ન હેાય, તા ક્રિયા કરવી જ શા માટે ? એ પ્રશ્ન ઊભેા થાય છે. બુદ્ધિમાન મનુષ્યા તે નિષેતુક કોઈ ક્રિયા કરતા જ નથી. સાધ્યને આપણે ક્રિયાના હતુ કે ક્રિયાનુ પ્રયેાજન પણ કહી શકીએ, કારણ કે અમુક ક્રિયા કયા હેતુથી કે કયા પ્રયાજનથી કરવામાં આવે છે ? એના ઉત્તરમાં સાધ્યના જ નિર્દેશ થાય છે. સાધ્યની સિદ્ધિ અર્થ સાધના કરનારને સાધક કહેવાય છે. આના અથ એમ સમજવાના કે જે સાધ્યના ખ્યાલ વિના. ગમે તેમ ક્રિયા કરે છે, તે સાધક નથી; અને જે સાધનાના નામે ગમે તેવા ગમડ-ગોટાળા વાળે છે, તે પણ સાધક નથી..
Page #178
--------------------------------------------------------------------------
________________
એ પ્રકારની તૈયારી
૬૯
ભગવાન મહાવીરે સાધનાની સફળતા માટે કેટલુ ક માદન આપેલું છે, તેમાં પંચસિદ્ધાંતની મુખ્યતાં છે. આ પાંચ સિદ્ધાંતા તે (૧) ઉત્થાન, (૨) ક, (૩) ખલ, (૪) વી અને (૫) પરાક્રમ છે.
(૧) ઉત્થાન-એટલે આળસ મરડીને ઊભા થવુ, જડતા ખ’ખેરીને જાગૃત થવુ, નિરાશાના ત્યાગ કરવા અથવા તે પ્રમાદના પરિહાર કરીને ક બ્ય ખજાવવા તત્પર થવુ
જે આળસુ છે, એદી છે, છાતી પર પડેલુ એર બીજી કોઇ વ્યક્તિ પેાતાના મુખમાં મૂકે એમ ઈચ્છનારા છે, તે આ જગતમાં કોઈ પણ પ્રકારની સાધના શી રીતે કરી શકવાના ? આવી અનિચ્છનીય સ્થિતિ જડસુએની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયુ હોય છે કે કોઈ સાચી યા સારી વાત તેમને સૂઝતી નથી, પછી સાધના જેવું પવિત્ર કાર્ય તેમને કયાંથી સૂઝે ? કેટલાક માણસો વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય છે. તેમને કઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં શ્રદ્ધા જામતી નથી. તેઓ સાધના માટે શી રીતે તત્પર થાય? પેાતાનુ ધ્યેય ભૂલનારા, સાધ્ય ચુકી જનારા પ્રમાદી ગણાય છે. તે પ્રમાદરૂપી ખાળેોચિયામાં પડડ્યો રહે છે અને તેમાં જ આનંદ માને છે. પ્રમાદીને વળી સાધના કેવી? તાત્પર્ય કે આળસ ઉડાડી દઇએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદ્યને પરિહાર કરીએ
Page #179
--------------------------------------------------------------------------
________________
so
સામાયિક-વિજ્ઞાન તે જ સાધના માટે તત્પર બનાય અને આ રીતે સફલતા માટેનું પહેલું પગલું માંડી શકાય.
(૨) કર્મ-એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યનો સ્વીકાર કરે.
ઊઠીને ઊભા તા થયા, પણ નિશ્ચયપૂર્વક કામ ન લાગ્યા, કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત કર્તવ્યને સ્વીકાર ન કર્યો, તે સફલતા શી રીતે મળવાની ? જે વિદ્યાર્થીએ માતાપિતાના ધકેલવાથી શાળાએ તે જાય છે, પણ ત્યાં વિદ્યાભ્યાસને ઉદ્યમ કરતા નથી, તેનું પરિણામ શું આવે છે? વર્ગની છેલ્લી પાટલીએ તેમને માટે જ અનામત રહે છે.
(૩) બલ-એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણું તથા મનના બલને રેડવું, તેમાં પ્રાણ પૂરે. ઊઠીને ઊભા થયા, તેમ જ કામે લાગ્યા, પણ હાથ–પગ જોઈએ તેવા હલાવીએ નહિ, તે માટે કેઈને બે વચને કહેવા જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં શી બરકત આવે? તાત્પર્ય કે એક કાર્યનેએક સાધનાને સ્વીકાર કર્યા પછી મન-વચન-કાયાનું બલ તેની પાછળ લગાડી દેવું જોઈએ.
(૪) વીર્ય–એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખે કે ઉલ્લાસ ધરાવ. ઊઠીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ–પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કોઈ જાતને આનંદ કે ઉલ્લાસ ન હોય, તે.
Page #180
--------------------------------------------------------------------------
________________
બે પ્રકારની તૈયારી
૭૧. એ કાર્ય વેઠ જેવું થઈ પડે છે અને તે લાંબો વખત ચાલતું નથી. અંતરને ઉલ્લાસ એક જુદી જ વસ્તુ છે. તેમાં પરિશ્રમને શ્રમ જણાતું નથી કે સાધન-સંગેની કઈ ફરિયાદ કરવાની હોતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હોય કે સગો ગમે તેટલા પ્રતિકૂલ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે, તેથી જ સફલતાના એક સિદ્ધાંત તરીકે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
(૫) પરાકમ–એટલે અંતરો, મુશ્કેલીઓ, પરીષહે કે વિદને સામે વૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી. આપણે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કરીએ, એટલે તેમાં એક યા બીજા પ્રકારનું વિજ્ઞ તે આવે જ છે. વળી “સારા કામમાં સો વિઘન” એ ન્યાયે ધાર્મિક-આધ્યાત્મિક સાધનાઓમાં વધારે વિદને આવે છે. જે આ વખતે ધેય ખૂટ્યું, હિમ્મત હાર્યા તે કાર્ય રખડી પડવાનું, સાધના તૂટી જવાની અને ધન્યું એનું ધૂળ થવાનું. આ જગતમાં જે મહાપુરુષો કૃતકૃત્ય થયા, નિષ્ક્રિતાર્થ થયા, સિદ્ધ-બુદ્ધ-નિરંજન બન્યા, તે બધાએ આ પાંચ સિદ્ધાંત અપનાવ્યા હતા. સામાયિકરૂપ ગસાધનાની સફલતા માટે આપણે પણ આ પાંચ સિદ્ધાંતે અપનાવવા જોઈએ. આને આપણે એક પ્રકારની અત્યંતર તૈયારી સમજવાની છે. | સામાયિકની સાધના માટે સ્થાનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને ઉપકરણશુદ્ધિ સાચવવી જોઈએ.
જે સ્થાનમાં જેની વિશેષ પ્રમાણમાં ઉત્પત્તિ હોય,
Page #181
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન ભેજ હેય, નજીકમાં અગ્નિ હય, ગંદકી હેય, ઘંઘાટ હેય તે એ સ્થાન સામાયિકની સાધના માટે પસંદ કરવા જેવું નથી. જે સ્થાન જીવ-જંતુથી રહિત હોય, એકાંતમાં આવેલું હોય, શુદ્ધ અને સ્વચ્છ હાય તથા ઘોંઘાટ-કેલાહલ વિનાનું હોય, તે પસંદ કરવા ગ્ય છે. પૌષધશાલાઓ, ઉપાશ્રયે તથા અન્ય ધાર્મિક સ્થાને મોટા ભાગે આ પ્રકારના હોય છે, તેથી તેની પસંદગી કરી શકાય અને ત્યાં જવા જેટલી અનુકૂલતા ન હોય તે પિતાના ઘરને એક ભાગ પસંદ કરી શકાય. જો કે તેમાં આ બધી શરતનું પાલન થવું શક્ય નથી, પણ તેમાંની વધારેમાં વધારે શરતનું પાલન થાય, એ જોવું જોઈએ. સામાયિક માટે જે સ્થાનની પસંદગી કરીએ તેને સહુ પ્રથમ પૂછ–પ્રમાજીને શુદ્ધ કરી લેવું જોઈએ. આને એક નિયમ જ સમજવાને છે,
સામાયિક માટે પુરુષે ધોતિયું અને ઉત્તરસંગ (એસ) એમ બે વેત સૂતરાઉ વસ્ત્રને ઉપયોગ કરવાનું હોય છે. આ વસ્ત્રો ઈ-શુદ્ધ કરીને જુદાં જ રાખવાં જોઈએ અને તેને સામાયિક સિવાય અન્ય પ્રસંગે ઉપગ કરે ન જોઈએ. તો જ વસ્ત્રશુદ્ધિને સિદ્ધાંત જળવાય છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આધુનિક પ્રજામાંથી ધેતિયા અને ખેસ પહેરવેશ અદશ્ય થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ તથા યુવાનને ધેતિયું પહેરતાં પણ આવડતું નથી. જે તેમને આ બાબતમાં આગ્રહ કરીએ તો તે સામાયિક કરવાનું જ છોડી દે છે, એટલે તેમને ચાલુ પિશાક ધાયેલ અને
Page #182
--------------------------------------------------------------------------
________________
૧
ઈ
બે પ્રકારની તૈયારી
૭૩ શુદ્ધ હોય, તે ચલાવી લેવું જોઈએ. બહેનોએ આ પ્રસંગે પૂરા પાષામાં બેસવાનું હોય છે, પણ તે માટે વેત વસ્ત્રો પસંદ કરવા એગ્ય છે, કારણ તે સાત્વિક ભાવના ઉત્પન્ન કરનારાં છે. આ વખતે ઓછામાં ઓછાં આભૂષણેને ઉપયોગ થાય, એ ઈચ્છવા ગ્ય છે.
હવે ઉપકરણશુદ્ધિ પર આવીએ. ધર્મભાવની વૃદ્ધિ કરવામાં જે સાધન–કરણ ઉપકારક હોય–ઉપયોગી હોય, તે ઉપકરણ કહેવાય. સામાયિકની ક્રિયામાં–સાધનામાં આવાં કેટલાંક ઉપકરણની જરૂર પડે છે, તે પ્રમાણપત રાખવાથી ઉપકરણશુદ્ધિ જળવાય છે.
અનુગદ્વારચૂર્ણિમાં એ પાઠ છે કે “સામચિ. कउस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते, तं जहा ठवणायरिय त्ति मुहपत्तिअ त्ति जवमालिअ त्ति दंडपाउं
ઉત્તા સામાયિક કરનાર શ્રમણોપાસકને-શ્રાવકને ચાર પ્રકારનાં ધર્મોપકરણો કહેલાં છે (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા અને (૪) દંડપ્રીંછણક એટલે હરણ કે ચરવળે. પ્રથમ આ ચાર ઉપકરણોને પરિચય કરી લઈએ.
સ્થાપનાચાર્ય–જૈન ધર્મમાં દરેક ક્રિયા ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞાપૂર્વક અને ગુરુનો વિનય જાળવીને કરવાની હોય છે. પરંતુ જ્યારે ગુરુનો યોગ ન હોય, ત્યારે તેમની સ્થાપના કરીને, સાક્ષાત્ ગુરુ બેઠા છે એમ માનીને, તેમની સમક્ષ સઘળી ક્રિયા કરવી જોઈએ. આ રીતે જે
Page #183
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન વસ્તુની ગુરુ તરીકે–આચાર્ય તરીકે સ્થાપના કરવામાં આવે છે, તેને રથાપનાચાર્ય કહેવાય છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે
गुरुविरहम्मि अ ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिणविरहम्मि व जिणविंव-सेवणाऽऽमन्तणं सहलं ॥
જ્યારે સાક્ષાત્ ગુણવંત ગુરુ વિરહ હોય, ત્યારે ગુના ઉપદેશને-આદેશને સમીપમાં રહેલો દેખાડવા માટે સ્થાપના કરવી. જેમ જિનેશ્વર દેવના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન અને આમંત્રણ સફલ થાય છે, તેમ ગુરવિરહમાં ગુરુની સ્થાપના પણ સફલ થાય છે.”
શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદભાષ્યમાં જણાવ્યું
गुरुगुणजुत्तं तु गुरु, ठाविज्ज अहब तत्थ अक्खाई। अहवा नाणाइतिअं, ठविज्ज सक्ख गुरु-अभावे ॥
ધર્માનુષ્ઠાન કરતાં સાક્ષાત્ ગુરુ વિદ્યમાન ન હોય તે ગુરુના ગુણોથી જે યુક્ત હોય, તેને ગુરુ તરીકે સ્થાપવા; અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણે સ્થાપવાં.”
આ ગુરુસ્થાપના કરવાને વિધિ એ છે કે ઊંચા બાજઠ પર એક સાંપડે મૂકવે. ગુરુનું સ્થાન આપણું કરતાં ઊંચું હોય છે, તેથી બાજઠ પર સાંપડે મૂકવાનું વિધાન છે. આ સાંપડા પર જ્ઞાનનાં ઉપકરણ તરીકે ધાર્મિક
Page #184
--------------------------------------------------------------------------
________________
૭૫ .
બે પ્રકારની તૈયારી પુસ્તક, દર્શનના ઉપકરણ તરીકે ભગવાનની છબી અને ચારિત્રના ઉપકરણ તરીકે માળા મૂકવી. એક કાલે અક્ષને ગુરુ–રથાપના કરવામાં વધારે ઉપયોગ થતો હશે, એટલે અહીં તેમને નામોલ્લેખ કરાવે છે, પણ આજે તેને ખાસ ઉપગ થતું નથી.
પછી જમણા હાથની સ્થાપનામુદ્રા રચવી, એટલે કે આંગળીઓ તથા કરતલની આકૃતિ અર્ધસંપુટ જેવી બનાવવી અને જાણે કઈ વસ્તુને દાખલ કરતા હોઈએ, તેવી રીતે હાથને સ્થાપનાની સન્મુખ રાખવે. આ મુદ્રાપૂર્વક પ્રથમ મંગલસ્વરૂપ નમસ્કાર મહામંત્રને પાઠ બેલ અને પછી આચાર્યના છત્રીશ ગુણોનું આરે પણ કરતા હોઈએ એ રીતે હાથની ચેષ્ટા કરીને ધીરે ધીરે પંચિંદિય-સૂત્રનો પાઠ ઉચ્ચારે. આ રીતે જ્યારે પૂરે પાઠ બેલાઈ રહે, ત્યારે ઉપર્યુક્ત પુસ્તકાદિમાં ગુરુ અથવા આચાર્યની સ્થાપના થઈ ગણાય છે અને તેને સ્થાપના કે સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. કેટલાક માત્ર ત્રણ નવકાર ગણુને જ ગુરુસ્થાપના કરે છે. તેનું ઉત્થાપન . સામાયિક પૂરું થયે આપણો જમણો હાથ છાતી સન્મુખ રાખીને એક નવકાર ગણવાથી થાય છે. મુહપત્તી
| મુહપત્તી એટલે મુખ ઢાંકવાનું વસ્ત્ર. તેને માટે શામાં મુહપત્તી (મુખપટ્ટિકા), મુહપતિઓ (મુખપતિકા),.
Page #185
--------------------------------------------------------------------------
________________
૭૬
સામાયિક-વિજ્ઞાન મુહણંતગ (મુખાનન્તક), પિત્તિયા (પોતિકા) અને હથગ (હસ્તક) વગેરે શબ્દો વપરાયેલા છે. તેના માપ અંગે બૃહકપ–ભાષ્યમાં કહ્યું છે કે – - चउरंगल विहत्थी, एयं मुहणंतगस्स उ पमाणं । बितीयं पि य पमाणं, मुह-प्पमाणेण कायव्वं ॥
ચાર આંગળ અને એક વેંત (સેળ આંગળ) એ મુહપત્તીનું પ્રમાણ છે. તેનું બીજું પ્રમાણ એ છે કે મુખના પ્રમાણે એટલે મુખને ઢાંકી શકાય, તે પ્રમાણે કરવી.”
તેને આકાર ચાર ખૂણિયા એટલે ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ, એ અભિપ્રાય તિદિનચર્યામાં પ્રકટ થયેલ છે. તેના રંગ બાબત સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પરંતુ પરંપરાથી વેત રંગને જ પસંદગી અપાય છે. - તાત્પર્ય કે સેળ આંગળ વસ્ત્રના સમરસ ટુકડાની ત્રણ
ઘડીઓ વાળવાથી તે તૈયાર થાય છે. (આ ઘડીઓ કેમ વાળવી, તે અનુભવી પાસેથી શીખી લેવું.)
મુહપત્તી રાખવાનું મુખ્ય પ્રયોજન એ છે કે મુખમાં સંપાતિમ (ઊડીને આવી પડતા) જીવ પડે નહિ, મુખમાંથી ઊડેલું થુંક પુસ્તક–પાનાં કે કઈ વ્યક્તિ પર પડે નહિ
અને શરીર પર કેઈ સૂક્ષ્મ જંતુ ચડી જાય તો તેની કેર - વડે ધીમેથી દૂર કરી શકાય. ધાર્મિક ક્રિયા અંગે પણ તેને કેટલેક ઉપયોગ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
બે પ્રકારની તૈયારી
જપમાલિકા
જપમાલિકા એટલે જપ કરવાની માલા. તેને માટે આ પણ પ્રચલિત શબ્દ નવકારવાળી કે નકારવાળી છે. નવકાર કે નોકારની ગણનામાં તેને વિશેષ ઉપયોગ થતો હોવાથી તેનું આ પ્રકારનું નામ પડેલું છે. તે સૂતર, રેશમ, ચંદન, તાંજલિ (રક્તચંદન), શંખ, પ્રવાલ, સ્ફટિક કે
જતના ૧૦૮ મણકાને સૂત્રમાં પવવાથી બને છે. તેના મથાળે એક મોટો મણકો કે ત્રણ મણકા એક સાથે પહેલા હોય છે, તેને મે કહે છે. સામાયિકની ક્રિયામાં સ્વાધ્યાયના અધિકાર મંત્રજપ કરવાનો હોય છે, તે માટે જપમાલિકા કે માલા સાથે રાખવાની જરૂર છે. ચરવળેલા)
સાધુઓ સંયમના ઉપકરણ તરીકે રજોહરણ રાખે છે, તેવું જ ઉપકરણ શ્રાવકે એ સામાયિક વખતે રાખવાનું હોય છે, પણ તે પ્રમાણમાં નાનું હોય છે. તેને જ ચરવળ કહેવામાં આવે છે. એનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં એ ખુલાસે છે કે “શ્રદ્ધાનાં જ દાળ વચ્ચ% રિશ્રાવકેનું રજોહરણ એ જ ચરવેલે છેતેને ઉપયોગ ઊઠતી વખતે, બેસતી વખતે, બહાર જતી વખતે તથા કાયા અને ભૂમિનું પ્રમાર્જન કરવા માટે થાય છે. ચરવળાની ઊનની દશીએ ખૂબ કમલ હેવાથી નાનામાં નાના જંતુએની પણ તેના વડે રક્ષા થાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૮
સામાયિક-વિજ્ઞાન કેટલાક ચરવળની જગાએ છેક નાને ઊનને ગુચ્છ કે મોરપીંછ રાખે છે અને કેટલાક તેનું કામ પાથરણ કે
કે કટાસણા વડે જ કરે છે, પરંતુ સામાયિક એ પ્રાયઃ - સાધુજીવનનું અનુકરણ હોવાથી તે સમયે ચરવળે રાખે. એ વધારે યોગ્ય જણાય છે.
આ ઉપકરણોમાં સ્થાપનાચાર્ય એ વિનયગુણનું પ્રતીક છે, મુહપત્તી સંયમનું પ્રતીક છે, જપમાલિકા આરાધના કે ઉપાસનાનું પ્રતીક છે અને રજોહરણ એ અહિંસાનું પ્રતીક છે. આ વસ્તુના સ્વરૂપ અને પ્રમાણ કરતાં તેની પાછળ રહેલી ભાવનાઓને સમજવામાં આવે છે તે અંગે કોઈપણ જાતને દુરાગ્રહ, કદાગ્રહ કે હઠાગ્રહ થવાનો સંભવ નથી. ઉપકરણનાં સ્વરૂપ અને પ્રમાણ સામુદાયિક શિસ્ત માટે છે, એટલે તેનું એકસરખાપણું જળવાઈ રહે તે જરૂરનું છે. કટાસણું
આ સિવાય સામાયિકમાં બેસવા માટે આસનની જરૂર પડે છે, જેને કટાસણું કહેવામાં આવે છે. કટાસણું શબ્દ કટાસન પરથી બનેલું છે. કટાસન એટલે દર્ભ કે ઘાસનું આસન. કદાચ તે એક કાલે વપરાતું હશે, પણ આજે તે માટે ઊનના દોઢ હાથ લાંબા અને હાથ સવા હાથ પહોળા ટુકડાને ઉપયોગ થાય છે. “કટાસણું સૂતર કે રેશમનું - કેમ નહિ?” તેને ઉત્તર એ છે કે ઊનનું આસન સૂમ - જંતુઓને સહસા બાધક થતું નથી, એટલે અહિંસા પાલનની દિષ્ટિએ તેની ઉપયોગિતા છે. વળી ગસાધનાની દષ્ટિએ
Page #188
--------------------------------------------------------------------------
________________
બે પ્રકારની તૈયારી આસન ગરમ હોવું જોઈએ, જેથી જપ-સ્થાનાદિ વડે સંચિત થતી શક્તિ નીચે ચાલી ન જાય. મંત્ર-તંત્રવાદીઓએ પણ ઊનના ગરમ આસનની હિમાયત કરી છે, એટલે હાલ ઊનના ગરમ કાપડને કટાસણુ તરીકે જે ઉપયોગ થાય છે, તે યોગ્ય લાગે છે.” ઘડી કે ઘડિયાળ
સામાયિકનો સમય એક મુહૂર્ત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનટને છે. આ સમય બરાબર પળાય તે માટે અગાઉ ઘટિકાયંત્રની વ્યવસ્થા હતી, તે પરથી ઘડી કે ઘડિયાળ બન્યાં, તેને ઉપયોગ થવા લાગે, પરંતુ આજે ઘડિયાળને વ્યાપક પ્રચાર હોવાથી તેને ઉગ થાય છે. તેમાં કોઈ બાધ હેય, એમ અમે માનતા નથી. ધાર્મિક પુસ્તક
સામાયિકમાં સ્વાધ્યાય કરવા માટે કેટલાંક ધાર્મિક પુસ્તકે સાથે રાખી શકાય છે. ઉપરાંત અનાનુપૂવી જેવું સાધન પણ રાખી શકાય છે કે જેની ગણના વડે મનને એકાગ્ર કરી શકાય.
આસન એક સ્થાને પ્રતિબદ્ધ થવામાં–સ્થિર થવામાં ઉપયોગી છે, પણ પ્રાચીન કાળમાં કદાચ તેને વૈકલ્પિક ઉપયોગ થતું હશે, એટલે તેની ગણના ઉપકરણમાં થયેલી નથી.
* ઘણુ યોગીઓ વ્યાઘ્રચર્મ કે હરણના ચામડાનો ઉપયોગ કરે છે, તેમાં આ દૃષ્ટિ રહેલી છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૮૦
સામાયિક-વિજ્ઞાન ઘડી, ઘડિયાળ તથા ધાર્મિક પુસ્તક વૈકલ્પિક હોવાથી તેમને ઉપકરણમાં ગણવાનાં નથી.
આ ઉપકરણે તથા સાધનોને એકત્ર કરવાં, તેને આપણે બહિરંગ તૈયારી સમજવાની છે. જ્યાં અત્યંતર અને બહિરંગ બંને પ્રકારની તૈયારીઓ હોય, ત્યાં સાધના સારી રીતે થાય, એમાં કશી શેકા નથી.
સામાયિકનાં ઉપકરણે તથા સાધનની યાદી ૧ બાજઠ
સ્થાપનાચાર્ય માટે ૨ સાંપડે ૩ જ્ઞાનનું ઉપકરણ–પુસ્તક ૪ દર્શનનું ઉપકરણભગવાનની છબી ૫ ચારિત્રનું ઉપકરણ-માલા ૬ મુહપત્તી ૭ જપમાલા–નવકારવાળી (ઉપરની માલાથી આ જુદી ગણવી...
આને ઉપયોગ જપમાં કરવાનું છે.) ૮ ચરવળે. ૯ કટાસણું–ઊનનું આસન ૧૦ ઘડી કે ઘડિયાળ ૧૧ ધાર્મિક પુસ્તક
આ બધાં ઉપકરણો તથા સાધને પ્રમાણપત તથા. સારાં હોવાં જોઈએ.
Page #190
--------------------------------------------------------------------------
________________
બે પ્રકારની તૈયારી
* ૮૧ પ્રશ્નોત્તરી પ્રશ્ન-સામાયિકની સાધના કોણ કરી શકે ?
ઉત્તર-નાના-મોટા, પુરુષ–સ્ત્રી કેઈ પણ સામાયિકની સાધના કરી શકે છે.
પ્રશ્ન-નાના એટલે કેટલી ઉંમરના? ઉત્તર-નાના એટલે આઠ વર્ષ અને તેની ઉપરના.
પ્રશ્ન–આઠ વર્ષની ઉંમરનાં બાળકે સામાયિકમાં શું સમજે ?
ઉત્તર–આઠ વર્ષની ઉંમરનાં બાળકે સામાયિકમાં વિશેષ ન સમજે, પણ માતા, પિતા, વડીલ કે અન્ય કેઈને સામાયિક કરતાં જોઈ સામાયિક કરવાની ભાવનાવાળા થાય તે તેમની એ ભાવના પૂરી કરવા માટે વડીલે તેમને એ પ્રકારની સગવડ કરી આપે તથા સામાયિક કેમ કરવું ? એની કેટલીક પ્રાથમિક સમજ આપે.
પ્રશ્ન–તેથી શું લાભ?
ઉત્તર–બાળકને સામાયિકના સંસ્કાર પડે તે તેની ધર્મભાવનામાં વૃદ્ધિ થાય અને આગળ જતાં ધર્મપરાયણ બની ઘણા સામાયિકો કરવાપૂર્વક પિતાનું આત્મકલ્યાણ સાધી શકે.
પ્રશ્ન–આ વસ્તુ શા આધારે કહે છે ?
ઉત્તર-અમને તેને અનુભવ થયેલ છે, તેથી કહીએ છીએ. બીજા ઘણાના અનુભવે પણ આ પ્રકારના જ છે.
સા. ૬
Page #191
--------------------------------------------------------------------------
________________
ર
સામાયિક–વિજ્ઞાન
પ્રશ્ન-મેટાની વયમર્યાદા કેટલી ?
ઉત્તર–એમાં વયની મર્યાદા નથી. મનુષ્યની શરીર અને મનની શક્તિ પહોંચતી હાય, ત્યાં સુધી તે સામાયિક કરી પેાતાનુ આત્મકલ્યાણ સાધી શકે છે.
પ્રશ્ન—સામાયિક કરવાના અધિકાર પુરુષ અને સ્ત્રીના એક સરખા છે ?
ઉત્તર-હા. પુરુષ અને સ્ત્રી સામાયિક કરવાના સરખા અધિકારી છે. જૈન ધર્મે આત્મકલ્યાણની ખાખતમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે કશે ભે રાખેલા નથી. તેણે ચર્તુવિધ સંઘમાં સાધુની સાથે સાધ્વીના અને શ્રાવકની સાથે શ્રાવિકાને વર્ગ રાખેલા જ છે. અનુભવ તે એમ કહે છે કે ધર્મોનુ આરાધન કરવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રીએ વધારે રસ લે છે. ભગવાન મહાવીરના શ્રાવકે કરતાં શ્રાવિકા એની સંખ્યા ઘણી મોટી હતી. ઉપધાન તથા અન્ય ક્રિયાપ્રસંગે પણ આ જ સ્થિતિ જોવામાં આવે છે.
પ્રશ્ન-ધાર્મિ ક જીવનમાં સાધનાનું સ્થાન શું ? ઉત્તર-ધામિક જીવનમાં સાધનાનું સ્થાન ઘણું ઊંચુ છે. વાસ્તવમાં સાધના વિના ધાર્મિક જીવનનું ચાગ્ય ઘડતર થતું જ નથી.
પ્રશ્ન-ધાર્મિક જીવનમાં કયા પ્રકારની સાધના જોઇએ ! ઉત્તર-ધાર્મિ ક જીવનમાં આધ્યાત્મિક સાધના જોઈ એ, યૌગિક સાધના તેની અંતગત ગણવી. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિના સમાવેશ આધ્યાત્મિક સાધનામાં થાય છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
એ પ્રકારની તૈયારી
૮૩. પ્રશ્ન-સાધનાનું મુખ્ય લક્ષણ શું ?
ઉત્તર-સાતત્ય અને નિયમિતતા. જે ક્રિયા નિત્ય અને નિયમિત થાય, તે સાધનાની કટિમાં આવે. નિત્ય એટલે પ્રતિદિન-દોરેજ અને નિયમિત એટલે નકકી કરેલા સમયે.
પ્રશ્ન-વચ્ચે ખાડા પડે કે નકકી કરેલ સમય સચવાય નહિ તો ?
ઉત્તર–તે એ સાધનાની કેરિટમાં ન આવે. સામાયિકની સાધનાનો અર્થ એ છે કે તે નિત્ય નિયમિત સમયે કરવું જોઈએ. તેનાથી એક પ્રકારનું શાંતિ-સમતામય વાતાવરણ ઉત્પન્ન થાય છે અને તે આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે. એક વાર સામાયિકને રંગ લાગે કે પછી તે તે કર્યા વિના ચેન પડતું નથી, આનંદ આવતું નથી, એક પ્રકારને અસંતોષ રહ્યા કરે છે, એટલે ખરી જરૂર તેને રંગ લાગવાની છે અને તે રંગ સાધનાથી જ લાગે છે.
પ્રશ્ન-સામાયિકની સાધના માટે બીજી કંઈ તૈયારી જોઈએ ખરી ?
ઉત્તર-હા. જે સાધક આહાર, નિદ્રા અને બીજી પરિચર્યાની બાબતમાં સંયમિત રહે છે, તે સામાયિકની સાધના સારી રીતે કરી શકે છે. જેનું જીવન સંયમી નથી, તેનું 'દિલ સામાયિકમાં લાગતું નથી અને કદાચ લાગે તે પણ તેમાં જોઈએ તેવી સ્થિરતા રહેતી નથી. અન્ય ગસાધના
એમાં પણ આ પ્રકારને સંયમ જરૂરી મનાય છે. સામાયિકના -વ્યાપક પ્રચારને બાધ ન આવે તે માટે તેને નિયમમાં સમા
Page #193
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન વેશ કર્યો નથી, પણ તેની ભલામણ અવશ્ય કરાઈ છે. એટલે સુજ્ઞ સાધકે તે માટે બને તેટલા પ્રયત્નશીલ રહેવું જોઈએ
પ્રશ્ન-સામાયિકની સાધના કરતાં કંઈ ચમત્કારિક સિદ્ધિ મળે ખરી ?
ઉત્તર–જેને આત્મશુદ્ધિ કરવી છે, આત્માને વિકાસ સાધવે છે અને પરમાત્મપદે પ્રતિષ્ઠિત થવું છે, તેણે ચમત્કારિક સિદ્ધિઓની વાત છેડી દેવી જોઈએ, કારણ કે તે પરમાત્મપદની પ્રાપ્તિમાં અંતરાય રૂપ છે. આમ છતાં સામાયિકની સાધનાનું માપ ચમત્કારથી કાઢવું હોય તે. અમે કહીએ છીએ કે સંસારની ગલી-કુચીઓમાં રઝળપાટ કરનારો એક સામાન્ય આત્મા સામાયિકની સાધનાથી પરમાત્મા બની જાય છે, એ એને સહુથી મોટો ચમત્કાર છે. આજ સુધી જગતના ચોપડે જેટલી સિદ્ધિઓ ધાણ છે, તેમાંની. કેઈ સિદ્ધિ આની બરાબરી કરી શકે એમ નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૬ ] આલંબનરૂપ સૂત્રપાઠા
સામાયિકની સાધના માટે અંતરંગ તથા બાહ્ય તૈયારી કેવા પ્રકારની કરવી જોઈએ? તેનું વિવેચન ગત પ્રકરણમાં કરી ગયા. હવે સામાયિકની સાધના કરવા માટે તેના પ્રવેશ તથા પૂર્ણાહૂતિ પ્રસંગે જે કિયા કરવાની હોય છે, તે સૂત્રપાઠના આલંબનપૂર્વક કરવાની હોય છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં એ દશ સૂત્રપાઠે રજૂ કરીશું.
આ કિયા સૂત્રપાઠના આલંબનપૂર્વક કરવાને હેતુ એ છે કે એ કિયા શા માટે કરવામાં આવે છે? અને તેમાં શું રહસ્ય સમાયેલું છે? તેને સાધકને ખ્યાલ આવે, પરંતુ આ સૂત્રપાઠો માત્ર બેલી જવાથી તેના હેતુ કે રહસ્યને બરાબર ખ્યાલ આવે નહિ, તેથી આ દશ સૂત્રપાઠો તેના પદાર્થ, અર્થ સંકલન તથા રહસ્યપૂર્વક અહીં આપવામાં આવ્યા છે.
આજથી વીસ વર્ષ પહેલાં અમે શ્રી પ્રતિકમણુસૂત્રપ્રબોધટીકાના પ્રથમ ભાગમાં સામાયિકના સૂત્રપાઠો પર
Page #195
--------------------------------------------------------------------------
________________
८६
સામાયિક-વિજ્ઞાન
અષ્ટાંગી વિવરણ કરેલું છે, એટલે તેમાં આ દશેય સૂત્રપાઠીના સામાન્ય અને વિશેષ અર્થ અપાયેલા છે, પણ અહીં ગ્રંથના. આજના અનુસાર તે જુદી ઢબે આપ્યા છે, તથા જ્યાં વિશેષ સ્પષ્ટીકરણ કરવા જેવું લાગ્યું, ત્યાં તે કરવામાં આવ્યું છે એટલે સામાયિકના સ્વાર્થ સંબંધમાં આને છેલ્લું સંસ્કરણ સમજવાનું છે.
૧-નમસ્કાર-સૂત્ર
મૂલપાઠ नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहणं ॥ एसो पंचनमुक्कारो, सव्वपावप्पाणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥
પદાર્થ નમો-નમસ્કાર હો, નમસ્કાર કરું છું.
રિક્રુતાનં–અરિહંતને. અહીં અહિંતર્થી ત્રિીશ અતિશયના ધારક ત્રિલેકપૂજ્ય જૈનધર્મના પ્રવર્તક એવા - અહંતુ, જિન કે તીર્થકર સમજવા. તેમની સંખ્યા ઘણી
Page #196
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠી હોવાથી અહીં બહુવચનને પ્રયોગ છે. બધાં પદેમાં એમ જ સમજવું.
મદ્રા-સિદ્ધોને. સિદ્ધ એટલે કર્મ રહિત શુદ્ધ આત્મા. બારિયાળં–આચાર્યોને, ધર્માચાર્યોને. વસાવા-ઉપાધ્યાને.
ટોપ–લેકમાં. અહીં લેક શબ્દથી મત્સ્યલક કે પૃથ્વીલેક અને તેમાં પણ અઢી દ્વીપ સમજવા, કારણ કે સાધુએની ઉત્પત્તિ તેમાં જ હોય છે.
સહૂિ–સર્વ સાધુઓને. આ પદ સાધુઓની મુખ્યતાએ કહેવાયું છે, પણ તેમાં સાધ્વીઓને પણ સમાવેશ સમજવો, કારણ કે સાધ્વીઓ પણ નમસ્કારને એગ્ય છે.
–આ. પંચમુ –પંચનમસ્કાર. પાંચ પરમેષ્ઠીને કરાયેલ નમસ્કાર.
સવ્વપાવપાતળો–સર્વ પાપને પ્રણાશક છે, સર્વ પાપને અત્યંત નાશ કરનાર છે.
મંત્રાળ-મંગલનું. જે ધર્મને લાવે તથા વિદનને નાશ કરે, તે મંગલ કહેવાય.
જ-અને.
Page #197
--------------------------------------------------------------------------
________________
૯૮
સામાયિક-વિજ્ઞાન
સન્વેસિ-સનું. આ પદ મંગલનુ વિશેષ છે, તેથી
ક્હીના બહુવચનમાં છે.
પઢમં–પ્રથમ, ઉત્કૃષ્ટ.
દૈવજ્ઞ છે.
મારું–મંગલ.
અસ'લના
સિદ્ધોને નમસ્કાર
હું અરિહુંાને નમસ્કાર કરું છું, કરું છું, આચાર્યને નમસ્કાર કરું છું, ઉપાધ્યાયાને નમસ્કાર કરું છું અને અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
આ પંચ-પરમેષ્ઠીને કરાયેલો નમસ્કાર સર્વ પાપેાના અત્યંત નાશ કરનાર છે અને સવે` મ`ગલામાં ઉત્કૃષ્ટ માંગલ છે. રહસ્ય
નમસ્કાર–સૂત્ર જિનશાસનના સાર છે અને ઉત્કૃષ્ટ માંગલ રૂપ છે, તેથી દરેક શુભ પ્રસ ંગે તેનું સ્મરણ કરવામાં આવે છે, તેમજ ધાર્મિ`ક અનુષ્ઠાનના પ્રાર ંભે પણ તેનુ સ્મરણ થાય છે. આધ્યાત્મિક વિકાસ અર્થે થતા જપ-ધ્યાનમાં પણ તેનું ખાસ આલંબન લેવાય છે. * મંત્ર કે મહામંત્ર તરીકે તેની વિશેષ પ્રસિદ્ધિ છે. તેને નવકાર પણ કહેવામાં આવે છે.
* અમે ‘નમસ્કાર–મંત્રસિદ્ધિ' ગ્રંથમાં નમસ્કાર મહામત્ર સંબંધી ઘણું વિવેચન કરેલુ છે. તેની ત્રણ આવૃત્તિ પ્રકટ થઇ ચૂકી છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠ
૨–પંચિદિય-સૂત્ર
મૂલપાઠ पंचिंदियसंवरणो, तह नवविहबंभचेरगुत्तिधरो । चउविहकसायमुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्थो। પંચમ તિyત્તો, છત્તીસગુન ગુરમ | ૨
પદાર્થ પંજિરિસંવાળો-પાંચ ઈન્દ્રિયનું સંવરણ કરનારા, પાંચ ઈન્દ્રિયેના વિષયને જીતનારા પાંચ ઈન્દ્રિયે તે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય જાણવી.
તરું-તથા.
નવવિવંમ ગુત્તિનવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિને ધારણ કરનારા, બ્રહ્મચર્યની નવ વાડેને પાળનારા. બ્રહ્મચર્યના રક્ષણ માટે જે નવ નિયમ બતાવવામાં આવ્યા છે, તે બ્રહ્મ ચર્યની નવ વાડ તરીકે ઓળખાય છે. વાડ જેમ ખેતરનું રક્ષણ કરે છે, તેમ આ નિયમે બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે. તે નિયમ આ પ્રમાણે જાણવા :
(૧) સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત સ્થાનમાં રહેવું. (૨) સ્ત્રીઓ સંબંધી વાત કરવી નહિ.
(૩) સ્ત્રી જે આસન પર બેઠેલી હોય, તે આસન પર બે ઘડી બેસવું નહિ.
(૪) સ્ત્રીઓનાં અંગોપાંગ આસક્તિથી જેવાં નહિ,
Page #199
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન. (૫) ભીંતના અંતરે સ્ત્રી-પુરુષનું જોડું રહેતું હોય, તેવા સ્થાનમાં રહેવું નહિ
(૬) પૂર્વકાલમાં સ્ત્રીની સાથે જે કીડા કરી હોય, તેનું સ્મરણ કરવું નહિ.
(૭) માદક આહારપાણી વાપરવા નહિ.
(૮) પ્રમાણથી વધારે આહાર કરે નહિ. પુરુષના. આહારનું પ્રમાણ ૩૨ કેળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણ ૨૮ કેળિયા છે.
(૯) શરીરને શણગારવું નહિ.
રદિવસીયમુ-ચાર પ્રકારના કષાયથી મુક્ત(૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ એ ચાર કષાય છે. તેમનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં આગળ આવશે..
–આ. આ પ્રમાણે,
સંકુહિં-અઢાર ગુણે વડે (૧+૯+૪=૧૮) સંગુત્તો-સયુંક્ત.
પંચમહવનુત્ત–પાંચ મહાવ્રતથી યુકત. સાધુઓ સામાયિક ગ્રહણ કર્યા પછી સંયમના પાલન માટે જે પાંચ વતે લે છે, તે મહાવતે કહેવાય છે. તેનાં નામે આ પ્રમાણે જાણવાં. (૧) સર્વ પ્રાણુતિપાતવિરમણવ્રત, (૨) સર્વમૃષાવાદવિરમણવ્રત, (૩) સર્વઅદત્તાદાનવિરમણવ્રત, () સર્વમૈથુનવિરમણવ્રત તથા (૫) સર્વપરિગ્રહવિરમણવ્રત
Page #200
--------------------------------------------------------------------------
________________
૯૧ .
આલ અનરૂપ સુત્રપાડો
પંચવિદ્યાચારપાજળસમર્થે-પાંચ પ્રકારના આચાર પળવામાં સમ પાંચ આચાર તે– (૧) જ્ઞાનાચાર, (૨) દશ નાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર જાણવા.
પમિત્રો-પાંચ સમિતિએથી યુક્ત. પાંચ સમિતિ તે− (૧) ઇર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનિનક્ષેપસિમિત અને (૫) પાાિપનિકાસમિતિ. વિમુત્તો-ત્રણ ગુપ્તિએથી યુક્ત. ત્રણ ગુપ્તિ તે– (૧) મનેાપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ જાણવી.
છત્તીસ ગુણો–છત્રીશ ગુણવાળા
ગુરુ-ગુરુ, આચાય.
મા—મારા.
અસકેલના
પાંચ ઇન્દ્રિયાના વિષચાને જીતનારા, બ્રહ્મચ`ની નવ ! વાડાને ધારણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયાથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા; વળી પાંચ મહાવ્રતાને ધારણ . કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, એમ છત્રીશ ગુણુવાળા મારા ગુરુ છે.
રહસ્ય
ભવસાગરમાં ગુરુના આધારે તરવાનું છે. સવ” ધામિક –આધ્યાત્મિક ક્રિયાએ તેમની નિશ્રામાં કરવાની છે..
Page #201
--------------------------------------------------------------------------
________________
૯૨
સામાયિક–વિજ્ઞાન
આ ગુરુમાં કેવા ગુણે! હાવા જોઈએ ? તેનું આ સૂત્રમાં વર્ણન કર્યુ છે. ગુરુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેયને સમાવેશ થાય છે, પણ અહીં ગુરુ શબ્દથી આચાય ગ્રહણ કરી તેમના ગુણાનુ' આ રીતે ચિંતન કરવાનું છે. ૩-પ્રણિપાત-સૂત્ર મૂલસૂત્ર
इच्छामि खमासमणौ वंदिउं, जावणिज्जाए निसीहिआए : મત્સ્ય ચંતામિ
પદા
રૂવ્ઝામિન-ઇચ્છું છું, મારી ઈચ્છાથી કરવા ઈચ્છું છું. ( કેાઈના દખાણ કે ખલાત્કારથી નહિ. )
વનાસમળો-હું ક્ષમાશ્રમણ ! હે ક્ષમાદિ દશ ગુણાવાળા સાધુ ભગવંત ! ક્ષમાદિ દશ ગુણ્ણાની ગણના આ પ્રકારે થાય છે : (૧) ક્ષમા, (૨) મૃદુતા, (૩) સરલતા, (૪) પવિત્રતા, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) નિષ્કિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય
..
:
વવિવું–વંદવાને, વંદન કરવાને,
નાળિઞા-યાપનીયા વડે. સુખ શાતા-પૂછવી તે
6
યાપનીયા કહેવાય છે. અહી' શક્તિસહિત ' એવા અથ
ચાલ્યા આવે છે, પણ તે સ ંગત નથી. ગુરુવંદનની મુખ્ય
ક્રિયામાં પ્રથમ યાપનીયા ક્રિયા આવે છે અને પછી નૈષધિકી
Page #202
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૯૩ :. કિયા આવે છે. આ ક્રિયા પરથી જ પ્રણિપાત–સૂત્ર સંકલિત થયેલું છે, એટલે તેને અર્થ આ પ્રમાણે કરો ગ્ય છે.
નિરીહિમા-નૈધિકી વડે, અવિનય–આશાતના ખમાવીને. અવિનય–આશાતનાની ક્ષમા માગવી એ નૈધિકી કિયા છે.
મથાઈ–મસ્તક વડે, મસ્તક આદિ પાંચ અંગો ભેગા કરીને. મસ્તક, બે હાથ અને બે ઢીંચણ મળી પાંચ અંગે ગણાય છે. વંદામિ–વંદન કરું છું.
અર્થસંકલના હે ક્ષમાદિ દશ ગુણવાળા સાધુ ભગવંત ! હું આપને સુખ-શાતા પૂછીને તથા અવિનય-આશાતના ખમાવીને વંદન કરવા ઇચ્છું છું. મસ્તક વગેરે પાંચ અંગો નમાવીને આપને વંદન કરું છું.
રહસ્ય ગુરુવંદનના ત્રણ પ્રકારે છેઃ (૧) ફિટ્ટાવંદન, (૨) ભિવંદન અને (૩) બારસાવત્તવંદન. તેમાં રસ્તે ચાલતાંમાત્ર માથું નમાવીને જે વંદન કરવામાં આવે છે, તે ફિટ્ટાવંદન કહેવાય છે. ઊભા રહીને તથા શરીરનાં પાંચ અંગે નમાવવાપૂર્વક જે વંદન કરવામાં આવે છે, તે જવંદન કહેવાય છે અને સવારે તથા સાંજે બાર આવર્તપૂર્વક જે વંદન કરવામાં આવે છે, તેને બારસાવત્તવંદન કહેવામાં આવે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન એ ત્રણ વંદમથી આ વંદન મધ્ય પ્રકારનું એટલે કે થેભવંદન છે. ધાર્મિક ક્રિયાઓમાં આ સૂત્રને બહેને ઉપયોગ થાય છે. સામાન્ય રીતે તે ખમાસમણ-સૂત્ર તરીકે ઓળખાય છે, પણ પ્રણિપાત–સૂત્ર એ તેનું સુયોગ્ય નામ છે.
૪– ગુનિમંત્રણસૂત્ર
(સુગુરુ-સુખશાતા-પૃચ્છા) इच्छकार सुहराई (सुहदेवसि) सुख-तप ? शरीर 'निराबाध ? सुख-संजम-जात्रा निर्वहो छो जी ? स्वामी રાતિ છે ?
[ અહીં ગુરુ જવાબ આપે “દેવ-ગુરુ-પસાય” તે સાંભળીને શિષ્ય કહે.] भात-पाणीनो लाभ देजोजी ॥
પદાર્થ રૂછવા –હે ગુરુજી! આપની ઈચ્છા હોય તે પૂછું.
સુ -રાત્રિ સુખપૂર્વક પસાર થઈ ? સુ સ? – દિવસ સુખપૂર્વક પસાર થયે?) સુવ તા? –તપ સુખપૂર્વક થાય છે ? શરીર નિવાંધ?– શરીર પીડારહિત છે?
સુ–સંગમ-જ્ઞાત્રા નિર્વહો છો ગી?—આપ સંયમ રૂપી યાત્રાને નિર્વાહ સુખપૂર્વક કરે છે ?
Page #204
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠ
માત-Trળીનો અમનોની- મારે ત્યાંથી આહાર–પાણું , વહોરવાની કૃપા કરશે આપશોજી.
અર્થસંકલના હે ગુરુજી! આપની ઈચ્છા હોય તે પૂછું. વ્યતીત થયેલી રાત્રિ આપની ઈચ્છાને અનુકૂલ સુખપૂર્વક પસાર થઈ ? (અથવા વ્યતીત થયેલે દિવસ આપની ઈચ્છાને અનુકૂલ સુખપૂર્વક પસાર થયે?) આપની તપશ્ચર્યા સુખરૂપ થાય છે ? આપના શરીરે કેઈપણ પ્રકારની પીડા અને રેગ તે નથી ને? વળી હે ગુરુજી ! આપની સંયમયાત્રાને નિર્વાહ સુખે કરીને થાય છે? હે સ્વામી ? આપને સર્વ પ્રકારે શાતા છે ને?
[ગુરુ કહે-દેવ અને ગુરુની કૃપાથી તેમ જ છે. આ વખતે શિષ્ય પિતાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરે છે. મારે ત્યાંથી આહાર–પાણી વહોરવા કૃપા કરશેજી.
[ ગુરુ આ નિમંત્રણ સ્વીકાર કે ઈનકાર ન કરતાં વર્તમાન જેગ” એ ઉત્તર આપે છે. તેને અર્થ એ છે કે જેવી તે સમયની અનુકૂલતા.]
રહસ્ય ગુરુને સુખ–શાતા પૂછવી એ વંદનને જ એક ભાગ છે. એ સુખ–શાતા પૂછવા માટે આ પાઠને ઉપયોગ થાય છે, પણ તે પ્રાકૃતમાંથી અપભ્રંશ થયેલે છે. તેમાં કેટલાક શબ્દો ગુજરાતી દાખલ થઈ ગયા છે. છેવટે તેમાં ગુરુને આહાર
Page #205
--------------------------------------------------------------------------
________________
૯૬
साभायिङ - विज्ञान
પાણી વહેારવાનું નિમ ંત્રણ છે, તેથી તેનું પ્રાચીન નામ નિમ ંત્રણસૂત્ર હાય એમ જણાય છે. જો આ પાઠ અપેાર સુધીમાં ખેલવામાં આવે તેા મુદ્દાદ્ પદ ખેલાય છે અને અપેાર પછી ખેલવામાં આવે તેા મુદ્દેવત્ત પદ્મ ખેલાય છે. प-हरियावाडी-सूत्र
इच्छाकारेण संदिसह भगवन् ! ईरियावहियं पडिक मामि ?
इच्छं ।
इच्छामि पडिकमिउं ईरियावहियाए विराहणाए । गमणागमणे ।
पाणकमणे, वीयकमणे, हरियकमणे, ओसा- उत्तिंगपणग-दगमट्टी - मकडासंताणा - संक्रमणे |
जे मे जीवा विराहिया ।
एगिंदिया, बेइंदिया, ते इंदिया, चउरिंदिया, पंचिंदिया |
अभिया, वृत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया.. जीवियाओ ववरोविया तस्स मिच्छामि दुक्कडं ॥
પદા
ईच्छाकारेण - स्वेच्छाथी.
संदिसह - आज्ञा आयो..
भगवं-डे लगवन् !
Page #206
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠ
વિgિઈક્રમમ?-ઐયપથિકી ક્રિયાનું પ્રતિકમણું કરું ? પાપમાંથી પાછા ફરવું, તે પ્રતિક્રમણ કહેવાય છે.
[ ગુરુ કહે-ફિમેદ-હા, પ્રતિકમણ કરે. એટલે શિષ્ય કહે--]
રૂછું-એ ગુરુઆજ્ઞાને ઈચ્છું છું. રૂછાનિ-ઈચ્છું છું. પરમ–પ્રતિક્રમણ કરવાને.
રચાયા વિરાળા–અર્યાપિથિકી કિયા અંગે થયેલી વિરાધનાથી. વિરાધના એટલે વિકૃત થયેલી આરાધના. દેષ. તેને અતિચાર પણ કહેવામાં આવે છે.
૧મગામ-(કાર્ય પ્રજને) જવામાં અને ત્યાંથી પાછા આવવામાં.
TITમળે-પ્રાણીઓને ચાંપતાં. વીચામ–બીજેને ચાંપતાં.
ચિમળેલીલેરીને ચાંપતાં. મોસા-ઉત્તર-પૂના-મટ્ટી-હાવંતાન – –
ઝાકળ, કીડિયારું, લીલફૂલ કે સેવાળ, કાદવ અને કરે ળિયાની જાળને ચાંપતાં. જે-જે.
મારા વડે. નવા વિવાદિયા–જી વિરાધાયા હેય. સા. ૭
Page #207
--------------------------------------------------------------------------
________________
૯૮
નિતિયા-એક ઇન્દ્રિયવાળા જીવા. વેરૂરિયા-એ ઇન્દ્રિયવાળા જીવે. તેરૂંચિા-ત્રણ ઇન્દ્રિયવાળા જીવે. પરિંદ્રિયા–ચાર ઇન્દ્રિયવાળા જીવા િિા-પાંચ ઇન્દ્રિયવાળા જવા.
સામાયિક–વિજ્ઞાન
મિયા—લાતે મરાયા હોય. વૃત્તિયા-ધૂળ વડે ઢંકાયા હોય.
હેનિયા-ભોંય સાથે ઘસાયા હાય. સંધાા-અરસપરસ શરીરે વડે અફળાવાયા હાય.
સંયા થોડા સ્પર્શ કરાયા હોય.
પરિવાવિયા-દુ:ખ ઉપજાવાયા રાય. ાિમિયા-ખેદ પમાડાયા હાય.
વિયા-ઉદ્વેગ પમાડાયા હોય.
ટાળાબો ઢાળ સંહામિયા-એક સ્થાનથી ખીજા સ્થાને ફેરવાયા હાય.
નીવિયાળો વવરોવિચા-જીવનથી છૂટા કરાયા હોય. તત્ત્વ તે સ'અ'ધી.
મિચ્છા-મિથ્યા. મૈ-મારું. તુરું-દુષ્કૃત, અસલના
હૈ ભગવંત ! સ્વેચ્છાથી અય્યપથિકી–પ્રતિક્રમણ કરવાની
Page #208
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠે મને આજ્ઞા આપ. [ ગુરુ તેને પ્રત્યુત્તરમાં “પર ” પ્રતિક્રમણ કરે” એમ કહે, એટલે શિષ્ય કહે કે – હું આપની એ આજ્ઞાને ઈચ્છું છું.] હવે હું રસ્તે ચાલતાં થયેલી જીવ-વિરાધનાનું પ્રતિકમણ અંતઃકરણની ભાવનાપૂર્વક શરૂ
જતાં-આવતાં મારા વડે પ્રાણીઓ, બિયાં, લીલેરી, ઝાકળનું પાણી. કીડીનાં દર, લીલ, ફૂલ કે સેવાળ, કાદવ અને કરોળિયાની જાળ વગેરે ચંપાયા હોય
જતાં-આવતાં મારા વડે જે કોઈએકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીની વિરાધના થઈ હોય;
જતાં-આવતાં મારા વડે જીવો ઠોકરે મરાયા હેય, ધૂળે કરીને ઢંકાયા હેય, ભેંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીર વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હોય, ઉદ્વેગ પમાડાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે જીવનથી છૂટા કરાયા હોય, અને તેથી જે કંઈ વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ.
રહસ્ય નાનામાં નાની જીવવિરાધનાને પણ દુષ્કૃત સમજવું અને તે માટે દિલગીર થવું, એ આ સૂત્રનું રહસ્ય છે. આ સૂત્રને ઉપયોગ જવા-આવવાની ક્રિયા કરતાં જીની જે વિરાધના થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરવા માટે થાય
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સામાયિક–વિજ્ઞાન
છે. અને તે જ કારણે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન, તેમજ દેવવંદનમાં પણ ખેલાય છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ. તેના ભાવાર્થ એ છે કે એક કાયમ ખાટું લાગે કે તેને છેડી દેવું અને તે અ ંગે જે કાંઇ કર્યું... હાય, તે માટે દિલગીર થવું.
૬-તસ્સઉત્તરી–સૂત્ર
મૂલપાડ
तस्स उत्तरीकरणेणं, पायच्छित्तकरणेणं, विसोही करणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्धायणहाए ठामि જાણમાં
તસ્ત્ર—તેનુ', તે સ્ખલિત થયેલા આત્માનુ
ઉત્તર રળેળ –ઉત્તરીકરણ વડે. વિશેષ આલોચનાને ઉત્તરીકરણ કહેવામાં આવે છે.
પાયત્તિ મેળ-પ્રાયશ્ચિત્ત કરવા વડે.
વિનોદીને”—વિશાધન કરવા વડે. આત્માનુ વિશેષ શાધન કરવુ, તે વિશેાધન.
વિસલ્ટીંળેળ–વિશલ્યીકરણ કરવા વડે, શલ્યરહિત થવા વડે. અનાલેાચિત પાપને શલ્ય કહેવામાં આવે છે તથા માયા, મિથ્યાત્વ અને નિદાનને પણ શલ્ય કહેવામાં આવે છે પાવાળું માન-પાપકમેના..
Page #210
--------------------------------------------------------------------------
________________
આલ અનરૂપ સૂત્રપાઠી
૧૦૧
નિધાયળદા—નિર્ધાતનાથે, સંપૂર્ણ નાશ કરવા માટે, ઝામિ પ્રારમ્ભñ-કાયાત્સગ માં સ્થિર થાઉં છું. કાય એટલે દેહ કે શરીર, તેના ઉત્સગ કરવા, એટલે તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા, તે કચેાત્સગ, કાયા પ્રત્યેનું મમત્વ છેડી ચિ'તન કે ધ્યાન માટે આ અવસ્થાના સ્વીકાર કરવામાં આવે છે.
અસલના
તે સ્ખલિત થયેલા આત્માનુ વિશેષ આલેાચના કરવા વડે, પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશેષ આત્મશેાધન કરવા વડે તથા શલ્યરહિત થવા વડે, પાપકમાંના સંપૂર્ણ નાશ કરવા માટે, હું કાયોત્સગમાં સ્થિર થાઉં છું.
રહસ્ય
પ્રતિક્રમણથી સામાન્ય શુદ્ધિ થાય છે અને કાયાત્સગ થી વિશેષ શુદ્ધિ થાય છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડં ’ રૂપ પ્રતિક્રમણ કર્યાં પછી કાયાત્સગ કરવામાં આવે છે. આ કાયાત્સ માં ચર કિયાએ કરવાની હાય છે: (1) થયેલી સ્ખલના કે પાપનુ' વિશેષ આલેાચન કરવાની. (૨) પ્રાયશ્ચિત્ત કરવાની. ઇરિયાવહીના અતિચાર માટે ૨૫ શ્વાસોચ્છ્વાસના કાયાત્સગ પ્રાયશ્ચિત્તરૂપ છે. (૩) આત્માનુ વિશેષ શેાધન કરવાની અને (૪) શલ્યરહિત થવાની. આ ચાર ક્રિયાએ યથાર્થ કરવામાં આવે તા લાગેલા પાપના સંપૂર્ણ નાશ થાય છે અને આત્મા શુદ્ધ અને છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સામાયિક-વિજ્ઞાન
७-मन्नत्थ-सूत्र अन्नाथ उससिएणं नीससिएणं खासिएणं छीएण जंभाइएणं उड्डएणं वायनिसग्गेणं भमलीए पित्तमुच्छाए, मुहमेहि अंगसंचालेहि सुहमेहिं खेलसंचाले हिं सुहुमेहि दिट्ठीसंचालेहिं, एवमाइएहिं आगारेहिं, अभग्गो अविराहिओ हुज्ज मे काउस्मगो।
जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि, ताक कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥
अन्नत्थ-सिवाय डे, नीयन। A५६ पूर्व ४. ऊससिएण-श्वास वडे, श्वास सेवाथी. नीससिएणं-नि:श्वास , श्वास भू४पाथी.. खासिएणं-उस मावपाथी. छीएणं-छी थी. जंभाइएणं-मासुमाववाथी. उड्डएणं २ मापाथी. वायनिसग्गेणं-वाछूट थवाथी. भमलीए-२४२ भाववाथी. पित्तमुच्छाए-पित्तने दीधे भू मापायी. सुहुमेहिं अंगसंचालेहि-सूक्ष्म शत म॥ २४वा : सुहुमेहि दिट्ठीसंचाले हिं-सूक्ष्म रीते दृष्टि ३२४वाथी. सुहुमेहिं खेलसंचालेहि-सूक्ष्म रीते ३सयार थवाथी.
Page #212
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠ
૧૦૩ માહિહિં સાITTદઈત્યાદિ આગારે વડે. અહીં આદિ પદથી અગ્નિસ્પર્શ, શરીરછેદન અથવા સંમુખ થતાં પંચેન્દ્રિયવધ, ચેર કે રાજાની દખલગીરી અને સર્પદંશ જેવા પ્રસંગો ગ્રહણ કરાય છે.
મો-અલગ્ન, ભાંગેલે નહિ એવો.
વરાહો -અવિરાધિત, ખંડિત નહિ થયેલે એ. દુન્ન–હેજે. ને રસ-મારે કાર્યોત્સર્ગ નવ-જ્યાં સુધી, રિહંતા માવંતા–અરિહંત ભગવંતને. નમુન-નમસ્કાર કરવા વડે.
પરિમેન પારું. તાવ-ત્યાં સુધી. વાચ-કાયાને. ટાળ–સ્થાન વડે, થાનપ્રતિબદ્ધ થઈને. મળ-મૌન વડે. જ્ઞાળf–ધ્યાન વડે. અHi વસમ–પોતાની જાતને ત્યાગ કરું છું. ગામન–શબ્દ પિતાની જાત માટે પણ વપરાય છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સામાયિક-વિજ્ઞાન પિતાની જાતને છોડી દેવી, એટલે હું અમુક છું, એ વાત ભૂલી જવી.
અથસકલના શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું ખાવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂચ્છ આવવાથી, સૂક્ષ્મ રીતે શરીર ફરકવાથી, સૂકમ રીતે કફસંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિને સંચાર થવાથી તથા (અગ્નિસ્પર્શ, શરીર છેદન અથવા સંમુખ થત પંચેન્દ્રિયને વધ, ચાર કે રાજાની દખલગીરી અને સર્પદંશ) ઈત્યાદિ કારણે ઉપસ્થિત થવાથી જે કાયવ્યાપાર થાય, તેનાથી મારે કાયેત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ, એવી સમજ સાથે કાયાને એક સ્થાને પ્રતિબદ્ધ કરીને, વાણને મૌન કરીને તથા મનને ધ્યાનમાં જોડીને મારી પોતાની જાતને ત્યાગ કરું છું.
રહસ્ય કાયોત્સર્ગનું સ્વરૂપ સમજવા માટે આ સૂત્ર ઘણું ઉપયોગી છે, તેથી તેને કાયેત્સર્ગસૂત્ર પણ કહેવાય છે. તેમાં કાર્યોત્સર્ગના બાર આગાર સ્પષ્ટ શબ્દોથી અને ચાર આગારે આદિ શબ્દથી બતાવેલા છે, એટલે આ સંજોગોમાં મત્સર્ગ ભાંગ્યું કે વિરાધાયેલે ન ગણાય. કાર્યોત્સર્ગમાં કાયાને સ્થાન પ્રતિબદ્ધ કરવાની હોય છે, એટલે એક જ સ્થાને રાખવાની હોય છે, વાણીને મીનથી સ્થિર કરવાની હોય
Page #214
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૧૦૫
છે અને મનને ધ્યાનથી સ્થિર કરવાનું હાય છે. આ સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે પેાતાની જાતને ભૂલી જવામાં આવે.
८- सोगस्स-सूत्र
મૂલપાડ
लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवलीं ॥ १ ॥ उसभमजिअं च वंदे, संभवभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंतं, सीअल - सिज्जंस - वासुपुज्जं च ॥ विमलमणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिनेमिं, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एवं मए अभिथुआ, विहुय - रयमला पहीण - जरमरणा । asari fप जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥ ५ ॥ कित्तिय - वंदिय - महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहिलाभं, समाहिवरमुत्तमं दिंतु ॥ ५ ॥ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा | सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ ७ ॥
પદાર્થ
-लोगस्स झोन, यो शो प्रमाणु समस्त बोङनो.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉન્નોબરે પ્રકાશ કરનારાઓને. ધમ્મતિથો-ધ રૂપી તી ને રથાપનારાઓને, લળે-જિનાને, રાગ–દ્વેષના સંપૂર્ણ વિજેતાઓને. હિંત-અરિહ તાને, અહંતાને, ત્રિલેાક વડે પૂજા-
ચેલાઓને.
સામાયિક–વિજ્ઞાન
વિત્તફેસ્સું–હુ નામેાચ્ચરણપૂર્વક સ્તવીશ.
૨૩વીસ વિ-ચાવીશે પણ.
વેવજી–કેવલજ્ઞાનીઆને.
રસમં–શ્રી ઋષભદેવ નામના પ્રથમ તીર્થંકરને. અનિયં–શ્રી અજિતનાથ નામના બીજા તીથ કરને ૬-અને. સત્ર આ પ્રમાણે સમજી લેવું.
વ?–વંદુ છું.
સંમથું–શ્રી સ’ભવનાથ નામના ત્રીજા તીથ કરને
મળળ શ્રી અભિનંદન નામના ચાથા તીથ કરને સુમΖશ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થંકરને પઙમળ્વન્દ્—શ્રી પદ્મપ્રભ નામના છઠ્ઠા તીથ કરને સુવાસં–શ્રી સુપાર્શ્વનાથ નામના સાતમા તીથ કરને. નિપ્ન-જિનને.
•
ચંતવનૢ શ્રી ચંદ્રપ્રભુ નામના આઠમા તીર્થંકરને.
-
વડ઼ેવ દુ છું. સુદ્િ–શ્રી સુવિધિનાથ નામના નવમા તીર્થંકરને
7-24291.
Page #216
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૧૦૭ પુર્તાિ-શ્રી પુષ્પદંતને. શ્રી પુષ્પદંત એ નવમા સુવિધિનાથ તીર્થકરનું બીજું નામ છે.
સીબ૪-સિબંસ-વાયુપુi-શ્રી શીતલનાથ નામના દશમાં તીર્થકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગિયારમા . તીર્થકરને અને શ્રી વાસુપૂજ્ય નામના બારમા તીર્થકરને. વિમહેં–શ્રી વિમલનાથ નામના તેરમા તીર્થકરને.
તં–શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થકરને. નિ-જિનને. ધí-શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થકરને. સર્વ-શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થકરને. વંદામિ-વંદું છું. કુંથું-શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થકરને.
–શ્રી અરનાથ નામના અઢારમા તીર્થકરને. મલ્ડિં–શ્રી મલ્લિનાથ નામના ઓગણીશમાં તીર્થકરને.. વંદે-વંદું છું. મુનિસુવ્રચં-શ્રી મુનિસુવ્રત નામના વશમાં તીર્થકરને. નમિનિબં-શ્રી નમિનાથ નામના એકવીશમ તીર્થકરને.
દુિનેમિ-શ્રી અરિષ્ટનેમિ અથવા શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થકરને.
પસં–શ્રી પાર્શ્વનાથ નામના તેવીસમા તીર્થકરને. તહે–તથા.
Page #217
--------------------------------------------------------------------------
________________
* ૧૦૮
સામાયિક-વિજ્ઞાન વમળ-શ્રી વદ્ધમાન સ્વામી અથવા શ્રી મહાવીર - સ્વામી નામના વશમાં તીર્થકરને.
–એવી રીતે. મ–મારા વડે.
મથુના–નામપૂર્વક સ્તરાયેલા. વિય-મ-રજ અને મલરૂપી કર્મોને દૂર કરનારા.
વિદુર-દૂર કર્યા છે. ર-રજ, બંધાતાં કર્મ. મ–મલ, પૂર્વે બંધાયેલાં કર્મ.
પહીનામા – જરા અને મરણને અત્યંત ક્ષીણ કરનારા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પૂર્ણ નાશ કરનારા.
રાવી પિ-વીશે પણ. નિવા-જિનવરે.
તિથના-તીર્થકરે. જે ધર્મરૂપી તીર્થને કરે–સ્થાપે, તે તીર્થકર કહેવાય.
મે-મારા ઉપર. પરીચ7–પ્રસન્ન થાઓ, પ્રસાદવાળા થાઓ.
િિત્ત-વંદિર-મદિા–નામપૂર્વક સ્તરાયેલા, મનવચનકાયા વડે વંદાયેલા અને ભાવવડે પૂજાયેલા. અહીં સ્તવનને પ્રસંગ હોવાથી ભાવવડે પૂજાયેલા એ અર્થ સંગત છે.
-જે આ. ઢોલાર ઉત્તમ સિલેકના ઉત્તમ સિદ્ધ પુરુષ છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠ
૧૦૯ : બાફ-વોદિયામં–આરોગ્ય અને બધિલાભ. અહીં રેગરહિત સ્થિતિને આરેગ્ય સમજવું અને સમ્યકત્વની પ્રાપ્તિ અથવા જૈન ધર્મની પ્રાપ્તિને બેધિલાભ સમજે.
સમાવિ–શ્રેષ્ઠ સમાધિ.
ઉત્તમ-મરણ સંબંધી. અહીં ઉત્તમને અર્થ ફરી શ્રેષ્ઠ કરે એગ્ય નથી. અન્યત્ર આરેગ્ય, ધિલાભ અને મરણસમાધિના ઉલ્લખે જ પ્રાપ્ત થાય છે. રિંતુ આપે.
સુ-ચંદ્રોથી. નિમઝારા-વધારે નિર્મલ, વધારે સ્વચ્છ. સારૂકું–આદિથી–સૂર્યોથી.
ચિં પ્રવાસી અધિક પ્રકાશ કરનારા, વધારે તેજસ્વી.
સારવાંમીરા–શ્રેષ્ઠ સાગર એટલે સ્વયંભૂરમણસમુદ્ર, તેના કરતાં પણ વધારે ગંભીર.
સિદ્ધા-સિદ્ધ ભગવંતે. સિદ્ધિ-સિદ્ધિ, મુક્તિ, મોક્ષ. મમ-મને. વિસંતુ-આપે.
અર્થસંકલના સમસ્ત લેકને પ્રકાશ કરનારા, ધર્મરૂપી તીર્થને સ્થાપનારા, રાગ-દ્વેષને પૂર્ણ પણે જીતનારા, ત્રણ લેક વડે
Page #219
--------------------------------------------------------------------------
________________
* ૧૧૦
સામાયિક-વિજ્ઞાન પૂજાયેલા એવા વીશે ય કેવલી ભગવંતેને નામપૂર્વક સ્તવીશ. ૧
શ્રી કષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદનવવામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભમવામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી ચંદ્રપ્રભજિનને હું વંદન કરું છું. ૨
શ્રી સુવિધિનાથ, જેમનું બીજું નામ પુષ્પદંત છે તેમને, તથા શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ જિનને હું વંદન કરું છું. ૩
શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નેમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી વિદ્ધમાનજિનને (શ્રી મહાવીર સ્વામીને) હું વંદન કરું છું. ૪
એવી રીતે મારા વડે નામપૂર્વક સ્તરાયેલા, રજ અને મલરૂપી કર્મને દૂર કરનારા તથા વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પૂર્ણ નાશ કરનારા ચેવિશે ય જિનવરે મારા પર પ્રસન્ન - થાઓ. ૫
નામપૂર્વક સ્તરાયેલા, મન-વચન-કાયા વડે વંદાયેલા, આ ભાવવડે પૂજાયેલા અને આ લેકના ઉત્તમ સિદ્ધપુરુષ તરીકે
પ્રતિષ્ઠા પામેલા (વીશ જિનવરે) મને આરોગ્ય, ધિલાભ - અને શ્રેષ્ઠ મરણસમાધિ આપે. ૬
ચંદ્ર કરતાં પણ વધારે નિર્મલ, સૂર્યો કરતાં પણ
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આલંબરૂપ સૂત્રપાઠી વધારે તેજસ્વી અને સ્વયંભૂરમણસમુદ્ર કરતાં પણ વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપો. ૭.
રહસ્ય વીશ તીર્થકરેની ભાવસ્તવના કરવી, એ આ સૂત્રનું રહસ્ય છે. શાસ્ત્રોમાં તે ચકવીસ@યસુત્ત એટલે ચતુર્વિશતિસ્તવસૂત્ર તરીકે ઓળખાય છે.
૯-કરેમિ ભંતે-સૂત્ર
મૂલપાઠ करेमि भंते ! सामाइयं सावज्ज जोगं पच्चरवामि । जाव नियमं पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेण वायाए कारण, न करेमि, न कारवे मि । ___ तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाण વોસિરામ
પદાર્થ રેમિ-કરું છું, કરવાને ઈચ્છું છું. મંતિ–હે ભગવન ! સામયિં-સામાયિક. સાવ નો–સાવદ્ય ચેગને, પાપવાળી પ્રવૃત્તિને. પરમ–પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું. વાવ-જ્યાં સુધી. નિયમ પsgવામિ-નિયમને પર્યું પાસું, નિયમને લેવું.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૧ર
સામાયિક-વિજ્ઞાન. ટુવિહં–કરવા અને કરાવવારૂપ બે પ્રકારે તિવિધે-ત્રણ પ્રકારે. મળે– મન વડે. વાયા–વાચા વડે, વાણી વડે.
gi-કાયા વડે. ૨ મિન કરું. ન મિ-ન કરાવું, બીજા પાસે કરાવું નહિ તર-તે સંબંધી. મતે હે ભગવન! પરિક્રમમ-પ્રતિકકું છું, નિવૃત્ત થાઉં છું. નિમિ-નિંદું છું, બેટી ગણું છું. રામ-ગુરુ સાક્ષીએ નિંદું છું, તેને એકરાર કરું છું.. Hi વોસિરામિ-મારી જાતને ત્યાગ કરું છું.
' અર્થસંકલન
હે ભગવન્! હું સામાયિક કરવાને ઈચ્છું છું અને તે માટે પાપવાળી પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક છોડી દઉં છું.
જ્યાં સુધી હું આ નિયમને એવું ત્યાં સુધી મન, વચન અને કાયા વડે પાપવાની પ્રવૃત્તિ કરીશ નહિ કે બીજા પાસે કરાવીશ નહિ. હે ભગવન્! અત્યાર સુધી તે પ્રકારની જે પાપપ્રવૃત્તિ કરી હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપવાળી પ્રવૃત્તિને છેટી ગાણું છું અને તે બાબતને આપની પાસે સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું મારી જાતને ત્યાગ કરું છું.
Page #222
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સુત્રપાડો
૧૧૩
રહસ્ય
આ સૂત્ર વડે સામાયિકનું છ કાટિથી પ્રત્યાખ્યાનઆ રીતે ગણાય છે:
(૧) મનથી પાપ કરવું નહિ. (૨) વચનથી પાપ કરવું નહિ. (૩) કાયાથી પાપ કરવું નહિ. (૪) મનથી પાપ કરાવવું નહિ. (૫) વચનથી પાપ કરાવવું નહિ. (૬) કાયાથી પાપ કરાવવું નહિં.
પચ્ચક્ખાણ લેવાય છે. છ કોટિ
૧૦-સામાઇયવય-જીત્તો-સૂત્ર મૂલપાડ सामाइयवय-जुत्तो, जाव मणे होइ नियमसंजुत्तो । छिन्न अहं कम्म सामाइय जत्तिया वारा ॥ १ ॥
"
सामाइयम्मि उकए, समणो इव सावओ इवह जम्हा । एएण कारणेण, बहुसो सामाइयं कुज्जा ॥ २ ॥
વિધિવચને
સામાયિક વિધિથી લીધું, વિધિથી પાયું, વિધિ કરતાં જે કઇ વિધિ થયા હાય, તે સર્વે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં
દશ મનના, દેશ વચનના, માર કાયાના એ અત્રીશ
સો. ૮
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સામાયિક-વિજ્ઞાન દેષમાંથી જે કઈ દેષ લાગ્યું હોય, તે મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુકકડ.
પદાર્થ સામરૂચ-નુતો-સામાયિકવ્રતથી યુક્ત. વાવ-જ્યાં સુધી. મળે-મનમાં. હો-હોય છે, કરે છે. નિયમનુત્તો-નિયમથી જોડાયેલે, નિયમ રાખીને. છિન્ન-કાપે છે. વસુદું-અશુભ.
મં–કર્મને. સમરૂચ-સામાયિક. ત્તિમાં વારે-જેટલી વાર. સામફિક્સિ-સામાયિકમાં. ર–તે.
–કર્યો છતે. સમળો-શ્રમણ, સાધુ. રૂ–જે. સવિલો-શ્રાવક. વ–થાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
આલંબનરૂપ સૂત્રપાઠી
૧૧૫ -જે કારણથી. MUT વાળં–એ કારણ વડે. વદુતો બહુ વાર, ઘણી વાર સામારૂચં–સામાયિક. યુઝા- કરવું જોઈએ. વિધિવચનને અર્થ સ્પષ્ટ છે.
અર્થસંકલના સામાયિક વ્રતધારી જ્યાં સુધી મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી તે અશુભ કર્મોને નાશ કરે છે.
સામાયિક કર્યો છતે તે શ્રાવક સાધુ જે થાય છે, તેથી સામાયિક વારંવાર કરવું જોઈએ.
આ સામાયિક મેં વિધિપૂર્વક કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની કિયામાં જે કોઈ પણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય, તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દશ મનના, દશ વચનના અને બાર કાયાના મળી કુલ બત્રીશ દોમાંથી જે કઈ દોષનું સેવન થયું હોય, તે સંબંધી મારુ * પાપ નિષ્ફલ થાઓ.
રહસ્ય સામાયિક પારવા માટે એટલે કે તેની પૂર્ણાહુતિ કરવા
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સામાયિક–વિજ્ઞાન
માટે આ સૂત્રના ઉપયોગ થાય છે. તે ફરી પણ કરવાની ભાવના થાય તે માટે તેમાં સામાયિકના લાભા દર્શાવેલા છે.
ક્રિયા દરમિયાન ૩૨ દોષમાંથી કોઇ દોષ લાગ્યા હાય, તેનું આ સૂત્ર વડે મિથ્યા દુષ્કૃત દેવામાં આવ્યું છે.
સામાયિકની ક્રિયામાં આલબનરૂપ આ દશ સૂત્રપાોને ઉપયેગ થાય છે. તેના અર્થ અને રહસ્ય જાણવા સામાયિકની ક્રિયામાં અનેરા પ્રાણ પૂરાય છે, એટલે પાકમિત્રોએ તેના પર ખાસ લક્ષ્ય આપવું ઘટે છે. [આ પ્રકરણમાં પ્રશ્નોત્તરી આપેલી નથી.
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૭ ]
સામાયિક લેવા-પારવાના વિધિ
(સમજ સાથે )
સ'કેત
ફ્રેમમા॰પ્રણિ' એટલે ખમાસમણુ–સૂત્ર દ્વારા પ્રણિપાત કરવાની ક્રિયા. આ પાઠ ઊભા રહીને બેલવે અને છેલ્લુ' પદ ‘ મર્ત્યએણુ 'દામિ ’ એલતી વખતે નીચા નમીને પંચાંગ પ્રણિપાત કરવા.
‘ ઇચ્છા ’એટલે ‘ ઇચ્છાકારેણ સંદિસહુ ભગવ` !’ ‘મુહ૦” એટલે મુહપત્તી.
• પડિ* એટલે પડિલેહણની ક્રિયા.
સામાયિક લેવાને વિધિ શુદ્ધિ
(૧) સ્થાન, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિપૂર્વક સામા-યિક કરવાને તપુર થવુ,
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સામાયિક–વિજ્ઞાન.
ભૂમિપ્રમાર્જન તથા આસન
(૨) બેસવાની જગાનું ચરવલા વડે ખરાખર પ્રમાન કરીને તેના પર આસન એટલે કટાસણુ પાથરવું. સ્થાપના ચા ની જગાનું પણ ચરવલા વડે ખરાખર પ્રમાન કરી લેવું.
સ્થાપના
(૩) આસન સન્મુખ બાજોઠ કે કોઇ ઊંચા સ્થાન પર સાંપડા મૂકી તેમાં જ્ઞાન-દન-ચારિત્રનાં ઉપકરણ મૂકવાં. પછી તેમાં ગુરુ-આચાર્ય ની સ્થાપના કરવા માટે જમણા હાથ તેમની સન્મુખ આહ્વાનમુદ્રાથી રાખીને એક નવકાર ખેલવા પછી પ`ચિ'દિય-સૂત્રના પાઠ બેલવેા. ગુરુમહારાજના સ્થાપનાચાય હાય તેા આ ક્રિયા કરવાની આવશ્યકતા નથી. પ’ચાંગ-પ્રણિપાત
(૪) ખમા॰પ્રણિની ક્રિયા કરવી.
ોિપથ-પ્રતિક્રમણ
(૫) પુનઃ ઊભા થઈને ઇરિયાવહી–સૂત્ર ખેલવું. કાયાન્સગ
(૬) તે પછી કાયાત્સર્ગી-નિમિત્તે તસ્સ ઉત્તરી-સૂત્ર તથા અન્નત્ય-સૂત્રને પાઠ બેલવે અને ૨૫ શ્ર્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયાત્સ માં સ્થિર થવું. તેમાં · ચ ંદ્રેસ નિમ્મલયરા ’ સુધીના લોગસ્સસૂત્રને પાઠ ચિંતવવા. જો આ પાઠ આવડતે ને હાય તે તેના સ્થાને મનમાં ચાર નવકાર ગણવા. પછી. ૐ નમો અરિહંતાણં પદ્મ ખેલીને કાર્યોત્સર્ગ પાવે.
,
Page #228
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાના વિિ
૧૧૯
ચતુવિ શતિસ્તવ
(૭) પછી લાગસ–સૂત્રના પાઠ પ્રકટ રીતે ખેલવા. મુહપત્તી-પડિલેહણને! આદેશ
(૮) પછી ખમા૰પ્રણિની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી; ‘ ઈચ્છા મુહુપત્તી પડિલેહઉ* ? ’ ( ગુરુ કહે, ‘પડિલેહ. ’ આપણે કહેવું ઈચ્છ’. ( આજ્ઞાના સ્વીકાર કરૂ છું.) ગુરુ ન હોય તો તેમની આજ્ઞા મળી ગઈ છે, એમ માનીને તરત ‘ ઇચ્છું ’ ખેલવુ. મધે આ પ્રમાણે સમજી લેવું.
፡
6
મુહપત્તીનું પડિલેહણ
(૯) પછી એસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. આ ક્રિયામાં પચીશ એલ મુહુપત્તી-પડિલેહણુના તથા પચીશ બેલ અંગ-પડિલેહણના ચિ'તવવા. ( તે આગામી પ્રકરણમાં આપેલાં છે. )
સામાયિકની ક્રિયા શરૂ કરવાને આદેશ (૧૦) પછી ખમાણની ક્રિયા કરવી અને ઊભા થઇને નમ્ર ખની નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઇચ્છા॰ સામાયિક સદિસાહું? (ગુરુ કહે, સંદિસહ.') આપણે કડેવુ ‘ ઈચ્છ. ” ( આજ્ઞાના સ્વીકાર. ) ’( (૧૧) પછી ખમા૰પ્રણિની ક્રિયા કરવી અને ઊભા રહીને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
• ઈચ્છા॰ સામાયિક હાઉ” ? 1 ( ગુરુ કહે, ઠાએહ. )
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સામાયિક-વિજ્ઞાન આપણે કહેવું “ઇચ્છ' (આજ્ઞાને સ્વીકાર).
સામાયિકનું પ્રત્યાખ્યાન (૧૨) પછી બે હાથ જોડી નમસ્કારસૂત્રને પાઠ એકવાર બેલ અને ઊંચા અવાજે કહેવું કે “ઈચ્છકારી ભગવં! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાજી.”
આ સમયે ગુરુ કરેમિ ભંતે–સૂત્રને પાઠ ઉચ્ચરાવે, તે આપણે મનમાં બેલતાં રહેવું. ગુરુ ન હોય તે સામાયિકમાં બેઠેલા કોઈ પણ વડીલ એ પાઠ ઉચ્ચરાવે અને વડીલ ન હોય તે પિતે એ પાઠ બેલ.
બેસવાને આદેશ (૧૩) પછી ખમા પ્રણિ૦ની ક્રિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી:
“ઈચ્છા બેસણે સંદિસાહું? ” (ગુરુ કહે “સંદિસહ”) આપણે કહેવું “ઈચ્છ'.” (આજ્ઞાને સ્વીકાર.)
(૧૪) પછી ખમા પ્રણિ૦ની કિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઈચ્છા બેસણે ઠાઉં ?” (ગુરુ કહે, “ઠાએહ.') આપણે કહેવું “ઈચ્છ.' (આજ્ઞાને સ્વીકાર.)
સ્વાધ્યાયને આદેશ (૧૫) પછી આસન પર બેસવું અને ખમા પ્રણિ૦ની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
Page #230
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨ ઈચ્છા સઝાય સંદિસાહે?” (ગુરુ કહે, “સંદિસહ.) આપણે કહેવું “ઈચ્છ” (આજ્ઞાને સ્વીકાર)
(૧૬) પછી ઉપર પ્રમાણે જ ખમા પ્રાણની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવીઃ
ઈચ્છા સજઝાય કરું ?” ગુરુ કહે, “કરેહ. આપણે કહેવું ઈચ્છ' (આજ્ઞાને સ્વીકાર)
સ્વાધ્યાયનું મંગલાચરણ (૧૭) પછી સ્વાધ્યાયના મંગલાચરણ તરીકે ત્રણ નવકાર ગણવા. તે પછી બે ઘડી એટલે ૪૮ મીનીટ સુધી સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાને વિધિ
સામાયિકનો સમય બે ઘડી એટલે ૪૮ મીનીટને છે. તે પૂરે થયે તરત જ પારવાને વિધિ કરવા જોઈએ. આ સમયમાં કંઈ ફરક પડે છે તે પ્રમાદ ગણાય અને ક્રિયામાં દેષ લાગે. આ ક્રિયામાં સંકેત ઉપર મુજબ જ સમજવા.
પંચાંગ-પ્રણિપાત (૧) ખમા પ્રણિની ક્રિયા કરવી.
ઇર્યાપથપ્રતિકમણું (૨) પુનઃ ઊભા થઈને ઈરિયાવહી–સૂત્ર બોલવું.
(૩) તે પછી કાયેત્સર્ગ–નિમિત્તે તસ્સ ઉતરી સૂત્ર તથા અન્નત્યસૂત્રને પાઠ બોલ અને ૨૫ શ્વાસોચ્છવાસ
Page #231
--------------------------------------------------------------------------
________________
કાવી :
૧૨૨
સામાયિક-વિજ્ઞાન પ્રમાણુ કાર્યોત્સર્ગમાં સ્થિર થવું. તેમાં “ચંદેસુ નિમ્મલયરા” સુધીને લેગસ્સ-સૂત્રને પાઠ ચિંતવ. જે આ પાઠ આવડત ન હોય તે તેને સ્થાને ચાર નવકાર ગણવા. પછી નમો અરિહંતાણં' પદ બોલીને કાર્યોત્સર્ગ પારે.
ચઉવિશતિસ્તવ () પછી લેગસ્ટ-સૂત્રને પાઠ પ્રકટ રીતે બેલ.
મુહપતી-પડિલેહણને આદેશ (૫) પછી ખમા પ્રતિની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઈચ્છા મુહુપત્તી પડિલેહઉં ? ” (ગુરુ કહે, “પડિલેહ) આપણે “ઈચ્છે ” કહેવું. (આજ્ઞાને સ્વીકાર.)
મુહપત્તી–પડિલેહણ (૬) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા. કરવી. આ ક્રિયામાં પચીશ બેલ મુહપત્તી-પડિલેહણના તથા પચીશ બેલ અંગ પડિલેહણના ચિંતવવા.
સામાયિકની ક્રિયા પારવાનો આદેશ
(૭) પછી ખમાધ્યણિની ક્રિયા કરવી અને ઊભા. થઈને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઈચ્છા સામાયિક પારું?” (ગુરુ કહે, “પુણે વિ કાય.”).
આપણે કહેવું “યથાશક્તિ.”
Page #232
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૨૩.
(૮) પછી ખમા પ્રાણની ક્રિયા કરવી અને ઊભા થઈ ને નીચે પ્રમાણે જાહેર કરવાની આજ્ઞા માગવી : ઇચ્છા સામાયિક પાયું. (ગુરુ કહે, આયારો · ન મેાત્તવે. ' )
'
આપણે કહેવું ‘ તત્તિ. ’ ( વાકયપ્રમાણને સ્વીકાર. ) સામાયિક પારવાની ક્રિયા
(૯) પછી જમણા હાથ ચરવલા પર સ્થાપી એક નવકાર બેલી · સામાયિવય-જીત્તો’-સૂત્રને પાઠ બેલવો. સ્થાપનાચાયના ઉત્થાપનવિધિ
(૧) પછી જમણા હાથ સ્થાપનાચાય સામે અવળે રાખીને એક નવકાર ખેલવા. જો ગુરુમહારાજના સ્થાપનાચાય હાય ! આ ઉત્થાપનવિધિ કરવાની નથી.
સૂચના
સામાયકની ક્રિયા એક કરતાં વધારે વાર કરવી હાય તેા વગર પાયે ત્રણ વાર થઈ શકે છે, પરંતુ ત્રીજી ક્રિયા અવશ્ય પાળવી જોઈ એ, એટલે ચોથી વારની સામાયિકક્રિયા ત્યાર પછી જ થઈ શકે.
સામાયિક લેવાના વિધિ અંગે સમજ
સામાયિક લેવું, એટલે સામાયિક ગ્રહણ કરવું, તે જે વિધિએ ગ્રહણ થાય, તેને સામાયિક લેવાનો વિધિ સમજત્રાના છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સામાયિક-વિજ્ઞાન શુદ્ધિ અને વિધિ કિયાના પ્રાણ ગણાય છે. તે સિવાય કેઈ પણ ક્રિયા સફળ થતી નથી, તેથી અહીં સ્થાન, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ પર ભાર મૂકાયેલું છે. અહીં અંગ
શુદ્ધિને નિર્દેશ નથી, પણ શક્ય એટલી અંગશુદ્ધિ રાખ. - વાથી કિયા સારી રીતે થાય છે.
ધાર્મિક ક્રિયા ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞાપૂર્વક અને ગુરુને વિનય જાળવીને કરવાની છે, તેથી પ્રત્યક્ષ ગુરુને યોગ ન હોય તે તેમની સ્થાપના કરીને અને તેઓ સાક્ષાત્ બેઠા છે, એમ માનીને બધી ક્રિયા કરવાની છે. સ્થાપનાચાર્ય સંબંધી કેટલુંક વિવરણ પાંચમા પ્રકરણમાં થઈ ગયેલું છે.
પછી તેમના પ્રત્યે વિનય–ભક્તિ-બહુમાન દર્શાવવા માટે પંચાંગ–પ્રણિપાત કરવામાં આવે છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સામાયિકનું પહેલું નમસકારસૂત્ર, બીજું પંચિંદિય-સૂત્ર અને ત્રીજુ પ્રણિપાત– સૂત્ર ષડાવશ્યકમાંનાં વંદન આવશ્યકને રજૂ કરે છે. નમઃ સ્કાર-સૂત્ર વડે જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, તે બધા અપેક્ષાવિશેષથી ગુરુઓ જ છે. અહિં તે જગગુરુ છે અને સિદ્ધ પક્ષ મહાગુરુઓ છે, કારણ કે તેઓ આપણને સિદ્ધાવસ્થા કે મેક્ષાવસ્થાનું સતત ભાન કરાવ્યા
પંચિંદિય-સૂત્રમાં ગુરુને સીધી વંદના નથી, પણ
Page #234
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨૫ . વંદના માટેની ભવ્ય ભૂમિકાની રજૂઆત છે, તે પરથી ધાર્મિક, આધ્યાત્મિક કે યૌગિક સાધના કરાવનાર ગુરુ કેવા હોવા જોઈએ? તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તેમને વારંવાર વંદન કરી તેમનાં ચરણે બેસી જવાનું મન થાય , છે. પાંચ ઈદ્રિને જીતવી, મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મ ચર્ય પાળવું, ક્રોધાદિ ચાર કષાયથી રહિત થવું, પાંચ મહાવ્રત ધારણ કરવાં, પાંચ આચારનું યથાર્થ પાલન કરવું તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થવું, એ સામાન્ય વાત નથી. જેમના અંતરમાં વૈરાગ્ય અને ત્યાગ પૂરેપૂરા વસ્યા હોય, જેમણે અધ્યાત્મરૂપી અમૃતનું આકંઠ પાન કર્યું હોય અને સદ્ગુરુનાં ચરણોની સારી રીતે સેવા કરી હોય, તે જ આ પ્રકારના ગુરુપદે વિરાજી તેને શેભાવી શકે છે. આવા એક સમર્થ ગુરુની છત્રછાયામાં હું સામાયિકની કિયા-સાધના કરવા તત્પર થયો છું, એ વિચાર જ સાધકના હૃદયમાં અનેરો ઉત્સાહ પ્રકટાવે છે અને તેમને વિધિપૂર્વક વંદન કરવાની તીવ્ર તાલાવેલી ઉત્પન્ન કરે છે. એટલે પંચિં. દિય-સૂત્ર વડે ગુરુ-થાપનાની જે વિધિ થાય છે, તે ગુરુ વંદનાને-વંદન–આવશ્યકને અતિ મહત્ત્વને ભાગ છે.
તે પછી પ્રણિપાતસૂત્ર વડે મસ્તક નમાવીને તથા પાંચ અંગે ભેગાં કરીને વંદન કરતાં ધન્યતા અનુભવાય છે. ગુરુને વંદન કરવાની પરંપરાગત અને પ્રશસ્ત રીત એવી છે કે પ્રથમ તેમને સુખ-શાતા પૂછવી અને પછી અવિનય –આશાતનાની ક્ષમા માગી તેમને ઔષધ-ભેષજ તથા .
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સામાયિક-વિજ્ઞાન આહાર પાણી માટે નિમંત્રણ આપવું, એટલે ગુરુ-નિમંત્રણને પાઠ પણ વંદન–આવશ્યકને જ એક ભાગ છે.
અહીં વંદન-આવશ્યક પ્રથમ શા માટે ? એ પ્રશ્ન પાઠકે તરફથી પૂછાવા સંભવ છે. તેને ઉત્તર એ છે કે વંદન એ વિનયનું ચિહ્ન છે, નમ્રતાનું નિશાન છે અને કૃતજ્ઞતાને સંકેત છે, તેથી તેને અહીં પ્રથમ સ્થાન અપાયું છે. શ્રીમાન હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરાચૈત્યવંદનવૃત્તિમાં કહ્યું છે કે “ધર્મ પ્રતિ મૂત્રમૂતા વના–ધર્મ પ્રત્યે લઈ જનારી મુખ્ય વસ્તુ વંદના છે; તાત્પર્ય કે વંદના હોય તે ધર્મભાવનારૂપી વૃક્ષ ફાલે-કૂલે છે અન્યથા તે કરમાઈ જાય છે. એટલે સામાયિક લેવાની વિધિમાં વંદન આવશ્યકને પ્રથમ સ્થાન અપાયું છે. | સામાયિકનું પાંચમું સૂત્ર ઈરિયાવહી પડાવશ્યક પૈકી પ્રતિક્રમણ-આવશ્યકને રજૂ કરે છે. આત્મશુદ્ધિને પાયે પ્રતિકમણ છે. પ્રતિકમણ અટલે પાપમાંથી પાછા ફરવું. જે પાપમાંથી પાછા ફરતે નથી, તે પાપપંકથી ખરડાયા જ કરે છે. તે શુદ્ધ-વિશુદ્ધ-પરમ શુદ્ધ થવાને કયારે ? જેમ શરીરને શુદ્ધ કરવા માટે સ્નાનની જરૂર છે, તેમ આત્માને શુદ્ધ કરવા માટે પ્રતિકમણની જરૂર છે. ઈરિયાવહી વડે પ્રતિક્રમણની જે ક્રિયા થાય છે, તેને “લઘુપ્રતિક્રમણ ' કહેવામાં આવે છે, કારણ કે તે મુખ્ય પ્રતિક્રમણ કરતાં
લઘુ એટલે નાનું છે, અથવા તે તેના પ્રતીકરૂપ છે. અહીં - ગમનાગમન કરતાં થયેલી જીવવિરાધના નિમિત્તે તેને આશ્રય
Page #236
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાને વિધિ
૧૨૭ લેવામાં આવે છે, પણ સાધકે તે તેને જીવનવ્યાપી બનાવવાની ભાવના રાખવાની છે.
સામાયિકનું છ સૂત્ર “તસ્સ ઉત્તરી” અને સાતમું સૂત્ર “અન્નત્થ પડાવશ્યક પૈકી કયેત્સર્ગ–આવશ્યકને રજૂ કરે છે. પાપની સામાન્ય શુદ્ધિ પ્રતિકમણ વડે થાય છે અને વિશેષ શુદ્ધિ કાર્યોત્સર્ગ વડે થાય છે. પ્રતિક્રમણમાં મિચ્છા મિ દુકક બોલી થયેલા પાપને માટે દિલગીર થવાનું હોય છે, ત્યારે કાર્યોત્સર્ગમાં વિશિષ્ટ અવસ્થાને સ્વીકાર કરીને તે અંગે ઊંડું ચિંતન કરવાનું હોય છે તથા આ પાપ મારા વડે કેમ થાય છે ? તેનું કારણ પણ શોધવાનું હોય છે અને તે જ માયા, મિથ્યાત્વ કે કઈ પ્રકારના નિદાન(નિયાણા)ના કારણે થતું હોય તો એ શલ્યને દૂર કરવાનાં હોય છે.
અહીં ૨૫ શ્વાસે છૂવાસ પ્રમાણ–કોત્સર્ગ કરવાને હોય છે, તેમાં આ ચિંતન કરી લેવું જોઈએ, કારણ કે તસ્ય ઉત્તરી–સૂત્ર વડે તેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સામાન્ય લોકે આવું ચિંતન ન કરી શકે તે માટે “ચંદેસ નિમ્મલય” સુધીને લેગસ્સને પાઠ મનમાં ચિંતવવાને –બોલી જવાને રિવાજ પડ્યો છે અને જેને એ પાઠ ન આવડતું હોય, તેમને ચાર નવકાર બેલી જવાની છૂટ અપાઈ છે. અહીં અમે એટલું સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે આજે કાર્યોત્સર્ગની જે ક્રિયા કરવામાં આવે છે, તે માત્ર ચેષ્ટારૂપ છે, તેમાંથી તેને પ્રાણ ઊડી ગયેલ છે. જ્યાં
Page #237
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
૧૨૮
સુધી કાયાત્સગ ના ઉદ્ધાર ન થાય, ત્યાં સુધી આપણી આધ્યા ત્મિક સાધનાએ અધૂરી જ રહેવાની. ઘણા મોટા આચાનું આ બાબતમાં અમે ધ્યાન ખેંચેલુ છે, પણ તે આ આમતમાં સક્રિય કે સર્ચિંત અન્યા નથી !
સામાયિકનું આઠમું સૂત્ર લેાગસ ષડાવશ્યક પૈકી ચતુવિશતિસ્તવ–આવશ્યકને રજૂ કરે છે, એ તેા તેના પા પરથી સ્પષ્ટ છે. પ્રથમ દેવ-ગુરુને વંદન કરીને, પછી પ્રતિ ક્રમણ તથા કાર્યોત્સર્ગ વડે પોતાના આત્માની શુદ્ધિ કરીને આ આવશ્યકનું આલેખન લેતાં શ્રીજિનેશ્વર દેવાનુ` કીનવન-પૂજન હુ સારી રીતે થાય છે અને તે આપણા મનમાં પવિત્રતાના પ્રવાહ વહેવડાવે છે. આ સૂત્ર કડકડાટ બેલી જવાથી આ પ્રકારનો અનુભવ થવા સંભવ નથી. તે ઉચ્ચા રાની શુદ્ધિપૂર્વક ધીમે ધીમે અÖજ્ઞાન સહિત ખેલવાથી આ પ્રકારનો અનુભવ થશે. અમે દરરોજ ૪૦ લોગસ્સ આ રીતે ગણવાનો પ્રયાગ એક વર્ષ સુધી કરેલા છે અને તેનુ પરિણામ ઘણું સુંદર આવેલુ છે.
આટલે વિધિ થયા પછી મુહપત્તી-પડિલેહણની ક્રિયા શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયા ગુરુવંદન અને ગુરુના આદેશથી કરવાની હાઈ, અહીં ગુરુને ખમાસમણુ–પ્રણિપાતની ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે અને મુહપત્તી પડિલેહવા માટે ઈચ્છાકાર સદિસહ ભગવત સામાયિક મુહુપત્તી પડિલેહઉં?” એ શબ્દોથી આજ્ઞા માગવામાં આવે છે, ગુરુ હાજર હાય તા તેઓ કહે છે, ‘ પડિલેહ ’ એટલે મુહપત્તીની
Page #238
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પાવાને વિધિ
૧૨૯ પડિલેહણ કર. સાધક એ આજ્ઞાને “ઈચ્છ” પદ વડે સ્વીકાર કરીને પચાશ બેલ વડે મુહપત્તીની પડિલેહણ કરે છે. મુહુપત્તીના આ પચાશ બેલમાં જે રહસ્ય રહેલું છે, તે અમે આગામી પ્રકરણમાં દર્શાવેલું છે.
આટલી ક્રિયા કર્યા પછી સાધક સામાયિકની સમીપ આવે છે. પછી ખમાસમણ–પ્રણિપાતની ક્રિયા દ્વારા ગુરુવંદન કરીને સામાયિકમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગવામાં આવે છે. તેમાં પ્રથમ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! સામાયિક સંદિસાહું ?” એ શબ્દ વડે સામાયિક કરવાની ઈચ્છા પ્રકટ કરી તે માટે ગુરુને આદેશ લેવાની ભાવના પ્રદર્શિત કરે છે અને જ્યારે ગુરુ “સંદિસહ’ શબ્દથી તે બાબતની આજ્ઞા આપે, ત્યારે તેને “ઈચ્છું” શબ્દ વડે શિરે ધાર્યા કરે છે. પછી પુન: ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા વંદન કરી ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! સામાયિક ઠાઉં ? એ શબ્દોથી સામાયિકમાં સ્થિર થવાને આદેશ માગવામાં આવે છે. ગુરુ જ્યારે “ઠાએહ’ શબ્દથી એ આદેશ આપે, ત્યારે ઈચ્છ' શબ્દ વડે તેને સ્વીકાર કરવામાં આવે છે.
તે પછી ઊભા થઈએક નવકાર ગણી, બે હાથ જોડવાપૂર્વક સાધક મોટેથી વિનંતિ કરે છે કે “ઈચછકારી ભગવન ! પસાય કરી સામાયિક–દંડક ઉશ્ચરાજી” એટલે હે ભગવન ! આપ સ્વેચ્છાએ મને સામાયિકનો પાઠ ઉચરાવી તે બાબતની પ્રતિજ્ઞા આપો.” આ વિનંતિ પરથી ગુરુ તેને કરેમિભંતે-સૂત્રને પાઠ ઉચ્ચરાવે છે. ગુરુ બોલાવે
સા. ૯
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સામાયિક-વિજ્ઞાન તેમ મનમાં બેલવાથી પ્રતિજ્ઞા લેવાય છે અને એ રીતે પડાવશ્યક પૈકી પ્રત્યાખ્યાન અને સામાયિક નામનાં બંને આવશ્યકેને સ્પર્શવામાં આવે છે. સામાયિકની કિયા પડાવશ્યમય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી હતી, તે આ વિધિ પરથી સ્પષ્ટ થાય છે અને તે એની ગૌરવગાથાનું ગુંજન આપણું કાનમાં કરી જાય છે.
પ્રત્યાખ્યાનમાં સાવદ્યાગને એટલે પાપમય પ્રવૃત્તિને ત્યાગ કરવાનો સંકલ્પ હોય છે અને તેથી સામાયિકનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. “હવે મારે બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી કઈ પણ પ્રકારની પાપમય પ્રવૃત્તિ-સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી, પણ સ્વાધ્યાયાદિ શુભ-ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરવાની છે. એ સંત તેમાંથી જ પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે ચાલવાનું માનસિક વલણ ઘડાય છે.
સામાયિકની સાધના કરવા માટે ઉપર પ્રમાણે પ્રત્યાખ્યાન કે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી સ્થિર આસને બેસવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે. તે માટે ખમાસમણપ્રણિપાતની ક્રિયા કરી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! બેસણે સંદિસાહું ?” એટલે “હે ભગવન ! આપની આજ્ઞા હોય તે હું બેસવાની અનુમતિ માગું છું ! ” એમ કહેવામાં આવે છે અને ગુરુ “સંદિસહ’ શબ્દ વડે અનુમતિ આપે એટલે “ઈચ્છ” કહી તેને સ્વીકાર કરવામાં આવે છે. તે પછી પણ પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરીને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! બેસણે ઠાઉં ?” એ પ્રમાણે વિશેષ
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૩૧
' સામાયિક લેવા-પારવાને વિધિ
આદેશ માગવામાં આવે છે અને ગુરુ “ઠાએહ પદ વડે એ આદેશ આપે એટલે “ઈચછું ” પદ વડે તેનો સ્વીકાર કરી આસન પર બેસવામાં આવે છે.
ત્યાર પછી સ્વાધ્યાયને આદેશ લેવા માટે પણ લગભગ આવી જ ક્રિયા કરવામાં આવે છે. તે માટે પ્રથમ “ઈચ્છાકરેણ સંદિસહ ભગવ ! સઝાય સંદિસાહ ?” બેલી સાય કરવાની આજ્ઞા મંગાય છે અને “સંદિસહ પદ વડે તેની આસા મળી જતાં પુનઃ ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવં! સઝાય (સ્વાધ્યાય) કરું ? એમ બોલી સ્વાધ્યાયનો પ્રારંભ કરવાની આજ્ઞા મંગાય છે. ગુરુ “કરેહ” એ પદ વડે આજ્ઞા આપે, એટલે સાધક પિતાના આસને સ્થિર થઈને સ્વાધ્યાયના મંગલાચરણ તરીકે નવકાર ગણે છે અને ત્યાર પછીને ૪૮ મિનિટને સમય સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન-પ્રવૃત્તિમાં ગાળે છે.
સામાયિક પારવાના વિધિ અંગે સમજ
પારવું એટલે પાર ઉતરવું, પૂર્ણાહુતિ કરવી. જે કિયા વડે સામાયિકની પૂર્ણાહુતિ થાય, તેને “સામાયિક પારવાને વિધિ” સમજે. આ વિધિને કેટલાક ભાગ તે સામાયિક લેવાના વિધિ જેવો જ છે. તેની સમજનું અહીં પુનરાવર્તન કરવાની જરૂર નથી. તે સિવાય જે મહત્વની વાત છે, તે અંગે જ વિશેષ સમજ આપીશું.
પ્રથમ ખમાસમણ–પ્રતિકમણ દ્વારા ગુરુવંદન આવે છે. કિયાના પ્રારંભે ગુરુને વંદન કરવું જોઈએ, એટલે આ કિયાના પ્રારંભે પણ તેમને વંદન કરવામાં આવે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
6
પછી ઇરિયાવહી દ્વારા પ્રતિક્રમણ કરી, તસ્સ ઉત્તરીસૂત્ર અને અન્નત્થ-સૂત્રના પાઠપૂર્વક ૨૫ શ્વાસે શ્ર્વાસ પ્રમાણ કાચેાત્સગ કરવામાં આવે છે. તેમાં પણ ચંદ્રેસ નિમ્મલયરા ' સુધીના લેગસ–સૂત્રના પાઠ ચિ’તવવાના હાય છે અને તે ન આવડતા હાય તેા ચાર નવકાર મનમાં
ગણવાની છૂટ હેાય છે. કાયાત્સગ ની પૂર્ણાહૂતિ ‘નમે રિહંતાણં' પદ ખાલીને કરવાની હાય છે.
૧૩૨
તે પછી પ્રકટ લેગસ-સૂત્ર એટલી મુહુપત્તી પડિલેહવાના આદેશ માગવાપૂર્વક મુહુપત્તીનુ' પિડિલેહણ કરવામાં આવે છે અને ત્યારબાદ સામાયિક પારવાને ખરા વિધિ શરૂ થાય છે. તેમાં ખમાસમણુ-પ્રણિપાતની ક્રિયા કરી સામાયિક પૂર્ણ કરવાની આજ્ઞા મેળવવા માટે કહેવામાં આવે છે કે ‘ ઇચ્છાકારેણ સદિસહ ભગવ`! સામાયિક પારું ?? આ સમયે ગુરુ કહે છે કે ‘ પુળો વિ ાયવો-આ સામાયિકની ક્રિયા તે ફરી પણ કરવા ચેાગ્ય છે. ” તે વખતે સાધક ‘ યથાશક્તિ ’ શબ્દ વડે પેાતાની મર્યાદા સૂચિત કરે છે કે ‘ મારી શક્તિ હાલ અહી. પૂર્ણાહૂતિ કરવા જેટલી છે. ’
'
તે પછી ફરી ખમાસમણુ-પ્રણિપાત કરી ગુરુને જાહેર કરવામાં આવે છે કે ઈચ્છાકારેણ સદિસહ ભગવ' ! સામાયિક પાયું. ' એટલે ‘હે ભગવન્ ! ઈચ્છાપૂક આજ્ઞા આપે. મે સામાયિક પાસું છે.' ત્યારે ગુરુ કહે છે કે ' બાયો ન મોત્તો-પ્રતિદિન ખને તેટલાં વધારે સામાયિક કરવાં એ તમારો
Page #242
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૩૩
આચાર છે. તે ડશે નહિ.’ તાત્પય` કે અત્યારે તે સામાયિક પૂર્ણ કરો છે, પણ ફરી પાછા તે કરવાની ભાવના રાખશે.’
આટલા વિધિ પછી જમણા હાથ ચરવળા પર સ્થાપી એક નવકાર ખેલી અંત્ય મંગલ કરવામાં આવે છે અને સામાઈયવય-જીત્તા-સૂત્રના પાઠ બેલી સામાયિકની મહત્તા યાદ કરી તથા સામાયિક દરમિયાન ખત્રીશ દોષમાંથી કોઈ પણ દોષ થયા હાય તા તેનું મિથ્યા દુષ્કૃત દઈ જમણા હાથ સ્થાપના સમક્ષ અવળા રાખી સ્થાપનાચાય નું ઉત્થાપન કરવામાં આવે છે અને ત્યાં સામાયિકના વિધિ પૂરા થાય છે.
વિધિએ કરેલુ કાર્ય. સફલ થાય છે અને અવિધિએ કરેલું કાર્યં નિષ્ફલ જાય છે, એમ સમજી સામાયિકના લેવા –પારવાના વિધિ બરાબર કરવાના છે. આ વિધિનુ' પુનઃ પુનઃ વાંચન-મનન કરી, તેના ભાવાર્થ સમજી, તેને અનુસરવાથી શુદ્ધ સામાયિક કર્યાના લાભ મેળવી શકાશે.
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-વિધિ કોને કહેવાય ?
ઉત્તર-જેના વડે ક્રિયા કે સાધના અંગે જોઈતુ મા - દૃન મળે તે વિધિ કહેવાય.
પ્રશ્ન-ક્રિયા કે સાધના અંગે શેતુ' માગ દશ ન જોઈ એ ?
ઉત્તર-ક્રિયા કે સાધનામાં નાની-મોટી કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે. તેમાં કઈ ક્રિયા કેવી રીતે કરવી ? અને તે ક્યા ક્રમે કરવી ? તેનુ મા દશન જોઈ એ. જે ક્રિયા જે
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સામાયિક-વિજ્ઞાન રીતે કરવાની હોય, તે રીતે ન કરતાં બીજી રીતે કરીએ તે એ કિયામાં ખામી ગણાય, દેષ ગણાય અને એ રીતે કિયા અશુદ્ધ થઈ ગણાય. વળી જે કિયા જ્યાં કરવાની હોય, ત્યાં ન કરતાં આગળ-પાછળ કરીએ તે ક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય અને તે કિયાને દૂષિત બનાવે. એટલે કિયા કે. સાધનામાં આ બધી બાબતનું ગ્ય માર્ગદર્શન જરૂર જોઈએ.
પ્રશ્ન-માત્ર જાણવાથી આ કિયા આવડે ખરી?
ઉત્તર-ના. તે ગુરુ કે કઈ અનુભવી પાસેથી શીખી. લેવી જોઈએ.
પ્રશ્ન-આવી કિયા શીખ્યા ન હોઈએ તે સામાયિક થઈ શકે ખરું ?
ઉત્તર-ના. જેને સામાયિક કરવું હિય-સામાયિકની સાધના કરવી હોય, તેણે સામાયિકને લગતાં સૂત્ર અને તેના અર્થો શીખી લેવા જોઈએ, તેના રહસ્યને પરિચય મેળવી લેવું જોઈએ અને તેની વિધિનું જ્ઞાન પણ મેળવી લેવું જોઈએ. વળી આ કિયા બરાબર થાય, તે માટે ગુરુ કે અનુભવી પાસેથી તે શીખી લેવી જોઈએ. તે સિવાય સામાયિક બરાબર થઈ શકે નહિ. જેને રસોઈ કરવાનું કંઈ જ્ઞાન ન હોય, તે રઈ કરવા બેસે તે કેવી રઈ કરે ?
પ્રશ્ન-સામાયિકનાં સૂત્ર આવડતા હોય, પણ તેમાં ભૂલ પડતી હોય છે ?
ઉત્તર-તે એ ભૂલ પહેલી તકે સુધારી લેવી જોઈએ.
Page #244
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-ધારવાના વિધિ
૧૩૫
સૂત્રપાઠ ખંડિત થાય, તે ચાલે નહિ. એમાં અનથ થવા સંભવ છે. દાખલા તરીકે નિતિયા વેનિયા તકૃતિયા રિવિદ્યાપતિયા એવા પાઠ બેલવાના છે, ત્યાં નિવિદ્યા વેડુંાિ પરિવિયા વિદ્યા બેલાય તેા તેઇન્દ્રિય જીવાની જે વિરાધના થઈ છે અને જેનું મિથ્યા દુષ્કૃત દેવાનું છે, તે રહી જાય. આ રીતે નિતિયા વેનુંઢિયા તે નિયા પિિા જ બેલવામાં આવે ને ચિનિયા ન ખાલવામાં આવે તે પંચેન્દ્રિય જીવેાની વિરાધનાનું પ્રતિક્રમણ રહી જાય. ટાળેળ મોમેન જ્ઞાનેન એ ત્રણ પદ્મામાંથી કાઈ પણ એક પદ રહી જાય તા કાયાત્સનું સ્વરૂપ ખ'ડિત થાય. ટૂંકમાં સામા યિકના સુત્રપાડોમાં દરેક પદનુ મહત્ત્વ છે, તેથી એ પાડો બરાબર ખેલવા જોઈએ. તેમાં કઈ પણ છૂટી જાય, તે ચાલે નહિ.
પ્રશ્ન-સામાયિકના સૂત્રપાઠી અખંડ બેલાતા હાય, પણ તેમાં અશુદ્ધિએ આવતી હાય તો ?
ઉત્તર-તા એ અશુદ્ધિએ સુધારી લેવી જોઇએ. શબ્દના કાના, માત્રા, વડુ કે અનુરવારમાં ફેરફાર થવાથી તેને અ ફરી જાય છે અને તેથી કેટલીક વાર અનથ પણ થાય છે. દાખલા તરીકે વિચચમા પાઠ છે, ત્યાં વિચરાચમ બેલવામાં આવે તા‘ જેમણે રજ અને મેલ દૂર કર્યા છે’ એવા અને બદલે જેમણે રાજાએ અને મલ્લાને માર્યા છે.” એવા અ થાય, જે અહીં અસંગત છે; એટલું જ નહિ પણ અનને ઉત્પન્ન કરનાર છે. જિનેશ્વરદેવાની
:
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સામાયિક-વિજ્ઞાન સ્તુતિ તેમણે રાજાઓ અને મલેને માર્યા છે, માટે થતી નથી. તેમણે રજ અને મેલ એટલે સર્વ પ્રકારનાં કર્મો દૂર કર્યા છે, માટે થાય છે, એટલે વ્યંજનશુદ્ધિ પણ આવશ્યક છે.
પ્રશ્ન-સૂત્રપાઠ અખંડ અને શુદ્ધ બોલાતે હોય, પણ તે અંગે કઈ ભાવ મનમાં ઉત્પન્ન થતું ન હોય તે ?
ઉત્તર–તે એ દ્રવ્યક્રિયા કહેવાય. દ્રવ્યક્રિયા એટલે સ્કૂલ ક્રિયા, બાહ્ય દષ્ટિએ દેખાતી કિયા. ક્રિયાઓ બે પ્રકારની છે. દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા. તેમાં ખરું મહત્વ ભાવક્રિયાનું છે; એટલે સૂત્રનાં ઉચ્ચારણેની સાથે મનમાં તે પ્રકારને ભાવ લાવવું જોઈએ. દાખલા તરીકે “નમો અરિહંતાણં' પદ બેલીએ, ત્યારે હું અરિહંતને નમી રહ્યો છું, એ ભાવ મનમાં લાવ જોઈએ. “ વૈમ” પાઠ બેલીએ ત્યારે હું મસ્તક આદિ પાંચ અંગે ભેગા કરીને ગુરુને વંદન કરી રહ્યો છું, એવો ભાવ લાવ જોઈએ.
પ્રશ્ન-સૂત્રે કડકડાટ બેલી જવાતાં હોય, ત્યાં આવે ભાવ શી રીતે આવી શકે ?
ઉત્તર-સૂત્ર કેમ બેલવાં? એને પણ વિધિ છે. તે ઘેષપૂર્વક, સ્પષ્ટ અને ધીમે ધીમે બેલવો જોઈએ. સંહિતાને વિષય તેના માટે જ નિર્માણ થયેલ છે. જે તેને અનુસરીએ તે મનમાં ભાવનું અનુસંધાન જરૂર થાય છે અને એ ભાવ જ આત્મશુદ્ધિમાં ખરો ઉપકારક બને છે. તાત્પર્ય કે સૂત્રે કડકડાટ બેલી જવા, એ સાચી પદ્ધતિ નથી. એમાં
Page #246
--------------------------------------------------------------------------
________________
સામાયિક લેવા-પારવાના વિધિ
૧૩૭
ભાવનું અનુસ ંધાન થવાની શકયતા ઘણી ઓછી છે. જૈન ધમ ભાવ વિના ક્રિયા કરવાની હિમાયત કરતા નથી.
પ્રશ્ન-સૂત્ર ખરાખર ખેલાતુ હાય અને તેમાં ભાવનુ અનુસંધાન પણ હોય, પરંતુ તેને લગતી ક્રિયા ખરાખર થતી ન હોય તા ?
પ્રશ્ન–આ ક્રિયાની તેા વાત છે અને તેમાં ક્રિયા જ બરાબર થતી ન હોય તો ભીંત ભૂલાય છે, એમ સમજવાનું. રથનુ એક પૈડુ સાનુ હાય અને બીજું તૂટેલ હોય, તે એ રથ આપણને ગંતવ્ય સ્થાને પહોંચાડે ખરા ? તાત્પય કે ક્રિયા પણ જ્ઞાન જેટલી જ મહત્ત્વની છે, તેથી તે ખરાખર થવી જોઈએ. દાખલા તરીકે પ્રણિપાતની ક્રિયા કરવાની છે, તેા ડાબા હાથમાં મુહપત્તી અને જમણા હાથમાં ચરવળા લઇને ઊભા થવું જોઈ એ. પછી અર્ધ્યવનત મુદ્રા કરવી જોઇએ, એટલે કે શરીરને કમ્મરથી થોડું નમાવી મસ્તકને પણ નીચું નમાવવું જોઇએ. આ મુદ્રા વિનયસૂચક છે, એટલે ગુરુને પ્રણિપાત કરતાં અવશ્ય કરવી જોઈએ અને તે પછી 'इच्छामि खमासमणो वंदिडं जावणिज्जाए नीसिहिओए' मे પદ્મા ખેલવાં જોઇએ. જો આ પદો અર્ધ્યવનત મુદ્રા કર્યા સિવાય ઊભા ઊભા જ એલીએ તો એ ક્રિયા અશુદ્ધ ગણાય, કારણ કે તેમાં વિનયગુણુ દર્શાવવાને લગતી જે ક્રિયા હતી, તે થઈ જ નહિ, તે પછી તદૃન નીચા નમી એ ઢીંચણુ, મે હાથ અને મસ્તક એ પાંચે અંગે ભેગાં કરીને મચા વંમિ ' એ પદ્મ એલવું જોઈએ. જો એ
'
પાંચેય અંગા
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સામાયિક-વિજ્ઞાન ભેગાં ન કરીએ કે ભૂમિ સુધી ન લઈ જતાં વચ્ચેથી “મgo વૈવામિ પદ બેલી ઊભા થઈ જઈએ તે પંચાંગ–પ્રણિપાત થયે કહેવાય નહિ. હવે પંચાંગ–પ્રણિપાત કરવાને વિધિ હતું, તે બરાબર થયે નહિ, એટલે કિયા અશુદ્ધ ગણાય અને તે ધાર્યું ફલ આપે નહિ. આજે કિયાના ફલ અંગે જે ફરિયાદ કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ કિયાની ખામી છે. જે શાસ્ત્રમાં દર્શાવેલી ક્રિયાઓ ભાવશુદ્ધિ પૂર્વક યથાર્થ પણે કરીએ તે તે પિતાનું ફળ આપ્યા વિના રહે જ નહિ.
Page #248
--------------------------------------------------------------------------
________________
[૮] મુહપત્તીના પચાશ બેલનું રહસ્ય
સામાયિક લેવાના અને પારવાના વિધિમાં મુહપત્તીપડિલેહની કિયા આવે છે. તેમાં ૨૫ બોલ મુહપત્તી–પડિલેહણના અને ૨૫ બોલ અંગ-પડિલેહણને એમ પચાશ બેલે ચિંતવવાના હોય છે. તેને વિધિ તથા તેનું રહસ્ય પાઠકેને બરાબર સમજાય તે માટે પ્રસ્તુત પ્રકરણની ચેજના કરવામાં આવી છે.
પ્રથમ આ પચાશ બેલની ટૂંકી યાદી આપીશું અને પછી તેને વિધિ બતાવી તેના રહસ્યને પ્રકાશ કરીશું.
મુહપત્તી–પડિલેહણના પચીશ બેલ સૂત્ર, અર્થ, તવ કરી સદ્દઉં. સમ્યકત્વ મેહનીય, મિશ્ર મહનીય, મિથ્યાત્વ મેહનીય
પરિહ. કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ-પરિહરું. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદર્યું.
છે
છે
જ
Page #249
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
- ૧૪૦
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરુ જ્ઞાન, દન, ચારિત્ર આદ
જ્ઞાન—વિરાધના, દર્શીન-વિરાધના, ચારિત્ર-વિરાધના
પરિહરુ મનાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ. મનેાદડ, વચનદંડ, કાયદડ પRsિરુ
અ'ગ-પડિલેહણના પચીશ એટલ
હાસ્ય, રતિ, અરતિ પરિહરુ ભય, શેક, જુગુપ્સા પરિહરુ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા પરિહર રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરુ. માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાશલ્ય પરિહરુ ક્રોધ, માન પરિહરુ. માયા, લેાભ પરિહરુ,
પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું.
૩
3
3 3
૨૫
"" ” ” ” જ જ જી
૩
૩
૨૫
કુલ ૫૦
વૃદ્ધસંપ્રદાય મુજબ આ મેલા મનમાં ખેલવાના હાય છે, અને તેના અથ વિચારવાના હોય છે. તે અહીં વિધિપૂર્ણાંક ક્રમશઃ રજૂ કરીશું.
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૪૧
મુહુપત્તીના પચાશ એલનું રહસ્ય મુહપત્તીના પડિલેહણ વખતે વિચારવા ચેાગ્ય બેલ
(૧) પ્રથમ ઊભડક બેસે, એ હાથ બે પગ વચ્ચે રાખા, મુહપત્તીની ઘડી ઉકેલા, બંને છેડા પકડી અને મુહપત્તીની સામે ષ્ટિ રાખા. પછી મનમાં ખેલા કે –
સૂત્ર
આ વખતે મુહપત્તીની એક માજીનુ ખરાબર નિરીક્ષણ કરી. આખરીકાઈથી નિરીક્ષણ કરવું, તેને પ્રતિલેખના, પડિલેહણા કે પડિલેહણ કહેવામાં આવે છે.
(૨) પછી તેને ડાખા હાથ પર મૂકી, ડાબા હાથે પકડેલા છેડા જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલા છેડો ડાબા હાથે પકડી, ફરી સામે લાવી મનમાં ખેલે કેઅ તત્ત્વ કરી સ
આ વખતે મુહુપત્તીની ખીજી ખાજીનુ પડિલેહણ કરા, એટલે કે મુહપત્તીની બીજી ખાજીનું ખરાખર નિરીક્ષણ કરે.
(૩) પછી મુહપત્તીને ડાબા હાથ તરફના ભાગ ત્રણ વાર ખંખેરી અને તે વખતે મનમાં ધીમેથી એલા કેસમ્યકત્વ મેાહનીય, મિશ્ર મેાહનીય, મિથ્યાત્વ મેાહનીય પરિહરુ'.
દર્શીન મેહનીયની આ ત્રણ પ્રકૃતિએ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહુપત્તીને અહી' ત્રણ વાર ખ'ખેરવામાં આવે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સામાયિક-વિજ્ઞાન (૪) પછી ડાબા હાથ પર મુહપત્તી મૂકી પામું ફેરવી જમણે હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરે. તે વખતે મનમાં બેસે કે
કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહર.
ત્રણે ય પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુહપતીને અહીં ત્રણ વાર ખંખેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના રોગોનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથના રાગ છોડો' નામના પ્રકરણમાં આપેલું છે.
(૫) મુહપત્તીને મધ્ય ભાગ ડાબા હાથ પર નાખી, વચલી ઘડી પકડી બેવડી કરે. (અહીંથી મુહપત્તી સંકેલવાનું કામ શરૂ થાય છે.)
(૬) પછી જમણા હાથના ચાર આંગળાને ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવે.
(૭) પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટપે કાંડા સુધી લાવે અને દરેક વખતે બોલે કે
સુદેવ, મુગુરુ, સુધર્મ આદરે. સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઈચ્છા છે, તેથી મુહપત્તીને આંગળીઓના અગ્રભાગથી અંદર લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપે મુહપત્તી લગભગ આંગળીના મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુદેવ બોલવું જોઈએ. પછી બીજા ટપે મુહપત્તીને હથેલીના મધ્ય ભાગ સુધી લાવવી
Page #252
--------------------------------------------------------------------------
________________
મુહુપત્તીના પચાશ એલનુ રહસ્ય
૧૪૩
જોઈએ અને તે વખતે સુગુરુ' ખેલવુ જોઈ એ. પછી ત્રીજા ટપે મુહુપત્તીને હાથનાં કાંડા સુધી લાવવી જોઈ એ અને તે વખતે ‘સુધમ આદ” એટલા શબ્દો એલવા જોઇએ. આ એક જાતને વ્યાપક ન્યાસ છે.
(૮) હવે ઉપરની રીતથી ઊલટી રીતે મુહપત્તીને ત્રણ રપે કાંડાથી આંગળીના ટેરવા સુધી લઇ જાઓ અને કંઈક કાઢી નાખતા હૈા એ રીતે બેલેા કે
કુદેવ, ગુરુ, ધમ` પરિહ
આ એક જાતને પ્રમાર્જનવિધિ હાવાથી તેની ક્રિયા પણ એ જ જાતની રાખવામાં આવી છે.
(૯) એ જ રીતે ત્રણ ટ૨ે હથેલીથી કાંડા સુધી મુહુપત્તી અદ્ધર રાખી અદર લેા અને ખેલે કે– જ્ઞાન, દર્શન, ચારિત્ર આદર,
આ ત્રણ વસ્તુ આપણી અંદર આવે તે માટે એને વ્યાપક ન્યાસ કરવામાં આવે છે.
(૧૦) હવે ઉપરથી ઊલટી રીતે ત્રણ ટપે કાંડાથી હાથની આંગળી સુધી મુહુપત્તી લઈ જાએ અને એલે કે– જ્ઞાનવિરાધના, દેશવિરાધના, ચારિત્રવિરાધના પરિહ
આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનુ ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સામાયિક-વિજ્ઞાન. (૧૧) હવે મુહપત્તીને ત્રણ ટપે અંદર લે અને બેલે કેમને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદસં.
આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એને વ્યાપક ન્યાસ કરવામાં આવે છે.
(૧૨) હવે ત્રણ ટપે મુહપત્તીને કાંડાથી આંગળી સુધી લઈ જાઓ અને બોલે કે
મને દંડ, વચનદંડ, કાયદંડ પરિહરે,
આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.
અહીં મુહુપત્તી–પડિલેહણના પચીશ બેલ પૂરા થાય છે. હવે અંગ–પડિલેહણના પચીશ બેલની શરૂઆત થાય છે. અંગ-પડિલેહણ વખતે વિચારવાના પચીશ બેલ
આ બોલમાં અત્યંતર પ્રમાર્જના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.
(૧) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તી પ્રદક્ષિણાકારે એટલે ડાબા હાથની ઉપર બંને બાજુ તથા નીચે એમ ત્રણ વાર પ્રમાજે અને બેલે કે
હાસ્ય, રતિ, અરતિ પરિહર. . (૨) એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તી રાખી, જમણા હાથે, પ્રદક્ષિણાકારે..
Page #254
--------------------------------------------------------------------------
________________
મુહુપત્તીના પચાશ બેલનું રહસ્ય
૧૪ વચ્ચે અને બંને બાજુએ પ્રમાર્જના કરે અને મનમાં બોલે કે
ભય, શાક, દુર્ગા પરિહરું. (૩) પછી આંતરામાંથી મુહપત્તી કાઢી લઈ બેવડી ને બેવડી મુહપત્તીના બંને છેડા બંને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણી–ડાબી બાજુએ ત્રણ પ્રમાજના કરતાં મનમાં બોલે કેકૃણલેશ્યા, નીલલેશ્યા, કાપેતલેશ્યા પરિહર્સ.
(૪) પછી વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર પ્રમાર્જના કરે અને મનમાં બેલે કેરસગારવ, રદ્દિગારવ, સાતાગારવ પરિહર્સ,
(૫) એમ જ વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરે અને અનુક્રમે મનમાં બેલે કે માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહર,
(૬) હવે મુહપત્તી બંને હાથમાં પહોળી પકડી જમણા ખભા ઉપર પ્રમાજો અને બેલે કે
કેધ, માન પરિહ. (૭) પછી મુહપત્તી એમ ને એમ ડાબા હાથમાં રાખી ડાબા ખભા ઉપર પ્રમાર્જના કરે અને બોલે કે
સા. ૧૦
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સામાયિક–વિજ્ઞાન
માયા, લાભ પરિહ.
(૮) પછી જમણા પગની વચ્ચે અને બંને બાજુએ એમ ચરવળા વતી ત્રણ વખત પ્રમા તી વખતે આલે કે પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા ક
(૯) એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને અને આજુએ પ્રમાના કરો અને આલેા કે– વાયુકાય, વનસ્પતિકાય, સકાયની જયણા ક
સાધ્વીજીને છાતીની ૩ અને ખભા તથા કાખની ૪ પ્રમાના મળીને કુલ ૭ ન હોય અને બાકીની ૧૮ હાય. સ્ત્રીઓને મસ્તકની ૩ પણ ન હાય, એટલે કુલ ૧૫ હેાય.
મુહુપત્તીનું પડિલેહણ વાસ્તવિક રીતે અનુભવી પાસેથી શીખવાનું છે. અહીં તેા માત્ર તેનુ દિગ્દર્શન કરાવ્યુ છે. બાલાની સંકલના અને તેનું રહસ્ય.
હવે આ લેામાં જે સ'કલના રહેલી છે, તેનુ રહસ્ય જણાવીશું. પ્રવચન એ તી હાઈ ને પ્રથમ તેના અંગરૂપ ‘ સૂત્ર અને અની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે,’ એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધાન્વિત થવાનું છે અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ ૮ સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વ માહનીય’ કર્યાં હાવાથી તેમને છેડવાની ભાવના રાખવાની છે. મેહુ નીય કર્મોંમાં પણ રાગને ખાસ પરિહરવા જેવા છે. તેમાં પ્રથમ ‘ કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લા ષ્ટિરાગને
Page #256
--------------------------------------------------------------------------
________________
સુપત્તીના પચાશ બેલનુ રહસ્ય
૧૪૭
.
>
6
છોડવાના છે,’કારણુ એ પ્રકારના રાગ છૂટયા વિના ‘સુદેવ, સુગુરુ અને સુધને આદરવાનું ’ બની શકતું નથી. અહી સુદેવ, સુગુરુ અને સુધની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે તથા · કુદેવ, કુગુરુ અને દુધ ને પિરહરવાના ” દૃઢ સંકલ્પ કરવાના છે. જો આટલુ થાય તા સાન; દર્શન અને ચારિત્રની આરાધના ’ કે જેવું બીજું નામ · સામાયિક ’ છે, તેની સાધના યથાર્થ થઇ શકે. આવી આરાધના કરવા માટે જ્ઞાનવિરાધના, દનવિરાધના અને ચારિત્રવિરાધનાને ' પરિહરવાની જરૂર છે. હવે સામાયિકના સાધકે ‘મનાગુતિ, વચનપ્તિ અને કાયગુપ્તિ’ ખાસ આદરવા યોગ્ય છે, કારણ કે તેમાં યોગનું રહસ્ય છુપાયેલુ' છે અને તે માટે ‘મનેાદડ, વચનદંડ અને કાયદ ડ’ એટલે મન વડે થતી પાપપ્રવૃત્તિ, વચન વડે થતી પાપપ્રવૃત્તિ અને કાયા વડે થતા પાપપ્રવૃત્તિ પRsિરવા ચેાગ્ય છે.
હવે જે વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેને અંગેયતના–જયણા કરવા જેવી છે, તેને વિચાર અંગપડિલેહણા પ્રસંગે આ રીતે કરવાના છે.
‘ હાસ્ય, રતિ, અરતિ પરિહ’વળી · ભય, શાક, જુગુપ્સા પરિહર’ એટલે કે હાસ્યાદિ ષટ્ક જે ચારિત્ર મેહનીય કર્માંથી ઉદ્ભવે છે, તેના ત્યાગ કરું કે જેથી મારુ ચારિત્ર સર્વાંગે નિમલ થાય.
:
કૃષ્ણલેસ્યા, નીલલેશ્યા અને કાપાતલેસ્યા પરિહરુ’ કારણ કે એ ત્રણે ય લેફ્સાઓમાં અશુભ અધ્યવસાયાની
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સામાયિક-વિજ્ઞાન પ્રધાનતા છે અને તેનું ફલ આધ્યાત્મિક પતન છે. જંબૂ વૃક્ષના દૃષ્ટાંતથી લેશ્યાઓને કમ અને સ્વરૂપ. સમજાવવામાં આવે છે. તે દષ્ટાંત આ ગ્રંથમાં આગળ પર અપાયેલું છે.. લેસ્થાને વિષય સમજવા માટે જૈન શાસ્ત્રોનું સારું એવું અધ્યયન કરવું જરૂરી છે.
રસગારવ, અદ્ધિગારવ અને સાતાગારવ પરિહર ” કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે. અહીં ગારવ શબ્દ ગર્વવાચી છે. મારા જેવા સમય ખાન-પાન અન્ય કેઈને મળતા નથી, એમ ચિંતવવું એ રસગારવ; મારા જેવી છદ્ધિ-સંપત્તિ કેઈને નથી. એમ ચિંતવવું એ ઋદ્ધિગીરવ અને મારા જેવી સુખ-સાહેબી કેઈને નથી, એમ ચિંતવવું એ સાતગારવ. આ ત્રણે ય ગાર–ગ પહેલી તકે છોડવા જેવા છે.
તેની સાથે “માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું? કારણ કે જેમ શલ્ય એટલે ભાલો કે તીર શરીરમાં ભેંકાવાથી પીડા કરે છે અને માનસિક સુખ–શાંતિને ભંગ કરે છે, તેમ આ ત્રણ શલ્ય ધર્મ-કરણીના અમૂલ્ય ફલને નાશ કરે છે. માયા-કપટ કરવું, તે માયાશલ્ય; ધર્મકરણીનું અમુક સાંસારિક ફલ માગી લેવું, તે નિદાનશલ્ય અને મિથ્યાત્વનું હોવું, તે મિથ્યાત્વશલ્ય. આ ત્રણ શલ્ય અંતરમાં પિઠા. હોય, ત્યાં સુધી આત્માની શુદ્ધિ થાય નહિ, તેથી તસ્સ ઉત્તરી-સૂત્રના પાઠમાં “વિસલ્લીકરણેણને ઉલ્લેખ થયેલે છે..
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૪૯
મુહુ પત્તીના પચાશ બેલનું રહસ્ય
તે પછી “કાધ અને માન તથા માયા અને લેભ પરિહરુ” એટલે ચાર પ્રકારના કષાયે કે જે પ્રાણીઓને સંસારસાગરમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરાવનાર છે, તેને ત્યાગ કર્યું. તે સાથે વિશ્વમૈત્રીની ભાવના કેળવવા માટે
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય” એ છયે કાયના જીવેની યતના-જાણું કરું. જે આટલું કરું તે આ મુહપત્તીરૂપી સાધુતાનું જે પ્રતીક ઉપકરણ મેં હાથમાં લીધું છે, તે સફલ થયું ગણાય.
આમાંના દરેક બેલ પર ખૂબ ચિંતનમનન કરવા જેવું છે. અહીં કોઈ એમ કહેતું હોય કે “આવા બેલે પર વિચાર કરવાથી શું લાભ થાય? તે માત્ર ત્રણ બેલે –ત્રણ પદો પર ગંભીર વિચાર કરવાથી ચિલાતીપુત્ર આત્મકલ્યાણ સાધી ગયા.
ચિલાતીપુત્રની કથા ચિલાતી દાગીને પુત્ર રાજગૃહી નગરીના ધનસાર્થવાહને ત્યાં નોકરી કરતો હતો અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકને પણ રમાડતો હતો. ધનસાર્થવાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થયેલી હતી. તેનું નામ સુષમા રાખવામાં આવ્યું હતું. ચિલાતીપુત્ર આ બાલિકાને સારી રીતે રમાડતું હતું અને હરવા-ફસ્વા લઈ જતે હતે. એમ કરતાં તેના પર અત્યંત સનેહ ઉત્પન્ન થયે હતે. તેના દર્શન માત્રથી પણ તેને અત્યંત આનંદ થતો હતો.
Page #259
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
એવામાં કોઇ કારણસર ધનસા વાહનું મન તેના પર નારાજ થયું અને તેને નાકરીમાંથી રજા આપવામાં આવી, એટલે સુષુમાને છેલ્લી સલામ ભરી વિદાય થયેા. ત્યાર પછીનું તેનું જીવન રખડુ તરીકે પસાર થયું અને તેમાં ચારી, મદ્યપાન તથા જુગાર જેવાં મહાવ્યસને લાગુ પડયાં. પિરણામે નગરજનેાએ રાજાને ફરિયાદ કરી અને તેને નગરપાર કરવામાં આવ્યે.
૧૫૦
આ રીતે સČત્ર હડધૂત થયેલા ચિલાતીપુત્ર બીજે કોઈ માર્ગ ન જડવાથી ચારપલ્લીમાં ગયા અને અનુક્રમે તેના રાજાના વિશ્વાસ સંપાદન કરી તેના ઉત્તરાધિકારી બન્યા.
એક વખત આચારાના રાજા ચિલાતીપુત્રે પેાતાના કસાયેલા ભેરૂએ સાથે રાજગૃહી નગરીમાં આવીને ધનસાવાહના ઘરે ધાડ પાડી અને પુષ્કળ માલમત્તા ઉપરાંત સુષુમાન પણ હરણ કર્યું. આથી ધનસા વાહ પેાતાના ચારે ય પુત્રા તથા રાજના કેટલાક સૈનિકે સાથે તેની પછવાડે પડયા અને તેને કઈ રીતે પકડી લેવાના જીવસટાસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તેઓ ચિલાતીપુત્રની નજીક આવી ગયા કે જેણે સુષુમાને પેાતાની ખાંધ પર ઊંચકેલી હતી.
ચિલાતીપુત્ર સમજી ગયા હતા કે ધનસા વાહને પૈસાની કંઈ પડી ન હતી, પણ સુષુમાનું હરણ તેને ખૂ “ખટકતુ હતું, એટલે જ તે આવા જોરદાર પીા કરી રહેલ
Page #260
--------------------------------------------------------------------------
________________
મુહપત્તીના પચાશ બેલનું રહસ્ય
૧૫૧ છે. એટલે તેણે તલવારના એક જ ઝટકે સુષમાનું મસ્તક ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને દોડવા માંડયું.
ધનસાર્થવાહે જોયું કે જેના માટે પોતે આટલે લાંબો અને આકરો પ્રયાસ કર્યો હતો, તે પુત્રીને આખરે વધ થયે છે, એટલે તેના પગ ઢીલા પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાને લાગ મળી ગયે.
ચિલાતીપુત્ર ભાગતા ભાગતે એક ઘેર જ ગલમાં આવી ચડે કે જ્યાં મનુષ્યની વસ્તી ભાગ્યે જ હતી. એક હાથમાં લેહીખરડી તલવાર છે અને બીજા હાથમાં સુષમાનું મસ્તક છે. ભૂખતરસ ઘણુ લાગી છે અને હવે પગની તાકાત પણ ઓસરવા માંડી છે. એવામાં ત્યાં એક મુનિને ઊભેલા જોયા, એટલે તેની નજીક ગયે અને કહેવા લાગે કે “હે મુનિ! મારું કલ્યાણ થાય એવું કંઈક કહો, નહિ તે તમારું મસ્તક ઉડાવી દઈશ.” | મુનિએ કહ્યું, “ઉપશમ, વિવેક, સંવર.” બસ, આટલું કહી તે ચારણલબ્ધિ વડે આકાશમાં ઊડી ગયા.
ચિલાતીપુત્ર વિચાર કરવા લાગે કે “મુનિએ આ શું કહ્યું?” આ રીતે ઘણે વિચાર કર્યો, ત્યારે અંતરમાંથી પ્રકાશ લા કે ઉપશમ એટલે ક્રોધને શમાવી મનને શાંત કરવું, એટલે તેણે હાથમાંની તલવાર દૂર ફેંકી દીધી, કારણ કે એ કોષનું નિશાન હતું. પછી બહુ વિચાર કરતાં વિવેકનો અર્થ સમજાવે કે ધન અને સ્વજનને મેહ છોડી દે. એટલે તેણે પિતાના હાથમાં રહેલું સુષમાનું મસ્તક
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૫ર
સામાયિક-વિજ્ઞાન છેડી દીધું, કારણ કે તેના પર સ્વજન જે ભાવ હતે. પછી ઘણા ચિંતનને પરિણામે સંવરને અર્થ એમ સમજા કે ઇંદ્રિય અને મનની અશુભ પ્રવૃત્તિઓને રિકવી, એટલે તે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રહ્યો. અન્ય શબ્દોમાં કહીએ તે ચિલાતીપુત્ર આ ક્ષણથી ભાવસાધુ થયા.
આ રીતે ભાવસાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને ઉપશમ, વિવેક, સંવર;” એ ત્રણ શબ્દને જપ કરવા લાગ્યા અને એ રીતે મનને અન્ય વિષમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેની ગંધથી આકર્ષાઈને કેટલીક થનકીડીએ ત્યાં આવી પહોંચી અને તેમના શરીરને ચટકા ભરવા લાગી. આ ઉપદ્રવ અતિ ભયંકર હતા, પણ જ્યાં ઉપશમ હોય ત્યાં કોઈ કે? જ્યાં વિવેક હોય ત્યાં મેહ કે ? અને જ્યાં સંવર હોય ત્યાં પ્રતિકાર કે? આ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ ચાલ્યું અને તેમનું સમસ્ત શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે તેઓ ધર્મધ્યાન ચૂકયા નહિ. પરિણામે તેઓ મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થયા. ભવિષ્યમાં તેઓ મેક્ષે જશે.
તાત્પર્ય કે આ બેલ પર ગંભીર ચિંતન કરવાથી આત્મપ્રકાશ લાધે એમ છે કે જેની આપણે ઉત્કટ ભાવે અપેક્ષા રાખી રહ્યા છીએ.
પ્રશ્નોત્તરી ન પ્રશ્ન-સામાયિકમાં મુહપત્તી–પડિલેહણ શા માટે કરવું જોઈએ?
Page #262
--------------------------------------------------------------------------
________________
સુપત્તીના પચાશ બેલનુ રહસ્ય
૧૫૩
ઉત્તર-સામાયિકમાં મુહુપત્તી—પડિલેહણ કરવાનાં મુખ્ય એ કારણા છે: એક તે તેનાથી સાધુજીવનનું અનુસરણ થાય છે અને બીજી તેનાથી હેય—ઉપાદેયના વિવેક જાગે છે, જે આત્મ—વિકાસના માર્ગે આગળ વધવામાં ઘણા ઉપયાગી છે. પ્રશ્ન-મુહપત્તીનુ પડિલેહણ કરતાં સાધુજીવનનું અનુ સરણ શી રીતે થાય છે?
ઉત્તર-સાધુએ દિવસમાં બે વાર પેાતાનાં વસ્ત્ર, પાત્ર, ઉપધિ–ઉપકરણનું પડિલેહણ કરે છે, તેમાં મુહપત્તીનું ડિલેહણ પણ અવશ્ય હોય છે. એ રીતે મુહપત્તીનુ પડિલેહણ કરતાં તેમનું અનુસરણ થાય છે. સામાયિક તા સાધુજીવનને અનુભવ લેવા માટે જ થાય છે, તેથી આ અનુસરણ આવશ્યક છે.
પ્રશ્ન-હેય-ઉપાદેયને વિવેક એટલે શું?
ઉત્તર-હેય એટલે ાડવા ચાગ્ય અને ઉપાદેય એટલે આદરવા ચેાગ્ય, મારે શુ' છેડવા ચેાગ્ય છે ? અને શું આદરવા ચોગ્ય છે? તેનુ સ્પષ્ટ જ્ઞાન થવું, તે હેય–ઉપાદેયને વિવેક કહેવાય છે.
પ્રશ્ન–શું આ વસ્તુ મુહપત્તીના પડિલેહણથી સમજાય છે? ઉત્તર-હા. જે મુહુપત્તીના પચાશ બોલ પર ખરાખર ચિંતન–મનન કરવામાં આવે તે તેના પરથી આ વસ્તુ અરામર સમજાય છે.
પ્રશ્ન-એલ એટલે શું?
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-બોલ એટલે વચન. પ્રશ્ન-શું બધાં વચને બલ કહેવાય?
ઉત્તર-ના. જે વચને શાસ્ત્રાનુસારી જ્ઞાન કે કિયાનાં. સૂચક હોય, તેને અહીં બેલ સમજવાના છે.
પ્રશ્ન–શાસ્ત્રાનુસારી એટલે ?
ઉત્તર–શાસ્ત્રાનુસારી એટલે શાસ્ત્રને અનુસરનારા, શાસ્ત્રના આધારે યોજાયેલા.
પ્રશ્ન-તે મુહપત્તીના પચાશ બેલે જ્ઞાન-કિયા સૂચક છે ?
ઉત્તર-હા. તે બધા બેલેમાં જ્ઞાન પણ રહેલું છે અને ક્રિયા પણ રહેલી છે. બેલને વિષય વિચારતાં જ્ઞાન થાય છે અને “આદ” “પરિહરું” વગેરે પદને અનુસરતાં કિયા થાય છે.
પ્રશ્ન મુહપત્તીના પચાશ બેલથી સામાયિકની ક્રિયા લાંબી અને અટપટી બની જતી નથી ?
ઉત્તર-મુહપત્તીના પચાશ બેલથી સામાયિકની કિયા રહસ્યમય બને છે. તેનું રહસ્ય સમજાયું કે તે કિયા લાંબી પણ નથી લાગતી અને અટપટી પણ નથી લાગતી.
પ્રશ્ન-શું મુહપત્તી–પડિલેહણમાં આ બોલેને ઉપયોગ થાય છે ખરો ?
ઉત્તર-હા. જેઓ સમજણપૂર્વક સામાયિક કરે છે, તે આ બેલેને બરાબર ઉપગ કરે છે. કેઈ અણસમજ કે.
Page #264
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિના પચાશ બેલનું રહસ્ય
૧૫૫ . બનઆવડતને લીધે તેને ઉપગ ન કરતું હોય એમ પણ બને, પરંતુ તેથી તેની ઉપગિતા ઓછી થતી નથી.
પ્રશ્ન-આ બેલે અંગે શાસ્ત્રોમાં શું કહેલું છે?
ઉત્તર-આ બેલેને શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, પણ તે વૃદ્ધસંપ્રદાય અનુસાર ચાલ્યા આવે છે.
પ્રશ્ન-વૃદ્ધસંપ્રદાય કેને કહેવાય ?
ઉત્તર-વૃદ્ધ એટલે વડીલે. તેઓ જે પરંપરાનું અનુસરણ કરી રહ્યા હોય, તેને વૃદ્ધ સંપ્રદાય કહેવાય. આપણે ત્યાં કેટલીક વસ્તુઓ વૃદ્ધસંપ્રદાયથી ચાલી આવે છે અને તે પણ શાસ્ત્રીય વસ્તુઓ જેટલી જ આદરપાત્ર ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્ર અને પરંપરા બંને મળીને આપણે ધાર્મિક વ્યવહાર નિર્માણ થયેલ છે.
પ્રશ્ન-મુહપત્તી–પડિલેહણની આ રહસ્યમય કિયા ચાલુ પાઠશાળાઓ ભાગ્યે જ શીખવે છે, તો શું કરવું ?
ઉત્તર-જો પરિસ્થિતિ એવી જ હોય તો કેઈમુનિરાજ કે ક્રિયાશીલ સુજ્ઞજન પાસેથી તે શીખી લેવી.
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૯ ] સામાયિકમાં શું ન કરાય?
સામાયિકના સમય દરમિયાન શું કરવું જોઈએ ? એ વિષય ઘણો અગત્યને અને ઘણો મટે છે, તેથી તે અંગે વિસ્તૃત વિવેચન આગામી પ્રકરણમાં કરવાના છીએ, પરંતુ તે પહેલાં સામાયિકમાં શું ન કરાય ? એ બરાબર જાણી સમજી લઈએ, જેથી દેથી બચી શુદ્ધ સામાયિક કરી શકીએ.
પ્રથમ તે સામાયિક લેતી વખતે-ગ્રહણ કરતી વખતે કરેમિ ભંતે-સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા લીધી છે, તેનો મર્મ સમજી કોઈ પણ પ્રકારની પાપમય પ્રવૃત્તિ કરવી-કરાવવી ન જોઈએ. પ્રતિજ્ઞા લીધા પછી તેને પાળીએ નહિ કે તેના તરફ બેદરકાર રહીએ કે તેને જોઈએ તેવી ચીવટાઈથી અમલ ન કરીએ તે આપણે મહાદોષના ભાગી બનીએ. ધીર, વીર તથા સુજ્ઞજન લીધેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળે છે, પછી તે માટે ગમે તે ભેગ આપે પડે, તેની દરકાર તેઓ કરતા નથી. તેના દાખલાઓ આપણી સામે - રાખીને ચાલીએ.
Page #266
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય ?
૧૫૭
હવે કેટલીક બાબતો એવી છે કે જે કરવાથી સામાયિકની ક્રિયા મલિન થાય છે, અશુદ્ધ થાય છે, એટલે તે આપણે કરવી ન જોઇએ. તે માટે શાસ્ત્રકારોની આજ્ઞા સાંભળે! ઃ
મન સ’'ધી દશ દાષા
(૧) સામાયિકના સમય દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ વિચાર કરવા નહિ, એવા વિચાર કરીએ તે અવિવેકદાપ લાગે,
(૨) સામાયિક કરવાથી લેાકેા વાહવાહ કરશે, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તેા યશઃકીર્તિ દાષ લાગે,
(૩) સામાયિક દ્વારા કોઈ પણ જાતના ધનલાભની ઇચ્છા રાખવી નહિ. એવી ઇચ્છા રાખીએ તે લાભવાંછાદોષ લાગે.
(૪) અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતા છું, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તે ગ દાષ લાગે.
(૫) હું સામાયિક નહિ કરું તો અન્ય લેકે શું કહેશે ? માટે સામાયિક કરું, એવા વિચાર કરવા નહિ. જો એવા વિચાર કરીએ તે ભયદાષ લાગે.
(૬) સામાયિક કરીને તેનાં ફલ તરીકે સાંસારિક સુખના
Page #267
--------------------------------------------------------------------------
________________
સમાયિક-વિજ્ઞાન
અભિનિવેશવાળી આશસા-ઇચ્છા કરવી નહિં. જો એવી ઇચ્છા કરીએ તે નિદાનદાષ લાગે,
૧૫૮
(૭) સામાયિક તેા કરું છું, પણ તેનું ફૂલ મળશે કે કેમ ? એવા વિચાર કરવા નહિ જો એવા વિચાર કરીએ તે સંશયદાષ લાગે,
(૮) કોઈ પણ કારણથી રાષ ઉત્પન્ન થયા હાય તે એ રોષમાં ને રાષમાં સામાયિક કરવું નહિ. જો એ રીતે સામાયિક કરીએ તે રાષદોષ લાગે.
(૯) જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનયપૂર્ણાંક સામાયિક કરવું જોઇએ. જો એ પ્રકારની શ્રદ્ધા અને વિનય વિના સામાયિક કરીએ તે અવિનયદોષ લાગે,
(૧૦) ભક્તિભાવ, ખડુમાન અને ઉમંગપૂર્ણાંક સામાયિક કરવુ જોઇએ. જો તે વિના સામાયિક કરીએ તે અબહુ
માનદાષ લાગે.
વચન સંબંધી દશ દોષા
(૧૧) સામાયિક દરમિયાન કડવુ, અપ્રિય કે અસત્ય વચન ખેલવુ' નહિ. જો એવુ વચન બોલીએ તે કુવચનદાષ લાગે. (૧૨) સામાયિક દરમિયાન વગર વિચાર્યે એકાએક વચન કહેવું નહિ. જો એવુ વચન કહીએ તે સહસાત્કારદાષ લાગે.
Page #268
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય?
૧૫૮ (૧૩) સામાયિક સમય દરમિયાન શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કેઈ વચન બેલવું નહિ. જે એવું વચન બેલીએ તે સ્વછંદદેષ લાગે.
(૧૪) સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન સૂત્ર-સિદ્ધાંતના પાઠ ટુંકાવીને બેલવા નહિ. તાત્પર્ય કે જેટલે પાઠ હોય તેટલે બરાબર બેલ. જે તે ટુંકાવીને બોલીએ તે સંક્ષેપદેષ લાગે.
(૧૫) સામાયિક દરમિયાન કેઈ સાથે કજિયા-કંકાસ થાય એવું બોલવું નહિ. જે એવું બોલીએ તે કલહદોષ લાગે.
(૧૬) સામાયિક દરમિયાન સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા. અને રાજકથા કરવી નહિ. જે આ ચાર પૈકી કઈ પણ કથા કરીએ તે વિદ્યાદેષ લાગે.
(૧૭) સામાયિક દરમિયાન કેઈની હાંસી કરવી નહિ કે હસવું નહિ. જે હસી કરીએ કે હસીએ તો હાસ્ય-- દેષ લાગે.
(૧૮) સામાયિકના સૂત્રપાઠમાં કાને, માત્રા, કે મીંડું ઓછુંવત્તું બોલવું નહિ, હસ્વને દીર્ઘ કે દીર્ઘને હસ્વ બેલ નહિ. તે જ રીતે જોડાક્ષરોને છૂટા પાડીને કે છૂટા અક્ષરને જોડીને બેવવા નહિ. જે આ પ્રકારે બેલીએ તે અશુદ્ધદેષ લાગે.
(૧૯) સામાયિકમાં નિરપેક્ષ એટલે અપેક્ષારહિત
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૦
સામાયિક-વિજ્ઞાન. વચન બોલવું નહિ. જે એવું વચન બેલીએ તે નિરક્ષેપદેષ લાગે.
(૨૦) સામાયિકના સમય દરમિયાન ગણગણવું નહિ કે સૂત્રપાઠમાં ગરબડ-ગેટો વાળવે નહિ. જે ગણગણ્યા કરીએ કે સૂત્રપાઠમાં ગોટો વાળીએ તે મુમુણ દેષ લાગે.
કાયા સંબંધી બાર દેવ (૨૧) સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું નહિ. જે પગ પર પગ ચડાવીને બેસીએ તે અગ્યાસન દેષ લાગે.
(૨૨) ડગમગતા આસને કે જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું નહિ. જે એ રીતે સામાયિક કરીએ તે અસ્થિરાસનદોષ લાગે.
(૨૩) સામાયિકમાં બેસીને ચારે તરફ નજર ફેરવવી નહિ. જે એ રીતે નજર ફેરવીએ તો ચલદષ્ટિદોષ લાગે.
(૨) સામાયિકમાં બેઠા પછી ઘરકામ કે વેપારવણજને લગતે કઈ ઈશારે સંજ્ઞાથી કરે નહિ. જે એ ઈશારે સંજ્ઞાથી કરીએ તે સાવદ્ય કિયાષ લાગે.
(૨૫) સામાયિક કરતી વખતે કઈ ભીંત કે થાંભલાને અઢેલીને બેસવું નહિ. જે એ રીતે બેસીએ તો આલંબનદેષ લાગે.
(૨૬) સામાયિકમાં બેઠા પછી હાથ–પગ લાંબા-ટૂંકા.
Page #270
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬ કરવા નહિ. જે હાથ–પગ લાંબા-ટૂંકા કરીએ તે આકુંચનપ્રસારણુદેષ લાગે.
(૨૭) સામાયિકમાં બેઠા પછી આળસ મરડવી નહિ. જે આળસ મરડીએ તે આલસદોષ લાગે.
(૨૮) સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીઓના ટચાકા ફેડવા નહિ. જે ટચાકા ફેડીએ તે મટનદેષ લાગે.
(૨૯) સામાયિક દરમિયાન શરીરનો મેલ ઉતારવે નહિ. જે મેલ ઉતારીએ તે મલદેષ લાગે.
(૩૦) સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહેવું નહિ. જે એદીની માફક બેસી રહીએ તે વિમાસણદોષ
લાગે.
(૩૧) સામાયિકના સમય દરમિયાન ઊંઘવું નહિ કે ઝોકાં ખાવાં નહિ. જે ઊંઘીએ કે ઝોકાં ખાઈએ તે નિદ્રાદેષ લાગે.
(૩૨) સામાયિક દરમિયાન ટાઢ વગેરે કારણથી કે વિના કારણે વસ્ત્રને સંકેરવાં નહિ. જે વસને સંકેરીએ તે વસ્ત્રસંકેચનદેષ લાગે.
આમાં મનથી શું શું ન કરવું ? વચનથી શું શું ન કરવું? અને કાયાથી શું શું ન કરવું ? તેનું સ્પષ્ટ માર્ગ, દર્શન અપાયેલું છે, એટલે સામાયિકના સાધકે તેના પર પૂરેપૂરું લક્ષ્ય આપવાનું છે. જે આ બત્રીશ નિષેધ કે દોષનો
સા, ૧૧
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સામાયિક–વિજ્ઞાન
ખ્યાલ રાખીને સામાયિક કરવામાં આવે તે એ શુદ્ધ-સુદર થાય. આપણે તે શુદ્ધ-સુદર સામાયિક કરવાની જ ભાવના રાખવી જોઈ એ, જેથી જલદી ભવનિસ્તાર થાય. પ્રશ્નોત્તરી
પ્રશ્ન-સામાયિક દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાયના બીજા વિચારે આવી જાય તે ?
ઉત્તર–વિચારો કરવા અને વિચારો આવી જાય, એ પરિસ્થિતિમાં ઘગે! ફરક છે. સામાયિકના સાધકે પેાતાનુ કતવ્ય વિચારીને એવા નિણ ય કરવા જોઈ એ કે મારે સામાયિક દરમિયાન આત્મહિત કે આત્મકલ્યાણ સિવાય અન્ય કોઈ વિચારો કરવા નહિ, તે એ અવિવેક દોષથી બચી શકે છે. આમ છતાં એવા કોઈ વિચાર આવી જાય, તે તરત મન પલટી નાખી તેને આત્મહિત કે આત્મકલ્યાણના વિચારમાં જોડી દેવું, પણ એ વિચારને આગળ વધવા દેવા નહિ. ‘ મનને જીતવાની કલા ’ નામના પ્રકરણમાં વિચારા પર કેવી રીતે કાબૂ મેળવી શકાય ? તેની કેટલીક રીતેા આપેલી છે. તે ખરાખર ધ્યાનમાં રાખી તેને અભ્યાસ કરવા.
પ્રશ્ન-કોઈ લાકલાજે સામાયિક કરતું હોય તે તેમાં વાંધાશે?
ઉત્તર-લેાકલાજે થતી ક્રિયામાં ભલીવાર હાતા નથી. જે ક્રિયા તેનું મહત્ત્વ સમજીને કરવામાં આવે છે, તે ખરાખર થાય છે; તેથી સામાયિક લેાકલાજે નહિ, પણ તેની શ્રેષ્ઠતા–
Page #272
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬૩
સુંદરતા સમજીને કરવી જોઈએ. આ રીતે કરાતા સામાયિકની અંતર પર ઊંડી અસર થાય છે અને તેથી તેનો હેતુ પાર પડે છે.
પ્રશ્ન-કહેવાય છે કે શંકર પ્રસન્ન થતાં એક અપરિણિત આંધળા ભીખ માગતા વણિકે માગી લીધું હતું કે “મારા છોકરાની વહુ સાતમા માળે સેનાની ગોળીઓ છાશ કરતી હોય એ હું દેખું, આવું કંઈ સામાયિકના ફલ તરીકે માગી લેવામાં આવે તો હરકત શી ?
ઉત્તર–સામાયિકની સાધનાને અંતિમ હેતુ મોક્ષપ્રાપ્તિ છે, એટલે કે સંસારમાંથી છૂટવાનો છે. હવે તેનાં ફલ તરીકે સંસારસુખ માગીએ, એટલે સંસારનું બંધન વધે, તેથી ક્રિયાને હેતુ નિષ્ફલ થયે ગણાય. પિતાના હાથે પિતાની ક્રિયાને નિષ્ફલ બનાવવી એ સ્પષ્ટપણે મૂર્ખતાની નિશાની છે. વળી મોક્ષસુખની સરખામણીમાં સંસારનું ઊંચામાં ઊંચું સુખ પણ લાખમા-કોડમાં ભાગે નથી, એટલે મોક્ષસુખની ઉપેક્ષા કરી સંસારસુખ માગવું, એ ક્રેડ રૂપિયાના કેહીનરને બદલે સવા શેર ગેળ માગી લેવા જેવી બેવકૂફી છે; તેથી શાસ્ત્રકારોએ સામાયિકના ફલ તરીકે સંસારસુખના અભિનિવેશવાળી આશંસા-ઈચ્છાને ત્યાગ કરવાનું જણાવ્યું છે.
પ્રશ્ન-બુદ્ધિમાન મનુષ્યને સામાયિકના ફલ સંબંધી વિચારો તે આવે છે. ત્યાં તેણે શું કરવું જોઈએ ?
Page #273
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન.
ઉત્તર- સારાનું ફૂલ સારું અને ભૂરાનું ફલ બૂરું” એ જૈન ધર્મે સ્થાપેલેા અટલ સિદ્ધાંત છે. તેમાં આપણે પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થવું જોઇએ. એટલે કે સામાયિક એક સારભૂત સુંદર ક્રિયા છે, તેનુ ફૂલ અવશ્ય અતિ સુંદર આવવાનું એમ માનીને નિઃસંશયપણે એ ક્રિયામાં માગ્ન થવુ જોઈએ. અહી જો‘ સામાયિકનું ફલ મળશે કે નહિ ? એવા વિચારે ચડી ગયા અને સોંશયગ્રસ્ત બની ગયા તે મઝધારે તાફાનમાં સપડાયેલી નૌકા જેવી હાલત થવાની. આવું કંઈ ન અને તે માટે સંશયદોષ ટાળવાના છે.
>
૧૬૪
પ્રશ્ન રાષમાં ને રાષમાં સામાયિક કરીએ તેમાં વાંધે શુ ? સામાયિક જેવી એક પવિત્ર ક્રિયા તા થાય ને ?
ઉત્તર–રાષમાં ને રાષમાં સામાયિક કરીએ તે તે યથાર્થ પણે થાય નહિ. પ્રથમ તે તેમાં ચિત્ત ચાંટે નહિ; બીજું અસ્વસ્થ મને ક્રિયા કરતાં તેમાં ભૂલા-ચૂક થાય; ત્રીજી એ વખતે અંતરમાં જે સમતા પરિણામ હાવા જોઇએ તે હાય નહિ. તેથી રાષ શમાવીને સામાયિક કરવું ઉચિત છે. રોષમાં થતું સામાયિક એ દેખાવ માત્રનું સામાયિક હાય છે, ખરૂ' સામાયિક હાતુ નથી, એટલે તેનાથી સામાયિક થયાના સંતેષ શી રીતે મનાય ?
પ્રશ્ન-સ્રીકથા કાને કહેવાય ?
ઉત્તર-જેમાં સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય વગેરેનું શ્રૃંગારિક વર્ણન આવતું હોય, તેને સ્ત્રીકથા કહેવાય.
Page #274
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય?
૧૬પ પ્રશ્ન-તેને વિકથા ગણવાનું કારણ શું?
ઉત્તરવિકથા એટલે વિકૃતિ ઉત્પન્ન કરનારી કથાવાર્તા. સ્ત્રીઓનાં રૂપ અને લાવણ્યની શૃંગારભરી કથાઓ જરૂર માનસિક વિકૃતિ ઉત્પન્ન કરે છે, તેથી તેને વિકથા ગણવામાં આવી છે.
પ્રશ્ન-કઈ ધાર્મિક પુસ્તકમાં સ્ત્રીઓનાં શૃંગારિક વર્ણને આવતાં હોય છે ?
ઉત્તર–તેવાં પુસ્તકે સામાયિકમાં વાંચી શકાય નહિ.
પ્રશ્ન-સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા કરવી, એ એક સદ્દગુણ નથી શું ? ઘણા કવિઓએ સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા કરેલી છે અને તેને લેકેએ વખાણેલી છે, તેનું કેમ ?
ઉત્તર–લૌકિક અને લેકેત્તર દષ્ટિમાં ઘણે ફેર છે. લૌકિક દૃષ્ટિએ સ્ત્રીઓનાં રૂપ-સૌન્દર્યની પ્રશંસા ભલે એક સગુણ મનાતે હોય, પણ લકત્તર દષ્ટિ એટલે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ વસ્તુ ઈચ્છવા ગ્ય નથી, કારણ કે તેનાથી મને વિકાર અવશ્ય ઉત્પન્ન થાય છે. કવિએ મેટા ભાગે રાજ-રજવાડા કે લેકેના મનનું રંજન કરવા ઈચ્છતા હોય છે, તેથી તેઓ આ પ્રકારનાં અંગારિક વર્ણન કરે છે, પણ તેથી તે ઈષ્ટ કે અનુકરણીય છે, એમ માનવું જરૂરી નથી. આધ્યાત્મિક વિકાસની વાતમાં તે જેમને આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાએ પહોંચ્યું છે, તેમનાં જ વચને પ્રમાણ કરવાં જોઈએ.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-ભક્તકથા કેને કહેવાય?
ઉત્તર–ભજનના રસ, પ્રકારે વગેરે સંબંધી જે કથાવાર્તા તે ભક્તકથા કહેવાય.
પ્રશ્ન-તેને વિકથા ગણવાનું કારણ શું ?
ઉત્તર–આવી કથા-વાર્તાઓ સાંભળતાં મનુષ્યના રસસ્વાદ સંબંધી સુત સંપ્રકારે જાગૃત થાય છે અને તેને રસમય-સ્વાદિષ્ટ ભેજને કરવાની વૃત્તિ થઈ આવે છે, તેથી સંયમ તૂટે છે, એટલે ભક્તકથાને વિકથા ગણવામાં આવી. છે. “જીભ પરથી કાબૂ ગયે કે સંયમ ખલાસ” એ અનુભવ. તે આપણામાંના ઘણાખરાને થયે જ હશે.
પ્રશ્ન-દેશકથા કેને કહેવાય ?
ઉત્તર–જુદા જુદા દેશે અને ત્યાં વસતા લોકોના ચિત્રવિચિત્ર રિવાજે સંબંધી કથા-વાર્તા કથ્વી. એ દેશકથા કહેવાય છે.
પ્રશ્ન–તેને વિકથા ગણવાનું કારણ શું?
ઉત્તર-તેમાં એવી કેટલીયે હકીક્ત હોય છે કે જે મનની સ્વસ્થતાને ભંગ કરે છે, તેથી તેને વિકથા ગણવામાં. આવી છે. વળી, આવી વાર્તા સાંભળવાથી આપણને કંઈ લાભ થવાનો સંભવ નથી, એટલે કે સામાયિકની સાધનામાં સહાય મળે તેમ નથી, તેથી તેને ફિઝુલ ગણી ત્યાગ કરે. ગ્ય છે.
પ્રશ્ન-રાજકથા કેને કહેવાય?
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૬૭
સામાયિકમાં શું ન કરાય?
ઉત્તર-રાજાઓના ઐશ્વર્ય, ભેગવિલાસ તથા રૂપશંગાર આદિ સંબંધી કથા-વાર્તા કરવી એ રાજકથા કહેવાય.
પ્રશ્ન–તેને વિકથા ગણવાનું કારણ શું છે?
ઉત્તર-આવી કથા-વાર્તાઓ સાંભળતાં મનુષ્યનું મન એશ્વર્ય તથા ભેગવિલાસ તરફ આકર્ષાય છે અને તેમાંથી અનેક જાતના અનર્થો પેદા થાય છે, તેથી તેની ગણના વિકથામાં કરવામાં આવી છે.
પ્રશ્ન-અપેક્ષારહિત વચન કેને કહેવાય ?
ઉતર–જેમાં અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓને નિષેધ કરવામાં આવ્યો હોય, તેને અપેક્ષારહિત વચન કહેવાય. દાખલા તરીકે “આ કાર્ય હું જરૂર કરીશ” અથવા
તમારું કાર્ય થશે જ આ વચને અપેક્ષારહિત છે. આપણે એક કાર્ય માટે પેજના ઘડી હેય, બનતે પ્રયત્ન કર્યો હોય અને એમ લાગતું હોય કે આ કાર્ય જરૂર થશે, છતાં છેલ્લી ઘડીએ એવી ઘટનાઓ બને છે કે કાર્ય થાય નહિ.” હાથમાં ગરમ ચાહ કે કેફીને કપ લીધે હોય, અને મઢે માંડવાની તૈયારી હોય, ત્યાં એ કપમાં માખી પડે છે અને ચાહ કે કેફી પીવાનું રખડી જાય છે. તાત્પર્ય કે આ વચન અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓથી રહિત હાઈ ખોટું પડવા સંભવ છે, તેથી નિરપેક્ષ–અપેક્ષાહિત વચનપ્રવેગ કરે નહિ, એવી મહાપુરુષની સલાહ છે. આ સ્થળે જ એમ કહીએ કે “આ કાર્ય માટે હું
Page #277
--------------------------------------------------------------------------
________________
१६८
સામાયિક-વિજ્ઞાન બનતે પ્રયત્ન કરીશ” અથવા “આ કાર્ય થવાને સંભવ છે તે આ વચન સાપેક્ષ એટલે અન્ય અપેક્ષાઓ – સંભવિતતાઓને સ્વીકાર કરનારાં ગણાય અને તેમાં બેટા પડવાને વખત આવે નહિ, એટલે આ વાક્યપ્રગ કરે ઈચ્છનીય છે. “વચન-નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન-સાપેક્ષ વ્યવહાર સાચે.” એ પંક્તિઓમાં આ વસ્તુનું નિરૂપણ થયેલું છે.
પ્રશ્ન – સામાયિકના સમયમાં એદીની માફક બેસી રહીએ, એટલે અન્ય પ્રવૃત્તિઓ બંધ રહે છે. શું આ સ્થિતિ ઈષ્ટ નથી ?
ઉત્તર–સામાયિકના સમયમાં પાપકર્મોથી નિવૃત્ત થવાનું છે અને સ્વાધ્યાયાદિ ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવાનું છે. એદીની માફક બેસી રહેતાં આ સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન નાદિ પ્રવૃત્તિ ન થાય, એ મોટું નુકશાન છે, તેથી એદીની માફક બેસી ન રહેતાં, સ્વાધ્યાયાદિ ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધનાની સફલતા પુરુષાર્થને આધીન છે, એ ભૂલવાનું નથી.
પ્રશ્ન-સામાયિકના સમયમાં નિરંત હેય છે, તેથી એ સમયમાં બેડી ગુલાબી નિદ્રા લઈ લઈએ તે શું ખોટું ?
ઉત્તર-નિરાંતને ઉપયોગ ઊંઘમાં કરીએ, તેના કરતાં આત્મવિકાસને લગતી પ્રવૃત્તિમાં કરીએ તે વધારે ડહાપણભરેલું છે. ઊંઘ સામાન્ય હોય કે ગુલાબી હોય, પણ તે
Page #278
--------------------------------------------------------------------------
________________
સામાયિકમાં શું ન કરાય ?
૧૬૯ એક પ્રકારનું પ્રમાદ છે, એ ભૂલવાનું નથી. ધર્મકિયા મનની સંપૂર્ણ સકૂર્તિથી કરવાના સ્થાને ઊંઘવું કે ઝકાં ખાવાં એ વિવાહમાં વરસી વાળવા જેવી એક મૂર્ખાઈભરી વિચિત્ર વસ્તુ છે. સામાયિકના સમયે ઊંઘ કે કાં ન આવે તે માટે માદક આહારને ત્યાગ કરે જોઈએ. વળી સાદે ખેરાક પણ પ્રમાણુ કરતાં શેડે છે તે જોઈએ. ઊણેદરિકા પણ એક પ્રકારનું તપ છે અને તે સંયમ–સાધનામાં ઘણું ઉપયોગી થાય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
સામાયિકના સાધનાક્રમ
સામાયિકના અભાવ-રહસ્યથી આપણે ઠીક ઠીક પરિચિત થયા છીએ અને તેના વિધિ સંબંધી પણ જોઈતુ જ્ઞાન મેળવી લીધું છે. હવે સામાયિક લીધા પછી—ગ્રહણ કર્યા પછી બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી શું કરવું જોઈ એ ? તે સમજી લેવાનુ છે. જો એ સમજણુ સ્પષ્ટ નહિ હાય તા સામાયિકની સાધના યથાર્થ પણે થશે નહિ અને તેના દ્વારા આપણે સમત્વ કે સમભાવની જે સિદ્ધિ કરવા ધારી છે, તે ઘણી દૂર જશે.
સામાયિક લેતી વખતે ‘ સજ્ઝાય સદિસાહુ ?’ અને · સજ્ઝાય કરું ? ' એવા બે આદેશેા લેવામાં આવે છે, તેને અર્થ એ છે કે સામાયિકના સમય દરમિયાન મુખ્યત્વે સજ્ઝાય એટલે સ્વાધ્યાય કરવાના છે. હવે સ્વાધ્યાયના એ અર્થા થાય છેઃ એક તા શાસ્ત્રનું અધ્યયન અને બીજો મત્રજપ, એટલે સામાયિકના સમય દરમિયાન ધાર્મિક-આધ્યા-
Page #280
--------------------------------------------------------------------------
________________
સામાયિકના સાધનાક્રમ
૧૭૧ .
ત્મિક ભાવનાની પુષ્ટિ કરે એવાં પસંદગીનાં પુસ્તકે શાંત ચિત્તે વાંચી-વિચારી શકાય છે. જો વિચાર સુધરે તા વૃત્તિ સુધરે, વૃત્તિ સુધરે તે પ્રવૃત્તિ સુધરે, અને પ્રવૃત્તિ સુધરે તા પરિણામ સુધરે; એટલે ધાર્મિક આધ્યાત્મિક ભાવનાની પુષ્ટિ કરે એવાં પુસ્તકોનું વાંચન ઇષ્ટ છે. વાંચનાની સાચી રીત એ છે કે ધીમે ધીમે વાંચવું, સમજીને વાંચવું અને સમજણ ન પડે તે ખીજી-ત્રીજી વાર વાંચવું, પણ સમજવાના પૂરો પ્રયત્ન કરવા અને એ રીતે વસ્તુ સમજીને આગળ વધવું. આ રીતે એક પ્રકરણ વાંચ્યા પછી તેના પર વિચાર કરવા કે આમાં શું શું કહેવાયું ? તેની મનથી સકલના કરવી અને કાઈ કડી તૂટતી લાગે તેા ગ્રંથ ઉઘાડી એટલે ભાગ જોઈ લેવા. આ રીતે ગ્રંથ વાંચવાથી ઘણું જ્ઞાન મળે છે અને તે આત્મવિકાસ કે આત્મશુદ્ધિ કરવામાં ઉપકારક નીવડે છે.
સ્વાધ્યાય માટે કાણે કેવા ગ્રંથ પસંદ કરવા? તે એની ભૂમિકા પર આધાર રાખે છે. સાધક થાડુ ભણેલા હાય તે તેણે સ્તવન, સજાય તથા કથાગ્રંથાની પસંદગી કરવી અને તે ઠીક ઠીક ભણેલા હાય તા તાત્ત્વિક ગ્રંથાની પસંદગી કરવી. મુખ્ય વાત એ છે કે તે જે ગ્રંથ પસંદ કરે, તે તેને સમજાય એવા હોવા જોઇએ, નહિ તે ઘેાડાં પાનાં ઉથલાવી મૂકી દેવાના પ્રસંગ આવે અને ધાર્યાં સ્વાધ્યાય થાય નહિ. આ પ્રકારના સ્વાધ્યાય માટે ખાસ સાહિત્ય વિશેષ પ્રમાણમાં - તૈયાર કરવાની જરૂર છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
*
" ૧૭૨
સામાયિક-વિજ્ઞાન શામાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર મનાયેલા છે, તે - સંબંધી પણ અહીં થેડી વિચારણા કરી લઈએ. સ્વાધ્યાયને પ્રથમ પ્રકાર “વાચના” છે, એટલે સૂત્રપાઠ અને તેને અર્થ ગ્રહણ કરે. બીજો પ્રકાર “પૃચ્છના છે, એટલે સૂત્ર–અર્થ સંબંધી પ્રશ્નો પૂછી વિશેષ જાણકારી મેળવવી. ત્રીજો પ્રકાર પરિવર્તન” છે, એટલે શીખેલા સૂત્રપાઠની આવૃત્તિ કરવી, તેનું પુનરાવર્તન કરવું. ચોથે પ્રકાર “અનુપ્રેક્ષા” છે, એટલે સૂત્રાર્થ સંબંધી ઊંડું ચિંતન કરવું અને પાંચમે પ્રકાર “ધર્મકથા” છે, એટલે આ રીતે પ્રાપ્ત - થયેલા ધર્મજ્ઞાનનું અન્યને કથન કરવું. સ્વાધ્યાયના આ પાંચ પ્રકારે મુખ્યત્વે શ્રમણ સંસ્થાને અનુલક્ષીને જાયેલા છે અને તેને અનુસરતા શ્રુતજ્ઞાનની પરિપાટી જળવાઈ રહે છે તથા તે જનતાના હૃદય સુધી પહોંચે છે.
સ્વાધ્યાયના આ પાંચ પ્રકારે પિકી સામાયિકમાં ત્રીજો અને એ પ્રકાર એટલે શાસપાઠની આવૃત્તિ અને તેના અર્થ સંબંધી ઊંડું ચિંતન એ બે અપનાવવા જેવા છે. પૂર્વે અમે પ્રાચીન જૈન પદ્ધતિનું જે વર્ણન કરેલું છે, તેમાં બીજી સૂત્રગતકિયા અને ત્રીજી અર્થગતકિયામાં લગભગ આ જ વસ્તુ સૂચવાયેલી છે. કયેત્સર્ગ–અવસ્થાને સ્વીકાર કરીને પણ આ બંને વસ્તુ થઈ શકે છે. વાચના, પૃચ્છના અને ધર્મકથા સામાયિકની સાધન વખતે અનુકૂલ નથી, કારણ કે તે વખતે ચિત્તને શાંત અને સ્થિર કરવાનો પ્રયત્ન હોય છે, તેમાં તે બાધક છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
સામાયિકના સાધનાક્રમ
૧૭૩ :
આજે શ્રાવક વર્ગમાં સૂત્ર-સિદ્ધાંતના જાણકાર કેટલા ? ચાલુ ધાર્મિ ક અભ્યાસ પણ ઘણા ઓછા થઈ ગયા છે અને તે આ થતા જાય છે. યુગ-પરિવતને લોકોનાં મન પર ઘણી મોટી અસર કરી છે. શ્રાવક-શ્રાવિકા વર્ગના પણ તેમાં જ સમાવેશ છે, એટલે આ બાબત ઘણી ચિંતા ઉપજાવનારી છે. તે માટે આગેવાનાએ ચેતવુ જોઈ એ.
જેમનું વલણ મંત્રજપ તરફ હાય, તેમણે સામાયિક દરમિયાન મ`ત્રજપ કરવા જોઇએ. સામાયિકનાં મુખ્ય ઉપકરણામાં જપમલિકાની ગણના થયેલી છે, એટલે પ્રાચીન કાલથી સામાયિકમાં મંત્રજપ કરવાની પદ્ધતિ અમલમાં હતી એ નિશ્ચિત છે. શ્રાવકોને પંચપરમેષ્ટીસ્મારક કહ્યા છે. એટલે આ જપ મુખ્યત્વે નમસ્કાર મહામ ંત્રને હશે, એમાં કોઇ શકા નથી. વળી જપમાલાનું નામ નવકારવાળી નેાકારવાળી પડયું છે, તે પણ એ જ સૂચવે છે કે એ જપમાલા વડે મુખ્યત્વે નમસ્કાર-મહામત્રના-નવકારને જ જપ થતા હશે. અહં 'મત્ર પણ તેની કાર્ટિના જ છે, કારણ કે તેમાં કાર અને ડ્રીકારપૂર્વક અરિહંત દેવાને જ નમસ્કાર છે, એટલે તેના જપ પણ સામાયિક દરમિયાન થઈ શકે છે. સિવાય ગુરુએ આત્મજાગૃતિ માટે કોઈ ખાસ મંત્ર આપ્ય હાય, તો તેના જપ પણ થઈ શકે છે.
મનને ખીલે માંધવા માટે જપ એક મોટું સાધન છે, એ ભૂલવાનું નથી. અન્ય શબ્દોમાં કહીએ તેા વિશ્વના વિવિધ વિષયામાં ભટકતુ મન જપ વડે મર્યાદિત ક્ષેત્રમાં આવી જાય
Page #283
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સામાયિક- વિજ્ઞાન
છે અને તે ધીમે ધીમે પવિત્ર તથા સ્થિર થતું જાય છે. વળી જપ વડે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે, એ પણ તેના ઘણા મોટા લાભ છે. પરંતુ માળા હાથમાં લઈને ફેરવવા માંડી કે જપ થતો નથી, તેને વિધિ જાણવા જોઇએ.
પ્રથમ ા મેરુદંડ સીધા રાખીને સુખાસને બેસવુ જોઈ એ, એટલે કે પલાંડી વાળીને ટટાર બેસવું જોઇ એ. જો સાધકને પદ્માસન કે સ્વસ્તિકાસનના અભ્યાસ હાય તે એ આસને પણ બેસી શકાય. પછી ડાબા હાથ કે જેમાં મુહપત્તી ધારણ કરેલી હોય છે, તે ડાબા સાથળ પર રાખવા જોઈએ અને જમણા હાથમાં રહેલા ચરવળાને બાજુએ રાખીને તેમાં માળા ગ્રહણ કરવી જોઇએ અને એ હાથ છાતી સન્મુખ લાવવા જોઈ એ, તેથી ઊ ંચા કે નીચા રાખવા નહિ.
તે વખતે આંખ અ`મી'ચેલી રાખી દિષ્ટ માલા તરફ સ્થિર કરવી જોઇએ. પછી એક સત્ર૬ ખેલવાની સાથે એક મણકો ફેરવવા જોઈ એ. મત્રપદ ઝડપથી એલાય અને મણકા આછા ફરે તેા દોષ લાગે, કારણ કે એથી મંત્રજપની સંખ્યા જળવાય નહિ. તે જ રીતે મંત્રપદ ધીમેથી ખેલાય અને મણકા ઝડપથી ફરે તા પણુ દોષ લાગે, કારણ કે તેમાં પણ મંત્રજપની સંખ્યા જળવાય નહિ. મંત્રપદ બહુ ઝડપથી પણ નહિ અને બહુ મંદગતિએ પણ નહિં, પરંતુ સમતિએ બોલવુ જોઈ એ અને તે જ વખતે માળાના મણકા ફેરવવા
* જપની મહત્તા અને તેનુ સ્વરૂપ વિસ્તારથી જાણવા માટે · અમારા રચેલા ‘ જપ-ધ્યાન-રહસ્ય' નામને ગ્રંથ જુએ.
Page #284
--------------------------------------------------------------------------
________________
સામાયિકને સાધનાક્રમ
૧૭૫ જોઈએ. એ વખતે મંત્રપદ સિવાય અન્ય કઈ વસ્તુ મનમાં દાખલ થવા દેવી ન જોઈએ. અન્ય સર્વ વિષયોમાંથી મનને નિવૃત્ત કરીને મંત્રપદમાં જોડવું એને જ સાચે જપ કહેવાય છે.
જપમાં માળા કઈ કઈ જાતની વપરાય ? ? તેને ખુલાસે બે પ્રકારની તૈયારીઓવાળા પ્રકરણમાં કરે છે, છતાં અહીં એટલું સૂચન કરીએ છીએ કે તે માટે ચંદનની માળા વધારે પસંદ કરવા એગ્ય છે.
મંત્રજપની જે સંખ્યા નિયત થયેલી હોય, તે પૂરી કરવી જોઈએ, પણ તે ઉપરના વિધિએ. તેમાં ગોલમાલ કરીને એ સંખ્યા પૂરી કરીએ તે એનું ધાર્યું પરિણામ આવે નહિ.
જપ અંગે શંખાવર્ત, નંદ્યાવર્ત આદિ કેટલાક આવતેની પદ્ધતિ અમલમાં આવેલી છે, તે મનને એકાગ્ર કરવામાં કેટલેક અંશે ઉપયોગી નીવડે છે. અનુભવીઓ પાસેથી તેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ.
સામાયિકની સાધના દરમિયાન અનાનુપૂવ પણ ગણી શકાય છે, કારણ કે તેથી ચિત્તને એકાગ્ર કરવામાં સહાયતા મળે છે.
સામાયિકના સ્વરૂપ સંબંધી શાસ્ત્રોમાં કેટલાક ઉલ્લેખ થયેલા છે, તે પણ આપણે સમજી લેવા જેવા છે. શ્રી હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રમાં કહ્યું છે કે
Page #285
--------------------------------------------------------------------------
________________
१७६
સામાયિક-વિજ્ઞાન. त्यतातरौद्रध्यानस्य, त्पक्तसावधकर्मणः । मुहूर्त समता या तां, विदुः सामायिकवतम् ॥
આત ધ્યાન અને રૌદ્રધ્યાનને તથા સાવદ્યકર્મોને ત્યાગ કરનારની એક મુહૂર્ત પર્યત જે સમતા, તેને સાધુપુરુષે સામાયિક વ્રત તરીકે ઓળખે છે.
તાત્પર્ય કે (૧) આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ કરે, (૨) સાવધકને ત્યાગ કરે તથા (૩) બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ સુધી સમતા ધારણ કરવી, તે સામાયિક વ્રતનું સાચું સ્વરૂપ છે.
સામાયિકમાં શું ન કરાય ? તેમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ જણાવેલ નથી, પણ અહીં તે સ્પષ્ટાક્ષરે જણાવે છે, એટલે તેને ત્યાગ કરવાનો છે.
સાવદ્યકર્મોનો ત્યાગ કરેમિ ભંતે-સૂત્ર ઉચ્ચારીને કરવામાં આવે છે. સામાયિકને સમય એક મુર્હત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટને છે, એ વાત સુપ્રસિદ્ધ છે. આટલા સમય સુધી સમતા રાખવી, કઈ જાતને ઉત્પાત કર નહિ, મનને ખોટા રવાડે ચડાવવું નહિ. સંસારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેતા મનુષ્ય પ્રારંભમાં આટલું શીખે તે પણ ઘણું છે. તેને પડઘે દૈનિક જીવનમાં તથા રામસ્ત વ્યવહારમાં પડવાને એ નિશ્ચિત છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૭૭
સામાયિકને સાધનાક્રમ
અન્યત્ર કહ્યું છે કે– समता सर्वभूतेषु, संयमः शुभभावना । आतरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ॥
‘સર્વ પ્રાણીઓ સાથે સમભાવ, સંયમ, શુભભાવના અને આર્ત તથા રૌદ્રધ્યાનને ત્યાગ, એ જ સામાયિકવ્રત છે.”
આમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ ઉપરાંત બીજી ત્રણ મહત્વની વસ્તુઓ કહેવામાં આવી છે. એક તો સામાયિકના સાધકે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવે. એટલે કેઈને વૈરી-વિરોધી ન માનતાં બધાને મિત્ર ગણવા. આ સંગોમાં કેઈનું અહિત કરવાની ભાવના તે થાય જ કયાંથી ? એટલે દયાની વાત આમાં આવી ગઈ. બીજી વસ્તુ સંયમની છે. સંયમ વિના ધર્મ, અધ્યાત્મ કે એગમાં આગળ વધી શકાતું નથી. ધર્મશાસ્ત્રોએ સંયમના ૧૭ પ્રકારો માન્યા છે. પાંચ ઇન્દ્રિયને નિગ્રહ; પાંચ અવતનું વિરમણ, એટલે હિંસા, જૂ, ચોરી, મૈથુન તથા પરિગ્રહને ત્યાગ; ચાર કષાયને જય, એટલે કેાધ, માન, માયા અને લેભને પરાભવ; અને મન, વચન તથા કાયા પર પૂરે કાબુ. ત્રીજી વસ્તુ શુભ ભાવનાની છે. શુભ ભાવનાને સામાન્ય અર્થ સહુનું ભલું ઈચ્છવું તે છે. અને વિશેષ અર્થ તે શાસ્ત્રોમાં વર્ણવેલી બાર પ્રકારની તથા ચાર પ્રકારની ભાવનાએનું સેવન છે.
વિશેષમાં એમ પણ કહેવાયું છે કે – जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ સા. ૧૨
લાલન થતું
છ
ત
છે
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સામાયિક-વિજ્ઞાન કેવલી ભગવંતે એમ કહ્યું છે કે, જેને આત્મા (બહિર્ભાવ છોડીને) સંયમ, નિયમ અને તપમાં આવેલ છે, તેને સામાયિક (સિદ્ધ) થાય છે.”
એટલે સામાયિકની સિદ્ધિ માટે બહિર્ભાવ છોડીને અંતરાત્મભાવ ધારણ કરે જોઈએ અને સંયમ, નિયમ તથા તપને પણ પોતાના જીવનમાં સ્થાન આપવું જોઈએ.
આ બધી વસ્તુઓ પર ગંભીરતાથી વિચાર કરીએ તે સમજાશે કે સામાયિકની સાધના અંગે આપણે ઘણું ઘણું કરવા જેવું છે, પણ તે બધું કમશઃ કરીએ તે જ તેમાં ધારી પ્રગતિ થવા સંભવ છે. જે વસ્તુ પહેલા કરવા જેવી હોય, તે પછી કરીએ અને પછી કરવા જેવી હોય, તે પહેલાં કરીએ તે અવ્યવસ્થા દોષ ઉભે થાય છે અને તે પ્રગતિના પ્રાણ હરી લે છે.
આ સાધનાક્રમનું દર્શન શ્રીમાન હરિભદ્રસૂરિએ કહેલા નીચેના શ્લેકમાં થાય છે? - अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । - मोक्षेण योजनाद्योग, एष श्रेष्टो यथोत्तरम् ॥ . “અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિસંક્ષય મેક્ષમાં જોડનાર હોવાથી એગ છે અને તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.”
તાત્પર્ય કે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી સ્થાન પ્રકટે છે અને ધોનથી સમત્વની સિદ્ધિ થાય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
સામાયિકનો સાધનાક્રમ
૧૯૯
પરિણામે શેષ રહેલી વૃત્તિએ-વાસનાઓને ક્ષય થઈ જાય છે અને માક્ષની પ્રાપ્તિ થાય છે.
આને અર્થ આપણે એમ સમજવાના કે સમત્વની સિદ્ધિ કરવી હોય તે પ્રથમ અધ્યાયની ભૂમિકા સિદ્ધ કરવી જોઈ એ, પછી ભાવનાની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ અને તે પછી ધ્યાનની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ. અમે આ ક્રમને અનુસરીને હવે પછીનાં પૃષ્ઠોમાં તે અ ંગે વિસ્તૃત વવેચન કરેલું છે. તેને શાંત-સ્થિર ચિત્તે વાંચવાથી સામાચિકના સાધનાક્રમ અંગે સ્પષ્ટ માદુન મળશે અને તે સિદ્ધિ સમીપે લઈ જશે એવે અમારા દૃઢ વિશ્વાસ છે. પ્રશ્નોત્તરી
પ્રશ્ન-સામાયિકની સાધનામાં ચેોગસાધનાનાં કયાં તત્ત્વા ગોઠવાયેલાં છે ?
ઉત્તર-લગભગ બધાં જ. સ્થાનપ્રતિબદ્ધતા, સૂત્ર કે મંત્રનું રટણ, સૂત્રારૂપ તત્ત્વની અનુપ્રેક્ષા અને સાલ અન તથા નિરાલ'અન ધ્યાનને સામાયિકની સાધનામાં વ્યવસ્થિત સ્થાન અપાયેલું છે.
પ્રશ્ન-અષ્ટાંગ ચોગસાધનાની દૃષ્ટિએ શું પરિસ્થિતિ છે? ઉત્તર-એ દૃષ્ટિએ પણ સામાયિકની સાધના ચાગતત્ત્વાથી ભરપૂર છે.
હ, પ્રશ્ન-શું સામાયિકની સાધનામાં યમ-નિયમેાને સ્વીકાર થયેલા છે ?
- -
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સામાયિક-વિજ્ઞાન -હા. સામાયિકના ઉત્કૃષ્ટ સાધકે પાંચ મહાવ્રત ધારણ કરવાના હોય છે, તે યમરૂપ છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ ધારણ કસ્વાની હોય છે, તે નિયમરૂપ છે.
પ્રશ્ન-પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ નિયમરૂપ શી રીતે ?
ઉત્તર-જે આત્માનું નિયમન કરે, તે નિયમ કહેવાય. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આત્માનું નિયમન કરનાર છે, તેથી તેને નિયમ માનવામાં હરકત નથી. અન્ય એગસંપ્રદાયે નિયમની બાબતમાં એક નથી. તેઓ પાંચથી બાર સુધી નિયમની સંખ્યા બતાવે છે, જ્યારે જૈન ધર્મમાં સમિતિ અને ગુતિ અંગે કઈ મતભેદ નથી.
પ્રશ્ન-સામાયિકની સાધના ગૃહ પણ કરે છે, તેમાં યમ-નિયમને શું સ્થાન છે?
ઉત્તર-સામાયિકની સાધના વ્રતધારી શ્રાવકે નિયમિત અને વ્યસ્થિત કરે છે. તેઓ પાંચ મહાવ્રતના અનુકરણરૂપે પાંચ અણુવ્રત પાળે છે, તે યમ રૂપ છે અને એ અણુવ્રતની પુષ્ટિ માટે ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાત્રતે પાળે છે, તે નિયમરૂપ છે. ટૂંકમાં જૈન ધર્મની યમ-નિયમ પર ઘણી શ્રદ્ધા છે, એટલે તેણે સામાયિકની સાધનામાં તેને સ્થાન આપેલું છે.
પ્રશ્ન-આસન અંગે શી પરિસ્થિતિ છે ?
ઉત્તર-સામાયિકની સાધના એક જ આસન પર બેસીને કરવાની હોય છે અને તેમાં સુખાસન, પદ્માસન, સ્વસ્તિકાસન વગેરેને આશ્રય લેવાય છે, એટલે તેમાં આસનને. સ્વીકાર થયેલો છે.
પરિસ્થિતિ છે.
કરવાની તક સામાયિકની
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સામાયિકને સાધનાકમ
પ્રશ્ન-પ્રાણાયામ બાબત શી હકીકત છે?
ઉત્તર-જૈન દષ્ટિએ પ્રાણાયામ એ હઠગને એક ભાગ છે, તેથી સામાયિકની સાધનામાં તેને સ્વીકાર કરવામાં આવ્યું નથી. સામાયિકની સાધના તે રાગની જ સાધના છે.
પ્રશ્ન-અન્ય રાજ્યોગવાળાઓએ પ્રાણાયામને ચિત્તશુદ્ધિમાં ઉપયોગી ગણું તેને સ્વીકાર કર્યો છે, તેનું કેમ ?
ઉત્તર–અન્ય રાજયોગવાળાઓએ પ્રાણાયામને ચિત્તશુદ્ધિ માટે ભલે ઉપયોગી માન્ય હોય, પણ તે ચિત્તશુદ્ધિનું સીધું કારણ નથી. વળી તેમાં એક પ્રકારના કલેશને અનુભવ થાય છે અને ક્રિયામાં છેડે ફેર પડે તે અનેક પ્રકારના રે ઉત્પન્ન થાય છે, એટલે જૈન મહર્ષિઓએ સામાયિકની સાધના માટે તેને ઉપયોગી માનેલો નથી. ચિત્તશુદ્ધિના બીજા ઉપાયે વિદ્યમાન છે અને તે એમાં બરાબર કામે લગાડવામાં આવ્યા છે.
પ્રશ્ન-સામાયિકની સાધનામાં પ્રત્યાહારને સ્વીકાર કરાયે છે ખરે?
ઉત્તર-હા. પ્રત્યાહાર એ વાસ્તવમાં મન વશ કરવાની કલા છે અને તેને સામાયિકની સાધનામાં બરાબર સ્વીકાર કરાવે છે. ખાસ કરીને મને ગુપ્તિ અને તેના પ્રકારે તેમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.
પ્રશ્ન–સામાયિકની સાધનામાં ધારણાને સ્થાન છે ખરું?
ઉત્તર-સામાયિકની સાધનામાં પ્રતિમાઓ ધારણ કરવાને વિષય આવે છે, તે ધારણ સિદ્ધ કરવા માટે જ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
સી
૧૮૨
સામાયિક-વિજ્ઞાન ગૃહસ્થ સાધકો પણ જડ કે ચેતન કે પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરીને ધારણાને અભ્યાસ કરી શકે છે. ' પ્રશ્ન-સામાયિકની સાધનામાં યાનને કેવું સ્થાન અપાયેલું છે?
ઉત્તર-ઘણું મહત્ત્વનું. સામાયિકમાં મુખ્યત્વે ધર્મ ધ્યાનને જ અભ્યાસ કરવાનું હોય છે. જ્યારે આ ધ્યાનને દઢ અભ્યાસ થાય, ત્યારે શુકલધ્યાનને અભ્યાસ કરવાનું હોય. છે. તેના બીજા પાયે ચાર ઘાતકર્મોનો ક્ષય થઈ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - પ્રશ્ન–અને સમાધિ અંગે શું સમજવાનું ?
ઉત્તર-મનમાં સમભાવ પરિણમે એટલે સમાધિને અનુભવ થાય છે. વાસ્તવમાં સમાધિ એ ધ્યાનની જ દીધું અવસ્થા છે.
પ્રશ્ન-સામાયિકની સાધનામાં યોગનાં આટલાં બધાં ત ગોઠવાયેલાં છે, તે તેને યોગસાધના કેમ કહેવામાં આવતી નથી ?
ઉત્તર-ગ શબ્દને પ્રચાર છેલ્લાં ત્રણ હજાર વર્ષોમાં થયે છે, જ્યારે સામાયિકની સાધના તો તેનાથી ઘણું પુરાણી છે, એટલે તે નામે જ ઓળખાતી રહી છે. પણ તેને ગસાધના માનીએ કે કહીએ તે એમાં કશું અનુચિત નથી.
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ ]
મન જીતવાની કલા
સામાયિકને અ જણાવ્યો, તેના મહિમા પર પ્રકાશ પાડયા અને સામાયિક એ સારભૂત સુ ંદર ક્રિયા છે, અનેરુ આધ્યાત્મિક અનુષ્ઠાન છે તથા સર્વશ્રેષ્ઠ રાજ્યાગ છે, એ વસ્તુ વ્યવસ્થિત રજૂઆત કરી ગયા. તે પરથી પાઠક મિત્રોને સામાયિકના સ્વરૂપને સ્પષ્ટ ખ્યાલ આવી ગયેા હશે.
སྐ་ ་
હવે રાજ્યેાગમાં તે મુખ્યત્વે મન સાથે કામ લેવાનું છે, એટલે પ્રથમ તે સંબધી કેટલીક વિચારણા કરીશુ અને તે પછી ક્રમે ક્રમે આગળ વધીશુ.
વિચારો, લાગણીઓ કે ભાવેાને અનુભવવાનું મુખ્ય સાધન મન છે. જો મન ન હેાય તે આપણે સારા કે ખેાટા વિચારો કરી શકીએ નહિ, શુભ કે અશુભ લાગણીઓનુ સંવેદન કરી શકીએ નહિ, તેમજ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ, કામ કે સામ્ય આદિ ભાવાના અનુભવ કરી શકીએ નહિ. વળી એ પણ હકીકત છે કે આપણે
એક
Page #293
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
નિત્ય-નિરંતર મન સાથે કામ પાડવુ પડે છે અને તેની સારી– ખોટી પ્રવૃત્તિ અનુસાર સારી-ખાટી હાલતમાં મૂકાવુ પડે છે, એટલે તેના સ્વરૂપ-સ્વભાવથી વાકેફ થવું જરૂરનુ છે.
૧૮૪
ચેાગીરાજ શ્રી આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મનના સ્વરૂપ-સ્વભાવનું જે ચિત્ર દોર્યું છે, તે જાણવાનુ અહીં રસપ્રદ ઈ પડશે. તેઓ એ સ્તવનમાં કહે છેઃ
ૐ થ્રુજિત ! મનડું કમ હિન બાજે, હા કૅથજિન! મનડુ· કિમ હિન બાજે; જિમ જિમ જતન કરીને રાખુ, તિમતિમ અલગુ* ભાજે-હા !'જિન ! ૧
‘ હું કુંથુનાથ ભગવાન ! આ મનને કોઈ રીતે વશ કરી શકાતું નથી. હું જેમ જેમ તેને સાચવીને રાખું છું, તેમ તેમ તે દૂર ભાગે છે. કહા, આ સંયોગામાં હું શું કરું ? ?
તાત્પ કે મારું મન ધ્યેય સિવાય અન્ય કોઈ જગાએ જાય નહિ, એવા પ્રયત્ન કરું છું, પણ એ તેા ધ્યેયને છેડી અન્યત્ર ભાગવા માંડે છે.
એક સ્થલે સ્થિર ન રહેતા જ્યાં ત્યાં ભટકયા કરવું તેને શાસ્ત્રકારોએ ‘વિક્ષેપ’ કે ‘ચ’ચલતા' નામના દોષ ગણ્યા છે. આ ચંચલતાદોષ મનમાં કેટલા મોટા પ્રમાણમાં વ્યાપેલા છે? તેનુ નિર્દેન ખીજી ગાથામાં કરાવે છે. રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય;
Page #294
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૮૫ “સાપ ખાય ને મુખ થયું,
એહ ઉખાણે ન્યાય-હો કુંથુજિન : ૨
તે ક્ષણમાં રાત્રિ તે ક્ષણમાં દિવસ, ક્ષણમાં વસતિ તે ક્ષણમાં ઉજડ અને ક્ષણમાં આકાશ તે ક્ષણમાં પાતાલ, એ રીતે ભ્રમણ કરતું રહે છે. “સાપ ખાય અને મુખડું શૈથું” એવું એક ઉખાણું છે. તે આ બાબતમાં બરાબર લાગુ પડે છે. સાપ પોતાના સ્વભાવ પ્રમાણે એક વસ્તુ મળી જાય છે, પણ તેના મુખને કંઈ સ્વાદ આવતો નથી. તેમ મન અહીં બેઠું ગમે તેવા વિચાર કરે છે, પણ તેથી મનને કંઈ લાભ થતું નથી.”
તાત્પર્ય કે મનની ચંચલતા અસાધારણ છે. કેટલાક તેને ધજાની પૂંછડી, કુંજરના કાન કે મદિરા પીધેલ મર્કટની ઉપમા આપે છે, પણ મનની ચંચલતા આગળ ધજાની પૂંછડી, કુંજરના કાન કે મદિરા પીધેલ મર્કટની ચપેલતા કઈ વિસાતમાં નથી. જ્યાં રાત્રિ અને કયાં દિવસ ! કયાં વસતિ અને ક્યાં ઉજડ! અને કયાં આકાશ અને કયાં પાતાલ! છતાં મન ક્ષણ માત્રમાં ત્યાં પહોંચી જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે ગમે તેટલા દૂર રહેલા વિષયેને મન પિતાના સ્થાને રહીને પકડી પાડે છે. તે માટે તેને ત્યાં જવું પડતું નથી. પાંચ ઈન્દ્રિયે અને છઠું મન જ્ઞાનપ્રાપ્તિનાં સાધને છે, તેમાં ચક્ષુરિન્દ્રિય અને મન સિવાયનાં અન્ય સાધનને વિષયને સંપર્ક થવાની
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૪૬
| સામાયિક-વિજ્ઞાન જરૂર રહે છે. જેમ કે--કઈ વસ્તુને સ્પર્શ થાય ત્યારે જ સ્પર્શનેન્દ્રિય તેને સુંવાળે–ખરબચડે આદિ સ્પર્શ જાણી શકે છે. “અત્યારે ઠંડા પવન વાય છે કે ગરમ લૂ ઝરે છે.” એવે અનુભવ થવામાં શીત કે ઉષ્ણ પરમાણુઓને સંપર્ક કારણભૂત હોય છે. તે જ રીતે કઈ વસ્તુને જીભને સ્પર્શ થાય, ત્યારે જ તે તેને સ્વાદ જાણી શકે છે. નાકને પણ સુવાસિત કે દુર્ગધવાળા પરમાણુઓને સંપર્ક થાય ત્યારે જ તે વાસ પારખી શકે છે અને કાનને પણ શબ્દનાં મિજા અથડાય ત્યારે જ તે શબ્દના પ્રકારને જાણી શકે છે. આ કારણે આ ચાર ઈન્દ્રિયેને “પ્રાકારી માનવામાં આવી છે પરંતુ ચક્ષુરિન્દ્રિયને પિતાને વિષય પકડવા માટે વસ્તુને સંપર્ક કરવાની જરૂર પડતી નથી. તે અહીં બેઠાં જ લાખોક્રોડ માઈલ દૂર રહેલા ચંદ્ર, સુર્ય, તારા વગેરેનું દર્શન કરી શકે છે. મનનું પણ એવું જ છે. તે અહીં બેઠું જગતની કઈ પણ વસ્તુ સંબંધી વિચાર કરી શકે છે. આ કારણે ચક્ષુરિન્દ્રિય તથા મનને “અપ્રાકારી માનવામાં આવ્યાં છે. તેથી મન ભાગે છે, દોડે છે, બ્રમણ કરે છે. પરિભ્રમણ કરે છે, જાય છે, વગેરે શબ્દપ્રયોગોને પચારિક સમજવાના છે. તે એક વિષયને છેડી તરત બીજાને પકડે છે અને બીજો વિષય છેડી તરત ત્રીજાને પકડે છે, એ જ એની ચંચલતા છે. - મને અહીં બેડું બેડું ઢંગધડા વિનાના ગમે તે વિચાર કર્યા કરે, તેથી આપણને કંઈ લાભ થતું નથી. તે અંગે સંત કબીરે કહ્યું છે કે
Page #296
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૮૭_मना मनोरथ छांडिये, तेरा किया न होय; .. पानीसे घीव निकले, रूखा खाय न कोय.
- “હે મન! તું મિથ્યા મનોરથે છેડી દે, કારણ કે તારું ચિંતવેલું કંઈ થતું નથી. જે પાણીમાંથી ઘી નીકળતું હોત તો આ દુનિયામાં કેઈ લૂખું ખાત નહિ.” તાત્પર્ય કે પૌગલિક પદાર્થોના મને વડે સાચું સુખ મેળવવાને પ્રયત્ન કરે, એ પાણી લેવીને ઘી કાઢવા જે નિરર્થક છે.”
આગળ કહે છેઃ મુગતિ તણું અભિલાષી તપિયા, જ્ઞાન ને દયાન અભ્યાસે; વયરી કાંઈ એહવું ચિંતવે, નાંખે અવળે પાસે- કુંથુજિન ૩
આ જગતમાં મુક્તિ, મોક્ષ કે નિર્વાણ પ્રાપ્તિના હેતુથી કેટલાક મનુષ્ય વિવિધ પ્રકારનાં તપ કરે છે, કેટલાક મનુષ્ય જ્ઞાનમાં મસ્ત બને છે, તો કેટલાક મનુષ્ય ધ્યાનને અભ્યાસ કરે છે, પરંતુ એ બધાને મનની નડતર બહુ મોટી છે, કારણ કે તે ગમે ત્યારે ગમે તેવું ચિંતન કરવા લાગી જાય છે અને એ રીતે તપસ્વીના તપને, જ્ઞાનીને જ્ઞાનનો અને સ્થાનીના સ્થાનનો ભંગ કરે છે. તાત્પર્ય કે તેમણે જે પરિણામ લાવવા ધાર્યું હોય, તેથી ઊલટું જ પરિણામ લાવી દે છે. - , અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે આપણું મન
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સામાયિક-વિજ્ઞાન જ્યારે અશુભ-અપવિત્ર વિચાર કરે છે, ત્યારે તે આપણા વૈરીનું કામ કરે છે, પણ તે જ મન વડે જે આપણે શુભ કે પવિત્ર વિચાર કરીએ તો તે આપણા મિત્રનું કામ પણ કરે છે. તાત્પર્ય કે મન એ સ્વભાવે વૈરી કે મિત્ર નથી, આપણે તેને જેવું બનાવીએ તેવું તે થાય છે. આ ભાવ નીચેના પ્રાચીન સુભાષિતમાં બરાબર વ્યક્ત થયેલ છેઃ
मन एव मनुष्याणां, कारण बन्धमोक्षयोः । बन्धाय विषयासक्तं, मुक्त्यै निर्विषय स्मृतम् ॥
મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ મન છે. જે મન વિષયાસક્ત હોય તે તે બંધનું કારણ બને છે અને નિર્વિષય હોય તે મોક્ષનું કારણ બને છે.”
તાત્પર્ય કે મનને માત્ર વૈરી માનીને તેને તિરસ્કાર કરવાથી આપણું કઈ કાર્ય સિદ્ધ થાય એમ નથી. જે આપણે તેને મિત્ર બનાવીએ અને તેની પાસેથી સમજપૂર્વક કામ કરી લઈએ તે તે આપણાં અનેક કાર્યો સિદ્ધ કરવામાં સહાયક થાય છે અને છેવટે મુક્તિ મેળવવામાં પણ મદદગાર નીવડે છે.
આગમ આગમધરને હાથે, નવે કિવિધ આંકું કિંહા કણે જે હઠ કરી હટકું, તે વ્યાલત પરે વાંકું–હે કુંથુંજિન! ૪ બીજાની વાત તે દૂર રહો, પણ આગમને જાણનારા
Page #298
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૮૯
એવા આગમધરના હાથે પણ તે કઈ રીતે અંકુશમાં આવતું નથી. વળી જો બળજબરી કરીએ તા તે સીધું ચાલવાને બદલે સાપની પેઠે વાંકુ ચાલવા લાગે છે. ’
તાત્પર્ય કે એક મનુષ્ય ઘણો વિદ્વાન હેાય, જ્ઞાની હાય તેથી તે મનને જીતી શકે એવું નથી. જ્ઞાન સાથે ક્રિયા પણ જોઇએ, અભ્યાસ પણ જોઈ એ. જો તે મનને જીતવાને પદ્ધતિસર અભ્યાસ કરે તે! જ મનને જીતવામાં સફળ થાય છે. જો પદ્ધતિને ાડીને તેની પાસેથી ગમે તેમ કામ લેવા માંડે તે! તે જરૂર સામું થાય છે અને સીધી ગતિ ોડી વજ્રગતિને ધારણ કરે છે. તાત્પર્યં કે તેને બળજબરીથી વશ કરી શકાતું નથી.
'
એક વિદ્યાથીને ક્રિકેટ મેચ જેવાનું ઘણું મન હતું. તેણે મેચની ટિકિટ ખરીદવા પિતા પાસે પૈસા માગ્યા. પિતાએ કહ્યું: · હાલ મારી પાસે પૈસા નથી. તું ક્રિકેટ નહિ જુએ તેા શું બગડી જવાનું છે ?” પરંતુ વિદ્યાર્થીને તે કોઈ પણ રીતે ક્રિકેટ મેચ જોવી જ હતી, એટલે તેણે રાત્રે પાતાના ઘરમાં ચારી કરી અને ટિકીટ જેટલા પૈસા મેળવી બીજા દિવસે મેચ જોઈ, તાત્પર્ય કે મનને સમજાવીને કામ લઇ
શકાય છે, પણ બળાત્કારથી કામ લઇ
શકાતુ નથી.
6
તે ઠગ કહું તેા ઠગ તા ન દેખું, શાહુકાર પણ નાહી; સ માંડે ને સહુથી અલગુ, એ અચરજ મન માંહી-હાકુંથુજિન ! ૫
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સામાયિક-વિજ્ઞાન આ મન મને અનેક વાર ઠગે છે, તેથી તેને ઠગ કહેવાનું મન થાય છે, પણ ઘણી વાર તે નિખાલસપણે જેવું હોય તેવું કહી પણ દે છે, તે તેને ઠગ કેમ કહી શકું! જે તે ઠગ ન હોય તે શાહુકાર હોવું જોઈએ, પણ તેનામાં શાહુકારનાં બધાં લક્ષણે જણાતાં નથી, કારણ કે તે ઘણી વાર ફૂડ-કપટ પણ કરે છે અને અપ્રમાણિકતાને આશ્રય લેવા પણ લલચાય છે. મને આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે તે સર્વ બાબતમાં માથું મારે છે અને છતાં સહુથી અલગું–જાદુ શી રીતે રહે છે !'
તાત્પર્ય કે મન વડે સારા અને બેટા એમ બંને પ્રકારના વિચારો થયા કરે છે. વળી કેઈ નવી વાત આવી કે તે તરત તેને વિચાર કરવા લાગી જાય છે અને તેમાં આપણે શું ?” એમ માની તેનાથી તરત છૂટું પણ થઈ જાય છે. | વિવિધ લાગણીઓથી રંગાવું એ મનને “મલ” નામને દોષ ગણાય છે.
જે જે કર્યું તે કાન ન ધારે, આપમતે રહે કાલું;
સુરનર પંડિતજન સમજાવે, "સમજે ન માહરે સાલું–હે કુંથુજિન! ૬
મનને સમજાવવા માટે હું કેટલીક શિખામણ આપે છું, પણ તે મારી બધી વાત કાને ધરતું નથી. તેને જે
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૯૬
મન જીતવાની કલા ફીક લાગે તેને તે ગ્રહણ કરે છે અને જે ઠીક ન લાગે તેને છોડી દે છે. આ રીતે તે આપમતિયું બનીને બાલીશ વર્તન કરે છે. હું તો ઠીક, પણ દેવતાઓ કે મેટા પંડિત તેને સમજાવે તો ય મારું સાલું સમજતું નથી.”
તાત્પર્ય કે મનને સમજાવવાનું કામ ઘણું કઠિન છે. તેને ઘણું ઘણી રીતે સમજાવીએ તે પણ તે સમજતું નથી. કેટલીક વાર એમ લાગે છે કે મને હવે સમજી ગયું છે, પણ તે કયારે પિતાની પુરાણું આદત પર આવી જશે, તે કહેવાતું નથી. ખરી વાત તે એ છે કે જ્યાં સુધી વાસનાઓનું બલ ઘટતું નથી, ત્યાં સુધી મનની સ્થિતિ ડામાડોળ રહે છે. હવે વાસનાનું બેલ ત્યારે જ ઘટે છે કે જ્યારે તપ, જપ જ્ઞાન, અને ધ્યાનનો આશ્રય લેવામાં આવે છે, એટલે મનને ઠેકાણે લાવવા માટે હિતશિક્ષા ઉપરાંત તપ, જપ, જ્ઞાન અને ધ્યાનને આશ્રય લે જરૂરી છે.
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર,
એહને કેઈન લે હે કુંથુજિન ! ૭
મેં તે એમ જાણ્યું હતું કે મને એ નપુંસકલિંગી શબ્દ છે, એટલે તે પોતે પણ નપુંસક જ હશે. ચરંતુ એ તે એવું જબરું છે કે ભલભલા ભડવીરેને તથા નરબંકાઓને પણ હરાવી દે છે. મનુષ્ય બધી વાતે સમર્થ છે, પણ કેએને સામને કરવાને સમર્થ નથી.”
કે ભલભલા નાજુક
પણ હરાજી
Page #301
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
મનની દુજે યતાને અનુલક્ષીને આ શબ્દો કહેવામાં આવ્યા છે, પણ આજ સુધીમાં અસંખ્ય આત્માઓએ મનની સાથે માથ ભીડી છે, મનને હરાવ્યું છે અને આત્માને પૂર્ણ વિકાસ કરી સિદ્ધિ સ'પાદન કરી છે. જો મનુષ્યમાં મનના સામના કરવાની તાકાત જ ન હાત તે! આજે સિદ્ધિસ્થાન ખાલી પડયું હોત, અર્થાત્ ત્યાં એક પણ સિદ્ધાત્માની ઉપસ્થિતિ જ ન હેાત; પણ આજે સિદ્ધિસ્થાનમાં અનંત સિદ્ધ ભગવ'તા વિરાજી રહ્યા છે, એટલે એ વાત નિશ્ચિત છે કે દૃઢ સંકલ્પથી મનને જીતી શકાય છે, તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય છે અને એ રીતે અભીષ્ટની સિદ્ધિ કરી શકાય છે.
૧૯૨
મન સાધ્યુ. તેણે સઘલુ' સાધ્યું, એહ વાત નહી. ખોટી; એમ કહે સાધ્યું તે નહિ માનું, એક હિ વાત છે મેટી-હા કૅથજિન ! ૮
* મન સાધ્યું, તેણે સઘળુ' સાધ્યું ’ એમ જે કહેવાય છે, તે વાત ખોટી નથી. પરતુ કોઈ એમ કહે ‘ મે' મારું મન સાધી લીધું છે.’ તેા એ વાત એકદમ માનવા જેવી નથી, કારણ કે આ વસ્તુ ઘણી મોટી છે.’
જો મનને સાધવામાં આવે–જીતવામાં આવે, તે પૂજાપાઠ, વ્રત, નિયમ, તપ, જપ, જ્ઞાન, ધ્યાન, આદિ બધાં સાધના સલ થાય છે અને મનને સાધવામાં ન આવે– જીતવામાં ન આવે તે પૂજા-પાઠાદિ સર્વ સાધના નિષ્ફલ
Page #302
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૯૩ જાય છે, તેથી મન સાધ્યું, તેણે સઘળું સાયું” એ ઉક્તિ પ્રચલિત થયેલી છે. મહાપુરુષોએ તેને સંમતિની મહોર મારી છે, પરંતુ આજકાલ સૂંઠના ગાંગડે ગાંધી થનારની ખોટ નથી, એટલે કે મનને જીતવામાં થોડી પ્રગતિ થઈ કે તેઓ મનને પૂરું જીત્યાને દાવો કરે છે, પરંતુ સુજ્ઞજનેએ એવા દાવાને તરત સ્વીકાર કરવો ન જોઈએ.
જેમ તેલ જેવાય છે અને તેલની ધાર પણ જોવાય છે, તેમ મન જીતવાને દા કરનારના વિચાર, વાણી અને વર્તન જેવાં જોઈએ–તપાસવાં જોઈએ અને તેમાં તથ્ય લાગે તે જ તેને સ્વીકાર કરે જોઈએ. મનને જીતવાની વાત મામુલી નથી કે રસ્તે ચાલતી ગમે તે વ્યક્તિ તેમાં સફલતા મેળવી શકે. એ વાત ઘણી મોટી છે, તેથી ધીર, વીર, અને ગંભીર વ્યક્તિઓ જ તેમાં સફલ થઈ શકે છે.
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહ આણે, તે સાચું કરી જાણું–હા કુંથુજિન ! ૯
આગમનું અધ્યયન કરતાં એટલી વાત હું સમજી શક્યો છું કે જેઓ જિન બને છે, તેમણે અતિ પ્રયત્ન જીતી શકાય એવા મનને પૂરેપૂરું જીતી લીધું હોય છે, એટલે હે કુંથુનાથ ભગવાન ! તમે તમારા મનને પૂરેપૂરું જીતી લીધું હશે એ મને વિશ્વાસ છે, પરંતુ આનંદના અક્ષયધામ સમા હે પ્રભુ ! મને આ વાતની પૂરી પ્રતીતિ તે ત્યારે
સા. ૧૩
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સામાયિક–વિજ્ઞાન
જ થાય કે જ્યારે તમે મારું મન આ રીતે પૂરેપૂરું વશમાં
"
લાવી દો.
સંગ્રામમાં એક લાખ સુભટને જીતવા કરતાં એક મનને જીતવાનું કામ વધારે અઘરૂ છે. તે ઘણા પ્રયત્ને ઘણા અભ્યાસે જીતી શકાય છે, તેથી તેને દુરારાધ્ય કહેવામાં આવ્યું છે. સામાયિકની સાધનાને સ્વીકાર કર્યા પછી દરેક તીર્થંકર આ દુરારાધ્ય મનને પૂરેપૂરું જીતી લે છે, તેથી તેઓ સમભાવની સિદ્ધિ કરીને સજ્ઞ અને સદશી ખની શકે છે તથા ધ રૂપી તીની સ્થાપના વડે તીથંકરપદ સાક કરી શકે છે. જો આપણે પણ સામાયિકની–સમભાવની સિદ્ધિ કરવી હાય તે! આ દુરારાધ્ય મનને પૂરેપૂરું છતી લેવાને દૃઢ સંકલ્પ કરવા જોઇએ અને તે માટે પદ્ધતિસરનો પૂરા પ્રયત્ન કરવાની તૈયારી રાખવી જોઇએ.
આ સંબંધમાં શાસ્ત્રકારોના ઘેાડા શબ્દો સાંભળી લો : दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथप्रदर्शिनी । एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिभिः ॥
6
વિદ્વાન પુરુષોએ એક મનઃશુદ્ધિને જ મેાક્ષમા દેખાડનારી અને ન બુઝાય તેવી દીપિકા કહેલી છે.’ सत्यां हि मनसः शुद्ध, सन्त्यसन्तोऽपि सद्गुणाः । सन्तोऽप्यसत्यतां नो सन्ति सैव कार्या बुधैस्ततः ॥
જો મન:શુદ્ધિ થયેલી હાય તેા અવિદ્યમાન ગુણા આવી મળે છે અને ગુણ્ણા વિદ્યમાન હોય છતાં મનઃશુદ્ધિ
Page #304
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા ન હોય તે તે ગુણ છે જ નહિ; અર્થાત્ તે ગુણે ચાલ્યા જવાના કે નકામા છે.”
तदवश्य मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તપશ્રત માથે, નિઃ જાનૈ |
માટે મોક્ષની ઈચ્છા રાખનારાઓએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય તપ કરવાથી, શાસ્ત્રનું અધ્યયન કરવાથી, વ્રત ધારણ કરવાથી કે બીજા કાયને દંડનારા ઉપાયે અજમાવવાથી શું ?”
કબીર સાહેબ કહે છે : मन ही को परबोधिये, मन ही को उपदेश । जो यह मन बस आवइ, शिष्य होय सब देश ॥
બીજાને જાગૃત કરવા કરતાં તમારા મનને જ જાગૃત કરે અને બીજાને ઉપદેશ દેવા કરતાં તમારા મનને જ ઉપદેશ આપે. જે આ મન વશમાં–કાબૂમાં આવશે તે આખો દેશ તમારે શિષ્ય થઈ જશે. અર્થાત્ તમે સહુના સ્વામી બનશે. પછી તમારે કઈ પણ જાતની પરાધીનતા રહેશે નહિ.
भूप दुःखी अवधूत दुःखी, दुःखी रंक विपरीत । कहै कबीर ये सब दुःखी, सुखी संत मनजीत ॥
કબીર પિતાના અનુભવથી કહે છે કે રાજાએ દુઃખી છે, અવધૂત-બાવા–સંન્યાસી–સાધુઓ પણ દુઃખી છે, રંકે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સામાયિક-વિજ્ઞાન
પણ દુ:ખી છે અને શ્રીમંતા પણ દુ:ખી છે. માત્ર મનને પૂરેપૂરું વશ કરનાર સંત પુરુષો જ સુખી છે. તાત્પર્યં કે મનુષ્ય નાના-મોટા ગમે તે સ્થિતિમાં હોય, પણ પાતાના મનને પૂરું જીત્યા વિના તે સુખી થઈ શકતા નથી,’
ચંચલતા દૂ
મનને જીતવા માટે તેના મલદોષ એટલે કે તેની મલિનતા અને વિક્ષેપોષ એટલે કે તેની કરવી પડે છે. જો મિલનતા દૂર ન થાય તેા તે શુદ્ધ અની શકે નહિ અને ચંચલતા દૂર ન થાય તા તે સ્થિર બની. શકે નહિ. યાગની તમામ પ્રણાલિકાએ મનને જીતવા માટે જ નિર્માણ થયેલી છે.
રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને કામ એ બધા એક પ્રકારના માનસિક ભાવા જ છે, એટલે મનને જીતવાથી એ બધા ભાવને જીતી શકાય છે. મનને જીત્યા વિના સર્વજીત થઈ શકાતું નથી. તે સંબંધમાં એક કથા સાંભળે.
સ જીત
કરસિંહ નામના એક રાજા હતા. તેણે પોતાના પ્રચંડ સૈન્ય વડે છ ખંડ ધરતી જીતી લીધી હતી, તેથી સહુ તેને સજીત કહેતા હતા. રાજાને આ સાંભળી પ્રસન્નતા થતી, પરંતુ તેની માતા તેને એ નામથી ખેલાવતી ન હતી. એ તે તેના મૂલ નામથી જ ખેલાવતી હતી.
6
એક દિવસ રાજાએ માતાને કહ્યું : - માતા ! બધા મને સર્વે જીત કહીને ખેલાવે છે અને તું મને સર્વાંજીત
Page #306
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૯૭
કહીને કેમ ખેલાવતી નથી ? હવેથી તું પણ મને સ`જીત કહીને ઓલાવજે.’ પરંતુ માતાએ કઈ જવાબ આપ્યા નહિ, એટલે રાજાએ પૂછ્યું : ‘તું કેમ કંઈ જવાખ આપતી નથી ?' ત્યારે માતાએ કહ્યું : જો તારે એનું કારણ જાણવુ હેય તે! અહીંથી પચાશ ગાઉ દૂર, નદીના કિનારે, એક વડના વૃક્ષ નીચે, એક મહાત્મા બેસે છે. તેની પાસે જા. તે એનુ કારણ જણાવશે.’
6
માતાના આ ઉત્તરથી રાજાને આશ્ચય તે થયું, પણ માતાની સૂચનાને માન આપી તે પાતાના ઘેાડા વિશ્વાસુ માણસા સાથે પેલા મહાત્મા પાસે ગયા અને તેમને વંદન કરીને સામે બેઠો. મહાત્માએ તેને કુશલ-સમાચાર પૂછ્યા અને આગમનનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું : · ગુરુદેવ ! મેં છ ખંડ ધરતી જીતી લીધી છે અને સહુ મને સ જીત કહે છે, પણ મારી માતા મને સજીત કહેતી નથી, તેનુ કારણ શું? તેના કહેવાથી એ કારણ જાણવા હું આપની પાસે આવ્યો છું.’
ૐ
મહાત્મા બધી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે કહ્યુ : રાજન્ ! તેં છ ખડ ધરતી જીતી લીધી છે, પણ હજી એક વસ્તુ જીતી નથી, એટલે તને સજીત શી રીતે કહેવાય ?’ રાજાએ કહ્યું : ‘એવું કોણ છે કે જેને મેં જીત્યું ન હેાય ? મેં છ ખંડ ધરતીના નાના—મોટા બધા જ રાજાઆને જીત્યા છે.' મહાત્માએ કહ્યું : ‘એ વાત સાચી, પણ તેં હજી તારા મનને જીત્યું નથી. સર્વાંમાં તે મન પણ
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સામાયિક-વિજ્ઞાન
આવી ગયું ને ! વળી મોટા મોટા રાજ કરતાં પણ મનને જીતવું મુશ્કેલ છે.’
તે જ વખતે રાજાએ પાતાના મનને પૂરેપૂરું થતી લેવાના નિય કર્યાં. મહાપુરુષે તેને ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે ' જે મનને જીતે છે, તે સ જીત છે. મનને જીત્યા પછી કઈ જીતવાનું બાકી રહેતુ નથી.’
હવે મનને જીતવા માટેના કેટલાક અભ્યાસ અહી રજૂ કરીશુ.
પ્રથમ અભ્યાસ-વિચારદશન
એક સ્વચ્છ-સુઘડ એરડામાં ઊનનુ આસન બિછાવીને તેના પર સિદ્ધાસન કે પદ્માસનમાં બેસી જાએ. હાથને ધ્યાન માટે નિશ્ચિત મુદ્રામાં રાખા. આંખ બંધ કરી લેા. મેસ્ટડને સીધા રાખો. હવે મનમાં આવનારા વિચારો પર ધ્યાન આપે. જે વિચાર મનમાં આવે તેને આવવા દે. આવતા વિચારાને રોકવા, હઠાવવા કે દબાવવાના જરાપણ પ્રયત્ન ન કરો. જે વિચારો આવે તેને આવવા દે અને તમે એ વિચારીને ચૂપચાપ દેખતા રહે. તમારું સમગ્ર ધ્યાન એ વિચારો પર કેન્દ્રિત કરો. તમે એવી કલ્પના કરે કે તમે એક દક બનીને એ વિચારોને જોઈ રહ્યા છે. દૃષ્ટા બનીને એ વિચારાનુ આવવું–જવું દેખતા જાઓ અને તેનું અધ્યયન કરતા જાએ. મન કેવી રીતે એક વિચારથી બીજા વિચાર પર, એક ઘટનાથી બીજી ઘટના પર વિચરણ કરે છે, વ્યતીત થયેલી ઘટનાઓનુ કેવી રીતે પુનરાવત ન કરે
Page #308
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૧૯૯ છે અને ભવિષ્યની કલ્પનાઓ કેવી રીતે નિર્માણ કરે છે, તે એક દષ્ટ તરીકે બરાબર જુઓ. વિચારેને રેકવાન અથવા હઠાવવા પ્રયત્ન ન કરે. ડી વાર માટે તમે પિતાને એનાથી અલગ સમજે. કલ્પના કરો કે તમે એક અલગ વ્યક્તિ છે અને મન એક અલગ વસ્તુ છે. તમે એને એ રીતે જોઈ રહ્યા છે.
આવી રીતે કેટલીક વાર અને કેટલાક દિવસના અભ્યાસથી તમે અનુભવ કરશે કે જેમ તમે વિચારેના પ્રવાહ તથા મનની ગતિને જોવા માંડે છે કે તે ગતિ શેકાવા લાગે છે, મન સ્થિર થવા લાગે છે, વિચારે પિતાની મેળે જ અટકવા લાગે છે, વિચારોનું આગમન પિતાની મેળે જ બંધ થઈ જાય છે અને મન નિશ્ચલ થવા લાગે છે.
આ અભ્યાસમાં વિચારના આગમનને રોકવું પડતું નથી. મનને વશમાં લાવવાનો પ્રયત્ન કરે પડતું નથી. વિચાર-દર્શનના અભ્યાસથી એ કાર્ય સ્વયં સિદ્ધ થવા લાગે છે.
બીજો અભ્યાસ-વિચારસર્જન પહેલાની જેમ આસન લગાવી બેસી જાઓ. હાથને મુદ્રામાં રાખી આંખ બંધ કરે. મેરુદંડ સીધે રાખે. તમારા મનમાં કઈ એક વિષયને વિચાર લાવે. ઘર, પેઢી, ઓફિસ, પ્રવાસ આદિ કોઈ પણ એકને વિચાર લાવે. પાંચથી સાત સેકન્ડ એના પર વિચાર કરે અથવા એના સંબંધી આવનાર વિચારને જુઓ.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સામાયિક-વિજ્ઞાન ત્યાર પછી એ વિચારને હટાવી દે અને બીજો વિચાર મનમાં લાવે. થોડી સેકન્ડ એ વિચારને જુએ. પછી એને પણ હઠાવી દે. પછી ત્રીજે વિચાર, એથે વિચાર, પાંચમે વિચાર પણ એ રીતે મનમાં લાવી તેના પર ડી સેકન્ડ ધ્યાન આપો અને પછી તેને હટાવી દે. આ રીતે એક પછી એક વિચાર પેદા કરતા જાઓ અને થોડી સેકન્ડ પછી તેને હઠાવતા જાઓ.
પંદર-વીસ મિનિટ આ ક્રિયાને અભ્યાસ કરવાથી વિચારને નિયંત્રિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. સ્વેચ્છાથી વિચારેને કઈ પણ કાર્યમાં જોડી શકાય છે. જેને ચિંતા કરવાની ટેવ છે, તેમને આ અભ્યાસથી લાભ થશે. તમે સ્વયં વિચારના સ્રષ્ટા અને દષ્ટ બની જશે. કેટલાક દિવસ પછી ઈચ્છાની વિરુદ્ધ વિચાર આવવાનું છૂટી જશે. મનના ઈશારે તમે નહિ નાચે, પણ મને તમારા ઈશારે નાચવા લાગશે. તમે મનના સ્વામી થઈ તમારી મને શક્તિને ઈષ્ટ દિશા અને કાર્યમાં પ્રયોગ કરી શકશે.
ત્રીજે અભ્યાસ-વિચારવિસર્જન
પદ્માસને અથવા સિદ્ધાસને બેસો. ભૂમિસ્પર્શ, ચિન્મય અથવા કઈ પણ મુદ્રામાં હાથ રાખે. આ બંધ કરે અને મેરુદંડ સીધે રાખે.
પ્રથમ તમારું ધ્યાન મન તરફ લઈ જાઓ. મનમાં વિચાર આવી રહ્યો છે, તે જુઓ. જે જે વિચાર મનમાં આવતે જાય તેને હઠાવતા જાઓ. કેઈ વિચારને ટકવાની
Page #310
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૨૦૧
તક આપશે નહિ. તમારું કામ કેવલ વિચારાને હઠાવવાનુ છે. વિચાર પેાતાની મેળે આવે છે, તેને આવવા દો. પણ તરત તેને હઠાવી દો. વિચારોને આવતા રોકવાના નથી કે તેને લાવવાના નથી. માત્ર તેમને હઠાવવાનું કામ જ કરવાનું છે.
ઘેાડા દિવસ આ અભ્યાસ કરો. તેનાથી વિચારો અટકે છે અને મન શાંત થતુ જાય છે. વિચારોનું આગમન થડા વખત પછી બંધ થઈ જાય છે. વિચારો થંભી જતાં મન સ્થિર અને એકાગ્ર થવા લાગે છે. સાધુએ તથા સંસારીએ અને માટે આ ક્રિયા ઉપયાગી છે.
ચેાથે। અભ્યાસ-નિવિચાર અવસ્થા
આસન તથા મુદ્રા પૂર્વવત્ રાખો. આંખા બંધ કરી લા. મેરુજ્જુ ડ ટટાર રાખો. ધ્યાન મનની તરફ લઈ જા અને તેને એક જ અટકે વિચારશૂન્ય બનાવી દે. આ ઝટકો શારીરિક નહિ, માનસિક સમજવાના છે, માનસિક ઝટકાની સાથે ક્ષણભર માટે મનને નિશ્ચલ બનાવી દો. એકાએક માનસિક ઝટકાથી મનને થોડી ક્ષણા જ્ઞાનશૂન્ય બનાવો. આ અવસ્થામાં કોઈ વિચાર રહેશે નહિ. આવી રીતે વારવાર મનને શૂન્યાવસ્થામાં લાવવાની ચેષ્ટા કરો.
પ્રારભમાં આ ક્રિયા કૈક અટપટી અને કઠિન લાગશે, પરંતુ પ્રથમ ત્રણ અભ્યાસ કરવાથી આ ક્રિયા કરી શકશે. આ ક્રિયાના અભ્યાસ સાધના દરમિયાન અથવા દૈનિક કાર્યાની વચ્ચે પણ કરતા રહેા. આ ક્રિયા સિદ્ધ થતાં તમારા મન પર પૂરો કાબૂ આવી જશે.
Page #311
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
આ ચાર અભ્યાસને આપણે ‘ મન જીતવાની કલા' કહી શકીએ. પ્રત્યેક પાક આની અજમાયશ કરે, એવી અમારી અભ્યર્થના છે.
૨૦૨
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-મનનું કાર્ય શું?
ઉત્તર-મનન-વ્યાપાર. સ્મરણ, ચિંતન આદિ મનનવ્યાપાર છે. લાગણી કે ભાવાને પણ તેમાં જ સમાવેશ સમજવે. પ્રશ્ન-મનન-વ્યાપાર કોણ કરે છે ?
ઉત્તર-મનન-વ્યાપાર આત્મા કરે છે. જો આત્મા ન હાય તા મનન-વ્યાપાર થઈ શકે નહિ, મડદું મનન-વ્યાપાર કરી શકતું નથી, કારણ કે તેનામાં આત્મા નથી. તે જ રીતે તમામ જડ પદાથૅ આત્મારહિત હાવાથી કોઈ પણ પ્રકારના મનન-વ્યાપાર કરી શકતા નથી.
પ્રશ્ન-મનન-વ્યાપાર આત્મા કરે છે કે મન કરે છે? ઉત્તર-મનન-વ્યાપાર આત્મા કરે છે, પણ તે મન વડે કરે છે, એટલે ઘણી વખત એવા ખ્યાલ આવે છે કે મન વિચાર કરી રહ્યું છે; પરંતુ મન એ કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી કે તે પેાતાની મેળે વિચારો કરી શકે. આત્માને જ્યારે વિચારો કરવા હાય, ત્યારે તે મન વડે કરે છે; તેથી તા. આત્માને રાજા અને મનને દિવાનની ઉપમા અપાય છે.
પ્રશ્ન-આત્મા કેવી રીતે મનન-વ્યાપાર કરે છે? ઉત્તર-આત્મા મન:પર્યાસિકના ઉદયથી મનાવ –
Page #312
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૨૦૩ ણાના પુદ્ગલે ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણાવે છે કે જેને દ્રવ્યમન (Physical Mind) કહેવામાં આવે છે. - આ દ્રવ્યમનનું આલંબન લઈને તે મનન-વ્યાપાર કરે છે. મનન કરી રહેલા આત્માને ભાવમન (Conscious Mind) કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે “વી પુન મળાિમરિયાતો માંવમળો-જે જીવ મનના પરિણામ અને કિયાવાળો હોય, તેને ભાવમન સમજવાનું છે. તાત્પર્ય કે પ્રથમ આત્મા તથા પ્રકારના પુદ્ગલ-પરમાણુઓ વડે મનની રચના કરે છે અને પછી તેમાં ચૈતન્યને સંસ્કાર મૂકતાં વિચારની પ્રક્રિયા શરૂ થાય છે.
પ્રશ્ન-મનને જડ સમજવું કે ચૈતન્ય સમજવું ?
ઉત્તર-મન જડ છે, પણ ચૈતન્યના સતત સંગને લીધે ચૈતન્ય જેવું જણાય છે.
પ્રશ્ન-શું બધા આત્માઓને દ્રવ્યમન તથા ભાવમન . હોય છે?
ઉત્તર-ના. સિદ્ધ ભગવંતે એટલે મુક્તિના જીવે સકલ કર્મથી રહિત હેઈને ત્યાં મનને સંભવ જ નથી. સંસારી જેમાં કેટલાકને માત્ર દ્રવ્યમન હેય છે, પણ ભાવમન હેતું નથી, કેટલાકને માત્ર ભાવમન હોય છે, પણ દ્રવ્યમન હોતું નથી, અને કેટલાકને દ્રવ્યમન અને ભાવમન બંને હોય છે.
પ્રશ્ન-આ તે બહુ ઊંડી વાત નીકળી! જૈન ધર્મ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સામાયિક-વિજ્ઞાન મન સંબંધી આટલે ઊંડે ગયે હશે, તેની તે ક૯૫ના જ ન હતી ! વારુ, આ ત્રણે ય પ્રકાર વિષે થોડી સમજ આપશે ?
ઉત્તર–જરૂર. જે આત્માઓએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, તેમને કેવલી ભગવંતે કહેવામાં આવે છે. તેમને દ્રવ્યમન હોય છે, પણ મરણ-ચિંતનરૂપ મનન-વ્યાપાર હેતે નથી, એટલે કે ભાવમન હેતું નથી. તેમને બધું જ્ઞાન પ્રત્યક્ષ સીધું જ થાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, - ચઉરિનિય, સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યને
ભાવમન હોય છે, પણ દ્રવ્યમન હેતું નથી. અર્થાત્ આ - આત્માઓ વિચાર કરી શકવાની શક્તિવાળા હોય છે, પણ દ્રવ્યમનના અભાવે પિતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી. દેવ, નારક, ગર્ભજ, તિર્યંચ અને ગર્ભજ મનુષ્યને દ્રવ્યમાન અને ભાવમન બંને હોય છે, એટલે તેઓ પોતાના વિચારે વ્યક્ત કરી શકે છે. જેના વર્ગીકરણ અંગે વિશેષ જાણવા ઈચ્છનારે અમારે રચેલે “જીવવિચાર–પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન” નામને સચિત્ર ગ્રંથ છે.
પ્રશ્ન- મનન-વ્યાપાર આત્મા કરે છે, તે સારાબેટા વિચારેની જવાબદારી કેની?
ઉત્તર-આત્માની.
પ્રશ્ન-તે પછી અમુક ઓટો કે ખરાબ વિચાર કરવા માટે મનને ઠપકે શા માટે આપવામાં આવે છે ?
Page #314
--------------------------------------------------------------------------
________________
મન જીતવાની કલા
૨૦૫ .
ઉત્તર-સમજ્યા વિના. તે માટે ખરેા ઠપકા તા આત્માને જ આપવા જોઇએ, પણ વ્યવહારમાં છીડે ચડયા તે ચાર ગણાય છે, એ રીતે મનને ઠપકા આપવામાં આવે છે. આ વસ્તુ રૂઢિરૂપ બની જતાં હાલ પણ આવા જ વ્યવહાર ચાલી રહ્યો છે, પરંતુ ભગવાન મહાવીર આવા સ` પ્રસંગે આત્માના જ ઉલ્લેખ કરતા અને સારા-ખાટા બધા વિચારા માટે તેને જ જવાબદાર ગણતા. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની તેમની વાણી સાંભળે :
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा धेणु, अप्पा मे नन्दवणं ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममितं च, दुप्पट्ट सुप्पट्टओ ||
મારો આત્મા જ વૈતરણી ( નરક નદી ) છે અને મા આત્મા જ ફુટ શાલ્મલી (નરકમાં થતુ' એક પ્રકારનું કાંટાવાળુ ભયંકર વૃક્ષ) છે. મારો આત્મા જ કામા ગાય છે અને મારા આત્મા જ નનવન છે.
૪ આ આત્મા જ દુઃખ અને સુખના કર્તા છે તથા નાશ કરનારા છે. વળી આ આત્મા જ મિત્ર અને અમિત્ર છે. જો તે દૃષ્ટ રીતે પ્રવતે તે અમિત્ર બને છે અને વૈતરણી આદિ દુઃખાના હેતુ થાય છે; અને સારી રીતે પ્રવતે તા મિત્ર બને છે તથા કામા વગેરે સમસ્ત સુખાના હેતુ થાય છે.’
પ્રશ્ન-આ પરિસ્થિતિમાં અનુશાસન કેનુ કરવુ જોઇએ ? આત્માનું કે મનનું?
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-આત્માનું.
પ્રશ્ન-તે પછી મનને જ જગાડો અને મનને જ ઉપદેશ આપે વગેરે વચને કહેવાનો અર્થ શો ?
ઉત્તર-એ ઔપચારિક છે, પરંતુ આપણે તેના પરથી ગ્ય સાર ગ્રહણ કરી લેવું જોઈએ.
પ્રશ્ન-શું મન કેઈ પણ સંગેમાં બહાર જતું નહિ હોય ?
ઉત્તર-ના. તે શરીરની મર્યાદામાં રહીને પિતાને કરવાનું બધું કામ કરી શકે છે. છતાં એમ માની લઈએ કે દ્રવ્યમન એટલે કે મનના પરમાણુ બહાર જાય છે, તે પરમાણુ જડ છે. તેમાં વિચારની શક્તિ તે આત્માના સંપર્કથી જ આવી શકે છે, એટલે એ રીતે બહાર ગયેલું મન વિચારાદિ પ્રવૃત્તિ કરવાને શક્તિમાન થતું નથી.
પ્રશ્ન પરિસ્થિતિ આવી છે તે વિશ્વમાનસ ( Universal Mind) એટલે આખા વિશ્વમાં મન વ્યાપી રહેલું છે અને તેથી તેના એક ભાગમાં થયેલી ઘટનાને બીજા ભાગમાં ખ્યાલ આવી જાય છે, એવું પ્રતિપાદન શા આધારે કરાય છે?
ઉત્તર-એ તે તેઓ જાણે. પરંતુ હાલમાં મન સંબંધી અભ્યાસ વધે છે, પ્રવેગેનું પ્રમાણ પણ વધ્યું છે, અને તેના આધારે જાતજાતનાં વિધાને થઈ રહ્યાં છે. તેમાંથી કેઈને પણ સત્ય તરીકે સ્વીકાર કરતાં પહેલાં તેનું ઘણું પરીક્ષણ કરવું જોઈએ.
Page #316
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]. સમભાવ અંગે કેટલુંક
સામાયિકમાં મુખ્યત્વે સમભાવ કેળવવાનો છે, એટલે તે અંગે પણ કેટલુંક જાણી લઈએ.
યેગસારના બીજા પ્રસ્તાવમાં કહ્યું છે કેअष्टांगस्यापि योगस्य, सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वाऽप्यस्यैव हेतवे ।।
અષ્ટાંગયોગને સાર પણ એ જ છે, એટલે કે સમભાવ છે. યમ-નિયમાદિ વેગને બધે વિસ્તાર તેની સિદ્ધિ માટે જ છે.”
આજે અષ્ટાંગયોગની સારી એવી પ્રસિદ્ધિ છે અને વેગનું નામ આવ્યું કે લેકે તેના તરફ આંગળી ચીંધે છે. પરંતુ એ અષ્ટાંગયોગને સાર તે સમભાવ જ છે. તેમાં યમ-નિયમને જે વિસ્તાર છે, એ બધા મનને સમભાવમાં લાવવા માટે જ છે. અમે અષ્ટાંગયેગના વિવેચનરૂપે “આત્મદર્શનની અમેઘ વિદ્યા નામને ગ્રંથ
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સામાયિક-વિજ્ઞાન
લખેલા છે, તે જિજ્ઞાસુઓએ વાંચવા-વિચારવા ચાગ્ય છે. અષ્ટાંગયોગમાં (૧) યમ, (ર) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ એ આઠ અંગા હાય છે.
अकल्येऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र, ततः कर्तुं न साम्प्रतम् ॥ १९ ॥
· ચાહે આજે કે કાલે ( અથવા આ ભવમાં કે પરભવમાં ) કેવલજ્ઞાન ઉપર્યુક્ત સામ્ય-સમભાવ વડે જ પ્રાપ્ત થશે, ખીજી કોઈ પણ રીતે નહિ, તેથી આ બાબતમાં એક ક્ષણ વાર પણ પ્રમાદ કરવા ઉચિત નથી.’
તાત્પય કે કેવલજ્ઞાનની ઈચ્છા-અભિલાષાવાળાએ બીજી બધી આળપ પાળ છેડીને સમભાવની સિદ્ધિ માટે પ્રયત્નશીલ થવુ જોઇએ.
किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । વિ-બિનેટ્ર રામાવત સ્વ જીવું મનઃ ॥૨૦॥
‘જો આપણું મન રાગ અને દ્વેષથી કલુષિત છે, તે બુદ્ધ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ કે સ્વયં જિનેન્દ્રદેવથી પણ શું ? તા કે તેમાંથી કાઈ પણ કલુષિત મનવાળાને મુક્તિ આપી શકતા નથી.’
આપણે ગમે તે દેવને માનીએ કે ભજીએ, એ બધા ચે આલંબન રૂપ છે. તરવાનુ તા આપણા પુરુષાથી જ
Page #318
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલું ક
છે અને તેમાં મુખ્ય કર્તવ્ય
સમભાવની
મારા દેવ અમુક છે,
એમ કહેતુ હાય કે જઈશ તા એ વાત તત્ત્વજ્ઞાને મંજૂર નથી. કિં નાન્દેન મિતે રહે, જિં ટે: જિં ખટામર : 1 किं मुण्डमुण्डनेनापि, साम्यं सर्वत्र नो यदि ॥ २३॥
૨૦૯
સિદ્ધિ છે. કોઈ માટે હું તરી
જો દરેક બાબતમાં સમભાવ પ્રાપ્ત થયે ન હાય તે નગ્નપણાથી શું? શ્વેત કે રાતાં વસ્ત્રો ધારણ કરવાથી પણ !? અને જટા વધારવાથી કે માથું મુંડાવવાથી પણ શું ? અર્થાત્ તે ખાં નિષ્ફલ છે.’
માત્ર બાહ્ય વેશ કે બાહ્ય આચરણ મનુષ્યને તારી શકતાં નથી. તે માટે પૂરી અંતરંગ તૈયારી જોઇએ. નિત્યનિયમિત સામાયિકના અભ્યાસ એ તેની અતરંગ તૈયારી છે. किं व्रतैः किं व्रताचारः, किं तपोभिर्जपैश्च किम् । किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ||२२||
• જો ચિત્ત નિર્માલ એટલે રાગાદિ મલથી રહિત ન હોય તો વ્રતા, વ્રતના આચારા, તા, જપા, ધ્યાના અને ધ્યેયેાથી પણ શું?' તાત્પર્ય કે આ બધાને મૂલ હેતુ ચિત્તશુદ્ધિ છે. એ હેતુ સિદ્ધ થાય તે જ તેનું મહત્ત્વ છે. અન્યથા તેનું કંઈ મહત્ત્વ નથી.
किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ॥ २३ ॥
''
સા. ૧૪
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૬૦
સામાયિક-વિજ્ઞાન જે હૃદયમાં સામ્યરૂપ તત્ત્વને વિકાસ ન થાય તે કલેશકારી ઈન્દ્રિયનિગ્રહથી શું? રાત્રિ-દિવસ શાસ્ત્રોના પઠનાદિરૂપ સ્વાધ્યાયથી શું? અને સર્વસ્વનું દાન કરવાથી પણ શું?” તાત્પર્ય કે સમભાવની પ્રાપ્તિ વિના બધાં નિષ્ફલ છે.
नाञ्चलो मुखवस्त्र न, च राका न चतुर्दशी। ન શ્રદ્ધાવાતા વા, સર્વ શિવમ મનઃ પારકા
અંચલ એટલે વસ્ત્રને છેડે, મુહપત્તી, પૂનમ, ચૌદશ કે શ્રાદ્ધાદિ પ્રતિષ્ઠા એ કઈ તત્ત્વ નથી, પરંતુ નિર્મલ મન એ જ તત્ત્વ છે.
અંચલ ઠીક કે કટાસણું ઠીક? મુહપત્તી બધે વખત રાખવી જોઈએ કે નહિ ? પૂનમ સાચી કે ચૌદશ? અથવા શ્રદ્ધાદિ કિયા કરવી કલ્પે કે ન કપે ? આ પ્રશ્નો અંગે ઘણું વાદવિવાદો થયા છે, તેમાંથી તત્વ નીકળ્યું નથી, ઊલટા કલેશ વધ્યા છે અને મનભેદ થયા છે. આજને તિથિને ઝઘડે પણ એ જ પ્રકાર છે. તાત્પર્ય કે વ્યર્થ વાદવિવાદેશમાં પડી સમય અને શક્તિને વ્યય કરે તથા કર્મબંધન વધારવું, એ કેઈપણ રીતે ઉચિત નથી. સુજ્ઞજને તે પોતાનું હિત વિચારીને પિતાના મનને નિર્મલ બનાવવાનો પ્રયત્ન કરે જોઈએ. दृष्ट्वा श्रीगौतम बुद्धैनिःपञ्चशततापसः । भरतमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥ २५ ॥
Page #320
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલું ક
૨૧૧
6
શ્રી ગૌતમસ્વામીને જોઈ ને ખાધ પામેલા પંદરસા તાપસાએ તથા ભરત ચક્રવર્તી વગેરેએ ઉપર્યુક્ત બાહ્ય અનુછાના ક્યાં કર્યાં હતાં ?'
શ્રી ગૌતમસ્વામીએ દીક્ષા આપેલા અનેક શિષ્યાને કેવલજ્ઞાન થયુ, પણ પેાતાને કેવલજ્ઞાન ન થયું, તેથી ખેદ પામી વિચાર કરતા હતા, ત્યાં તેમને દેવાણી યાદ આવી કે જે વ્યક્તિ અષ્ટાપદ્યગિરિવર પહેોંચી ત્યાં રહેલા બધા જિનેશ્વરાને નમી એક રાત્રિ ત્યાં ગાળે, તેને તે જ લવમાં મુક્તિ મળે છે.” એટલે પ્રભુની આજ્ઞા લઈ તે ચારણલબ્ધિ વડે ક્ષણ માત્રમાં અષ્ટાપદ્ધગિરિ સમીપે આવ્યા.
હવે આ વખતે કૌડિન્ય, દત્ત અને સેવાલ વગેરે પંદરસો તાપસા અષ્ટાપદના મહિમા સાંભળી તેના પર આરો હણ કરવા આવ્યા હતા. તેમાં પાંચસે તાપસે એક ઉપવાસ કરી લીલા કદ વગેરે વડે પારણું કરતાં અષ્ટાપદની પહેલી મેખલા સુધી પહોંચ્યા હતા. બીજા પાંચસે તાપસેા છઠ્ઠ તપ કરી સૂકા કદ વગેરે વડે પારણું કરતાં બીજી મેખલા સુધી પહોંચ્યા હતા અને ત્રીજા પાંચસો તાપસે અઠ્ઠમને તપ કરી સૂકી સેવાલ વડે પારણુ કરતાં ત્રીજી મેખલા સુધી પહોંચ્યા હતા. ત્યાંથી ઊંચે ચડવાને અશક્ત હોવાથી તે બધા ત્યાં જ અટકી પડયા હતા.
એવામાં સુવર્ણ મય કાંતિ અને પુષ્ટ આકૃતિવાળા શ્રી ગૌતમને ત્યાં આવતા જોયા, એટલે તેઓ પરસ્પર કહેવા
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સામાયિક-વિજ્ઞાન
:
લાગ્યા કે ‘ આપણે શરીરે દુબળા થઈ ગયા છીએ, છતાં ઉપર ચડી શકતા નથી, તે। આ સ્થૂલ શરીરવાળા મુનિ શી રીતે ઉપર ચડી શકશે ?' હજી તેઓ આ પ્રમાણે વાતચીત કરે છે, ત્યાં તેા શ્રી ગૌતમસ્વામી એ ગિરિ પર ચડી પણ ગયા અને તેમની નજર સામેથી અદશ્ય થઈ ગયા.
આ
મહિષ ની
અહી
જોઈ એ તાપસે વિચાર કરવા લાગ્યા કે પાસે જરૂર કોઈ અદ્દભુત શક્તિ છે, તેથી જો તે પાછા આવશે તેા આપણે તેમના શિષ્ય થઈશું.' આવા નિશ્ચય કરી તેઓ એમના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા.
શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપશિર પર ભરત ચક્રવતી - એ ભરાવેલાં ચાવીશ તીથંકરનાં બિબેને ભક્તિભાવથી વંદના કરીને રાત્રિ ત્યાં જ ગાળી. બીજા દિવસે પ્રાતઃકાળે તે નીચે ઊતરવા લાગ્યા, ત્યારે પેલા તાપરા તેમના જોવામાં આવ્યા. તાપસાએ તેમને પ્રણામ કરીને કહ્યું : હે મહાત્મ! ! અમે તમારા શિષ્ય થવા ઇચ્છીએ છીએ. તમે અમારા ગુરુ થાઓ. ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : ' જે સર્વાંગ પરમેશ્વર મહાવીર પ્રભુ છે, તે જ તમારા ગુરુ થાએ.’ પછી તેઓએ ઘણા આગ્રહ કર્યાં, ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તેમને ત્યાં જ દીક્ષા આપી અને તેમને સાથે લઇને તેએ પ્રભુની પાસે આવવા નીકળ્યા.
માર્ગીમાં કોઈ ગામ આવતાં ભિક્ષાને સમય થયે, એટલે ગૌતમસ્વામીએ તેમના તાપસ શિષ્યાને પૂછ્યું કે તમારે પારણું કરવા માટે શુ ઈષ્ટ વસ્તુ લાવુ` ?’ તાપસ
Page #322
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલું ક
૨૧૩
શિષ્યોએ કહ્યું : · અમારે માટે ક્ષીર લાવજો,' એટલે શ્રી ગૌતમસ્વામી એક પાત્રમાં ક્ષીર લાવ્યા અને સહુને એક પંક્તિમાં બેસી જવાનું જણાવ્યું. તાપસ-શિષ્યા વિચારમાં પડયા કે · આટલી ક્ષીરથી બધાને પારણું શી રીતે થશે ?’ પરંતુ શ્રી ગૌતમસ્વામી અક્ષીણમહાનસીલબ્ધિના ધારક હતા, એટલે તેમણે એટલી ક્ષીરથી બધાને પારણું કરાવ્યુ અને પછી પોતે આહાર કરવા બેઠા.
હવે જ્યારે તાપસા ભાજન કરવા બેઠા ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે આપણે ખરેખર ધન્ય છીએ કે આપણને આવા મહામુનિના સમાગમ થયે અને વીર પરમાત્મા જેવા ધર્મગુરુ મળ્યા. આ વિચારે ભાવશુદ્ધિ થતાં થતાં સેવાલભક્ષી પાંચસે તાપસાને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી આગળ વધી પ્રભુ સમીપે આવતાં તેમના પ્રાતિહાય વગેરે જોઈ ને દત્ત વગેરે પાંચસે તાપસાને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું અને બાકીના કૌડિન્ય આદિ પાંચસે તાપસાને પ્રભુનાં દર્શન થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ વીર પ્રભુને પ્રદક્ષિણા કરી કેવલી ભગવંતેાની પરિષદ તરફ ચાલ્યા, ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું : પ્રથમ વીર પ્રભુને વંદન કરી.’ પ્રભુએ કહ્યું : · ગૌતમ ! કેવલીની આશાનના કરો નહિ.” એટલે ગૌતમસ્વામીએ તરત જ મિથ્યા દુષ્કૃત્ય આપી તેમને ખમાવ્યા. તાત્પર્ય કે આ રીતે શ્રી ગૌતમસ્વામીના સમાગમમાં આવેલા પંદરસા તાપસે કેવલજ્ઞાન પામ્યા, તેમાં તેમની ચિત્તશુદ્ધિ અર્થાત્ રાગદ્વેષરહિત અવસ્થા જ કારણભૂત હતી.
6
6
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સામાયિક-વિજ્ઞાન શ્રી ભરત ચક્રવતી વસ્ત્રાલંકારથી સજજ થઈને અરીસા ભુવનમાં ઊભા હતા અને પિતાના શરીરની શોભા જોઈ રહ્યા હતા. એવામાં એક આંગળી પરથી મુદ્રિકા-વાંટી સરી પડી અને તે આંગળી વરવી લાગી. ભરતેશ્વર ચેકડ્યાઃ “શું મારા શરીરની શોભા આ અંલકારેને લીધે જ છે!” અને તેમણે એક પછી એક બધા અલંકારે ઉતારી નાખીને જોયું તે શરીર શોભાવિહીન લાગ્યું. એ જ વખતે આ શેભા અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે અને સઘળા સંબધે પણ અનિત્ય છે. એવી ભાવના તેમના અંતરમાં પ્રકટ થઈ અને તે આગળ વધતાં ચિત્તમાં રહે રાગ અને શ્રેષરૂપી મલ ઓછા થવા લાગે. છેવટે તે મને સંપૂર્ણ નાશ થતાં તેમને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તાત્પર્ય કે બાહ્ય અનુષ્ઠાન વિના તેમને પણ માત્ર ચિત્તશુદ્ધિથી જ કેવલજ્ઞાન થયું હતું.
दृढप्रहारिवीरेण, चिलातीपुत्रयोगिना । चित्तं चन्द्रोज्ज्वलं कार्य, किंमतो योग उत्तमः?॥२६॥
દઢપ્રહારી જેવા વીર પુરુષ અને ચિલાતીપુત્ર જેવા યેગીએ પિતાના ચિત્તને ચંદ્રના જેવું ઉજજ્વલ-નિર્મલ કરવું જોઈએ. તેનાથી ઉત્તમ વેગ કહે છે?
મહાત્મા ચિલાતીપુત્રની કથા પૂર્વે આવી ગઈ છે. શ્રી દઢપ્રહારીની કથા આ પ્રમાણે જાણવી :
શ્રીદઢપ્રહારની કથા દુર્ધર નામને બ્રાહ્મણને એક પુત્ર નાનપણથી ચોરી, જુગાર વગેરેના છંદે ચડી ગયો અને બધા લોકોને અળખ
Page #324
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલુંક
૨૧૫ મણે થઈ પડ્યો. છેવટે રાજાએ તેને હદપાર કર્યો અને તે ફરતા ફરતા એક અટવીમાં જઈ ચડ્યો. ત્યાં ચોરોએ પકડીને પોતાના રાજા સમક્ષ રજૂ કર્યો. એ રાજા મનુષ્યને પરીક્ષક હતો, એટલે તેણે પિતાના કામને જાણી તેને રાખી લીધે. અનુક્રમે આ દુર્ધર ચોરોને રાજા બન્યા અને તેને પ્રહાર કદી ખાલી ન જતો, એટલે દઢપ્રહારીના નામથી ઓળખાવ,
લાગે.
એક વાર દઢપ્રડારીએ પુષ્કળ માલમત્તા મેળવવાના ઈરાદાથી કુશસ્થલ નગર પર ધાડ પાડી. આ નગર સૈનિકેથી સદા રક્ષાયેલું રહેતું, એટલે તેને ભાંગવાનું કામ સહેલું ન હતું, પણ દઢપ્રહારી સાથે ચરે ઘણા હતા, એટલે તેમણે જોતજોતામાં બધા સૈનિકને હટાવી દીધા અને આખા નગરમાં બેફામ લૂંટ ચલાવી.
તે વખતે એક ચેર એક બ્રાહ્મણના ઘરમાં પેઠો. આમ તે તે બ્રાહ્મણ દરિદ્રી હતું, પણ છોકરાઓએ હઠ લેવાથી તેણે યજમાનના ઘરેથી યાચીને દૂધ, સાકર, ચેખા, બદામ વગેરે મેળવ્યાં હતાં અને તેની ક્ષીર બનાવી હતી. તેને આપવા માટે છોકરાઓ કાગડોળે ટાંપી રહ્યાં હતાં. એવામાં ચરે, અન્ય કઈ સારી વસ્તુ હાથમાં ન આવતાં, ક્ષીરનું પાત્ર ઉપાડી લીધું અને છેકરાંઓ ટળવળતાં ઊભા રહ્યાં.
આ દશ્ય જોઈ બ્રાહ્મણને બહુ લાગી આવ્યું, એટલે તેણે ક્ષીરનું પાત્ર પાછું મેળવવા માટે ભગળ ઉપાડી
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સામાયિક-વિજ્ઞાન ચોરને સામને કર્યો. આમ બંને વચ્ચે ધમાચકડી મચી, ત્યાં દઢપ્રહારી ત્યાં આવી પહોંચ્યા અને તેણે પિતાના માણસ પર હુમલો થતે જોઈને તરવાર ખેંચી. એના એક જ ઘાએ બ્રાહ્મણનું માથું ધડથી જુદું થઈ ગયું.
આ બનાવથી બ્રાહ્મણની સ્ત્રી કંપી ઊઠી અને છેકરાઓ ધ્રુજવા લાગ્યા. પરંતુ આંગણામાં બાંધેલી ગાયથી આ સહન થયું નહિ. તે પિતાના પાલનહારને શિરચ્છેદ થયેલે જોઈ ઉફરાટે આવી અને બંધન તેડીને દઢપ્રહારીની સામે થઈ.
દઢપ્રહારીના દિલમાં દયા ન હતી, વળી તે અઠંગ સાહસિક હતું, એટલે તેણે કંઈ પણ વધુ વિચાર કર્યા વિના ગાય પર તવાર ઝીંકી અને તેનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું.
આ રીતે પિતાના ખારા પતિ અને ગરીબડી ગાયની હત્યા થતાં બ્રાહ્મણ પત્નીને મિજાજ અત્યંત ઉશ્કેરાઈ ગયે. અને તે ગાળે દેતી દઢપ્રહારીને મારવા દોડી, પણ વિકરાળ વાઘ આગળ હરિણીનું શું ગજું ? દઢપ્રહારીએ તેના પેટમાં તરવાર હલાવી દીધી અને તે ઢગલે થઈને નીચે પડી. આ બ્રાહ્મણ ગર્ભવતી હતી, એટલે તેનું પેટ ચીરાતાં અંદરને ગર્ભ પણ ચીરાઈ ગયે. આ રીતે દઢપ્રહારીએ કોધ, સહસિકતા અને નિર્દયતાને વશ થઈ બ્રહ્મહત્યા, ગૌહત્યા, સ્ત્રી હત્યા અને બાલહત્યા એ ચાર મહાન હત્યા કરી. પરંતુ છેલ્લી હત્યાએ તેના હૈયાને હચમચાવી નાખ્યું. તે વિચાર કરવા લાગ્યઃ “અહે મેં આ શું કર્યું? એક સાથે ચાર
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૧૭
સમભાવ અંગે કેટલુંક હત્યા ? અને તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળકની ? હા! હા! મારા જે નિર્દય અને ઘોર પાપી બીજે કેણું હશે? ખરેખર ! મેં ઘણું બેટું કર્યું છે! મારી દુર્જનતાએ માઝા મૂકી છે!”
આવા વિચારો કરતે દઢપ્રહારી પોતાના સાથીઓ સાથે કુશસ્થલ છોડી ગયે, પરંતુ પેલું ભયાનક દશ્ય તેની નજર આગળથી ક્ષણ વાર પણ દૂર થયું નહિ. તે પિતાના દુષ્ટ કૃત્યની વારંવાર નિંદા કરવા લાગ્યા. એમ કરતાં તેનું હૃદય પીગળી ગયું અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
આગળ ચાલતાં વનપ્રદેશ શરૂ થયું. ત્યાં એક મુનિ તેના જોવામાં આવ્યા, એટલે તે એમનાં ચરણો પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રેવા લાગ્યું. મુનિએ કહ્યું: “મહાનુભાવ! શાંત થા. આટલે શેક–સંતાપ શાને કરે છે?” દઢપ્રહારીએ કહ્યું “પ્રભો ! હું મહાપાપી છું, અધમ છું, નીચ છું, આજે નજીવા કારણસર મેં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા કરી છે. હવે મારું શું થશે ? પ્રભો મને બચાવો.” | મુનિએ કહ્યું: “મહાનુભાવ! પાપને અંતરથી પશ્ચાત્તાપ થે, એ પવિત્રતાને પ્રારંભ છે અને તેને ફરી નહિ કરવાના સંકલ્પથી એ પવિત્રતા પૂર્ણ થાય છે, માટે ફરી પાપ ન કરવાને દઢ સંકલ્પ કર. વળી પતિતપાવન પૂર્ણ પુરુષ શ્રીજિનેશ્વરદેવેએ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળું ઉત્તમ પ્રકારનું શીલ
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સામાયિક-વિજ્ઞાન બતાવ્યું છે, તે તું ધારણ કર, એટલે સર્વ પાપોથી મુક્ત થઈ પૂર્ણ પવિત્ર બનીશ.”
દઢપ્રહારીએ તે વખતે પાંચ મહાવ્રતવાળું ઉત્તમ શીલ ધારણ કર્યું અને એ અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન કે પાણી લેવાં નહિ કે ઘોર અભિગ્રહ ! કેવી ભીષ્મપ્રતિજ્ઞા ! તમે સૂર વર્ષે સૂર” જે પુરુષ પાપ કરવામાં શૂરવીર હોય છે, તેઓ પ્રસંગ આવતાં ધર્મ કરવામાં પણ શૂરવીર બને છે. એ કહેવત દૃઢપ્રહારીએ સાચી પાડી. તેઓ ચોર-ડાકુલૂંટારા–ઘાતકી–પાતકીમાંથી સુશીલ સંત થયા અને કુશસ્થલ નગરના દરવાજે આવીને કાસર્ગમાં મગ્ન થયા.
આ જોઈ લેકે અનેક જાતના ઉપાલંભે આપવાપૂર્વક તેમના પર ઈંટ-રેડાને વરસાદ વરસાવવા લાગ્યા, પરંતુ દઢપ્રહારીએ કેઈન પર રોષ કર્યો નહિ. તેઓ તો સમભાવમાં જ મગ્ન રહ્યા. એમ કરતાં પત્થર-રેડાથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને માત્ર મસ્તક જ બાકી રહ્યું, ત્યારે તેઓ કાયેત્સર્ગ પૂર્ણ કરીને એ ઈંટરડામાંથી બહાર નીકળ્યા અને નગરના બીજા દરવાજે જઈને ઊભા રહ્યા. ત્યાં પણ એ જ હાલ થયા. એટલે તેઓ ત્રીજા અને ચોથા દરવાજે ગયા. ત્યાં પણ એ જ અનુભવ થયે, પરંતુ હવે શુભધ્યાનના
ગે તેમના ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઈ હતી, એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને લેકે તેમના પગે પડયા.
Page #328
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલુંક
હવે સમભાવ કેવી રીતે કેળવે જોઈએ, તેનું વિવેચન કરીશું. તે અંગે ગસારમાં કહ્યું છે કેरागद्वेषविनाभूतं, साम्यं तत्त्वं तदुच्यते । स्वशंसिना क्व तत् तेषां, परदूषणवादिनाम् ॥ १४ ॥
“રાગ અને દ્વેષનો અભાવ તે સામ્ય છે અને સામ્ય તે જ તવ છે. જેઓ પિતાની પ્રશંસા કરે છે અને બીજાની નિંદા કરે છે, તેઓ આ તત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તાત્પર્ય કે ન જ કરી શકે.”
સામ્ય, સમતા, સમત્વ એ બધાં સમભાવનાં જ અન્ય નામો છે, એટલે સમભાવ એ જ ખરું તત્વ છે, મૂળભૂત રહસ્ય છે અથવા તે પરમાર્થ છે, એમ સમજવાનું છે. પરંતુ આ તત્ત્વ, મૂળભૂત રહસ્ય કે પરમાર્થ તે જ પામી શકે છે કે જે સ્વપ્રશંસા અને પરનિંદાથી દૂર રહે છે.
સ્વપ્રશંસા એ રાગમાંથી ઉદ્ભવેલે મહાન આધ્યાત્મિક દોષ છે અને પરનિંદા એ શ્રેષમાંથી ઉત્પન્ન થયેલે મહાન આધ્યાત્મિક દેષ છે. જેમ કપડાંમાંથી મલિનતા દૂર થાય તે જ તેને બીજે રંગ ચડી શકે છે, તેમ આ બે આધ્યાત્મિક દો દૂર થાય, તે જ આત્માને સમભાવને રંગ ચડી શકે છે. એટલે સમભાવની પૃહા–ઈચ્છા-અભિલાષા રાખનારે સહુ પ્રથમ આ બે દોષને દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ. मानाऽपमाने निन्दायां, स्तुतौ वा लोष्टकाञ्चने। जीविते मरणे लाभालाभे रंके महर्द्विके ॥ १५ ॥
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સામાયિક-વિજ્ઞાન शत्रौ मित्रे सुखदुःखे, हषीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं, तत्त्वं तद्भेद्यतां परम् ॥ ९६ ॥
સન્માનમાં અને અપમાનમાં, નિંદામાં અને સ્તુતિમાં, માટીના ઢેફાંમાં અને સેનામાં, જીવનમાં અને મરણમાં, લાભમાં અને નુકશાનમાં, રંક અવસ્થામાં કે રાજાની અવસ્થામાં, શત્રુમાં અને મિત્રમાં, સુખમાં અને દુઃખમાં, ઈન્દ્રિયને અનુકૂલ અને પ્રતિકૂલ વિષયમાં, એમ દરેક ઠેકાણે ચિત્તની સમાનતા રાખવી, તે સમભાવ છે અને તે જ તત્વ છે. તેથી ઊલટું તે અતવ છે.”
થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. આપણું જીવનમાં સન્માન અને સ્તુતિના પ્રસંગે આવે છે, તેમ અપમાન અને નિંદાના પ્રસંગે પણ આવે છે. તેમાં સન્માન અને સ્તુતિના પ્રસંગે ફૂલાવું નહિ તથા અપમાન અને નિંદાના પ્રસંગે અકળાવું નહિ, એ સમભાવનું રહસ્ય છે. આ બાબતમાં આપણે કયાં ઊભા છીએ ? તે જોવાનું છે.
માટીના ઢેફાને નકામું ગણું ફેંકી દેવું અને સેનાના ટુકડાને મહત્વ આપી તેના તરફ આકર્ષાવું, એ સમભાવની - સરહદ ઓળંગવા જેવું છે. જેમણે આત્મા અથવા બ્રહ્મને સત્ય માન્ય છે અને જગત કે સંસારને મિથા ગણેલ છે, તેની દષ્ટિમાં તે આ બંને પુદ્ગલની રચના હેઈસમાન જ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે સંન્યાસ ગ્રહણ કર્યો, ત્યારે તેઓ ગંગાના કિનારે એક હાથમાં માટીને ટુકડે અને બીજા હાથમાં
Page #330
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલુંક
૨૨૧ સેનાને ટુકડો લઈને ઊભા રહ્યા હતા અને એ બંનેની તુલના કરી હતી. : “આને લેકે માટીને ટુકડા કહે છે, અને આને લેકે સેનાને ટુકડો કહે છે. પણ મમત્વબુદ્ધિએ તો મારે આ બંનેને ત્યાગ છે. અને તેમણે એ બંને વસ્તુઓ ગંગા નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર પછી તેમણે પિતાના સમસ્ત જીવન દરમિયાન ધનને કદી સ્પર્શ કર્યો ન હતો. આ બાબતમાં તેઓ કેવા નિરાસત બન્યા હતા, તેને એક દાખલો જાણવા જે છે.
એક વખત બે–ત્રણ મિત્રોએ તેમની પરીક્ષા કરવાને વિચાર કર્યો અને તેઓ લાગ જોઈ તેમના સૂવાના ઓરડામાં દાખલ થયા. ત્યાં સૂવા માટે એક ચટાઈ પાથરેલી હતી અને તેના એક છેડે ઓશીકું ગોઠવેલું હતું. પેલા મિત્રોએ તે ઓશીકા નીચે રૂપાની એક પાવલીને મૂકી દીધી. પછી શું બને છે? તે આજુબાજુમાં ભરાઈ રહીને જોવા લાગ્યા.
થડી વારે શ્રી રામકૃષ્ણ પરમહંસ એ ઓરડામાં દાખલ થયા અને સાદડી પર બેઠા. તેમની સાથે એક શિષ્ય પણ હતાડીવારે તેમણે એ શિષ્યને જણાવ્યું કે “અહીં કેઈ અપવિત્ર પદાર્થ પડે છે. મને દુર્ગધ આવે છે.” એટલે શિષ્ય ચારે બાજુ નિરીક્ષણ કર્યું, પણ કઈ દુર્ગધવાળે પદાર્થ નજરે પડે નહિ. ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસે ઊંડે શ્વાસ લીધો અને જણાવ્યું કે અહીં એક અપવિત્ર વસ્તુ જરૂર પડી છે અને તે મારી નજીકમાં લાગે છે.” + ચાર આનાને ઘણે નાને સિકકો, જે એ વખતે ચલણમાં હતો.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સામાયિક-વિજ્ઞાન ત્યારે શિષ્ય ઓશીકું ઊંચું કર્યું તે રૂપાની પાવલી નજરે પડી. આ જોઈ શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : “જા, આને ગંગાનદીમાં ફેંકી આવ. હવે પછી આવી કેઈ અપવિત્ર વસ્તુ અહીં આવી ન જાય, તેની કાળજી રાખજે.”
- શિષ્ય એને ગંગાનદીમાં ફેંકી આવ્યું, ત્યારે તેમને શાંતિ થઈ.
આ દશ્ય નજરે જોનારા પિલા મિત્રોને ખાતરી થઈ કે શ્રી રામકૃષ્ણ પરમહંસ ધનની બાબતમાં ખરેખર નિઃસ્પૃહ બનેલા છે.
જીવન લાંબું ચાલે તે હર્ષ ન થાય અને મરણ સમીપ આવે તો શક ન થાય, એવી સ્થિતિને સમભાવ કહે છે. જૈન દષ્ટિએ તે આયુષ્યને જેટલે બંધ હોય, તેટલું જીવાય છે, તેમાં હર્ષ શ? અને આયુષ્યનો બંધ તૂટે, એટલે એક ચા બીજા નિમિત્તે મૃત્યુને ભેટો થાય છે, તેમાં શોક છે ? સમભાવની સિદ્ધિ ઇચ્છનારે આવી સમજ કેળવવી જોઈએ.
શાસ્ત્રોમાં સમાધિમરણની પ્રશંસા કરેલી છે, પણ -- સમાધિમરણ તેમને જ પ્રાપ્ત થાય છે કે જેમણે આત્મા ભણી દૃષ્ટિ રાખીને જીવન વ્યતીત કર્યું હોય. જેને જીવનના છેલ્લા શ્વાસ સુધી એક યા બીજા પ્રકારની માયા વળગેલી હોય, તે સમાધિમરણ શી રીતે પામે? આજે તો જીવનની લાલસા એટલી ઘેરી બની છે કે છેવટની ઘડી સુધી દવાના ડોઝ અને ઈંજેકશને છૂટતા નથી, એટલે ચિત્તની સમાધિ લગભગ : અશક્ય બની છે. જીવનની લાલસા જેટલી ઘેરી તેટલે મૃત્યુને
Page #332
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલુંક
૨૨૩ ભય વધારે એટલે આજે તે મોટા ભાગે ભયભીત દશામાં દેહને છોડવાનો વખત આવે છે. સામાયિકના સાધક તરીકે આપણે આ સ્થિતિમાં અવશ્ય પરિવર્તન કરવું જોઈએ
જેના અંતરને સમભાવની સ્પર્શના થઈ હોય, તે લાભ મળતાં છકી જતા નથી અને નુકશાન થતાં હિંમત હારતા નથી. તે જ રીતે સ્થિતિનું પરિવર્તન થતાં એટલે કે શ્રીમતમાંથી રંક બની જતાં દુઃખની બૂમરાણ મચાવતા નથી અને રંકમાંથી શ્રીમંત થતાં આંખો એડે લઈ જતા નથી. તાત્પર્ય કે બંને વિપરીત રિથતિમાં તેઓ મનનું સમતેલપણું બરાબર જાળવી રાખે છે. આપણું હૃદયને સમભાવની સ્પના થઈ છે કે નહિ, તેની આ કસોટી છે.
જેની દ્રષ્ટિમાં સમભાવ વચ્ચે છે, તે મિત્ર પ્રત્યે એક પ્રકારનું વર્તન અને શત્રુ પ્રત્યે બીજા પ્રકારનું વર્તન કરતે નથી, એટલે કે બંનેને સરખો આદર આપે છે અને તેમના પ્રત્યે સમાન વર્તાવ કરે છે. અધ્યાત્મશાસ્ત્રની તે એવી નિશ્ચિત માન્યતા છે કે શત્રુ પ્રત્યે પણ સદ્દભાવભર્યું વર્તન દાખવવાથી આખરે તેના હૃદયનું પરિવર્તન થાય છે અને તે મિત્ર બને છે. જ્યાં જગતના સર્વ જીવોને મિત્ર માન્યા હોય, ત્યાં કેઈને શત્રુ માને જ શા માટે ?
વિવિધ પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થઈ હોય, છતાં અભિમાન કરવું નહિ તથા અનેક પ્રકારનાં દુઃખ પડવા છતાં દીનતા ધારણ કરવી નહિ, એ સમભાવની સ્થિતિ છે. વાસ્તવમાં આ સંસાર સુખ અને દુઃખથી ભરેલું છે. તેમાં સુખ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સામાયિક-વિજ્ઞાન. પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, એટલે તેની કેઈ અસર મન પર થવા દેવી નહિ, એ ડહાપણ ભરેલી નીતિ છે.
અનુકૂલ, મનેણ કે ઈષ્ટ વિષય મળે તો તેમાં લુબ્ધ થવું નહિ અને પ્રતિકૂલ, અમને કે અનિષ્ટ વિષય મળે તો તેથી ખિન્ન થવું નહિ, એ સમભાવને સાર છે.
આટલા વિવેચન પરથી સમભાવનું સ્વરૂપ સમજાયું હશે. સમભાવ તે કેળવ્યા કેળવાય છે, તેથી જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે “સમભાવ કેળવતા રહે. જે સમભાવ કેળવતા રહેશે. તે સામાયિકની સિદ્ધિ કરી અનિર્વચનીય સુખના અધિકારી બની શકશે.”
પ્રશ્નોત્તરી પ્રશ્ન–અષ્ટાંગયેગને સાર સમભાવ કેવી રીતે ?
ઉત્તર–અષ્ટાંગયેગનું છેવટનું ધ્યેય સમાધિ એટલે ચિત્તની સમાહિત અવસ્થા છે, જે ચિત્તશુદ્ધિ કે સમભાવનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, તેથી અષ્ટાંગયેગને સાર સમભાવ માનવામાં આવ્યો છે.
પ્રશ્ન-જૈન ધર્મ અષ્ટાંગયોગને માને છે શું ?
ઉત્તર-જૈન ધર્મની પ્રાચીન પ્રણાલિકા તે પંચાગગની છે, પણ અષ્ટાંગયેગનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થતાં જૈનાચાર્યોએ તેને અપનાવી લીધું છે. શ્રીહરિભદ્રસૂરિએ યેગની આઠ દષ્ટિમાં ઉક્ત એગનાં આઠેય અંગેને ઘટાવ્યા
Page #334
--------------------------------------------------------------------------
________________
સમભાવ અંગે કેટલું ક
રસ
છે. શ્રી હેમચ`દ્રાચાયે ચેગશાસ્ત્રમાં યાગનાં આ આઠ અંગોનુ વિસ્તારથી વર્ણન કરેલું છે અને શ્રી શુભચ'દ્રાચાર્યે પણ જ્ઞાના વમાં આ જ આઠ અ ંગોનું વિશદ વિવેચન કરી તેને પ્રતિષ્ઠા આપેલ છે. જે સારું હોય, આત્માને હિતકર હાય, તેને અપનાવી લેવું, એ જૈન ધર્મની પરંપરાગત નીતિ છે. પ્રશ્ન-શું સામ્ય કે સમભાવ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય જ નહિ ?
ઉત્તર-સામ્ય કે સમભાવ કેળવાય, ત્યારે જ ચારઘાતી કર્મોને! ચ થાય છે અને જ્યારે ચારઘાતી કર્મોના ય થાય છે, ત્યારે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે સામ્ય કે સમભાવ વિના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિં
પ્રશ્ન –સંસારસમુદ્ર તરવા માટે અમુક દેવને માનવા જરૂરી છે શુ?
ઉત્તર-જે દેવ રાગદ્વેષથી રહિત હાય અને પોતે સ’સારસાગર તરી ગયા હોય તેમને દેવ તરીકે માનવાથી તથા ઉપાસવાથી સંસારસાગર તરી શકાય છે, એટલે સંસારસાગર તરવા માટે વીતરાગદેવને માનવાની જરૂર છે.
પ્રશ્ન-વીતરાગદેવમાં અરિહતા કે તીથ કરો આવે કે નહિ ?
ઉત્તર-વીતરાગદેવમાં અરિહતા કે તીથ કરો જરૂર આવે, કારણ કે તે બધાએ રાગ અને દ્વેષના સંપૂર્ણ નક્ક કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરેલી હાય છે.
પ્રશ્ન—કાઇ દેવ કૃપા કરીને આપણને સ ંસારસમુદ્રમાં તારી શકે કે નહિ ?
સા. ૧૫
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-કઈ દેવ આપણને સંસારસાગરમાં તરવાને સાચે માર્ગ બતાવે છે તે એની કૃપા છે, તેને લીધે આપણે સંસારસાગર તરી શકીએ છીએ, પરંતુ તેઓ જ મોક્ષના દરવાજા ઉઘાડી આપણને અંદર દાખલ કરી દે એ શક્ય નથી. તેમણે દર્શાવેલા માર્ગે તે આપણે જાતે જ ચાલવું પડે છે અને તે જ આપણે સંસારસાગર તરી મેક્ષમાં પહોંચી શકીએ છીએ.
પ્રશ્ન-કેઇ દેવને ન માનીએ તે ?
ઉત્તર-તે આપણા સંસાર-પરિભ્રમણને પાર આવે નહિ. આદર્શ દેવને આલંબન તરીકે સ્વીકાર કરવાથી આપણા વિકાસને માર્ગ સરલ બને છે અને તેમાં યોગ્ય માર્ગદર્શન પણ મળતું રહે છે. જે કોઈ પણ દેવને માનતા નથી, તે વાસ્તવમાં નાસ્તિક છે. તેનો ભવનિસ્તાર થતો નથી.
પ્રશ્નએક સ ચ સિદ્ધાંતની રથાપના કરવા માટે વાદ કરે જરૂરી છે કે નહિ ?
ઉત્તર-સત્ય સિદ્ધાંતની સ્થાપના માત્ર વાદથી જ થઈ શકે એવું નથી. છતાં એમ લાગે કે અહીં વાદ કરવાથી જરૂર સારું પરિણામ આવશે – સત્યને સ્વીકાર થશે, તે વાદ કરવામાં હરકત નથી. પરંતુ વાદ મતાગ્રહનું રૂપ પકડે અને દલીલના સ્થાને ડંડા ઊછળવાની સંભાવના લાગે તો એ વાદ છોડી દેવે હિતકર છે. આપણે ત્યાં ઘણા વાદો એકબીજાને નજીક લાવવાને બદલે દૂર લઈ ગયા છે, તેથી આટલું સૂચન છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] રાગને છોડે
સામાયિકની સિદ્ધિ એટલે સમભાવની સિદ્ધિ. તેનું પ્રથમ સૂત્ર છે : “ રાગ છેડો” પણ રાગને પૂરેપૂરે ઓળખ્યા વિના તેની પકડમાંથી છૂટાતું નથી, એટલે પ્રથમ તેની ઓળખાણ આપીશું અને સાથે સાથે તેને છોડવાનાં કારણે પણ જણાવીશું.
આપણું અંતરમાં છૂપાઈને રહેલ રાગ ત્રણ સ્વરૂપે વ્યક્ત થાય છે : એક તે દષ્ટિરાગ તરીકે, બીજે કામરાગ તરીકે અને ત્રીજે નેહરાગ તરીકે, જ્યારે તે દષ્ટિરાગ તરીકે વ્યક્ત થાય છે, ત્યારે એક જાતની અંધશ્રદ્ધા ઉત્પન્ન કરી દે છે, જેથી વિવેક હણાય છે, કદાગ્રહ ઉત્પના થાય છે અને તત્વમાર્ગ દૂર રહે છે. એક નાનકડા દૃષ્ટાંતથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
ગુરુએ કહ્યું : “એક રણમાં સાત હાથી ભેગા થયા અને તે ચાલવા લાગ્યા.”
દષ્ટિરાગવાળાઓએ કહ્યું : “જી હા.”
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સામાયિક–વિજ્ઞાન.
ગુરુએ કહ્યું : ‘ વચ્ચે એક સોય આવી, તેના નાકામાંથી
આ સાતે ય હાથી પસાર થઇ ગયા.’
·
દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું : ગુરુએ કહ્યું : ‘ પરંતુ તેમાં ભરાઈ રહ્યું. તે કેમે ય કર્યું. નીકળે નહિ, '
જી હા, ’ છેલ્લા હાથીનું પૂછડુ
દૃષ્ટિરાગવાળાઓએ કહ્યું :
6 જી હા. ’
•
પાસે એક સુજ્ઞજન બેઠા હતા. તેમણે દૃષ્ટિરોગવાળા ભાઈઓને કહ્યું : ' હાથી તેા જંગલમાં રહે. તે કઈ રણમાં રખડે નહિ. છતાં માની લઈએ કે કઈ હાથી રણમાં જ ચડયો, પણ ત્યાં સાત હાથી એકઠા શી રીતે થાય ? વળી રણમાં સેાય પડી હાય તા તે ખડી થઈને તેમને માર્ગ થોડા જ આંતરે ? અને સેયનુ નાકું કેવડું અને હાથીના શરીરનું કદ કેવડું' ? તેમાંથી હાથી શી રીતે પસાર થાય છતાં માની લે કે તે પસાર થયા, તો છેલ્લા હાથીનું પૂછડુ શી રીતે ભરાઇ રહે ? શરીર કરતાં તે પૂછડું ઘણું નાનુ હાય છે, એટલે જેમાંથી શરીર પસાર થાય, તેમાંથી પૂછડુ
,
અવશ્ય પસાર થાય.
એ સાંભળી દૃષ્ટિરાગવાળા ભાઇઓએ કહ્યું : શું ગુરુ ખાટુ કહે ? શું તમે ગુરુ કરતાં વધારે જ્ઞાની છે? આજે તમે મેલ્યા એ બોલ્યા, પણ બીજી વાર આવુ એલશે! તેા તમને જોઈ લઈશું'. '
હવે વિશેષ એલવામાં સાર ન હતા, એટલે સુજ્ઞજન ત્યાંથી ઊઠીને ચાલતા થયા.
Page #338
--------------------------------------------------------------------------
________________
રાગને છેડે
૨૨૯
જયાં દષ્ટિરાગ હોય, ત્યાં પક્ષે પડે છે; વાડાઓ અંધાય છે અને બીજાને ઉતારી પાડી પિતે જ સાચા હોય, એ રીતે વર્તવામાં આવે છે. પરિણામે કજિયા-કંકાસ થાય છે, કોર્ટ-કચેરીને આશ્રય લેવાય છે, પૈસાનું પાણી થાય છે અને ફજેતીને ફાળકે ગળામાં આવે છે. એટલે દષ્ટિરાગ કઈ રીતે ઈષ્ટ નથી. જેને તત્ત્વ જોઈતું હોય અને તેના આધારે કરવું હોય તેણે દૃષ્ટિરાગ છેડે જ જોઈએ.
તે અંગે ચગસારમાં કહેવાયું છે કેदृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो, दृष्टिरागो महाज्वरः ॥
દષ્ટિરાગ એક પ્રકારને મહામહ છે, દૃષ્ટિરાગ એ સંસારનું કારણ છે; દૃષ્ટિરાગ મહાન ઘાત કરનારે છે અને દષ્ટિરાગ એક પ્રકારનો વિષમ જ્વર છે.”
अहो विचित्रं मोहान्ध्यं तदधरिह यञ्जनैः । दोषा असन्तो वीक्ष्यन्ते परे सन्तोऽपि आत्मनि ।
“ખરેખર ! દૃષ્ટિ રાગરૂપ મેહાન્વકાર એ વિચિત્ર છે કે તેથી અંધ થયેલા જ બીજાના અછતા દેને જુએ છે અને પિતાના છતા દોષને પણ જોઈ શકતા નથી.”
मदीयं दर्शनं मुख्य पाखण्डान्यपराणि तु । मदीयं आगमः सारः परकीयास्त्वसारकाः॥
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૦
સામાયિક-વિજ્ઞાન
तात्त्विका वयमेवान्ये भ्रान्ता सर्वेऽप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥
6
અમારું દર્શન – અમારે ધર્મ એ જ ખરે છે, બીજાનાં દના – ખીજાના ધર્મમાં પાખંડ છે. અમારુ શાસ્ત્ર એ જ સાર છે, અને બીજાનાં શાસ્ત્રા નિઃસાર છે, અમે જ ખરા તત્ત્વજ્ઞાની છીએ, બીજા અતાત્ત્વિક અર્થાત્ બ્રાન્ત છે, એમ માનનારા કેવળ મસરી છે અને તે તત્ત્વજ્ઞાનથી ઘણા દૂર છે. ’
यथाssहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योन्यं ही दोपग्रहणाद् हताः ॥
જેવી રીતે હાંલ્લાએ, આપસમાં અથડાવાથી નાશ પામે છે, તેમ મત્સરી જવા પણ એક મીજાના દોષો ગ્રહણ કરવામાં લીન હોવાથી નાશ પામે છે.’
-
તાપ કે દૃષ્ટિરાગથી મારું તે સારું' એવી મિથ્યા માન્યતા ઉત્પન્ન થાય છે, તેનાથી ગુણગ્રાહકતા નારી પામે છે અને હુ મેટું નુકશાન થાય છે. જેની ષ્ટિ સમ્યક્ થયેલી છે, એ તે! ‘સારું તે મારું' એમ જ માને અને ગમે તેવી વિચિત્ર જણાતી વસ્તુમાંથી પણ ગુણ ગ્રહણ કરે. શ્રીકૃષ્ણે કાળા કૂતરાનુ મડદું જોયું, ત્યારે તેની દંતપ ક્તિ કેવી સુંદર છે!' એમ કહ્યું, કારણ કે તેઓ ગુણગ્રાહી હતા.
6
'
હવે રાગના બીજા સ્વરૂપ પર આવીએ. તેને · કામ
Page #340
--------------------------------------------------------------------------
________________
યુગને છેડા
૨૩
રાગ ’ની સત્તા અપાયેલી છે. અહી કામ શબ્દ ઇન્દ્રિયસુખનું સૂચન કરનારા છે, એટલે કે આ પ્રકારના રાગથી મનુષ્યની ઇન્દ્રિયસુખની આસક્તિ વધે છે, તેમાં જ તે આનંદ પામે છે અને તેની તૃપ્તિ માટે અનેક પ્રકારનાં પાપકર્મામાં પ્રવૃત્ત થાય છે. આ પરથી તેના રમખાણુની ભયં કરતા સમજી શકાશે.
ઇન્દ્રિયા પાંચ છે અને તેના વિષયા ત્રેવીશ (૨૩) છે, તે આપણે જાણી લઈ એ, કારણ કે વિષય શબ્દ અનેકવાર આવવાનો છે. તેમાં સ્પર્શીનેન્દ્રિય વડે સ્પર્શ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન ત્વચા એટલે ચામડી છે. આ ચામડી વડે આઠ જાતના સ્પર્ધા પારખી શકાય છેઃ (૧) હળવા, (૨) ભારે, (૩) કમળ, (૪) ખરબચડા, (૫) ડ ડ, (૬) ગરમ, (૫) ચીકણા અને (૮) લૂખા, રસનેન્દ્રિય વડે રસ એટલે સ્વાદ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન રસના એટલે જીભ છે. આ જીભ વડે પાંચ પ્રકારના સ્વાદે પારખી શકાય છેઃ (૧) મીના, (૨) ખાટા, (૩) ખારી, (૪) કડવા અને (૫) તીખા. કેટલાક તેમાં તૂરા રસને ઉમેરીને ષડ્રેસ છ પ્રકારના રસા માને છે, પણ તૂરા રસ એ મીઠા અને ખા। રસનું મિશ્રણ છે, તેથી જૈન શાસ્ત્રાએ પાંચ પ્રકારના રસો-સ્વાદો માનેલા છે. ઘ્રાણેન્દ્રિય વડે ઘ્રાણુ એટલે વાસ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન નાક છે. આ નાક વડે બે જાતની વાસ પારખી શકાય છેઃ (૧) સુગંધ અને (૨) દુગંધ. ચક્ષુરિન્દ્રિય વડે રૂપ-રંગ જાણી શકાય છે. તેનું
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સામાયિક-વિજ્ઞાન મુખ્ય સાધન ચક્ષુ એટલે આંખે છે. આ આંખ વડે પાંચ પ્રકારના રંગે પારખી શકાય છેઃ (૧) ધોળ, (૨) કાળ, (૩) વાદળી, (૪) પીળે અને (૫) રાતે. અને શ્રોતેન્દ્રિય પડે શબ્દ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન કાન છે. આ કાન વડે ત્રણ પ્રકારના શબ્દો પારખી શકાય છે. (૧) સચિત્ત શબ્દ-જીવંત પ્રાણીને. (૨) અચિત્ત શબ્દ–જડ વસ્તુનો અને (૩) મિશ્ર શબ્દ-જીવંત તથા જડને મિશ્ર થયેલ. આ રીતે ૮ + ૫ - ૨ ૫ - ૩ મળી કુલ વિષયે ત્રેવીશ ગણાષ છે. - પાંચ ઈન્દ્રિયે જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે, એટલે તેના વડે વિષયોને જાણીએ તેમાં કંઈ ખોટું નથી, પરંતુ તેમાં રાગદ્વેષ કરે કે સુખ–દુઃખની કલ્પના કરવી, એ વિષયાસક્તિ હાઈ હેય એટલે છોડવા ગ્ય છે. આ જગતમાં મનુષ્ય જે વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવે છે, તે મુખ્યત્વે વિષયાસક્તિને આભારી છે. થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
જે મનુષ્યની દૃષ્ટિ ઈન્દ્રિયસુખ ભણી નહિ, પણ આત્મસુખ ભણી હોય છે, તેના જીવનની જરૂરીઆતે ઓછી હોય છે, તે એને સહેલાઈથી મળી જાય છે અને તેમાં તે આનંદ માણે છે, જ્યારે ઈન્દ્રિયસુખ ભણી દ્રષ્ટિ રાખનારની જીવનની જરૂરીઆતો દિનપ્રતિદિન વધતી જાય છે, તે મેળવવા માટે ઘણો પરિશ્રમ કરે પડે છે અથવા તે ઘણાં કાળાં–ધળાં કરવા પડે છે અને તે મળવા છતાં ય તેમાં જોઈએ તે આનંદ આવતો નથી.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૩૩
રાગને છેડે
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે ચટાઈ કે સાદડી પર સુખેથી સૂઈ શકે છે, સામાન્ય ગોદડાં કે એશીકાથી આનંદ પામે છે અને ઓઢવા માટે સૂતરાઉ કે ઊનનું સામાન્ય કપડું હોય તે પણ ચલાવી લે છે, જ્યારે પર્શ સુખની આસક્તિવાળાને ચટાઈ કે સાદડી ચાલતી નથી, સામાન્ય ગોદડાં કે ઓશીકાથી સંતોષ થતું નથી, અને ઓઢવા માટે અમુક પ્રકારની શાલે કે રજાઈ હાય તે જ આનંદ આવે છે. જે કે આ આનંદ ક્ષણિક હોય છે, છતાં તેને માટે તેને જીવ તલપતે હેાય છે.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે શિયાળામાં પણ ઠંડા પાણીથી નાહી શકે છે, અથવા સહેજ ગરમ પાણીથી પણ ચલાવી લે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળો શિયાળામાં અમુક હદે ગરમ થયેલા પાણીની અપેક્ષા રાખે છે અને તેમાં જરાયે ઊણપ હોય તે નાકનું ટીચકું ચડાવે છે કે ઝઘડે કરી બેસે છે.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે ઊનાળામાં તાપ સહન કરી લે છે અથવા સામાન્ય પંખાથી કામ ચલાવી લે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળે જરા પણ તાપ સહન કરી શકતું નથી. જે તાપ સહન કરવાને પ્રસંગ આવ્યો તે બૂમાબૂમ કરે છે. તેને વીજળીના અમુક પંખા જોઈએ અને તે અમુક પ્રકારના જ જોઈએ અથવા તે એરકન્ડીશન્ડ રૂમ” વિના ચાલે જ નહિ.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે મર્યાદિત
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સામાયિક-વિજ્ઞાન પ્રમાણમાં સ્ત્રીસંગ કરે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળે વારંવાર સ્ત્રીસંગ કરે છે, છતાં યે તેનાથી તૃપ્તિ થતી નથી, એટલે તે બળાત્કાર, વ્યભિચાર તથા વેશ્યાગમન જેવાં ઘેર પાપો કરવા પ્રેરાય છે. તેમાં પિસા અને પ્રતિષ્ઠાની પાયમાલી થાય છે, તથા પ્રાણહાનિ જેવા પ્રસંગે પણ આવી
| સ્પર્શ સુખની લાલસા અંગે પ્રાચીન શામાં હાથીનું ઉદાહરણ અપાયું છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. હાથીના દાંત તથા હાડકાં કિમતી હોય છે, તેથી તેને મેળવવા માટે જંગલી લેકે હાથીના આવવાના માર્ગમાં એક મોટો ખાડે
દે છે, તેના પર વાસડા ગઠવી તેને પાંદડાં વગેરેથી ઢાંકી દે છે અને તેના એક કિનારે બનાવટી હાથણી ઊભી કરે છે. હવે હાથી પર્શ સુખને લાલચુ છે, તે હાથણીને જોતાં તેના તરફ દોડતે આવે છે અને ખાડા પર આવતાં જ તેના ભારથી વાંસડા વગેરે તૂટી જાય છે, એટલે તે ખાડામાં જઈ પડે છે. એ ખાડામાં પહેલેથી જ શંકુ આકારને મેટો ખીલે ઊભે કરેલો હોય છે, તેના વડે તેનું શરીર વીંધાઈ જાય છે અને તે મરણ પામે છે. પછી જંગલી લેકે તેના દાંત અને હાડકાં કાઢી લે છે અને તે વેચીને ઘણુ પૈસા મેળવે છે. સ્પર્શ સુખની લાલસાથી આપણ આવા બૂરા હાલ ન થાય તે જોવાનું છે.
જે મનુષ્યને રસની–સ્વાદની આસક્તિ નથી, તે સાદા જનથી પિતાનું પિટ કરી લે છે, ડું ખાટું-ખારું કે
Page #344
--------------------------------------------------------------------------
________________
, રકપ
રાગને છોડો તીખું–મોળું હોય તે ચલાવી લે છે. તેને વધારે વસ્તુઓની જરૂર પડતી નથી. જે ડી વસ્તુઓ મળે છે, તેનાથી પણ તે સંતેષ અનુભવે છે. જ્યારે સ્વાદની આસક્તિવાળાને તીખી-તમતમતી અને લિજજતદાર અનેક પ્રકારની વાનગીઓ જોઈએ છે અને તેમાં જરાયે ફરક હોય તે તરત મેટું મચડે છે, ઝઘડો કરે છે કે ભાણું પાડે છે. અનેક પ્રકારની મીઠાઈઓ, શાકભાજી, ચટણી, રાયતાં, અથાણાં, પાપડ વગેરે આરોગવા છતાં નવી નવી વસ્તુઓ ખાવાની ઈચ્છા રહ્યા કરે છે અને તે ન મળતાં અસંતોષ અનુભવે છે.
જેને રવાદની આસક્તિ નથી, તે સમયસર ખાય છે, અને પ્રમાણસર ખાય છે, જ્યારે સ્વાદની આસક્તિવાળા ગમે ત્યારે ખાય છે અને ગમે તેટલું ખાય છે, તેથી વિવિધ પ્રકારના રોગે તેમને પીછો પકડે છે અને તેમને હાલ બેહાલ કરી નાખે છે.
જેને સ્વાદની આસક્તિ નથી, તે અભક્ષ્યને ત્યાગ કરી ભક્ષ્યનું જ ભેજન કરે છે, જ્યારે સ્વાદની આસક્તિવાળાને ભક્ષ્યાભણ્યનું ભાન રહેતું નથી, તેઓ અભક્ષ્ય ખાવા પણ લલચાય છે અને એમ કરતાં અભક્ષ્યજી બની પશુ જેવું જીવન ગુજારે છે, દારૂ, માંસ, મય, ઇંડાં એ બધી અભક્ષ્ય વસ્તુઓ છે, છતાં તેને ભદ્ર સમાજમાં પણ ઉપગ થવા લાગે છે, એ શું સૂચવે છે? આપણી–સ્વાદ લાલસા બેફામપણે આગળ વધી રહી છે, તેનું એ પરિણામ છે.
રસ કે સ્વાદની આસક્તિ અંગે પ્રાચીન શામાં
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સામાયિક–વિજ્ઞાન
મત્સ્યનું ઉદાહરણ અપાયુ' છે, તે આપણે જાણી લઇએ. મત્સ્ય પકડનારા મનુષ્યેા એક લાકડીના છેડે લાંખી દોરી આંધી તેને છેડે લેાઢાના એક વાંકડિયા કાંટા બાંધે છે, જેને ગલ કે ડીશ કહેવામાં આવે છે. આ ગલ પર તેઓ માંસના ટુકડો બાંધે છે અને પછી તેને પાણીમાં નાખે છે. હવે મત્સ્ય સ્વાદના લાલચુ છે, એટલે માંસની ગંધ આવતાં જ તેના તરફ ધસે છે અને તેના પર માઢું નાખતાં જ તેના ગળામાં પેલા ગલ ભરાઈ જાય છે, એટલે મચ્છીમાર તેને બહાર કાઢે છે અને ટોપલામાં નાખે છે, જ્યાં તે તરફડીને મરણ પામે છે. સ્વાદની આસક્તિ આપણા આવા હાલ ન કરે તે જોવાનુ છે.
ગંધની આસક્તિ પણ ખૂરી જ છે. જો તેની આસક્તિ ઉત્પન્ન થઈ તે અમુક પ્રકારના સેન્ટો કે અન્તરો વિના ચાલે જ નહિ. વસ્ત્રો તથા પથારીમાં પણ અમુક પ્રકારની સુગંધીએ છાંટવી જ જોઇએ. તે ન છ ંટાય તે ચેન પડે જ નહિ. એરડામાં પણ અમુક પ્રકારનાં સુગંધી પુષ્પો જોઇએ, અને તેને અમુક રીતે જ ગોઠવવા જોઇએ. સુગંધની આવી આસક્તિવાળા મનુષ્યેા બીજા માણસાની પાસે બેસે તે નાકનું ટીચકું ચડાવ્યા કરે, કારણ કે તેને તેમની દુર્ગંધ આવે છે!
:
ગધની આસક્તિ અ ંગે પ્રાચીન શાસ્ત્રોમાં ભ્રમરનુ ઉદાહરણ અપાયું છે, તે આ પ્રમાણે ભ્રમર સુગધના લાલચુ છે, એટલે કમલ પર બેસે છે. તે ‘હમણાં ઊડું, હમણાં ઊડું” એવેા વિચાર કરે છે, પણ સુગધમાં આસક્ત
Page #346
--------------------------------------------------------------------------
________________
રાગને છેડે
૨૩૭ • હેવાથી ત્યાંથી ઊડી શકતું નથી. એવામાં સાયંકાલ થાય છે અને કમલ બીડાઈ જતાં અંદર પૂરાઈ જાય છે. જે તે ધારે તે કઠિન કાષ્ઠને પણ કરી નાખે છે, તે કમલની પાંખડીઓન કરવી એમાં શું ! પણ તેની વિચારસૃષ્ટિ જુદી હોય છે.
रात्रिर्गमिष्यति भवष्यिति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः ।
“રાત્રિ હમણાં ચાલી જશે અને સુંદર મજાનું પ્રભાત થશે, એટલે સૂર્ય ઉદય પામશે અને પાછી આ કમલની પાંખડીઓ ખીલી ઊઠશે, એટલે હું તેમાંથી બહાર નીકળી જઈશ. તાત્પર્ય કે હમણાં હું કમલમાં પૂરાયો, તે ભલે પૂર, એની સુગંધની મજા માણવા મળશે. પરંતુ –
इत्थं विचारयति कोशगते द्विरेफे, हा मूलतः कमलिनी गज उज्जहार ।।
તે આવા વિચાર કરે છે, ત્યાં તો હાથીઓ સરેવરમાં જલક્રીડા કરવા આવે છે અને કમલના વેલાને મૂળથી ઉખાડી નાખે છે, એટલે તે હાથીઓના પગના ઝપાટામાં આવી મરણ પામે છે અથવા તે હાથીઓ એ કમલને મુખમાં પધરાવી દે છે, એટલે તે પિટમાં પેસીને મરણ પામે છે.
ગંધની આસક્તિનું આ પરિણામ ખતરાની ખાણ તરફ ખેંચી જાય છે અને તેના બૂરા હાલ કરે છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સામાયિક-વિજ્ઞાન રૂપ-રંગની લાલસા પણ મનુષ્યના જીવનમાં અસંતોષની આગ પ્રકટાવે છે, તેની પાસે ન કરાવવાનાં કામ કરાવે છે અને આખરે તેને બરબાદ કરે છે.
જેને રૂપ-રંગની લાલસા નથી, તે સાદા–અલંકારથી પણ આનંદ પામે છે, જ્યારે રૂપ-રંગની લાલસા છે તેની પળેજણમાંથી ઊંચા આવતા નથી. અનેક પ્રકારનાં વસ્ત્રો અને અલંકાર હોવા છતાં નવાં નવાં વસ્ત્રો અને અલંકારોની ઈચ્છા રહ્યા કરે છે અને તે માટે ગમે તેટલે ખર્ચ કરવા ત૮ પર બને છે. જે પાસે પૈસા ન હોય તે બીજાના ઉછીના લે છે અને તે શક્ય ન હોય તે અનીતિના રસ્તાઓ અજમાવે છે કે જેનાં આખરે બૂરા પરિણામ આવે છે. તેઓ પિતાના શરીરને રૂપાળું રાખવા અનેક પ્રકારના ઉપ જે છે અને તેની ખટપટમાં સમય, શ્રમ તથા નાણાને કેટલે વ્યય થયે, તેની દરકાર કરતા નથી.
રૂપ-રંગની લાલસાવાળા કેઈ સ્ત્રીના રૂપની પાછળ ઘેલા થાય છે, ત્યારે તેમની દુર્દશાને પાર રહેતું નથી.
એક ઝવેરી એક મુસલમાન સ્ત્રીના રૂપ પાછળ ઘેલો થયે, ખાસ કરીને તેના કાળા ભમ્મર લાંબા કેશ પરમેહી પડ્યો, એટલે તેની પાછળ લખલૂટ ખર્ચ કરવા લાગે. એમ કરતાં બધી મૂડી ખલાસ થઈ ઝવેરાતને ધધે ગયા અને કુટુંબમાંથી પણ છૂટા પડવાને વખત આવ્યે. એક વખત જેને પડ્યો બોલ ઝીલાતે, તેને કઈ ભાવ પૂછનાર પણ ન રહ્યું!
Page #348
--------------------------------------------------------------------------
________________
ગગને છોડા
૨૩૯
રૂપ-રંગ લાલસા અંગે પ્રાચીન શાસ્ત્રોમાં પતંગ એટલે પતંગિયાનું ઉદાહરણ અપાયેલું છે. પતંગિયું દીવાના તેજથી માહિત થાય છે અને તેના ઉપયોગ કરવા માટે તેના પર ઝંપલાવે છે, એટલે બળીને ખાખ થાય છે. આ દૃશ્ય અનેક વાર નજરે જોવા છતાં મનુષ્યેાની રૂપ-રંગલાલસા ઘટતી નથી, એ આછુ આશ્ચર્ય જનક છે?
શબ્દની આસક્તિ શબ્દની લાલસા પણ મનુષ્યને ખતરાની ખાણ તરફ ખેંચી જાય છે અને તેના બૂરા હાલ કરે છે.
શબ્દની લાલસાવાળા ખુશામતખારીના શબ્દો સાંભળવા ટેવાય છે, સ્ત્રીઓ સાથેના મ ંજીલ સ ંભાષણના પ્રસંગેાને ઝડપી લે છે અને ગાન-તાનમાં ગુલતાન મને છે. આ શબ્દ-લાલસાના કારણે જ ઘણા માણસો વેશ્યા કે નતિકાઓને ત્યાં થતા ગાન—તાનના જલસાઓમાં નિયમિત ભાગ લે છે અને નાણાં તથા નાક અને ગુમાવે છે. જ્યાં ગાન—તાનની વાત આવી કે તેમનુ મન હાથ રહેતુ નથી, તેએ જવાબદારીવાળાં કામે છેડીને ત્યાં પહોંચી જાય છે અને તેના લીધે અનેક પ્રકારનાં નુકશાના ભાગવે છે. શબ્દલાલસા અંગે પ્રાચીન શાસ્ત્રામાં હરણ અને સર્પ એ બંનેનાં ઉદાહરણા અપાયેલાં છે. હરણને વાંસળીના શબ્દ બહુ ગમે છે, એટલે શિકારીએ વાંસળી વગાડવા માંડે છે કે તે એકઠાં થઈ જાય છે અને તેના શબ્દ સાંભળવામાં લીત અને છે. આ વખતે અન્ય શિકારીઓ તેને શિકાર કરી નાખે છે. મેરલીના નાદ બહુ ગમે છે એટલે
'
આ રીતે સને મદારીએ મેારલી
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સામાયિક-વિજ્ઞાન
વગાડવા માંડે છે કે તે પાતાનુ ઘર છેડીને બહાર નીકળે છે અને ફેણ માંડીને ડોલવા લાગે છે. આ વખતે ખીજા મદારીએ તેને પકડી લે છે, અને તેના ઝેરી દાંત કાઢી નાખે છે. પછી તેમને કરડિયામાં પૂરી કાયમના પરાધીન બનાવી દે છે. શબ્દ-લાલસાની આ ખતરનાકતાના ખ્યાલ સુજ્ઞજનોએ અવશ્ય રાખવાના છે.
ઇન્દ્રિયા વડે ભાગવાતું વિષયસુખ એ સાચું સુખ નથી, માત્ર સુખનો આભાસ છે, છતાં મનુષ્યે તેની પાછળ પડી પેાતાનું સમસ્ત જીવન બરબાદ કરે છે અને મહામે ઘે માનવભવ હારી જાય છે, એ કેટલુ ખેદજનક છે? તે અ ંગે ભગવાન મહાવીરની વાણી સાંભળે. તે ઉત્તરાધ્યયન–સૂત્રમાંથી અહી અપાય છે:
जे के सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो । माणसा काय - वकेणं सव्वे ते दुक्खसंभवा ॥
· જે કોઇ મનુષ્યેા શરીરમાં આસક્ત છે અને મનથી, કાયાથી તથા વચનથી રૂપ અને રંગમાં પૂરેપૂરા મેહેલા છે. તે સવ દુઃખને ઉત્પન્ન કરનારા છે. ’
उवलेवो होइ भोगे, अभोगी नोवलिप्पई । भोगी भई संसारे, अभोगी विष्पमुच्चई ||
• ભાગમાં પડેલા મનુષ્ય કમ થી લેપાય છે, અભાગી કમથી લેપાતા નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે. અભાગી સંસારથી મુક્ત થાય છે. '
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૪૧
રાગને છેડો
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुनागो व्व मट्टियं ॥
ધન અને સ્ત્રીમાં આસક્ત બને ભેગી પુરુષ કાયાથી મદોન્મત્ત બને છે અને તેનાં વચનામાં પણ અભિમાન આવે છે. તે અળસિયાંની જેમ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે મલન સંચય કરે છે.”
त ओ पुट्टो आयंकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुपेही अप्पणो ।
“પછી ઉગ્ર રોગથી પીડાઈને અનેક પ્રકારનું દુઃખ ભગવે છે અને પરલોકથી ખૂબ ડરીને પિતાનાં દુષ્કર્મોને પશ્ચાત્તાપ કરે છે.”
सल्लं कामा विसं कामा, कामा आसीविसोपमा । कामे य पत्थेमाणा, अकामा जति दोग्गई।
કામગ શલ્યરૂપ છે, કામગ વિષરૂપ છે અને કામભોગ ભયંકર સર્પ જેવા છે. જેઓ કામગની ઈચ્છા કર્યા કરે છે, તે એને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે.”
सव्वं विलवियं गीयं, सव्वं नट्ट विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥
કામવાસનાને પિષનારા તથા વધારનારા સર્વ ગીતે વિલાપતુલ્ય છે, સર્વ નૃત્યે વિડંબના સમાન છે અને સર્વ
સા. ૧૬
Page #351
--------------------------------------------------------------------------
________________
ર૪ર
સામાયિક-વિજ્ઞાન આભરણે ભારરૂપ છે. સર્વ પ્રકારની કામવાસના આખરે તે દુઃખને જ લાવનારી છે. “
રાગનું ત્રીજું સ્વરૂપ “ નેહરાગ” તરીકે ઓળખાય છે, નેહરાગ એટલે કુટુંબીજનો કે મિત્રાદિ પ્રત્યેનું મોહમમત્વ. તે પણ આપણી વિવેકબુદ્ધિને કુંઠિત કરે છે, પક્ષપાત તરફ દોરી જાય છે અને અનેકવિધ પાપકર્મો કરવાની પ્રેરણું
ભાઈઓએ બીજા પ્રત્યે ખુલ્લે અન્યાય કર્યો હોય છતાં પક્ષ કે લેવાય છે? પત્ની પાડોશણ સાથે ખોટે ઝઘડો કરી આવી હોય છતાં વાંક કેને કઢાય છે? પુત્રે ખરેખર બીજાનું અડપલું કર્યું હોય, છતાં કહેવા આવે ત્યારે કે ઉત્તર અપાય છે ?
એક હબસણને જુદાં જુદાં અનેક બાળકો બનાવીને પૂછવામાં આવ્યું કે બાઈ ! આ બધા બાળકોમાં તને કયું બાળક વધારે સુંદર લાગે છે ?” ત્યારે હબસણે બધાં બાળકેને જઈને કહ્યું: “મને તે હબસીનું બાળક સહુથી વધારે સુંદર લાગે છે.” ફૂલના ગેટા જેવાં અનેક બાળકો હાજર હોવા છતાં હબસણે આ જવાબ કેમ આપે ? એનું કારણ શેધવા માટે આપણે દૂર જવું પડે એમ નથી. નેહરાગથી અંધ થયેલી દષ્ટિ વિવેકને ભૂલી જાય છે અને વિવેક ભૂલતાં આવું પરિણામ આવે છે.
જે કાર્ય માટે આપણે બીજાની વારંવાર નિંદા કરી હોય છે, બીજાની વારંવાર ઘણા કરી હોય છે, તે જ કાર્ય જે
Page #352
--------------------------------------------------------------------------
________________
રાગને છેડા
૨૪૩
C.
આપણા માતા-પિતા, વડીલ કે કુટુ'બ-પરિવારની ફાઇ વ્યક્તિએ કર્યુ હોય તે તેમને બચાવ કરવા લાગી જઇએ છીએ, એ શું બતાવે છે? સ્નેહરાગથી અંધ થયેલા આત્મા ન્યાય—નીતિને વીસરી જાય છે અને ખુલ્લ ખુલ્લા અન્યાય કે અનીતિનો આશ્રય લે છે.
કુટુ ખ જના, વડીલા વગેરેનુ ભરણ-પાષણ કરવુ', એ ગૃહસ્થના ધર્મ છે, પણ તે માટે અનેક પ્રકારનાં પાપા કરવા ચાગ્ય નધી. તે અંગે તનિયા ભીલની વાત જાણવા જેવી છે.
રતનિયા ભીલની વાત
રનિયા બીલને તેના પિતાએ ધનુવ દ્યામાં કુશલ અનાન્યા હતા અને વાટ કેમ મારવી ? જતા આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લૂંટી લેવા? તેનુ પ્રયાગાત્મક શિક્ષણ આપ્યુ હતુ. તેથી લૂંટના કામમાં તે પાવરધા અન્યા હતા અને તેના વડે જ પોતાના કુટુબના નિર્વાહ કરતા હતા.
એક વાર રનિયા ધંધા અર્થે અરણ્યમાં ફરતા હતા, ત્યાં એક મહિષ પાસેના રસ્તેથી પસાર થયા, એટલે રતનિયાએ તેમના રસ્તે આંતર્યાં અને પાસે જે કઈ હોય, તે મૂકી દેવા જણાવ્યું, પરંતુ મહિષ પાસે ખાસ છું હુંાય ? તેમણે એક ભગવી કફની પહેરી હતી, ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમ’ડલ ધારણ કર્યું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યાં હતા. તેમને આ વસ્તુઓ પર જરાયે મમત્વ ન હતું, પરંતુ રતનિયાની હાલત જોઈને
..
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સામાયિક–વિજ્ઞાન
6
દયા આવી, એટલે તેના પર કૃપા કરવાના હેતુથી કહ્યું : · ભાઈ ! તારે મારી પાસેથી જે કાંઇ જોઈતુ હાય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું છું, તેના ઉત્તર આપ કે તું આવા નીચા કોના માટે કરે છે?” રનિયાએ કહ્યુંઃ મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનુ મહેાળુ અધાના નિર્વાહ હું આ ધધાથી કરું છું. મહિષ એ કહ્યુંઃ ઃ ભાઇ ! તુ જેમને માટે આ ધાર પાપ કરે છે, તે માતા, પિતા, સ્ત્રી, પુત્ર વગેરે શુ તારા આ પાપમાં ભાગીદાર થશે ખરા? ’
કુટુ ખ છે. તે
"
આ
રતનિયાએ કહ્યું : જરૂર, તે બધાને માટે હું પાપ કરું છું તે તેએ તેમાં ભાગીદાર કેમ નહિ થાય ? ?
"
મહિષ એ કહ્યું : ‘ તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભાગવવુ પડશે. જો તેની ખાતરી કરવી હોય તેા જઇને બધાં કુટુબીજનેને પૂછી આવ કે તારાં કરેલાં પાપામાં તેમના ભાગ કેટલેા ? તુ આ પ્રશ્નના ઉત્તર લઈને આવીશ, ત્યાં સુધી હું અહીં જ ઊભા રહીશ. ’
મહિષ ના આ વચનાને માન્ય કરી રતનિયા ઘરે ગયે.. અને દરેકને પૂછવા લાગ્યા કે ‘હું જે પાપ કરું છું, તેમાં તમારા ભાગ કેટલા ? ’ આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈપણ એટલી નહિ અને પુત્ર-પુત્રીએ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. આ
Page #354
--------------------------------------------------------------------------
________________
રાગને છેડા
૨૪૫
જોઇ રતનિયાને ભારે આશ્ચય થયું: ' એક સાદી-સીધી વાતના ઉત્તર કેમ કોઈ આપતુ નથી !' અને તેણે બધાને એ જ પ્રશ્ન ફરી પૂછ્યો, છતાં તેને કઇ ઉત્તર મળ્યા નહિ. ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજીવાર પૂછ્યા અને જણાવ્યુ કે ‘ મારા પ્રશ્નને જેવા હાય તેવા ઉત્તર આપે. તે લીધા વિના હું રહેવાનો નથી. ” તે વખતે ખધાની વતી પિતાએ કહ્યું : તું જે કંઈ પાપ કરે છે, તે બધું તારું જ છે. અમે તે માત્ર તારા લાવેલા દ્રવ્યના ભેાક્તા છીએ. ’
"
આ ઉત્તર સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં : શું આ બધાં પાપનું ફૂલ મારે એકલાને જ ભોગવવાનુ' છે? તેમાં કોઈના પણ ભાગ નહિ ? ખરેખર! આજ સુધી હું અધારામાં જ આથડયા છું, પરંતુ સારું થયું કે આજે આ મહિના ભેટો થયેા અને તેણે મારી આંખેા ખાલી નાખી.
તર્નિયા ઘરેથી પાછા ફર્યાં અને સીધા મહિનાં ચરણે પડયા. તેણે કહ્યું : ‘ દયાળુ ! તમારું કહેવું સાચું પડયું, પરંતુ મારું હવે શું થશે ? હું મહાપાપી છું... ! ઘેર અપરાધી છું ! મારા હાથ પકડો ! મારો ઉદ્ધાર કરી ! આપના વિના અન્ય કોઈનુ મને શરણુ નથી. ’
અને મહિષ એ રનિયાને જીવન વિષે સાચી સમજ આપી તથા તપ–જપનુ મહત્ત્વ સમજાવ્યું, તે પ્રમાણે રતનિયાએ ત–જપને આશ્રય લેતાં તે મહાન ઋષિ મની ગયા અને આત્મકલ્યાણ સાધી શકયે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સામાયિક-વિજ્ઞાન તાત્પર્ય કે કુટુંબીજને તથા વડીલેનું ભરણપોષણ ન્યાયતીતિના માર્ગે ચાલીને કરવું યેવ્ય છે, પણ પાપકર્મો વડે કરવું એગ્ય નથી.
શાસ્ત્રો તે એમ કહે છે કે, તમે કુટુંબીજને પર આંધળો નેહ ન રાખતાં સદ્દભાવ રાખો અને તેમનું કેમ કલ્યાણ થાય ? તેની ચિંતા કરે. તેઓ સન્માર્ગે વળે, સુધર્મને આચરે, તે માટે બનતે પુરુષાર્થ કરે. એથી તમે તમારું અને તમારા કુટુંબીજનોનું એમ બંનેનું કલ્યાણ કરી શકશે.
આ વિવેચનને સાર એ છે કે, દરિાગ છોડે, કામરાગ છેડે અને નેહરાગ પણ છોડો. આ ત્રણ પ્રકારના રાગોને છોડશે તે જ સામાયિકની સિદ્ધિ કરવાને શક્તિમાન થશે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-રાગ શાથી ઉત્પનન થાય છે ?
ઉત્તર-મિહનીય કર્મને લીધે રોગ ઉત્પન્ન થાય છે. રાગનું બીજું નામ મેહ છે. તેને અનુરાગ, આસક્તિ, અભિવંગ વગેરે પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન-દ્વેષ શાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર-દ્વેષ પણ મેહનીય કર્મથી જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-રાગ અને દ્વેષ બંને આત્માનું અહિત કરનારા છે, તેમાં રાગને પહેલે મૂકવાનું કારણ શું?
ઉત્તર-દ્વેષ કરતાં રાગને જીતવાનું કામ વધારે કઠિન
Page #356
--------------------------------------------------------------------------
________________
યુગને છેાડા
છે, તેથી રાગને પહેલા મૂકવામાં આવ્યે છે. પ્રશ્ન-વીતરાગ શબ્દમાં તે માત્ર રાગ ચલ્યા જવાનું સૂચન છે, તેા શું એકલા રાગ જીતવાથી પણ આત્માને ઉત્કૃષ્ટ વિકાસ સાધી શકાય છે ખરો?
ઉત્તર-જેમાંથી સઘળા રાગ ચાલ્યા ગયા હોય, તેમાંથી સઘળા દ્વેષ અવશ્ય ચાલ્યેા ગયા હેાય છે, એટલે વીતરાગ મહાપુરુષ રાગ અને દ્વેષ બ ંનેને પૂરેપૂરા જીતનારા હોય છે. જેમાંથી સઘળા દ્વેષ ચાલ્યા ગયે હાય, તેમાંથી સઘળે રાગ ચાહ્યા ગયા હોય, એવું નથી. નવમા ગુણસ્થાને સઘ દ્વેષ ચાહ્યા ગયા હેાય છે, પણ રાગને અંશ ખાકી હાય
પ્રશ્ન-૩ દૃષ્ટિરાગ છેડવા ચેાગ્ય છે? તેનાથી કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ થતી દેખાય છે, તેનું કેમ ?
૨૪૭
ઉત્તર-જૈન શાસ્ત્રાએ રાગને સર્વથા ઠાડવા ાગ્ય ગણેલા છે, કારણ કે તેથી આત્માનું અત્યંત અહિત થાય છે. શિંગ એ પણ એક પ્રકારના રાગ જ છે, તેથી તે સથા છેડવા ચેાગ્ય છે. દૃષ્ટિરાગથી કેટલાકને સમ્યકત્વ પ્રાપ્ત થવાની વાત માનવા ચેગ્ય નથી, કારણ કે શાસ્ત્રામાં આવા કેઈ નિર્દેશ નથી અને આપણા અનુભવ પણ તે પ્રકાર નથી. આમ છતાં જેઓ એમ કહે છે કે તેનાથી કેટલાકને સમ્યકત્વની પ્રાપ્તિ થતી દેખાય છે, ' એ એક જાતના ભ્રમ છે. દૃષ્ટિરાગથી મતાંધતા પ્રગટે છે અને પરિણામે કદાગ્રહકજિયા પેદા થાય છે, જ્યારે સમ્યકત્વ તે વિચાર અને વિવેકનુ પરિણામ છે. વિચાર વડે વસ્તુનું સ્વરૂપ સમજાય છે અને વિવેક વડે તેના સારા-ખાટા અંશે! જુદા પાડી
,
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સામાયિક-વિજ્ઞાન તેમાંથી સારા અશે ગ્રહણ કરી તેમાં શ્રદ્ધાન્વિત થવાનું બળ પેદા થાય છે. દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા પૂર્વક અરિહંતને સુદેવ માનવા, નિગ્રંથ મુનિઓને સુગુરુ માનવા અને સર્વજ્ઞપ્રણિત ધર્મને સુધર્મ માન, એ સમ્યકત્વનું વ્યાવહારિક લક્ષણ છે.
પ્રશ્ન-ઈન્દ્રિયે વડે ભેગ ભેગવાતે હેય, છતાં તેમાં આસક્તિ ન હોય, એમ બને ખરું ?
ઉત્તર-હા, બની શકે. આસક્તિ વિના ઈન્દ્રિય વડે ભેગ ભેગવી શકાય છે. ત્યાગી મહાત્માઓની સ્થિતિ આ જ પ્રકારની હોય છે. તે અંગે એક વાત સાંભળો.
એક નદીના કિનારે નાનકડું ગામ વસેલું હતું. તેના કિનારે એક વણિક પિતાની પત્ની સાથે રહેતા હતા. બંનેના દિવસે સુખમાં પસાર થતા હતા.
એક વાર વણિકના ઘરના સામા કિનારે એક ગી આવી ચ. બરાબર જમવાના સમયે વણિકની નજર તેની સામે પડી અને તેને જમાડવાની ભાવના થઈ આવી, એટલે પત્નીને હુકમ કર્યો કે “આ તમામ રસેઈયેગીને આપી આવ.” પત્ની પતિપરાયણ હતી, એટલે તેણે બીજી કંઈ પૂછપરછ
ર્યા વિના એક થાળમાં બધી રસોઈ ગઠવી લીધી અને તે ચાલવા લાગી, ત્યારે પતિએ કહ્યું : “નદીમાં પાણી ઘણું છે. તું એમાં ચાલીને જઈ શકીશ નહિ. માટે નદીના કિનારે ઊભી રહીને એવી પ્રાર્થના કરજે કે “હે લેકમાતા ! જે મારા પતિએ જન્મથી આ ક્ષણ સુધી કેઈની પણ યાચના
Page #358
--------------------------------------------------------------------------
________________
રાગને છેડો ન કરી હોય તે મને સામા કિનારે પહોંચવા માટે માર્ગ આપજે.”
પત્નીએ નદીના કિનારે પહોંચી એ પ્રમાણે પ્રાર્થના કરી તો નદીએ તરત માર્ગ કરી આપ્યું અને તે એમાંથી પસાર થઈ ગી પાસે પહોંચી, પછી પેલે થાળ તેની સામે ધરી ભજન કરવાની વિનંતિ કરી. એ વિનંતિને સ્વીકાર કરી એગીએ ભજન કર્યું અને ખાલી થાળ પાછો આપ્યો. પછી તે સ્ત્રી ત્યાંથી ચાલવા લાગી કે એગીએ કહ્યું : “પ્રથમ તું નદીના કિનારે ઊભી રહીને એવી પ્રાર્થના કરજે કે “જે આ ગીએ કંઈ પણ આહાર કર્યો ન હોય તે હે લેકમાતા ! તું મને માર્ગ આપજે.”
આ શબ્દો સાંભળી સ્ત્રીના મનમાં તર્કવિતર્ક થવા લાગ્યા, પણ તેણે ગીના કહ્યા પ્રમાણે કર્યું અને તે નદી પાર કરી પિતાના ઘરે પહોંચી. ત્યાં તેણે પતિને કહ્યું :
હે પ્રિયતમ ! આપે કદાપિ કઈ વસ્તુ કઈ પાસે માગી નથી, એ હું આપનાં આટલાં વર્ષના સહવાસથી જાણું છું અને તેથી આપે કહ્યા મુજબ પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપે, તેમાં મને કંઈ આશ્ચર્ય થયું નથી. પરંતુ યેગીએ તે મારી સામે આપણા બંનેની રસેઈ આરેગી લીધી, છતાં નદીએ તેની પ્રાર્થના કેમ સાંભળી ? તેનું મને ઘણું આશ્ચર્ય થાય છે !”
પતિએ કહ્યું : “ગીએ તારી સામે આહાર કર્યો, એ બરાબર છે, પણ એ વખતે એની વૃત્તિ આહારમાં
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સામાયિક-વિજ્ઞાન
ન હતી, એટલે તેણે ખરેખર આહાર કર્યાં ન હતા અને તેથી જ નદીએ તેની પ્રાથના સાંભળી, ’
તાત્પ કે ઇન્દ્રિયા વડે ભાગ ભોગવાય છે, પણ જ્યારે તેમાં મનની વૃત્તિ હાતી નથી, તેમાં સુખ-સ ંવેદન હતુ નથી, ત્યારે તેમાં આસક્તિ નથી, એમ સમજવાનું છે.
પ્રશ્ન-ગૃહસ્થા કામસુખ સર્વથા છેડી શકે ખરા ? ઉત્તર-ગૃહસ્થા કામસુખ થા ોડી શકે નહિ, પણ તેમાં સંયમપૂર્વક જરૂર વર્તી શકે. તે માટે વ્રત--નિયમ– પ્રત્યાખ્યાનની ચેાજના છે. એ રીતે સયમમાં આગળ વધતાં છેવટે કામસુખ સ થા છેાડી શકાય છે.
પ્રશ્ન-માથે મોટા કુટુંબના ભાર હાય અને ન્યાયનીતિના રસ્તે ચાલતાં તેમનુ પૂરુ થતુ ન હેાય તે શુ કરવું ?
ઉત્તર-આવા સાગોમાં સહુને સાદાઈ અને કરકસરથી રહેવાના અનુરાધ કરવા જોઈ એ તથા શકય હાય તે ગૃહઉદ્યોગ શરૂ કરી આવકની પૂતિ કરવી જોઈ એ, પણ અન્યાય-અનીતિના રસ્તે જવું ન જોઇએ. આ માર્ગે ચાલતાં શરૂઆતમાં સેટી થાય છે, પણ આખરે સારાં વાનાં થાય છે, તેના અનેક દાખલાએ અમે અમારા જીવનમાં જોયા છે. વળી અન્યાય—અનીતિના માર્ગે ચાલતાં જોઇતુ બધુ મળી જ જશે, એવું નથી. એમાં અનેક જાતનાં ભયસ્થાને રહેલાં છે અને કદાચ ચાલુ ધાંધા પણ છૂટી જાય છે તથા સમાજમાં હલકા પડવું પડે છે અને વખતે રાજ્ય તરફથી શિક્ષા પણ થાય છે; તેથી ન્યાય—નીતિને ચૂકવી નહિ, એ જ ડહાપણભરેલા માગ છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ] દ્વેષને ત્યજે
6
સમભાવસિદ્ધિનું બીજું સૂત્ર છે: દ્વેષને ત્યજો’ પરંતુ દ્વેષને પૂરેપૂરા એળખ્યા સિવાય તેને ત્યજી શકાતા નથી, તેથી પ્રથમ તેની ઓળખાણ આપીશું અને સાથે સાથે તેને ત્યજવાનાં કારણેા પણ જણાવીશુ.
રાગ આપણા અંતરમાં લપાઇને બેઠો છે, તેમ દ્વેષ પણ આપણા અંતરમાં લપાઈ ને બેઠો છે. તે નિમિત્ત મળતાં જુદા જુદા સ્વરૂપે પ્રકટ થાય છે. કોઈ વાર તે અપ્રીતિ કે અણગમાનું સ્વરૂપ ધારણ કરે છે, તેા કોઈ વાર નિંદા કે અવર્ણવાદનું સ્વરૂપ ધારણ કરે છે. કોઈ વાર તે ઇર્ષ્યા કે અદેખાઈનું સ્વરૂપ ધારણ કરે છે, તો કોઈ વાર ધિક્કાર કે તિરસ્કારનું સ્વરૂપ પણ ધારણ કરે છે. દ્વેષનાં આ બધાંયે સ્વરૂપે આધ્યાત્મિક વિકાસમાં અંતરાયરૂપ હાઈ ત્યજવા ચેાગ્ય છે.
ગમા-અણગમા સામાન્ય પ્રકારના હાય, ત્યારે આપણા જીવન પર તેની ઝાઝી અસર પડતી નથી, પણ તે તીવ્ર
Page #361
--------------------------------------------------------------------------
________________
પર
સામાયિક-વિજ્ઞાન
અને-ઉત્કટ અને, ત્યારે અજ ંપા—અશાંતિ ઉત્પન્ન કરે છે, વાતાવરણ બગાડે છે અને બીજાને પણ દુઃખદાયી નીવડે છે.
એક વાર અમારે એક મિત્રને ત્યાં ગામડે જવાના પ્રસંગ આવ્યેા. તેણે ત્યાંની પ્રથા પ્રમાણે સારું ગણાય એવું કંસારનું ભાજન, દાળ, શાક તથા ભાત ખનાવ્યાં. તે અમને જમાડવા માટે પાસે બેઠા અને બધી વસ્તુએ પ્રેમથી પીરસવા લાગ્યા. અમે તેને આદરપૂર્વક આરેાગી ગયા, પરંતુ ભાણામાં ભાત પિરસાયા કે વિચારમાં પડી ગયા. તે જાડા ચાખાના બનેલા હતા કે જે અમે ખાઈ શકતા ન હતા અને ખાવાના પ્રયત્ન કરતાં તે ગળે સકતા. પરંતુ ભાણામાં પિરસાયેલી વસ્તુ અમે ભાગ્યે જ છાંડતા અને કદાચ અહી' છાંડીએ તેા મિત્રની લાગણી દુભાયા વિના રહે તેમ ન હતી, એટલે અમે કહ્યું: ‘ તમારે ત્યાં ભેસે છે, તેથી દહીં બહુ સારું બનતું હશે.' મિત્રે કહ્યું: · અમે ભાતમાં દહીં ભાગ્યે જ ખાઈએ છીએ, પણ તમને પસંદ હોય તે મગાવું, ' અમે ડોકું હલાવી સંમતિ આપી, એટલે તેણે દહી મગાવ્યું અને અમારો માર્ગ સરલ બની ગયા. દહીં સાથે મિશ્ર થયેલા જાડા ચાખાને ગળે ઉતારતાં ક'ઈ મુશ્કેલી પડી નહિ. ભાજન સાન સમાપ્ત થયુ' અને આવું સરસ ભેજન જમાડવા માટે અમે મિત્રને આભાર માન્યો.
6
તાત્પર્ય કે અવસર ઓળખી અણુગમાને દબાવ્યે અને યુક્તિથી કામ લીધું તો વાતાવરણના રંગ જળવાઈ · રહ્યો. અહીં અમે એમ કહ્યું હાત કે આ ભાત તો અમારાથી
R
ખવાશે નહિ, તેા મિત્રને એમ લાગત કે મેં ખરાખર
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રેષને ત્યજો
૨૫૩ ; જમાડ્યા નહિ. વળી તેમના કુટુંબીજનોને પણ એમ થાત કે અમારી મહેમાનગીરીમાં ખામી રહી, મહેમાન ભૂખ્યા. રહ્યા, વગેરે.
હવે એક બીજી ઘટના સાંભળે. એક વાર એક સજજન પિતાના કેટલાક મિત્રને લઈને એક ભેજનાલયમાં જમવા ગયા. ત્યાં તેમણે અનેક વાનીઓ બનાવવાની વરદી આપી રાખી હતી અને ભેજનાલયના માલિકે ખૂબ કાળજી પૂર્વક એ વાનીઓ બનાવી હતી.
બધા મિત્રે ભાણે બેઠા અને એક પછી એક વાનીઓ પિસાવા લાગી. પેલા સજજને બધી વાનીઓ ચાખી અને સંતોષ અનુભવ્યું. બીજા મિત્રે પણ એથી સંતુષ્ટ થયા. પરંતુ એક મિત્ર ગમા-અણગમાની તીવ્ર લાગણીવાળા હતા. તેમણે કહ્યું “મહારાજ, આ તમે શું બનાવ્યું છે? શાકમાં શકવાર નથી, ઊંધિયું પણ બેકાર છે અને પાતરાં તે. જુઓ ! તેમાં કંઈ સ્વાદ જ નથી.” મહારાજે સામે જવાબ આપે નહિ, પણ પેલા સજજને શાંતિથી પેલા મિત્રને ઘણું સમજાવ્યા, ત્યારે તેમણે જેમ તેમ ભેજન કર્યું. એનું ત્રણસે રૂપિયા બીલ ચૂકવાયું, પણ કેઈના મુખ પર આનંદ રહ્યો ન હતો ! | માની લઈએ કે પિરસાયેલી વસ્તુ તેમના સ્વાદથી છેડા ફરકવાળી હતી, પણ તેમણે એને મહત્ત્વ ન આપતાં ચલાવી લીધું હેત તે બધા મિત્રને આનંદ થાત અને જેણે પૈસા ખર્ચા એ સજ્જનને ઘણે સંતોષ થાત, પણ તેઓ અણગમાને આધીન થઈ ગયા હતા, એટલે વિવેક
પરંતુ એક સિક, બીજા મિત્ર બધી વાનીઓ એક
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સામાયિક-વિજ્ઞાન બુદ્ધિમાં ખામી આવી અને તેમને વાણી-વ્યવહાર તેને અનુરૂપ થતાં બધું વાતાવરણ બગડી ગયું. કદાચ પેલા સજજને અને બીજા મિત્રોએ પણ આ અનુભવ પછી મનમાં ગાંઠ વાળી હશે કે હવે આને કઈ સ્થળે સાથે જમવા લઈ જ નહિ. આ રીતે તેની પ્રતિષ્ઠા ઘટી. એ પણ મેટું નુકશાન જ થયું.
એક સ્ત્રી ગમતી અને બીજી સ્ત્રી અણગમતી બને છે, ત્યારે ગૃહજીવનમાં કજિયા-કંકાસ શરૂ થાય છે અને તેમાં નહિ ધારેલાં એવાં અનિષ્ટ પરિણામે આવે છે, તે અંગે સુભટની કથા જાણવા જેવી છે.
સુભટની કથા 1. સુભટ નામના એક રાજ્યાધિકારીને સુરંગી નામની સ્ત્રી હતી, જે બહુ ભલી અને ભેળી હતી. આ સ્ત્રીથી તેને એક પુત્ર થયા હતા, તેનું નામ સોનપાલ પાડયું હતું હવે પુત્રને પ્રસવ થયા પછી સ્ત્રીની તબિયત લથડી અને તેના શરીરનું સૌદર્ય ઘણે અંશે ઓછું થઈ ગયું. તેથી સુભટનું મન તેના પરથી ઊતરી ગયું. કહ્યું છે કે – લાગે વાર ન ભાંગતાં, એાછા નરની પ્રીત; અંબર-ડંબર સાંજને, ન્યૂ વેળુની ભીત.
સુરંગી પરને નેહ ઓછો થઈ જતાં સુભટે ઘણું ધન ખરચીને કુરંગી નામની બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દેખાવમાં ફૂટડી હતી અને હાવભાવ તથા ચેન–
Page #364
--------------------------------------------------------------------------
________________
દ્વેષને ત્યજો
૫૫
ચાળામાં નિપુણ હતી, તેથી ઘેાડા જ વખતમાં તેણે સુભટનુ દિલ જીતી લીધું અને સુભટ તેની જ આંખે જોવા લાગ્યા. કોઈ કવિએ ઠીક જ કહ્યુ છે કે—
નારી મદન-તલાવડી, ખૂડચો સબ સંસાર; કાઢણહારા કે નહીં, કહાં કરું. પાકાર ?
કુરંગી હૃદયની કૂડી હતી. દ્વેષ, ઇર્ષા, અભિમાન, અસત્ય, ચાડીચુગલી વગેરે અનેક દુર્ગુણાએ તેના અ તરમાં વાસ કર્યા હતા. વળી શિયળ વ્રત કે જે સ્ત્રીએના મુખ્ય અને સાચા રાણુગાર ગણાય છે, તેમાં પણ તે શિથિલ હતી, તેથી નવા નવા પુરુષોને જોઈ તેમની સાથે ક્રીડા કરવાને ઈચ્છતી હતી, પરંતુ સુરંગીની સતત હાજરીને લીધે તેની એ ઈચ્છા પારપડતી ન હતી. પરિણામે તેના હૃદયમાં સુરગી માટે ભયાનક દ્વેષ ઉત્પન્ન થયા અને તે એને ગમે ત્યારે ગમે તે રીતે ઉતારી પાડવા લાગી. પણ સુરંગી સમજી અને શાણી હતી, તેથી કુર`ગીએ કરેલાં સઘળાં અપમાનાને પૂર્વકર્મના ઉદય જાણીને શાંતિપૂર્વક ગળી જવા લાગી.
લડવાનું ગમે તેવું કારણ આપવા છતાં સુરંગી જ્યારે શાંત રહી, ત્યારે કુરંગીએ ધણીના કાન ભ ંભેરવા માંડયા :
6
તમારી ખૂનીનાં લક્ષણા જરાયે સારાં નથી. જો તમને એની અધી વાતેા કરવા બેસુ તા તમને એમ જ લાગશે કે આ તે શાકચના ખારથી બોલે છે, પણ મારા હૃદયમાં તેવું ક ંઈ નથી. હું તો એને સગી બહેન જેવી જ ગણુ છું. પરંતુ તમારી લાજ–આબરૂને બટ્ટો લગાડે, તે મારાથી જોવાતું નથી. એ
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સામાયિક-વિજ્ઞાન રોજ નવા નવા માણસને ઘરમાં ઘાલે છે અને તેમની સાથે અનેક પ્રકારની વાત કર્યા કરે છે, માટે તમારે જે વિચાર કરે હોય, તે કરો.”
આ પ્રકારની સતત ઉશ્કેરણીથી સુભટે એક ઘર, થોડું રાચરચીલું, પાંચ ગાયે અને પાંચ રૂપિયા રોકડા આપી. સુરંગીને તેના પુત્ર સેનપાલ સાથે જુદી કાઢી. | કુરંગી એકલી પડતાં પોતાનું મનમાન્યું કરવા લાગી અને સુભટ તેને તાબેદાર સેવક હોય તે જ બની ગયે. કહ્યું છે કે –
જે શૂરા, જે પંડિતા, જે શાણું ગંભીર
નારી સર્વ નચાવિયા, ત્યમ જે બાવન વીર. - હવે એક દિવસ તે નગરના રાજા વિજ્યયાત્રાએ નીકળે, તે વખતે સુભટને તેની સાથે જવાનું થયું, એટલે તેણે કુરંગીની વિદાય માગી. કુરંગીએ કહ્યું: “હે સ્વામિનાથ! તમારા વિયેગને એક એક દિવસ મને સે સો વરસ જેવડો લા લાગશે, તેથી કૃપા કરીને મને સાથે લેતા જાઓ.’
સુભટે કહ્યું “હે પ્રિયે ! લડાઈમાં તારું કામ નથી. વળી રાજાજીને એ હુકમ છે કે કોઈ પણ સ્ત્રીને યુદ્ધમાં સાથે લેવી નહિ. તેથી તું અહીં જ રહે અને ખાઈ-પીને મેજ કર. હું થોડા જ દિવસમાં પાછો આવીશ.”
સુભટના આ જવાબથી કુરંગીએ આંખમાં આંસુ લાવીને કહ્યું : “તમારી જે કંઈ આજ્ઞા હશે, તે માથે ચડાવીશ, પણ મારાથી અહીં એકલું રહેવાશે નહિ. હું તેની સાથે.
Page #366
--------------------------------------------------------------------------
________________
દ્વેષને યો
૨૫૭
વાત કરીશ ? કોનું માઢું જોઇને રાજી થઇશ ? વળી આપણા પાડોશીઓ ખૂબ નટખટ છે. તે તમે કયાં જાણતા નથી ? માટે તમે અને તેટલા વહેલા આવજો.
સુભટ રાજાની સાથે ગયા અને કુરંગી એકલી પડી. આ વખતે તેના મનમાં પરપુરુષને ભોગવવાની ઈચ્છા જાગૃત થઇ, તેથી એ ગામમાં ચંગા નામના એક યુવાન અને રૂપાળા સોની હતા, તેને ઘરેણાં ધાવડાવવાનાં બહાના તળે પોતાના ઘરે એલાવ્યા અને એકાંતમાં લઈ જઈને કહ્યું ઃ - હું યુવાન ! તું રૂપ અને કલાનેા ભંડાર છે, તેમ હું પણુ નવયૌવના અને રંગીલી છું, માટે તુ કથ્યુલ થા તે! આપણે સંસારના લહાવા લઇએ. ’જો તુ મારી આ માગણી કબૂલ નહિ કરે તો હું આપઘાત કરીશ અને તેનું પાપ તાસ કપાળે ચોંટશે.’
:
ચંગો બદમાશ હતા અને બધી વાતે પૂરી હતા. સાત મહાવ્યસના પૈકીનુ કાઈ પણ મહાવ્યસન એવું ન હતું કે જેનું તે સેવન કરતુ ન હેાય. તેણે કહ્યું: ‘ જારકમમાં ઘણું જેખમ રહેલું છે, છતાં તેમાં હું સંમત થાઉં છું, કારણ કે મારા શિરે સ્ત્રીહત્યાનું પાપ ચાંટે, તે હું જરા પણ ઇચ્છતો નથી. ' પછી તે અને શ્રેષ્ટ ભોગવિલાસ કરવા લાગ્યાં અને મનગમનતુ ધન ઉડાવવા લાગ્યાં.
એવામાં એક દિવસ સુભટના સદેશે। આવ્યો કે હું ચાર રાજમાં ઘરે આવું છું.’ એટલે ચ’ગાએ સમજાવી-પટાવીને તેની પાસે બાકી રહેલી બધી વસ્તુઓ પડાવી લીધી.
સા, ૧૭
Page #367
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
હવે સુભટ તદ્દન નજીક આવી પહેાંચ્યા, એટલે તેણે માણસ મેકલીને કહેવરાવ્યું કે · આવતી કાલે બાર વાગે હું ઘરે આવીશ, માટે રસાઈ-પાણી તૈયાર ૬ાખજો, ' આ સંદેશાથી કુર ંગીને ચિંતા થઈ કે ઘરમાં કોઈ સારી વસ્તુ તે રહી નથી, તેથી સ્વામીના ચૈાગ્ય સત્કાર શી રીતે કરીશ ? પરંતુ બુદ્ધિ કેબીને તે સુર ંગીને ઘરે ગઈ અને પ્રણામ કરીને કહેવા લાગી કે ‘ મેટાં બહેન ! તમને એક વધામણી આપું? ’
૨૫૮
કોઈ દિવસ નહિ ને આજે રંગીને પેાતાને ત્યાં આવેલી જોઈ સુર ગીને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ મનુષ્યના હૃદયમાં અનેક વાર આકસ્મિક પરિવર્તન થાય છે, તેને ખ્યાલ કરીને બોલી : ખડેન ! શુ વધામણી લાવી છે ?” કુરંગીએ કહ્યું : ' આપણા મહારગામ હતા, તે આવતી કાલે
તુ
:
તે સાંભળીને સુરંગીએ કહ્યું : ‘ બહેન ! તારા મેઢામાં સાકર, પરંતુ તેમનું સ્વાગત હું શી રીતે કરી શકીશ ? એ તે મારી સામે ઊંચી નજરે પણ શ્વેતા નથી !’
કુરંગીએ કહ્યું : ‘ તેની ફિકર કરશેા નહિ, એ તો હું સમજાવીને તમારે ત્યાં જ ભોજન કરાવીશ, માટે કાલે તમે ભાતભાતનાં ભાજન તૈયાર કરજો. '
સ્વામી બાર મહિનાથી બપોરે આવી પહોંચરો. ’
સુરંગીને લાગ્યું કે હવે મારા દિનમાન પાંસરા લાગે છે, નહિ તેા છકેલી શાકચના મુખમાંથી આવા સહાનુભૂતિભર્યા શબ્દો નીકળે નહિ, તેણે આ ભલમનસાઈ માટે કુર
Page #368
--------------------------------------------------------------------------
________________
ને ત્યજો
૫૯ ગીને આભાર માન્ય અને કુરંગી મનમાં મલકાતી પિતાના ઘરે ગઈ
બીજા દિવસે સવારે સુરંગીએ વહેલા ઉઠીને ભાતભાતનાં ભેજન તૈયાર કર્યા અને પતિના આગમનની રાહ જેવા લાગી. આ બાજુ કુરંગીએ કંઈ પણ રસોઈ તૈયાર ન કરતાં જેમતેમ કરીને પેટપૂજા કરી લીધી અને સુભટના આવવાના સમયે ઘરનાં બારણું બંધ કરી દીધાં.
વાયદા મુજબ સુભટ આવી પહોંચ્યું, પરંતુ ઘરનાં બારણું બંધ જોઈને વિચારમાં પડ્યો. તેણે તે એવી આશા રાખી હતી કે “કુરંગી મારી રાહ જોઈને ઊભી હશે અને તે મને જોતાં જ ઓછી ઓછી થઈ જશે. પછી તે મધુર સ્મિતપૂર્વક ભાવભીનું સ્વાગત કરશે, અને અમે બંને જણા તારામૈત્રિક રચતાં ઘરમાં જઈશું. પરંતુ કેઈ કારણસર એમ બન્યું નહિ હોય, એમ માનીને તેણે મોટેથી કહ્યું હે પ્રિયે! બારણાં ઉઘાડ. હું સુભટ બહારગામથી આવી ગયે છું. છતાં ઘરમાંથી કાંઈ પણ ઉત્તર આ નહિ કે કુરંગીના આવવાનાં પગલાં સંભળાયાં નહિ, તેથી “રખેને કુરંગીને કેઈ કારણે માઠું લાગ્યું હોય એમ માની તેણે કહ્યું: “હે ચંદ્રાનને ! હે સુબ્ર! હું ઘણું દિવસે બહારગામથી આવ્યો છું અને તારું મનહર મુખડું જોવાને ઉત્સુક છું, માટે જલદી બહાર આવ. આ રીતે તું લઇજા રાખે, એ કઈ પણ રીતે એગ્ય નથી.”
Page #369
--------------------------------------------------------------------------
________________
ર0
સામાયિક-વિજ્ઞાનન્દ સુભટે જ્યારે આવા અનેક પ્રકારનાં મધુર વચને કહ્યાં, ત્યારે કુરંગીએ ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ ન તે તેનો સત્કાર કર્યો કે ન તેની કુશળતા પૂછી. એ તો એક બાજુ મહું ચડાવીને બેઠી. સુભટે જોયું કે કુરંગી પૂરેપૂરી રોષમાં છે અને તેને રેષ કરવાનું કઈ પ્રબલ કારણ જરૂર મળ્યું હશે, તેથી પ્રેમપૂર્વક કહ્યું: “હે પ્રિયે! મારે એવે છે અપરાધ થયે છે કે તું મને નેહપૂર્વક બેલાવતી નથી ? વળી તારા હાથની રસોઈ જમવા હું ઘણું જ આતુર છું, માટે ઊભી થા અને મારું ભાણું પીરસ”
તે વખતે કુરંગીએ જમ્બર છણકો કરતાં કહ્યું: “તમારા જેવા ઢોંગી માણસ આ દુનિયામાં કેવું હશે ? તમે અગાઉથી સુરંગીને કહેવડાવ્યું છે કે કાલે હું તારે ત્યાં ભેજન કરીશ, તેથી તેણે ભાતભાતનાં ભોજન બનાવ્યાં છે, માટે તેને ત્યાં જાઓ. મારી નાહક બનાવટ શા માટે કરે છે? એવામાં સુરંગીએ મોકલેલે સેનપાળ ત્યાં આવી પહોંચ્યા અને સુભટને પગે લાગીને કહેવા લાગ્યું કે “પિતાજી! આપણા ઘરે ચાલે. મારી માતાએ સઘળી જઈ તૈયાર કરી રાખી છે.”
આ બધું શું બની રહ્યું છે? તેની સુભટને કાંઈ સમજ પડી નહિ. તે કુરંગીના મુખ સામે તાકી રહ્યો, પણ કુરંગી અસહ્ય વચનની ઝડી વરસાવી રહી હતી. છેવટે તેણે સુભટને જાકારો દેતાં કહ્યું : “એ ધૂતારા ! તું અહીંથી, દૂર થા અને તારી માનીતીને ત્યાં જા. તે તને ભોજન
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૬૧.
દ્વિષને ત્યજે કરાવશે. હવે તારે મારે ખપ નથી, તે હું સારી રીતે જાણું છું.'
કુરંગીના આવા અજબ વર્તનથી આશ્ચર્યચકિત થયેલ સુભટ આખરે સુરંગીના ઘરે ગયે, જ્યાં સુરંગીએ તેને અંતરના ઉમળકાથી સત્કાર કર્યો અને ઘણું ઘણું માન આપ્યું. પછી તેણે સુભટને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને જમવા બેસા.
એક સુંદર બાજોઠ ઉપર કાંસાને મોટો થાળ મૂકેલો છે અને તેમાં નાની–મોટી અનેક વાડકીઓ યથાસ્થાને ગોઠવેલી છે. એ થાળમાં સુરંગીએ મેસુર, દહીંથરા, સેવ, મમરી, તળેલા પાપડ અને ફરસાણ પરણ્યાં, પછી જુદી જુદી વાડકીમાં ભીંડા, તુરિયા, પરવળ અને કાકડીનાં શાક પીરસ્યાં તથા અનેક મસાલાથી સ્વાદિષ્ટ બનાવેલી તુવરની દાળ પણ પીરસી. ત્યારબાદ ચટણી, રાયતાં તથા અથાણાં મૂકયાં અને હાથમાં વીંઝણે લઈને પવન નાખવા લાગી, પરંતુ સુભટને હાથ જમવા માટે લાંબે થેયે નહિ.
સુરંગી વસ્તુસ્થિતિ પામી ગઈ, છતાં ધણીનું મન સ્પષ્ટપણે જાણવા માટે તેણે નમ્રતાથી પૂછ્યું : “હે સ્વામી! તમે ભજન કેમ કરતા નથી ?”
સુભટે કહ્યું : “જમવાની ખાસ ઊલટ થતી નથી.”
એ સાંભળી સુરંગીએ ફરી પૂછયું : “શું એમાં કાંઈ ખામી જણાય છે ?”
સુભટે કહ્યું : “હા, એમાં એક વસ્તુની ખામી છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સામાયિક-વિજ્ઞાન. જે કુરંગીએ બનાવેલું શાક એમાં ઉમેરાય, તે બધું ભેજન અમૃત જેવું મીઠું લાગે.”
સુરંગીએ કહ્યું : “આમાંનું કઈ પણ શાક ચાખ્યા વિના તમને શું ખબર પડી કે તે કુરંગીના હાથે બનાવેલ. શાક જેવું સ્વાદિષ્ટ નથી ?
સુભટે કહ્યું : “એ તે એની સોડમ જ કહી આપે. એમાં ચાખવાની જરૂર નથી.”
સુરંગી સમજી ગઈ કે “સુભટની વિવેકબુદ્ધિ પર પક્ષપાતનાં ચમાં ચડી ચૂકયા છે, તેથી ગમે તેવી દલીલ. કરીશ, તે પણ તેના ગળે ઊતરશે નહિ” તેથી તે ઊઠીને ઊભી થઈ અને કુરંગીને ઘરે ગઈ. ત્યાં તેણે કહ્યું : “બહેન ! સ્વામીનું મન તમારામાં વહ્યું છે, તેથી તેમને મારા કરેલાં પકવાન કે શાક ભાવતાં નથી, માટે તમારું બનાવેલું શાક આપો કે જેથી તેઓ ઊલટપૂર્વક ભજન કરે.'
કુરંગીએ જોયું કે આટઆટલે તિરસ્કાર કરવા છતાં સુભટનું મન પોતાના પર ટેલું છે, તેમ છતાં તેની પરીક્ષા કરવી જોઈએ, તેથી તેણે સુરંગીને કહ્યું : “બહેન ! થોડીવાર આ પરસાળમાં બેસે. હું આપનું સ્વામી માટે ગરમાગરમ શાક બનાવી આપું છું. એટલે સુરંગી પરસાળમાં બેઠી અને કુરંગી મકાનના પાછલા ભાગમાં જઈને પાડીએ કરેલું તાજું છાણ લઈ આવી. પછી તેમાં આટ, લૂણ, મરી વગેરે નાખીને હિંગવડે વઘાયું અને લીંબુનો પટ દઈને ગરમાગરમ શાકને વાડકો ભરી આપ્યો.
Page #372
--------------------------------------------------------------------------
________________
હેપને ત્ય
સુરંગીએ આ શાક સુભટ આગળ ધર્યું, એટલે તે બોલી ઊઠઃ “જઈ આ શાકની સોડમ ? તેમાંથી કેવી મધુર વાસ આવી રહી છે? અરે! તેને દેખાવ જ કહી આપે છે કે તે એક ઉત્તમ પ્રકારનું નાનાવિધ વ્યંજનેવાળું ઉત્તમ પ્રકારનું શાક છે. પછી તેણે ભજન કરવા માંડ્યું, તેમાં સુરંગીએ બનાવેલી વસ્તુઓ તે જુજજાજ ખાધી, પણ કુરંગીએ બનાવેલું શાક બધું જ ખાઈ ગયે અને બેલી ઊડે કે દુનિયામાં શાક બનાવનારાઓ ભલે બનાવે, પણ તેમાંનું કોઈ શાક કુરંગીએ બનાવેલા શાકની તોલે આવે નહિ
શ્રેષથી કુરંગીનું કેવું અધઃપતન થયું અને સુભટને કઈ સ્થિતિમાં લાવી મૂક્યો ? તે આ પરથી સમજી શકાશે.
શ્રેષને ધારણ કરનારે નિંદામાં સહેજે સરકી જાય છે અને અવર્ણનીય આનંદ માનતે થાય છે, પણ તે જાણ નથી કે આ તે અધઃપતન તરફની આગેકૂચ છે. સુજ્ઞ મનુષ્ય દરેક બાબતમાં લાભ અને નુકશાનને વિચાર કરે છે, તે આમાં પણ તેમણે લાભ અને નુકશાનને વિચાર કરે જોઇએ. અન્યની નિંદા કરવામાં કે અવર્ણવાદ બલવામાં લાભ તે કશું જ નથી, જ્યારે નુકશાન અનેક પ્રકારનું છે. પ્રથમ તો નિદા કરવાથી મન દૂષિત થાય છે, બીજું વાણી અપવિત્ર બને છે, ત્રીજું સમય બરબાદ થાય છે, ચોથું બીનજરૂરી દુશ્મનાવટ ઊભી થાય છે અને પાંચમું સમાજહિતનાં અનેક કાર્યો બગડે છે. તે પછી નિંદા કે અવર્ણવાદમાં પડવું શા માટે?
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સામાયિક-વિજ્ઞાન એક કવિએ કહ્યું છે કે :न विना परिवादेन, हृष्टो भवति दुर्जनः । काकः सर्वरसान् पीत्वा, विनाऽमेध्यं न तुष्यति ।
બીજાની નિંદા કર્યા વિના દુર્જનને હર્ષ–આનંદ થતું નથી. કાગડો બધા રસ પીધા પછી અશુચિમય પદાર્થ તરફ જાય, ત્યારે જ તેને આનંદ થાય છે.”
તેમ જदह्यमानाः सुतीवेण, नीचाः परयशोऽग्निना । अशक्तास्तत्पदं गन्तुं, ततो निन्दां प्रचक्रिरे ॥
પયશ રૂપી તીવ્ર અગ્નિ વડે નિરંતર બળી રહેલા નીચ પુરુષે યશસ્વીના પગલે ચાલવાને અશક્ત હેવાથી તેમની નિંદા કરવા લાગી જાય છે.”
આ વિષયમાં કવિવર સમયસુંદરજી શું કહે છે ? તે સાંભળોઃ આપ સંભાળે સહુ કે આપણે રે,
નિંદાની મૂકે પડી ટેવ રે; થડે ઘણે અવગુણે સહુ ભર્યા રે,
કેહનાં નળિયાં ચુએ કેહનાં નેવરે. નિંદા કરે તે થાય નારકી રે;
તપ–જપ કીધું સહુ જાય રે; નિંદા કરો તો કરજો આપણું રે;
જેમ છૂટકબારે થાય રે.
Page #374
--------------------------------------------------------------------------
________________
દ્વેષને ત્યજો
૨૬૫
• હું લેાકો ! તમે તમારા આત્માને સંભાળે, એટલે કે તેના હિત તરફ સતત દૃષ્ટિ રાખીને ચાલે. તમને અન્યની નિંદા કરવાની ટેવ પડી છે, તે ોડી દો. આ જગતમાં થોડે ઘણા અવગુણ તે બધી વ્યક્તિઓમાં ઢાય છે. કોઈનાં નળિયાં ચૂતાં હાય છે, તેા કોઈનાં નેવાં ચૂતાં હાય છે, એટલે કે કોઇમાં થોડા અવગુણુ હાય છે, તેા કાઈમાં વધારે અવગુણુ હાય છે. માત્ર અરિહંત પ્રભુ જ એવા છે કે જેમનામાં કંઇ અવગુણ હાતા નથી.
નિંદા કરવાની ટેવવાળા નરક ગતિમાં જાય છે અને તેણે જે કઈ તપ-જપ કયુ હોય તે બધું નિદાના કારણે ધોવાઇ જાય છે. જો તમારાથી નિદા કર્યા વિના રહેવાતુ જ ન હાય, તેા તમારી જાતની નિંદા કરો, એટલે કે તમે જે જે ખાટાં કામે કર્યા છે, તેને યાદ કરીને દિલગીર થાઓ, તો તમારા કર્મ બંધનમાંથી સદાને માટે છુટકારો થશે અને તમે મોક્ષના અધિકારી થશે. ’
દ્વેષમાંથી ઈર્ષ્યા જાગે છે અને તે મનુષ્યને અવનતિ તરફ દોરી જાય છે. આ વસ્તુની વધારે સ્પષ્ટતા અમે લુબ્ધકની કથા દ્વારા કરીશું.
લુબ્ધકની થા
નરપતિ રાજાને લુબ્ધક નામના સેવક હતા. તે ઘણા જ સ્વાથી, અભિમાની અને ઈર્ષ્યાળુ હતા, તેથી કેઈ પણ માણસનું સારું તેનાથી જોઈ શકાતુ નહિ. જો તેને એમ અબર પડે કે અમુક માણસને વેપાર રોજગારમાં એ પૈસાની
Page #375
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
બરકત થઈ છે, અથવા અમુક માણસે ઘણું ધન ખરચીને મેડી-માળવાળાં મનહર મકાન બનાવ્યાં છે, અથવા અમુક માણસ પાંચમાં પૂછાતે થયે છે, તે તરત તેની નજરમાં તે આવી જતા અને જ્યારે તે કેઈ ને કોઈ ઉપાયે તેને વાંક-ગુનામાં લાવીને દંડાવ ત્યારે જ તેના સંતપ્ત હૃદયને શાંતિ થતી.
લુબ્ધકની આ ટેવ સુધારવા માટે સગાંવહાલાં તથા ભાઈબંધ-દેતેએ ઘણી મહેનત કરી અને સાધુ-સંતોને બોલાવી તેમની પાસે ઉપદેશ કરાવ્યો, પરંતુ મચ્છીના દેહની દુર્ગધ ટળે, શ્વાનની પૂંછડી સીધી થાય કે કાજળ પિતાને કૃષ્ણ રંગ છોડી દે તે જ દુષ્ટ પિતાની દુષ્ટતા છોડે છે. એટલે તેમનું કંઈ પણ વળ્યું નહિ.
લુબ્ધક જીભને મીઠે હતું કે જેવા મીઠા લગભગ બધા દુષ્ટ હોય છે. તેથી જ કેઈ કવિએ કહ્યું છે કે
અહે! હૈયું દુર્જન તણું, દીસે રાતું બર, ઉપરથી રણિયામણું, ભીતર કઠિન કોર,
મીઠાબેલા માનવી સહુને ગમે છે. ખાસ કરીને શ્રીમંત તથા રાજાઓને તે વધારે ગમે છે. તેથી લુબ્ધકને દરજજો દિન-પ્રતિદિન વધતે ગયે અને એક દિવસ એ આવ્યો કે આખા રાજ્યમાં તેનું ચડી વાગ્યું. આ સગોમાં તેની મહેરબાન મેળવવા કે તેના બેફમાંથી બચવા માટે અનેક ધનવાન, આબરૂદાર તથા ગરજુએ તેને સલામ કરવા લાગ્યા અને એક યા બીજા બહાને ભેટ-સોગાદના રૂપમાં લાંચરૂશ્વત આપવા લાગ્યા.
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રેષને ત્યજો
૨૬૭ . લુબ્ધકને ધર્મ કે કર્મમાં શ્રદ્ધા ન હતી, સદાચાર અને સુનીતિમાં વિશ્વાસ ન હતું. તેમજ પરભવને કઈ પ્રકારને ડર ન હતો, તેથી આ પ્રકારની આવકને તેણે સત્કાર કર્યો અને દોલતને ગંજ એકઠો કર્યો.
હવે તેની હદમાં અને તેના જ ગામમાં તુંગભદ્ર નામને એક કણબી રહેતું હતું કે જે ઘણે માલદાર અને ઘણે જોરાવર હતું. તે સાધુ-સંતેને દાન આપતે, ભગત-ભિખારીઓને પિતાને ત્યાં જમાડતે અને ગરીબ-ગુરબાને અન્ન, વસ્ત્ર તથા ઔષધની સહાય કરતે. આ કારણે સહુ તેને ભગતના માનભર્યા નામથી ઓળખતા હતા અને તેનું ઘણું સન્માન કરતા હતા. આ જોઈ લુબ્ધકને અંતરમાં ઈષ્યની આગ ઊઠી : “માળે પટેલ..જે બળદનાં પૂંછડાં આંબળનારે ગણાય, તે પાંચ-પચીશ ભગત–ભિખારીઓને રોટલાના ટુકડા ફેંકીને માટે દાનેશ્વરી થઈ બેઠો છે અને મને તે સલામ ભરવા પણ આવતો નથી, તો હું ચે તેને કરી દેખાડું અને લુબ્ધકે પિતાને પુરાણ આદત મુજબ તેને વાંક-ગુનામાં લાવવા માટે એક તાગડે ર, પણ ચતુર તુંગભદ્ર તેમાં ફસાયે નહિ. આથી વધારે ચીડાઈને લુબ્ધકે બીજે તાગડો રશે, પરંતુ તે પણ નિષ્ફલ ગ. સદ્બુદ્ધિને ધણી તુંગભદ્ર તેમાં ફસાયે નહિ, એટલે લુબ્ધકે ત્રીજે તાગડ ર, છતાં પુણ્યબળને લીધે તેમાંથી તે આબાદ બચી ગયે..
પિતાના દાવ ઉપરાઉપરી નિલ ગયેલા જોઈને લુખ્યકને ઘણું લાગી આવ્યું અને તુંગભદ્રને તારાજ કરવા માટે
Page #377
--------------------------------------------------------------------------
________________
- ૨૬૮
સામાયિક-વિજ્ઞાન તે કઈ નવી જ યુક્તિ ધવા લાગે. પણ તે ભૂલી ગયે. કે “માપવાને ગજ મનુષ્યના હાથમાં છે, તે કાતરને કાબૂ કુદરતના હાથમાં છે.” એટલે પુણ્યશાલીને પાયમાલ કરવા માટે ગમે તેવાં કુટિલ કારસ્થાને કરવામાં આવે, તે બધાં જ નિષ્ફલ જાય છે.
તુંગભદ્ર કેઈ પણ પ્રકારના વાંક-ગુનામાં આવે તે પહેલાં લુબ્ધક બિમાર પડી ગયું અને તેની એ બિમારી દિન-પ્રતિદિન વધતી ચાલી. એ બિમારીમાંથી બચવા માટે તેણે સારા સારા વૈદ્ય-હકીમેને આશ્રય લીધે, પણ તૂટીની બૂટી હજી સુધી કઈ વૈદ્ય-હકીમને મળેલી નથી, એટલે લુખ્યકને આ જગતમાંથી વિદાય લેવાની વેળા આવી પહોંચી.
મૃત્યુને સમય સામાન્ય રીતે અતિ ગંભીર ગણાય છે, કારણ કે એ વખતે મનુષ્યની સમક્ષ તેના સમસ્ત જીવનને ચિતાર ખડે થાય છે અને આ જગતમાં જન્મીને તે પિતાની સાથે શું લઈ જાય છે? તેને વિચાર તેને આવવા લાગે છે. તેમાં જેઓનું જમા–પાસું દાન, દયા, પરોપકાર અને પુણ્યકાર્યો વડે જોરદાર હોય છે, તેમને અફસ કે અરેકારો થતું નથી, પણ એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે, જ્યારે અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ કરવા વડે જેમણે ઉધાર બાજુ વધારી હોય છે, તેમને હૃદયમાં અફસેસ અને અકારની આંધી જામે છે, પરંતુ કેટલાક મનુષ્ય દુષ્ટતામાં એટલા ઊંડે દટાઈ ગયા હોય છે કે તેમને આખર વેળાએ પણ સન્મતિ સૂઝતી નથી કે
Page #378
--------------------------------------------------------------------------
________________
દ્વેષને ત્યજો
૨૬૯ :
પોતાના કુકર્મોના પશ્ચાત્તાપ થતા નથી, ઉલટું પેાતાના પુરાણાં પાપાને પૂરાં કરવાની ઝંખના રહે છે અને તેથી એક પ્રકારની ઊ'ડી અકળામણ અનુભવતાં આ જગતને છેલ્લી સલામ ભરે છે.
લુબ્ધકનું પણ તેમ જ થયું'. તે એક પ્રકારની ઊડી અકળામણ અનુભવવા લાગ્યા. તે જોઈને તેના પુત્રોએ કહ્યું : હું પિતાજી ! આપ આટલા બધા કેમ
:
અકળાએ છે ? જો આપની કોઈ ઇચ્છા અધૂરી હોય તે અમને સુખેથી જણાવે, તે મે પૂરી પાડીશુ. આપ કહે તે વીશ, પચીશ કે પચાશ ગાયા શણગારીને તેનુ બ્રાહ્મણાને દાન કરીએ, જેથી આપને વૈતરણી પાર કરવામાં સુગમતા પડે. અથવા આપ જણાવો તે સુંદર શય્યાઓનુ બ્રાહ્મણીને દાન આપીએ, જેથી આપને સ્વમાં સુખભરી નિદ્રા આવે, અથવા આપની ઇચ્છા હોય તે આપને રૂપિયાથી તાળીએ અને તે રૂપિયા બ્રાહ્મણેાને વહેંચી દઇએ, જેથી પુણ્યનું ભાથું મંધાય અને આપને આત્મા શાંતિમાં રહે. ’
તે સાંભળીને લુબ્ધકે કહ્યું : મારે ધમ કે દાનપુણ્યની કોઈ જરૂર નથી; પરંતુ એક જ વસ્તુની જરૂર છે અને તે એ કે મારી જીંદગીમાં મે' જેમને નજરમાં લીધા હતા, તે સઘળાના કોઈ ને કોઈ પ્રકારે દંડ કરાવ્યેા છે, પણ એક તુંગભદ્ર પટેલ તેમાંથી છટકી જવા પામ્યા છે, માટે તેના દંડ થાય, તેવા કોઈ ઉપાય કરો, ’
Page #379
--------------------------------------------------------------------------
________________
ર૭૦
સામાયિક-વિજ્ઞાન પુત્રોએ કહ્યું : “પિતાજી!એવી વાત ન કરે. અત્યારે તે રમનું નામ લે અને દાન-પુણ્યની વાત કરે. જેથી તમારી સદ્ગતિ થાય. પરંતુ આ શબ્દોએ લુમ્બકના અતિ કઠોર હદય પર જરા પણ અસર કરી નહિ. ઊલટું તે કહેવા લાગ્યું કે “જો તમે મારા સાચા પુત્ર , તો મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરે.”
પિતાની આ જાતની હઠથી કાયર થઈને પુત્રોએ એ વાત કબૂલ કરી, ત્યારે લુબ્બકે કહ્યું કે “આ કાર્ય પાર પાડવાને જે ઉપાય હું તમને બતાવું, તેમ જ કરજે, પણ અન્ય રીતે વર્તશો નહિ. જુઓ, હું મરી જાઉં એટલે મારી પાછળ કઈ રડશે નહિ. જે રડો તે તમને મારા સોગન છે; પછી મારા મડદાને ગુપચૂપ તુંગભદ્રના ખેતરમાં લઈ જજે અને તેણે જ મને મારી નાખે છે, એવી બૂમરાણ મચાવજે, એટલે રાજાના સૈનિકે તેને પકડી જશે અને તેના પર કામ ચલાવીને તેને શિક્ષા કરશે.”
પુત્રોએ તે પ્રમાણે કરવાની કબૂલાત આપી, એટલે લુબ્ધકના ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. પછી પુત્રોએ શું કર્યું ? તે કહેવાની જરૂર નથી, કારણ કે એક ઈર્ષાળું મનુષ્ય આખરે કેટલી નીચી હદે પહોંચી જાય છે, તે બતાવવાને જ અહીં મુખ્ય ઉદ્દેશ છે.
સમગ્ર વિવેચનને સાર એ છે કે શ્રેષના દરેક સ્વરૂપને - ત્યજે. જે શ્રેષને ત્યજશે તે જ સમભાવની સિદ્ધિ શકય બનશે.
Page #380
--------------------------------------------------------------------------
________________
દ્વેષને ત્યજો
૨૦૧
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી વસ્તુ ગમતી નથી, તેનું કારણ શું ?
ઉત્તર-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી ગમતી નથી, તેનુ કારણ આપણા અંતરમાં રહેલી રાગ અને દ્વેષની વૃત્તિ છે. જ્યારે આ બને વૃત્તિએને ક્ષય થાય છે, ત્યારે ગમા—અણુગમા જેવું કંઇ રહેતુ નથી.
પ્રશ્ન-આપણે બે વ્યક્તિઓને જીવનમાં પહેલી જ વાર મળતા હોઇએ, ત્યારે એક પર સ્નેહ-સદ્ભાવ જાગે છે અને બીજા પર અપ્રીતિ કે અણગમે! થાય છે, તેનુ કારણ શું?
ઉત્તર-આમ થવાનું મુખ્ય કારણ પૂર્વભવના સંબધા છે. જેની જેડે પૂર્વભવમાં સારા સબંધ બંધાયા હાય, તેને નજરે જોતાં સ્નેહ-સદ્દભાવના જાગે છે અને જેની જોડે પૂર્વભવમાં વેર બંધાયેલું હાય, તેને નજરે જોતાં અપ્રીતિ કે અણગમા જાગે છે. તે અ ંગે ભગવાન મહાવીરના જીવનની એક ઘટના જાણવા જેવી છે.
શ્રી ગૌતમ સ્વામીએ એક હાલિકને-ખેડૂતને પ્રતિબેધ કર્યાં અને તેણે સંસારને અસાર જાણી તરત જ તેમની પાસે દીક્ષા લીધી. પછી ગૌતમ સ્વામી એ શિષ્યને લઇને ભગવાન મહાવીર પાસે જવા નીકળ્યા. તે વખતે હાલિક શિષ્યે પૂછ્યું : ‘ ભગવન્! આપણે કયાં જવું છે ? ' શ્રી
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સામાયિક-વિજ્ઞાન. ગૌતમ સ્વામીએ કહ્યું : “હે શિષ્ય ! મારા ગુરુ પાસે જવું છે.” હાલિક મુનિએ કહ્યું : “તમે પોતે મોટા મહાત્મા છે. શું તમારા માથે પણ ગુરુ છે? તે એ ગુરુ કેવા હશે ?” શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું : “એ સર્વજ્ઞ અને સર્વદશી મહાપુરુષ છે તથા ત્રીશ અતિશયથી યુક્ત છે. આ કાલે તે તેમના જેવા અન્ય કોઈ ગુરુ મળવા મુશ્કેલ છે.”
પછી બંને જણા ભગવાન મહાવીર સમીપે આવ્યા. ત્યારે હાલિક મુનિએ પૂછ્યું કે “હે ગુરુ મહારાજ ! આ સામે બેઠા એ કેણ છે ? ” શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું : એ જ મારા ગુરુ છે. એ સાંભળી હાલિક મુનિએ કહ્યું : જો એ જ તમારા ગુરુ હોય તો મારે તમારી સાથે રહેવું નથી અને મારે આ દીક્ષા પણ જોઈતી નથી.” એમ કહી રજોહરણ વગેરે ત્યાં જ મૂકી તે તરત ચાલ્યો ગયો.
ત્યાર પછી શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન કરીને પૂછયું કે “હે ભગવન્! તમારા જેવા સમગ્ર લેકને આનંદ ઉત્પન્ન કરનાર પુરુષ ઉપર પણ આને દ્વેષ ઉત્પન્ન થયે, એ જોઈ મને આશ્ચર્ય થાય છે.”
ભગવાને કહ્યું : “હે ગૌતમ! મેં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તેને જીવ એ ખેડૂત થયેલ છે. તેથી મને જોતાં જ એને દ્વેષ થયે. રાગદ્વેષના પ્રબલ સંસ્કારે ભવાંતરમાં પણ ઉદયમાં આવે છે.”
પ્રશ્ન-એક મનુષ્ય વિદ્વાન કે ચતુર હેય, તેની પ્રશંસા
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રેષને ત્ય કરીએ અને બીજે મૂઢ કે મૂર્ખ હોય, તેની નિંદા કરીએ. એમાં ખોટું શું ?
ઉત્તર-વિદ્વાન કે ચતુરની પ્રશંસા કરીએ એ બરાબર છે, પણ મૂઢ કે મૂખની નિંદા કરવી એ બરાબર નથી. એમ કરતાં તેની લાગણી ઘવાય છે, તેને દુઃખ થાય છે અને કોઈ પણ પ્રાણીને દુઃખ થાય એવું આપણે કરવું ન જોઈએ. વળી તેની નિંદા કરતાં આપણા વિચાર અને વાણી અપવિત્ર બને છે, એટલે નિંદાને માર્ગે જવું એગ્ય નથી.
સા, ૧૮
Page #383
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ ]
ક્રોધ અને માનને કાઢે
અપેક્ષાએ તા પરિણામે છે,
સમભાવસિંહનું ત્રીજુ સૂત્ર છે : હું કેધ અને માનને કાઢો. ’ આ ક્રાધ અને માનની ગણુના કષાયમાં થાય છે. તેમને કષાય તરીકે ઓળખવાનું મુખ્ય કારણ એ છે કે તેનાથી ચિત્તની વૃત્તિએ ઘણી કલુષિત થાય છે. માયા અને લેાભ એ બીજા એ કષાયા છે. એક આ ચારે ય કષાયે રાગ અને દ્વેષનાં જ પણ તેની ભયંકરતાના જિજ્ઞાસુજનાને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે તેની ગણના રાગ-દ્વેષથી જુદી થતી આવી છે. અઢાર પાપસ્થાનકોમાં તેમની ગણના રાગદ્વેષથી જુદી જ થયેલી છે. જેમ કેपाणाइवायमलियं, चोरिक्क मेहुणदविण मृच्छं । कोहं माणं मायं, लोभं पिज्ज तहा दोसं || कलहं अभक्खाणं, पेसुन्नं रई - अरइ समाउत | परपरिवार्य - माया मोसं मिच्छत्तसलं च ॥
Page #384
--------------------------------------------------------------------------
________________
1
ક્રોધ અને માનને કાઢા
(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) ચેરી–અદત્તાદાન, (૪) મૈથુન, (૫) દ્રવ્યની મૂર્છા-પરિગ્રહ, (૬) ક્રોધ (૭) માન, (૮) માયા, (૯) લાલ, (૧૦) પ્રેમ-રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) વૈશુન્ય, (૧૫) રતિ-અતિ, (૧૬) પરિપરિવાદ, (૧૭) માયા--મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકે છે.’
૨૭૫
કષાયાને રાગ-દ્વેષની અંતર્ગત ગણીએ કે જુદા ગણીએ, પણ એટલી વાત નિશ્ચિત છે કે ચારે ય કષાયે મહાન અધ્યાત્મદોષા છે અને તેથી તેમના જય કર્યા વિના સમભાવની સિદ્ધિ સભવિત નથી.
કહ્યું છે કે
कोहं माणं च मायं च, लोभं च पापवडणं । मे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥
જે મનુષ્ય પોતાનું હિત ચાહે છે-આત્મકલ્યાણ ઈચ્છે છે, તે પાપને વધારનારા ધ, માન, માયા અને લેાભ, એ ચાર અધ્યાત્મદોષોને પેાતાના અંતરમાંથી જરૂર હાંકી કાઢે. ’
સંસારની વૃદ્ધિ કરવામાં આ ચાર કષાયા મુખ્ય ભાગ ભજવે છે. તે અ ંગે શાસ્ત્રામાં કહેવાયું છે કે
कोहो य माणो य अणिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा ।
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સામાયિક-વિજ્ઞાન,
चत्तारि एए कसिणा कसाया,
सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥
કાબૂમાં નહિ રખાયેલા કોધ અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ એ ચાર કુત્સિત કષાયે પુનર્જન્મરૂપી સંસારવૃક્ષના મૂલેનું સિંચન કરે છે.”
પ્રસ્તુત પ્રકરણમાં ક્રોધ અને માનની જ વિચારણા કરીશું અને તેને કાઢવાનાં કારણે જોઈશું.
૧-ક્રોધ ક્રોધ, કેપ, રેષ, ગુસ્સે એ બધા એકાથી શબ્દો છે. તની ઉત્પત્તિ મનુષ્યનું ભાન ભૂલાવી નાખે છે. એ સમયે હું કોણ છું ? મારું કર્તવ્ય શું છે ? મારાથી આમ ન થાય, વગેરે વિચારે મનુષ્ય ભૂલી જાય છે અને તે આંધળે ભીંત બની જાય છે, તેથી ન બેલવાનું બોલી જાય છે અને ન કરવાનું કરી નાખે છે. આ જ કારણે કોઈને ચાંડાલ, શક્ષસ કે પિશાચની ઉપમા આપવામાં આવી છે.
ક્રોધને જ્યારે જોરથી આવિર્ભાવ થાય છે, ત્યારે મનુષ્ય ગાંડોતૂર બની જાય છે. એ વખતે પિતા-પુત્રને, મા-દીકરાને, પતિ-પત્નીને કે ભાઈ-ભાઈને સંબંધ પણ ભૂલાઈ જાય છે, ગાલિપ્રદાન થાય છે અને મામલે મારામારી સુધી પહોંચે છે. કોઈ વાર તેમાંથી ખૂને પણ થાય છે. તે અંગે અહીં એક બનેલી હકીક્ત રજૂ કરીશું.
સૌરાષ્ટ્રના એક કાઠી તાલુકદાર હતા. તેને એક નાના
Page #386
--------------------------------------------------------------------------
________________
ક્રોધ અને માનને કો
૨૭૭
ભાઈ હતા. અને ભાઇઓના સમધ એકંદર ઠીક હતા.
અને યુવાન હતા. એક વાર નાના ભાઈ એ કોઈ ખાખતમાં ફોજદારને કડવાં વચનો કહ્યાં. એ ફેાજદારે તે ખાખતમાં મેટા ભાઇ આગળ ફરિયાદ કરી. આ વખતે બંને ભાઈઓ વચ્ચે એક વાડી અંગે તકરાર ચાલતી હતી અને તેમાં આ ફરિયાદ થઈ, એટલે મોટા ભાઇને ધ ચડયો અને તે રિવાલ્વર લઈ ને વાડીએ ગયા કે જ્યાં નાના ભાઈ કામ પર દેખરેખ રાખી રહ્યો હતો.
આ વખતે નાના ભાઈ એ ખેડૂતનુ સાંતી સ્વેચ્છાએ ઇંડાવી નાખ્યુ હતુ અને ખેડૂત આરામ કરતા હતા. આ જોઈ મોટા ભાઇએ ખેડૂતને કહ્યું: ‘ અલ્યા ! અત્યારમાં સાંતી કેમ છોડી નાખ્યું છે? તેને ફરી જોડ.’
થોડે દૂર નાના ભાઈ ઊભા હતા, નહિ અને. તમે મારા કામમાં વચ્ચે શા
આથી મોટા ભાઇના ક્રાધ વધ્યા. પણ વાડીનેા માલિક છું. હું કહું છું કે
તેણે કહ્યું: • એ
૮
માટે પડા
છે ?'
તેણે કહ્યું: સાંતી જોડ,’
6
હુ
6
નાના ભાઈએ કહ્યું: એ નહિ જ બને.’ અને તે લાકડી ઉગામીને સામે આવવા લાગ્યા.
6
મોટા ભાઈ એ કહ્યું: · મારી સામે આવવું રહેવા દે. એમાં સાર નહિ કાઢે.
નાના ભાઈએ કહ્યુ’: ‘ તમારી ધમકીથી હું ડરી જઉં એમ નથી.’ અને તે વધારે નજીક આવ્યેા.
Page #387
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
આ જોઈ મોટા ભાઈ ના ક્રોધ વધી ગયા અને તેણે પેાતાની રિવાલ્વરમાંથી તેના સામે ગાળી હેાડી. આથી નાના ભાઈ ઘવાયા. છતાં અનુને ચડી સામે આવવા લાગ્યા, એટલે મોટા ભાઈ એ બીજી ગાળી ડી અને નાના ભાઈ ધરણી પર ઢળી પડચો. તે છેલ્લા શ્વાસ લેવા લાગ્યું.
૩૭૮
આ દૃશ્ય જોતાં જ મોટા ભાઈના ક્રોધ શમી ગયા. અને મેં આ શું કર્યું ? તેને પશ્ચાત્તાપ થવા લાગ્યા. વળી વિચાર પણ આવી ગયા કે ‘ સરકારને આ ખૂનની ખબર પડશે, એટલે મારી ધરપકડ કરશે અને જેલમાં પૂરશે, તેમજ મારી સામે કામ ચલાવી મને ફાંસીના લાકડે લટકાવશે. એમાં મારી આબરૂ શી? ' પછી તે મૃત્યુ પામી રહેલા ભાઈની નજીક આવીને કહેવા લાગ્યા કે • ભાઈ! મારે તને. મારીને ગરાસ મેળવવા ન હતા, પણ તે મારું માન્યુ નહિ. તું ના પાડવા છતાં લાકડી લઈ ને સામે આવવા લાગ્યા, એટલે મે ક્રાધને વશ થઇ તારી સામે બબ્બે ગોળી છેડી તારા પ્રાણ લીધે. ખરેખર ! મેં ઘણું ખોટુ કર્યું. છે, હવે મારે જીવીને શુ કામ છે ?' અને તેણે પોતાની રિવાલ્વરમાંથી ગાળી એડી પાતાના જીવનનો અંત આણ્યો.
જ્યારે કાધ આવે છે, ત્યારે નાડીના ધબકારા વધી પડે છે ને શરીર તપવા લાગે છે. એ વેળા મગજ ગરમ થઈ જાય છે, મુખ તથા આંખ પર લેાહી ચડી આવે છે અને આખુ` શરીર ધ્રુજવા લાગે છે. તેથી જ જ્ઞાનીઓએ તેને શરીરમાં ઉત્પન્ન થતા મહાન શત્રુ માનેલા છે. તે
Page #388
--------------------------------------------------------------------------
________________
કોધ અને માનને કાઢે
૨૭૯ લંબા સમયના તમામ તપ–જપ તથા ધર્મ–ધ્યાનને નાશ કરે છે, વ્યાવહારિક સંબંધ બગાડે છે અને ગૃહજીવનમાં અશાંતિની આગ પ્રકટાવે છે.
કોની સામે ક્રોધ કરીએ તો ક્રોધ વધે છે અને શાંતિ રાખીએ તે ક્રોધ શમે છે. તેની ખાતરી નીચેની વાત વાંચવાથી થઈ શકશેઃ
એક ગામમાં પતિ-પત્ની રહેતાં હતાં. એ બંને સ્વભાવે કેદી હતાં. કેઈ કેઈનું સાંખતા નહિ, એટલે ઝઘડે થતું. એમ કરતાં વાતાવરણ ઘણું કલેશમય થઈ ગયું હતું. જ્યાં નિરંતર કલેશ હોય ત્યાં સુખ કેવું ? શાંતિ કેવી ? આખરે પત્ની ખૂબ કંટાળીને તેની શેરીમાં રહેતા એક વૃદ્ધ ડોશીમા પાસે ગઈ અને કહેવા લાગી. “માજી ! હું બહુ દુઃખી છું. તમારે દીકરે મને બહુ દુઃખ દે છે. મને પૂરું ખાવા દેતું નથી, જેઈતા કપડાં આપતું નથી, વાતવાતમાં વઢે છે અને વારંવાર મને માર મારે છે. મા ! હવે તે મારાં હાડકાં બહુ કળે છે. હું બહુ મૂંઝાઈ ગઈ છું. અમારે એક દિવસ કજિયા વિનાને જતો નથી, માટે મારું દુઃખ દૂર થાય, એ કઈ ઉપાય બતાવે.” આટલું કહેતાં તો તે રડી પડી.
અનુભવી વૃદ્ધ ડોશીમાએ કહ્યું “બેટી રડીશ નહિ. એનો ઉપાય તે સહેલે છે અને તે અજમાવતાં તારું દુઃખ જરૂર મટી જશે. કાલે સવારે વહેલા ઊઠીને, નાહી ધોઈને,
Page #389
--------------------------------------------------------------------------
________________
૮૦
સામાયિક-વિજ્ઞાન
પ્રભુના નામની એક માળા ફેરવીને, કાચના એક સાફ કરેલા શીશે! લઇને મારી પાસે આવજે. '
2
રાખવી અને તેના
બીજા દિવસે એ સ્ત્રી કહ્યા મુજબ બધું કરીને કાચનેા શીશે! લઇ આવી. ડોશીમાએ ભગવાનનું નામ લેતાં લેતાં એ શીશે! ફરી ધાયા અને તેમાં ચાવડા ગળણે ગળીને પાણી ભર્યું. પછી તેમાં મંત્ર ભણી મીઠાની એક કાંકરી નાખી અને પેલી સ્ત્રીને કહ્યું : તારે આજની જેમ, નિત્ય રહેલા ઊઠીને નાહી-ધોઈને પ્રભુના નામની એક માળા ફેરવવી. સાંજે પણ હાથ-પગ-મોઢું ધોઈને એક માળા ફેરવવી. ઘરનું કામકાજ ખરાખર કરવું. તારો પતિ બહારથી આવે તે પહેલાં તારે બધી તૈયારી કરી ઘાંકમાં આવવું નહિં. સાંજે જ્યારે તારા પતિ ઘરમાં આવવાના હાય ત્યારે આ શીશામાંથી થોડું પાણી લઈ, મેઢામાં રાખી, આશરીના એક ભાગમાં બેસવું. જો તારા પતિ ઘરમાં આવી તારા ઉપર ક્રાય કરે તેા તે વેળા તારે કંઈ ખેલવુ નહિ. પાણીના કોગળા મુખમાં રાખી મૂકવા. પછી જ્યારે તે શાંત થાય ત્યારે તે બહાર કાઢવા અને તારા પતિને પગે લાગવું. જો આ રીતે વર્તીશ તા પાણીના આ શીશા પૂરા થતાં પહેલાં જ તારા સ્વામી શાંત થઈ જશે અને તારી સાથે પ્રીતિથી વર્તવા લાગશે.’
આવા સુંદર ઉપાય બતાવવા માટે પેલી સ્ત્રીએ ડોશીમાને) આભાર માન્યા અને પોતે આ પ્રમાણે જ થશે એની ખાતરી આપી.
Page #390
--------------------------------------------------------------------------
________________
કોધ અને માનને કાઢે
ર૮૧ સાંજે સાતના સુમારે તેને પતિ ઘરે આવે અને રજની ટેવ પ્રમાણે સ્ત્રીને કંઈ ને કંઈ વાંક કાઢી તેના પર ખીજાવા લાગે, પરંતુ સ્ત્રીએ કંઈ ઉત્તર આપ્યું નહિ.
જ તે તે સામે ક્રોધ કરીને પ્રત્યુત્તર આપતી, પણ આજે મેઢામાં પાણી હતું, એટલે બેલાય શી રીતે ? એકબે વાર સામે ઉત્તર આપવાનું મન થયું, પણ ડોશીમાની શિખામણ યાદ કરી મનને વાળી લીધું. આજે કોની સામે કોધ થયો નહિ, એટલે ક િથેડી વારમાં પતી ગયે.
આથી પેલી સ્ત્રીને ડોશીમાના ઉપાયમાં શ્રદ્ધા બેઠી અને પછી તે જ્યારે પણ બેલાચાલી થવાનો સંભવ લાગતું, ત્યારે તે શીશામાંનું પાણી મોઢામાં ભરી બાજુએ બેસી જતી. આથી થોડા જ દિવસમાં તેના પતિને એમ લાગ્યું કે આ તે હવે સુધરી ગઈ જણાય છે, એટલે તેને માટે એક સુંદર સાડી લઈ આવે. તેથી સ્ત્રી રાજી થઈ અને વધારે સારી રીતે વર્તવા લાગી. દશ-બાર દિવસમાં તે ઘરનું બધું વાતાવરણ સુધરી ગયું અને કલહ, કુસં૫ તથા દુઃખના સ્થાને સંપ, શાંતિ અને આનંદ જણાવા લાગ્યો.
પંદર દિવસ પૂરા થયા, એટલે પેલે શીશે ખાલી છે. તે લઈને પેલી સ્ત્રી ડોશીમા આગળ ગઈ અને તેમને પગે લાગીને બોલીઃ “માજી! તમારે ઉપાય ખરેખર ચમત્કારિક નિવડ્યો છે. હવે મારું બધું દુઃખ દૂર થઈ ગયું છે, છતાં કૃપા કરીને આ શીશે ભરી આપે, જેથી ફરી દુઃખી થવાને વખત આવે નહિ.”
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સામાયિક-વિજ્ઞાન ડોશીમાએ કહ્યું : “બેટી ! તેં જે ચમત્કાર અનુભવ્ય તે આ પાણુને નથી, પણ તેં એને પ્રયોગથી સામે જવાબ આપવાનું માંડી વાળ્યું, તેને છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે તું તારા ઘરના પાણીથી પણ આ પ્રવેગ કરી શકે છે. તું જે શાંત રહીશ તે તારે પતિ શાંત રહેશે અને બંને સુખી થશે. મારા તમને આશીર્વાદ છે.”
ત્યાર પછી તે પતિ-પત્નીએ કદી પણ કોઈ ન કરવાને નિર્ણય કર્યો, તેથી તેઓ સુખી થયા અને આનંદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યાં.
આ વાતમાંથી આપણે એટલે બોધ લેવાનો છે કે કેઈ આપણા પર કોધ કરે તે આપણે સામે કોધ કરે નહિઃ “કમ ખા, ગમ ખા.” એ કહેવતમાં પણ આ જ શિખામણ અપાયેલી છે.
કોધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે, તેથી જ કહેવાયું છે કે
क्षमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ।
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે.”
તાત્પર્ય કે કોઈ દુર્જન મનુષ્ય આપણા પર ક્રોધ કરે અને આપણે તેને ક્રોધથી પ્રતિકાર કરીએ તે મામલે ઘડી વારમાં બગડી જાય છે, પરંતુ કોઇ ન કરીએ તે પેલે દુર્જન શાંત થઈ જાય છે. અગ્નિને તણખો ઘાસના ગંજ પર
Page #392
--------------------------------------------------------------------------
________________
ફોધ અને માનને કાઢે
૨૮૩ , પડે તે એ ભડભડાટ સળગવા લાગે છે, પણ જમીન પર પડે તે ડી વારમાં ઓલવાઈ જાય છે, તેથી સુજ્ઞ મનુષ્ય આવા પ્રસંગે ક્ષમા ધારણ કરવી.
ક્ષમા એ કાયરને નહિ, પણ વીરને ધર્મ છે, એમ માનીને તેને આપણે અપનાવવાની છે. જ્યાં ક્ષમા આવી કે કોઈ પિતાનું મેં કાળું કરીને આપણા અંતરમાંથી ચાલ્યા જશે અને આપણે એક મહાન અધ્યાત્મદેષમાંથી મુક્ત થઈશું.
૨માન માન એટલે અભિમાન, અહંકાર, ગર્વ કે મદ. તે મનુષ્યના મનને બહેકાવનાર છે, ખોટો આવેશ ઉત્પન્ન કરનાર છે અને એ રીતે તેની પાસે ન કરવાનાં કામ કરાવીને તેને મોટું નુકશાન પહોંચાડનાર છે. જૈન શામાં કહ્યું છે કે –
વિના-મૃત-શીરાનાં, ત્રિા ૨ વાત विवेकलोचनं लुपन् , मानोऽन्धकणं नृणाम् ॥
માન નામને કષાય મનુષ્યના વિનય, કૃત અને શીલને નાશ કરનાર છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને ઘાત કરનાર છે અને તેનાં વિવેકરૂપી લેગનેને ફેડી તેને આંધળે બનાવી દેનાર છે.”
વિનય એ મનુષ્યનો બહુ મોટો ગુણ છે. તેનાથી શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને શીલ એટલે વ્રતનિયમ–પ્રત્યાખ્યાનની ભાવના જાગે છે કે જે મનુષ્યના તરPોપાયમાં મહત્ત્વને ભાગ ભજવે છે. પરંતુ અભિમાનને .
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સામાયિક–વિજ્ઞાન
ઉદય થયા કે વિનયગુણ નાશ પામે છે અને વિનયગુણુ નાશ પામે એટલે શ્રુત અને શીલ પણ નાશ પામે છે. આ રીતે અભિમાનને ઉડ્ડય આધ્યાત્મિક વિકાસમાં જબ્બર ફટકા મારે છે.
પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. જેનાથી આત્માના અભ્યુદય થાય અને મેાક્ષની પ્રાપ્તિ થાય, તેને ધમ કહેવાય છે. આ ધર્મ પણ અભિમાનના ઉદયથી નાશ પામે છે. આપણા સંત પુરુષોએ કહ્યું છે કે દયા ધર્માંકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ’ એટલે અભિમાન આવ્યું કે પાપની વૃદ્ધિ થવા માંડે છે અને ધમ ચાલતા થાય છે.
જેનાથી વ્યવહારનાં સર્વ પ્રયેાજનાની સિદ્ધિ થાય, તેને અથ કહેવામાં આવે છે. વ્યવહાર, વ્યાપાર, ખેતી, નાકરી એ અધાનો તેમાં સમાવેશ થાય છે. ગૃહસ્થજીવનના એ મુખ્ય આધાર છે, એટલે મનુષ્યે તેને ખરાબર સંભાળી રાખવાના છે. પરંતુ અભિમાનના ઉદય થતાં વ્યવહાર બગડવા માંડે છે, લેાકેા અભિમાની મનુષ્ય સાથે કામ પાડવા રાજી હાતા નથી.
એક મનુષ્ય ભાગ્યયોગે ઘણું ધન કમાયા અને તેના અભિમાનથી અક્કડ બની ગયા. પછી પુત્રના સગપણના પ્રસંગ આવ્યા, ત્યારે સાતસો ઘરની ન્યાતમાંથી કોઇએ તેને કન્યા આપી નહિ. છેવટે તેને બહારથી કન્યા લાવવી પડી.
ધનવાન થવાથી અક્કડ બનેલા એક સજ્જન પેાતાની પાળના માણસા સાથે ખરાખર વ્યવહાર રાખતા નહિ. તેમના મનને એમ કે મારે બીજાની શી પડી છે ? એટલે તેઓ
Page #394
--------------------------------------------------------------------------
________________
ક્રોધ અને માનને કાઢે
૨૮૫, પિળના માણસને ત્યાં આવતા કઈ પણ વ્યાવહારિક પ્રસંગે હાજરી આપતા નહિ અથવા હાજરી આપે તો નામ માત્રની. તેને લગતા કેઈ કામમાં સહાયક થતા નહિ. એવામાં તેમની માતાનું મરણ થયું, તેને સાદ પડ્યો, પણ કેઈ પિળવાળો હાજર થયે નહિ. આ વખતે તેમને ભાન આવ્યું કે મારી મેટી ભૂલ થઈ છે અને તેમણે પિળને કેટલાક કાર્યકર્તાઓને બેલાવી પિતાની ભૂલની માફી માગી તથા હવે પછી દરેક વ્યવહારમાં બરાબર ભાગ લેવાનું વચન આપ્યું, ત્યારે પાળવાળા ભેગા થયા અને તેમની માતાને સ્મશાનભૂમિએ પહોંચાડી અગ્નિદાહ દીધે. તાત્પર્ય કે અભિમાનથી વ્યવહાર બગડે છે.
વ્યાપાર, રોજગાર, ધંધા કે નેકરી ઉપર પણ અભિમાનની અસર બહુ માઠી થાય છે. નમ્રતાથી જવાબ આપનારને ત્યાં ઘરાકી જામે છે અને અભિમાની તથા ઉડાઉ જવાબ આપનારને ત્યાંથી ઘરાક ચાલવા માંડે છે. મોટા સેદાઓમાં પણ આવું જ બને છે. નોકરીમાં તે નમ્રતાની ખાસ જરૂર પડે છે. ત્યાં અભિમાન આવ્યું કે નેકરીમાંથી રૂખસદ મળે છે. આ રીતે અભિમાનથી અર્થને પણ નાશ થાય છે.
જેનાથી ઇન્દ્રિયોને તૃપ્તિ ઊપજે, તેને કામ કહેવામાં આવે છે. આનંદ-પ્રમોદનાં બધાં સાધનને તેમાં સમાવેશ થાય છે. અભિમાનને ઉદય થતાં આ કામસુખને પણ નાશ થાય છે. એક પિતાએ મરતી વખતે પિતાના પુત્રને ઘણું ધન વારસામાં આપ્યું. આ પુત્ર યુવાન હતો અને અભિમાની પણ હતું. તેણે પિતાની મેટાઈ બતાવવા માટે પિતાને ત્યાં
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સામાયિક–વિજ્ઞાન
મિત્રોની મિજલસ ગેાઠવવા માંડી અને તેની સામે સા રૂપિયાની નેાટની બીડી બનાવી ફૂંકવા માંડી. તેમજ નાસ્તા -પાણીના ખર્ચ પણ ખૂબ કરવા માંડયે. એમ કરતાં નાચરંગના જલસા ગોઠવાયા અને પેાતાની મેટાઈ બતાવવા માટે તે નર્તિકાઓની સામે હજાર-હજારની નોટ ફેંકવા લાગ્યો. ધનના અવિચારી ઉપયોગથી રાજના ખજાના પણ ખાલી થઇ જાય છે, તા ગૃહસ્થનુ કહેવુ જ શું ? થોડા વખતમાં બધું ધન ખલાસ થયું, મકાન તથા વાડીવજીફા વેચવાને વખત આવ્યા અને છેવટે તેની પાસે કઈ ન રહેતાં તે સાવ મુફલીસ બની ગયા. તાત્પર્ય કે અભિમાનથી કામસુખના પણ નાશ થાય છે.
અભિમાનનું સહુથી કાળું કૃત્ય તા મનુષ્યના વિવેકરૂપી લોચનાને ફોડી નાખવાનુ છે. વિવેકરૂપી લોચના ફૂટયાં કે સારું-નરસું સમજાય નહિ, હિતાહિત જાણી શકાય નહ અનેકવ્યાક બ્યને ચોગ્ય નિર્ણય થઈ શકે નહિ; એટલે મનુષ્ય પાગલની જેમ ગમે તેમ વત્તે અને અવનતિની ઊંડી ખીણમાં ગબડી પડે.
આજ સુધીમાં કોઈનું અભિમાન ટકયું નથી. શેરને માથે સવાશેર હોય છે જ. રાજા રાવણને ચૌદ ચાકડીનું રાજ્ય હતું, ઘણી વિદ્યાઓ સિદ્ધ થયેલી હતી અને પાતે દશ મસ્તકવાળા હતા, છતાં અભિમાન કર્યું" તે। શ્રીરામના હાથે ભૂંડા હાલે માર્યા ગયા અને એક દુર્જન તરીકેની ખ્યાતિ પામ્યા. આજે પણ ભારતના
Page #396
--------------------------------------------------------------------------
________________
કોધ અને માનને કહે
૨૮૭ કેટલાક ભાગમાં દશેરાના દિવસે રાવણનું પૂતળું બનાવીને બાળવામાં આવે છે. તે પરથી આપણે બોધ લેવાને છે કે કઈ પણ વસ્તુનું અભિમાન કરવું નહિ.
જૈન મહાપુરુષેએ ઘણા અનુભવ પછી એમ જાહેર
जातिलाभकुलैश्वर्य-बलरूपतपः श्रुतैः॥ कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥
જે મનુષ્ય (૧) જાતિ, (૨) લાભ, (૩) કુલ, (૪) એશ્વર્ય, (૫) બલ, (૬) રૂ૫, (૭) તપ અને (૮) શ્રુતનો મદ કરે છે, તેને તે વસ્તુ હલકા પ્રકારની મળે છે.”
આ આઠ મદની વાત ખાસ સમજવા જેવી છે, તેથી તે અંગે અહીં કેટલુંક વિવેચન કરીશું.
(૧) એક મનુષ્ય એ વિચાર કરે કે “હું ઉત્તમ જાતિમાં જન્મ્ય છું. મારા જેવો બીજે ઊંચે કોણ છે ? બીજા તે હલકી જાતિમાં જન્મેલા છે, વગેરે. તે તેણે જાતિમદ કર્યો કહેવાય. આ જાતિમદ કરનારને ભવાંતરમાં કેળી, વાઘરી, પારધિ, ચંડાલ, ચમાર વગેરે હલકી જાતિમાં જન્મવું પડે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તે અત્યાર સુધીમાં દરેક પ્રકારની જાતિમાં જન્મ ધારણ કર્યા છે. કેઈ પણ જાતિ એવી નથી કે જેમાં તેં જન્મ ગ્રહણ કર્યું ન હોય, તે જાતિનું અભિમાન શું?
Page #397
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સામાયિક-વિજ્ઞાન જાતિ કેઈ શાશ્વત વસ્તુ નથી, માટે તેને મદ ન કર, તેનું અભિમાન ન કર !”
(૨) જે મનુષ્ય ધંધા, રોજગાર, વ્યવસાય કે અધિકાર અંગે થતા લાભ અંગે એ વિચાર કરે કે “મારા જે લાભ બીજા કેઈને થતું નથી, માટે હું પરમ ભાગ્યશાળી છું. બીજા ભાગ્યના ફૂટેલા છે, તેમને મારા જે લાભ ક્યાંથી મળે? અહાહા ! મારા લાભની શી વાત !” તે તેણે લાભમદ કર્યો કહેવાય. આ લાભમદ કરનારને લાભાંતરાય કર્મ બંધાય છે, એટલે ભવિષ્યમાં કઈ પણ કામમાં મેટો લાભ થતું નથી.
અહીં સુજ્ઞજને એ વિચાર કરે ઘટે કે હે જીવ! તને જે લાભ થાય છે, તે લાભાંતરાય કર્મને ક્ષય થવાથી થાય છે, તેમાં હર્ષ શું અને અભિમાન શું ? વળી આવે લાભ તને એકલાને થતો નથી. જેમણે દાન-પુણ્યાદિ કાર્યો કર્યા છે, તે બધાને થાય છે. માટે તું લાભનો મદ કરે રહેવા દે !”
(૩) જે મનુષ્ય એ વિચાર કરે કે “હું તે અમુક કુલને ! મારી શી વાત ! હું કંઈ જે તે નથી.” તે તેણે કુલમદ કર્યો કહેવાય. આ કુલમદ કરનાર ભવાંતરમાં હલકા કુલમાં જન્મ પામે છે. ભગવાન મહાવીરે મરીચિના. ભવમાં કુલમદ કર્યો કે “અહો ! હું ઉત્તમ કુલ છું ! મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું છે તીર્થંકર થઈશ ! અહા મારું કુલ! અહા મારી ઉત્તમતા.
Page #398
--------------------------------------------------------------------------
________________
ક્રોધ અને માનને કાઢો
૨૮૯
મતા !' એ ફુલમદના પરિણામે તેમને તી કરના ભવમાં પણ ભિક્ષુક કુલમાં જન્મવુ પડ્યુ કે જ્યારે અવશ્ય ઊંચા કુલમાં જન્મ થાય છે. અહી બ્રાહ્મણકુલને ભિક્ષુકફુલ ગણ્યુ છે, કારણ કે તે ખીજાની પાસે ધન માગે છે.
અહી સુજ્ઞજને એવા વિચાર કરવા ઘટે કે હું જીવ ! કુલના ઊંચા-નીચાપણાથી શું? ઊંચા ફુલમાં જન્મવા છતાં જે શીલ અને સદાચારથી વંચિત રહ્યો તે તેા તારી અવશ્ય અવગતિ થવાની અને નીચા કુલમાં જન્મવા છતાં શીલ અને સદાચારને સંગાથ કર્યાં તે તારી અવશ્ય ઉન્નતિ થવાની. માટે તું ફુલના મઢ કરવાનુ બ્રેડી દે!.
(૪) જે મનુષ્ય એવા વિચાર કરે કે અહા ! હું કેવ અશ્વ શાલી છું ? મારા જેવુ. ઐશ્વય આજે કાઈ ને હશે ખરું ! મારા મહેલા કેવા સુંદર છે? મારા બગીચાઓ કેવા રમણીય છે ? મારા હાથી અને ઘેાડાઓને કોઈ જોટો નથી ! વળી મારી પાસે ઝવેરાતને જે સંગ્રહ છે, તે બેનમૂન છે. સેતુ-રૂપુ અને બીજી સામગ્રી તે મારી પાસે ઢગલાબંધ છે, ખરેખર ! મારી ઋદ્ધિના પાર નથી ! ' તે તેણે ઐશ્વર્યાંમદ કર્યો કહેવાય. આ અશ્વ મદના પરિણામે તે ભવાંતરમાં એશ્વ હીન થાય છે, એટલે કે દીન-દુઃખી હાલતમાં જન્મે છે.
"
અહીં સુજ્ઞજને એવા વિચાર કરવા ઘટે કે ' હે જીવ! તું અશ્ચય તું અભિમાન શાને કરે છે ? ઇન્દ્રિાદિ દેવાના અશ્વય આગળ તારું અશ્વય શા હિંસામમાં છે? અથવા કુબેર ભડારી આગળ તારા પાંચ-પચીશ ક્રાડની શી વિસાત
સા. ૧૯
Page #399
--------------------------------------------------------------------------
________________
૨eo
સામાયિક-વિજ્ઞાન છે? તારી પાસે જે મહેલ અને બાગ-બગીચાઓ છે, તેના કરતાં સવાયા મહેલ અને બાગ–બગીચાઓ બીજા ઘણા પાસે છે. હાથી-ઘોડાનું પણ એમ જ છે. તે દુનિયા પૂરી જોઈ નથી, એટલે તને એની શી ખબર પડે ? વળી લક્ષ્મી ચંચલ છે, તે જ્યારે ચાલી જશે તેની ખબર પડતી નથી, એટલે તું એશ્વર્યને મદ કર મા!
(૫) જે મનુષ્ય એ વિચાર કરે કે “મારા જે બલવાન બીજે કઈ નથી! મારા બળની શી વાત ? મેં ભલભલા પહેલવાનને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યા છે અને ટેફી જીતી લીધી છે. આજે તો મને કઈ પહોંચે એમ નથી.” તે તેણે બાદ કર્યો કહેવાય. આ બલમદના પરિ. ણામે તે ભવાંતરમાં માયકાંગલે જન્મે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું બેલનું અભિમાન શાને કરે છે? જે તું ખરે ખેલવાન હે તે જન્મ, જરા, મૃત્યુ અને રેગરૂપી શત્રુઓને જીતી લે. ત્યાં તે તારું કંઈ ચાલતું નથી અને અહીં બડાઈની ડંફાસ શાને મારે છે? વળી તારું આ ખેલ સદા ટકશે ખરું? એ તે કાલે ચાલ્યું જવાનું છે. તે તેનું વ્યર્થ અભિમાન કર મા !
(૬) જે મનુષ્ય એ વિચાર કરે કે મારા જેવા રૂપાળો કેઈ નથી. હું કામદેવને અવતાર છું. લેકે મને જોતાં જ મેહ પામે છે, મારી મુખમુદ્રા કેવી છે ? મારા હાથ કેવા છે? મારા પગ કેવા છે?” તે તેણે રૂપમદ કર્યો
Page #400
--------------------------------------------------------------------------
________________
કધ અને માનને કા
૨૯૧ કહેવાય. આ રૂપમદના પરિણામે ભવાંતરમાં તે કણ-કૂબડે જમે છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું રૂપનું અભિમાન શાને કરે છે? તારા કરતાં અનેકગણું રૂપાળા મનુષ્ય આ જગતમાં હસ્તી ધરાવે છે કે જેમનું દર્શન થતાં જ લેકના મન પર અજબ પ્રભાવ પડે છે. અને માની લે કે તું ઘણે રૂપાળે છે, તેથી શું? એ રૂપ તે ચાર દિનનું ચાંદરણું છે? સનત્કુમાર ચક્રવત જેવાનું રૂપ ઘડીમાં બદલાઈ ગયું તે તું કેણ ? રૂપના મદને વિસરી જા અને આત્માને રૂપાળો–સુંદર બનાવવા પ્રયત્ન કર!
(૭) જે મનુષ્ય એ વિચાર કરે કે “હું મહાન તપસ્વી છું. આજે મારી બરાબરી કરે એ કેઈ નથી. શું મારું તપ અને શું મારો પ્રભાવ ! ” તો તેણે તપમદ કર્યો કહેવાય. આ તપમદના પરિણામે ભવાંતરમાં તે તપ કરવાની શક્તિથી રહિત થાય છે.
અહીં સુજ્ઞજને એ વિચાર કર ઘટે કે “હે જીવ! તું અમુક ઉપવાસ, આયંબિલ કે રસત્યાગ કરી શકે છે, તેથી મહાન તપસ્વી હોવાનું શા માટે માની લે છે ? આ જગતમાં મહાપુરુષોએ જે તપશ્ચર્યા કરી છે, તેની આગળ તારા તપની કઈ વિસાત નથી ! એક ભગવાન મહાવીરની તપશ્ચર્યાને જ તું વિચાર કરો કે તેમણે કેવી આકરી તપશ્ચર્યા કરી હતી ! સાડાબાર વર્ષ અને એક પખવાડિયામાં તેમણે માત્ર ૩૪૯ પારણાં કર્યા હતાં ! બાકીના બધા દિવસે
Page #401
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સામાયિક–વિજ્ઞાન
તપશ્ચર્યામાં ગાળ્યા હતા ! તેમાં છ–છ માસના ઉપવાસ પણ હતા. વર્તમાનકાલે પણ મહાન તપસ્વીઓ થયા છે, તેની આગળ તું કોઈ હિંસાખમાં નથી. માટે તપના મઢ કરીશ મા !
(૮) જો મનુષ્ય એવા વિચાર કરે કે ‘મારા જેવુ શાસ્ત્રજ્ઞાન કોઇને નથી! હું મહાપતિ છું ! હું મહારાની છું!” તા તેણે શ્રુતમદ કર્યાં કહેવાય. આ શ્રુતમદના પરિણામે ભવાંતરમાં તે મૂખ જન્મે છે.
અહીં સુરજને એવા વિચાર કરવા ઘટે કે હે જીવ ! તું શ્રુતના મદ શાને કરે છે? થોડું ભણ્યા, થોડાં શાસ્ત્રો જાણ્યાં, તેથી તું મહાપંડિત અને મહાજ્ઞાની થઈ ગયા? જરા તે વિચાર કે ગણધર ભગવંતા અને ચૌદ પૂર્વ ધારીએ આગળ તારું જ્ઞાન શી ગણતરીમાં છે ? હજી તું અનેક વસ્તુએનાં ગૂઢ રહચાને જાણતા નથી અને પદે પદે સ્ખલના પામે છે, તે ભલા થઈ ને શ્રુતના-જ્ઞાનના મઢ કરીશ મા !
આઠ પઢનુ` વિવેચન અહીં પૂરું થયું, પર ંતુ અભિમાન અંગે હજી થોડુ કહેવાનું છે. તેના લીધે મનુષ્ય વાદવિવાદમાં ઊતરે છે, ઉડાઉ ખર્ચ રાખે છે, ખાટા અઘડાઓ કરે છે, કાટ-કચેરીએ ચડે છે અને જંગમાં પણ ઊતરે છે, વળી આ મહાન દોષને લીધે તે નાના—મેટાને ભેદ પણ ચૂકી જાય છે અને ન મેલવા જેવાં વેણ ખેલી મુખ્ખીએ કે મિત્રાનું અપમાન પણ કરે છે.
માનને મૃદુતા કે નમ્રતાથી જીતી શકાય છે. આપણે વેત નમીએ તેા ખીજા હાથ નમે છે, એ ભૂલવા જેવુ
Page #402
--------------------------------------------------------------------------
________________
કિધ અને માનને કાઢે નથી. વળી પાણી નમ્ર લાગે છે, પણ તેનું પૂર મેટા મોટા ખડકેને તેડી પાડે છે અને તેના ઝીણા કંકર બનાવી દે છે, એટલે નમ્રતાનું મૂલ્ય ઓછું આંકવું નહિ. આ જગતમાં જેટલું કામ નમ્રતાથી થાય છે, તેટલું અભિમાનથી થતું નથી, એ એક સિદ્ધ હકીકત છે.
આ વિવેચનનો સાર એ છે કે ક્રોધ અને માનને અંતરમાંથી અવશ્ય કાઢે, નહિ તે તેઓ અધ્યાત્મનું મેદાન ઉજજડ કરી નાખશે અને સમભાવસિદ્ધિને હજારે માઈલ દૂર હડસેલી મૂકશે.
[ પ્રશ્નોત્તરી સોળમા પ્રકરણના છેડે આપેલી છે. ]
Page #403
--------------------------------------------------------------------------
________________
[૧૬] માયા અને લોભને હઠાવો
સમભાવ સિદ્ધિનું ચિહ્યું સૂત્ર છે: માયા અને લોભને હઠાવે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં માયા અને લેભને પરિચય કરાવીશું અને તેને છોડવાનાં કારણો પણ જણાવીશું.
૩-માયા. અહીં માયા શબ્દથી કૂડ, કપટ, છલ, છેતરપીંડી, વંચના, વકતા કે શતા સમજવાની છે. તેને આશ્રય લેતાં. મનુષ્યને જૂઠું બોલવું પડે છે, દંભ કરે પડે છે અને બીજાં પણ અનેક પાપ કરવાં પડે છે. એક વિચારકના શબ્દોમાં કહીએ તે માયા એ માનવમનની અધમાધમ સ્થિતિ છે અને તે એને અવશ્ય દુર્ગતિમાં લઈ જનારી છે. | માયાનું સેવન કરનાર એમ માને છે કે “મેં બીજાને છેતર્યા છે અને મારે સ્વાર્થ સાધી લીધે છે” પણ વાત એથી ઊલટી છે. ખરેખર ! તે એ જ છેતરાયે છે. અને તેણે પિતાના સ્વાર્થ પર છીણ મૂકી છે. હ્યું છે કે
Page #404
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હઠાવ
विधाय मायां विविधैरुपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्गमुखान्महामोहसखा स्वमेव ॥
જે મનુષ્ય માયાનું સેવન કરીને વિવિધ પ્રકારના ઉપાયે વડે બીજાની સાથે ઠગાઈ કરે છે, તે મહામહના મિત્ર સરખા મનુષ્ય પોતાની જાતે જ સ્વર્ગના સુખેથી ઠગાય છે, એટલે કે તેમને સ્વર્ગનું સુખ મળતું નથી.”
અથવા कौटिल्य पटवः पापा, मायया बकवृत्तयः। भुवनं वश्चयमाना, वश्चयन्ते स्वमेव हि ।।
અનેક પ્રકારનાં કૂટ-કપટ કરવામાં કાબેલ અને બગલાના જેવી દંભી મનવૃત્તિ રાખનાર પાપી પુરુષે માયા વડે જગતને છેતરવા જતાં પોતે જ છેતરાય છે.”
પાઠક મિત્રોને કદાચ એમ લાગશે કે શું આ સાચું હશે ? તે અહીં તેની પ્રતીતિ કરાવનારી એક સત્ય ઘટના રજૂ કરીએ છીએ.
બે માણસે પ્રવાસ કરતા હતા. રાત્રિ પડી જવાથી તેમણે નજીકના ગામમાં એક પટેલને ત્યાં આશ્રય માગે. અને તે એમને મળી ગયું. હવે તેમની પાસે વાટખરચી માટે રૂપિયા બસે રેકડા હતા, તે પાસે રાખવાનું ઠીક ન લાગવાથી પટેલને સંખ્યા અને સવારે જતી વખતે પાછા
Page #405
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સામાયિક-વિજ્ઞાન લઈશું એમ જણાવ્યું. પટેલે તેને સ્વીકાર કર્યો, પણ એ જ વખતે તેને એક વિચાર આવ્યઃ “આ મુસાફરોને અહીં કેઈ ઓળખતું નથી, એટલે આ પૈસા પચાવવા ધારું તે. પચી જાય એમ છે, પણ સવાર થતાં તે આ પૈસા પાછા માંગશે અને નહીં આપું તે ધાંધલ મચશે, એટલે તેમને ઠેકાણે પાડી દેવા.”
પછી તેમણે ગામમાંથી બે એવી વ્યક્તિઓને શોધી કાઢી કે જેમને ધંધે જ મારામારી કે ખૂન કરવાને હતે. તેમની સાથે રૂપિયા પચીશમાં સેદ પાકે અને તેમણે સતના લગભગ બે વાગતાં આ કાર્ય પૂરું કરવું, એ નિર્ણય લેવાયે.
મુસાફરે માટે બે ખાટલા ડેલી બહાર ઢાળવામાં આવ્યા અને તેના પર ગોદડા પાથરવામાં આવ્યાં. પેલા મુસાફરે તેના પર આડા પડ્યા, પણ તેમાં માંકડ બહુ હેવાથી તેમને ઊંઘ આવી નહિ. આખરે તેઓ એ ખાટલા છોડીને ઘરની પછવાડે વાડ હતું ત્યાં ગયા અને ઘાસની પથારી બનાવી તેમાં સૂઈ રહ્યા.
હવે રાત્રિના બારનો સુમાર થયે, એટલે પટેલના બે દીકરા વાડીએથી ઘરે આવ્યા અને આ ખાટલાઓ પિતાના માટે જ ઢાળી રાખ્યા હશે, એમ માનીને તેમાં સૂઈ ગયા. આખે દિવસ મહેનતમજૂરી કરેલી હોવાથી થેડી જ વારમાં તેમને નિદ્રા આવી ગઈ અને તેઓ નસકોરાં બોલાવવા લાગ્યા.
Page #406
--------------------------------------------------------------------------
________________
માયા અને લાભને હટાવા
૨૯૭
નિયત સમયે મારાએ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે ખૂબ સીફતથી પેાતાને સોંપાયેલું કામ પતાવી દીધું. હવે સવાર થતાં પેલા બે મુસાફરો પટેલ આગળ આવ્યા અને રૂપિયા ખસા માગવા લાગ્યા. પટેલના આશ્ચય ના પાર રહ્યો નહિ. આ અને જીવતા શી રીતે રહ્યા ? તે એને મન માટો કોયડા થઈ પડયો. પછી તેણે બહાર આવીને જોયુ. તા પેાતાના એ જુવાન દીકરાનાં મસ્તકા ધડથી જુદાં પડયાં હતાં અને ત્યાં લોહીનાં ખાખાચીયાં ભરાયાં હતાં. આ કારમું દશ્ય જોતાં જ પટેલ ધ્રુસકે ને ધૃસકે રોઈ પડથા અને આડોશી-પાડોશી ભેગા થઈ ગયા. જે એકાએક આ શુ ન્યુ ?' એ પ્રશ્ન સહુ પૂછવા લાગ્યા, પણુ પટેલ તેના ઉતરશે આપે? તેણે પેલા બે મુસાફરોને રૂપિયા ખસે ગુપચૂપ આપી દીધા અને તેઓ પોતાના રસ્તે પડચા.
પછી તે! પટલાણી અને છેકરાની અને વહૂએ પણ ત્યાં આવી પહોંચી અને માથાં પછાડવા લાગી. આ રીતે ત્યાં ઘણું ઘણું ધાંધલ થવાથી પેાલીસ પણ ત્યાં આવી પહેાંચી અને પંચનામુ કરી ખૂન અ ંગે કાગળિયાં કર્યાં. છેવટે પટેલ અને અને મારાની ધરપકડ થઈ. તેમના પર કામ ચાલ્યુ' અને તે ત્રણેયને જન્મટીપની સજા ફટકારવામાં આવી. આ જાણ્યા પછી કોણ કહેશે કે - ફૂડના ડાંડિયા કપાળમાં વાગતા નથી ? ”
જે માણસ ફૂડ-કપટ કે દગો કરે છે, તેની શાખ અગડે છે અને તેથી ઘણું માટું નુકશાન થાય છે. મંગ
Page #407
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સામાયિક-વિજ્ઞાન ભંગની ચળવળ વખતે સ્વદેશી વસ્ત્રના નામે બંગાળની જનતાને એકદમ હલકું કાપડ મેલી છેતરપીંડી કરનાર અમદાવાદની મીલેએ એટલી શાખ ગુમાવી હતી કે પછીથી ગમે તેટલે સારે માલ પૂરો પાડવા છતાં લોકેને વિશ્વાસ બેસતો ન હતું. પરિણામે તેની આમદાનીમાં મોટો ફટકે પડ્યો હતો અને કોડોનું નુકશાન થયું હતું.
સારે માલ કહીને સેળભેળ વેચવે એ મેટી છેતરપડી છે. તેમાંયે ખાદ્ય પદાર્થોમાં ભળતી વસ્તુઓને ભેળ કરવાથી વાપરનારને અનેક પ્રકારના રોગ થાય છે અને ઘણું સહન કરવું પડે છે. નાનકડા સ્વાર્થ માટે મનુષ્ય કેટલું ખોટું કામ કરી રહ્યા છે, તેને તેમને ખ્યાલ આવતા નથી અને કદાચ ખ્યાલ આવવા છતાં તેઓ પોતાની આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય તે તેમના જેવા દુષ્ટ મનુષ્ય અન્ય કેઈ નથી. | માયાનું સેવન કરનાર મિત્રોની મહેબૂત ગુમાવે છે,
નેહીજનેના નેહથી વંચિત થાય છે અને સમાજમાં પણ પ્રતિષ્ઠા ગુમાવે છે.
ધર્માચરણમાં દંભને સ્થાન નથી. જે મનુષ્ય બાહ્ય આચરણ સારું દેખાડે છે, પણ અંદરથી સ્વાર્થ સાધવાની પૂરી તકેદારી રાખે છે, તેને બગલાભગત જ કહી શકાય. - શ્રી રામચંદ્ર વનવાસ વખતે લક્ષ્મણ અને સીતા સાથે એક સ્થળેથી બીજા રથલે જઈ રહ્યા હતા. વચમાં પંપ
Page #408
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હોવો
૨૯૯ નામનું સરોવર આવ્યું. ત્યાં બગલાએને ચૂપચાપ બેઠેલા તથા ધીમે ધીમે પગ ઉપાડતા જોઈને શ્રી રામચંદ્ર કહ્યું :
शनैरुद्धरते पादं, जीवानामनुकम्पया। पश्य लक्ष्मण पम्पायां, बकः परमधार्मिकः॥
હે ભાઈ લક્ષ્મણ! તું આ પંપા સરોવર પર નજર નાખ. અહીં અનેક જાતનાં પક્ષીઓ નજરે પડે છે, પરંતુ તે બધામાં બગલે સહુથી વધારે ધાર્મિક જણાય છે, કારણ કે તે પોતાના પગ નીચે કોઈ જીવ ચગદાઈ ન જાય, તે માટે ધીમે ધીમે પગ ઉપાડે છે.'
આ સાંભળી એક વૃદ્ધ મત્યે કહ્યું : पथिका नैव जानन्ति, जानन्ति सहवासिनः। अनेन दुष्टचित्तेनास्मत्कुलं निष्कुलीकृतम् ॥
તમારા જેવા પ્રવાસીઓ એને જાણતા નથી. અમે તેની સાથે રહેનારા જ જાણીએ છીએ કે તે કેવો છે? આ દુષ્ટ ચિત્તવાળા બગલાએ તો ધીમે ધીમે કરતાં અમારું આખું કુલ ઉજાડી નાખ્યું છે. તાત્પર્ય કે એ ધીમેથી પગ ઉપાડે છે, તે જીવ દયાના કારણે નહિ, પણ તેના આગમનની અમને ખબર પડી ન જાય, તેની સાવચેતી તરીકે એમ કરે છે.”
માયાને સરલતાથી જીતી શકાય છે. સૌની સાથે નિષ્કપટપણે વર્તવું, ડોળદંભ રાખવા નહિ, કઠોર વાણીને
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સામાયિક-વિજ્ઞાન
ત્યાગ કરે અને વક્રતા છેડી દેવી, એ સરલતા છે. કેટલાક મનુષ્યના સ્વભાવમાં વકતા વણાઈ ગઈ હોય છે, તે જલદી છૂટતી નથી.
માર્ગે ચાલ્યા જતા એક માણસે ઓટલા પર બેઠેલા માણસને પૂછયું : “કેમ ભાઈ! બેઠાં છે?” પેલાએ કહ્યું : ત્યારે શું ઊભા છીએ ?' બીજા કેઈએ એક માણસને પૂછયું: શું આ આકરાં આપનાં છે ? ઉત્તરમાં પેલાએ કહ્યું: “મારાં નહિ તે શું તમારાં છે?” એક વેપારીએ એક ઓળખીતા મુસલમાનને કહ્યું : “તમારે મહેમુદ તે હમણાં બહુ દુબળે પડી ગયા છે. પેલા મુસલમાને કહ્યું : “એ સૂકાઈને મરી જશે, તેમાં તારા બાપનું શું જાય છે?” આ બધા વક સ્વભાવના નમૂના છે. તેને છોડ્યા વિના સરલતા આવતી નથી.
ભગવાન મહાવીરે તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “સરલ ચિત્તવાળે જ ધર્મ પામી શકે છે. આ પરથી માયાનું મિથ્યાપણું અને સરલતાનું મહત્વ સમજી શકાશે.
૪. લાભ ધન, વૈભવ, સત્તા, અધિકાર કે રાજ્યાદિ એશ્વર્યની તૃષ્ણાને લેભ કહેવામાં આવે છે. તે અંગે શાસ્ત્રકારોએ કહ્યું
कोहो पीइ पणासेइ, माणो विणयनासणो। माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो॥ “કોઇ પ્રીતિ કે સદ્ભાવને નાશ કરે છે, માન
Page #410
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હઠાવે
૩૦૧ વિનયનો નાશ કરે છે, માયા મિત્રોને નાશ કરે છે, પરંતુ લભ તે સર્વને નાશ કરે છે.”
લેભને સર્વનાશક કહેવાને હેતુ એ છે કે લેભી મનુષ્ય લેભવશાત્ જૂ હું બેલે છે, અણદીઠેલી વસ્તુ ઉપાડી લે છે, એટલે કે ચેરી કરે છે, પરિગ્રહમાં વધારે કર્યા કરે છે અને તે માટે હિંસાને આશ્રય લેતાં અચકાતું નથી. વળી તે પિતાની ઈચ્છા પૂરી ન થતાં કોધે ભરાય છે, અથવા કંઈક પ્રાપ્તિ થાય તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારનાં છલક્યુટ કરે છે અને તે મિત્રો કે મુરબ્બીઓ સાથે પણ લડી પડે છે.
લેભને થોભ હોતે નથી. તે અંગે થોડાં આગમવચન સાંભળી લે : कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इकस्स । तेणाऽवि से न संतुस्से, इह दुप्पुरए इमे आया ॥
અનેક પ્રકારનાં બહુમૂલ્ય પદાર્થોથી પરિપૂર્ણ આ સમગ્ર વિશ્વ જે એક મનુષ્યને આપવામાં આવે, તે પણ તે સંતુષ્ટ નહિ થાય. અહે! મનુષ્યની આ તૃષ્ણા ઘણી જ દુષ્કર છે! અર્થાત્ કઈ રીતે પૂરી શકાય એવી નથી.
सुवण्ण रुपस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, ॥ इच्छा हु आगाससमा अणन्तिया ॥
Page #411
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
• સોના અને ચાંદીના કૈલાસ પર્યંત જેવા મેટા અસખ્ય પતા પાસે હાય તેા પણ લાભ મનુષ્યની તૃપ્તિ માટે તે કંઈ પણ નથી; કારણ કે તૃષ્ણા આકાશના જેવી અનત છે.’
૩૦૨
जहा लाहा तहा लोहो, लाहा लोहो पवड | दोमासाकणय कज्जं, कोडीए विन निट्टियं ॥
જેમ જેમ લાભ થતા જાય છે, તેમ તેમ લેભ વધતા જાય છે. એ માસા સોનાથી પૂરું કરવા ધારેલું કા ક્રેડો રૂપિયાથી પણ પૂરું ન થયું.’ કપિલ કેવલીની કથા જાણવાથી
આ વાકાના મ
બરાબર સમજાશે.
કપિલ કેવલીની કથા
કૌશાંબી નગરીના રાજપુરોહિત કાશ્યપને કપિલ નામે પુત્ર હતા. તે વિદ્યાધ્યયન નહિ કરવાથી મૂર્ખ રહ્યો. આ કારણથી કાસ્યપ ગુજરી જતાં રાખએ બીજા કોઈ ને પુરહિત બનાવ્યો. એ પુરોહિત એક દિવસ બહુ ઠાઠમાઠથી કપિલના ઘર આગળથી પસાર થયા, એટલે કપિલની માતાને બહુ લાગી આવ્યું. તે જોઈ ને કપિલે તેને કારણ પૂછ્યું, ત્યારે માતાએ કહ્યું : ‘ બેટા ! જો તું ભણી-ગણીને હોશિ યાર થયા હોત તે આજે રાજપુરોહિતની સાહેબી ભોગવતા હાત ને બધા લોકો તને ખમ્મા ખમ્મા કરતા હેત. પણ તું કંઈ ભણ્યા-ગણ્યા નહિ, એટલે તારા બાપનું પદ આજે બીજો ભાગવે છે. અરેરે ! આ તે ખાદે ભારીગ અને ભાગવે ઊર ' તેના જેવું થયું ! '
,
Page #412
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હઠાવે
૩૦૩ આ વચને સાંભળીને કપિલને બહુ લાગી આવ્યું, તેથી થોડી વાટ-ખરચી લઈને શ્રાવસ્તી નગરીએ ગયે અને ત્યાં માધુકરી ( ભિક્ષાવૃત્તિ) કરીને ઈન્દ્રદત્ત નામના ઉપાચાયની પાઠશાળામાં ભણવા લાગે. એ રીતે કેટલાક કાલ વિદ્યાધ્યયન કરતાં તેની મૂર્ખતા ઘણું અંશે ઓછી થઈ અને તેની ગણના એક હોશિયાર છાત્ર તરીકે થવા લાગી. તે પછી તેના ભેજનની વ્યવસ્થા એક મનોરમા નામની વિધવા બ્રાહ્મણને ત્યાં કરવામાં આવી. પરંતુ તેને વિશેષ પરિચય પ્રેમમાં પરિણમે.
એક વાર મનેરમાએ કપિલને ઉદ્દેશીને કહ્યું કે “નાથ ! અત્યાર સુધી આપણે ગુજારે ગમે તેમ ચાલે, પણ હવે ત્રીજું જણ ઘરમાં આવશે, માટે તેના નિર્વાહને કેઈ ઉપાય કરે.” આ સાંભળીને કપિલ બાઘા જે બની ગયે. શું ધંધે કરે ? તેની તેને સમજ પડી નહિ. ત્યારે મનેરમાએ કહ્યું: “નાથ ! મુંઝાવાની જરૂર નથી. આપણા ગામને રાજા સવારમાં પહેલે આશીર્વાદ આપનાર બ્રાહ્મણને બે માસા એનું દાનમાં આપે છે, માટે તેને પહેલે આશીર્વાદ આપી આવે અને બે માસા સેનું લઈ આવે. તેનાથી આપણું કામ નભશે.”
બીજા દિવસે કપિલ વહેલે ઊડ્યો અને રાજમહેલે પહોં, પણ ત્યાં કઈ બ્રાહ્મણે આશીર્વાદ આપી દીધા હતા. બીજા દિવસે પણ તેમ જ બન્યું. ત્રીજો દિવસ પણ એ રીતે જ પસાર થયો. એ રીતે આઠ દિવસે વ્યતીત
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સામાયિક-વિજ્ઞાન.
થયા, એટલે નવમા દિવસે તે ખૂબ જ વહેલા ઊઠયો અને રાજમહેલે પહેલા પહોંચી જવા માટે દેડવા લાગ્યા.
કપિલને આ રીતે દોડતા જોઈ ને પહેરેગીરાએ પકડી લીધે અને કાટડીમાં પૂર્યાં. પછી પ્રાતઃકાલ થતાં તેને રાજા આગળ રજૂ કરવામાં આવ્યો, ત્યારે ભયના માર્યા તે ધ્રુજવા લાગ્યા.
આ જોઈને રાજા સમજી ગયે કે આ કેઇ ધાંધાદારી ચાર નથી, પણ સામાન્ય રાહદારી લાગે છે. પછી રાજાના પૂછ વાથી કપિલે બધી હકીકત જણાવી. તે સાંભળીને રાજાએ કહ્યું કે ‘ મને આશીર્વાદ આપવા માટે તેં જે મુશીખત ઉઠાવી છે, તેની હું કદર કરું છુ. તારે જે માગવું હોય તે માગી લે.’
પિલે કહ્યું : · મહારાજ ! અત્યારે મારું મન વિવલ છે, તેથી થોડો સમય આપે, તે વિચારીને માગુ
6
'
રાજાએ તે માગણી કબૂલ રાખી, એટલે કપલ એક માગમાં ગયા અને ત્યાં બેસીને વિચાર કરવા લાગ્યોઃ શુ માગુ ? એ માસા સેનાને બદલે પાંચ સાનૈયા માર્ગુ ? પણ એટલામાં શુ' પૂરુ' થશે ? માટે પચાશ સાનૈયા માગવા દે, વળી વિચાર આવ્યોઃ ૮ પચાશ સેાનૈયા કઈ અધિક કહેવાય નહિ. એટલી રકમ તે ગમે ત્યાં આડીઅવળી વપરાઇ જાય, સા સોનૈયા જ માગવા દે. · વળી વિચાર આવ્યો: સે સેનૈયામાં મારું દળદર ફીટશે નહિ, માટે હજાર સાનૈયા જ માગવા દે. અથવા તેા રાજાને શી ખોટ છે કે તેની પાસેથી માત્ર હજાર સાનૈયા જ માગું? શા માટે લાખ, દશ લાખ કે
"
Page #414
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હા
૩૦૫ કરેડ સેનયા જ ન માગવા ?” આમ કપિલની તૃષ્ણા વધતી જ ગઈ અને આખરે તેણે રાજાનું આખું રાજ્ય માગી લેવાનો નિર્ણય કર્યો. બે માસા સેનાથી શરૂ થયેલી તૃષ્ણ આખા રાજ્યને આંબી ગઈ, પણ તે જ વખતે તેને એક શ્લેક યાદ આવ્યો : धनेषु जीवितव्येषु, स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥
ધન, જીવિતવ્ય, સ્ત્રી અને આહારને વિષે અતૃપ્તિ અનુભવનાર સર્વ મનુષ્ય (ખાલી હાથે) ગયા, જય છે અને જશે.”
અને તેની દષ્ટિમાં ભારે પરિર્વતન થયું. તે વિચાર કરવા લાગે: “મારે આખું રાજ્ય શા માટે જોઈએ ? શું અર્ધાથી ન ચાલે ? પણ અધું કે શા માટે જોઈએ ? રાજકારભારમાં શું સુખ છે ? એ તો એક પ્રકારને બેજે છે. ત્યારે કોડ
નૈયા રેકડા જ માગું ? પણ એટલી મોટી રકમને લઈને શું કરીશ ? એમાંથી મારા ઉપભેગમાં તે બહુ ડું ધન જ આવશે! ત્યારે પચાસ લાખ માગું ? પચીશ લાખ માગું ? કે માત્ર લાખ સોનૈયાથી જ સંતુષ્ટ થાઉં ? પણ લાખ સેનયા કોને કહે છે ? એ પણ ઘણી વધારે ગણાય. ત્યારે શું કરું? પચાસ હજાર માગું? પચીશ હજાર માગું? પાંચ હજાર માગું કે માત્ર હજારથી જ પતાવું ? અરે જીવ! તારે હજાર સેનૈયાની પણ શી જરૂર છે? એટલા સેનૈયા
સા. ૨૦
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૬
સામાયિક-વિજ્ઞાન મળશે તે અભ્યાસમાં ચિત્ત ચુંટશે નહિ અને માજશેખ કરવાનું મન થશે, તેથી સુવાવડના ખર્ચ જેટલા માત્ર પાંચ સેનૈયા જ માગવા દે.” પરંતુ હૃદયે એ વાત પણ કબૂલ રાખી નહિ.
સામા માણસે છૂટ આપી તે તેને લાભ લેવાને વિચાર શા માટે કરે ? મૂલ બે માસા સોનાની વાત હતી, એટલે તેટલા સોનાથી સંતોષ માનવે એ જ સારું છે.” પરંતુ તે વખતે સત ને તલસી રહેલી આંતરદષ્ટિએ એક વિશેષ પ્રશ્ન રજૂ કર્યો : “કપિલ! એટલી તૃણ પણ શા માટે ? શું તું નથી જાણતા કે સર્વ સુખને સંહાર કરનારી તૃણું જ છે કે જેના લીધે તું આટલે દીનહીન બની ગયે!” અને કપિલે રાજા આગળ જઈને કહ્યું કે, “હે રાજન ! મારી કંઈ પણ માગવાની ઈચ્છા નથી.”
રાજાએ કહ્યું : “ભૂદેવ! એમ શા માટે ? હું તમને રાજીખુશીથી એક લાખ સેનામહોર આપું છું, જે તમે ગ્રહણ કરે અને સુખી થાઓ.”
- કપિલે કહ્યું: “હે રાજન ! બે માસા નાથી શરૂ થયેલી તૃષ્ણા તારા આખા રાજ્યને આંબી ગઈ. એટલે જેમ લાભ થતો જાય છે, તેમ લેભ વધતો જાય છે. માટે એ લેભથીએ તૃષ્ણાથી સર્યું ! આ મારો આખરી નિર્ણય છે અને હું તેને જ વળગી રહેવા ઈચ્છું છું.'
સમ્યગૂદષ્ટિને પામેલા કપિલને હવે મને રમાની સૃષ્ટિમાં રસ રહ્યો નહિ. તે સર્વે તૃષ્ણાઓ, સેવે આશાઓ અને
Page #416
--------------------------------------------------------------------------
________________
માયા અને લોભને હઠવો
૩૦૭ સ અભિલાષાઓનો ત્યાગ કરીને નિર્ગથ થયે અને સંયમ તથા તપની અભુત શક્તિ વડે છ માસમાં જ ચાર ઘાતકર્મોને ક્ષય કરી કેવલી-કેવલજ્ઞાની બને.
તૃષ્ણાથી અસંતોષ જન્મે છે અને તેને લીધે બીજાં અનેક દુખે સહેવાં પડે છે. તે અંગે રાજર્ષિ ભર્તુહરિએ જે શબ્દો કહ્યા છે, તે મનન કરવા યોગ્ય છે. उत्खातं निधिशंकया क्षितितलं ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां पतिपतयो यत्नेन संतोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः। प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुश्च माम्॥१॥
નિધિની શંકા પડતાં મેં પૃથ્વીના પડ ખોદ્યાં. વળી પહાડમાં જઈને ત્યાં રહેલી ધાતુઓ ગાળી અને અપાર એ દરિયે પણ તરી ગયે. તેમજ પ્રયત્ન કરી રાજાઓને સંતોષ્યા તથા મંત્રારાધનમાં તત્પર બનીને સ્મશાનમાં રાત્રિએ ગાળી, છતાં ફૂટી કેડી મળી નહિ. હે તૃષ્ણા! તું મને છોડ.” भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किश्चित्फलं, त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला । मुक्त मान विवजितं परगृहेष्वाशंकया काकवत् , तृण्णे जम्भसि पापकर्मनिरते नाद्यापि संतुष्यसि ॥ २ ॥
વિષમ ભૂમિવાળા અનેક દેશમાં રખડ્યો, પણ તેનું કંઈ ફલ મળ્યું નહિ. જાતિ તથા કુલનું અભિમાન છોડીને અનુચિત કરી કરી, તે પણ નિષ્ફલ ગઈ. માન છોડીને બીજાના
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સામાયિક-વિજ્ઞાન
ઘરે કાગડાની પેઠે ખીતાં ખીતાં ભાજન કર્યું. આવી રીતે પાપ૪માં મગ્ન અનીને તું ફેલાતી જ ગઈ. છતાં હે તૃષ્ણા ! તને સંતેષ ન થયે..
खलोल्लापाः सोढाः कथमपि तदाराधनपरैनिगृह्यान्तर्वाष्पं हसितमपि शून्येन मनसा | कृतश्चित्तस्तम्भः प्रतिहतधियामंजलिरपि, त्वमाशे मोघाशे किमपरतो नर्तयसि माम् || ३ ||
· દુર્જન પુરુષોની સેવામાં તત્પર રહીને તેમનાં ઘણા ઠપકા સહન કર્યાં. શૂન્ય મને હસીને અંતરની વ્યથાને કાબૂમાં રાખી. તેમજ મનની વૃત્તિઓને થંભાવીને દુષ્ટજનેને હાથ જોડયા. હું આશા! હું જૂઠી આશા ! હજી તું મને. શા માટે નચાવી રહી છે?
"
અતિ લાભ કે તૃષ્ણાનું પરિણામ ખ્રુરુ' જ આવે છે. તે અંગે એક વાત સાંભળી લે.
અતિ લાભના પરિણામ પર એક થા
એક માણસને દશ ઘેાડા હતા. તેના પર માલ ભરીને તે ખીજે ગામ જતા અને ત્યાં વેચી આવતા. એ રીતે તે પોતાનુ ગુજરાન ચલાવતા, પરંતુ તેને ધન મેળવવાની અતિ તૃષ્ણા હતી. ‘ મને કોઈક ઠેકાણેથી ક્યારે ખજાનો મળી આવે અને હું કયારે ક્રોડપતિ થઇ જાઉં !' એવા વિચારે
તેના મનમાં ઘેાળાયા કરતા હતા.
Page #418
--------------------------------------------------------------------------
________________
માયા અને લાભને હટાવા
૩૦૯
એક વાર તે માલ વેચીને પેાતાના દશ ખાલી ઘેાડા સાથે પાછે. આવતા હતા. એવામાં સિદ્ધ ટેકરી નામનુ સ્થાન આવ્યું. અહીં કોઈ ચૈાગી કે સિદ્ધ પુરુષ જરૂર હશે, એમ માની તેણે ચારે તરફ નજર ફેરવવા માંડી. ત્યાં તેની નજર સાધુ જેવા મનુષ્ય પર પડી. એટલે તેની પાસે જઈ હાથ જોડી કહેવા લાગ્યા : મહારાજ ! હું ગરીબ માણુસ છેં. ધન મેળવવા માટે ઘણાં ફાંફાં માર્યાં, પણ આજ સુધી તેમાં મારું કઇ વળ્યુ નથી. જો આપ કૃપા કરીને કોઈ જગાએ ધનના ખજાના બતાવા તો મારુ કામ થઈ જાય. આપના ઉપકાર હું જીવનભર નહિ ભૂલું. '
6
6
પેલા સાધુ જણાતા માણસે કહ્યું કે · કદાચ તને ધનના ખજાના બતાવવામાં આવે તે પણ તેમાંનુ ધન તું તારે ઘરે શી રીતે લઈ જઈશ ? ' ઘેાડાવાળાએ કહ્યું ઃ ૮ મારી પાસે દશ ઘેાડા છે, તે પર લાદવાની વીશ પેટીઓ છે અને તેને બંધ કરવાની બધી સામગ્રી પણ છે, આ રીતે ખજાનાનું ધન લઈ જવા માટે મારી પાસે બધી તૈયારી છે.’
આ સાધુ જેવા દેખાતા માણસ એક માંત્રિક હતો. તેણે કોઈ માંત્રિક પુરુષ પાસેથી ધનભંડાર મેળવવાના મંત્ર મેળવ્યેા હતેા અને તેનું સ્થાન પણ જાણ્યુ હતું, પરંતુ મંત્ર આપનાર ગુરુએ કહ્યું હતું કે · એ ધનભંડારમાંથી તારા હાથે કઈ પણ ઉપાડી શકાશે નહિ. એ કામ તારે બીજા પાસે કરાવવુ.’ એટલે તે માંત્રિક તેવા માણસની શેાધમાં હતા.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સામાયિક-વિજ્ઞાન. માંત્રિકે કહ્યું: “જે તારી એવી જ ઈચ્છા હોય તે ચાલ મારી સાથે. હું તને પ્રજાને બતાવીશ. તેમાંથી તું પેટીઓ ભરી લેજે.”
તે બંને ત્યાંથી આગળ ચાલ્યા અને પહાડની એક કરોડ પાસે આવી પહોંચ્યા. ત્યાં પેલા માંત્રિકે મંત્ર ભણ ગુગળને ધૂપ કર્યો કે ત્યાં એક મેટો દરવાજો જણાયે અને તેની અંદર મકાન દેખાયું. પછી તે બંને જણ અંદર દાખલ થયા તે ત્યાં હીરા, મેતી, માણેક તથા સોનામહોરોથી ભરપૂર ખજાને દેખાય. આ જોઈ ઘેડાવાળ ચકિત થઈ ગયેઃ આ તે સ્વપ્ન છે કે સાચું ?” પરંતુ આખરે તે સાચું હવાને નિર્ણય કરી તેણે માંત્રિકના કહેવા મુજબ તેમાંથી વીશ પેટીઓ ભરી લીધી અને તેને સારી રીતે બંધ કરી. આ વખતે માંત્રિકે મકાનના એક ગોખલામાં પડેલી લેઢાની એક ડબ્બી ઉપાડી પોતાની પાસે રાખી. પછી બંને જણ બહાર નીકળ્યા અને માંત્રિકે મંત્ર ભણી ધૂપ કર્યો કે, કરાડ જેવી કરાડ દેખાવા લાગી.
પેલી વીશ પેટીઓ ઘડા પર લાદી તે બંને પાછા. ફરી રહ્યા હતા, ત્યારે ઘડાવાળાને વિચાર આવ્યો કે “આમાં મહારાજનું ધન કેટલું ? અને મારું કેટલું ? તેને નિર્ણય. હમણ જ કરી લેવું કે જેથી વાંધો પડે નહિ.” એટલે તેણે પેલા માંત્રિકને કહ્યું કે “મહારાજ ! આમાં તમારો ભાગ કેટલે અને મારે ભાગ કેટલો?” માંત્રિકે કહ્યું: “બંનેને. અર્ધા અર્ધ ભાગ. દશ પેટી મારી ને દશ પટી તારી.”
Page #420
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હોવો
૩૧૧ ઘરવાળે આ દશ પેટીથી ધનાઢય બની જાય એમ હતું, છતાં ધનની અતિ તૃણાને લીધે તેને વિચાર આવ્યું કે “આમાંથી મને વધારે ધન મળે તે ઠીક.” એટલે તેણે માંત્રિકને કહ્યું : “મહારાજ ! આપની પાસે વિદ્યા છે, તે આપ ઘણુ ખજાના મેળવશે, માટે મને આમાંથી કંઈક વધારે આપે તે સારું.” માંત્રિકે કહ્યું: “ભલે, તું બે પિટી વધારે લેજે, એટલે કે બાર લેજે. પરંતુ તેટલાથી આ તૃષ્ણાવંત ઘોડાવાળાને સંતોષ ન થયે; એટલે તે વધારે ધન મેળવવા માટે કાલાવાલા કરવા લાગે, તેથી માંત્રિકે તેને પ્રથમ ચૌદ, પછી સેળ, પછી અઢાર અને છેવટે બધી પેટીઓ આપી દેવાનું જણાવ્યું.
હવે આ જ વખતે તેની નજર માંત્રિક પાસેની ડબ્બી પર ગઈ, એટલે તેણે માંત્રિકને કહ્યું: “મહારાજ ! તમારી આ ડબ્બીમાં જરૂર સિદ્ધાંજન છે, તે મને આપે તે મારી આંખે આંસું.” માંત્રિકે કહ્યું: “ભાઈ! એમાં સિદ્ધાંજન નથી. એમાં તે એવું ઔષધ ભરેલું છે કે જે આંખે લગાડતાં મનુષ્ય આંધળે બની જાય.”
ઘેડાવાળે એમ જાણતા હતા કે સિદ્ધાંજન આંખે લગાડવાથી જમીનમાં કે ગુફામાં છુપાયેલા ધનના ખજાના જોઈ શકાય છે, એટલે તેણે આ પ્રકારની માગણી કરી હતી. પરંતુ માંત્રિકે આ પ્રકારને જવાબ આપે, એટલે તેને એમ લાગ્યું કે “મહારાજ ! મને એ સિદ્ધાંજનને ઉપયોગ. કરવા દેવા માગતા નથી, અને તેણે ફરી આગ્રહભરી માગણી
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સામાયિક-વિજ્ઞાન કરી, એટલે માંત્રિકે પેલી લેઢાની ડબ્બી તેના હાથમાં મૂકી. ઘેડાવાળાએ તરત તે ઉઘાડી અને તેમાંનું અંજન હાથની આંગળી પર લીધું. આ વખતે માંત્રિકે તેને ફરી ચેતવણી આપી કે “આ સાહસ કરવું રહેવા દે. તું જરૂર આંધળે. થઈશ.” પણ તૃણને વેગવાન પૂરમાં તણાઈ રહેલા ઘોડાવાળાએ તેના પર ધ્યાન ન આપતાં એ અંજન આંખે આંક્યું ને ડીવારમાં તે ખરેખર આંધળે થઈ ગયે.
માંત્રિકને લાગ્યું કે આ માણસ ધનને લાયક નથી, એટલે તે પિલા દશ ઘોડા પર લાદેલી ધનની વીશ પટીઓ લઈને ત્યાંથી વિદાય થઈ ગયે અને પેલો ઘેડાવાળે અથડાતો -કૂટાતે કેટલાક વખતે પિતાના ઘરે પાછો ફર્યો. ધનની અતિ તૃષ્ણાને લીધે તેણે પિતાને પ્રાપ્ત થયેલી અઢળક લક્ષ્મી ગુમાવી, જેના પર પેટગુજારે હવે તે દશ ઘોડા ગુમાવ્યા અને પિતાની રત્ન જેવી બે આંખે પણ ગુમાવી. આ રીતે તેનું સર્વસ્વ નાશ પામ્યું. તાત્પર્ય કે અતિ તૃષ્ણ સર્વનાશ કરનારી છે.
લેભ કે તૃષ્ણને સંતોષથી જીતી શકાય છે. “સંતોષ જેવું સુખ નથી.” એ આપણા સર્વ મહાપુરુષોને અનુભવ છે અને મહર્ષિ પતંજલિએ યેગસૂત્રમાં તેની નેંધ લેતાં જણાવ્યું છે કે “સન્તોષનુત્તમભુમિ -સંતેષથી સર્વોકૃષ્ટ સુખને લાભ થાય છે. છેવટે શ્રી તુલસીદાસજીને એક દુહો યાદ કરી લઈએ ?
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૧૩
માયા અને લેભને હઠાવે તીન ટૂક કેપીન કે, અરૂ ભાઇ બીન લેન; સીતારામ હિરદે બસે, ઇંદ્ર બાપુર કેન?
વસ્ત્રમાં માત્ર લંગોટી જ હોય અને તે પણ ત્રણ ટુકડાવાળી. વળી ખાવામાં માત્ર ભાજી હોય અને તે પણ લુણ એટલે મીઠા વિનાની. પરંતુ હૃદયમાં સીતારામ વસતા હોય, તે ઇંદ્ર બિચારે તેની આગળ કેણ છે?” તાત્પર્ય કે જેણે સર્વ તૃષ્ણને ત્યાગ કર્યો છે અને પિતાનું મન પ્રભુત્વ સેવામાં જોડી દીધું છે, તે ઈંદ્ર કરતાં પણ ઘણું વધારે સુખ ભેગવી રહેલ છે.
આ વિવેચનને સાર એ છે કે માયા અને તેમને અંતરમાંથી હઠાવો. તેમની હસ્તી આધ્યાત્મિક વિકાસ માટે ઘણી ખતરનાક છે. માયા અને લેભને હઠાવ્યા વિના સમભાવસિદ્ધિ અશક્ય છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-કષાય શબ્દના બીજા અર્થે થાય છે ખરા ?
ઉત્તર-હા. જે રસ તૂરે હેય તેને કષાય કહેવાય છે, જે રંગ લાલ અને પીળા રંગના મિશ્રણરૂપ એટલે કેશરી હોય તેને પણ કષાય કહેવાય છે અને વિવિધ વનસ્પતિઓના બનેલા ઉકાળાને પણ કષાય કહેવાય છે, કારણ કે તેને પીતાં ખરાબ સ્વાદ આવે છે.
પ્રશ્ન-જૈન શાસ્ત્રોમાં કષાયને બીજે કઈ અર્થ કરવામાં આવ્યો છે?
Page #423
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
ઉત્તર-હા. પ્રજ્ઞાપનાસૂત્રના તેરમા પદે કષાયના અ એમ કરવામાં આવ્યેા છે કે ઘણાં પ્રકારનાં સુખ અને દુઃખના ફલને ચાપ્ય એવા ક ક્ષેત્રનું જે કાઁણ કરે છે, તેને કષાય કહેવાય છે. તાય કે જે ચિત્તવૃત્તિથી ઘણું કર્યું 'ધન થાય તેને કષાય સમજવે.
૩૧૪
પ્રશ્ન-શું કષાય સિવાય બીજી ચિત્તવૃત્તિએ આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરે છે ખરી ?
ઉત્તર-ના. પરંતુ કેટલીક ચિત્તવૃત્તિઓ એવી છે કે જે કષાયનું ઉદ્દીપન કરે છે અને એ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરવામાં સહાયક બને છે.
પ્રશ્ન-એવી ચિત્તવૃત્તિએ કેટલી છે?
ઉત્તર-નવ. તે આ પ્રમાણે
:
(૧) હાસ્ય-જેના ઉદયથી જીવને હસવું આવે છે.
(૨) રતિ–જેના ઉદયથી જીવને હુ થાય છે. (૩) અરતિ–જૈના ઉદયથી જીવને વિષાદ એટલે ખેદ થાય છે.
(૪) ભય—જેના ઉદયથી જીવને ભય લાગે છે. (૫) શાક–જેના ઉદયથી જીવને શાક થાય છે.
(૬) જુગુપ્સા–જેના ઉદયથી જીવને ઘણા આવે છે. (૭) સ્ત્રીવેદ–જેના ઉદયથી પુરુષને ભાગવવાની ઇચ્છા
ઉદ્ભવે છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
માયા અને લેભને હઠા
૩૧૫ (૮) પુરષદ-જેના ઉદયથી સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય છે.
(૯) નપુસદ-જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બંનેને ભેગવવાની ઈચ્છા થાય છે.
આ નવ ચિત્તવૃત્તિઓને “નેકષાય”ની સંજ્ઞા આપવામાં આવી છે.
પ્રશ્ન–કે મનુષ્ય દેવ-ગુરુધર્મની નિંદા કરતો હોય, તેના તરફ કોઈ આવે ?
ઉત્તર–તે વ્યવહારિક દૃષ્ટિએ ઠીક ગણાય, પણ તાત્વિક દષ્ટિએ ઠીક ગણાય નહિ. એવા મનુષ્ય પર કોધ ન કરતાં તેની દયા ચિંતવવી જોઈએ.
પ્રશ્ન-પિતા કે માતા પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે ક્રોધ કરે તે શું તેમની દુર્ગતિ થાય ?
ઉત્તર–પિતા કે માતા પિતાને પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કિધ કરે છે, તેમાં હેતુ સારે હોવાથી દુર્ગતિ ન થાય, પણ કર્મબંધન તો થાય જ. તેથી ઈછનીય એ છે કે પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કોંધ ન કરતાં સ્નેહ અને સભાવને ઉપયોગ કરે.
પ્રશ્ન-ધર્મનું અભિમાન કરાય કે નહિ ?
ઉત્તર-ધર્મ પ્રત્યે ઉત્કટ આદર રાખે, પણ તેનું અભિમાન કરવું નહિ. એ અભિમાન પણ છેવટે પતન તરફ દેરી જાય છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-ધર્મની માયા લાગે છે?
ઉત્તર–અહીં માયાને અર્થ પ્રેમ છે, એટલે તેમાં કંઈ ખેટું નથી. ધર્મ પ્રત્યે પ્રેમ જરૂર રાખ જોઈએ; પરંતુ ધર્મ નિમિત્તે માયા એટલે ફૂડ-કપટનું સેવન કરવું એગ્ય નથી.
પ્રશ્ન-આ જગતમાં કોઈ વસ્તુને લેભ કરવા જે ખરે?
ઉત્તર-હા. આ જગતમાં બે વસ્તુને લેભ કરવા જે છે. એક વિદ્યા અને બીજે ધર્મને. તાત્પર્ય કે વિદ્યા જેટલી બને તેટલી વધારે મેળવવી જોઈએ અને ધર્મ પણ બને તેટલું વધારે કરવું જોઈએ. જે મનુષ્ય શેડી વિદ્યાથી • અને થડા ધર્મથી સંતુષ્ટ થાય છે, તે આગળ વધી શકતે નથી.
પ્રશ્ન-ચાર કષાયોને જીતવાથી રાગદ્વેષ સંપૂર્ણ જીતાઈ જાય ખરા?
ઉત્તર-હા. ચાર કષાયને પૂરેપૂરા જીતવાથી ગદ્વેષ પૂરેપૂરા જીતાઈ જાય છે, તેથી જ શાસ્ત્રોમાં કેટલાક સ્થળે કહેવાયું છે કે “કાયમુત્તિઃ શિસ્ત્ર મુવિ -કષાયમાંથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે. '
પ્રશ્ન-કોધને ત્યાગ કરવાથી શું લાભ થાય છે ? ઉત્તર-કોધને ત્યાગ કરવાથી ક્ષમાની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન-માનને ત્યાગ કરવાથી શું લાભ થાય છે ?
ઉત્તર-માન કે અભિમાનને ત્યાગ કરવાથી મૃદુતા કે નમ્રતાને લાભ થાય છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
માયા અને લાભને હટાવા
૩૧૭
પ્રશ્ન-માયાને ત્યાગ કરવાથી શે લાભ થાય છે? ઉત્તર-માયાને ત્યાગ કરવાથી સરલતા કે નિખાલસતાની પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન—લાભને ત્યાય કરવાથી શા લાભ થાય છે ? ઉત્તર-લેાભના ત્યાગ કરવાથી સતાષના લાભ થાય છે.
ક્ષમા, નમ્રતા, સરલતા અને સ ંતાષથી મનુષ્યના જીવનનું ઉત્તમ પ્રકારે ઘડતર થાય છે અને આધ્યાત્મિક વિકાસમાં ઘણું આગળ વધી શકાય છે. ચાર કષાયના ત્યાગનું આ મેટામાં મેટું ફૂલ છે, તેથી સુજ્ઞજનાએ તેમને છેડવા –હઠાવવા માટે તત્પર થવુ જોઈ એ.
Page #427
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] દષ્ટિ આત્મા ભણી રાખે
અધ્યાત્મના રંગમાંથી ભાવના જાગે છે, એ ભાવનાઓનું સેવન કરતાં ધ્યાનની ક્ષમતા આવે છે અને ધ્યાનનો વ્યવસ્થિત અભ્યાસ કરતાં સમત્વ કે સમભાવની સિદ્ધિ થાય છે, એટલે પ્રથમ લક્ષ્ય અધ્યાત્મ તરફ આપવાનું છે. મન જીતવાની કલા” થી માંડીને “માયા અને લેભને હઠા સુધીનાં છ પ્રકરણમાં જે કંઈ વિવેચન કરવામાં આવ્યું છે, તે અધ્યાત્મને રંગ ચડાવવા માટે જ કરવામાં આવ્યું છે. હજી તે અંગે એક મહત્વપૂર્ણ વસ્તુ કહેવાની છે, તે પ્રસ્તુત પ્રકરણ દ્વારા કહીશું.
આપણે “સ્વ” અને “પર” ને સ્પષ્ટ ભેદ જાણીએ નહિ અને તેને જીવનમાં ઉતારીએ નહિ, ત્યાં સુધી અધ્યાત્મને પાકે રંગ ચડતું નથી. કા રંગ ચડ્યા પછી ઉપટી જાય છે, ઊતરી જાય છે કે છેવાઈ જાય છે, જ્યારે પાકે રંગ ચડ્યો તે ચડ્યો. તે ચડ્યા પછી ઉતરતું નથી, તેથી આત્માને અધ્યાત્મને પાકે રંગ ચડાવવાની જરૂર છે. અનંત ભવયાત્રામાં
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૧૯
દૃષ્ટિ આત્મા ભણી રાખે આપણા આત્માને અધ્યાત્મને રંગ અનેક વાર ચડ્યો છે, પણ તે પાકે નહિ તેવાથી ઊતરી ગયેલ છે અને તેના વડે જે કાર્ય સિદ્ધિ કરવી હતી, ભવનિસ્તાર કરે છે, તે થઈ શક્ય નથી. આ હકીકત ખ્યાલમાં રાખીને આ ભવમાં આત્માને અધ્યાત્મને પાકો રંગ ચડાવીએ, જેથી સામાયિકની સાધના–પૂર્વક ભવને નિસ્તાર કરી શકીએ. “સ્વ” એટલે “હું” એ વાત તે સહુ કોઈ જાણે છે, પણ “હું” એટલે કેશુ? એ વાત ઘણું જાણતા નથી. તેઓ શરીર એટલે દેહને હું ગણે છે અને એ રીતે દેહાધ્યાસના ભોગ બને છે.
જ્યાં દેહને હું માન્યો, એટલે તેના તરફ મમત્વ જાગે એ સ્વાભાવિક છે અને જ્યાં મમત્વ જાગ્યું ત્યાં તેને પાળવાની, પિષવાની, લાડ લડાવવાની તથા અનેક પ્રકારનું સુખ આપવાની ભાવના જાગે. એ પણ સ્વાભાવિક છે. આ સંગેમાં શારીરિક સુખને લક્ષ્યમાં રાખીને સર્વ પ્રવૃત્તિઓ થાય, એમાં આશ્ચર્ય શું ? તાત્પર્ય કે બનાવટી “હું” ખડે થતાં સાચે “હું” બાજુએ રહી જાય છે અને તેના હિત કે કલ્યાણની કંઈ ખેવના કરવામાં આવતી નથી. દિવસ અને રાત્રિના મળી ચેવીશ કલાક, તેમાં શરીરના લાલન-પાલન અને અમન–ચમન માટે કેટલાં? અને આત્માના હિત કે કલ્યાણ માટે કેટલાં? કેટલાકને તે એને જવાબ ૨૪ અને ૦ માં આપવું પડે એમ છે, કેટલાકને એને જવાબ ૨૩ અને માં આપ પડે એમ છે, તો કેટલાકને એને જવાબ ૨૩-૧૨ અને ૧-૨ માં આપ પડે એમ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે એમ બતાવે છે કે આપણને શરીરના લાલન
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૨૦
સામાયિક-વિજ્ઞાન.
પાલન અને અમન–ચમનની પડી છે, આત્માના હિત કે કલ્યાણની કંઈ જ પડી નથી.
આપણે આત્માને “હું” માને જોઈને હતે, તે કેમ ન માન્યા ? તેને ખુલાસે બકરી આ સિંહના દષ્ટાંતથી કરીશું.
બકરીઆ સિંહનું દષ્ટાંત એક ભરવાડ વનમાં બકરાં ચરાવતું હતું, ત્યાં તરતનું જન્મેલું એક સિંહનું બચ્ચું તેના જેવામાં આવ્યું. તે એને ઘરે લઈ આવ્યું અને બકરાંનું દૂધ પાઈને મેટું કર્યું. અનુક્રમે તે મેટો સિંહ થયે. તે સિંહ બકરાના વાડામાં રહેતું હતું અને જ્યારે બકરાં ચરવા જાય, ત્યારે તેમની સાથે ચરવા જતા હતા. ત્યાં તે બકરાની સાથે જ હરતેફરતે, બકરાંની સાથે જ ઊઠતે-બેસત અને બકરાંની સાથે જ ખાતે–પી. આમ ઘણી વખત બકરાંની બતમાં રહેવાથી તે સિંહ પોતાને બકરે જ માનતો હતો અને પિતાને સર્વ જીવન-વ્યવહાર તે મુજબ જ ચલાવતા હતા.
એક દિવસ આ બકરીઓ સિંહ અન્ય બકરાંઓ સાથે ચરવા ગયે, ત્યાં વનને બીજે સિંહ આવી ચડે અને તેણે પિતાના સ્વભાવ મુજબ ગર્જના કરી. આથી બધાં બકરાં નાસવા લાગ્યા અને તેમની સાથે બકરીઓ સિંહ પણ નાસવા લાગ્યું. એ જોઈ વનના સિંહે કહ્યું: “અરે ભાઈ! મારી ગર્જનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે. છે? તું તે મારા જે જ સિંહ છે!
Page #430
--------------------------------------------------------------------------
________________
દિષ્ટ આત્મા ભણી રાખે
૩૨૧
બકરીઆ સિંહે કહ્યું : ‘ તારું કહેવુ' મિથ્યા છે. હું
તારું ખાજ હાવાથી
સિંહુ નથી, પણ બકરા છું અને તારાથી ભય પામીને નાસી જાઉં છું.’
આ જવાબથી વનના સિહુ સમજી ગયા કે આ સિંહ ઘણા દિવસ સુધી બકરાંના સંગમાં રહ્યો છે, તેથી પાતાને બકરો માની બેઠા છે, માટે તેને ભ્રમ ભાંગવા દે. તેણે કહ્યું : ‘ ભાઈ ! મારું કહેવું મિથ્યા છે કે સાચું છે તેની ખાતરી કર. કયાં બકરાંનું શરીર અને કયાં તા શરીર ? બકરાં કરતાં તું કેટલા બધા માટે છે? કદાચ તુ એમ સમજતા હોઇશ કે મારું શરીર બહુ મેટું છે, તેથી હું મોટા કરો છું, પણ એ હકીકત સાચી નથી. તારુ ' મેહુ મારા મેઢા જેવુ ગાળ છે, પણ બકરાંના મેઢા જેવુ... લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે, પણ બકરાંની કેડ જેવી જાડી નથી. વળી તારા પગે મારા જેવા નહાર છે, પણ બકરાંની માફક ખરીએ નથી. તારું પૂછડું મારા પૂંછડાની જેમ લાબું છે, પણ અકરાંની પૂછડીની જેમ તદ્દન ટૂંકુ નથી. અને તારી ગરદન પર સુંદર કેશવાળી ઉગેલી છે.
શુ આવી સુંદર કેશવાળી બીજા કોઈ બકરાંની ગરદન પર ઉગેલી છે ખરી ? વળી અકરામાં અને તારામાં માટે તફાવત તે એ છે કે દરેક બકરાંના માથા પર એ શીગડા ઊગેલાં છે, જ્યારે તારા માથા પર એક પણ શી'ગડુ' ઊગેલું નથી કે જે પ્રમાણે મારા માથા પર ઊગેલું નથી, માટે તારા ભ્રમને દૂર કર અને તું મારા જેવા જ સિંહ છે, એમ સમજી લે. ’
સા. ૨૧
Page #431
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન
આ શબ્દો સાંભળતાં જ કરીઆ સિંહના ભ્રમ ભાંગી ગયા અને તે પેાતાને સિંહસ્વરૂપે જોવા લાગ્યા. પછી તે પેલા સિંહની સાથે વનમાં ગયા અને ત્યાં સિંહનું જીવન જીવી સુખી થયે..
કર
તાત્પર્ય કે આપણે દીર્ઘકાલના મેહજન્ય સંસ્કારોથી આપણુ` મૂલ સ્વરૂપ જે આત્મા, તેને ભૂલી ગયા અને પરસ્વરૂપ જે દેહને જ હું માનવા લાગ્યા.
આ ભવમાં તા આપણને સંપ્રધારણ સંજ્ઞાવાળું સમ મન પ્રાપ્ત થયું છે અને તેના વડે દરેક વસ્તુના ઊંડાણથી વિચાર કરી શકીએ એમ છીએ, તે અહી” એ વિચારવુ ઘટે કે—
(૧) આત્મા સ્પ, રસ, ગંધ, વણુ અને શબ્દથી રહિત એવા ચૈતન્યદેવ છે, જ્યારે દેહ તા લેહી, માંસ, ચરખી, હાડકાં અને ચામડીરૂપ પુદ્ગલની અનાવટ છે, તે તે ‘હુ” કેમ હોઈ શકે ?
(૨) આત્મા શસ્ત્રોથી છેદ્યાતા નથી, અસ્ત્રોથી ભેદાતા નથી, રાગોથી ઘેરાતો નથી કે કઢી વિકૃતિ પામતા નથી, જ્યારે દેહ તો શસ્ત્રાથી છેદાય છે, અàાથી ભેદાય છૅ, રાગોથી ઘેરાય છે અને ગમે ત્યારે વિકૃતિ પામે છે, તે તે ‘હું” કેમ હોઈ શકે ?’
(૩) આત્મા કદી જન્મેલા નથી, એટલે અજર છે, કદી વૃદ્ધ થતા નથી, એટલે અજર છે અને કદી મરણ પામતા નથી, એટલે અમર છે, જ્યારે દેહ તેા જન્મેલા છે,
Page #432
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિ આત્મા ભણી રાખો
૩૨૩
વૃદ્ધાવસ્થાને પામનારો છે અને મરણ આવ્યે તેને આધીન થનારા છે, તે તે હુ‘” કેમ હોઇ શકે?
'
(૪) આત્મા પવિત્ર છે, શુદ્ધ છે, જ્યારે દેહ તા અપવિત્રતાથી ભરેલા છે, અશુચિનુ ધામ છે અને તેના દશે દરવાજેથી લીટ, લાળ, પરસેવા વગેરે ગંદકીના પ્રવાહ નિર ંતર વહ્યા કરે છે, તે તે ‘હું' કેમ હોઈ શકે ?
(૫) આત્મા અન’ત જ્ઞાન, અનંત દર્શન, અન’ત ચારિત્ર અને અનંત શક્તિવાળા છે, જ્યારે શરીર તેા કઈ પણ જાણી શકતુ નથી, જોઈ શકતુ નથી, કરી શકતું નથી કે કોઇ જાતની શક્તિ ધરાવતું નથી, તે તે ‘હુ” કેમ હાઈ શકે? +
તાત્પ કે આત્માનું સ્વરૂપ જુદું છે અને દેહનુ સ્વપરૂ પણ જુદુ છે, એટલે દેહને હું-આત્મા—સ્વ માની લેવાની ભૂલ કરવી ન જોઈએ. દેહનું સ્વરૂપ આત્માથી ભિન્ન છે, એટલે તેને ‘ પર ' સમજવા જોઇએ. તે જ રીતે જે વસ્તુઆ પૌદ્ગલિક છે, પુલિનિમ ત છે, તેને પણ ‘ પર ’
સમજવી જોઇએ.
+ શરીરમાં જે ક ંઈ કર્તૃત્વ અને શકિત દેખાય છે, તે આત્માને આભારી છે. તે પેતે જડ હોઈ કઈ કરી શકતું નથી. જો તે જાતે કરી શકતુ હોય તે મડદું તે બધુ કરી શકે, કારણ કે તે શરીરરૂપ છે, પણ તે કંઈ પણ કરી શકતું નથી, એટલે કતૃત્વ અને શકિત આત્માનાં જ માનવા ઘટે.
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સામાયિક-વિજ્ઞાન સ્વ” અને “પરના ભેદ સમજાય એ પૂરતું નથી. એ ભેદ બરાબર સમજાવે જોઈએ અને તે આપણું અંતરમાં ઊંડે ઊતરી જવો જોઈએ, અન્યથા આપણી સ્થિતિ પેલા બ્રહ્મવાદી પંડિત જેવી થવા સંભવ છે.
બ્રહ્મવાદી પંડિતનું દષ્ટાંત એક પંડિત બ્રહ્મવાદી હતા. તેઓ જ વ્યાખ્યાન આપતા અને તેમાં “સત્ય જ્ઞાન મિથ્યા' એ સૂત્ર પર જુદી જુદી રીતે વિવેચન કરતા. તેઓ શ્રેતાઓને કહેતાઃ “આપણે બધાં બ્રહ્મસ્વરૂપ છીએ અને તે જ સત્ય છે. આપણી આસપાસ જે જગત્ દેખાય છે, તે માયાસ્વરૂપ હાઈ મિથ્યા છે.” હવે એક વખત તેઓ વ્યાખ્યાનમાંથી ઊઠીને સભાગારના દરવાજા નજીક આવ્યા અને કેટલાક શ્રેતાઓની સાથે વાતચીત કરવા ઊભા રહ્યા, ત્યાં એક ટીખળી શ્રેતાએ તેમનું મસ્તક પકડીને સભાગારના દસ્વાજા સાથે જોરથી ભટકાડયું અને તેઓ ચીસ પાડી ઊઠયાઃ “એય. બાપ! મરી ગયો !”
પિલા ટીખળી શ્રોતાએ ધીમેથી કહ્યું: “પંડિતજી! તમે તે બ્રહ્મસ્વરૂપ છે અને અજર-અમર છે, પછી મરે શી રીતે ? વળી આ લાકડાને દરવાજે તે માયાસ્વરૂપ હાઈ મિથ્યા છે, તમારું શરીર પણ માયાસ્વરૂપ હેઈમિથ્યા છે અને તેમાંથી જે લેહી નીકળી રહ્યું છે, તે પણ માયાસ્વરૂપ હેઈ મિથ્યા છે! તમે તેની ચિંતા શા માટે કરે
Page #434
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિ આત્મા ભણી રાખે
૩૨૫ છો ?” પંડિતજીને દઈ તે ઘણું થતું હતું, પણ આ વચને સાંભળીને તેઓ કંઈ પણ બોલ્યા વિના પિતાના રસ્તે પડ્યા.
તાત્પર્ય કે પંડિતજી બ્રહ્મની જે વાત કરતા હતા, તે બુદ્ધિથી કરતા હતા, લોકેને સમજાવવા માટે કરતા હતા, પણ તેમની પોતાની દ્રષ્ટિ એ પ્રમાણે કેળવાઈ ન હતી કે તેમના વિચારેએ એ પ્રકારની સ્થિરતા પકડી ન હતી. તેથી જ અમે આત્મા અને દેહની ભિન્નતાના જ્ઞાનને અંતરમાં ઉતારવાની વાત કરીએ છીએ.
જાણવું એ જ્ઞાન છે, જીવનમાં ઉતારવું એ ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયાના સંજોગથી જ મનુષ્ય ઉત્તરોત્તર ઉન્નતિ કરતે પિતાના અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચી શકે છે. નાળ-શનિવાઈ નવરો-એ સૂત્રનું રહસ્ય પણ આ જ છે.
કેટલાક આત્મા અને અધ્યાત્મની ડાહી ડાહી વાત કરે છે, પણ આધ્યાત્મિક વિકાસની કઈ કિયા કરતા નથી, તેમને આપણે શુષ્ક અધ્યાત્મવાદી સમજવા જોઈએ. આવાઓને જૈન ધર્મ મેક્ષ માટે અગ્ય માન્યા છે. કેટલાક આધ્યાત્મિક વિકાસને લગતી ક્રિયાઓ કર્યા કરે છે, પણ આત્માનું સ્વરૂપ વિચારતા નથી કે આધ્યાત્મિક વિચારસરણને અપનવતા નથી, તેમને આપણે જડ કિયાવાદી સમજવા જોઈએ. આવાઓને પણ જૈન ધર્મ મોક્ષ માટે અયોગ્ય માન્યા છે. તેથી જ અહીં આત્મા અને દેહની ભિન્નતા સ્પષ્ટપણે સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની હાકલ છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન.
:
જ્યાં દેહાધ્યાસ છે, દેહને હું માનવાની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અહિં વન ’ કે ‘ અહિં ખતા' છે. આવુ જીવન. જીવનારને આધ્યાત્મિક પરિભાષામાં અહિરાત્મા' કહેવાય છે. તેની સર્વ પ્રવૃત્તિએ મહિલ`ક્ષી હાઇને તે કઈ પણ આધ્યાત્મિક વિકાસ કરી શકતા નથી. આજે તે લિફટને જમાના છે અને શહેરમાં બંધાતાં તેાતીગ મકાનામાં પ્રાયઃ લિફ્ટ કે લિફ્ટ હોય છે. તેમાં પ્રથમ G અક્ષર હોય છે અને પછી એકથી માંડીને એ મકાનના માળ જેટલા આંકડા હોય છે. આ G ના અર્થ સમજો છે ને ? G એટલે Ground floor અર્થાત્ સહુથી નીચેની ભૂમિ. હિરાત્માને આ ભૂમિએ ઊભેલે સમજવાને છે.
જ્યારે દેહાધ્યાસ ટળે અને આત્માને ‘હું ’ માનીને તેના જ હિત કે તેના જ કલ્યાણની ખાતર સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે, ત્યારે તે ‘અત વન ’કે ‘ અંતમુ ખતા'ની સ્થિતિ કહેવાય છે અને તેવુ
'
૩૨૬
જીવન જીવનારને
અંતરાત્મા ’કહેવાય છે. આ અંતરાત્મા આધ્યાત્મિક વિકાસ રૂપી લિટના આંકડા જે ૪ થી શરૂ થાય છે અને ૧૨ પત પહોંચે છે, તે શીવ્રતાથી ચડી જાય છે, એટલે આપણા મુખ્ય પ્રયત્ન અહિરાહ્મદશામાંથી અતરામદશા પ્રત્યે જવાના હોવા જોઇએ.
એક આંધળા મનુષ્યને નગરની અ ંદર દાખલ થવુ હતું, પણ એ નગરને ફરતા કેટ હતા અને તેને ચાર દરવાજા હતા, એટલે કોઈ પણ દરવાજેથી જ અંદર દાખલ.
Page #436
--------------------------------------------------------------------------
________________
૩ર૭
દષ્ટિ આત્મા ભણી રાખે થઈ શકાય એવું હતું, તેથી તે કેટની દીવાલ હાથને અડાડી તેના આધારે ચાલે તે હતું, પણ દરવાજે નજીક આવતાં તેના શરીરે ખુજલી આવવા લાગી, એટલે તેણે દીવાલ પરથી હાથ ઉઠાવી લીધું અને તેનો ઉપયોગ ખુજલીવાળા સ્થાનને ખણવા માટે કર્યો. હવે ખુજલી પૂરી થઈ અને તેણે ફરી પાછો પિતાને હાથ દીવાલને અડાડ્યો, પરંતુ એ વખતે પહેલે દરવાજે પસાર થઈ ગયું હતું. હવે બીજો દરવાજે નજીક આવ્યો, ત્યારે પણ આવી જ ઘટના બની અને ત્રીજા-ચોથા દરવાજા નજીક પણ તેનું જ પુનરાવર્તન થયું, એટલે તે નગરની અંદર દાખલ થઈ શક્યો નહિ.
આપણે બહિરાભદશા છોડી અંતરાત્મદશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યાં કેઈ ને કંઈ સાંસારિક પ્રલેભનરૂપી ખુજલી આવે છે અને આપણું એ કામ અટકી પડે છે. આને અર્થ એમ સમજવાને કે હજી આપણને આત્માની લગની જોઈએ તેવી લાગી નથી, એટલે જ સાંસારિક પ્રભને આપણા માર્ગની રૂકાવટ કરી શકે છે. જે એ લગની પૂરેપૂરી લાગી હોય તે કઈ પણ પ્રભા આપણને “અંતરાત્મા” બનતાં રેકી શકે નહિ.
કેટલાક કહે છે કે “હાલ તે યુવાન છીએ. સાંસારિક સુખ મણાય તેટલું માણી લેવા દે. જ્યારે ઘરડા થઈશું ત્યારે તે સામાયિક–પડિક્રમણ કરવાનાં છે જ ને !”
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સામાયિક-વિજ્ઞાન પરંતુ આ વચને અજ્ઞાનતાથી ભરેલાં છે. પ્રથમ તે સાંસારિક સુખ મણાય તેટલા માણવાની વૃત્તિ બરાબર નથી, કારણ કે તે ભેગમાર્ગમાં ખેંચી જનારી છે અને તેને અંજામ બૂરે છે. ભેગમાર્ગે ચડ્યો, તે જલદી એગમાર્ગે આવી શકતા નથી કે જે જરૂર અનુસરવા જેવું છે. અંતિમ કલ્યાણ તે તેનાથી જ થવાનું છે.
કાળદેવનું નગારું ક્યારે ગડગડશે–તે કઈ જાણતું નથી! એટલે વૃદ્ધાવસ્થા સુધી પહોંચાશે કે કેમ? એ વિચારવા જેવું છે. આજની રહેણી-કરણી જતાં તે મોટા ભાગે પચાશ અને સાઠની અંદર ચીઠ્ઠી ફાટી જ જાય છે. છતાં માની લઈએ કે વૃદ્ધાવસ્થા સુધી પહોંચાયું તે એ વખતે શરીર–સ્વાથ્ય કેવું હશે, એ કેણ કહી શકે ? આધુનિક યુગમાં તે ચાલીશ કે પીસ્તાલીશ વર્ષ વટાવ્યાં કે શરીરને ઘસારે લાગવા માંડે છે અને રક્તચાપ (બ્લડપ્રેશર), મીઠી પેશાબ (ડાયાબીટીસ), હૃદયરોગ (હાર્ટ ડીસીઝ) જેવા ખતરનાક રેગ લાગુ પડી જાય છે. તે આપણને ઘેરી નહિ લે એની કોઈ ખાતરી ખરી? શું એ વખતે આપણે બધાં અંગે બરાબર કામ આપતાં હશે ખરાં? શું એ વખતે આપણી માનસિક રૃતિ બરાબર હશે ખરી? શું એ વખતે આપણે ધાર્યા સામાયિક-પડિકમણું કરી શકીશું ખરા? જે સમયસંગની આપણને કેઈ સ્પષ્ટ કલ્પના નથી, તેના પર આપણા જીવનના મહત્ત્વપૂર્ણ ક્તને મુલતવી રાખવાં, એમાં કયા પ્રકારનું ડહાપણ છે? આવાં વચને ઉચ્ચારતાં
Page #438
--------------------------------------------------------------------------
________________
ભારતાં જ મહાન
વિચાર, મિનાય. તેથી
દૃષ્ટિ આત્મા ભણું રાખે
૩૨૯ ઉચારતાં જ મેઢાની ડાકલી ફાટી રહી તે શું કરશે ? વિચારે, બંધુઓ વિચારે! વિચારે, મિત્રે વિચારે ! કદી પાંચ-પંદર માણસ આવા શબ્દો ઉચ્ચારતા હોય, તેથી તમારે પણ ઉચ્ચારવાં, એ તે આંધળું અનુકરણ છે અને તેનું પરિણામ કદી પણ સારું આવી શકે જ નહિ.
કેટલાક કહે છે કે “અમે ગૃહસ્થાવસ્થામાં છીએ તે ગૃહસ્થ તરીકેની ફરજ બજાવવી કે નહિ? જે અમે આત્મા અને અધ્યાત્મની વાર્તામાં અટવાઈ જઈએ તે એ ફરજો ચૂકી જઈએ અને અમારું ગૃહસ્થજીવન બગડે. એટલે અમે તે ન રહીએ ઘરના અને ન રહીએ ઘાટના, એવી સ્થિતિમાં આવી પડીએ. તેથી આ બાબતમાં અમારું દિલ વધતું નથી.”
આ કથન અમે બરાબર સાંભળી લીધું છે. હવે તેને ઉત્તર સાંભળે. “દરેક ગૃહસ્થે પોતાની ફરજ બરાબર સમજી લેવી જોઈએ. આ ફરજોમાં કૌટુંબિક અને સામાજિક ફરજે ઉપરાંત ધાર્મિક અને રાષ્ટ્રીય ફરજોને પણ સમાવેશ થાય છે. જે મનુષ્ય માત્ર પિતાના કુટુંબ સામે જ દષ્ટિ રાખે છે અને સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફરજે તરફ ઉપેક્ષા સેવે છે, તેને ઘણું શેષવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સ્થિતિમાં તે આગળ વધવાને બદલે પાછો પડે છે. કદાચ તે સામાજિક અને રાષ્ટ્રીય ફરજ બજાવે, પણ ધાર્મિક ફરજો ન બજાવે તે પણ તેની હાલત બૂરી થાય છે, કારણ
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સામાયિક-વિજ્ઞાન કે કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાંસારિક છે અને તે એક યા બીજા પ્રકારે સંસારની વૃદ્ધિ કરનારી છે, જ્યારે ધાર્મિક–આધ્યાત્મિક પ્રવૃત્તિ આપણા જીવનને સંસ્કાર-સમૃદ્ધ બનાવીને, આપણામાં રહેલા માનસિક-વાચિક –કાયિક દે દૂર કરીને તથા આપણી ભીતરમાં છૂપાયેલી અનેકવિધ શક્તિઓ પ્રકટ કરીને આખરે મુક્તિ, મોક્ષ કે નિર્વાણને અપાવનારી છે. એટલે આત્મા કે અધ્યાત્મની વાતને નકામી કે ફિજુલ સમજવાની નથી. એ વાતે ઘણી અગત્યની છે અને જેણે પિતાનું ભાવી સુધારવું છે, તેણે અવશ્ય અપનાવી લેવા જેવી છે.
અમે તે એમ કહીએ છીએ કે તમે હાલ વિશેષ ન કરી શકે તે તમારી દૃષ્ટિ આત્મા ભણું રાખે અને તમારી ફરજો બજાવ્યે જાઓ. એથી પણ પરિસ્થિતિમાં ઘણે ફેર પડી જશે. તે આખરે તમને અધ્યાત્મનો રંગ ચડાવશે અને તે એ પાકે ચડાવશે કે જેમાંથી તમારી પીછેહઠ કદી પણ થશે નહિ.
આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાએ પહોંચે, એટલે પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. જે પરમાત્મદશાની પ્રાપ્તિ કરે, તે “પરમાત્મા” કહેવાય છે. અન્ય લેકે એ માનેલા ઈશ્વર કે પરમેશ્વર જેવી જ આ સ્થિતિ છે. તેમાંથી વધારે ઊંચી સ્થિતિ કે અવસ્થા આ વિશ્વમાં હૈયાતી ધરાવતી નથી, એટલે આ સ્થિતિ છેવટની છે અને તે કાયમ રહેનારી છે, એમ સમજવાનું છે.
Page #440
--------------------------------------------------------------------------
________________
દષ્ટિ આત્મા ભણી રાખે
૩૩૧ : પ્રશ્નોત્તરી પ્રશ્ન-આત્મા નજરે દેખી શકાય ખરે ?
ઉત્તર-ના, કારણ કે તે અરૂપી છે. જેને કઈ પણ પ્રકારનું રૂપ (form ) ન હોય, તે અરૂપી કહેવાય.
પ્રધ–તે પછી “દષ્ટિ આત્મા ભણી રાખે.” એમ કહેવાનો અર્થ શું ?
ઉત્તર-અહીં દષ્ટિને અર્થ લક્ષ છે. આત્મા ભણી દષ્ટિ રાખે, એટલે આત્મા તરફ લક્ષ આપે, તમારા આત્માને વિચાર કરતા રહે.
પ્રશ્ન-આત્માને વિચાર કરવાથી લાભ શે ?
ઉત્તર-આત્માને વિચાર કરવાથી આત્માનું સાચું સ્વરૂપ સમજાય છે, તેના ગુણોને બોધ થાય છે અને તેને વિકાસ કરવાને ઉત્સાહ જાગે છે. એ ઉત્સાહમાંથી આત્મવિકાસની પ્રવૃત્તિ થાય છે અને તે મિક્ષ કે પરમપદ સુધી લઈ જાય છે.
પ્રશ્ન–શું આત્માનો વિચાર કરનાર બધાને આ પ્રકારના લાભ થતા હશે?
ઉત્તર-આત્માને વિચાર કરવાથી જે લાભ થવાને સંભવ છે, તેની અહીં રૂપરેખા આપી છે. જે આ કમે વ્યવસ્થિતપણે આગળ વધવામાં આવે તે એ બધા લાભ જરૂર થાય, પણ વ્યવસ્થિતપણે આગળ વધવાનું કામ ધારવા
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૩૨
સામાયિક-વિજ્ઞાન જેટલું સહેલું નથી. તેમાં અનેક પ્રકારનાં વિદને કે અંતરોયે આવે છે અને તેને વૈર્ય રાખી ઓળંગવા પડે છે. આવા વખતે જે ધૈર્ય ખૂટયું તે પ્રગતિ અટકી જાય છે અને કેટલીક વાર પીછેહઠ પણ થાય છે. આમ છતાં જેઓ આત્મા સંબંધી નિરંતર વિચાર કરતા રહે છે, તે વહેલા કે મેડા ઉપરના લાભ મેળવવા શક્તિમાન થાય છે, એમાં કશી શંકા નથી.
પ્રશ્ન-સંપ્રધારણ સંજ્ઞાને અર્થ છે?
ઉત્તર-જેના વડે લાભાલાભ, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્યની વિચારણા થઈ શકે તેને સંપ્રધારણ સંજ્ઞા કહેવાય.
પ્રશ્ન-શું અન્ય પ્રાણીઓને આવી સંજ્ઞાવાળું મન હેતું નથી ?
ઉત્તર-ના. સંપ્રધારણ સંજ્ઞાવાળું મન તે મનુષ્યને જ હોય છે.
પ્રશ્ન-એવી કઈ લિફટ છે કે જેના આંકડા ૪ થી શરૂ થઈને ૧૨ પર્યત પહોંચે છે?
ઉત્તર-આ વસ્તુ ગુણસ્થાનોની અપેક્ષાએ કહેવાઈ છે. ચેથા ગુણસ્થાનથી અંતરાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે અને તે બારમા ગુણસ્થાન સુધી હોય છે. પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન બહિરાત્માનું છે. તેરમું અને ચૌદમું ગુણસ્થાન પરમાત્માનું છે. આ રીતે કુલ ચૌદ ગુણસ્થાનમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માને સમાવેશ થાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિ આત્મા ભણી રાખે
૩૩૪ . પ્રશ્ન-ગુણસ્થાનની યેજના કેણે કરેલી છે? ઉત્તર–ગુણસ્થાનની યેજના જૈન મહર્ષિઓએ કરેલી છે. પ્રશ્ન-એ યેજના શા માટે કરવામાં આવી છે?
ઉત્તર-મુમુક્ષુઓને આધ્યાત્મિક વિકાસને કેમ સમજાય તે માટે કરવામાં આવી છે. જેન તત્ત્વજ્ઞાનને એ મહત્ત્વને ભાગ છે.
પ્રશ્નબહિરોત્મદશામાંથી અંતરાત્મદશા પ્રાપ્ત કરવાના સિદ્ધ ઉપાયે શું ?
ઉત્તર-“હું કેણ?” એ પ્રશ્નની સતત વિચારણા સ્વાધ્યાય અને સત્સંગ એ તેના સિદ્ધ ઉપાય છે.
પ્રશ્ન-“ો” (કેણ?) ને મંત્ર તરીકે જપ કરી શકાય ખરો ?
ઉત્તર-આપણે ત્યાં Sછું'ને મંત્ર તરીકે જપ કરવાની પદ્ધતિ નથી, પણ અન્યત્ર એવી પદ્ધતિ જોવામાં આવે છે. તેમનું કહેવું એમ છે કે આ મંત્રનો સતત જપ કરતાં આત્માનું સ્વરૂપ સમજાવા લાગે છે અને છેવટ આત્મદર્શન થાય છે. વિશેષ તે પ્રયોગ કરવાથી જાણી શકાય.
પ્રશ્ન-સ્વાધ્યાથી શું સમજવાનું ?
ઉત્તર-અહીં સ્વાધ્યાયથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરનાર શાસ્ત્ર કે સાહિત્યનું અધ્યયન સમજવું.
પ્રશ્ન--અને સત્સંગથી ?
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર–અહીં સત્સંગથી ત્યાગી-વિરાગી મુનિવરે તથા અધ્યાત્મ-પ્રેમીઓને સંગ સમજો.
પ્રશ્ન-બહિરાત્મદશામાંથી સીધી પરમાત્મદશા પ્રાપ્ત કરવી હોય તો ?
ઉત્તર–જે કાર્ય જે કમે સિદ્ધ થતું હોય, તે જ કમે સિદ્ધ થાય. ગેટલી વાવીને સીધી કેરી મેળવવાની આશા રાખતા હોઈએ તે એ આશા ફળે નહિ. ગેટલીમાંથી અંકુર ફૂટે, તેમાંથી થડ બંધાય, તેમાંથી ડાળી-પાંખળાં ફૂટે, તેને પાંદડાં આવે, પછી મેર આવે અને છેવટે કેરી પાકે. તે જ રીતે બહિરાભદશામાંથી અંતરાત્મદશા પ્રાપ્ત થાય અને અંતરાત્મદશામાંથી પરમાત્મદશા પ્રાપ્ત થાય, પણ સીધી પ્રાપ્ત થાય નહિ.
પ્રશ્ન-ઈલાચીકુમાર નટ તરીકે દેરડા પર નાચી રહ્યો હતો, એટલે કે તે બહિરાત્મદશામાં હતું, છતાં તેને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે કે પરમાત્મદશા પ્રાપ્ત થઈ તેનું કેમ?
ઉત્તર-ઈલાચીકુમાર બહિરાભદશામાં હતો એ સાચી વાત, પણ નટના દેરડા પરથી તેની નજર મુનિરાજ પર પડી કે જેમને એક નવયૌવના સ્ત્રી મેદક વહેરાવી રહી હતી અને તેના વિચારમાં પરિવર્તન થયું. ત્યારથી તેની અંતરાત્મદશા શરૂ થઈ. જે બહુ ઝડપથી પૂર્ણતાએ પહોંચી, છે એટલે તેને ત્યાં જ કેવલજ્ઞાન થયું. તાત્પર્ય કે તે પણ પ્રથમ
Page #444
--------------------------------------------------------------------------
________________
દિષ્ટ આત્મા ભણી રાખો
૩૩પ
અહિરામદશામાંથી અતરાત્મદશામાં આળ્યે અને ત્યાર પછી જ પરમાત્મદશાને પામ્યા, એટલે તેમાં પણ નિયત ક્રમ ખરાખર જળવાઈ રહ્યો. કોઈ વાર અંતરાત્મદશા ઝડપથી પ્રાપ્ત થાય છે અને તેમાં વિકાસના અનેરા વેગ આવે છે, એટલે થોડી વારમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ તેને અર્થ એ નથી કે હિરામદશામાંથી પરમાત્મદશાની સીધી પ્રાપ્તિ થાય છે.
આપણે અહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં જવાના સબલ પ્રયત્ન કરવા જોઈ એ.
Page #445
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] ભાવનાઓનું સેવન–૧
અધ્યાત્મ અંગે ઘણું વિવેચન થઈ ગયું. હવે ભાવના પર આવીએ, કેમકે અધ્યાત્મ પછી ભાવનાને અધિકાર આવે છે. જેમ અધ્યાત્મ એ યુગનું પ્રશસ્ત અંગ છે, તેમ ભાવના પણ યોગનું પ્રશસ્ત અંગ છે. આ વસ્તુ માત્ર જૈન યેગવિશારદોએ જ નહિ, અન્ય ગવિશારદોએ પણ કહી છે, તે પરથી તેનું મહત્વ સમજી શકાશે. પ્રસિદ્ધ જિનાગમ સૂત્રકતાંગસૂત્રમાં કહ્યું છે કે –
भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । नावा व तीरसम्पन्ना, सव्वदुक्खा तिउट्टई ॥
ભાવનારૂપી યેગથી શુદ્ધ થએલા આત્માને જલમાં નૌકા સમાન કહે છે. નૌકા જેમ અથાગ જલ પાર કરીને કિનારે પહોંચે છે, તેમ આ શુદ્ધ આત્મા ભવપરંપરાને. નાશ કરીને સર્વ દુઓને અંત કરે છે.”
Page #446
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ સેવન−1
૩૩૭
તાત્પ કે ભાવના એ ચાગનું એક પ્રશસ્ત અંગ છે. તેનુ સેવન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને છેવટે સર્વ દુઃખોનો અંત કરી મેાક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ભાવનાને ભવનાશિની કહેવામાં આવી છે, તેનુ કારણ પણ આ જ છે,
•
ચાગશાસ્ત્રમાં કહ્યુ છે કે સાથૅ સ્થાન્તિમમલેન, તત્યંત માત્રના શ્રયે ’–સમભાવ નિમત્વ વડે થાય છે અને નિમત્વને સિદ્ધ કરવા માટે ભાવનાઓને આશ્રય કરવા જોઇએ. '
જ્ઞાનાણ્વમાં કહ્યું છે કે—
चिनु चित्ते भृशं भव्य, भावना भावशुद्धये । या सिद्धान्तमहातन्त्रे, देवदेवैः प्रतिष्ठिता ।।
• હૈ ભવ્ય ! તું ભાવાની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનુ બરાબર ચંતન કર કે જેનાં સિદ્ધાન્તગ્રંથામાં શ્રી જિનેશ્વરદેવાએ ઘણાં વખાણ કરેલાં છે. '
તત્વાર્થાધિગમસૂત્રમાં ભાવનાન સ્થાને અનુપ્રેક્ષા શબ્દ વપરાયેલા છે, એટલે ભાવનાનું બીજું નામ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણુ. સ્થાનાંગસૂત્રની ટીકામાં તેને માટે ચિંતનિકા એવા શબ્દપ્રયોગ પણ થયેલા છે, એટલે ભાવના એ ભાવ કે વિચારની શુદ્ધિ માટેનું વિશિષ્ટ ચિંતન છે.
હાલના વૈજ્ઞાનિકોએ પણ ભાવનાનું મહત્ત્વ સ્વીકાર્યું”
સા. ૨૨
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સામાયિક–વિજ્ઞાન
છે. તેઓ કહે છે કે · વિચારમાં એક પ્રકારની શક્તિ રહેલી છે, એટલે કોઇ પણ વિચારતું વારંવાર પુનરાવર્તન કરીએ કે તેને ખીજા અનુકૂલ વિચારો વડે પુષ્ટ કરીએ તે એ શિક્ત વિકાસ પામે છે અને તેની પેાતાના જીવન પર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થોં પર અસર થાય છે. પ્રયાગોએ આ વાત સિદ્ધ કરી આપી છે. અહી જણાવવાનુ એટલુ છે કે એક જ વિચારનું વારંવાર પુનરાવર્તન કરવું કે તેને અનુકૂલ બીજા વિચારો વડે પુષ્ટ કરવા, એનુ નામ જ ઠંન શાસ્ત્રોએ સ્વીકારેલી ભાવના છે. એટલે ભાવનામાં વૈજ્ઞાનિક તથ્ય પણ ઘણું રહેલુ છે.
કોઇ દુષ્ટ વિચારો કે સંસ્કારોને હઠાવવા હાય તા તેના પ્રતિસ્પી સારા વિચારાનું વારંવાર સેવન કરવું એ એના સિદ્ધ ઉપાય છે. યોગશાસ્ત્રાએ પ્રતિવશ્વમાવનમૂ ’ શબ્દ વડે તેનું સમ ન કરેલું છે અને આપણા અનુભવ પણ એ જ પ્રકારના છે. એક પુરુષને સૂતાં ઊઠતાં–બેસતાં સ્ત્રીના વિચાર આવતા અને તેનું સુંદર મુખ સ્મરણપટમાં તરવા લાગતું. તે એને ભૂલવાના જેમ જેમ પ્રયત્ન કરતા ગયા, તેમ તેમ એ વધારે યાદ આવવા લાગ્યું. આખરે તેણે એક મુનિરાજને આ હકીકતનું નિવેદન કર્યું અને તેને દૂર કરવાના ઉપાય પૂછ્યા. મુનિવરે કહ્યું : ‘જ્યાં તમને એ વિચાર આવે કે નીચેના લેાક ખેલવા માંડવા અને તે પૂરો થયે તેના અ વિચારી જવા. તે સિવાય બીજી કઈ કરવુ' નહિ. * એ શ્લાક આ પ્રમાણે હતા :
'
Page #448
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩૩૦ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदन कमलमंकः कामिनीसंगशून्यः । करमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।।
આપનું દષ્ટિયુમ પ્રશમરસથી ભરેલું છે, આપનું વદન કમલ પ્રસન્ન છે, આપને એળે કામિનીના સંગથી રહિત છે, એટલે કે તેમાં કેઈ સ્ત્રી બેઠેલી નથી અને આપના બંને હાથે શિસ્ત્ર વિનાના છે, એટલે કે અભયદાતા. છે, તેથી હે દેવ ! આ જગતમાં તમે જ ખરા વીતરાગ છે.”
આ ઉપાય અજમાવવામાં આવ્યો અને તે છેડા જ વખતમાં સફલ થયે. રોગવિશારદેએ પ્રતિપક્ષ ભાવનાને જે સિદ્ધાંત સ્થાપિત કરેલ છે, તેને જ આમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું અને તેથી જ તે શીધ્ર સફલતા પામ્ય હતે. ભાવનામાં પણ આ જ વાત છે. આપણા અંતરમાં મેહજન્ય દુષ્ટ સંસ્કાર-વિચારની જે જમાવટ થયેલી છે, તેને તોડવા માટે તેના પ્રતિપક્ષી વિચારો ધરાવતી ભાવનાએનું આપણે સેવન કરવાનું છે.
ભાવનાઓ બાર પ્રકારની છે, તે અંગે શાસ્ત્રમાં કહેવાયું છે કે
अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् संवरं परिभावय ॥ कर्मणो निर्जरां धर्मसुकृतां लोकपद्धतिम् ॥ बोधिदुर्लभतामेता भावयन् मुच्यसे भवात् ।।
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સામાયિક-વિજ્ઞાન. “હે આત્મન્ ! તું બાર ભાવનાઓનાં નામ સાંભળ અને તેનું ચિંતન કર, જેથી જન્મ-જો-મરણના ફેરામાંથી છૂટી જઈશ.
તે નામે આ પ્રમાણે જાણવઃ (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિભાવના, (૭) આવભાવના. (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) ધર્મવિખ્યાત ભાવના, (૧૧) લોકસ્વરૂપભાવના અને (૧૨) બધિદુર્લભ ભાવના.
આ બારે ય ભાવનાનું સ્વરૂપ અહીં ટૂંકમાં જણાવીએ છીએ.
૧-અનિત્યભાવના શરીર, યૌવન, સંપત્તિ, અધિકાર અને અત્યંતર વિકલ્પની અનિત્યતા ચિંતવવી, તે આ ભાવનાને મુખ્ય વિષય છે.
આ બધી વસ્તુઓ અનિત્ય છે, એમ તે આપણે, જાણીએ છીએ, પણ આપણે એ જ્ઞાન ઉપરછલ્લું છે, શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે વિષયપ્રતિભાસ છે, તેથી આપણું અનિત્ય વસ્તુઓ પ્રત્યેની આસક્તિ ટળતી નથી. આપણે જીવનવ્યવહાર તે એ ચાલે છે કે જાણે આ બધી વસ્તુઓ નિત્ય હાય! તાત્પર્ય કે આપણું હૃદયના ઊંડાણમાં તેની અનિત્યતા વસી નથી. એ અનિત્યતા પૂરા.
Page #450
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩૪૧ જોશથી વસે તે આસક્તિ છૂટી જાય અને તેની સામે નજર કરવાની પણ ઈચ્છા ન થાય.
અનિત્યતાને આ ભાવ હદયમાં દઢ કરવા માટે નીચે પ્રમાણે વિચાર કરવા ઘટે.
આ શરીર નિત્ય નથી, ક્ષણભંગુર છે. જેમ મીઠાની પિોટલીને ઓગળતાં વાર લાગતી નથી કે તૃણ પરના તુષાર બિંદુને ખરી પડતાં વાર લાગતી નથી, તેમ તેને પડતાં વાર લાગતી નથી, એ ગમે ત્યારે પડી જ જશે !”
શરીર કેનાં નિત્ય રહ્યા છે. જે શરીરે પ્રથમ પંક્તિનાં ગણતાં, જેમનું રેજ અપૂર્વ ભેજને વડે પોષણ થતું, જેની સારસંભાળ માટે અનેક નેકર-ચાકર કામ કરતા, એ શરીરે પણ એક દિવસ પડી ગયાં, તે મારા શરીરને ભલે શું ?
ધાન્ય સવારે સંધ્યું હોય અને બપોરે- સાંજે બગડી જાય છે, તેમ આ શરીર ઘડી પહેલાં સાજું-નવું લાગતું હોય અને બીજી જ ક્ષણે રેગથી ઘેરાઈ જાય છે ! ચકવર્તી સનત્કુમારનું શરીર કેવું નીરોગી, કેવું સુંદર હતું ! પરંતુ ઘડી પછી જ તેમાં રોગ ઉત્પન્ન થઈ ગયા અને તેની બધી કાંતિ હણાઈ ગઈ! ત્યારે આ સામાન્ય કોટિના ઔદારિક શરીરનું તે કહેવું જ શું ? | હે જીવ! તને જે યૌવનની ખુમારી હોય તો એ બેટી છે! રે તદ્દન ખોટી છે! યૌવન તે ચાર દિવસનું ચાંદરણું
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૪ર
સામાયિક-વિજ્ઞાન છે, તેને ચાલી જતાં શી વાસ! ગઈ કાલે જેઓ યૌવનમાં મસ્ત હતા અને જેમને પગ ધરતી પર છબત ન હતો. તે આજે ધનુષ્યના જેવી વાંકી કેડ કરીને લાકડીને ટેકે ડગમગતા ચાલે છે! તેમની આંખમાં નૂર નથી, મુખમાં દાંત નથી અને છાતીમાં જેમ નથી ! જે ચામડીમાંથી તેજની ટશરે. ફૂટતી હતી અને જેના લાવણ્ય પર દુનિયા મુગ્ધ થતી હતી, તે ચામડીને હાલહવાલ તે છે. તેનું તેજ હણાઈ ગયું છે અને તેની રચના કેવી વિકૃત થઈ ગઈ છે! તેમાં કરચલીઓને પાર નથી ! જે વાળ વાંકડીયા, કાળા, સુંદર, સુશોભિત લાગતા હતા, તે આજે સીધા, રૂની પૂણી જેવા વેત અને શોભારહિત બની ગયા છે! | હે જીવ! તું લક્ષ્મીને જરાય ભસે કરીશ નહિ. એ સ્વભાવે અતિ ચંચલા છે, એટલે ડરીને ઠામ બેસતી નથી. એક ઘરથી બીજું ઘર અને બીજા ઘરથી ત્રીજું ઘર, એમ પિતાનું સ્થાન બદલ્યા જ કરે છે. તે ગઈ કાલે જેને કોડપતિ જોયા હતા, તેની આજે કઈ હાલત છે! અરે તું તારે પિતાને જ વિચાર કર કે તારી પાસે લક્ષ્મી કેટલી વાર આવી ને ગઈ! આવી ચંચલ લમીના લેભમાં તણાઈને તારે પણ અકૃત્ય કરવું તે હરગીઝ એગ્ય નથી. વળી લક્ષ્મી આવે છે, ત્યારે પિતાની સાથે ભય, ઈર્ષા, દ્વેષ, અભિમાન, ઉદ્ધતાઈ વગેરે અનેક દુર્ગુણેને લેતી આવે છે, તેને પણ તું વિચાર કર!
તું એમ માને છે કે સંપત્તિ-લક્ષમી ખૂબ આવે તે.
Page #452
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ` સેવન—૧
૩૪૩
સુખ મળશે, પણ એ તારા ભ્રમ છે. જેની પાસે લક્ષ્મી ઘણી છે, તેના જીવનમાં ઊંડા ઊતરીને ડોકિયું કર, તે તારા ભ્રમ ભાંગી જશે. વળી વધારે લકમી આવતાં ચાર કે સરકાર તરફનો ભય વધશે, ભાઈ આમાં કે કુટુંબમાં ખટપટ થવા લાગશે, સગાં—સંબંધીઓ સાથે લેણદેણના વાંધા પડશે અને ઉપાધિ અનેકગણી વધી જશે.
હે જીવ! શરીર, યૌવન અને સોંપત્તિ જો અનિત્ય છે, તા સત્તા કે અધિકાર શું નિત્ય છે? ગઈ કાલે જેઓ રાજ તરીકે સન્માન પામતા તે આજે સામાન્ય નાગરિક બની ગય છે! ઇંદિરા ગાંધી કે જેમની વડા પ્રધાન તરીકે સારાયે ભારતમાં હાક વાગતી અને કાઈ તેમની સામે આંગળી ઊંચી કરી શકતું નહિ, તેમની આજે શી હાલત છે ? આવી એક અનિત્ય વસ્તુ માટે તું ફાંફાં શા સારુ મારે છે? કદાચ તેને સત્તા—અધિકાર પ્રાપ્ત થયા તેા તેનાથી તારું આત્મહિત શું થવાનુ છે? વળી તુ... સત્તા કે અધિકારના દુરુપયોગ નહિ કરે તેની ખાતરી શું? સત્તા તે એક પ્રકારનેા નશે છે કે જે માણસનાં સાનભાન ભૂલાવી દે છે! તેથી તું સત્તા કે અધિકારથી દૂર રહે, એમાં જ તારું કલ્યાણ છે.
આ રીતે બીજી પણ ઘણું ચિંતન કરી શકાય. વસ્તુની અનિત્યતાના વિચાર કરતાં ભરતેશ્વરને કેવલજ્ઞાન થયું હતુ, એ હકીકત આગળ કહેવાઈ ગઈ છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સામાયિક-વિજ્ઞાન
૨-અશરણભાવના
જન્મ, જરા અને મરણના ભયથી ઘેરાયેલા, રોગ અને પીડાથી ગ્રસાયેલા આ જીવને અરિહ ંત, સિદ્ધ, સાધુ અને સČજ્ઞકથિત ધમ સિવાય અન્ય શરણુ નથી, એમ ચિતવવું, એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
જ્યાં જન્મ હૈાય, ત્યાં જરા અને મરણ પણ અવસ્થ હાય, એટલે જન્મ, જરા અને મરણુ એ એક પ્રકારની ત્રિપુટી છે. આ ત્રિપુટી આપણી મિત્ર નથી, પણ દુશ્મન છે અને તેથી આપણને અનેક પ્રકારના રોગ-શાક-દુઃખપીડાના અનુભવ કરાવે છે. આ રાગાદિ પ્રસંગે આપણે જેને અતિ પ્રિય માન્યા હાય, તેવા સ્વજન–સંબંધીએ કે મિત્રા આપણને શરણ-રક્ષણ આપી શકતા નથી, એટલે આપણે ખરેખર અશરણુ છીએ, અસહાય છીએ, કોઈના આધાર કે આશ્રય વિનાના છીએ. પરંતુ સંસારની મેાહજાળમાં આપણે એટલા ડૂબી ગયા છીએ કે આ વસ્તુના વિચાર કરવાની ફુરસદ મળતી નથી. જો આ વસ્તુનો વિચાર કરીએ અને તે ખરાખર કરીએ તેા આપણા સંસાર પરના સ` મેાહ ઊડી જાય અને સાચું શણ શોધવાની તાલાવેલી લાગે. એ શરણ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રણિત ધ સિવાય શ્રીજી કોઇ આપી શકે એમ નથી.
अभागमियम्मि वा दुहे, अहवा उक्कमिए भवन्तिए । एगस्स गईय आगई, विदुमन्ता सरणं न मन्नई ॥
Page #454
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન–૧
૩૪૫ દુઃખ આવી પડતાં મનુષ્ય એકલો જ તેને ભગવે છે અને પુણ્ય ક્ષીણ થતાં જીવ એકલે જ ગતિ-આગતિ કરે છે. આથી વિવેકી પુરુષે ધન, સગાં-સંબંધીઓ, પશુ વગેરેને શરણરૂપ માનતા નથી.”
माया पिया पहुसा भाया, भज्जा पुत्ता य ओरसा। नालं ते मम ताणाय लुप्पंतस्स कम्मणा ॥
વિવેકી પુરુષ વિચાર કરે કે માતા, પિતા, બહેન, ભાઈ, ભાર્યા તથા ઓરસ પુત્ર એ કઈ પણ મારા કર્મનું ફલ ભગવતી વખતે મારી રક્ષા કરવામાં સમર્થ નથી.” આ સંબંધમાં અનાથી મુનિને પ્રબંધ જાણવા જેવું છે.
અનાથી મુનિને પ્રબંધ રાજગૃહી નગરીમાં મંડિતકુક્ષિ નામે એક મનહર ઉદ્યાન હતું. રાજા શ્રેણિકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું. એક વાર તેઓ આ ઉદ્યાનમાં ફરવા આવ્યા, ત્યારે એક વૃક્ષના મૂળની પાસે બેઠેલા એક ધ્યાનમગ્ન નવયુવાન મુનિ તેના જેવામાં આવ્યા. એ મુનિની અદ્ભુત કાંતિએ તથા મુખ પર તરવરી રહેલી સૌમ્યતાએ તેમના મન પર અદ્દભુત અસર કરી. તેઓ એ મુનિની નજીક ગયા અને વંદન કરીને બહુ નજીક પણ નહિ અને બહુ દૂર પણ નહિ, એ રીતે ઊભા રહ્યા.
થડી વારે મુનિનું ધ્યાન પૂરું થયું, એટલે તેમણે શ્રેણિક રાજાને આ અવસ્થામાં ઊભેલા જોયા અને ધર્મલાભ - આપ્યા. શ્રેણિક રાજાએ ફરી મસ્તક નમાવ્યું અને ધર્મલાભ
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૪૬
સામાયિક-વિજ્ઞાન મળવા બદલ પિતાની કૃતજ્ઞતા પ્રકટ કરી. પછી વિનયપૂર્વક કહ્યું કે “હે મુનિવર ! તમારી સાધનામાં જે કંઈ વિઠ્ય ન આવતું હોય તે એક વાત પૂછવાની ઈચ્છા રાખું છું.” | મુનિએ કહ્યું: “જે વાતથી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણની પુષ્ટિ થાય એવી વાત અમારી સાધનામાં બાધક થતી નથી. એ ખ્યાલ રાખીને તમારે જે પૂછવું હોય તે પૂછે.”
શ્રેણિકે કહ્યું : “હે આર્ય ! હું એટલું જ જણવા માગું છું કે આપ આવી તરુણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે સંયમના માર્ગે કેમ સંચય ? એવું કયું પ્રબલ પ્રોજન આપને આ માર્ગ તરફ ઘસડી ગયું ? ”
મુનિએ કહ્યું? “હે રાજન ! હું અનાથ હતે, મારું કેઈ નાથ ન હતું, એટલે મેં આ સંયમમાર્ગ ગ્રહણ કર્યો.”
આ જવાબથી રાજાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું : “આપ જેવા પ્રભાવશાળી પુરુષને કેઈ નાથ ન મળે, એ તે ભારે આશ્ચર્ય કહેવાય. હે સ્વામિન્ ! જે આપે એટલા માટે જ આ સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા માટે તૈયાર છું. આપ મારા રાજમહેલમાં પધારે અને ત્યાં સુખેથી રહે. આપ ત્યાં અનેક પ્રકારના મિત્ર અને સંબંધીઓથી પરિવરેલા રહેશો, એટલે અનાથપણને જરાયે અનુભવ નહિ થાય.”
મુનિએ કહ્યું: “હે રાજન્ ! પિતાના અધિકારવાળી
Page #456
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩૪૭ વસ્તુ બીજાને આપી શકાય છે, પણ અધિકાર વિનાની વસ્તુ બીજાને આપી શકાતી નથી. નાથ થવું એ તારા અધિકારમાં નથી, તેથી તું મારે નાથે થઈ શકતો નથી. તું પિોતે જ અનાથે છે.”
આ શબ્દો સાંભળતાં જ શ્રેણિક ચમકી ગયા. તેમને આજ સુધી આવા શબ્દો કેઈએ સંભળાવ્યા ન હતા. તેમણે પિતાના ઘવાયેલા અભિમાનને ઠીક કરતાં કહ્યું “હે પૂજ્ય! આપની વાત પરથી લાગે છે કે આપે મને ઓળખે નથી. હું અંગ અને મગધ દેશને રાજા શ્રેણિક છું. મારા વૈભવને, મારી રિદ્ધિ-સિદ્ધિને પાર નથી. વળી અનેક મિત્ર અને સ્વજન-સંબંધીઓથી હું પરિવરેલે રહું છું, તે અનાથ કેવી રીતે? કદાચ આપનું કહેવું અસત્ય તે નહિ હોય!” | મુનિએ કહ્યું : “હે રાજન્ ! હું જાણું છું કે તું અંગ અને મગધ દેશને મહારાજા શ્રેણિક છે. વળી તારા વૈભવ અને તારી રિદ્ધિ-સિદ્ધિથી વાકેફ છું પણ તું મારા અનાથ અને સનાથના ભાવને સમજી શક નથી. હું ફરી પણ કહું છું કે તું અનાથ છે અને મારા નાથ થવાની વાત તારા અધિકારમાં નથી. તું મારા પૂર્વ જીવનની હકીકત સાંભળીશ, એટલે તને આ વાત બરાબર સમજાશે.”
શ્રેણિકે એ વાત સાંભળવાની ઈંતેજારી બતાવી, એટલે મુનિએ કહેવા માંડ્યું.
કૌશાંબી નગરીના એક કેટયાધિપતિ શેઠને હું લાડકવા પુત્ર હતા અને દરેક વાતે સુખી હતો, પરંતુ
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સામાયિક-વિજ્ઞાન એક વાર એકાએક મારી આંખ દુઃખવા આવી અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ પીડાને લીધે મને મુદ્દલ ઊંઘ આવતી નહિ કે બિલકુલ ચેન પડતું નહિ. પછી મારા દર્દો વધારે જોર કર્યું, મને દાહકવર લાગુ પડે, જેના લીધે મારું મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુઃખાવો થવા લાગે છે અને કમરના કટકા થવા લાગ્યા. કુશલ વૈદ્યોએ ભેગા મળીને | મારા રેગનું નિદાન કર્યું અને ઔષધો આપવા માંડયા, પણ તેઓ મને આ દુઃખમાંથી છોડાવી ન શક્યા, એ જ મારી અનાથતા !!
વૈદ્યો નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચાર કરાવી જેયા અને છેવટે એવી જાહેરાત કરી કે જે મારા પુત્રને સારું કરશે એને મારી અધીર મિલકત આપી દઈશ, એટલે ઘણા માંત્રિકે–તાંત્રિકે આવી ગયા, ઘણું ભગત-ભુવાઓએ હાથ ભીડી, પણ તેમાંનું કે ઈ મને આ દુઃખમાંથી છોડાવી શકયું નહિ. હે રાજન ! એ જ મારી : અનાથતા !
મારી માતા મારા પ્રત્યે ખૂબ લાગણી ધરાવતી હતી, ભાઈઓ પણ ઘણા સ્નેહાળ હતા અને મારી સેવામાં ખડા પગે ઊભા રહેતા હતા. બહેને પણ પિતાનું કામકાજ છોડીને મારી પાસે બેસતી અને આશ્વાસન આપતી. પત્ની મારી નિરંતર સેવા કરતી અને તે ભાગ્યે જ નિદ્રા લેતી. - મારા મિત્ર કે જેમને હું દિલેજાન ગણતે અને જે મારા માટે ગમે તેવું સાહસ ખેડવા તૈયાર હતા, તેમાંનું કઈ પણ
Page #458
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩૯ મને આ દુઃખમાંથી મુક્ત કરી શકયું નહિ. હે રાજન ! એ જ મારી અનાથતા !”
આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અશરણતા-અસહાથતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખનિવારણનાં સાધનો માનતો, તે ખરેખર તેવાં ન હતાં. માટે એ સાધને બીજા જ હોવાં જોઈએ. એ વખતે મને યાદ આવ્યું કે પોતે કરેલાં શુભ કે અશુભ કર્મોનું ફલ અવશ્ય ભેગવવું પડે છે, માટે આ દુઃખ મારા પૂર્વકનું ફલ હોવું જોઈએ અને મારું મન કર્મના હેતુઓ શોધવા લાગ્યું. એ શોધમાં હું સમજી શકયે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિ પ્રવૃત્તિઓ પાપના પંથે લઈ જનારી છે અને તેથી આ કર્મ બંધનમાંથી છૂટવું હોય તે મારે આ પાપપ્રવૃતિઓને ત્યાગ કરીને ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણો કેળવવા જોઈએ. પરંતુ આ બધું ત્યારે જ બની શકે કે
જ્યારે હું આ દુઃખ-દર્દમાંથી મુક્ત થાઉં, એટલે તે જ વેળા મેં એ સંકલ્પ કર્યો કે “જે હું આ રોગમાંથી મુક્ત થઈશ, તે શાંત, દાંત, નિરારંભી થઈશ, અર્થાત્ સર્વ પ્રકારના આરંભ-સમારંભને છોડનારે નિગ્રંથ સાધુ બનીશ.”
એ સંકલ્પ કર્યા પછી મેં સૂવાને પ્રયત્ન કર્યો કે મને તરત જ ઊંઘ આવી ગઈ અને રાત્રિ જેમ જેમ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના પણ શાંત થતી ગઈ. સવારે હું ઊઠે ત્યારે બધું દર્દ શમી ગયું હતું.'
Page #459
--------------------------------------------------------------------------
________________
- ૩પ૦
સામાયિક-વિજ્ઞાન મને એકાએક સાર થયેલો જોઈને બધા આનંદ પામ્યા. પિતાજી એમ સમજ્યા કે મારે ખલે પિસે લેખે લાગે. માતા એમ સમજી કે મારી માન્યતાઓ ફળી. ભાઈએ એમ સમજ્યા કે અમારી સેવા ફળી. બહેને એમ સમજી કે અમારી આશિષ ફળી. પત્ની એમ સમજી કે મારી ચાકરી લેખે લાગી. મિત્રો એમ સમજ્યા કે અમે જે દોડધામ કરી તેનું આ શુભ પરિણામ આવ્યું અને સહુ પિતપોતાની વાતનું સમર્થન કરવા લાગ્યા, ત્યારે બધાને મેં શાંત પાડીને કહ્યું કે “મને નવું જીવન પ્રાપ્ત થયું છે, તે મારા શુભ સંકલ્પનું ફલ છે. રાત્રે હું એ સંકલ્પ કરીને સૂઈ ગયું હતું કે જે આ દુઃખ-દર્દમાંથી મુક્ત થઈશ તે શાંત, દાંત અને નિરારંભી થઈશ. માટે હવે મને આપ બધા આજ્ઞા આપે, કારણ કે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન મરે સત્વરે કરવું જોઈએ.”
આ શબ્દો સાંભળતાં જ સહુને હર્ષ ઉડી ગયે અને તેમની આંખો અશ્રુભીની બની ગઈ. તેમણે મને આમ ન કરવા ઘણું સમજાવ્યું, પણ મેં એ મને સ્વાનુભૂત અશરણુતાને
ખ્યાલ આપે, તેમ મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કેઈ પણ હિસાબે કરવું હતું, એટલે સર્વ કુટુંબીજનેએ મને રજા - આપી અને હું આત્મકલ્યાણને સાધવા અણગાર—ધર્મમાં પ્રવજિત થયે.
જે અણગાર બને છે, શ્રમણ બને છે, તે અન્ય ઇવેને નાથ (રક્ષક) બને છે અને તે પોતાને પણ નાથ
Page #460
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩પ૧
(રક્ષક) બને છે. એટલે હે રાજન! હવે હું મારા પિતાને તથા અન્ય જનો નાથ બની ચૂક્યો છું અને તારે મારા નાથ બનવાની કોઈ જરૂર રહેતી નથી. આ છે મારું સંયમમાર્ગ સંચરવાનું પ્રયોજન.”
અનાથ મુનિની આ હકીકત સાંભળી શ્રેણિક રાજા ઘણું પ્રભાવિત થયા અને તે દિવસથી જૈન ધર્મની શ્રદ્ધા પામ્યા. ત્યાર પહેલાં તેઓ બૌદ્ધધર્મની શ્રદ્ધાવાળા હતા.
અશરણતાને વિચાર પ્રબલ થતાં, અશરણભાવના જેરદાર બનતાં મનુષ્યના જીવનવ્યવહાર પર કેવી અસર થાય છે અને તેનું કેવું પરિણામ આવે છે. તે આ પ્રબંધ પરથી સમજી શકાશે.
૩–સંસારભાવના આ સંસાર અસાર છે, તેમાં કંઈ સાર નથી, એમ ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
સંસારને મીઠે-સારવાળે માન્ય છે, એટલે જ તેના પર આસક્તિ છે. જે એ વિચારમાં પરિવર્તન થાય અને સંસાર અસાર લાગવા માંડે, તો તેના પરની સર્વ આસક્તિ ઊડી જાય અને જીવન સંયમના માર્ગે વહેવા લાગે.
गतसारेऽत्र संसारे, सुखभ्रान्तिः शरीरिणाम् । लालापानभिवाङ्गप्ठे, बालानां स्तन्यविभ्रमः॥
“અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકોને જેમ માતાનું સ્તનપાન કરવાને ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં, પ્રાણીઓને તેમાં સુખને ભ્રમ થાય છે?
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૫ર
સામાયિક-વિજ્ઞાન આ સંસારને સુખી શી રીતે માનવે? જે પ્રિયતમા માટે પ્રાણ પાથર્યો હોય છે, તે જ વખત આવ્યે ધિક્કારવા લાગે છે, લાત મારે છે અને બીજાના પ્રેમમાં પડી સુખનું સત્યાનાશ વાળે છે. પતિને ઝેર દઈને મારી નાખવાના દાખલાઓ પણ જોવામાં આવે છે, ત્યારે પુત્રોથી શું સુખ માનવું ? એમાં પણ એવી જ હાલત છે. પુત્રોને ગમે તેવી મમતાથી ઉછેર્યા હોય, ભણાવી-ગણાવીને મોટા કર્યા હોય અને વ્ય કુલીન કન્યાથી વિવાહિત કર્યા હોય, તે પણ તે આપણી સામાં થાય છે, આપણાથી લડે-ઝઘડે છે અને વખતે મારી પણ લે છે. પુત્રોએ પિતાને કેદખાનામાં પૂર્યાના તથા ખૂન કરીને મારી નાખ્યાના દાખલાઓ પણ ઓછા નથી.
જ્યાં પત્ની અને પુત્ર પરિવારની હાલત આવી હોય, ત્યાં સગાં-સંબંધીઓનું તે કહેવું શું? એ તે જરા વાંકું પડે કે મેં મચકડવાના અને અવર્ણવાદ બલવાના. ત્યારે શું મિત્રોથી આ સંસારમાં સુખ માનવું ? એ કયારે સંધાશે અને કયારે છૂટા પડશે ? તેને કેઈ ભરેસે નહિ. વળી મોટ ભાગના મિત્રો તે મતલબિયા જ હોય છે. જ્યાં સુધી તેમની મતલબ સરે, ત્યાં સુધી બહુ મીઠો સંબંધ રાખે અને એ મતલબ સરી કે જાણે ઓળખતા જ નથી ! પછી તે સામા મળે બેસવું પડે, એ પણ ભારે લાગે!
વળી આ સંસારના સંબંધે પણ ઘણા જ વિચિત્ર છે. જે આ ભવે પિતા હોય છે, તે બીજા ભવે પુત્ર થાય છે અને જે આ ભવે માતા હોય છે, તે બીજા ભવે પત્ની
Page #462
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩૫૩ બને છે. આ રીતે ભાઈ તે કાકે, કાકે તે ભાઈ મામે તે ભાણેજ, ભાણેજ તે મામે, ફેઈ તે ભત્રીજી ને ભત્રીજી તે ફેઈ, એમ અનેક પ્રકારના સંબંધ બંધાય છે અને તૂટે છે.
વળી બાલ્યાવસ્થામાં વિવેકરહિત દશાને લીધે દુઃખ હોય છે, યુવાનીમાં કામના ઉન્માદને લીધે દુઃખ હોય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર તથા ઇન્દ્રિયેની વિકલતાને લીધે દુઃખ હોય છે. તે જ રીતે સવાર, બપોર, સાંજ અને રાત્રિએ કઈ ને કઈ પ્રકારની ઉપાધિ વળગેલી જ હોય છે.
કવિ દલપતરામે સાચું જ કહ્યું છે કે– તંતુ કાચા તણે તાણે સંસાર છે,
સાંધીએ સાત ત્યાં તેર તૂટે શરીર આરોગ્ય તો યોગ્ય સ્ત્રી હેય નહિ,
યોગ્ય સ્ત્રી હોય ખેરાક ખૂટે. હોય ખેરાક, ન હેય સંતાન ઉર,
હોય સંતાન, રિપુ લાજ રે; કે જે શત્રુ નહિ હોય, દલપત કહે,
સમીપ સંબંધીનું શરીર છૂટે. આ રીતે સંસારમાં અનેકવિધ વિચિત્રતાઓ હોવાથી તેને અસાર-સારરહિત સમજવાનો છે.
૪–એકત્વભાવના આત્માનું એકલપણું ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
૨૩
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સામાયિક-વિજ્ઞાન આ ભાવનાની યથાર્થતા સમજવા માટે સંથારાપિરિસીની નીચેની બે ગાથાઓનું નિરીક્ષણ–ચિંતનમનન જરૂરી છે
एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥ ९९ ॥
જો રે સામ , નાજ-વંસ-રંતુ सेसा मे बहिरा भावा, सव्वे संजोगलक्खंगा ॥ १२ ॥
હું એકલું છું, મારું કેઈ નથી, તેમ હું પણ કેઈને નથી. આવું અદીન મનથી વિચારીને આત્માનું અનુશાસન કરવું.
“એક મારે આત્મા જ શાશ્વત છે કે જે જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. બાકીના સર્વ સંચોગ બલથી અર્થાત્ કર્મના કારણે ઉત્પન થયેલા બહિર્શાવે છે.”
ઘણું સગાં-સંબંધીઓ, નાતીલા–જાતીલાઓ તથા મિત્રે વગેરેથી પરિવલે મનુષ્ય પોતાને બહુવવાળા માને છે અને તે બહત્વમાં જ ઓતપ્રેત રહે છે. અહીં એમ વિચારવું ઘટે કે “એકલે છું. મારું કોઈ નથી.” તે તે એકીભાવમાં અર્થાત્ આત્મભાવમાં રહે.
જે મનુષ્યને ખાસ સગાંવહાલાં નથી કે મિત્રો નથી કે નાતીલા–જાતીલામાં સ્થાન નથી, તે એમ માને કે “અરેરે! હું એકલે છું, આમાં મારું કેઈ નથી.” તે એ વિચાર દીનતામાંથી જન્મેલે કહેવાય અને તેથી આર્તધ્યાનથી કટિમાં
Page #464
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૧
૩પપ આવે, પરંતુ અહીં “ હૈં નથી એ વિચાર જ્ઞાનદશાથી કરવાનું છે અને તેના વડે આત્માનું અનુશાસનનિયંત્રણ કરવાનું છે, એટલે કે તેને સમજાવીને ઠેકાણે રાખવાનો છે, જેથી એ ધર્મધ્યાનની ધારામાં આવે અને આત્મકલ્યાણમાં ઉપયોગી થાય.
વળી એકીભાવમાં સ્થિર થવા માટે એમ પણ વિચારવાની જરૂર છે કે મારે આત્મા એક જ શાશ્વત છે અને કર્મ જન્ય બધી વસ્તુઓ અશાશ્વત છે, અનિત્ય છે, એટલે તે મારી હોઈ શકે નહિ. માત્ર જ્ઞાન-દર્શન એ જ મારાં છે, કારણ કે તે માટે સ્વભાવ છે.
આ રીતે એકત્વનું અનેક રીતે ચિંતન કરવાથી એકત્વભાવના સિદ્ધ થાય છે અને તે આત્મકલ્યાણના માર્ગ તરફ દોરી જાય છે.
પ- અન્યત્વભાવના આત્મ અને અનાત્મ વસ્તુઓનું અન્યત્વ-ભિન્નત્વ ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
જેમ એકત્વને વિચાર કરતાં વૈરાગ્ય થાય છે, તેમ અન્યત્વને વિચાર કરતાં પણ વૈરાગ્ય થાય છે. તેથી એકત્વભાવનાની જેમ અન્યત્વભાવનાનું પણ દઢતાથી ચિંતન કરવાનું છે. - મુખેથી આત્મા અને અનાત્માની વાત કરવા છતાં આપણાં હૃદયમાં આત્મા અને અનાત્માની જુદાઈ વસી નથી, અન્યથા દેહ અને માલમિલકત વગેરે પર આટલી મૂચ્છ
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૫
સામાયિક–વિજ્ઞાન
કેમ હાય ? વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમતિ પ્રકરણમાં કહે છે કે
अन्योऽहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं न बाधते तं हि शोककलिः ॥
સ્વજન એટલે પેાતાના કુટુંબીજને, પરિજન એટલે નોકરચાકર, વૈભવ એટલે સપત્તિ, શરીર એટલે દેહ, તે બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છુ, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પેદા થઈ છે, તેને શેકરૂપી ખાણુ કંઈ પણ પીડા ઉપજાવી શકતું નથી. ’
શરીરમાં એક નાના સરખા કાંટા ભોંકાય કે નાનકડા વ્યાધિ ઉત્પન્ન થાય તે પણ બૂમરાણ મચે છે, એનું કારણ એ છે કે શરીર એ જ હું છું' એવી આપણી બુદ્ધિ થઈ ગયેલી છે. જો આપણી બુદ્ધિ એ પ્રકારની ન હૈાય તે કઇ પણ પીડાના અનુભવ ન થાય.
:
6
કેટલાંક વર્ષ પહેલાં એક દિગમ્બર મુનિને પગે શસ્ત્રચિકિત્સા કરવાને પ્રસંગ આવ્યા, ત્યારે ડોકટરોએ કલેારોફામ' સુંઘાડવાની તૈયારી કરી. મહાત્માએ પૂછ્યું : · આ દેવા સૂંઘાડવાનું કારણ શું છે? ' ડોકટરેએ કહ્યું : હું એ દવાથી તમને એક પ્રકારનુ એવુ ઘેન ચડશે કે જેથી તમને શસ્ત્રચિકિત્સા વખતે કંઇ પણ પીડા નહિ થાય. ' મુનિએ કહ્યું: ‘ તેા એ દવા સૂઘાડવાની જરૂર નથી. હું પ્રત્યાહારની ક્રિયા જાણું છું. પ્રત્યાહારથી મનને એ સ્થળેથી ખેંચી લઇશ,
Page #466
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન
૩૫૭ એટલે તેની કંઈ પીડા જણાશે નહિ.” ડોકટરેએ એ પ્રકારે ઓપરેશન કર્યું અને તાજુબી અનુભવી.
જે દેહ, ઈન્દ્રિયે, મન, સ્વજન, પરિવાર, ધનદોલત બધું આમાથી ભિન્ન છે, તે તેમાં મમત્વબુદ્ધિ શા માટે ? એને નાશ થતાં પિતાનું કંઈ જતું નથી, એમ માનવું જ ડહાપણભરેલું છે. આપણા એક મહાપુરુષ કહે છે કેતેરા હે સે તેરી પાસ, અવર સબ અનેરા; આપ સ્વભાવમાં રે અવધૂત, સદા મગન મેં રહેના
જે અન્યત્વભાવના કેળવાય તે જ આ રીતે સદા આનંદમાં મગ્ન રહી શકાય.
- અશુચિભાવના શરીરની અશુચિ-અપવિત્રતા ચિંતવવી, એ આ ભાવનાનો મુખ્ય વિષય છે.
મનુષ્યને પોતાના શરીર પર ઘણી જ આસક્તિ હોય છે અને તે એને રૂડું –રૂપાળું કે સુંદર રાખવા માટે અનેક જાતના પ્રયત્ન કરે છે. તેની આ આસક્તિ ટળે તે જ તે બડિ રાત્મા મટી અંતરાત્મા થઈ શકે. આ આસક્તિ ટાળવા માટે જ તેની અશુચિનું ચિંતન કરવાનું છે.
શ્રી વિનયવિજ્યજી મહારાજ શાંતસુધારસભાવ-- નમાં કહે છે: “અહો ! મૂઢ જી ફરી ફરીને સ્નાન કરે છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી અમે પવિત્ર છીએ એમ માનીને એને પરમેહ ધરે છે,
Page #467
--------------------------------------------------------------------------
________________
૫૮
સામાયિક-વિજ્ઞાન પરંતુ એ શરીર કદી શુદ્ધ થતું નથી. ઉકરડે કદીશુદ્ધ થાય ખરે?”
ઉકરડે શબ્દ કદાચ કોઈને આકરે લાગશે, પણ બરાબર વિચાર કરીએ તે આ શરીર ઉકરડા જેવું જ છે. ઉકરડામાં જેમ એક વખતને કચરો ઉપડ્યો ન ઉપડ્યો, ત્યાં બીજે કચર આવી પડે છે અને તેથી તે ગંધાતે જ રહે છે, તેમ શરીરમાંથી એકત્ર થયેલે મલ હઠ ન હઠ કે બીજે. મલ ભેગા થાય છે, તેથી તે ગંધાતું જ રહે છે, અપવિત્ર જ રહે છેઃ
મહાત્મા સુંદરદાસ એક વૈરાગી પુરુષ હતા. તેમણે શરીર અંગે એક સર્વે કહ્યો છે, તે વિચારવા જેવું છેઃ હાડકે પિંજર ચામ ચઢયે પુનિ,
માંહિ ભર્યા મલ-મૂત્ર વિકારા; થુંક ૩ લાર વહે મુખસે પુનિ * વ્યાધિ વહે નવ-બાર હિ દ્વારા માંસકી જીભસે ખાત સબે દિન,
તા મતિમાન કરે ન વિચારા; એસે શરીર મેં પિઠકે સુંદર,
કૈસે હિ કીજિયે શૌચ આચારા.
શરીર એ હાડકાનું એક પિંજરું છે, તેને ચામડાથી મઢેલું છે, અંદર મલ અને મૂત્રને વિકાર ભરેલો છે. તેના મુખમાંથી ચૂંક અને લાળ વહે છે તથા એના નવ કે બાર દ્વારમાંથી+ વ્યાધિઓ નિરંતર વહેતા હોય છે. વળી માંસની જીભ વડે તે નિરંતર ખાય છે, તેને વિચાર હે + પુરૂષનાં નવ દ્વાર અને સ્ત્રીઓનાં બાર દ્વારા સમજવાનાં છે..
Page #468
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ સેવન−1
૩૫૯
મતિમાન ! તમે કેમ કરતા નથી ? આવા શરીરમાં પેસીને અમે શૌચાચાર એટલે પવિત્ર રહેવાના આચાર શી રીતે કરીએ ? તાત્પર્ય કે ગમે તેવા શૌચાચાર પાળીએ તે પણ તે શુચિમય-શુદ્ધ-પવિત્ર થવાનુ નથી.
ખીજી પણ અનેક રીતે શરીરની અશુચિના વિચાર કરી તેના પરના મેાહ ટાળવાના છે.
ભાવનાઓના વિશેષ પરિચય આગામી પ્રકરણમાં અપાચેા છે. પ્રશ્નોત્તરી તેને છેડે આપેલી છે.
Page #469
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] ભાવનાઓનું સેવન–૨
ગત પ્રકરણમાં અનિત્યાદિ છ ભાવનાઓનો પરિચય અપાઈ ગયે. હવે બાકી રહેલી છે ભાવનાઓને પરિચય આ પ્રકરણમાં આપીશું.
૭–આAવભાવના આશ્રવ એટલે કર્મનું આત્મા ભણી આવવું. તેને હેતુઓ અંગે ખાસ વિચારણા કરવી, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
અહીં એમ વિચારવું ઘટે કે જેમ પર્વતમાંથી ચારે બાજુ પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલદી ભરાઈ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ભેગનાં કારણે આત્મા કર્મોથી ભરાઈ જાય છે. તેથી હે જીવ! તું એ પાંચે ય કારણેથી વિરામ પામ.
હે ચેતન! મિથ્યાત્વના ગે અનાદિકાલથી તું આ
Page #470
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૨
૩૬૧ સંસારમાં રખડી રહ્યો છે અને તે કર્મની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, એમ સમજી તેને ત્યાગ કર. | હે જીવ! અવિરતિના કારણે તે વિષયમાં રાચી રહ્યો છે, પણ વિષયમાં લુબ્ધ થનારા હાથી, માછલાં, ભમરા, પતંગિયા, હરણ વગેરે પ્રાણુંઓના આખરી હાલ શું થયા છે? એ વિચારી અને વિરતિની ભાવના કેળવ. જ્ઞાનનું ફલ વિરતિ છે, તેને સ્વીકાર કર્યા વિના તારે ઉદ્ધાર નથી. | હે જીવ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા જાય છે, કાળ કેઈને માટે ઊભું રહેતું નથી, જે ક્ષણો ગઈ તે પાછી આવતી નથી, એમ વિચારી તું પ્રમાદને ત્યાગ કર અને તારા ધ્યેય તરફ ઝડપથી આગળ વધ. | હે જીવ! ક્રોધ, માન, માયા અને લેભ, એ ચાર લૂંટારાઓ તારી આત્મસમૃદ્ધિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. કોઇ પ્રીતિ કે સદ્દભાવને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વનો નાશ કરે છે, એમ વિચારી ચારે ય કષાયને ત્યાગ કર.
હે ચેતન ! તું મનથી, વચનથી અને કાયાથી કેટલાં બધાં કર્મો બાંધે છે? તેને વિચાર કર અને રોગ પર કાબૂ રાખ.
અસંયમનું ફલ ભૂરું છે અને સંયમનું ફલ સારું છે, એ તું કદી ભૂલીશ નહિ. તે માટે તું કંડરિક અને પુંડરિકની વાત બરાબર વિચારી છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સામાયિક-વિજ્ઞાન કડરિક અને પુંડરિકની વાત
મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરી હતી. તેમાં કંડરિક અને પુંડરિક નામના બે બંધુઓ હળીમળીને રાજ્ય કરતા હતા. તેમાં કંડરિક ના હતા અને પુંડરિક મોટો હતે. એકવાર કોઈ નિર્ગથ મહાત્માની વૈરાગ્યમય દેશના સાંભળીને પુંડરિકને દીક્ષા લેવાની ભાવના થઈ તેથી તેણે લઘુબંધુ કંડરિકને કહ્યું કે “હવે રાજ્ય તું સંભાળ. હું તે સંયમમાગે વિચરી આત્માનું કલ્યાણ કરીશ.” આ સાંભળી કંડરિકે કહ્યું કે “મોટાભાઈ! તમે સુખશાંતિની પ્રાપ્તિ કરાવનાર સંયમમાર્ગ ગ્રહણ કરવાને તૈયાર થયા છે. અને મને નરકમાં મેકલનાર રાજ્ય અર્પણ કરે છે, એ ઠીક નથી. રાજ્ય તે તમે જ સંભાળે અને હું સંયમમાર્ગ ગ્રહણ કરીશ.” આમ કહી તેણે પોતાના ભાગનું રાજ્ય પુંડરિકને સોંપ્યું અને પોતે પ્રવજિત થઈ સંયમની સાધના કરવા લાગે.
સંયમની સાધના આખરે સુખકર છે, પણ કરવી સહેલી નથી. તેમાં અનેક જાતની કઠિનાઈઓને સામને કરે પડે છે, અનેક જાતનાં તપ કરવા પડે છે અને ખેસૂકે આહાર વાપરે પડે છે. આમ લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી લૂખે–સૂકે આહાર વાપરતાં એક વખત કંડરિકની તબિયત બગડી અને તેનું મન સંયમ પરથી હઠી ગયું. સંસારમાં ફરી દાખલ થવાને વિચાર કરી તે પુંડરિકિણી નગરીએ આવ્યું અને નગર બહાર અશેકવનમાં
Page #472
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૨
૩૬૩ ઊતર્યો. ત્યાં પિતાનો છે અને મુહપત્તી વૃક્ષની ડાળીએ લટકાવી દીધાં. પછી તે વિચાર કરવા લાગ્યા કે અહીં આવ્યું તે ખરે, પણ પુંડરિક મારું રાજ્ય મને પાછું આપશે કે નહિ? ન આપે તો મારે શું કરવું?” જ્યાં લોભ જાગે છે, ત્યાં મનુષ્યને ન કરવા જેવા વિચારે પણ આવી જાય છે.
એવામાં વનપાલે વધામણી આપવાથી પુંડરિક ત્યાં આવ્યા અને પિતાના ભાઈની આવી હાલત જોઈ ઘણે ખેદ પામ્ય. ચિંતામણિરત્નતુલ્ય સંયમમાર્ગ પામ્યા પછી આ દશા ? તેણે કંડરિકને સંયમમાં પુનઃ સ્થિર થવા ઘણું સમજાવ્યું, પણ કંડરિક સમયે નહિ. તેને તે હવે ફરી સંસારમાં દાખલ થઈ તેનાં સુખ ભોગવવા હતાં. આથી પુંડરિકે તેને રાજ્ય સેપ્યું.
કંડરિક તે જ દિવસે રાજધાનીમાં દાખલ થયે અને, પિતાના મહેલે આવ્યું. આજે તે પેટ ભરીને ભાવતું ભોજન કરવું છે, એમ વિચારી તેણે અનેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાને ઈયાને હુકમ કર્યો અને તે તૈયાર થતાં આકંઠ ભેજન કર્યું. જ્યાં આસક્તિ તીવ્ર હોય, ત્યાં પ્રમાણનું ભાન કયાંથી રહે? સાંજ પડી અને તેના પેટમાં ચૂંક આવવા લાગી. પછી ઝાડા શરૂ થયા અને તે એકસરખા ચાલુ રહ્યા. કેઈએ તેના તરફ વિશેષ લક્ષ્ય આપ્યું નહિ, કારણ કે તે ચારિત્રથી પતિત થઈને આવ્યો હતે. આથી.
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૬૪
સામાયિક–વિજ્ઞાન
કંડરિકને આ ધ્યાન અને રૌદ્રધ્યાન થયુ. અને એ અવસ્થામાં જ મરણ પામીને તે સાતમી નરકે ઉત્પન્ન થયા.
આ બાજુ પુ'ડરિકને સંસાર પર ભારે વૈરાગ્ય આવ્યો, એટલે તેણે વિચાર કર્યો કે મારા ભાઇએ જે આઘા-મુહપત્તી અશેાકવનમાં ઝાડની ડાળીએ લટકાવ્યાં છે, તે લઇને ગુરુ પાસે જાઉ' અને ચારિત્ર લઉં. પછી તેણે અશેકવનમાં જઈ આડની ડાળીએ બાંધેલાં એધો-મુહુપત્તી ગ્રહણ કર્યા અને ચારિત્ર અંગીકાર કરવા ગુરુ સમીપે ચાહ્યા. ત્યાં રસ્તામાં ઉઘાડા પગે ચાલતાં લેાહીની ધારાઓ છૂટી, છતાં તેનું મન સંયમમાંથી પાછુ હુઠયું નહિ. છેવટે તે શુભ ધ્યાનમાં જ મરણ પામ્યા અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયેા. આ પરથી ડે જીવ ! અસંયમ અને સંયમનું પરિણામ સમજી લે અને સયમમાગે વિચરવાની ભાવના રાખ. ૮–સવભાવના
આશ્રવને રોકનારા ઉપાયા સમંધી વિચારણા કરવી, એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
આ ચિંતન એ રીતે કરવું ઘટે કે હું ચેતન ! તુ સમ્યકત્વ વડે મિથ્યાત્વના નિરોધ કર, વ્રત-નિયમ વડે અવિરતિના નિરાધ કર, પ્રબલ પુરુષાર્થ વડે પ્રમાદના નિરોધ કર, ક્ષમા વડે ક્રોધને નિરોધ કર, નમ્રતા વડે માનને નિરોધ કર, સરલતા વડે માયાના નિરોધ કર, સ`તેષ વડે લાભના નિરોધ કર અને (૧) મનેાગુપ્તિ, (૨) વચનપ્તિ
Page #474
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન
૩૬૫ તથા (૩) કાયગુપ્તિ વડે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને નિરોધ કર.
હે ચેતન! તું (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપ-સમિતિ અને (૫) પરિઠાપનિકા સમિતિ–એ પાંચ સમિતિનું સ્વરૂપ બરાબર સમજી લે અને તેના પાલનમાં ઉજમાળ થા.
હે આત્મન ! તું ગમે તેવા ઉગ્ર અને ઘેર પરિષહને પણ સમભાવે સહી લે. તું મુધાન પિપાસાર, શીત કે ઉષ્ણુ પરિષહથી પરાભવ ન પામ. તું ડંશ,૫ અચલક, અરતિ, કે સ્ત્રી પરિષહથી જરા પણ ચલિત ન થા. હે. આત્મન ! તું ચર્યા, નૈધિકી૦ અને શય્યા ૧૧ પરિષહને સમભાવે વેઠી લે. વળી આકાશ,૧૨ વધ, ૧૩ યાચના૧૪ કે અલાભ૧૫ પરિષહને પ્રસંગ ઊભું થાય તે પૂર્વ મહર્ષિ ઓના ચરિત્રનો વિચાર કરી તેને જીતી લે. હે આત્મન ! . રોગ, તૃણસ્પર્શ, ૧૭ મલ,૮ સત્કાર,૧૯ પ્રજ્ઞા, ૨૦ અજ્ઞાન અને સમ્યકત્વર પરિષહ તારી કસોટી કરવાને ભલે આવે, પણ તું એનાથી જરાયે ડગીશ નહિ. જેમણે આ બાવીશ પરિષહ જીત્યા, તે જ ચારિત્રને પાળવામાં સફલ થયા અને જીવનની બાજી સુધારી શક્યા, માટે તું પણ બાવશે ય પરિષહને સમભાવે સહી લે.
હે આત્મન ! તું દશ પ્રકારના યતિધર્મનું પાલન કર. खंति महब अज्जव, मुत्ती तव संजमे अबोधवे। सच्चं सोअं अकिंचणं य, बंभं च जइधम्मो ॥
Page #475
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
(૧) ક્ષમા, (૨) માવ, (૩) આવ, (૪) મુક્તિ (નિર્લોભતા), (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય, એ દશ યતિધર્મો છે. આ દરેકનું મહત્ત્વ વિચારી તેને તારા જીવનમાં વણી લે.
P
૩૬૬
હે જીવ! તું ખાર ભાવનાઓનું નિત્ય સ્મરણ કરી ભવરૂપી રોગને મટાડવા માટે એ ઉત્તમ પ્રકારનું રસાયણ છે. વળી હું આત્મન્ ! તું (૧) સામાયિક, (૨) છેદેપસ્થાપ નીય, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂમસ`પરાય અને (૫) યથાખ્યાત એ પાંચે ય ચારિત્રનું સ્વરૂપ સમજી તેના પાલનમાં ઉદ્યત થા, જયાં સુધી તું ૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૨૨ પરિષ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર એ રીતે ૫૭ પ્રકારવાળા સુંવરનું સ્વરૂપ સમજીને તેને અનુસરીશ નહિં, ત્યાં સુધી તારો ભનિસ્તાર શી રીતે થશે ?
ગુપ્તિ-સમિતિ આદિ ૫૭ ભેદાને વિચાર મુખ્યત્વે ત્યાગી પુરુષોએ કરવાના છે. અહીં ગૃહસ્થ સાધકે એવો વિચાર કરવો ઘટે કે સવરની સાધના માટે મહાપુરુષોએ સામાયિક, પ્રતિક્રમણ, પોષધ, જિનદન, જિનપૂજા, ગુરુદર્શન આદિ જે જે ઉપાય બતાવ્યા છે, તેના હૈ જીવ! તુ ખૂબ ખૂબ આદર કર અને તેનુ ં બને તેટલું આરાધન કર, -નિર્જરાભાવના
ક નિર્જરાના ઉપાય સ ંબધી ચિ ંતન કરવુ, એ આ ભાવનાનો મુખ્ય વિષય છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
એ જીવનને
આચરણ
કરી શક
ભાવનાઓનું સેવન-૨
૩૬૭ અહીં એમ વિચારવું ઘટે કે “ હે ચેતન! પૂર્વમહર્ષિ ઓએ પિતાનાં કર્મો કેવી રીતે ખપાવ્યાં ? તેને વિચાર કર. એ મહષિઓએ રાજ્યના મહાન વૈભવે છડીને, શ્રીમંતાઈની અનેક સુખસગવડોને ત્યાગ કરીને અથવા પ્રાપ્ત અધિકાર અને સાંસારિક અનુકૂલતાઓને જતી કરીને તપસ્વી જીવનને સ્વીકાર કર્યો અને વિવિધ તપનું આચરણ કર્યું, તે જ દુષ્કરે કર્મોની નિર્જરા કરી શક્યા, માટે તું પણ એ મહર્ષિ એનાં પગલે ચાલી તપસ્વી થા અને તપનું યથાશક્તિ આચરણ કર.
હે ચેતન! તપના વિચારથી તું કેમ ડરે છે? તને કાયાની માયા એવી તે કેવી વળગી પડી છે કે નાની સરખી તપશ્ચર્યા કરતાં પણ તું અચકાય છે? અરે મૂઢ ! નરક, નિગોદ અને તિર્યંચના ભવમાં તેં જે કો સહન કર્યા છે, તેને તે આ અંશમાત્ર નથી ! એ બધાં કક્કે અકામભાવે એટલે ઈચ્છા વિના સહન કર્યા, પરંતુ હવે તપનું કષ્ટ સકામભાવે એટલે ઈચ્છાપૂર્વક સહન કરી લે, તે તારે ભવનિસ્તાર જરૂર થશે.
હે ચેતન ! તું બને તેટલા ઉપવાસ (અણસણ) કર, ભેજન–વેળાએ ઊણોદરિકા કર અને વિવિધ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને તપશ્ચર્યામાં મગ્ન થા.
હે આત્મન ! તું છયે રસનો-વિગઈઓને સર્વથા ત્યાગ કર. જે બળિયે થઈશ તે એ કાર્ય મુશ્કેલ નથી, છતાં એમ ન જ બની શકે તો વધારેમાં વધારે રસનેવિગઈ
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સામાયિક-વિજ્ઞાન એને ત્યાગ કર અને છેવટે સર્વ ભેજ્ય પદાર્થોમાંથી રસવૃત્તિ તે છેડી જ દે.
હે ચેતન ! સંયમના નિર્વાહ અર્થે તું વિવિધ પ્રકારના કાયકલેશને સમભાવે સહન કરી લે અને નિરવ એકાંત સ્થાનને આશ્રય લઈને અંગોપાંગનું બને તેટલું સંપન કર તથા ઈન્દ્રિય અને કષાયને જ્ય કરવામાં ઉજમાળ થા. | હે આત્મન ! તું નાની મોટી ભૂલ માટે એગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ થા અને દેવ, ગુરુ, તથા ધર્મને વિનય કરીને પવિત્ર થા.
હે ચેતન, તું આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, ગ્લાન, તપસ્વી, સ્થવિર, સાધર્મિક, કુલ, ગણ અને સંઘનું બને તેટલું વૈયાવૃત્ય કરીને કર્મની નિર્જ કર.
હે ચેતન ! તું વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સદા રત રહીને તથા નમસ્કાર મહામંત્ર, અહમંત્ર આદિને જપ કરીને કર્મોની કુટિલ જાળને કાપી નાખ તથા ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આરૂઢ થઈને કર્મવૈરીના કટકને સર્વથા, હણી નાખ.
હે આત્મારામ ! તું કાયાને એક સ્થાને સ્થિર કરીને, વાણને મૌન વડે રોકીને તથા મનને ધ્યાનમાં જોડીને કાત્સર્ગમાં એવી રીતે મગ્ન થા કે ગમે તેવાં ઘર કર્મો ક્ષણવારમાં ખરી પડે અને તું તારા મૂલ સ્વરૂપમાં પ્રકાશવા લાગ
Page #478
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ′ સેવન-૨
૩૬૯
હું ચેતન ! તને વધારે શું કહું ? ઇચ્છાના રોધ કરવા એ સશ્રેષ્ઠ તપ છે, માટે સઘળી ઇચ્છાઓ, આકાંક્ષા, અભિલાષાઓના ત્યાગ કરી નિરીહ અન અને ક કલેશથી મુક્ત થઈ ને ચિદાનંદની મેાજમાં મગ્ન થા
હું આત્મન્ !
जं अन्नाणी कम्मं, खवेइ बहयाहिं वासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमेतेणं ॥
• અજ્ઞાની જે કમ કાડો વર્ષ ખપાવે છે, તે જ ક જ્ઞાની ત્રણ ગુપ્તિના બળથી એક શ્વાસેાવાસ માત્રમાં ખપાવી શકે છે. ’
એમ સમજીને તુ જ્ઞાની થા-આત્મજ્ઞાની થા અને મનાગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિનું પૂરેપૂરું રહસ્ય જાણીને તેને અનુસરવાપૂર્વક સિદ્ધ-બુદ્ધ-નિરજન થા. ૧૦-ધમ સ્વાખ્ય:તભાવના
સત્ત શ્રી જિનેશ્વરદેવાએ ધમ સારી રીતે કહેલા છે, તેનું ફૂલ ઘણું માટું છે, તેના મહિમાના પાર નથી, વગેરે ચિતવવુ', એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
અહીં એ રીતે વિચારવું ઘટે કે ‘ હે જીવ! જગમાંધવ શ્રી જિનેશ્વરદેવાએ લોકોના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ, એ ચાર પ્રકારને ધર્માં ઉપદેશ્યા છે. તેનું શ્રદ્ધાપૂર્વક
પાલન કરે.
હૈ આત્મન્ ! ધર્મમંગલરૂપી કમલાનુ કેલિસ્થાન, સા. વિ. ૨૪
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૭૦
સામાયિક-વિજ્ઞાન કરુણાનું કેતન, શિવસુખનું સાધન, ભવભયનું બાધન અને જગતને આધાર છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન ! ધર્મ એ અબંધને બંધુ છે, અસહાયને સહાયક છે, અને સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિને આપનારો છે, માટે તેનું શરણ અંગીકાર કર
હે આત્મન ! ધર્મ આ ભવ તથા પરભવ બંનેમાં સુખકારી છે તથા કમશઃ મુક્તિસુખને આપનારે છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન! કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્નથી જે ફલની પ્રાપ્તિ થાય છે, તે શેડો વખત જ સુખ આપે છે અને તે પણ અપૂર્ણ હોય છે, જ્યારે ધર્મના સેવનથી થતી ફલપ્રાપ્તિ ચિરકાલ સુધી સુખને આપનારી હોય છે અને તે સુખ પૂર્ણ હોય છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે આત્મન ! આ જગતમાં એવું તે કયું દુઃખ છે કે જે ધર્મના સેવનથી ન ટળે ? અથવા આ જગતમાં એવું કયું સુખ છે કે જે ધર્મના સેવનથી ન મળે? તાત્પર્ય કે દુઃખને દારવાને અને સુખને સાધવાને સારો ઉપાય ધર્મ છે, માટે તેનું શરણ અંગીકાર કર.
હે ચેતન! તું શ્રતધર્મ અને ચારિત્રધર્મનું શરણ સ્વીકાર, જેથી તારે ભવનિસ્તાર શીધ્ર થશે.
હે આત્મન ! તું સર્વજ્ઞકથિત સત્યધર્મનું શરણ સ્વીકાર, તે તારે ભવનિસ્તાર શીધ્ર થશે.
Page #480
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૧ ૧૧-લકસ્વરૂપભાવના લેક એટલે વિશ્વ, જગત્ કે દુનિયા. તેનું સ્વરૂપ જ્યાં સુધી મનમાં બરાબર વસ્યું ન હોય, ત્યાં સુધી નરક, સ્વર્ગ અને મોક્ષ વગેરેનાં સ્થાને બરાબર સમજાતાં નથી અને ભૂવલય વિષે પણ તરેહ તરેહની શંકાઓ થાય છે. તેથી લેકસ્વરૂપ બરાબર સમજી લઈને તેનું ચિત્ર મનમાં અંક્તિ કરવું જોઈએ. એ ચિત્ર અંક્તિ કરવા માટે આ ભાવના ખૂબ ઉપયોગી છે.
તેમાં આ રીતે ચિંતવવું કે આ લેકરૂપી પુરુષ પગ પહોળા કરીને ઊભેલ છે અને તેણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. એક બીજાની નીચે વિસ્તીર્ણ છત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાતે નરકભૂમિઓ તેના બે પગનાં સ્થાને છે.
અસંખ્યાત દ્વીપ-સમુદ્રવાળે મલેક તથા સૂર્યચંદ્રાદિ તિષચકે તેના કંદરાના સ્થાને છે. તેની ઉપર પહેલા, બીજા અને ત્રીજા–ચેથા દેવકની ઉપર બ્રહ્મક અર્થાત પાંચમે દેવલેક તેની બે કોણીઓ છે અને ઉપર બીજા સાત દેવલેક, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન અને છેવટે આવેલી સિદ્ધશિલા, એ તેના મસ્તકના સ્થાને છે.
કુલ ચૌદ રજજુપ્રમાણ ઊંચે આ લેક અનાદિ, અનંત, અકૃત્રિમ અને શાશ્વત છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલો છે. તેની
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૭૨
સામાયિક-વિજ્ઞાન
ચારે બાજુ અલે કાકાશ આવેલું છે, અર્થાત્ આ લેક આકાશના એક ભાગમાં જ અસ્થિત છે.
આ લોકમાંડરૂપી રંગમડપમાં આત્મા એ નટ છે અને કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ તથા ઉદ્યમ એ પાંચ સમવાય–કારારૂપી વાજિ ંત્રોએ નચાવ્યા મુજબ નાચે છે.
હું ચેતન ! ચર અને સ્થિર, જંગમ અને સ્થાવર વસ્તુથી ભરેલા આ લાકનું સ્વરૂપ તું ખરાખર સમજી લે. આ લાક દ્રવ્યથી નિત્ય છે, ત્ર છે, શાશ્ર્વત અને પર્યાયથી અનિત્ય છે, ચલ છે, અસ્થિર છે.
હે આત્મન ! આ લેકના કોઈ પણ ભાગ એવા નથી કે જ્યાં તુ કવરાત્ ઉત્પન્ન થયા ન હેાય. આ લેાકના સર્વ ભાગમાં તારું ભ્રમણ ચાલુ જ રહ્યું છે.
હું ચેતન! આ લોકના મથાળે રહેલી સિદ્ધશિલા તરફ જ તારી ષ્ટિ રાખ. તારે એક દિવસ ત્યાં જ પહોંચવાનુ છે.
૧૨-ધદુલ ભભાવના
આ જીવને આધિલાભ થવા દુર્લભ છે, એમ ચિંતવવુ, એ આ ભાવનાના મુખ્ય વિષય છે.
અહી વિચારની ધારા એ રીતે વહેવી જોઈ એ કે આ જીવને મનુષ્યત્વ, કર્મભૂમિ, આ દેશ, ઉત્તમ કુલ, શરીર અને ઇન્દ્રિયોનું પૂરુ' સામર્થ્ય', દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુને ચેગ, શાશ્રવણુ અને બાધિની પ્રાપ્તિ ઉત્તરોત્તર ઘણી દુર્લોભ છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
‘ભાવનાઓનું સેવન-૨
૩૭૩ | હે જીવ! તું મનુષ્યપણું શી રીતે પામ્યો ? પ્રથમ નિગદ અવસ્થામાં હતું, ત્યાં અનંત પુદ્ગલપરાવર્તનકાલ સુધી ઝડપથી જન્મ-મરણ કર્યા અને અનંત દુઃખ ભોગવ્યું. પછી તું પૃથ્વીકાયાદિ સ્થાવરપણું પામે અને તેમાં અસં
ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓ વ્યતીત કરી. પછી ત્રસપણું પામ્ય અને અસંખ્યાત કાલ સુધી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય તથા ચઉરિન્દ્રિયના ભવે કર્યા. પછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિર્યંચ અવસ્થામાં ઘણું કાલ સુધી દુઃખને અનુભવ કરી છેવટે તું મનુષ્યભવ પામે, તેથી જ શાસ્ત્રકરેએ તેને દશ ટાંતે દુર્લભ કહ્યો છે.
મનુષ્ય પણું પામ્યા પછી કર્મભૂમિમાં અને તેમાં એ આર્યદેશમાં જન્મ પામ દુર્લભ છે, તે પણ તું પામે. આર્યદેશમાં પણ ઉત્તમ કુલની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થઈ. તેમાં પણ શરીર અને ઇન્દ્રિયનું પૂરું સામર્થ્ય હોવું દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થયું. શરીર અને ઇન્દ્રિયનું પૂરું સામર્થ્ય હેય, પણ આયુષ્ય અતિ અ૫ હેય તે શું થઈ શકે ? ઘણા માણસે ગર્ભાવસ્થામાં મરણ પામે છે અથવા જન્મ પામ્યા પછી થોડા જ વખતમાં વિવિધ રોગોના ભોગ બની મૃત્યુને આધીન થાય છે, ત્યારે તું તે દુર્લભ એવું દીર્ધાયુષ્ય પણ પામે.
આ બધું પામવા છતાં જૈનધર્મની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. તને જૈનધર્મની પ્રાપ્તિ થઈ એ તારું પરમ
Page #483
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન સૌભાગ્ય માન અને અરિહંતદેવ, નિર્ગથ ગુરુ તથા સર્વજ્ઞકથિત ધર્મના સિદ્ધાંતમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખ.
જૈન મહર્ષિઓએ બોધિ અર્થાત્ સમ્યકત્વને ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક કહેલ છે, તેને મર્મ તુ વારંવાર વિચાર. ખરેખર! આ જગતમાં બોધિ અર્થાત્ સમ્યકત્વ જેવી સુંદર વસતુ કોઈ પણ નથી. જે સમ્યકત્વ હોય તે જ્ઞાન અને કિયા સફલ છે, માટે હે જીવ! તું સમ્યકતમાં બરાબર થિર થા.
ચાર ભાવનાઓ આ બાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ પણ ભાવવા એગ્ય છે. તેમાં સર્વ જીવોને મિત્ર સમાન ગણવા, એ મૈત્રીભાવના છે; ગુણવાનને જોઈ રાજી થવું, એ પ્રમોદભાવના છે; દીનદુઃખી જ પ્રત્યે કરુણું–અનુકંપા ધારણ કરવી, એ કારુણ્ય ભાવના છે અને પાપી–અધમી છ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરવી, એ માધ્યસ્થ ભાવના છે.
આ ચાર ભાવનાઓને સંક્ષેપ કરે હોય તે એક મૈત્રીભાવનામાં થઈ શકે છે, કારણ કે ઊંડે ઊંડે મિત્રતાની ભાવના નથી, ત્યાં પ્રમોદ ઉપજી શકતું નથી; કરુણા કુરતી નથી કે માધ્યસ્થભાવ અનુભવી શકાતું નથી.
મૈત્રીભાવનું મૂલ નીચેની વિચારણામાં રહ્યું છે. જે. હું તેવા બીજા. જેમ મને સુખ ગમે છે, તેમ બીજાને
Page #484
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૫ પણ સુખ ગમે છે, જેમ મને જીવવું પ્રિય છે, તેમ બીજાને પણ જીવવું પ્રિય છે; તે મારાથી કેઈને પણ ધિક્કારી કેમ શકાય ? તિરસ્કારી કેમ શકાય ? તેના વ્યાજબી હક્કો પર તરાપ કેમ મારી શકાય ? કેઈની હિંસા કરીને, કેઈને દુઃખી કરીને, કેઈન ભેગે સુખી થવાની મનેવૃત્તિ એ હરગીઝ મિત્રતાનું ચિહ્ન નથી. માટે ચૌદ લેકના સકલ ઓ પ્રત્યે મારી મિત્રતા છે. હું કઈને ય વૈરી નથી, hઈને ય દુશ્મન નથી. મારાં સુખ-દુઃખ એ મારાં પોતાનાં જ કર્મોનું ફલ છે. સહુ સુખી થાઓ, સહુ ન્યાયી થાઓ, સહુ કલ્યાણના માર્ગને અનુસરે.
મૈત્રીગુણથી ક્ષમાને ગુણ વિકાસ પામે છે, નમ્રતા પણ આવે છે, સરલતા પણ પ્રાપ્ત થાય છે અને સંતોષ પણ અનુભવી શકાય છે. જેમકે બધા જ મિત્ર છે, ત્યાં કોના પર કેધ ? શા માટે કોધ? જ્યાં બધા સમાન છે, ત્યાં અભિમાન કેવું ? અને શા માટે? જ્યાં મિત્રતા વર્તે છે, ત્યાં જુદાઈ કેવી ? કપટ કેવું ? અને જ્યાં બધા સમાન છે, ત્યાં તેની પાસેથી કઈ પણ વસ્તુ લેવાની તૃષ્ણ રહેતી નથી. તાત્પર્ય કે ધાદિ કષાયે આ ભૂમિકા પર બલરહિત થઈ જાય છે, તેથી ચિત્તવૃત્તિનું શેપન થાય છે, એટલે જે સાધક આ કક્ષાએ પહોંચ્યું હોય, તે ક્રોધ કરતા નથી, પણ ગમે તે સ્થિતિમાં શાંત જ રહે છે, પિતાનાં રૂપ, ગુણ કે એશ્વર્યનું અભિમાન કરતું નથી, પણ નિરભિમાન રહે છે, તે કઈ પણ જાતની કપટકિયા કરવાનું વલણ ધરાવતે
Page #485
--------------------------------------------------------------------------
________________
૩૭૬
સામાયિક-વિજ્ઞાન નથી, પણ સરલતાને જ સજે છે અને તેની પાસે કઈ પણ જાતની માલ-મિલકત ન હોય કે સાધને અપર્યાપ્ત હેય, તે પણ તે સંતોષનું પરમ સુખ અનુભવે છે. એને કઈ વાતનું દુઃખ હોતું નથી કે કઈ પ્રત્યે કઈ પ્રકારને. અણગમે હોતું નથી. કેઈ પણ સ્થિતિમાં તે આનંદ જ માણે છે, શાંતિ અનુભવે છે અને અપૂર્વ સામર્થ્યને સ્વામી હોઈ પિતાના આત્મા સિવાય કેઈની પણ અપેક્ષા રાખતા નથી.
તેથી જ જૈન ધર્મમાં સર્વ જી સાથે મૈત્રી રાખવાને પ્રબલ અનુરોધ કરાય છે અને ક્ષમાપના–સ્વરૂપે તેને આચારમાં પણ સ્થાન અપાયેલું છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ભાવના શબ્દનું મૂળ શેમાં છે! ઉત્તર-ભાવ શબ્દમાં. જે ભાવવામાં આવે તે ભાવના. પ્રશ્ન–ભાવ એટલે ?
ઉત્તર–ભાવ એટલે વિચાર, મરણ, ઈચ્છા, રુચિ, ઉલ્લાસ, ગુણ વગેરે. તાત્પર્ય કે એના અર્થો અનેક છે.
પ્રશ્ન-તેમાંથી કે અર્થ ભાવનામાં ઊતર્યો છે?
ઉત્તર-તેમાંથી વિચાર અને સ્મરણ એ બે અર્થે ભાવનામાં ઉતરેલા છે.
પ્રશ્નતે શી રીતે ?
ઉત્તર-જે ભવૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર વિચારવામાં આવે, તે ભાવના. અથવા જેના પુનઃ પુનઃ સ્મરણ વડે આત્મા મોક્ષાભિમુખ થાય, તે ભાવના.
Page #486
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ' સેવન–૨
668
પ્રશ્ન-ભાવના વસ્તુરૂપે શુ છે ?
ઉત્તર-શુભ વિચારવાળી એક પ્રકારની મનોવૃત્તિ. વિશેષતાથી કહીએ તેા જે મનેાવૃત્તિ શુભ વિચારવાળી હાય અને આત્માને મોક્ષના અભિલાષી બનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સચમસાધના પ્રત્યે દોરી જતી હોય તેને ભાવના જાણવી.
પ્રશ્ન-આવી ભાવના એક હાય તેા ન ચાલે ? તેના આર જેટલા પ્રકારે શા માટે?
ઉત્તર–જો એક ભાવનાથી કામ ચાલતું હોત તે તેના વધારે પ્રકારો પાડવામાં આવત નહિ, પણ અનુભવે એમ સમજાયું કે મનના જુદા જુદા પ્રકારનાં વિપરીત વલણાને સાનુકૂલ કરવા હાય તે ભાવનાઓ જુદા જુદા પ્રકારની જોઇએ. એ રીતે બાર ભાવનાઓનુ આયેાજન થયું અને તે કાર્ય સાધક નીવડતાં તેના પ્રચાર થયેા.
પ્રશ્ન-શું બધાં શાસ્ત્રામાં ખાર ભાવનાઓનાં નામ આ પ્રમાણે મળે છે?
ઉત્તર—ના. કોઇકમાં ફરક પણ આવે છે. પરંતુ પ્રથમના નવ નામેામાં કે તેના ક્રમમાં કશો ફેર નથી. તે પછીનાં નામ અને ક્રમમાં થોડા ફેર આવે છે. દાખલા તરીકે અહીં યોગશાસ્ત્ર વગેરેના આધારે રજૂ થયેલી નામાવલિમાં
(૧૦) ધર્મ સ્વાખ્યાત ભાવના, (૧૧) લેાકસ્વરૂપભાવના,
Page #487
--------------------------------------------------------------------------
________________
સામાયિક–વિજ્ઞાન.
(૧૨) આધિદુલ ભ ભાવના છે, ત્યારે નવતત્ત્વપ્રકરણમાં અપાયેલી ગાથાઓ અનુસાર (૧૦) લેાકસ્વભાવભાવના,
(૧૧) ધિદુભભાવના, (૧૨) અર્હ દ્દુ ભભાવના છે. આમાં લોકસ્વરૂપ અને એધિદુભ ભાવનાના ક્રમમાં ફેર છે અને ધર્માં સ્વાખ્યાતભાવનાના નામમાં ફેર છે; પણ તેમાં તાત્ત્વિક તફાવત નથી. ધર્માં સ્વાખ્યાતભાવનામાં સગ ભગવંતોએ ધમ સારી રીતે કહેલા છે, એટલે તેનુ શરણ અંગીકાર કરવાની ભાવના કરવાની છે, જ્યારે અબ્દુલ ભ ભાવનામાં ધર્મના સાધક–ઉત્પાદક-ઉપદેશક એવા અરિહંત આદિની પ્રાપ્તિ પણ મહાદુલ ભ છે, એમ વિચારી તેમનુ શરણુ સ્વીકારવાનુ છે અને તેમણે ઉપદેશેલા ધમાં શ્રદ્ધાન્વિત થવાનુ છે. અહી અરિહંતની સાથે ગણધર, કેવલી, પ્રત્યેકબુદ્ધ, પૂર્વધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાય ને પણ દુર્લભ માની તેમના પ્રત્યે ભક્તિવંત થવાનું છે અને તેમની પર પરા દ્વારા જે ધમ પ્રાપ્ત થયા, તેને નિષ્ઠાપૂર્વક અનુસરવાના છે, એટલે તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં ખાસ તફાવત નથી.
૩૭૮
પ્રશ્ન-શરીરને અનિત્ય ચિતવતાં તેના તરફ ઉપેક્ષા થાય અને એ રીતે આરોગ્ય અગડે, એ સ`ભવિત ખરું કે નહિ ?
ઉત્તર–શરીરને અનિત્ય ચિતવવુ ચેાગ્ય છે, પણ તેના તરફ ઉપેક્ષા કરી તેનુ સ્વાસ્થ્ય બગડે, આરાગ્ય કથળે એવી.
Page #488
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનું સેવન-૨
૩૭૯ :
સ્થિતિ ઊભી કરવી ચેાગ્ય નથી, કારણ કે એ સ્થિતિમાં ધર્મ, અધ્યાત્મ કે ચેોગની સાધના યથાર્થ પણે થવાના સંભવ નથી. શરીર અનિત્ય છે, માટે તેને ફિટાડવું નહિ, તેની પાછળ પાગલ બનવુ નહિ, પણ સયમ, તપ વગેરે વડે તેને કાબૂમાં રાખવું અને તેનુ સ્વાસ્થ્ય જાળવી રાખવુ.
પ્રશ્ન-અશરણ ભાવના એક પ્રકારની હતાશા તે ન જન્માવે ?
ઉત્તર-અશરણ ભાવના આ સંસારની સાચી સ્થિતિ શું છે? તેનો ખ્યાલ આપે છે. જે આપણને ખરેખર શરણુ આપી શકે એવા નથી, તેને આપણે શરણ્ય માની બેઠા છીએ અને જે ખરેખર શરણ આપી શકે એવા છે, તેના તરફ આપણું લક્ષ્ય નથી. આ ભાવના તેમાં સંગીન સુધારા કરે છે અને આપણને સાચા શરણ્ય પ્રત્યે લઈ જાય છે કે જેનું શરણ સ્વીકારતાં દરેક પ્રકારની હતાશાના અંત આવે છે અને પરમપદપ્રાપ્તિની મહાન આશાના સૂર્ય સોળે કળાએ ચમકવા લાગે છે.
પ્રશ્ન-શું સંસારમાં કઈં જ સાર નથી ?
ઉત્તર-મહુજન્ય ભ્રમને લીધે સંસારમાં સાર દેખાય છે, પણ જ્ઞાનષ્ટિએ તેમાં કઈ સાર નથી. જેનુ` આખરી પરિણામ દુઃખ, શેક અને સંતાપમાં આવે, તેમાં સાર શી રીતે મનાય? દુઃખ, શેક અને સંતાપનું નિવારણ કરવા માટે તેા ધમ અધ્યાત્મ-યોગને માગ ગ્રહણ કરવાના છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૮૦
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-આત્માનું એકલપણું ન ચિંતવીએ તે ન ચાલે?
ઉત્તર-હું એકલે આવ્યો છું ને એકલે જવાને છું, તેથી મારા આત્માનું હિત કરી લેવું જોઈએ.” એ - વિચાર દઢ થયા વિના વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી કે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકાતું નથી, તેથી આત્માનું એકલપણું ચિંતવવાની જરૂર છે.
પ્રશ્ન-સ્વજન, પરિવાર, ધનદોલત તે સ્પષ્ટપણે જુદા દેખાય છે, એટલે તેનાથી અન્યત્વ માની શકાય, પણ દેહ,
ઈદ્રિ અને મન તે આત્મા સાથે જોડાયેલા છે, તેને અન્ય - શી રીતે મનાય?
ઉત્તર-દેહ, ઈન્દ્રિયે અને મન કર્મના સંગે આત્મા સાથે જોડાયેલા છે, પણ વાસ્તવમાં તે જડ હેવાથી આત્માથી અન્ય છે, ભિન્ન છે. જે તે ભિન્ન ન હોય તે સદા આત્માની સાથે રહે, પણ ભવાંતરમાં આમાંની કોઈ વસ્તુ સાથે આવતી • નથી, તે બધી યે અહીં જ પડી રહે છે, માટે તેને આત્માથી અન્ય માનવી, એ બરાબર છે.
પ્રશ્ન-જે શરીર અશુચિનું ઘર જ હોય તે આપણે તીર્થકર ભગવંતના શરીરને શા માટે પૂજીએ છીએ ?
ઉત્તર-શરીર અશુચિનું ઘર છે, એમાં તે કઈ શંકા જ નથી. આપણે પોતે પ્રતિપળ તેને અનુભવ કરીએ છીએ. તીર્થકર ભગવંતના શરીરની વાત જુદી છે, કારણ કે તે
ગસિદ્ધ મહાત્મા હોવાથી તેમના મલ, મૂત્ર, ઘૂંક, પેશાબ વગેરે પણ ઔષધિરૂપ હોય છે. વળી તેમણે એ શરીર વડે
Page #490
--------------------------------------------------------------------------
________________
ભાવનાઓનુ સેવન ર
૩૮૧
સામાયિકના જેવા સર્વ શ્રેષ્ઠ રાજ્યેાગની સાધના કરી કેવલજ્ઞાન અને કેવલદન પ્રાપ્ત કર્યા. તથા લાખા મનુષ્યને ધર્માંપદેશ કરી તેમનું કલ્યાણુ કર્યું, તેથી એ શરીર પૂજવા યેાગ્ય ગણાયું છે. તીર્થંકર ભગવતનાં નવ અ ંગાની પૂજા થાય છે, તે દરેકનુ મહત્ત્વ શ્રી વીરવિજયજી મહારાજે નવ અંગપૂજાના દુહામાં સારી રીતે બતાવ્યુ છે, એટલે અહી તેનું વિવેચન કરતા નથી.
પ્રશ્ન-સવર અને નિર્જરા ભાવનાની વિશેષતા શી છે ? ઉત્તર-સામાયિકયેાગની સાધનામાં જે કંઇ કરવા જેવું છે, તેની પૂરી રૂપરેખા તેમાં આવી જાય છે. જ્યારે યાગ શબ્દની વિશેષ પ્રસિદ્ધિ ન હતી, ત્યારે જૈનેની યાગ પ્રણા લિકા મુખ્યત્વે સંવરમાગ તરીકે ઓળખાતી હતી. આજે પણ ઘણા સામાયિકને સંવર તરીકે ઓળખે છે.
પ્રશ્ન-સવર અને નિર્જરાની ભાવના પુષ્ટ કર્યાં પછી ધર્મની ભાવના પુષ્ટ કરવાની જરૂર રહે ખરી ?
ઉત્તર-હા. સવર અને નિરા કરતાં ધર્મ ભાવનાનુ ક્ષેત્ર ઘણું વિશાલ છે અને તે મેાક્ષસાધનાના દરેક અંગાને પુષ્ટિ આપે છે, તેથી ધર્મ ભાવનાની-ધર્મ સ્વાખ્યાતભાવનાની ખાસ જરૂર છે.
પ્રશ્ન-લેક એટલે વિશ્વ, જગત કે દુનિયાના સ્વરૂપ વિષે આજે ઘણા વિવાદ છે, એટલે તેના સ્વરૂપનું ચિંતન ન કરીએ તે ?
Page #491
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સામાયિક-વિજ્ઞાન
ઉત્તર–લેકના સ્વરૂપ વિષે પહેલાં પણ મતભેદ હતા, - આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાને, કારણ કે એ વિષય ઘણે રહસ્યમય છે. આમ છતાં તેને સ્વરૂપચિંતનનું વિધાન કરાયું છે, એટલે આપણે માટે તે વિહિત છે. આ પ્રમાણે લેકવરૂપનું ચિંતન કરવાથી આપણા મનમાં તેનું
એક ચિત્ર ખડું થાય છે અને તેમાં શ્રદ્ધાન્વિત થતાં તેનું ડિહોળાણ અટકી જાય છે, તેથી લકસ્વરૂપભાવનાનું ચિંતન પણ જરૂરી છે.
પ્રશ્ન-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી લાભ ?
ઉત્તર-બધિને અતિ દુર્લભ ચિંતવવાથી તેને શીઘ પ્રાપ્ત કરી લેવાને ઉત્સાહ જાગે છે અને તેથી આધ્યાત્મિક વિકાસની પ્રગતિને અને વેગ મળે છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
આત –રૌદ્રધ્યાનના ત્યાગ
સમત્વની–સમભાવની સાધના માટે જે સાધના કે ઉપાચાના ક્રમ નિયત થયેલા છે, તેને આપણે અનુસરી રહ્યા છીએ. તેમાં પ્રથમ ઉપાય તરીકે અધ્યાત્મની વિસ્તૃત વિચારણા કરી ગયા અને બીજા ઉપાય તરીકે મારી ભાવનાની વિગતા ઝીણવટથી તપાસી ગયા. હવે ત્રીજા ઉપાય ધ્યાન પર આવીએ.
ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એવી છે કે ‘ ચાયતે વિતે વચનેનેતિ ધ્યાનમ્ । જેનાથી વસ્તુનુ ચિંતન કરાય, તેને ધ્યાન કહેવાય. અહી સ્પષ્ટતા એટલી કે વસ્તુના સામાન્ય ચિંતનને ધ્યાન કહેવાતું નથી, પણ જેના વડે ચિત્તની સ્થિરતા થાય, એવા ધારાદ્ધ કે સતત ચિંતનને ધ્યાન કહેવાય છે.
જ્ઞાનની પ્રક્રિયામાં જેમ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી હાય છે, તેમ ધ્યાનની પ્રક્રિયામાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી હોય છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનારી વ્યક્તિ; ધ્યેય એટલે ધ્યાનનું આલેખન અથવા જેનું ધ્યાન ધરવાનુ છે, તે વસ્તુ
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૮૪
સામાયિક–વિજ્ઞાન.
અને ધ્યાન એટલે ધ્યેયની સિદ્ધિ અર્થે ધ્યાતા દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ પ્રવૃત્તિ. જો ધ્યાતા ન હેાય તે। ધ્યાન કાણ ધરે ? જો ધ્યેય ન હેાય તેા ધ્યાન શેનુ ધરાય ? અને ધ્યાતા વિદ્યમાન હેાય તથા ધ્યેય નિશ્ચિત હાય, પણ ધ્યાનની ક્રિયા યથાર્થ રીતે થાય નહિ, તે ધ્યાન શી રીતે સંભવે ? તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી માનવામાં આવી છે. અહી એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં આ ત્રિપુટી એક થઈ જાય છે, કારણ કે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનને કશો ભેદ રહેતા નથી, પર ંતુ ધ્યાનના વિષય સમજવા માટે આ ત્રિપુટી કામની છે, તેથી અહી તેના નિર્દેશ કરવામાં આવ્યે છે.
ધ્યાનના મુખ્ય બે પ્રકારે છે : (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાનના બે પ્રકારે છેઃ (૧) આ ધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. તથા શુભધ્યાનના પણ બે પ્રકાર છે: (૧) ધર્મધ્યાન. અને (ર) શુકલધ્યાન. જ્યાં ચતુર્વિધ ધ્યાનના ઉલ્લેખ આવે, ત્યાં આ ચાર ધ્યાના સમજવાનાં છે.
આ ચાર પ્રકારનાં ધ્યાનામાં આધ્યાન અને રૌદ્રધ્યાન ઘણા કર્મબંધનાં કારણેા છે અને એ રીતે સંસારસાગરમાં અતિ ઢીકાલ સુધી રખડાવનારાં છે, તેથી તે હેય એટલે ોડવા ચાગ્ય-ત્યાગ કરવા ચેાગ્ય મનાયેલાં છે. તાત્પર્યં કે જેને ધમ પરાયણ થવું છે, આધ્યાત્મિક વિકાસ કરવા છે કે સામાયિક ચેાગની સિદ્ધિમાં આગળ વધવુ છે, તેણે તે આ બંને ધ્યાનાના ત્યાગ અવશ્ય કરવા જ જોઈ એ.
Page #494
--------------------------------------------------------------------------
________________
અર્તિ-રૌદ્રધ્યાનને ત્યાગ
૩૮૫ આર્તધ્યાન અને રૌદ્રધાનને ત્યાગ તેમનું સ્વરૂપ સમજ્યા વિના થાય નહિ, તેથી પ્રથમ તેમનું સ્વરૂપ સમજી લઈએ. અતિ એટલે પીડા તેનાથી જે ધ્યાન ઉત્પન્ન થાય, તે આર્તધ્યાન તેના ચાર પ્રકારે માનવામાં આવ્યા છેઃ (૧) અનિષ્ટ વસ્તુસંયોગ-આર્તધ્યાન. કઈ પણ અનિષ્ટ વસ્તુ આવી પડતાં તે દૂર કયારે થાય ? તેનું સતત (ધારાબાદ્ધ) ચિંતન કરવું તે. (૨) ઈષ્ટવિયેગ-આર્તધ્યાન. કઈ પણ ઈષ્ટ કે મનને અનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિ તન કરવું અથવા તે તેના વિચાગના વિચારથી સૂવું તે. (૩) પ્રતિવેદના-આધ્યાન શારીરિક પીડા માનસિક પીડા કે કેઈરેગની ઉત્પત્તિ થતાં તેને દૂર કરવાનું સતત ચિંતન કરવું તે. (૪) ભેગલાલસા આd ધ્યાન-ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરે અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે. આર્તધ્યાન છોડવાનો અર્થ એ છે કે આ ચારે ય પ્રકારના યાન છેડવા જોઈએ.
સમજણ ખીલવવામાં આવે અને સત્સંગ રાખવામાં આવે તે આ ધ્યાને છોડવાનું કામ અઘરું નથી, પણ લોકોને મિટો ભાગ અજ્ઞાનમાં ડૂબેલે છે અને સત્સંગની દરકાર કરતો નથી, એટલે ત્યાં આ ધ્યાનનું સામ્રાજ્ય વ્યાપેલું છે.
આર્તધ્યાનને વશ પડેલે મનુષ્ય એમ વિચારે છે કે હું દુઃખી છું, બિચારે છું, બાપડો છું, મારું આ જગતમાં કેઈ નથી ! અરેરે શું થવા બેઠું છે? આવી રીતે મારાથી શી રીતે જીવાશે ?” તેથી તે હતાશ થાય છે. વધારે સ્પષ્ટ સા. વિ. ૨૫
Page #495
--------------------------------------------------------------------------
________________
3८४
સામાયિક-વિજ્ઞાન કહીએ તે આ પ્રકારના સ્થાનથી–આ પ્રકારના ચિંતનથી તેનું ખમીર તૂટી જાય છે અને તે વ્યાવહારિક કે ધાર્મિક કઈ પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લઈ શકતા નથી.
અહીં તેણે એવા વિચાર કરવા જોઈએ કે “મારો પુય જબરો, એટલે મને દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ મળે, આર્યદેશ મળે, પાંચ ઈન્દ્રિયની પૂર્ણતા મળી, દીર્ઘ આયુષ્ય + મળ્યું અને અતિ ઉત્તમ એવા જૈન કુલની પ્રાપ્તિ પણ થઈ. વળી હું કે બડભાગી કે મને અરિહંત દેવ મળ્યા, નિગ્રંથ ગુરુ મળ્યા અને સર્વ કથિત મંગલ મય ધર્મ મળે ! જે હું આ સામગ્રીને યથાર્થ ઉપગ કરું તે ભયાનક ભવસાગર અવશ્ય તરી જાઉં.
મારી પાસે સંપત્તિ ઓછી છે, સાધનો ટાંચાં છે, તે એક રીતે સારું જ થયું. એટલે પરિગ્રહ, એ છે, તેટલું પાપ છું. મારે જીવવા માટે આથી વધારે શું જોઈએ ? ધન-સંપત્તિ, માલ-મિલક્ત તથા કુટુંબ-પરિવાર બધું અહીં જ પડી રહેવાનું છે, તેથી તેમાં મેહગ્રસ્ત થવું ઉચિત નથી.
હું અનંત જ્ઞાન અને અનંત શક્તિવાળો આત્મા છું અને ધારું તે સકલ વિશ્વને ડોલાવી શકું તેમ છું, તેથી મારે નિરાશ થવાની-હતાશ થવાની જરૂર નથી. હે આત્મન ! 1 x કેટલાક મનુ ગર્ભાવસ્થામાં જ મરી જાય છે, તે કેટલાક જમ્યા પછી થોડા જ વખતે મરી જાય છે, એ દષ્ટિએ પચીસપચાસ વર્ષનું આયુષ્ય પણ દીર્ઘ છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
આર્ત–શૈદ્રધ્યાનને ત્યાગ
૩૮૭ તું વીર થા અને બધી બાજી સુધારી લે. તારા જેવી હાલતમાંથી અનેક મનુષ્યએ ઉન્નતિ સાધી છે, તે હું કેમ ઉન્નતિ સાધી નહિ શકું?
કેટલાક એમ માને છે કે “આવા વિચાર કરવાથી શું થાય ?” પણ વિચારેની અસર આપણું જીવન પર અવશ્ય થાય છે. જે વિચારે સારા હોય તે તેની અસર સારી થાય છે અને ખરાબ હોય તે ખરાબ થાય છે. તેથી જ કહેવાયું છે કે “યાદશી માલના ચચ, સિદ્ધિમતિ તાદશી” જેની જે પ્રકારની ભાવના–વિચરાધારા હેય, તેની તે પ્રમાણે સિદ્ધિ થાય છે. અમે સંક૯પસિદ્ધિ ગ્રંથમાં આ વસ્તુ અંગે ઘણું વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું.
હવે ચારે ય પ્રકારના આર્તધ્યાનને કમશઃ વિચાર કરીએ. શેઠ અણગમતા મળ્યા, નેકર અણગમતે મળે, ઘર અણગમતું મળ્યું, પડેશ અણગમતે મળે, વસઆભૂષણ અણગમતાં મળ્યાં કે કેઈ અણગમતી વ્યક્તિએ નજીક આવી ધામા નાખ્યા, તે તે ક્યારે દૂર થાય ? એ વિચારમાં આત્મા ચડી જાય છે અને અકરમીનો પડિયે કાણે”. “જ્યાં જાય ઉકે ત્યાં સમુદ્ર સૂકે ” વગેરે ઉક્તિઓ યાદ કરી તે વિષાદ કે દુઃખને અનુભવ કરવા લાગે છે. તેને આપણે પ્રથમ પ્રકારનું અનિષ્ટ વસ્તુવિયેગ-આર્તધ્યાન સમજવું જોઈએ, કારણ કે તેમાં અનિષ્ટ વસ્તુને વિયેગ કેમ થાય ? તેનું ચિંતન સ્થિરતા પકડે છે. અહીં એમ વિચારવું ઘટે કે મનુષ્યને બધું પુણ્યાઈ પ્રમાણે મળે છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સામાયિક-વિજ્ઞાન. મારી જે જાતની ગ્યતા હતી, તે પ્રમાણે મને મળ્યું. એમાં મારે ખોટું લગાડવું શા માટે ? દુઃખને અનુભવ કરે શા માટે ? વળી સમય સમયનું કામ કરે છે. એટલે
ગ્ય સમય આવશે, ત્યારે બધું ઠીક થઈ જશે. મનગમતું થઈ જશે, તેથી આ બાબતમાં મારે કંઈ પણ વિમાસણ કરવાની જરૂર નથી.
પ્રિયજનનું મૃત્યુ થતાં કે સંપત્તિ—અધિકાર ચાલ્ય. જતાં અથવા અતિપ્રિય વસ્તુ ખવાઈ જતાં શોક-સંતાપ કરો એ બીજા પ્રકારનું ઈષ્ટવિયોગ-આર્તધ્યાન છે. પ્રિય જનનું મૃત્યુ થતાં મન-હૃદયને આઘાત લાગે, એ સ્વાભાવિક છે, પણ તે માટે વિલાપ કરવાથી કે ઝરવાથી શું વળવાનું છે? એ વિચારવાનું છે. શું નાના પ્રકારના વિલાપ કરવાથી કે અત્યંત ઝૂરવાથી મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન થાય છે ખરી? કે પલકમાંથી પાછી આવે છે ખરી? જે જન્મે છે, તે અવશ્ય મરે છે. મૃત્યુ કેઈને છોડતું નથી. મહાપુરુષે પણ એક દિવસ ચાલ્યા ગયા. તે સામાન્ય માનવીની વાત શી ? આવા આવા વિચારે કરી મનને શાંત સ્વરથી રાખવું ઘટે છે.
ધનનાશને પ્રસંગે ઉપસ્થિત થતાં ઘણા માણસો શક-સંતાપ કરવા લાગે છે અને એ રીતે આર્તધ્યાનમાં ચડી જાય છે. તેનાથી લાભ તે કશે થતું નથી, ઊલટું શરીર બગડે છે, મનની સ્વસ્થતા ઓછી થઈ જાય છે અને નિત્ય નિયમમાં પણ ખલનાઓ થવા લાગે છે. કેટલાક
Page #498
--------------------------------------------------------------------------
________________
આ-રૌદ્રધ્યાનના ત્યાગ
૩૮૯
મનુષ્યા આવા પ્રસંગે અફીણ ઘેાળે છે, વિષપાન કરે છે કે બીજી કોઇ રીતે જીવનના અંત આણે છે, તે ઈચ્છવા યોગ્ય નથી. આવી રીતે અપમૃત્યુ પામનારની ગતિ અગડે છે અને ભવભ્રમણ વધે છે. આવા પ્રસંગે સુજ્ઞ મનુષ્યોએ એમ વિચારવું ઘટે કે ‘ લક્ષ્મી સ્વભાવે અતિ ચંચલ છે, તે કદી કરીને ઠામ બેસતી નથી. આજે આ ઘર, તા કાલે પેલું ઘર, એમ સ્થાન અઠ્ઠલ્યા જ કરે છે. મોટા મોટા રાજાએ તથા ધનકુબેરને પણ તેણે હાથતાલી આપી દીધી, તે આપણે કાણુ માત્ર ! જ્યાં સુધી પુણ્ય તપતું હતું, ત્યાં સુધી તે સાથે રહી અને પુણ્યના ભડાર ખૂછ્યો કે તે ચાલતી થઈ, તા શોક-સંતાપ કરવાથી શું? જો હિમ્મત હારીશુ તા આ જીંદગીમાં ફરી કદી ઊંચા આવીશું નહિ, એટલે હિમ્મત રાખીને સારા દિવસની રાહ જોવી, એ જ આપણા માટે શ્રેયસ્કર છે.
અતિ પ્રિય વસ્તુ ખાવાઈ જતાં, ચારાઈ જતાં કે ઝુંટવાઈ જતાં માણસાને ઘણું લાગી આવે છે, પરંતુ ત્યાં પણ શાકસંતાપને આશ્રય ન લેતાં ધૈય'નું અવલ ́ખન લેવું અને મનને સ્વસ્થ રાખવું, એ જ હિતાવહ છે.
આ કાયા અનેક પ્રકારના રાગેાથી ભરેલી છે. તેમાંથી કયારે કેવા રોગો ફૂટી નીકળશે ? તે કહી શકાતું નથી. સનત્કુમાર ચક્રવતીની કાયા કંચનવરણી હતી, છતાં ચેડી જ વારમાં તેમાંથી સોળ મહારોગા ફૂટી નીકળ્યા અને તે કદરૂપી મની ગઈ ! તેથી તેને શેક–સ`તાપ કરવા નકામે
Page #499
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન છે. શારીરિક કે માનસિક પીડા ઉત્પન્ન થતાં “અરેરે ! વય
ય! બાપલિયા મરી ગયો !” વગેરે શબ્દો બોલવા માંડીએ તે એ વેદના અનેક ગણી વધી જાય છે. આવા વખતે જે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહરં સ્તોત્રમાં મનને જોડી દઈએ અને તેની ગણના કરવા લાગીએ તે એ પીડાની કંઈ પણ અસર થતી નથી. આ વસ્તુ અમે અનેક વાર અનુભવેલી છે. આમાં જરૂર છે માત્ર વિચારોનું વહેણ બદલવાની. તે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહરં સ્તોત્રમાં મનને જોડી દેતાં અવશ્ય બદલાય છે.
અમે એવા મનુષ્યને જોયા છે કે જેમને કેન્સર અથવા બીજા ભારે દર્દો લાગુ પડ્યા હોય, છતાં મુખમાંથી એક પણ અરેકારો નીકળે ન હોય. તેમને મળીએ ત્યારે મુખ પર પૂર્વવત્ શાંતિ અને સ્વસ્થતાનાં જ દર્શન થાય અને વાતચીત પણ ખૂબ જ વ્યવસ્થિત કરે. તેમના જીવનમાંથી આપણે બેધ લઈએ તે પ્રતિકૂવેદના નામના ત્રીજા આર્તધ્યાનમાંથી બચી શકીએ અને એ રીતે ભારે કર્મબંધનમાંથી ઉગરી જઈએ.
ભેગની તીવ્ર લાલસાથી પણ મનુષ્યના મનમાં અજપઅશાંતિ જાગે છે અને “મને અમુક પ્રકારની ભેગસામગ્રી ન મળી” તેને વિષાદ કે તેનું દુઃખ પણ થાય છે. આને આપણે ચોથા પ્રકારનું ભેગલાલસા આર્તધ્યાન સમજવું જોઈએ. કેટલીક વાર તે મનુષ્ય અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવા માટે પિતાના તપ-જપ પણ હેડમાં મૂકી દે છે, એટલે કે
Page #500
--------------------------------------------------------------------------
________________
આર્ત- ધ્યાનને ત્યાગ નિયાણું બાંધે છે અને એ રીતે આર્તધ્યાનની ચુંગાલમાં આવી જાય છે. જે કામભોગની નિસારતા સમજાય તે તેને માટે મન તલસે નહિ કે તે મેળવવાને દઢ સંકલ્પ કરવામાં આવે નહિ. તેથી જરૂરનું એ છે કે કામગની નિઃસારતા ચિંતવવી. તે માટે “રાગ છેડો” પ્રકરણમાં ભગવાન મહાવીરની જે વાણી આપી છે, તેના પર વારંવાર ચિંતન-મનન કરવું.
આટલા વિવેચન પરથી આર્તધ્યાનને ત્યાગ શા માટે કરવું જોઈએ ? તે સમજાયું હશે. હવે રૌદ્રધ્યાન પર આવીએ. રૌદ્ર એટલે ભયંકર પરિણામમાંથી જે ધ્યાન પ્રકટ થાય, તેને રૌદ્રધ્યાન કહેવાય. તેના પણ ચાર પ્રકારે મનાયેલા છે, તે આ પ્રમાણે (૧) હિંસાનુબંધી-રૌદ્રધ્યાન હિંસા સંબંધી સતત ચિંતન કરવું તે. (૨) અમૃતાનુબંધીરોદ્રધ્યાન-અમૃત એટલે અસત્ય કે જૂઠ. તે સંબંધી સતત ચિંતન કરવું તે. (૩) યાનુબંધી રોદ્રધ્યાન-તેય એટલે અદત્તાદાન કે ચેરી. તે સંબંધી સતત ચિંતન કરવું તે. (૪) વિષયસંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન-વિષયભોગની સામગ્રીનું રક્ષણ કરવા સતત ચિંતન કરવું તે. કેટલાક ગ્રંથમાં આ ચાર ધાનેને અનુક્રમે હિંસાનંદ રૌદ્રધ્યાન, અમૃતાનંદ-રૌદ્રધ્યાન, ચૌર્યાનંદ રૌદ્રધ્યાન તથા સંરક્ષણાનંદરૌદ્રધ્યાન પણ કહેવામાં આવ્યાં છે. અનુબંધ આનંદ કે રસને આભારી છે, એટલે તેમાં કઈ તાત્વિક તફાવત નથી. રૌદ્રધ્યાન છેડવાનો અર્થ એ છે કે આ ચારે ય પ્રકારનાં રૌદ્રધ્યાને છોડવાં જોઈએ,
Page #501
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
જો શાસ્રશ્રવણુ, સત્સંગ આદિથી સમજણ સુધરે તે આ ધ્યાના જરૂર છેડી શકાય, પણ આજે કેટલા મનુષ્યા સજ્ઞપ્રણિત શાસ્ત્રોનુ શ્રવણ કરે છે? કેટલા મનુષ્ય સાધુમહાત્માઓ કે જ્ઞાનીઆના સંગ કરે છે? ‘બહુ થોડા’ એ તેના ઉત્તર છે અને તેથી જ સમાજના મોટા ભાગ પર આ ધ્યાનનું પ્રભુત્વ છે.
૩૯૨
અહી એટલી સ્પષ્ટતા કરી દઈ એ કે આ ધ્યાન અને ૌદ્રધ્યાન એ બે જોડિયા ધ્યાના છે, એટલે કે જ્યાં આધ્યાન હાય, ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપે રૌદ્રધ્યાન આવી જાય અને જ્યાં રૌદ્રધ્યાન હાય, ત્યાં કોઇ ને કોઈ સ્વરૂપે આ ધ્યાન પણ આવી જાય. જો આ ધ્યાન નહિ તેા રૌદ્રધ્યાન નહિ અને રૌદ્રધ્યાન નહિ તે આ ધ્યાન પણ નહિં. દુઃખ, નિરાશા કે હતાશામાંથી માણસને ક્રેાધ જન્મે છે, એટલે કે તેના પિરણામા રૌદ્ર અને છે અને તે હિંસા, જૂ, ચારી વગેરે પ્રવૃત્તિઓ કરવા તત્પર બને છે. તે જ રીતે રુદ્ર બનીને હિંસા, જૂઠ, ચોરી વગેરે ભયંકર કર્યાં કરનારા આખરે આ ખની જાય છે અને દુઃખના નિસાસા નાખવા લાગે છે.
મહમ્મદ ગીઝનીએ સાત વાર ભારત પર ચડાઈ કરી હતી અને અનેક પ્રકારનાં ક્રૂર કર્યાં આચરીને પુષ્કળ દોલત એકડી કરી હતી, પણ જ્યારે અંતસમય આવ્યો ત્યારે તે હીરા-માતી, સુવણુ આદિના ઢગલા પર બેસીને પાકે ને પાકે રાવા લાગ્યા કે અરેરે ! આમાંનું મારી સાથે કંઈ પણ નહિ આવે ? શું હું ખાલી હાથે જ ચાલ્યા જઇશ અને
Page #502
--------------------------------------------------------------------------
________________
આર્ત-રૌદ્રધ્યાનને ત્યાગ
૩૩ તેણે જવાની વખતે પિતાના હાથ સહ દેખે તેમ ખુલ્લા રાખવા સૂચન કર્યું હતું !
હવે રૌદ્રધ્યાનના આ ચારે ય પ્રકારોને કમશઃ પરિચય કરીએ. પિતાના હાથે કે બીજાના હાથે એક જીવને કે જીવના સમુદાયને પીડા કરવી, કદર્થના કરવી કે તેમને નાશ કરે અને તેમ કરીને આનંદ પામવે, એ પ્રથમ પ્રકારનું હિંસાનુબંધી કે હિંસાનંદ રૌદ્રધ્યાન છે. કેટલાક માણસોને સ્વભાવ જ એ નિર્દય બની ગયે હોય છે કે તેઓ જાણી જોઈને જીવોને પિડા કરે છે, સામા જ ઘણું ઘણું રિબાય-દુઃખી થાય, તેવી કદર્થના કરે છે અને છેવટે તે જેને મારી પણ નાખે છે; અને તેમ કરીને તે રાજી થાય છે, ખુશી થાય છે, હર્ષ પામે છે કે બીજા આગળ બડાઈ હાંકે છે. તેમની આસપાસનું વાતાવરણ પણ એવું જ હોય છે કે જ્યાં તેમને ઘડીભર શાંતિથી વિચાર કરવાનું સૂઝે નહિ. જે તેઓ બુદ્ધિ વાપરી વિચાર કરે તે જરૂર સમજે કે નાનું સરખે કાંટો વાગતાં મને ઘણું દુઃખ થાય છે, તે જેમને હું ભાલા–બરછીથી વધું છું, જેમનાં હું છા કે તલવાર વડે જુદાં જુદાં અંગે કાપી નાખું છું કે જેમને હું જીવતા ભડભડાટ અગ્નિમાં હેમી દઉં છું, તેમને કેટલું દુઃખ થતું હશે? મારા સ્વાર્થ કે શેખ ખાતર પ્રાણીઓની આ રીતે હિંસા-કર્થના કરવી યોગ્ય નથી.
ઈન્દ્રિય તથા મનની તૃપ્તિ કરવારૂપ સ્વાર્થ સાધન માટે અસત્ય વચનને આગળ કરી સામા અને નાશ થાય,
Page #503
--------------------------------------------------------------------------
________________
૩૯૪
સામાયિક–વિજ્ઞાન
ત્યાં સુધીની પ્રવૃત્તિ કરવી અને તેમાં આનંદ માનવા, એ બીજા પ્રકારનું અમૃતાનુબંધી કે અમૃતાનંદ નામનું રૌદ્રધ્યાન છે. જાડુ ખેલી ખીજાને છેતરવા, નુકશાનમાં ઉતારવા તથા અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ધકેલી દેવા, એ એક પ્રકારના દુષ્ટ વ્યવહાર છે. કેટલાક મનુષ્યા તેા પેાતાના પાંચ રૂપિયાના ફાયદા માટે જા હું મેલીને સામાને પાંચ હજારના નુકશાનમાં ઉતારતાં પણ અચકાતા નથી, તેમનું હૃદય કેવું કેટલું કઠોર હશે ? સ્વાર્થ સાધના માટે અસત્ય શાસ્ત્રોની રચના કરી લેાકાને ઠગવા અને તેમને અનુચિત લાભ લેવા, એ પણ એટલું જ નિ ંદ્યકૃત્ય છે. જાડી સાક્ષી આપીને સામાનો કેસ લેા કરવા, અનાવટી દસ્તાવેજો તૈયાર કરીને કોઈ પર ખાટા સો કરવા કે બનાવટી પત્રા યા ચિત્રા ઊભા કરીને કોઇને ફસાવી દેવા, એ પણ ઘણુ' અધમ કૃત્ય છે. તાત્પર્ય કે આ પ્રકારનાં કામેા કરતાં તેની વિચારધારા ચાલે છે, તે સ''ધી વારંવાર ચિંતન કરવું પડે છે તથા કોઈ વાર પાતાના સાગરીતો સાથે મળી લખાણ મસલતપૂર્વક કાવતરાં પણ ઘડવાં પડે છે. તે બધાને સમાવેશ આ બીજા પ્રકારના રૌદ્રધ્યાનમાં સમજવા.
ચોરી કરવાના વિચારો કરવા, તેની યાજનાએ ઘડવી, તે પાર પાડવામાં મશગુલ રહેવું, અને તેમાં વિઘ્ન કરનારના નાશ કરી આનંદ પામવા, એ ત્રૌજા પ્રકારનું સ્તેયાનુબંધી કે ચૌર્યાનંદ નામનુ રૌદ્રધ્યાન છે. ચારીના અનેક પ્રકારો છે, જે વિજ્ઞાનના વધવા સાથે નવા આપ–નવા આકાર પામી
Page #504
--------------------------------------------------------------------------
________________
આ રૌદ્રધ્યાનને ત્યાગ
૩૯૫
રહ્યા છે. સીનેમાની ફિલ્મ જોઇને સારા ઘરના છેકરાએ કે વાનોએ ચારી કર્યાના કિસ્સાઓ વમાનપત્રમાં છપાઈ રહ્યા છે. આ બધુ શુ ખતાવે છે? આપણા મહાપુરુષોએ ધર્મ અને અધ્યાત્મના પ્રચાર વડે લેાકજીવનમાં નીતિનું જે ચણતર કર્યું હતું, તે આજે કડડભૂસ થઈ રહ્યું છે ! ‘માલિકે આપ્યા વિના કોઇ વસ્તુ આપણાથી લેવાય જ નહિ, ' એ આપણે! દૃઢ સંસ્કાર હતા અને તેથી આપણે ત્યાં ચારી નામની જ હતી. કોઇ વ્યક્તિ કુસંસ્કારને લીધે એ રસ્તે ડી જતી તે! સમાજ તેની નફરત કરતા અને તેને તરત જ ઠેકાણે લાવી દેવાના ઉપાય અજમાવતા. આજે ચારીનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને મડ-મદિરા જેવી સંસ્થા પણ તેના શિકાર બની રહી છે, તેા બીજાનું પૂછવું જ શું? ચારીને મહાન દુર્ગુણ તથા ક્રુતિને દરવાજો માનીને તેનાથી દૂર રહેવામાં જ આપણું શ્રેય છે. જેણે ચારી છેડી છે, તેને ચારી કરવાના વિચારો આવે જ નહિ કે તે સંબંધી ચિંતન કરવાને પ્રસંગ ઉપસ્થિત થાય જ નહિં, તેથી સુજ્ઞજનાએ જીવનભર કદી કોઈ પ્રકારની ચોરી નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈ એ.
લડાઈ એ લડીને,
ઘણા આરંભ–સમારંભ કરીને, ઘણી તેમજ ઘણા જીવાના ઘાત કરીને જે ધન, પશુ તથા સ્ત્રી વગેરે વિષયભાગની સામગ્રી રાણુ અંગે સતત ચિંતા કરવી, યાજના ઘડવી તથા પ્રસંગ
ધાય, પૃથ્વી, મેળવી છે, તેના
Page #505
--------------------------------------------------------------------------
________________
૩૯૬
સામાયિક-વિજ્ઞાન પષે લડવાની તૈયારી રાખવી, એ ચોથું વિષયસંરક્ષણનુબંધી કે સંરક્ષણનંદ નામનું રૌદ્રધ્યાન છે.
જે મનુષ્યએ વિષયભેગમાં જીવનની સાર્થકતા માની છે, તેમને વિષયભેગની સામગ્રી એકત્ર કરવામાં એક પ્રકારને આનંદ આવે છે. તે માટે તેઓ ગમે તેવાં સાહસ ખેડવા તૈયાર થાય છે અને વખત આવ્યે શત્રુસમૂહ કે કે વિરુદ્ધ પક્ષ સાથે લડી પણ લે છે. તેમને આ સામગ્રી પરત્વે અત્યંત મમત્વ બંધાય છે અને તેમાંથી કઈ કંઈ લઈ ન જાય તે માટે તકેદારી રાખે છે, એટલે તેમને આ સામગ્રી સંરક્ષણના વિચાર આવ્યા જ કરે છે અને એ રીતે તેઓ આ ચેથા પ્રકારના રૌદ્રધ્યાનના ભંગ બને છે. પ્રથમ તો ઘણે આરંભ–સમારંભ કરીને જરૂર કરતાં વધારે ધન-ધાન્ય કે માલ મિલકત મેળવવી એ ખોટું છે. પછી તેના રક્ષણ માટે હિંસા, અસત્ય, જૂઠ વગેરેને આશ્રય લે એ પણ છેટું છે. એના કરતાં મનુષ્ય સંતોષવૃત્તિ કેળવીને જરૂર જેટલું જ મેળવવું અને તેમાં આનંદ પામવે, એ ડહાપણભરેલી નીતિ છે. એ પ્રમાણે વર્તનારને આ પ્રકારના ૌદ્રધ્યાનને પ્રસંગ આવતે જ નથી, અથવા તે ભાગ્યે જ આવે છે.
આટલા વિવેચન પરથી રૌદ્રધ્યાનના ચારે ય પ્રકારનું સ્વરૂપ સમજાયું હશે. આપણે જીવ તેને પનારે પડી ના જાય, એ ખાસ જોવાનું છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
૩૦૭
આર્ત-રૌદ્રધ્યાનને ત્યાગ
આત અને રૌદ્રધ્યાનને ત્યાગ ધર્મયાનને માર્ગ મોકળો કરી આપે છે કે જેને પરિચય આપણે આગામી પ્રકરણમાં કરીશું.
પ્રશ્નોત્તરી પ્રશન–ધ્યાન એ શું છે? ઉત્તર-એક પ્રકારની કિયા. પ્રનિ-તેની ગણના શેમાં થાય છે? ઉત્તર–અત્યંતર તપમાં. પ્રનિ–અત્યંતર તપમાં શા માટે ?
ઉત્તર–તેનાથી આત્માની વિશેષ પ્રકારે શુદ્ધિ થાય છે માટે તેની ગણના અત્યંતર તપમાં થાય છે. છ પ્રકારનાં અત્યંતર તપમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ થયેલ છે. જેમકે
पायच्छित्तं विणओ, वेयावच्च तहेब सज्झाओ। झाणं उपग्गोवि अ, अभिलरओ तवो होइ॥
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ, એ છ અત્યંતર તપ છે.”
પ્રશ્ન-શું બધા થાનેની ગણના અત્યંતર તપમાં થાય છે ?
ઉત્તર-ના. અશુભ ધ્યાન એટલે આતયાન અને રૌદ્રધ્યાનની ગણના અત્યંતર તપમાં થતી નથી. તેનાથી તે આત્મા વધારે અશુદ્ધ-મલિન–અપવિત્ર બને છે. જ્યારે શુભ
Page #507
--------------------------------------------------------------------------
________________
૩૯૮
સામાયિક-વિજ્ઞાન ધ્યાન એટલે ધર્મસ્થાન અને શુકલધ્યાનની ગણના અત્યંતર તપમાં થાય છે.
પ્રશ્નકેટલાક સ્થળે માત્ર ધ્યાન શબ્દનો જ પ્રયોગ કરેલ હોય છે, ત્યાં શું સમજવું ?
ઉત્તર- ઉપાદેયના અધિકારે દયાન શબ્દ પ્રયોગ થયેલ હોય તે ત્યાં શુભ થાન સમજવું અને હેયના અધિકારે ધ્યાન શબ્દ પ્રયોગ થયેલ હોય તો ત્યાં અશુભ ધ્યાન સમજવું.
પ્રશ્ન-ભાવનામાં અને ધ્યાનમાં ફેર છે ?
ઉત્તર-ભાવનામાં ભાવવૃદ્ધિ કે વિચારશુદ્ધિ નિમિત્તે ચિંતન હોય છે, પણ તે એકધારું હોતું નથી. જ્યારે
ધ્યાનમાં એકધારું ચિંતન હોય છે કે જેનાથી મન અમુક વખત સ્થિરતા અનુભવે છે.
પ્રનિ-શું આધ્યાન અને રૌદ્રધ્યાનમાં પણ ચિત્ત સ્થિરતા અનુભવે ખરું ?
ઉત્તર- હા. તેમાં પણ ચિત્ત ચોંટી જાય, લીન થાય, એટલે સ્થિરતા અનુભવે, પણ એ સ્થિરતા વિશેષ કમને ખેંચનારી-આત્મા સાથે બંધ પમાડનારી હોય છે.
પ્રશ્ન–આવી સ્થિરતા કેટલે વખત રહે?
ઉત્તર–વધારેમાં વધારે અંતમુહૂર્ત, એટલે કે અડતાલીશ મીનીટ.
Page #508
--------------------------------------------------------------------------
________________
આર્ત-ૌદ્રધ્યાનને ત્યાગ
૩૯૯ પ્રશ્ન-પછી સ્થિરતા ન થાય ?
ઉત્તર–પછી સ્થિરતા થાય ખરી, પણ અડતાલીશ મીનીટ પૂરી થયે ચિંતનનો વિષય બદલાય અને ત્યાર પછી પાછો મૂળ વિષય શરૂ થઈ તેના પર સ્થિરતા–એકાગ્રતા જામે. ધ્યાનપરાયણ મહાપુરુષને અનુભવ આ પ્રકારને છે.
પ્રશ્ન-દુઃખી માણસે દુઃખના વિચાર કરે, એમાં ખોટું શું ?
ઉત્તર-દુખના વિચારે કરવાથી દુઃખ વધારે લાગે છે અને પરિણામે નિરાશા, નાસીપાસી કે હતાશા જન્મે છે, તેથી દુઃખી માણસે પણ દુઃખના વિચારો કરવા ગ્ય નથી. તેણે એ દુઃખ ઓછું થાય, એવા વિચાર કરવા જોઈએ. જૈન શાસ્ત્રો અને સદ્ગુરુ તેનું શિક્ષણ આપે છે.
પ્રશ્ન-દુઃખના કેઈ વિચારો આવી જાય, તો તે આર્ત ધ્યાન ગણાય ?
ઉત્તર-ના. છૂટક વિચારેની ગણના થાનમાં થતી નથી. જ્યારે દુઃખના વિચારની ધારા કે દુઃખના વિચારને પ્રવાહ ચાલે, ત્યારે તેની ગણના આર્તધ્યાનમાં થાય. રૌદ્રધ્યાનમાં પણ આમ જ સમજી લેવું.
પ્રશ્ન-પ્રિયજનનું મૃત્યુ થયું હોય અને આપણે શેક -સંતાપ પ્રકટ ન કરીએ તે દુનિયા શું કહે ?
ઉત્તર-પ્રથમ વિચાર આપણું કર્તવ્યને કરવાને દુનિયાને વિચાર પછી કરવાને. જે આવા પ્રસંગે આર્તધ્યાન કરવું ઈષ્ટ ન માનતા હોઈએ તે ન જ કરવું. આપણા બીજા
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૦૦
સામાયિક-વિજ્ઞાન
વ્યવહારો પરથી દુનિયા સાચી પરિસ્થિતિ સમજી લેશે. લોકલાજે આપણે ઘણા ચે ખેાટા રિવાજોને પાષણ આપ્યુ છે, પણ હવે તેને હિમ્મતથી છોડવા જોઇએ.
પ્રશ્ન-વેદના ઘણી ભારે હાય અને સહન થઈ શકતી ન હૈાય તે શું કરવું ?
ઉત્તર-તેના ઉપાય આ પ્રકરણમાં ખતાવેલા જ છે. એ વખતે મનને નમસ્કારમંત્ર, ઉવસગ્ગહર સ્તત્ર કે કોઇ પણ ષ્ટિમંત્રમાં જોડી દેવું, એથી વેદના જરૂર ભૂલાઈ જશે અથવા તે અતિ હળવી બની જશે. આ પ્રયોગ અમે કર્રલે છે તથા બીજી વ્યક્તિએ પાસે કરાવેલેા છે અને તેમાં સફલતા મળેલી છે.
પ્રશ્ન–પણ મન એમાં ચેટે જ નિહ તા ?
ઉત્તર-આવા પ્રસંગે ખીજા પાસે મત્ર કે સ્તેાત્ર ખ શુદ્ધિ અને ભાવપૂર્વક બે લાવવા. વૈરાગ્યમય સ્તવન સજ્ઝાયાને પણ તે માટે ઉપયાગ થઈ શકે. આજે તે એ પ્રકારની રેકર્ડી પણ મળે છે, તેના લાભ પણ લઇ શકાય.
પ્રશ્ન-વર્ષા સુધી જપ-તપ કરવા છતાં અપ્રાપ્ત ભાગને ભાગવવાની લાલસા કેમ જાગતી હશે ?
ઉત્તર-જ્યાં સુધી મેાહનીય કમ નો ક્ષય થયા ન હેાય ત્યાં સુધી કોઇ પ્રખલ નિમિત્ત મળી જતાં તેના સંસ્કારે જાગ્રત થાય છે અને આવુ પરિણામ આવે છે. તેથી મુખ્ય ધ્યાન મેાહનીયકમ નો ક્ષય કરવા તરફ આપવાનુ છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
આર્ય-રૌદ્રધ્યાનના ત્યાગ
૪૦૧
પ્રશ્ન-આ જગતની ઘણી ખરાખી તેા હિંસા, જૂઠ અને ચારીથી થાય છે, તેને અટકાવા માટે શું કરવુ જોઇએ ? ઉત્તર-તે માટે ત્યાગી-વૈરાગી મહાપુરુષો દ્વારા ધર્મના સચોટ ઉપદેશ અપાવે! જોઈ એ અને તેને લગતા સાહિત્યનુ સર્જન–પ્રકાશન તથા તેને વ્યવસ્થિત પ્રચાર કરવા જોઇએ.
Page #511
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ]
ધર્મ ધ્યાનને અભ્યાસ
ચાર પ્રકારના ધ્યાનામાં બે છેડવા ચેોગ્ય છે અને એ આદરવા ચેાગ્ય છે. તેમાંથી એ ઠાડવા ચાગ્ય ધ્યાના અ ંગે ગત પ્રકરણમાં વિસ્તૃત વિચારણા થઈ ગઈ. જ્યાં સુધી આ એ અશુભ ધ્યાનેા છૂટે નહિ, ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ થવા અશકય છે. એ પગમાં લેખડની ભારે એડીએ પડી હાય તેા પ્રવાસ થઈ શકે ખરા ? અથવા ગળામાં પત્થરની એ માટી શિલાએ બાંધી હોય તે તરી શકાય ખરું? આ ધ્યાન તથા રૌદ્રધ્યાનને લાખડની એડી કે પત્થરની શિલા જેવા જ સમજો. સામાયિકમાં આ બે અશુભ ધ્યાનાના ત્યાગ કરવાની તાલીમ મળે છે, એ તેની વિશેષતા છે, પરંતુ આ તાલીમ પૂરેપૂરી સફલ તા ત્યારે જ થાય કે જ્યારે તેની સામે ધર્મ ધ્યાનની ધ્વજા ફરકવા લાગે. તેથી સામાયિકમાં સ્વાધ્યાયના આદેશપૂર્વક ધમ ધ્યાનના અભ્યાસ કરવા આવશ્યક છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઇએ કે ધમ ધ્યાનના
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૦૩
ધર્મધ્યાનનો અભ્યાસ અભ્યાસ સામાયિક સિવાયના કાલમાં પણ અનુકૂલ સમયે અને અનુકૂલ સ્થાને થઈ શકે છે. “ગળ તે જ્યારે ખાઈએ ત્યારે ગળે લાગે” એની માફક ધર્મધ્યાન જ્યારે પણ કરીએ, ત્યારે તેનું પરિણામ સુંદર આવે છે, એટલે કે તેનાથી સંયમ અને તપની વૃદ્ધિ થાય છે અને કર્મરૂપી કટક દમ દબાવીને ભાગવા માંડે છે.
જેનો આત્મા અધ્યાત્મથી રંગાયે હેય અને ભાવનાએના સેવન વડે સારી રીતે શુદ્ધ થયેલ હોય, તે ધર્મ – ધ્યાન સારી રીતે કરી શકે છે અને તેમાં ઝડપથી આગળ વધી શકે છે. અમે પૂર્વ પ્રકરણોમાં આધ્યાત્મ અને ભાવના અંગે જે વિવેચન કરેલાં છે, તેના પરથી પ્રજ્ઞાવંત પાઠકને આ વસ્તુને ખ્યાલ જરૂર આવી ગયા હશે.
ધર્મસંબંધી જે દયાન, તે ધર્મધ્યાન. પરંતુ ધર્મ શબ્દથી શું સમજવું, તે વિચારણીય છે. આ જગતમાં ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે થયેલી છે, તેમાં જૈન મહર્ષિઓએ ધર્મની વ્યાખ્યા આ પ્રકારે કરેલી છે: “જે પ્રાણીએને દુર્ગતિમાં જતાં ધારી રાખે, એટલે કે રેકે અને સદ્ગતિમાં સ્થાપન કરે, તે ધર્મ કહેવાય. ધર્મ શબ્દ છું ધાતુ પરથી બનેલું છે અને તે ધારણાને અર્થ બતાવે છે, તે પરથી તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી છે. હવે સર્વજ્ઞ ભગવંતોએ જે ધર્મ કહ્યો છે, તે આ પ્રકારનું છે, એટલે આપણે તેને જ સત્ય માનીને ચાલવાનું છે અને
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૦૪
સામાયિક-વિજ્ઞાન તે સંબંધી જે એકાગ્ર ચિંતન કરીએ, તેને ધર્મધ્યાન સમજવાનું છે.
જેમ આર્તધ્યાનના ચાર પ્રકારો છે. રૌદ્રધાનના ચાર પ્રકારો છે, તેમ ધર્મધ્યાનના પણ ચાર પ્રકારે છે અને શુકલધ્યાનના પણ ચાર પ્રકારે છે. આ રીતે ચાર આંક ધ્યાનમાં પ્રતિષ્ઠા પામેલ છે. થાનના આ પ્રકારે જવાનું મુખ્ય કારણ તે એ છે કે તેમાં ચિંતન કરવા યંગ્ય પદા
નું વ્યવસ્થિત ચિંતન થઈ શકે. આપણે તેના પર જ મુખ્ય લક્ષ્ય આપીએ અને ભળતા તર્કોથી બચીએ. | ધર્મધ્યાનના ચાર પ્રકારે આ પ્રમાણે સમજવાઃ (૧) આજ્ઞાવિચયધર્મધ્યાન – જિનેશ્વર ભગવંતાની આજ્ઞા અંગે એકાગ્ર ચિંતન કરવું તે. (૨) અપાયવિચયધર્મધ્યાન-રાગ-દ્વેષ અને ક્રોધાદિ કષાયથી થતા અપાયે સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. (૩) વિપાકવિયધર્મધ્યાન -કર્મના શુભાશુભ વિપાક સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. અને (૪) સંસ્થાનવિચયધર્મધ્યાન – સંસ્થાન એટલે લેકના સ્વરૂપ સંબંધી એકાગ્ર ચિંતન કરવું તે. | ધર્મધ્યાનના આ ચાર પ્રકારે પિકી પ્રથમ આજ્ઞાવિય. ધર્મધ્યાનને પરિચય મેળવીએ.
અહીં એમ ચિંતન કરવું ઘટે કે “આ વો ” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરવામાં જ ધર્મ રહે છે. એ આશા બહારનું કેઈ પણ કામ કરવું એ ધર્મ નથી, બલકે અધર્મ છે. શ્રી જિનેશ્વદેવ સર્વસ,
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૦૫
ધર્મધ્યાનને અભ્યાસ અને સર્વદશી હતા, વળી તેમને આ જગતમાં કઈ પણ જાતને સ્વાર્થ ન હતું, એટલે તેઓ કદી અસત્ય બેલે નહિ. તેમણે ધર્મસંબંધી જે ઉપદેશ આપે છે, ધર્મસંબંધી જે આજ્ઞા કરી છે, તે કેવલ લેકહિતાર્થે કરી છે, એટલે મારા માટે તે છેલ્લો શબ્દ છે. મારે તેને પર પુનઃ પુનઃ ચિંતન કરવું જોઈએ અને તેમાં પૂરેપૂરા શ્રદ્ધાન્વિત થવું જોઈએ.
“તે સર્વે તે નિરસ નિહિં પરૂચં–તે સત્ય છે અને તે નિઃશંક છે કે જે શ્રી જિનેશ્વરદેએ કહેલું છે. એટલે મારા હૃદયના તાર તારમાં તે વણાઈ જવું જોઈએ. તેમાં સ્વને પણ શંકા થવી ન જોઈએ.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ યુક્તિથી બાધા ન પામે એવી છે, પૂર્વાપર વિધ વિનાની છે, સર્વનું હિત કરનારી છે અને સર્વના કલ્યાણ માટે યોજાયેલી છે. વળી તે પાપરહિત છે, પૂર્ણ પવિત્ર છે, મહાન અર્થવાળી છે, સર્વ સંશને છેદનારી છે અને ઉત્કૃષ્ટ મંગલમય છે, તેથી તેને શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં જ મારું નિતાન્ત કલ્યાણ છે.
અહીં એમ પણ વિચારવું ઘટે કે લાગવાને જીવ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણું લેવાની આજ્ઞા કરી છે, તે પ્રમાણે મેં એ બે તત્ત્વનું સ્વરૂપ જાણું લીધું ખરું? ભગવાને પાપ, આશ્રવ અને બંધ, એ ત્રણ તત્ત્વનું સ્વરૂપ જાણીને તેને છેડવાનું કહ્યું છે, તે મેં એ ત્રણ તનું સ્વરૂપ બરાબર જાણ્યું ખરું ? અને તેમને છેડ્યાં ખરાં ?
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૬
સામાયિક-વિજ્ઞાન.
ભગવાને મેાક્ષ સામે નજર રાખીને સવર અને નિર્જરા એ બે તત્ત્વોની સમજણપૂર્વક આરાધના કરવાનું કહ્યું છે, તે; હું એ એ તત્ત્વાની સમજણપૂર્વક આરાધના કરું છું ખરો ?
.
ભગવાને જ્ઞાન અને ક્રિયા અનેથી મેાક્ષ કહ્યો છે, તેથી જ્ઞાનની આરાધના અનન્ય મને કરવી જોઇએ, તે હું કર છું ખરો ? ન કરતા હાઉ તે શા માટે ? શું તે માટે સાધને નથી ? સગવડ નથી ? ગુરુના ચાગ નથી ? કે મારા પોતાના જ નિ યની ખામી છે ? હે જીવ ! ભગવાનની આજ્ઞા માથે ચડાવીને તું જ્ઞાનમાર્ગનો પ્રવાસી અને. વળી ક્રિયામાં પણ તારી કચાશ ઘણી છે! તારી દરેક ક્રિયા અમૃતાનુષ્ઠાનરૂપ થવી જોઇએ, તે થાય છે ખરી? અશુદ્ધિ, અવિધિ, અજ્ઞાન તથા પ્રમાદ ખ ંખેરીને તું ક્રિયાકુશલ ખન, રે ક્રિયાકુશલ બન !
ભગવાનની આજ્ઞા છે કે સ્વભાવમાં સ્થિર રહેવું અને વિ-ભાવથી બચવું, તે પ્રમાણે હે જીવ! તું સ્વભાવમાં સ્થિર રહે છે ખરા ? રહે છે તે કેટલા વખત ? પછી વિ– ભાવમાં કેમ સરકી પડે છે? શું એ તારે માટે ચાગ્ય છે? છેવટે તે તારે સ્વભાવમાં જ સ્થિર થવાનું છે, તેા અત્યારથી જ તેને અભ્યાસ કેમ ન કર !
ભગવાને વસ્તુનું સ્વરૂપ સમજવા માટે નય, નિશ્ચેષ, સપ્તભ’ગી વગેરેની પ્રરૂપણા કરી છે, તેનું રહસ્ય હે જીવ ! તું સમજ્યા ખરા ? ન સમજ્યા તે કયારે સમજીશ ? ભગવાને નિરપેક્ષ વચના એલવાના નિષેધ ફરમાવ્યો છે અને સાપેક્ષ વચના ખેલવાની આજ્ઞા ફરમાવી છે, છતાં હું જવ ! તારાથી
Page #516
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૦૭
નિરપેક્ષ વચનવ્યવહાર થઈ જાય છે, તે સાવધ થા અને હવે પછી સાપેક્ષ વચનવ્યવહાર કરવાની પૂરી કાળજી રાખ
આમ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આગળ કરીને જૈન સિદ્ધાંતમાં પ્રરૂપાયેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ સંબંધી એકાગ્ર ચિંતન કરતાં આજ્ઞાવિયધર્મ ધ્યાન થાય છે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે જૈન સિદ્ધાંત એટલે જિનાગમો અને તેને અનુસરીને રચાયેલાં અન્ય ધર્મશા. તેમાં જે વસ્તુઓનું નિરૂપણ થયું છે, તેને પૂર્વાચાર્યોએ ચાર ભાગમાં વિભક્ત કરેલ છે. જેમ કે (૧) દ્રવ્યાનુયોગ–તેમાં છ દ્રવ્ય, નવ તો, સાત ને, ચાર નિક્ષેપ તથા સ્યાદ્વાદ વગેરે સંબંધી સાધક–આધક અનેક પ્રકારની વિચારણાઓ છે. અહીં અનુગ શબ્દ વ્યાખ્યા કે વિવેચનને સૂચવનાર છે. (૨) ગણિતાનુયેગ-તેમાં ભૂવલય તથા આકાશ સંબંધી અનેક વસ્તુઓનું માપ બતાવવા માટે અનેક પ્રકારની ગણિત-પ્રક્રિયામાં સંગ્રહિત છે. (૩) ચરણ કરણનુગ-તેમાં ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે કિયા, તાત્પર્ય કે ધાર્મિક આચાર વિચારેને લગતા અનેક પ્રકારના ઉપદેશે તથા આદેશને સંગ્રહ થયેલ છે. અને (૪) ધર્મસ્થાનોમ-તેમાં ધર્મને બોધ પમાડવા માટે અનેક કથાઓ, દષ્ટાંતે, વાર્તાઓ આદિનો સંગ્રહ થયેલ છે. આ ચારે ય અનુગમાં દ્રવ્યાનુગ વધારે મહત્વનું છે અને તેમાંની અનેક વસ્તુઓને આ ધ્યાનને વિષય બનાવી શકાય એમ છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૦૮
સામાયિક-વિજ્ઞાન હવે બીજા અપાયરિચયધર્મધ્યાન પર આવીએ. અહીં એમ ચિંતન કરવું ઘટે કે આત્મા મૂલ સ્વરૂપે તે આનંદમય છે, આનંદઘન છે, છતાં તેને વિવિધ પ્રકારના અપાયે એટલે કષ્ટ કે દુખ ભોગવવાને પ્રસંગ આવે છે, તેનું મુખ્ય કારણ રાગ, દ્વેષ, કષાય અને આશ્રવ છે.
રાગ રળિયામણો લાગે છે, પણ તે ભયંકર છે. તે કેટલીક વાર દષ્ટિરાગનું રૂપ ધારણ કરી આપણને છળે છે, તે કેટલીકવાર કામરાગનું રૂપ ધારણ કરી આપણને વિષયભેગના ઊંડા ખાડામાં ઉતારી દે છે. તે વળી કેટલીકવાર નેહરાગના વાઘા સજી આપણુ પાસે અન્યાય અને અનીતિનું આચરણ કરાવે છે. રાગ ગમે તે રૂપે આવે, પણ તે પોતાની સાથે કર્મનું કટક લેતે આવે છે કે જે આત્માને ચારે તરફથી ઘેરી લે છે. પરિણામે ભવભ્રમણમાં વધારો થાય છે અને અનેક પ્રકારનાં દુઃખો ભેગવવાં પડે છે.
તેને જોડીદાર દ્વેષ પણ એટલો જ દુષ્ટ છે. તે જ્ઞાનાદિ ગુણરૂપે વૃક્ષોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે અને નિંદા, ઈર્ષા, વૈર આદિ પિતાના સાગરીતોને એવી રીતે ખડા કરી દે છે કે જેને આપણું બધું પુણ્ય લૂંટી લે છે અને પાપના પ્રવાહમાં ધકેલી મૂકે છે. પરિણામે સંસારસાગરમાં દીર્ઘકાલ સુધી પરિભ્રમણ કરવાને પ્રસંગ આવે છે અને તેમાં અનેક પ્રકારના અપાયે-કષ્ટો દુખે. ભેગવવા પડે છે.
ક્રોધાદિ ચાર કષાયે પણ એવા શુભકર્મનું કર્ષણ
Page #518
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૯ કરનારા છે કે જેના પરિણામે અપાય-કષ્ટ-દુખ–શક–સંતાપ સહન કરવાં જ પડે. હે જીવ! ક્રોધ કરનારને ભવિષ્યમાં વાઘ, સિંહ, દીપડા, જરખ, રીંછ વગેરે શિકારી પ્રાણીઓને કે સાપનો અવતાર લે પડે છે અથવા અત્યંત કષ્ટમય એવાં નરકસ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. હે જીવ! માન કરનારને ભવિષ્યમાં અત્યંત હલકાં કુલેમાં જન્મ લેવું પડે છે અને ત્યાં અનેક પ્રકારનાં કષ્ટો ભોગવવાં પડે છે. તે જીવ! માયા કરનારને પણ તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું પડે છે અને ત્યાં અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે. અને હે જીવ! લેભ કરનારની અર્ધગતિને તે કઈ છેડે જ નથી. તે સાતમી નસ્ક સુધી પણ પહોંચાડી દે છે કે જ્યાં ઘણા લાંબા સમય સુધી અકથ્ય દુદખે ભેગવવાનાં હોય છે. શ્રી જિનેશ્વર ભગવાને ધર્મોપદેશમાં આ બધું બતાવ્યું છે, છતાં તું કષા સાથેનો છેડે ફાડી શક્યું નથી, એ કેટલું આશ્ચર્યજનક–ખેદજનક છે?
અપાય કે દુઃખનું મૂલ કારણું કર્મ છે અને એ કર્મો આશ્રવથી આવે છે, એટલે તેના હેતુઓ કે કારણેને તું બરાબર સમજી લે. તેનું પ્રથમ કારણ મિથ્યાત્વ છે. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં કર્મ અવશ્ય આવવાનાં અને તે પિતાને ભાવ ભજવવાનાં. તેનું બીજું કારણ અવિરતિ એટલે વ્રત– નિયમને અભાવ છે. જે ખેતરને વાડ ન હોય તેમાં હરાયા ઢોર પિસી જાય અને તેને ખૂંદી નાખે કે ખાઈ જાય, એમાં આશ્ચર્ય શું? તાત્પર્ય કે જ્યાં વ્રત-નિયમે રૂપી વાડ નથી,
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સામાયિક-વિજ્ઞાન ત્યાં હરાયા ઢેર જે કર્મને સમૂહ અવશ્ય દાખલ થઈ જવાને અને તે સમય આવ્યે પિતાનું કાળું કામ કરવાને.
તેનું ત્રીજું કારણ કષાય છે, તેની વાત ઉપર આવી ગઈ છે તેનું શું કારણ પ્રમાદ એટલે ધ્યેય પ્રત્યેનું દુર્લક્ષ કે આળસ છે. બગીચાના દ્વારે બાગવાન બેઠો હોય, પણ તેનું લક્ષ્ય બીજે હોય તે તેમાં ચેર- મવાલી કે હેરડાંખર પેસી જાય અને ભળતું નુકશાન કરી નાખે, એ દેખીતું છે. તે જ રીતે બાગવાનનું કર્તવ્ય ફૂલછોડને પાણી પાવાનું હેય, તેમાં તે આળસ કરે તે બગીચાની હાલત શી થાય ? તાત્પર્ય કે જ્યાં ધ્યેયહીનતા તથા પ્રમાદ હોય ત્યાં અશુભ : કર્મો આવી પહોંચે છે અને તે ભળતી રંજાડ કર્યા વિના રહેતા નથી.
તેનું પાંચમું અને છેલ્લું કારણ એગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે. જ્યારે આ પ્રવૃત્તિ અશુભ હેય, ત્યારે કર્મબંધનનું કારણ બને છે અને ભવિષ્યમાં અપાય કે કષ્ટરૂપે તેનાં ફલ ભેગવવાં પડે છે. જ્યારે આ પ્રવૃત્તિ શુભ હોય અને ગુપ્તિનું રૂપ ધારણ કરે ત્યારે તે સંવરને એક પ્રકાર બને છે અને કર્મોના આગમનને રોકવામાં અગત્યનો ભાગ ભજવે છે. ' હે જીવ! આ રીતે વર્તમાન તથા ભવિષ્યના અપાયે– કો-દુઃખનું કારણ રાગ, દ્વેષ, કષાય અને આશ્રવને જાણ તેમને તું ત્યાગ કર અને તારે માર્ગ નિષ્કટક બનાવ.
Page #520
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનના અભ્યાસ
૪૧૧
હવે ત્રીજા વિપાકવિયધમ ધ્યાન પર આવીએ. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે :
चतुर्धा कर्मबन्धेन, शुमेनाप्यशुभेन वा । विपाकः कर्मनां जीवैर्भुज्यमानो विचिन्त्यते ॥
6
શુભ અને અશુભ ચાર પ્રકારનાં કમ`બંધન વડે જીવા કર્મીના વિપાક ભોગવી રહ્યા છે, તેનું વિશિષ્ટ ચિંતન કરવુ ( એ વિષાકવિચયધમ ધ્યાન છે. )
તાત્પર્ય કે આ ધ્યાનમાં કના મધ અને તેનાં ફૂલ સંબંધી મુખ્ય વિચારણા કરવાની છે.
અહીં પ્રાસંગિક એટલું જણાવી દઈ એ કે જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ ઘણુ અગત્યનું સ્થાન ધરાવે છે. તેણે જગત અને જીવનનાં ઘણાં રહસ્યાના ઉકેલ તેના દ્વારા જ કરેલો છે. દાખલા તરીકે આ જગતમાં એક રાજા છે, તા બીજો રંક છે; એક શ્રીમંત છે, તે ખીજે ભીખારી છે; એક નીરોગી છે, તે બીજો રોગી છે; એક વિદ્વાન છે, તા બીજો મૂર્ખ છે; એક સ` વાતે સુખી છે, તેા બીજો દરેક વાતે દુઃખી છે. શરીર, રૂપ, રંગ, ખેલીચાલી વગેરેમાં પણ જુદી જુદી પરિસ્થિતિ જોવામાં આવે છે. હવે કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી, એટલે આ વિષમતા કે વિચિત્રતાનું પણ કંઈક કારણ હાવું જોઇએ. એ કારણ તરીકે તેણે કમ ની રજૂઆત કરી છે.
તે જ રીતે આપણે જીવ કે આત્માના સ્વતંત્ર અસ્તિ
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સામાયિક–વિજ્ઞાન
ત્વના સ્વીકાર કરીએ, અર્થાત્ જીવ અને અજીવને જુદા માનીએ, પણ કર્મીની સત્તાના સ્વીકાર ન કરીએ તે પુણ્ય, પાપ આદિ બધાં તત્ત્વા એકડા વિનાનાં મીડાં જેવાં ખની જાય અને મેક્ષ માત્ર કલ્પનાના વિષય બની રહે. શુભ કર્મ તે પુણ્ય, અશુભ કમ તે પાપ. જેનાથી શુભ કે અશુભ કર્મીનું આગમન થાય તે આશ્રવ, જેના વડે કમ અટકે તે સંવર, કર્મીનું અમુક અંશે ખરવું તે નિરા, જીવા કમ સાથે ક્ષીરનીર જેવા પરસ્પર સંબંધ થાય તે અ ંધ અને કર્મીના સથા નાશ થવા, તે મુક્તિ કે મેાક્ષ. હવે આમાંથી કમ કાઢી લઇએ તે ખાકી શુ રહે ? તાત્પ કે અધ્યાત્મવાદ અને મેાક્ષવાદમાં પણ તેણે કર્મવાદને પૂરેપૂરું પ્રાધાન્ય આપ્યુ છે.
આ કમ વાદ પર ઊંડુ-એકાગ્ર ચિંતન કરવાથી ધના મમ સમજાય છે અને ભાવિ વિકાસના માર્ગ મોકળા થાય છે, તેથી ધર્મ ધ્યાનના ત્રીજા પ્રકારમાં વિપાકવિચયને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જ્યાં સુધી કમે પેાતાનુ લ આપ્યુ ન હેાય, ત્યાં સુધી તે સત્તામાં રહેલું ગણાય છે, તે જ્યારે પાતાનું ફલ આપવાની સ્થિતિમાં આવે છે, ત્યારે તેને વિપાક થયેા ગણાય છે અને જ્યારે તે પેાતાનુ ફૂલ બતાવવા લાગે છે, ત્યારે તે ઉદયમાં આવ્યું ગણાય છે. પરંતુ અહી વિષાક શબ્દથી કર્માંનાં ફૂલનુ સામાન્ય સૂચન છે, એટલે કમ ખંધ અને તેના ફલ સંબંધી ચિંતન કરવું ઈષ્ટ છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૧૩ :
ધર્મ ધ્યાનના અભ્યાસ
પણ હાય. એટલે કે
કર્મોના બંધ શુભ પણ હાય અને અશુભ જેવા ખંધુ હાય તેવું ફલ ભાગવવું પડે છે, ક બંધ શુભ પડયા હાય તે તેનું શુભ ફલ ભોગવવુ પડે છે અને અશુભ પડયા હાય તો તેનું અશુભ ફલ ભોગવવુ પડે છે. કર્મ બાંધનારને તેનું ફૂલ ભાગવવું જ પડે છે, તેમાંથી તે છટકી શકતા નથી. કેટલાક મનુષ્યે એમ માને છે કે લાગવગ અને રૂશ્વતથી આ જગતનાં બધાં કામા પાર પડે છે, પણ કના ભોગવટાની ખાખતમાં લાગવગ ચાલતી નથી કે રૂવત કામ આપતી નથી. લાગવગ કાને લગાડે ? રૂસ્થત કાને આપે. ? જે આત્માએ કર્યું છે, તે આત્માને ભોગવવું જ પડે છે, પછી તે આત્મા તી કરના હોય, વસુદેવના હોય, બલદેવના હાય, ચક્રવતી ના દાય કે જગતના કોઈ પણ માન્ય માણસને હાય.
કર્મોની સત્તા અટલ હેાવાથી જ તે ખાંધતી વખતે . ચેતવાનુ છે, વિચારવાનુ છે કે હું જે કઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા રાખું છું, તેનાથી ક ખધન થશે કે કેમ ? જો ક ખંધન થશે તે તે કયા પ્રકારનુ થશે અને તેનાં લેા કયા પ્રકારનાં ભોગવવાં પડશે ? તાત્પર્ય કે કફલની ભયાનકતાના ખ્યાલ આવતાં જ મનુષ્યનું મન કાઈ પણ અશુભ કાર્ય કરતાં પાછું પડે છે, અટકી જાય છે અને તેથી તે મહાન કર્મ બંધનમાંથી બચી જાય છે. જ્યાં કખ ધન નથી, ત્યાં તેના વિપાક કે લની ચિંતા શી ? · અંધ સમય ચિત્ત ચેતિયે, ઉમેશા સંતાપ !” એ પ્રસિદ્ધ
ઉક્તિનું
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૧૪
સામાયિક-વિજ્ઞાન રહસ્ય આ જ છે. જે કર્મ હસતાં હસતાં બાંધ્યાં હેય છે, તે રેતાં રોતાં ભેગવવાં પડે છે, તેથી કર્મ ન બાંધવા એ જ હિતાવહ છે.
કર્મને બંધ ચાર પ્રકારે પડે છેઃ (૧) પ્રકૃતિથી, (૨) સ્થિતિથી, (૩) રસથી અને (૪) પ્રદેશથી. તેમાંથી પ્રકૃતિથી કર્મને સ્વભાવ નિશ્ચિત થાય છે. જેમકે આ કર્મ આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરશે, આ કર્મ આત્માના દર્શન ગુણનું આવરણ કરશે, વગેરે. કર્મની મૂલ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ એકસો ને અવિન મનાયેલી છે. તે આ પ્રમાણે મૂળ પ્રકૃતિ
ઉત્તર પ્રવૃતિઓ નામ
સંખ્યા (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગેત્ર (૮) અંતરાય
نعی
و
س
ه
ه
ه
م
م
૧૫૮ આનો વધારે ખ્યાલ કર્મગ્રંથના અધ્યયનથી આવી .. શકશે. સ્થિતિ એટલે કાલને નિશ્ચય. આ કર્મ આત્મા સાથે
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૧૫
૯
ધર્મધ્યાનને અભ્યાસ કેટલે વખત જોડાયેલું રહેશે, તેને નિર્ણય. દરેક કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે મનાયેલી છેઃ
જઘન્ય સ્થિતિ ઉત્ક સ્થિતિ (૧) જ્ઞાનાવરણીય ૧ અંતમુહૂર્ત ૩૦ કડાકોડી સાગરોપમ (૨) દર્શનાવરણીય ૧ કે ૩૦ (૩) વેદનીય ૧ મુહૂર્ત ૩૦ (૪) મેહનીય ૧ અંતમુહૂર્ત ૭૦ ,, (૫) આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત ૩૦ ,, (૬) નામ ૮ મુહૂર્ત ૨૦ , (૭) ગોત્ર ૮ ,, ૨૦ ) (૮) અંતરાય ૧ અ તમુહૂર્ત ૨૦ ,
કેડાડી સાગરોપમ તે કાલનું ઘણું જ મોટું માપ છે, એટલે બાંધેલું કર્મ ઘણા લાંબા કાલ સુધી સત્તામાં રહે છે, એમ સમજવાનું છે.
રસને અનુભાગ પણ કહે છે. કર્મ બાંધતી વખતે જીવના પરિણામે–અધ્યવસાયે જેવા તીવ્ર–મંદ હોય છે, તે પ્રમાણે તેમાં રસ પડે છે અને તે અનુસાર તેનું ફળ મળે છે. જીવના અધ્યવસાયની તીવ્ર–મંદ પરિસ્થિતિ સમજવા માટે જંબૂવૃક્ષ અને છ પુરુષનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે આપણે ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે.
જબૂવૃક્ષ અને છ પુરુષનું દૃષ્ટાંત છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સામાયિક-વિજ્ઞાન પહેલાએ કહ્યું: “આ જાંબૂડાને તેડી પાડીએ તે મનગમતાં જાંબૂ ખાઈ શકાય.” બીજાએ કહ્યું: “આખા ઝાડને પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તોડી પાડીએ તે આપણું કામ થઈ જશે. ત્રીજાએ કહ્યું: “એમાં ડાળું પાડવાની શી જરૂર છે ? એક મોટી ડાળીને જ તેડી પાડને ? ચેથાએ કહ્યું: “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી. માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તેડી પાડે. પાંચમાએ કહ્યું: “મને તે એ પણ વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબુ ખાવાનું જ કામ છે, તો માત્ર જાંબૂ જ તેડી લે.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું: “ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તે નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, વળી–ડાંખળાને તેડવાની કે તેનાં ફળ પાડવાની ચેષ્ટા શું કામ કરવી ! અહીં ઘણું જાંબૂ પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવે.”
આમાં પ્રથમ પુરુષનો અયવસાય કૃષ્ણલેસ્યારૂપ જાણવે, બીજા પુરુષને અધ્યવસાય નીલલેસ્થારૂપ જાણ, ત્રીજા પુરુ અને અધ્યવસાય કાપલેક્ષારૂપ જાણ, ચોથા પુરુષને અધ્યવસાય પીતલેશ્યરૂપ જાણ, પાંચમાં પુરુષને અધ્યવસાય. પલેક્ષારૂપ જાણો અને છઠ્ઠા પુરુષને અધ્યવસાય શુક્લ લેશ્યરૂપે જાણે. પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ અને પછીની ત્રણ લેશ્યાઓ શુભ ગણાય છે.
અધ્યવસાયની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિએ
Page #526
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૧૭ સરખી લાગવા છતાં વાસ્તવિકતાએ સરખી હોતી નથી. જે અયવસાય તે બંધ એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી, એથી વ્યક્તિને અનુક્રમે નિધિત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. અહીં નિધિત્તથી ગઢ, બદ્ધથી કંઈક ગાઢ અને કંઈક શિથિલ અને ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાનું છે. તાત્પર્ય કે જે કમ ચી– યાચીને બાંધ્યું હોય તેનું ફલ અત્યંત દારુણ હોય છે અને અનિચ્છાએ કે નિષ્કામભાવે બાંધ્યું હોય તો તેનું ફલા નામમાત્રનું જ હોય છે. તે સંબંધમાં જૈન શાસ્ત્ર-સાહિત્યમાં અનેક દાખલાઓ નોંધાયેલા છે.
પ્રદેશ એટલે કર્મવર્ગણાઓને સમૂહ. જ્યારે કર્મ બંધાય છે, ત્યારે કર્મની વર્ગણાઓ કે જે પુદ્ગલસ્વરૂપ છે, તે આત્મા સાથે ક્ષીરનીર ભાવે તાદાસ્યભાવ પામે છે, તે સંબંધ નિર્ણય.
આ રીતે કર્મના બંધ અને તેના વિપાક ફલ સંબંધી વિવિધ પ્રકારે એકાગ્ર ચિંતન કરવાથી વિપાકવિયધર્મધ્યાન થયું ગણાય છે.
હવે ચેથા સંસ્થાનવિચ ધર્મધ્યાન પર આવીએ. અહીં સંસ્થાનથી લેકનું સંસ્થાન–કનું સ્વરૂપ સૂચવાયેલું છે. તે અંગે એકાગ્ર ચિંતન કરવું, એ આ સ્થાનને મુખ્ય વિષય છે. અમે સત્તરમા પ્રકરણમાં અગિયારમી લેકસ્વરૂપભાવનામાં જે કંઈ કહ્યું છે, તે બધું અહીં એકાગ્ર ચિત્ત
સા. ૨૭
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૧૮
સામાયિક-વિજ્ઞાન વિચારવાનું છે. ભગવાન મહાવીર સાધનાકાલમાં ઘણી વખત આકાશ તરફ નજર રાખીને લાંબા સમય સુધી ઊભા રહેતા હતા, તે આ લેકસ્વરૂપભાવના–નિમિત્તે કે સંસ્થાનવિચયધર્મસ્થાન નિમિત્તે ઊભા રહેતા હશે, એવું અનુમાન અસ્થાને નથી. તાત્પર્ય કે ધર્મસ્થાનના અભ્યાસીઓ માટે આ ધ્યાન પણ ઘણું ઉપગી છે.
સામાન્ય ગૃહ કે જે અધ્યાત્મમાં આગળ વધ્યા નથી કે ભાવનાને અનુભવ લઈ શકયા નથી, તેઓ પણ ધર્મનું ચિંતન તે અવશ્ય કરે. ધર્મ કેને કહેવાય ? તેના કેટલા પ્રકારો છે ? તેની આરાધના કઈ રીતે થઈ શકે? એમાંથી હું કેટલી આરાધના કરું છું ?” વગેરે વિચારો કરવાથી મનનું વલણ ધર્માભિમુખ થાય છે, તેમાંથી ધાર્મિક પ્રવૃત્તિને જન્મ થાય છે અને છેવટે ધર્મપરાયણતા આવે છે. સામાયિક, પ્રતિક પણ, પિષધ, જિનદર્શન, જિનપૂજા, ધાર્મિક ઉત્સવ–મહોત્સવ, તીર્થયાત્રા એ બધાને મૂલ હેતુ તે એક જ છે કે જીવનમાં ધર્મભાવનાનું રોપણ કરવું અને તેને કમશઃ વધારતા જવું, એટલે આપણે ધર્મ સામે સતત દષ્ટિ રાખીને બધી પ્રવૃત્તિઓ કરીએ. ધર્મ તારનાર છે, અધર્મ ડૂબાડનાર છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-જીવનમાં ધર્મની આવશ્યકતા ખરી ?
ઉત્તર-હા. જીવનને સુંદર ઘાટ ઘડવા માટે ધર્મની આવશ્યક્તા છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાનને અભ્યાસ
૪૧૦
પ્રશ્ન-જીવનને સુંદર ઘાટ તે કેળવણું કે શિક્ષણથી પણ ઘડી શકાય છે, પછી ધર્મની આવશ્યકતા શી ?
ઉત્તર–કેળવણ કે શિક્ષણથી જીવનને ઘાટ ઘડાય છે, પણ તે બધો વખત સુંદર હોતું નથી. આજે તે કેળવણી કે શિક્ષણથી જીવનને જે ઘાટ ઘડાઈ રહ્યો છે, તે ઘણે બેડોળ છે અને તે જીવનના કેઈ પણ ઉચ્ચ હેતુઓને પૂર્ણ કરી શકે એવું નથી. સારામાં સારી કેળવણી કે સારામાં સારું શિક્ષણ જીવનને જે ઘાટ ઘડી શકે છે, તેના કરતાં ધમ વધારે સુંદર ઘાટ ઘડી શકે છે. ખાસ કરીને અંતરનું સુંદર–પવિત્ર-પ્રશસ્ત ઘડતર કરવા માટે તેના જેવું અકસીર સાધન અન્ય કોઈ નથી.
પ્રશ્ન-ટી અને રહેઠાણ એ આજના માનવજીવનના મુખ્ય પ્રશ્નો છે. તેમાં ધર્મ શું સહાય કરી શકે ?
ઉત્તર—ધર્મનું આરાધન રેટી પણ મેળવી આપે છે અને રહેઠાણ પણ મેળવી આપે છે. તે ઉપરાંત બીજું પણ જે જે જોઈએ તે મેળવી આપે છે. આ વસ્તુ અમે કહી રહ્યા છીએ, એમ ન સમજશે. આપણા પૂર્વાચાર્યોએ આ વસ્તુ ઘણુ વખત પહેલાં કહેલી છે. જેમકે –
धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः । कान्ताराच महाभयाच सततं धर्मः परित्रायते, धर्मः सम्यगुपासितो भवति हि स्वर्गापवर्गप्रदः ।
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૨૦
સામાયિક-વિજ્ઞાન ધર્મના એગ્ય આરાધનથી ઊંચા કુલમાં જન્મ થાય છે, પાંચે ય ઇન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે; સૌભાગ્ય, આયુષ્ય અને બેલની પ્રાપ્તિ થાય છે; વળી ધર્મના આરાધનથી જ નિર્મલ યશની તથા વિદ્યા અને ધનની સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે ધર્મનું આરાધન ઘોર જંગલમાં અને મહાન ભયે ઉપસ્થિત થયે તેના આરાધકનું રક્ષણ કરે છે. ખરેખર! આવા ધર્મની આરાધના જે સમ્યક પ્રકારે કરવામાં આવે તે તે સ્વર્ગ અને મોક્ષનું સુખ આપી શકે છે.”
આજે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર પોતપોતાને ધર્મ ભૂલ્યા છે, તેથી જ રોટી અને રહેઠાણના પ્રશ્નો ઊભા થયા છે. જે તેઓ પોતપિતાને ધર્મ સમજી તેનું પાલન કરવા લાગી જાય તે આ પ્રશ્નો આપમેળે અદશ્ય થઈ જાય. એક વખત ભારતવર્ષમાં દૂધ અને ઘીની ગંગા વહેતી હતી, કારણ કે એ વખતે લોકજીવનમાં ધર્મને રંગ હતા અને તેનું જ આવું શુભ પરિણામ આવ્યું હતું.
પ્રશ્ન-જે ધર્મથી આટલા બધા લાભ થાય છે, તે કેટલાક લેકે તેને અફીણની ઉપમા કેમ આપે છે ?
ઉત્તર–જે લેકેએ ધમને સાચા સ્વરૂપમાં જે નથી, પણ ધર્માભાસને ધર્મ માની લીધેલ છે, તેઓ જ ધર્મને અફીણની ઉપમા આપવા પ્રેરાય છે. તેઓ એમ કહે છે કે અફીણથી માણસને એક પ્રકારનું ઘેન ચડે છે, તેમ ધર્મથી એક પ્રકારનું ઝનૂન પ્રક્ટ છે અને તેથી તેઓ ઝઘડા તથા યુદ્ધો કરવા પ્રેરાય છે. તે માટે તેઓ યુરોપ અને મધ્ય એશિયાના
Page #530
--------------------------------------------------------------------------
________________
ધર્મ ધ્યાનના અભ્યાસ
૪
દાખલાએ રજૂ કરે છે, પરંતુ ત્યાં ધર્મના નામે સંપ્રદાયેના મમત્વનુ જે પાષણ થયુ, તેનાં એ પરિણામે છે. ધર્મ તા મનુષ્યને વિચારશીલ બનાવે છે, એટલે તેનુ' અનૂન ઓસરી જાય છે. વળી તે મનુષ્ય માત્રને ચાહતાં શીખવે છે અને જૈન ધર્મો જેવા આગળ વધેલા ધમેમાં તે પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમની ધારા વહેવરાવવાના આદેશ આપે છે, એટલે તેનાથી કજિયા -કંકાસ તથા ઝઘડા શાંત થાય છે, યુદ્ધની ભાવના દૂર થાય છે. જ્યાં શિવમસ્તુ સર્વજ્ઞાત:-સર્વ જગતનુ ભલુ ચાઓ, એવી ભાવના હાય, ત્યાં આ બધુ સંભવે જ કેમ? એટલે આ પ્રકારના મતગ્યે કે અભિપ્રાયા એકદેશીય અને તથ્યહીન હોઈ તેને કશુ મહત્ત્વ આપવા જેવું નથી.
પ્રશ્ન- અહી ધમ ધ્યાનના પ્રકારો બતાવવામાં વિય શબ્દના પ્રયોગ કેમ કરવામાં આવ્યે છે ?
ઉત્તર કોઈ વસ્તુ શેાધીને એકઠી કરવામાં આવે, તેને વિચય કહે છે. અહીં ભગવાનની ધર્મ સ ંબંધી જે આજ્ઞાએ છે, અપાયના જે હેતુએ છે અને કર્મબંધનનાં કારણો અને કલા છે, તે સંબધમાં શેાધન કરીને તત્ત્વ' તારવવાનું છે અને તેના પર ચિત્તવૃત્તિને સ્થિર કરવાની છે, તેથી અહીં વિચય શબ્દના ખાસ પ્રયોગ કરવામાં આવ્યા છે. પ્રશ્ન-આજ્ઞાવિચયધમ ધ્યાનથી શે લાભ થાય ?
ઉત્તર-આજ્ઞાવિચયધમ ધ્યાનથી જૈન ધર્મ પર અનન્ય શ્રદ્ધા જામે અને તેણે પ્રખેાધેલા અધ્યાત્મવાદમાં આગળ વધવાનો ઉત્સાહ પ્રકટે, જે મન સ`શયરહિત અને છે, તેનામાં
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૨૨
સામાયિક-વિજ્ઞાન ઉત્સાહ અને કૃતિનું પ્રમાણ ઘણું વધી જાય છે. વિશેષમાં ભવનિર્વેદ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે કે જે ભવનિસ્તાર માટે ઉત્તમ સાધને મનાયેલાં છે.
પ્રશ્ન–અપાયવિચયધર્મધ્યાનથી શું લાભ થાય ?
ઉત્તર–અપાયવિચયધર્મધ્યાનથી અપાયનું દુઃખનું મૂલ. સમજાય એટલે પિતાને જે દુઃખ સહન કરવો પડે છે, તે પિોતે જ ઊભાં કરેલાં છે, એ વાત બરાબર લક્ષ્યમાં આવે. અને તેથી એનાં કારણોરૂપ રાગ, દ્વેષ, કષાય તથા આશ્રવનાં કારણે દૂર કરવાની તાલાવેલી લાગે. આ કારણે દૂર થાય એટલે ભાવી અપાયો–દુઃખો સામે પણ પાળ બંધાય અને એ રીતે અનંત-અવ્યાબાધ સુખને માર્ગ મોકળો બને.
પ્રશ્ન-વિપાકવિયધર્મધ્યાનથી શું લાભ થાય?
ઉત્તર–વિપાકવિયધર્મધ્યાનથી કર્મવાદ પરની શ્રદ્ધા. પરિપકવ થાય અને સકલ કર્મમાંથી છૂટી ચિદાનંદ અવસ્થાની મજા માણવાને મને અતિ દઢ બને. જ્યાં કર્મબંધનનાં ફલ નજર સામે તરવા લાગે, ત્યાં કર્મબંધનની પ્રવૃત્તિને પગ ઉખડી જાય, એ સ્વાભાવિક છે.
પ્રશ્ન-સંસ્થાનવિચયધર્મધ્યાનથી શું લાભ થાય ?
ઉત્તર-સંસ્થાનવિચર્યધર્મધ્યાનથી દ્રવ્ય અને તેના પર્યાને ખ્યાલ આવે અને તેથી ગમે તેવાં પરિવર્તનથી પણ મન વ્યાકુલ ન થાય. પરિવર્તન એ તે લેકને–જગતને સ્વભાવ છે, તેમાં હર્ષ શે ? અને શેક શે ? એ. વિચાર આ ધ્યાનથી દઢ થાય છે અને તે આત્માની રાગ-દ્વેષરહિત સ્થિતિ ઉત્પન્ન કરવામાં સહાય કરે છે.
Page #532
--------------------------------------------------------------------------
________________
[૨૨] શુકલધ્યાનને પરિચય
આર્ત અને રૌદ્રધ્યાન અશુદ્ધ છે, ધર્મધ્યાન શુદ્ધ છે અને શુકલધ્યાન વિશુદ્ધ છે. જે વિશેષ કે વિશિષ્ટ શુદ્ધિવાળું હોય તે વિશુદ્ધ કહેવાય. “ ધ્યાનવિચાર ” ગ્રંથમાં શુકલધ્યાનને પરમધ્યાન કહેવામાં આવ્યું છે, કારણ કે તે ઉત્કૃષ્ટ કક્ષાનું છે અને વિશિષ્ટ કોટિના મહાપુરુષે જ ધરી શકે છે. હાલ આપણાં શરીર અને મનની જે અવસ્થા છે, તે જોતાં આપણે શુકલધ્યાન સુધી પહોંચી શકીએ નહિ, શુકલધ્યાન ધરી શકીએ નહિ, એ અભિપ્રાય આચાર્યો દ્વારા છેલ્લાં બે-અઢી હજાર વર્ષોથી પ્રકટ થતો રહ્યો છે, આમ છતાં ભવ્યાત્મા ધીર વીર પુરુષ ધર્મધ્યાનને લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી શુકલધ્યાન ધરવાને મને રથ સેવે અને તે માટે પ્રયત્નશીલ બને તો તેને નિષેધ નથી.
જે શુકલધ્યાનની પ્રબળ ભાવના રાખીને તે માટે પ્રયત્નશીલ બનીએ તે તે માટેની ગ્યતા બીજા ભવે, ત્રીજા ભવે કે તે પછીના કેઈ નજીકના ભવે અવશ્ય મળે
Page #533
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન અને શુકલધ્યાન ધરી શકાય. ખરી વાત એ છે કે વેગ અને ચાનના વિષયમાં એક જ ભવમાં પરિપૂર્ણતા પમાતી નથી. તે માટે ઘણું ભવની તૈયારી જોઈએ છે. ભગવાન મહાવીરે ઘણા ભવથી તૈયારી કરી, ત્યારે જ તેઓ તીર્થંકરના ભવમાં શુકલધ્યાન સિદ્ધ કરી સર્વજ્ઞ અને સર્વ દશી બની શકયા, એટલે શુકલધ્યાન માટેની ભાવના અને તે માટે પ્રયત્ન ઈષ્ટ છે.
શુકલધ્યાન એટલે ઉજજવલ ધાન. તેને ઉજજવલ કહેવાનું કારણ એ છે કે તેમાં વસ્તુના ગુણધર્મનું વ્યાપ અને સંમેહાદિથી રહિત એકાગ્ર ચિંતન હોય છે. શ્રીહરિ– ભદ્રસૂરિએ ધ્યાનશતકની ટીકામાં “જે શેકને દૂર કરે તે શુક્લ” એ અર્થ કર્યો છે. અહીં શક શબ્દથી વ્યાક્ષેપ અને સંમેહાદિવાળી સ્થિતિ સમજવી જોઈએ.
- શુકલધ્યાનના ચાર પ્રકારે છે, એ નિર્દેશ ગત પ્રકરણમાં થઈ ગયું છે. તેનાં નામે આ પ્રકારે જાણવાં; (૧) પૃથક-વિતર્ક-વિચાર શુક્લધ્યાન કેટલાક ગ્રંથમાં વિચારના સ્થાને સપ્રવિચાર એ શબ્દ પણ જોવામાં આવે છે. (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન –કેટલાક ગ્રંથમાં નિર્વિચારના સ્થાને અવિચાર એવે શબ્દ પણ લેવામાં આવે છે. (૩) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી. શુકલધ્યાન અને (૪) યુપરકિયા-અનિવૃત્તિ શુકલધ્યાન કેટલાક ગ્રંથમાં વ્યુપરકિયાના સ્થાને ઊંછિનકિયા શબ્દ પણ જોવામાં આવે છે. પરંતુ આમાં અર્થને કઈ તફાવત નથી.
જે ચિત્તધૈર્યને જ ધ્યાન ગણીએ તે આમાંના પહેલાં
Page #534
--------------------------------------------------------------------------
________________
શુકલધ્યાનનો પરિચય
૪૫
એ પ્રકારો ધ્યાનની કોટિમાં આવે છે અને પછીના બે પ્રકારો ધ્યાનની કોટિમાં આવતા નથી, કારણ કે ત્યાં ભાવમનના અભાવ હાવાથી હાવાથી મરણ-ચિંતનરૂપ મનને વ્યવહાર હાતા નથી, પર`તુ અહી મન-વચન-કાયયોગના નિરોધ હોય છે, તેને જ ધ્યાન સમજવું, એવા આચાર્યાના અભિપ્રાય છે અને એ રીતે શુકલધ્યાનના ચાર પ્રકારો માનવામાં આવે છે.
આમાંના પહેલા બે પ્રકારના ધ્યાના છદ્મસ્થાને હાય છે અને પછીનાં બે ધ્યાના કેવલી કે સર્વજ્ઞ ભગવાને હાય છે. જ્યાં સુધી જીવ સજ્ઞતાને પામ્યા ન હેાય, ત્યાં સુધૈ તે છદ્મસ્થ કહેવાય છે, કારણ કે તે છદ્મ એટલે ચાર ધાતી– કના આવરણવાળા હોય છે. અહીં એ સ્પષ્ટતા પણ કરી દૃઈ એ કે પ્રથમના બે પ્રકારોમાં શ્રુતજ્ઞાનનું આલખન હાય છે, એટલે તે સાલ’બનની કોર્ટમાં આવે છે.
હવે આ ચારેય પ્રકારોના ક્રમશઃ પરિચય કરીએ. પ્રથમ પ્રકારનુ નામ છે પૃથકત્વ-વિતર્ક —સવિચાર શુકલધ્યાન. આમાં પૃથકત્વ, વિતર્ક અને સવિચાર એ ત્રણેય શબ્દો સમજવા જેવા છે. પૃથકત્વ એટલે ભિન્નતા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાન અને સવિચાર અને વિચારસહિત. અહી વિચારથી અર્થ, વ્યંજન અને ચેાગના સ’ક્રમ સમજવાના છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનું આલેખન લઈ ને ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિત્વ, અરૂપિત્વ, અક્રિયત્વ, સક્રિયત્ન આદિ પર્યાયાનું ભિન્ન ભિન્ન સ્વરૂપે એકાગ્ર ચિંતન કરવું, તે પૃથકત્વ-વિતર્ક–સવિચાર નામનું શુકલધ્યાન છે. આ ધ્યાનમાં એક અથી ખીજા
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૨૬
સામાયિક-વિજ્ઞાન અથ પર, એક વ્યંજન એટલે એક શબ્દ પરથી બીજા વ્યંજન એટલે બીજા શબ્દ પર અને એક પેગ પરથી બીજા યુગ પર, એટલે કે મનેયેગ પરથી વચનગ પર, વચનગ પરથી કાયયેગ પર, કાગ પરથી વચનગ પર, વચનચેગ પરથી મગ પર અથવા તેમાંના કેઈ પણ એક યોગ પરથી બીજા વેગ પર સંક્રમ કરે, એટલે ત્યાં મનને લાવી સ્થિર કરવાનું હોય છે.
આ બધા વિષયે સૂફમ છે, એટલે કે તેના પર મનને સ્થિર કરવાનું કામ સહેલું નથી, પણ અભ્યાસથી એ કાર્ય સિદ્ધ થાય છે. ધ્યાનના વિષયમાં તે અભ્યાસ જ ઘણું મહત્ત્વને છે, તેથી જ શુક્લધ્યાનમાં પણ પ્રથમ આ યાનનો અભ્યાસ કરવું જોઈએ, તે જ બીજા પ્રકારના ધ્યા- નની યેગ્યતા આવે છે.
આ ધ્યાનમાં શ્રુતજ્ઞાનનું આલંબન અવશ્યક છે. એટલે આ ધ્યાનમાં પ્રવેશ કરનારે શ્રુતજ્ઞાન સારી રીતે મેળવી લેવું જોઈએ. શ્રુતજ્ઞાન એટલે જૈન શાસ્ત્ર-સિદ્ધાંતનું જ્ઞાન. તે અરિહંત ભગવંત પાસેથી સાંભળીને મેળવેલું હોય છે, તેથી શ્રુતજ્ઞાન કહેવાય છે. જે શ્રુતજ્ઞાનમાં પ્રવેશ-પ્રવીણતા. ન હોય તે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, દ્રવ્ય, ગુણ, પર્યાય વગેરેનું ચિંતન યથાર્થપણે થઈ શકે નહિ. આ ધ્યાનને શુકલધ્યાનને પહેલે પાયે પણ કહેવામાં આવે છે. - શુકલધ્યાનને બીજો પ્રકાર એકત્વ-વિતર્ક-નિર્વિચાર, છે. પ્રથમમાં પૃથકત્વ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય વગેરેની
Page #536
--------------------------------------------------------------------------
________________
શુકલધ્યાનને પરિચય
૪ર૭ : ભિન્ન સ્વરૂપથી વિચારણા હતી, ત્યારે અહીં એકત્વ એટલે એટલે કેઈએક જ ગુણ કે પર્યાયનું ચિંતન હોય છે. વળી પ્રથમ સ્થાન સવિચાર એટલે કે અર્થ, વ્યંજન અને એમના સંકેમપૂર્વક હતું, ત્યારે અહીં નિર્વિચાર એટલે મનેયેગ, વચનગ કે કાગ પિકી કેઈપણ એક જ રોગમાં સ્થિર થઈને કરવાનું હોય છે. શ્રુતનું આલંબન તે આમાં પણ હોય છે, એટલે વિતક શબ્દ કાયમ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનેયેગ આદિ કોઈ પણ એક યુગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે. એકત્વ-વિતર્ક-નિર્વિચાર નામનું શુકલધ્યાન છે.
પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસથી આ ધ્યાનની એગ્યતા આવે છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ વિશ્વના ભિન્ન ભિન્ન વિષયમાં ભટકતા મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષયમાં એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પોતાની સર્વ ચંચલતા છેડીને નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માને લાગેલા જ્ઞાનાવરણીય, દર્શનાવારણીય, મેહનીય અને અંતરાય એ ચારે ય ધાતકર્મોનું આવરણ સર્વથા દૂર થઈ જાય છે અને આત્મા સ્વસ્વરૂપમાં બિરાજી સર્વજ્ઞ અને સર્વદશી બને છે. આને શુકલધ્યાનને બીજો પાયે કહેવામાં આવે છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૨૮
સામાયિક-વિજ્ઞાન શ્રી પતંજલિ મુનિએ ચગદર્શનના સમાધિપાદમાં કહ્યું છે કે–ચોશ્ચિત્તવૃત્તિનિરોધઃ સારા ચિત્તને નાના પ્રકારની વૃત્તિ અર્થાત્ સ્વરૂપ ધારણ કરતું અટકાવવું, એ વેગ છે.” અને “તવ ટ્રષ્ટ્રઃ સ્થsઘરથાનમ્ ારા તે વખતે એટલે નિરોધ સ્થિતિમાં દ્રષ્ટા પિતાના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થાય છે. એ બંને વસ્તુઓ અહીં સાથે થતી જણાય છે. આટલું જાણ્યા પછી કોણ કહી શકશે કે જૈન ધર્મમાં
ગ નથી? રાગ નથી ? પરિભાષા જુદી હોય તેથી શું? તેમાં જે તત્ત્વ છે, તે જ મહત્વનું છે અને આપણે તેના પર જ દષ્ટિ રાખવાની છે.
હવે શુકલધ્યાનના ત્રીજા પ્રકાર પર આવીએ. તેનું નામ છે–સૂક્ષ્મકિયા–અપ્રતિપાતી શુકલધ્યાન. વાસ્તવમાં આ ધ્યાન નથી, પણ તેમાં જે ગનિરોધની કિયા થાય છે, તેને ધ્યાન સમજી લેવાનું છે, એ સ્પષ્ટતા ઉપર થઈ ગઈ છે. કેવલી કે સર્વજ્ઞ ભગવંત શું થયું ? શું થાય છે અને શું થશે? એ રીતે ત્રણેય કાલનું જ્ઞાન ધરાવતા હોય છે, એટલે પિતાને નિર્વાણ સમય જાણી શકે છે. આ નિર્વાણ સમય નજીક આવે, ત્યારે તેઓ પર્યકાસન આદિ કઈ અનુકૂલ આસને બેસીને બાદર કાયયેગમાં રહી બાદર મનોવેગ અને વચનેગને નિરોધ કરે છે, એટલે કે તેને સંઘે છે, પછી સૂમિ કાયયેગમાં સ્થિત થઈ બાદર કાયવેગને પણ સંધે છે અને પછી વચન તથા મનના સૂમગને પણ સંધે છે, ત્યારે તેમને આ સૂક્ષ્મકિયા–અપ્રતિપાતી નામનું ત્રીજું શુકલ
Page #538
--------------------------------------------------------------------------
________________
શુકલધ્યાનને પરિચય
૪ર૯ થાન પ્રાપ્ત થયું ગણાય છે. આ વખતે શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પાછા પડવાનું હતું નથી, એટલે તે સૂમકિયા–અપ્રતિપાતી કહેવાય છે. કેવલી કે સર્વજ્ઞ ભગવતે નિર્વાણ સમયે દેહોત્સર્ગની કિયા કેવી રીતે કરે છે? તે આ પરથી સમજી શકાશે.
હવે શુક્લસ્થાનના ચોથા અને છેલ્લા પ્રકાર પર આવીએ. તેનું નામ છે-બુપરતકિયા-અનિવૃત્તિ શુકલધ્યાન. જ્યારે શરીરની ધાસવાસાદિ સૂકમ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, એટલે કે શેલેશી અવસ્થાને પામે છે, ત્યારે આ સ્થાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સક્ષમ કેઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક કિયા રહેતી નથી, એટલે કે તે વ્યુપરત થઈ જાય છે, તદ્દન બંધ થઈ જાય છે અને એ રિથતિમાં કંઈ પરિવર્તન થતું નથી, એટલે કે તે અનિવૃત હોય છે, તેથી તેને વ્યુપરત કિયા-અનિવૃત્તિ શુકલધ્યાન કહેવામાં આવે છે.
આ ધાનને કાલ મ, રૂ, ૩, , સ્ત્ર એ પાંચ હ્રસ્વ. અક્ષર બોલીએ એટલે જ હોય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો એટલે બાકી રહેલા ચાર અધાતીકર્મો–વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર-ક્ષીણ થઈ જતાં આત્મા સર્વ કર્મબંધનમાંથી મુક્ત થાય છે અને તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી સમય માત્રમાં લેકના અગ્રભાગે પહોંચી ત્યાં આવેલી સિદ્ધશિલાને મથાળે સ્થિર થાય છે કે જ્યાં સિદ્ધોને ,
Page #539
--------------------------------------------------------------------------
________________
: ૪૩૦
સામાયિક-વિજ્ઞાન સ્થિર થવાનું સ્થાન આવેલું છે. ત્યાં તે અનંતકાલ સુધી અનિર્વચનીય સુખને ઉપભેગ કરે છે.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-ધ્યાનને વિષય શેમાં ગણાય છે ?
ઉત્તર-ધ્યાનને વિષય સામાન્ય રીતે રોગમાં ગણાય છે. અન્ય શાસ્ત્રોમાં ધ્યાનની વાતો આવે છે, પણ વેગશાસ્ત્ર જેટલી વ્યવસ્થિત અને વિશદ નહિ.
પ્રશ્ન-જૈન શામાં ધ્યાનનું વ્યવસ્થિત અને વિશદ વર્ણન થયેલું છે, તેનું કેમ ?
ઉત્તર-જૈન ધર્મ ઘણા પ્રાચીનકાળથી ગપરાયણ હતું, એટલે તેનાં શાસ્ત્રોમાં સ્થાનનું વ્યવસ્થિત અને વિશદ નિરૂપણ હેય એ સ્વાભાવિક છે.
પ્રશ્ન-કેઈથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છૂટતાં જ ન હોય છે ?
ઉત્તર–તે એ દુર્ગતિના અધિકારી થાય. જે તેમણે દુર્ગતિમાંથી બચવું હોય તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડવાં જ જોઈએ. તેના ઉપાયે પૂર્વે બતાવી ગયા છીએ.
પ્રશ્ન-ધર્મધ્યાન કેણ કરી શકે?
ઉત્તર-ધર્મધ્યાન નાના-મોટા સહ કેઈ કરી શકે. આ ધાર્મિક જ્ઞાનમાં કે ધાર્મિક ક્રિયામાં ચિત્ત પરેવવું અને
તેમાં લીન થવું, એ ધર્મધ્યાન જ છે. અલબત્ત, શાસ્ત્રીય
Page #540
--------------------------------------------------------------------------
________________
શુકલધ્યાનના પરિચય
૪૩૧
ક્રમે જે ધમ ધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે આનાથી ઘણું ઊંચુ' છે અને વિશિષ્ટ યેાગ્યતાની અપેક્ષા રાખે છે, પણ જેએ પ્રારંભમાં આ જાતનું ધર્મ ધ્યાન ધરે છે, તે જ આગળ જતાં ઉત્તમ કોટિનુ ધમ ધ્યાન ધરી શકે છે, એટલે અમે તેની હિમાયત કરીએ છીએ.
પ્રશ્ન-ધાર્મિ ક જ્ઞાનમાં કે ધાર્મિ ક ક્રિયામાં ચિત્ત પરોવાતુ ન હોય તે શું કરવું ?
ઉત્તર-ગુરુ કે જ્ઞાની પાસેથી ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયાનું મહત્ત્વ સમજી લેવુ', સત્સંગ કરવા, રાજ જિનદર્શીન અને જિનપૂજાના નિયમ રાખવા અને સ'સારને અસાર માની તેના પરના મેહ ઘટાડવા. આટલું કરવાથી ધાર્મિક જ્ઞાન અને ધાર્મિક ક્રિયામાં ચિત્ત જરૂર પરાવાશે
પ્રશ્ન-પ્રભુની મૂર્તિ સામે બેસીને તેમનુ ધ્યાન ધરવાને પ્રયત્ન કરીએ છીએ, ત્યાં બીજા જ વિચારો આવવા લાગે છે અને ધ્યાન જામતુ નથી, તેનુ કારણ શું?
ઉત્તર-જ્યાં સુધી આપણા મનમાં મલ અને વિક્ષેપ નામના એ દોષોએ અડ્ડો જમાવેલા છે, ત્યાં સુધી આમ જ થવાનુ, એ એ દાષાને દૂર કરવા માટે ધ્યાનને પદ્ધતિસર અભ્યાસ કરવાની જરૂર છે.
પ્રશ્ન-ધ્યાનસિદ્ધિ કેાને કહેવાય ?
ઉત્તર-ખરી ધ્યાનસિદ્ધિ તો શુકલધ્યાનના બીજા પાસે ચડી મનને નિર્વિકલ્પ બનાવી દેવું, તેને જ કહેવાય, પરંતુ
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૩૨
સામાયિક-વિજ્ઞાન
વ્યવહારથી તે। કોઇ પણ વસ્તુ પર બે ઘડી મનને સ્થિર રાખી શકીએ તેને પણ ધ્યાનસિદ્ધિ કહેવાય. આપણે માટે તે આ સિદ્ધિ પણ ઘણી મેાટી છે, કારણ કે આપણું મન એક વસ્તુ પર એક કે બે મિનિટ પણ સ્થિર રહેતું નથી. પૂજાપાઠ, જપ, ધ્યાન, ક્રિયા, અનુષ્ઠાન બધા વખતે આપણા મનને વિક્ષેપ ચાલુ હાય છે, તેથી અમે ધ્યાનના શિક્ષણને અતિ અગત્યનું માનીએ છીએ.
પ્રશ્ન-શું ટોઇ પણ સંચાગેામાં આપણે શુકલધ્યાન ધરી ન શકીએ ?
ધર્મ ધ્યાન પછી આવે
ઉત્તર-શુકલધ્યાનના અધિકાર તે છે, તેા પ્રથમ ધર્મધ્યાન ધરી જુએ. તમને આ પ્રશ્નના જવાબ મળી જશે.
:
:
અમને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યાં કે · હું અખજતિ થઇ શકું કે નહિ ? ’ અમે કહ્યું : ‘ જરૂર થઇ શકે, પણ તે માટે ૧૦૦ ક્રોડ રૂપિયા ભેગા કરવા પડે. સેા ક્રોડ એટલે ૧૦૦૦૦ લાખ એ તો ખરાખર ને? ૧૦૦૦૦ લાખ એટલે ૧૦૦૦૦૦૦ દશ લાખ હજાર, હવે મહિને તમે ૧૦૦૦ કમાઓ તે તમને દશ લાખ મહિના અર્થાત્ ૮૩૩૩૩ૐ ૬ લાગે અને કદાચ મહિને લાખ રૂપિય કમાએ તેા પણ ૮૩૩ વર્ષ કરતાં થોડો વધારે સમય લાગે, એટલે તમારે કાં તેા આટલુ આયુષ્ય મેળવવુ જોઇએ અને તમારા જીવતાં જ એટલે વીશ વર્ષોંમાં ક્રોડપતિ થવુ હોય તે તમારી માસિક આવક ૪૧ લાખ કરતાં વધારે
તેના અનુભવ પરથી
એક વાર એક સભામાં
Page #542
--------------------------------------------------------------------------
________________
શુકલધ્યાનનો પરિચય
૪૩૩
હોવી જોઇએ. તમે આ બેમાંથી એક વસ્તુ કરો, એટલે જરૂર અબજપતિ થઈ શકશે. તાત્પર્યં કે શક્તિ પ્રમાણે કાય થાય છે. હાલ તા ધ્યાનની બાબતમાં આપણે તદ્ન નીચી પાયરીએ છીએ, તેમાંથી ઊંચા આવવાના પ્રયત્ન કરવા જોઈ એ.
પ્રશ્ન-આજે કેટલાક એમ કહે છે કે ધ્યાનસિદ્ધિ તા થોડા વખતમાં જ થઇ ાય. તે માટે અમારી પાસે કેટલીક સિદ્ધ ક્રિયાઓ છે, તેનું કેમ ?
ઉત્તરધ્યાનસિદ્ધિ થાડા વખતમાં જ થઇ જાય, એ વાત માનવા જેવી નથી. આજ સુધીમાં આપણા દેશમાં સેંકડો ચેગસિદ્ધ મહાત્માએ થઇ ગયા, તેમાંના કેઈએ આવું વિધાન કરેલું નથી. જો ધ્યાનસિદ્ધિ થેાડા જ વખતમાં થતી હાત તા તેઓ આ પ્રકારનું વિધાન જરૂર કરત. વળી તેઓ જે સિદ્ધ ક્રિયાએની વાત કરે છે, તે ક્રિયાએ ઘણાયે કરી જોઈ છે, પણ તેનું ખાસ પરિણામ કઈ જ આવ્યું નથી. તેમની ક્રિયાઓથી કદાચ કોઇને થાડો લાભ થયે પણ હેાય, પરંતુ તેટલા માત્રથી એ ક્રિયાને સિદ્ધ ક્રિયા કહેવાય નહિ. જાહેર નિરીક્ષણ અને પરીક્ષણ પછી જ તે અંગે ખરા અભિપ્રાય બાંધી શકાય. આજે તા સૂઠના ગાંગડે ગાંધી બનનારની ખોટ નથી, એટલે આવી ખાખતમાં પૂરી સાવધાનીથી વવું જોઈ એ.
પ્રશ્ન-હાલના સગામાં જૈન ધ્યાનપદ્ધતિના પ્રચાર થવાની જરૂર ખરી કે નહિ ?
સા. ૨૮
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૩૪
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-હાલના સંગમાં જૈન ધાનપદ્ધતિને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. તે માટે પૂજ્ય સાધુ-સાધ્વી વગે કમર કસવી જોઈએ, કારણ કે આ બાબતમાં તેઓ ધારે તે ઘણું કરી શકે એમ છે. જો આ કાર્ય માટે સાધુ -સાધ્વી વર્ગ તૈયાર ન થાય, તે આ વિષયમાં રસ લેનાર સહદયી સજાએ તે માટે કોઈ વ્યવસ્થિત એજના ઘડીને કાર્ય આરંભ કરી દેવું જોઈએ.
Page #544
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ ]
અન્ય ચાર ધ્યાના
ધ્યાનના વિષય ગહન છે, તેનુ ક્ષેત્ર પણ ઘણુ' વિશાલ છે. તે અંગે જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિએ અમલમાં આવી છે અને આજે પણ તે અંગે નવી નવી શેાધખેાળા થઈ રહી છે.
પ્રાચીન શ્રમણુસમુદાયમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત નામનાં ચાર ધ્યાન ધરવાની પ્રથા-પદ્ધતિ પણ અમલમાં હતી. તેનાં પરિણામ પણ સુંદર આવતાં, એટલે તે ધીરે ધીરે સમાન્ય અની હતી. ધ્યાનના આ ચાર પ્રકારો ધ્યેય કે આલંબનના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. પિંડમાં રહે તે પિ'ડસ્થ. પિડ એટલે શરીર. તેમાં પૃથ્વી આદિ પાંચ ભૂતા રહેલા છે, તેનું આલખન લઈને ધ્યાન ધરવું, તે પિંડસ્થ ધ્યાન. પદ્મ: એટલે મત્રો, તેનુ આલંબન લઈને ધ્યાન ધરવું, તે પદ્મસ્થ ધ્યાન. રૂપ એટલે મૂર્તિ, અરિહંત દેવની મૂર્તિ, તેનું આલંબન લઈને ધ્યાન
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૩૬
સામાયિક-વજ્ઞાન
ધરવું, તે રૂપસ્થ ધ્યાન અને જે રૂપથી અતીત છે, એટલે કે જેને કોઈ પ્રકારનું રૂપ (Form & Colour) નથી, એવા શુદ્ધ આત્માનુ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવું, તે રૂપાતીત ધ્યાન. આમાંના પ્રથમ ત્રણ ધ્યાનામાં સ્કૂલ આલમન છે, એટલે તેને સાલંબન અને ચાથા ધ્યાનમાં કોઈ સ્થૂલ. આલ'ખન નથી, એટલે તેને નિરાલ'ખન ધ્યાન સમજવાનું છે.
પિડસ્થય્યાનના અધિકારે સામાન્ય રીતે પાંચ પ્રકારની ધારણાએ સિદ્ધ કરવામાં આવતી. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે
पिंडस्थे पञ्च विज्ञेया, धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तत्त्वभूस्तथा ॥
પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ એપિડધ્યાનની પાંચ ધારણાઓ જાણવી.’
:
પાર્થિવી ધારણાને વિધિ એવે છે કે શાંત અનુકૂલ પ્રદેશમાં પદ્માસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઈષ્ટ દેવ-ગુરુનુ' સ્મરણ કર્યાં પછી, મનમાં કલ્પના કરવી કે એક મહાન સમુદ્ર છે, તે ઊજળા દૂધ જેવા પાણીથી ભરેલા છે અને તેમાં હજાર પાંખડીવાળું ઘણું મોટું કમલ છે. કમલની આ બધી પાંખડીએ સાનેરી વણુની છે. તેની વચ્ચે મેરુ પર્યંત જેવી એક માટી કણિકા છે. તેમાં કલ્પવૃક્ષાની એક સુંદર ઘટા છે અને એ ઘટાની વચ્ચે એક રમણીય શિલા છે. એ શિલા પર સ્ફટિક રત્નનું શ્વેત.
Page #546
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ધ્યાના
૪૩૭
સિંહાસન છે, એ સિંહાસન પર હું બેઠેલેા છું અને ધ્યાનસ્થ અની કર્માંને! નાશ કરી રહ્યો છું.
આ કલ્પના જાણે બધું સાક્ષાત્ હાય, એ રીતે ખૂબ તન્મયતાથી કરવાની છે. આ પ્રકારની પાર્થિવી કલ્પના કરવાથી મનનું વલણ આત્મલક્ષી થાય છે અને તે આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી અને છે.
તે પછી આગ્નેયી ધારણા કરવાની હોય છે. તેના વિધિ આ પ્રકારના છેઃ ચેાગ્ય સ્થાન-આસનાદિ ગ્રહણ કર્યા પછી ધ્યાતાએ પેાતાના નાભિમડળમાં સોળ પાખંડીવાળુ એક સુંદર કમલ ચિતવવું, આ કમલમાં મથાળેથી શરૂ કરીને જમણી બાજુ વળાંક લે એવી રીતે જ્ઞ, બા, રૂ, રૂં, ૩, ૩, , ૠ, હૈં, હૈં, છુ, તે, ો, ઔ, અં, : એ સેાળ સ્વરની સ્થાપના કરવી અને કર્ણિકાના ભાગમાં તેમાંથી સ્કુરાયમાન મહામંત્ર હૈં ને ચિતવવા. પછી તેના રેકમાંથી ધીમે ધીમે ધૂમાડાની શિખા નીકળી રહી છે, એમ ચિંતવવું. પછી તેમાંથી તણખા નીકળતા ચિ ંતવવા અને દેવટે જવાલાએ નીકળી રહી છે, એમ ચિંતવવું. પછી આ સેળ પાંખડીવાળા કમલની ખરાખર ઉપર હૃદયના ભાગમાં આઠ પાંખડીવાળું કમક્ષ અધોમુખ ચિંતવવુ, એટલે કે તેની ડાંડી ઉપર હોય અને પાંખડીએ નીચેના તરફ વિકાસ પામેલી હાય, એ રીતે ચિંતવવુ. પછી આ આઠ પાંખડીએ તે માઠ પ્રકારનાં કમ છે, એમ માની પેલી જવાલાએ વડે તેનુ
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૩૮
સામાયિક-વિજ્ઞાન
દહન કરવું. આને અર્થ એ છે કે અહં' મંત્રનું ઉશ્કેટ ધ્યાન બધાં કર્મોને બાળી નાખે છે.
આટલે વિધિ થયા પછી પોતાના શરીર્ની બહાર ત્રણ ખૂણાવાળે અગ્નિને કુંડ કપ કે જેમાં અગ્નિ ભડભડાટ બળી રહે છે. ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના ભાગમાં એક તરફ તેજસ્વી સ્વસ્તિક અને બીજી તરફ અશિબીજ રંકારની કલ્પના કરવી. પછી પોતાના શરીરને અગ્નિકુંડમાં પધરાવવું અને આત્મા એક દષ્ટા તરીકે દૂરથી એ દશ્ય. જોઈ રહ્યો છે, એમ કલ્પવું. પછી એ શરીરની રાખ થઈ ગઈ, આઠ પાંખડીવાળા કમલની પણ રાખ થઈ ગઈ અને સેળ પાંખડીવાળા કમલની પણ રાખ થઈ ગઈ અને તેને.
એક મેટો ઢગલો થઈ ગયે, એમ ચિંતવી મનને શાંત સ્થિર કરવું.
આગ્નેયી ધારણા સિદ્ધ થયા પછી મારુતી ધારણા સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે એગ્ય સ્થાન– આસન આદિ ગ્રહણ કર્યા પછી થાતાએ એવી કલ્પના કરવી કે ઘણે પ્રચંડ મારુત-વાયુ-પવન વાવો શરૂ થયે છે અને તે કમે કમે વધારે વેગ પકડતે જાય છે. હવે તો આ પવનથી પર્વતે ડોલવા લાગ્યા છે, સમુદ્રનાં પાણી જેરજોરથી ઉછળવા લાગ્યા છે અને તેનાથી ત્રણેય ભુવન. વ્યાપ્ત થઈ ગયા છે. વળી આ પવન પૂર્વે કપેલા રાખના. ઢગલાને ઝપાટાબંધ આકાશમાં ઉડાડી રહ્યા છે. તે પછી આ પવન ધીમે પડી રહ્યો છે, ઘણે ધીમે પડી ગયા છે,
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૩૬
અન્ય ચાર ધ્યાને શાંત થવા આવ્યું છે, શાંત થઈ ગયું છે, એમ ચિંતવવું અને મનને શાંત-સ્થિર કરી દેવું.
મારુતી ધારણ સિદ્ધ થયા પછી વાસણું ધારણ સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે યોગ્ય સ્થાનઆસનાદિ ગ્રહણ કર્યા પછી ધ્યાતાએ આકાશ કલ્પવું અને તેમાં અર્ધચંદ્રાકાર વરુણમંડલની વં બીજ સાથે કલ્પના કરવી. પછી એ વરુણ મંડલમાંથી અમૃતને વરસાદ વરસી રહ્યો છે અને સમસ્ત આકાશ ભીંજાઈ ગયું છે, એમ ચિંતવવું અને પૂર્વે શરીરાદિની જે ભસ્મ આકાશમાં ઉડાડવાને લીધે ત્યાં મલિનતા છવાઈ રહી હતી, તે હવે ધોવાઈ રહી છે, તદ્દન ધેવાઈ ગઈ છે અને આકાશ સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયું છે એમ ચિંતવી મનને શાંત-સ્થિર કરવું.
વારુણી ધારણા સિદ્ધ થયા પછી તરવભૂધારણ સિદ્ધ કરવાની છે. તેને વિધિ એ છે કે ચાતાએ શુદ્ધ અનુકૂલ સ્થાન-આસનાદિ ગ્રહણ કર્યા પછી પોતાના આત્માને લેહ-માંસ આદિ સાત ધાતુઓથી રહિત, પૂર્ણચંદ્ર સમાન નિર્મલ કાંતિવાળે અને સર્વજ્ઞ સમાન ચિંતવે. આ ધારણાથી હું દેહ નથી, પણ સર્વજ્ઞ, સર્વદશી અને અનંત શક્તિમાન આત્મા છું, એ ખ્યાલ દઢ થાય છે અને તે આધ્યાત્મિક વિકાસને અને વેગ આપે છે.
માન્યતા એવી છે કે આ પિંડ ધ્યાનને નિરંતર અભ્યાસ કરનાર રોગીને મારણ, મેહન, ઉચ્ચાટન, થંભન, વિદ્વેષણ આદિ તાંત્રિક કર્મો પરાભવ કરી શકતા નથી, તેમજ
Page #549
--------------------------------------------------------------------------
________________
४४०
સામાયિક-વિજ્ઞાન
કોઈ દુષ્ટ મંત્રાની પણ અસર થતી નથી. તે જ રીતે વિવિધ પ્રકારના ભયે તેને સતાવી શકતા નથી.
'
પદસ્થય્યાનના અધિકારે એવા મત્રોનુ–મ ત્રપદાનુ ધ્યાન ધરવાનું છે કે જે આત્માની શુદ્ધિમાં ઉપકારક થાય. આવા મંત્રપો ઘણાં છે, પણ તેમાં નમસ્કારમહામંત્ર અને અહું મંત્રની મુખ્યતા છે. તેના વિશેષ ખ્યાલ અમારા રચેલા ‘નમસ્કારમ`ત્રસિદ્ધિ ' અને સિદ્ધિદાયક સિદ્ધચક્ર’ ગ્રંથ પરથી આવી શકશે. ધન, સત્તા કે કેઈપણુ સાંસારિક પ્રયેાજન માટે થતુ મ ંત્રપદ્મનું યાન ધર્મ ધ્યાનની કોટિમાં આવી શકતું નથી. રૂપસ્થધ્યાનના અધિકારે દેવાધિદેવ પરમાત્માના—-રૂપનું મૂર્તિનું આલંબન લઇને ધ્યાન ધરવાનુ છે. તે અંગે ધ્યાનદીપિકામાં કહ્યું છે કે–
と
શ્રીતી કર
सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्करम् । अर्हतो रूपमालम्ब्य ध्यानं रूपस्थमुच्यते ॥ रागद्वेषमहामोहविकारैरकलंकितम् । शान्तं कान्तं मनोहारि सर्वलक्षणलक्षितम् ॥
• સ અતિશયાથી યુક્ત,કેવળજ્ઞાનના સૂર્ય સ્વરૂપ, રાગ-દ્વેષરૂપ મહામેાહના વિકારોથી અકલંક્તિ, શાંત, કાંત, મનોહર અને સ` શુભ લક્ષણેાથી યુક્ત એવા અરિહંતના રૂપનું આલંબન લઈ ને ધ્યાન ધરવું, તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
9
Page #550
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ધ્યાના
૪૪૧
તાત્પર્ય કે રૂપસ્થાન ધ્યાન પ્રસંગે આપણે અરિહંત દેવની મૂર્તિ નું આલંબન લઈએ, ત્યારે એમ ચિંતવવાનુ કે આ અરિહંત પ્રભુ ચાત્રીશ અતિશયના ધારક હતા, કેવલજ્ઞાનરૂપી સૂર્યંનું તેજ ધરાવતા હતા. વળી તેમણે રાગ, દ્વેષ અને મેહના સથા નાશ કરેલા હતા, એટલે તેને લગતા કાઈ વિકાર તેમનામાં રહ્યો નથી. વળી તેઓ શાંત છે એટલે પ્રથમ રસમાં નિમગ્ન છે, તે કાંત છે એટલે અપૂર્વ કાંતિ ધારણ કરનારા છે અને મનહર છે, એટલે રમણીય રૂપવળાા છે. વિશેષમાં તે બધાં શુભ લક્ષણાથી યુક્ત છે, એટલે પ્રકટ પુરુષાત્તમ છે.
કેટલાક શ્ર'થામાં સમવસરણુસ્થ અહિં તદેવની મૂર્તિનુ આલંબન લેવાનું જણાવેલુ છે. તેમાં એમ ચિતવવાનુ છે કે વિશાલ સમવસરણ રચાયેલુ છે, તેમાં દેવા, મનુષ્ય, સાધુઓ, કેવલી જ્ઞાનીઓ વગેરે પોતપેાતાના સ્થાને બેઠેલા છે અને વચ્ચે સ્ફટિકમય સિંહાસન પર શ્રી અરિહંત દેવ બિરાજે છે. તેમની પાછળ ઊંચું મનેાહર અશોક વૃક્ષ છે, દેવા દ્વારા પચરંગી પુષ્પાની વૃષ્ટિ થયેલી છે, દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે, તેમની અને માજી શ્વેતરંગી ચામરો વીઝાઈ રહ્યા છે, પાછળ તેમના દ્વિવ્ય તેજનુ સંવરણ કરનારું દેદીપ્યમાન ભામ`ડલ છે, આકાશમાં દેવા દુકૢભી વગાડી રહ્યા છે અને તેમના માથે ઉપરના ભાગમાં ત્રણ છત્રા શોભી રહ્યા છે. આ રીતે તેઓ અષ્ટમહાપ્રાતિહાયથી યુક્ત થઈને ત્રેતાઓને માલકોશ રાગની છાયાવાળી ધમ દેશના આપી
Page #551
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન રહ્યા છે. તેઓ સત્ય ધર્મના મહાન ઉપદેશક છે અને લેઓને સંસારસાગરમાંથી તારવા માટે જ એ ઉપદેશ આપી રહ્યા છે. તે સાથે ઉપર કહેલા ગુણે પણ ચિંતવી એ મહાન ઉપકારી વિભૂતિનું ધ્યાન ધરવું. - યોગશાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જેનું નિરંતર ધ્યાન ધરે છે, તેના જે તે થાય છે, એટલે અરિહંતનું નિરંતર ધ્યાન ધરનાર છેવટે અરિહંત બને છે અને તેથી ભવભીરુ ભવ્યાત્માઓએ આ ધ્યાન અવશ્ય ધરવા જેવું છે.
રૂપાતીત સ્થાન અંગે ધ્યાન દીપિકામાં કહ્યું છે કેलोकाग्रस्थं परात्मानममूर्त क्लेशवजितम् । चिदानन्दमयं सिद्धमनन्तानन्दगं स्मरेत् ।।
લેકના અગ્રભાગ ઉપર રહેલા, અમૂર્ત, કલેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું ચિંતન કરવું, તે રૂપાતીત સ્થાન છે.”
જૈન ધર્મમાં અરિહંત અને સિદ્ધ એ બેને દેવ એટલે પરમાત્મા માનેલા છે. તેમાં અરિહંત એ સાકાર-શરીવાળા પરમાત્મા છે અને સિદ્ધ એ નિરાકાર-શરીર વિનાના પરમાત્મા છે. આ બંને પરમાત્માનું ધ્યાન ધરવા જેવું છે. તેમાં રૂપસ્થ ધ્યાનના અધિકારે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરાય છે અને રૂપાતીત ધ્યાનના અધિકારે સિદ્ધ પરમાત્માનું સ્થાન ધરાય છે.
રૂપસ્થ ધ્યાનમાં રૂપનું-મૂર્તિનું-આકૃતિનું આલંબન
Page #552
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ધ્યાન
૪૪૩ - મળે છે, તેથી એ ધ્યાન ધરવું પ્રમાણમાં સહેલું છે, પણ રૂપાતીત ધ્યાનમાં કઈ પણ રૂપ–ભૂતિ–આકૃતિનું આલંબન હેતું નથી, તેથી એ યાન ધરવું અઘરું છે; આમ છતાં રૂપી ધ્યાનને દીર્ઘ અભ્યાસ થયા પછી એ ધ્યાન ધરવાની યેગ્યતા આવી જાય છે, એટલે થાતા એ ધ્યાન ધરવાને શક્તિમાન થાય છે અને તેના વડે સર્વ ચિત્તવૃત્તિઓને નિરોધ કરી સ્વસ્વરૂપમાં લીન બની જાય છે.
અનંત અલકાકાશના એક ભાગમાં લોક વ્યવસ્થિત છે કે જેને કેટલેક ખ્યાલ લોકસ્વરૂપ ભાવનામાં અપાઈ ગયા છે. આ લેકના અગ્રભાગ પર સિદ્ધશિલા આવેલી છે, તેના ઉપરના ભાગમાં સિદ્ધ પરમાત્માઓનો વાસ છે. અમૂર્ત એટલે તેમને કઈ પ્રકારને સ્કૂલ આકાર નથી. કલેશરહિત એટલે તેમને કઈ પણ પ્રકારને કલેશ હોતે નથી, દુઃખ હતું નથી. ચિદાનંદમય એટલે તેઓ ચિત-ચૈતન્યને આનંદ માણનારા હોય છે. સિદ્ધ એટલે નિષ્ક્રિતાર્થ, જેમનાં સર્વ પ્રજનો પૂરાં થઈ ગયાં છે એવા. તેમને ચૈતન્યને જે આનંદ પ્રાપ્ત થયું છે, તે અનંતકાલ સુધી ટકનારે છે, એટલે કે તેને કદી અંત આવનાર નથી.
પ્રશ્નોત્તરી પ્રશ્ન-પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર , પ્રકારનાં સ્થાને ક્યા ધ્યાનની કટિમાં આવે ? - ઉત્તરપિંડસ્થાદિ ચાર ચાનો ધર્મધ્યાનમાં સહાયક હેવાથી ધર્મધ્યાનની કેટિમાં આવે
Page #553
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન પ્રશ્ન-પિંડસ્થધ્યાન ધર્મસ્થાનમાં શી રીતે સહાયક - થાય છે?
ઉત્તર–પિંડસ્થધ્યાનની પાંચ ધારણાએ આત્મા અને દેહની જુદાઈનું સ્પષ્ટ ભાન કરાવે છે અને એ રીતે ધર્મ. “ ધ્યાનમાં સહાયક થાય છે.
પ્રશ્ન-પિંડસ્થાન કેઈ સિદ્ધિ મેળવવાની ઈચ્છાથી " કરવામાં આવે છે ?
ઉત્તર-તે એ ધર્મધ્યાનની કટિમાં આવે નહિ. જે “ ધ્યાનને હેતુ ચિત્તશુદ્ધિ અને ધર્મભાવનાની વૃદ્ધિ હય, તે જ ધર્મધ્યાનની કેટિમાં આવે.
પ્રશ્ન–પદસ્થ ધ્યાન ધર્મધ્યાનમાં શી રીતે સહાયક થાય છે ?
ઉત્તર-પદસ્થ ધ્યાનમાં જે મંત્રપદનું આલંબન લેવામાં આવે છે, તે મંત્રપદો અરિહંત કે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવનાર હાઈ ધર્મધ્યાનમાં સહાયક બને છે.
પ્રશ્ન-કાર મંત્ર બીજ–મંત્રપદ કેનું સ્મરણ કરાવે છે ?
ઉત્તર-જૈન દષ્ટિએ સ્કાર પંચપરમેષ્ઠીના આદ્ય અક્ષરથી બનેલે હઈ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવે છે. અરિ. હંતને 1 + સિદ્ધ એટલે અશરીરીને = . તેમાં આચા
ને મા ઉમેરાતાં આ + આ = આ. તેમાં ઉપાધ્યાયને ૪ ઉમેરાતાં આ + ૩ = શો. અને સાધુ એટલે મુનિને મ્ ઉમેરાતાં શો + = શો = છે.
Page #554
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ધ્યાના
૪૪૫
પ્રશ્ન-એ રીતે હી મંત્રીજ-મંત્રપદ કોનું સ્મરણ કરાવે છે ?
ઉત્તર–હી મંત્રીજ–મ ત્રપદમાં ચાવીશ તીથંકરોની સ્થાપના છે, એટલે તે ચાવીશ તીથ કરાતુ સ્મરણ કરાવે છે. આ સંબંધી વિશેષ વિવેચન અમારા રચેલા • શ્રીઋષિમ`ડલ આરાધના ' ગ્રંથમાં થયેલું છે, તે જોઈ લેવુ. પ્રશ્ન-જે મ`ત્રષદમાં ો ખીજ લગાડેલું હોય, તેનુ ધ્યાન ધમ ધ્યાનની કોટિમાં આવી શકે ?
ઉત્તર-જ્યાં શ્રી ખીજ લક્ષ્મીના સદ્વૈત તરીકે લગાડેલું હોય, ત્યાં તે ધર્મ ધ્યાનની કોટિમાં આવે નહિ. પરંતુ શ્રી" આજ આત્મીય સૌન્દર્યાંના સ ંકેત રૂપે પણ વપરાય છે. જેમ ૐ ૐ શ્રી ગર્દૂ નમ:' આ મંત્રપુષ્ઠનું ધ્યાન ધર્મ – ધ્યાનની કેટિમાં આવે.
:
પ્રશ્ન-પુષ્ટધ્યાનમાં મંત્રપનુ આલ અને ન લેતાં કોઈ આગમપદ કે સૂત્રપદનું આલ ંબન લઇ શકાય કે નહિ ? ઉત્તર-લઈ શકાય. પ્રાચીન જૈન યાગપદ્ધતિમાં આ રીતે બીજી ભૂમિકાએ સૂત્રપદનું આલંબન લેવાતુ હતુ. પ્રશ્ન-સૂત્રપદનું આલંબન લેવું ઠીક કે મંત્રપદનું ? ઉત્તર-બંનેનું આલખન લાભકારક છે, છતાં આ ખાખતમાં ગુરુનુ જે પ્રકારનું માર્ગદર્શન હેાય, તે પ્રમાણે વવું. આપણને આ બેમાંથી કોનું આલંબન વધારે શ્રેયસ્કાર : નીવડશે? તેનેા નિણુંય તેઓ સારી રીતે કરી શકે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૪૬
સામાયિક-વિજ્ઞાન
પ્રશ્ન-પદસ્થધ્યાનમાં તે પદ્મના અક્ષરોનું ચિત્ર સામે
રાખવાની જરૂર ખરી ?
ઉત્તર-ના. છતાં કોઈ સાધકને-ધ્યાતાને એમ લાગતુ હોય કે તેથી મને ધ્યાનમાં સહાય મળે છે, તે રાખવામાં ખાધ નથી.
પ્રશ્ન-રૂપસ્થધ્યાન ધર્મ ધ્યાનમાં શી રીતે સહાયક થાય ? ઉત્તર-રૂપધ્યાનમાં અહિં તદેવનું ધ્યાન ધરવાનું હાય છે કે જેમણે ધર્મનું યથાર્થ પાલન કર્યુ હતુ અને ધર્મના ઉપદેશ આપ્યા હતા, એટલે તેનુ સ્મરણ-ચિંતન ધર્મ ધ્યાનમાં સહાયક થાય છે.
પ્રશ્ન-રૂપસ્થધ્યાનમાં અરિહંત સિવાય બીજા કેઈનુ ધ્યાન ધરી શકાય ?
ઉત્તર-ના. જો રૂપસ્થયાનમાં અહિત સિવાય બીજાનું ધ્યાન ધરીએ તા અરિહંતનું ધ્યાન કરવાના વખત આવે જ નહિ, કારણ કે પિ’ડસ્થ, પદસ્થ અને રૂપાતીતનાં ધ્યેયેા ઝુદાં છે, તેમાં અરિહંતનું ધ્યાન ધરવાનુ હાતુ નથી.
પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન કેવા સ્વરૂપે ધરવુ જોઈ એ ? ઉત્તર—તેનુ' વિવેચન આ પ્રકરણમાં વિગતથી થયેલુ છે. પ્રશ્ન-અરિહંતનુ ધ્યાન ધરતાં અરિહંત થવાય છે, એ વાતમાં વિશ્વાસ શી રીતે બેસે ?
ઉત્તર-શ્રુતિ, યુક્તિ અને અનુભવથી એ વાતનો વિશ્વાસ એસે એમ છે. શ્રુતિ એટલે શાસ્રવચને. તેમાં આ પ્રમાણે
Page #556
--------------------------------------------------------------------------
________________
અન્ય ચાર ધ્યાના
૪૪૭
કહેલું છે અને તે ખાટું હેાવા સંભવ નથી, કારણ કે આપ્ત પુરુષા કદી ખાટુ કહેતાં નથી. યુક્તિ એટલે દલીલે. જો એક મનુષ્ય નિર ંતર ચિંતન કરતાં ધનવાન બની શકે છે અને કલાનું નિરંતર ચિંતન કરતાં કલાકાર બની શકે છે તા નિર'તર અરિહંતનુ ચિંતન કરતાં અરિહુત કેમ ન બની શકે ? મહાપુરુષોએ પ્રકૃતિનુ–કુદરતનુ' સૂક્ષ્મ નિરીક્ષણ કરીને શોધી કાઢયું છે કે ઈયળ ભ્રમરીનું નિર ંતર ધ્યાન ધરતાં આખરે ભ્રમરી બની જાય છે. આ અનુભવ પરથી એમ કહી શકાય કે મનુષ્ય નિર ંતર અરિહંતનું ધ્યાન ધરે તા અરિહત થઈ શકે છે. આમ છતાં જો વિશ્વાસ ન બેસતા હોય તે અરિહંતનું નિરંતર ધ્યાન ધરવા માંડા અને જુએ કે તમે અરિહંત બની શકે છે કે નહિ ? આવુ' પરિણામ આવતાં કેટલેક સમય લાગે છે, એટલે આ જ ભવે એ પરિણામની આશા રાખી શકે નહિ. ભવાંતરમાં ગમે ત્યારે અરિહંત થવાની તક મળતી હોય તે તે વધાવી લેવા જેવી છે. પ્રશ્ન-રૂપાતીત ધ્યાન ધરવાથી ધર્મ ધ્યાનમાં સહાય શી રીતે મળે ?
ઉત્તર-રૂપાતીત ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન હાવાથી માક્ષમાના અને સિદ્ધાવસ્થાના નિશ્ચય થાય છે અને તે જ ધમ ધ્યાનમાં માટી સહાય છે.
પ્રશ્ન-રૂપાતીત ધ્યાન ધરવા જેટલી શક્તિ ન ડાય, પણ સિદ્ધ પરમાત્મા સાથે મનને જોડાયેલું રાખવું હોય ત શું કરવું ?
Page #557
--------------------------------------------------------------------------
________________
સામાયિક-વિજ્ઞાન
ઉત્તર-તે માટે સોઢું મંત્રના જપ ઉપયાગી છે. ત્યાં સોથી તે-તે સિદ્ધ પરમાત્મા અને થી હું સમજવાનુ છે. તાત્પર્ય કે સિદ્ધ પરમાત્માનુ' જે સ્વરૂપ છે, તે નિશ્ચયથી મારું સ્વરૂપ છે, પણ કમવશાત્ તે પર આવરણ આવી ગયું છે, એટલે મને તે દેખાતું-સમજાતું નથી. જો હું ... ક”નુ એ આવરણ હઠાવી દઉં તે જરૂર એ સિદ્ધપરમાત્માની હરોળમાં ખારજી. સોન્દ્ મંત્રના ખૂબ જપ કરવાથી ઘણાની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈ છે અને આપણે ધારીએ તા સોન્દ્ મંત્રના ખૂબ જપ કરીને એ અનુભવ લઈ શકીએ એમ છીએ.
૪૪૮
જગતના સર્વ જીવા સામાવિકની સાધના દ્વારા અભીષ્ટની પ્રાપ્તિ કરી, એ જ મંગલ કામના.
।। સ’પૂર્ણ ૫
Page #558
--------------------------------------------------------------------------
________________
MADONNA.~~~~~~~~--~uuuuu-VOS
1001
10
OOOO
72013
વંદુના સત્તાવનમી
અનાદિ કાલથી જૈન ધર્મના પ્રવર્તન વડે સમસ્ત વિશ્વમાં
ભ્રાતૃભાવની ભવ્ય ભાવનાને
પ્રશસ્ત પ્રચાર કરનાર
સવ
જિનેશ્વર દેવાને
અમારી કોટિ કોટિ વદના હૈ..
જચતિલાલ હઠીસંગ શાહ તૃપ્તિ ટ્રાન્સપેર્ટીં કાં.
૧૧૪–આશીર્વાદ ખીલ્ડીગ, ૧ લે માળે, ૬૪–એ, અમદાવાદ સ્ટ્રીટ, લાખડ મજાર,
મુંબઈ-૪૦૦૦૦૯
******989-98989
BEERDDDDDDDDDEDEDELATERADATDS
Page #559
--------------------------------------------------------------------------
________________
******************
************************************
****
વંદના અઠ્ઠાવનમી
જેમણે ભાગમાગ ની ભય કરતા
પ્રકાશો
તથા
એગમાર્ગોની ઉત્કૃષ્ટતાને
ઉદ્યોત કર્યા,
તે
દેવાધિદેવ
જિનેશ્વર દેવાને અમારી કાટ કોટિ વંદના હૈ.
રમણભાઈ મણીભાઈ પરીખ પ્રાણનિવાસ, માધવદાસ અમરસીરોડ, અધેરી ( વેસ્ટ ) મુંબઇ-૪૦૦૦૫૮ ટે. ન’, ૫૭૨૦૩૬
*****
*************************************
Page #560
--------------------------------------------------------------------------
________________
વંદન ઓગણસાઠમી ,
વૈર વૃત્તિના વિષમ તરંગનું નેહ અને સર્ભાવમાં
પરિવર્તન કરવા | માટે સતત પુરુષાર્થ કર્યો
અને તેમાં અપૂર્વ સિદ્ધિ મેળવી.
પરમ પુરુષોત્તમ જિનેધર દેવને
અમારી કોટિ કોટિ વંદન હો.
દલીચંદ અમીચંદ શાહ ૩૭-મહાવીર બીલ્ડીંગ, સી–બ્લેક, ફેકટરી લેન, તિલક રોડ,
બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨
Page #561
--------------------------------------------------------------------------
________________
જ્ર વદુના સાંઠમી ધ્રુ
જેમણે અધર્મીના નાશ કર્યાં, ધર્મની ધ્વજા ફરકાવી.
તથા
ન્યાય અને નીતિના માર્ગનું પુનરુત્થાન કર્યું, તે
જગદુદ્ધારક જિનેશ્વર દેવાને
અમારી કેટિ કોટિ વંદના હા.
રસીકલાલ મણીલાલ શાહ
પ્રાપ્રાયટર-આર. એમ. શાહની કુાં, (દવાવાળા) ૧૩૫-મસ્જીદ બંદર રોડ, મુંબઈ-૪૦૦૦૦૩
ટે. ન. આ.-૩૨૪૩૩૨
*****+++
+++
[444444 ++++++++++++
Page #562
--------------------------------------------------------------------------
________________
* વંદના એકસઠમી X
જેમણે
દાનની સાચી દિશા બતાવી, શીલની સૌરભ પ્રકટાવી, તપનું તેજ પ્રકાશ્યુ અને
ભાવની ભવ્ય સૃષ્ટિનાં સ મુમુક્ષુઓને દર્શન કરાવ્યાં,
તે
જગન્નાથ
જિનેશ્વર દેવાને
અમારી કેટ કેટિ વંદના હા.
નટરાજ ટેક્સ્ટાઈલ પ્રેાસેસસ ૭પ, અાર ગેટ સ્ટ્રીટ, ૧લે માળે સુબઇ-૪૦૦૦૦૧
છે. ન. ૨૬૩૯૨૯
--------
Page #563
--------------------------------------------------------------------------
________________
CRAY CABINCANNOT
વંદના બાસઠમી આ
જેમણે રાષ્ટ્ર, જાતિ કે લિંગના
ભેદ વિના | સર્વ મનુષ્યને આત્મવિકાસને સમાન અધિકાર
આપે
2004-2011 – "
અને
વિશ્વબંધુત્વની ભાવના
પ્રચારી,
ODNOSOBNssesso
મંગલમૂર્તિ જિનેશ્વર દેવને
અમારી કેટિ કેટિ વંદના હૈ.
ત્રિલકુમાર પ્રતાપચંદ શાહ (કરાંચીવાલા)
હનુમાનશરણ, ૬ માળે.
ફલેટ નં. ૨૮, બમનજી પીટીટ રેડ, મુંબઈ-૪૦૦૦૧૬
SYNON?
Page #564
--------------------------------------------------------------------------
________________
{ "દને બેઠા
રિક રીતે કરે
જેમણે અહિંસા અને અનેકાન્તના અનન્ય ઉપદેશ વડે
સર્વ પ્રકારના વેર-વિરોધે શમાવવાની
તથા સર્વ નું હિત કરવાની ભવ્ય ભાવનાની ભેટ આપી.
૭૩: 99999999999999
વિશ્વવંદ્ય જિનેશ્વર દેવેને
અમારી કેટિ કોટિ વંદના હે.
છે
અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭–એ, વાલકેશ્વર રેડ,
મુંબઈ-૪૦૦૦૦૬ - ટે. નં. ૩૫૬૮૬૭
:
Ö99999999999
Page #565
--------------------------------------------------------------------------
________________
આ વંદના ચેસઠમી
સામાયિકની સાધના વડે સિદ્ધ-બુદ્ધ-નિરંજન
મનનાર
તથા.
અનુપમ અક્ષય સુખને ઉપયોગ કરનાર, સર્વ જેને
અમારી કેટિ કેટિ વંદના હે.
માણેકલાલ કેશવજી દંડ બી. માણેકલાલની કુ.
૫-જી, અવસર, ૭૭-૮૧, કાઝી સૈયદ સ્ટ્રીટ,
ખાંડ બજાર, મુંબઈ-૪૦૦૦૦૩
Page #566
--------------------------------------------------------------------------
________________
98 :9 ૭૪
MEVAA
× વંદના પાંસઠમી x
સામાયિક–ચાગના
પરમ સાધક
વિદ્યા, કલા અને સંસ્કૃતિના
પ્રથમ પ્રચારક
શ્રી આદિનાથ ભગવાનને
અમારી
કિટ કિટ વઢના ડૉ.
*
દલીચંદ પસાતમ શાહ
યુનાઇટેડ ઓવરસીઝ ટ્રેડીંગ કારપેરેશન, ૩૨–ગુલાલવાડી,
સુબઈ-૪૦૦૦૦૪
૩૭૭૭૭૭૭૭૭
Page #567
--------------------------------------------------------------------------
________________
+++++++++++
× વંદના છાસઠમી પ્ર
જેમણે સામાયિક-ચેાગની સિદ્ધ ક સર્વ પ્રકારના અન્ય
જિત્યા
તથા
આત્માની અનંત શક્તિ પ્રકટ કરી,
તે
શ્રી અજિતનાથ ભગવાનન અમારી
કેડિટ કાર્ટ વંદના હે..
Y
સુરેન્દ્ર એ. છે
૪-તેજકિરણ, ત્રીજે માળે, ૯૬-નવરોજી હીલ રોડ ન. પ,
સુબઈ-૪૦૦૦૦૯
ટે, ન', ૩૩૧૫૪૦
+3+2++++++++++++++++C+++++++++++
Page #568
--------------------------------------------------------------------------
________________
P
૨
જ
'
મા'
ITY :
20
છે. (1) Assembly
X
= ૯ :) )
V
.
A
X વેદના સડસઠમી જ
(ALLARDE;
જેમણે સામાયિક-ગની ઉત્કૃષ્ટ સાધના વડે જન્મમરણને
સંભવ સદાને માટે મીટાવી દીધે,
LLLL
GYDYMWYWITAMIDTRYBYW20910YDDSOMDE
શ્રી સંભવના ભગવાનને
અમારી કેટિ કેટિ વંદના હે.
MAAAAAAAAAAAAAAAAAAAAADWAY AWAN
. સુંદરલાલ ચુનીલાલ તથા સ્વ. માતુશ્રી મેનાબેનના સ્મરણાર્થે
બાબુલાલ સુંદરલાલ ઝવેરી પૂરબ એપાર્ટમેન્ટ, ૯ મા માળે,
ફલેટ નં. ૨૫, ૪૨–રીજરેડ, વાલકેશ્વર,
મુંબઈ-૪૦૦૦૦૬ ટે.નં. ૩૮૬૬૬૨
DIL
Page #569
--------------------------------------------------------------------------
________________
X વંદના અડસઠમી Ø
જે સામાયિક-ચાગની
અનન્ય ઉપાસના વડે ત્રણે ય લેાકના ઉત્કૃષ્ટ અભિનદનને
પાત્ર બન્યા, તે
શ્રી અભિનદન સ્વામીને અમારી
કેટ: કોટિ વઢના હા.
શાહે ધીરજલાલ ભગવાનદાસ
૩૬૪–સરદાર વી. પી. રોડ, ૫ મે માળે, બ્લોક ન. ૪૬, મુંબઈ-૪૦૦૦૦૪
ટે. નં. ૩૬૦૮૨૩, ૩૪૭૩૫૬
米黑米黑米米米米米米米粥粥米米米米米米米米米米米
Page #570
--------------------------------------------------------------------------
________________
******
*********************.
ધ્રુવંદના એગણસીત્તેરમી
જેમણે સામાયિક યોગની
*****
સફલ પ્રરૂપણા વડે લોકસમૂહમાં સન્મતિ
પ્રકટાવી,
તે શ્રી સુમતિનાથ ભગવાનને અમારી કેટિ કોટિ વંદના હૈ!.
*****
ચુનીલાલ હીરાચંદ સુગ’ધી (ચુનાવાલા)
૩૯ પોપટ વાડી,
1
કાલબાદેવી રોડ.
સુબઈ-૪૦૦૦૦૨.
*************************
Page #571
--------------------------------------------------------------------------
________________
XXXXXXXXXXXXXXXXXXX
Ø બંદના સીત્તેરમી x
જેમણે
અસારના ત્યાગ કરીને
સામાયિક ચાગની
સાધના સ્વીકારી
અને
તેમાં નિપુણ બનીને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી,
તે
શ્રી પદ્મપ્રભ સ્વામીને
અમારી કોટિ કોટિ વંદના હે.
પ્રેમચંદ અમીચંદ શાહ
ડે, ભ ંવરલાલ મેાહનલાલ, ૩૦૩૨, ચ’પાગલી કેસ લેન, મુંબઈ-૪૦૦૦૨
wwwwwwwwYYYYYYYXXXXXXI
Page #572
--------------------------------------------------------------------------
________________
હન ઇકોતેરમો 4
જેઓ નામાયિક–ગની સિદ્ધિ વડે પ્રશમરસની પ્રાપ્તિ કરી,
તેમાં નિમગ્ન બન્યા
તથા વીતરાગપદને સાર્થક
કરી શક્યા,
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને
અમારી કેટ કેટિ વંદના હો.
જયંતિલાલ સુંદરલાલ પરીખ ૯૬ તેજકિરણ, ૨ જે માળે, નવરોજી હીલ, રેડ નં. ૫
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૬૬૫૯
Page #573
--------------------------------------------------------------------------
________________
I0I0I]\\\\\\\\\\\0 0L\\\\\\\\\0I0I0
૪ વંદના મતેરમી
સામાયિક-યાગની અનન્ય ઉપાસનાએ જેમના આત્માને ચંદ્ર કરતાં વધારે નિમ લ અને સૂર્ય કરતાં વધારે તેજસ્વી બનાવ્યે,
તે
શ્રી ચંદ્રપ્રભ સ્વામીને અમારી
કોટિ કોટિ વંદના હા.
*
મેઘજી એન. શાહ હાલસેલ કાપડના વેપારી ૨૦૫–ચર્ચ કમ્પાઉન્ડ,
ડો. આંબેડકર રોડ, હિન્દમાતા સીનેમા પાસે,
દાદર, સુખઇ-૪૦૦૦૧૪.
ટે. નં.
૪૪૩૪૧૩
~~~
60 00
\\\\\\\\\0\ D\0I0I02\ICL\\\\\0
Page #574
--------------------------------------------------------------------------
________________
* વંદના તેતેરમી x.
જેમણે
વિષધરરૂપી વિના વિષનું વારણ
કરવા માટે સામાયિક રૂપી
અમૃતની અભિનવ વૃષ્ટિ કરી,
૯૯૯૯૯૯૯૯
શ્રી સુવિધિનાથ ભગવાનને
અમારી કોટિ કોટિ વંદના હે.
શાહ ખીમજી લખમશીની કુ.
(કછ પ્રાગપુરવાલા) અનાજના વેપારી તથા કમીશન એજન્ટ
૧ર-કેશવજી નાયક રોડ,
મુંબઈ-૪૦૦૦૦૯. ટે. નં. ૩૨૦૨૮૭
Page #575
--------------------------------------------------------------------------
________________
આ વંદના ચુમોતેરમી છે
કષાયરૂપી કાળા નાગને
નાથવા માટે અનન્ય અને અકસીર
એવા
સામાયિક સૂત્રનું પ્રવર્તન કર્યું,
શ્રી શીતલનાથ ભગવાનને
અમારી કેટિ કોટિ વંદના હે.
શાહ બિપીનચન્દ્ર કાન્તિલાલ હેલસેલ કાપડના વેપારી
૯૮૧-મેન રેડ, નાશિક સીટી ટે. નં. ર૭૯૪
Page #576
--------------------------------------------------------------------------
________________
Y
TITUTI
TITI
0
આ વંદના પંચોતેરમી આ
YYYYY
જેમણે શ્રેયસૂની સિદ્ધિ માટે
એને મંગલમય સામાયિક-યેગની સાધના
દર્શાવી વિશ્વ મૈત્રીને વિજયધ્વજ ફરકાવ્ય,
શ્રી શ્રેયાંસનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ વંદના હે.
YYYYYYYYc YY)
STD. AD. YYYYYY
ગુડલક તારલીન્સ ૧૦૪-યુસુફ મહેરઅલી રેડ,
મુંબઈ-૪૦૦૦૦૩. ટે. નં. ૩૩૯૨૭
DMWWW
LINDRIMINELLI DELLOM
Page #577
--------------------------------------------------------------------------
________________
જઃ
હ વના છે.તેરમી
જેમણે
સામાયિક રૂપી ગાડમ ત્રી ભૌતિકવાદના ભાગને
દૂર ભગાડયો
અને નવી
આધ્યાત્મિક ચેતના
પ્રકટાવી, તે
શ્રી વાસુપૂજ્ય સ્વામીને અમારી ક્રેડિટ કેડિટ વંદના હૈ.
શાહ ડુંગરશી ગણપત એન્ડ સન્સ ( કચ્છ-નાની ખાખરવાલા ) અનાજના વેપારી તથા કમીશન એજન્ટ
૩૩૧-ભાતખાર,
સુબઈ-૪૦૦૦૦૯ ટે.ન', ૩૩૨૬૩૪
એમને GCB*****
Page #578
--------------------------------------------------------------------------
________________
PRAV VAJADARYO
આ વંદના સત્તોતેરમી છે
eneraceae
જેમણે સામાયિક–ગની સિદ્ધિ | માટે ત્રત. નિયમ અને તપની દિવ્ય દેશના આપી
તથા સંયમ માર્ગની સબલ
પુષ્ટિ કરી,
sesvecesocesses
શ્રી વિમલનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ વંદના હે.
નવીનચા ભગવાનદાસ શાહ
( પાટણવાલા) ૯૮-એ, નેપીયનસી રેડ. મુંબઈ-૪૦૦૦૦૬ ટે. નં. ૩૮૯૮૮૨
ocesseseo
ઈ
We®eeeee
Page #579
--------------------------------------------------------------------------
________________
વંદના અઠ્ઠોતેરમી છે
જેમણે ભવની અનંત શૃંખલા
તેડવા માટે સત્યં શિવં સુંદર
એવા સામાયિક–ગની સમર્થ પ્રરૂપણું કરી,
શ્રી અનંતનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ–વંદના હે.
શાહ મણીલાલ ગાંગજની કાં.
(નાના ભાડીયાવાલા) રંજન ટેકસટાઈલ, વી. કે. ટેકસટાઈલ,
એમ. જી. ટેકસટાઈલ હોલસેલ ટેરીકેટન, ટેરીલીનના વેપારી. સેન્ટ પિલ ટ્રીટ, હિન્દમાતા પાછળ, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪
ટે. નં. ૪૪૨૪૩૨
Page #580
--------------------------------------------------------------------------
________________
----
વંદના આગણે શીમી
જેમણે સમ્યગ્ દર્શનની સિદ્ધિ માટે
તથા
સમ્યગ્ જ્ઞાનની વૃદ્ધિ માટે તેમજ
સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ માટે
સામાયિક ચાગના પરમ પ્રકાશ કર્યાં, તે
શ્રી ધર્મનાથ ભગવાનને
અમારી
કોટિ કોટિ વઢના હા.
ચન્દ્રકાન્તની કાં. ( નાના ભાડીયાવાલા ) હોલસેલ કાપડના વેપારી ૧ લી સેન્ટપાલ સ્ટ્રીટ, હિન્દમાતા સીનેમા પાછળ, દાદર, સુબઈ-૪૦૦૦૧૪ ટે. નં. ૪૪૦૦૯૨
Page #581
--------------------------------------------------------------------------
________________
CARA
જી વાદના એ ગીમી
જેમણે ચિત્તની
પરમ શાંતિ માટે
તથા
કમ કટકના સર્વ ઉપદ્રવ શમાવવા માટે સામાયિક-ચેાગની . સર્વોપરિત સિદ્ધ કરી, તે
શ્રી શાંતિનાથ ભગવાનન અમારી
ક્રેડિટ ટિ વંદના ડુંડ
☺ જયંતકુમારની કુાં.
સેન્ટ પેાલ સ્ટ્રીટ, હિન્દમાતા સીનેમા પાસે, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪ ટે. નં. ૪૪૬૮૨૭
eeee
INSAINIAIAIAIA
Foto CEECECEC
Page #582
--------------------------------------------------------------------------
________________
આ વંદના એકાશીમી આ
જેમણે સામાયિકની સિદ્ધિ માટે છયે કાયના જે
પ્રત્યે સમદષ્ટિ કેળવવાને અનન્ય અનુરોધ
કર્યો,
શ્રી કુંથુનાથ ભગવાનને
અમારી કેટિ કોટિ વંદના હે.
નટવરલાલ તારાચંદ દ્વારા
(સુરેન્દ્રનગરવાલા) તેલવાલા બીલડીંગ, રજે માળે,
નરશી નાથા રટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૧૬૨૦
IT IS
T
IG.
T
T
૧૧
Page #583
--------------------------------------------------------------------------
________________
* વંદના ખ્યાશીમી
DAVEAVE:VAVAVOASVATAVAVAVAVAVAVAVAVeveo
જેમણે સામાયિકની સાધના વડે રાગને રોળી નાખે, દ્વેષને દૂર ભગાડ્યો,
તથા ક્રોધ, માન, માયા
અને લેભને સર્વીશે નાશ કરી વિતરાગતા સિદ્ધ કરી,
SIDDEVALALALALALALALALALALGATAET:ALECO
શ્રી અરનાથ ભગવાનને
અમારી કેટિ કોટિ વંદના હો.
અનાજ
શ્રી પૃથ્વી કોટન મીલ્સ લીમીટેડ
ભરૂચ (ગુજરાત)
૭૩૭૭૭૩૭૭૭૭૭૭
Page #584
--------------------------------------------------------------------------
________________
\\\L\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\I
* વંદના ત્યાશીમી
જેમણે સામાયિકની અપૂર્વ
આરાધના દ્વારા
સાતેય પ્રકારના ભ્રયાને જીતીને
જિનપદની પ્રાપ્તિ કરી, તે
શ્રી મલ્લિનાથ ભગવાનને
અમારી કોટિ કોટિ વંદ્યના હો.
આર. જયેશ એન્ડ કુાં,
આયન એન્ડ સ્ટીલ મરચન્ટસ ૨૬–સ્ટીલ યાર્ડ હાઉસ, ત્રીજે માળે, કર્ણાંકબંદર, લોખંડ બજાર, મુંબઈ-૪૦૦૦૦૯
ટે, ન. ૩૩૮૮૫૧
cccscendence—e—e—cence—RECIS
Page #585
--------------------------------------------------------------------------
________________
આ વંદના ચોરાશીમી થઇ
જેમણે સામાયિકરૂપી સૂર્યને
પ્રકાશ કરી મિથ્યાત્વ અને મેહના મહાતિમિરને હણ
નાખ્યું,
* તે
શ્રી મુનિસુવ્રત સ્વામીને
અમારી કોટિ કોટિ વંદના હે.
ડી. એન. પાલાની
સં. મહારાષ્ટ્ર ટ્રેડર્સ (એકસપર્ટસ અને પેર્ટસ)
મગનલાલ ચેમ્બર્સ, ત્રીજે માળે, રૂમ નં. ૩૦૬, બાબુરાવ બેબડે માગ, મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૪૪ ૧૬૪
Page #586
--------------------------------------------------------------------------
________________
************************
**********:************
૪ વંદના છયાશીમી ઋ
જેમણે સર્વ અષ્ટિના નાશ કરવા માટે સામાયિક–ચાગને ઉત્કૃષ્ટ કેનિ ઉપાય ગણ્યા
અને તેનાં વિવિધ અંગોની સ્પષ્ટ સમજૂતી આપી, તે
શ્રી અરિષ્ટનેમિ ભગવાનને
અમારી
કોટિ કોટિ વંઢના ડૉ.
இ
શાહ દેવચંદ એન્ડ કાં.
નાન ફોરેસ મેટલ એલ્યુમીનીયમ વાસણાના વેપારી
આફિસ : ગુરૂદત્ત મંદિર,
૧૨૨-એ, ઢાકાર દ્વાર રોડ, સુબઈ-૪૦૦૦૦૨. ટે. ન. ૩૫૬૮૮૧
******** **********
******************************
******
Page #587
--------------------------------------------------------------------------
________________
૪ વંદના સત્યાશીમી
જેમણે ક કટક સાથે
આખરી યુદ્ધ ખેલવા માટે સામાયિક–ચેાગના
સમલ શસ્ત્ર તરીકે ઉપયાગ કર્યો અને તેમાં
જ્વલંત સફલતા મેળવી, તે
શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કેટ કેટિ વંદના હૈ।.
બ્રાઇટ બાર મેન્યુફેકચરીંગ કાં
ભરૂચ ( ગુજરાત )
ટે, ન. ૧૯૩, ૩૬૮
米米米米米米米米米米影粥米米米米米米米米米溯:米米米米米米米米米米米米
Page #588
--------------------------------------------------------------------------
________________
ઋ વંદના અયાશીમી
જેમણે
સામાયિ યાગની સિદ્ધિ માટે ઉપવાસ, એકાંત, મૌન અને
યાનને! આશ્રય લીધે તથા
અનેક પ્રકારના પરીષહે અને ઉપસગેમાં સહ્યા, તે
શ્રી મહાવીર પ્રભુને અમારી
કોટિ કોટિ વંદના હા.
કાંતિલાલ ખી. શાહ ( પ્રાંતિજવાળા )
૧૨ ૩, શીવશક્તિ બીલ્ડીંગ હા બાપુ રોડ, મલાડ, (ઈસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૪
wwwwwwww
BANANAWAANDAANRADANDAANANEANNUS
Page #589
--------------------------------------------------------------------------
________________
SOOLS 20 000000 O
GSSS
વંદના નેવ્યાશીમી
અશેક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ આદિ
અષ્ટ મહાપ્રાતિહાય ની પૂજા પામી રહેલ પુરુષાદાનીય
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી
કેડિટ ટિ વંદના હૈ.
ભીખીબેન અમૃતલાલ સધી તેકરવાડી, ન્યૂ બીલ્ડીંગ-ખ, પહેલે માળે, બ્લાક ન. ૧ઠાકુરદ્વાર રોડ, મુંબઈ-૪૦૦૦૦૨
\\\\\\00\\\\\\\\\\\\\\\\\\\\\\\\
Page #590
--------------------------------------------------------------------------
________________
**
× વંદના નેવુંમી
જેમણે લેાકાલાકનુ સ્વરૂપ પ્રકાશ્યું, ષદ્રષ્યની પ્રરૂપણા કરી,
તથા
ઉત્પાદ, વ્યથ અને ધ્રૌવ્યને
સિદ્ધાંત સમજાવી અનેકાન્તવાદને આગળ કર્યાં,
તે
મહાન ધર્દેશક
શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી
કાટિ કોટિ વઢના હા.
શ
કાંતિલાલ હિંમતલાલ શાહ
( રામપુરા ભંકોડાવાળા ) આરીવલી, સુ`બઇ
Page #591
--------------------------------------------------------------------------
________________
1
.
TT
111
T1 IT
***
આ વંદના એકાણુંમી છે
જેમની મુખમુદ્રા પ્રશમરસમાં નિમગ્ન છે, જેમની સેવા કરનારના
સર્વ મનોરથે અજબ રીતે પૂરા થાય છે,
હિમયી નગરીના અધિરાજ શ્રી ગેડી પાર્શ્વનાથને
અમારી કેટિ કોટિ વંદના હે.
બબલદાસ કરમચંદ શાહ
(લાડોલવાળા) પાટકર કેલેજની બાજુમાં, ઘેડબંદર રોડ, ગોરેગાંવ,
મુંબઈ-૪૦૦૦૬૨
Page #592
--------------------------------------------------------------------------
________________
*******************
**********
******
વ્રુંદતા બાણુંમી ×
ભડકિયાને અન્નના ભવ્ય ભંડાર
બનાવી દેનાર,
શ્રૃતના કુલ્લામાં રહીને સકલ સઘને
કિલ્લેાલ કરાવનાર,
સુથરીના શિરતાજ
શ્રી ધૃતકલ્લાલ પાર્શ્વનાથને અમારી
કેડિટ ટિ વંદના હૈ.
D
છગનલાલ કે. રામી ( આજેલવાળા )
લક્ષ્મીનિવાસ નં. ૧, રૂમ ન. ૩ સરોજીની નાયડુ રેડ, કાંદીવલી,
મુંબઈ-૪૦૦૦૬૭
************************************
*****
Page #593
--------------------------------------------------------------------------
________________
સ
æ વંદના ત્રાણુંમી
જે હીમંત્ર-સ્વરૂપિણી છે, સ વિઘ્નાના ક્ષણ માત્રમાં નાશ કરનારી છે. જે
પાર્શ્વ ભક્તોના સમનેરથે પૂર્ણ કરનારી છે, તે
મહાદેવી શ્રી પદ્માવતીને
અમારી
કેડિટ કોટિ વંદના હા.
☺
ચિ. કુમારી અલકાબહેનના સ્મરણાર્થ
ડૉ. રમણલાલ સોમાભાઈ દેશી સૌ. સુદએન રમણલાલ દોશી
૮૪/૩, દુર્ મહાલ, મરીન ડ્રાઇવ, સુંબઇ-૪૦૦૦૦૨
2. ન. ૨૯૨૧૧૯
હ કરે
vee
એક હ
Page #594
--------------------------------------------------------------------------
________________
LLLLLL
JILLIANNINI UNULUI
Y YYYYYYYYYYYYYYYY
ઇ.
..
.
જ વંદના ચોરાણુંમી ૪
આ
જે સરસવતીરૂપે સર્વ વિદ્યાઓને આપનારી છે,
તથા.
YYYY),
લક્ષ્મીરૂપે વિપુલ સંપત્તિની વર્ષા કરનારી છે,
BemowWUWROTNOWWWWWDDWMWMOTUS
'JAUDIO LAUDIO SIDDIDADED
મહાદેવી શ્રી પદ્માવતીને
અમારી કોટિ કોટિ વંદના હે.
આD
ધી બોમ્બે ગ્રેન ડીલર્સ એસોસીએશન
ગ્રેન ડીલર્સ બીલ્ડીંગ, ૧૦૩-કેશવજી નાયક રેડ, પિ. બે. નં. ૫૦૩૯
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૨૯૧૩૨, ૩૪૫૨૩૫
UMWAMTEREMBENTUMMODO
Page #595
--------------------------------------------------------------------------
________________
% વંદના પંચાણુંમી
જેમનું સ્મરણ-પૂજન-આરાધન
મનના સર્વ મનોરથને પૂર્ણ કરે છે
તથા
અધ્યાત્મના માર્ગે
આગળ વધવાનું અપ્રતિમ બલ સમર્પે છે,
શ્રી સિદ્ધચક ભગવાનને
અમારી કોટિ કોટિ વંદના હે.
કુસુમ એજીનીયરીંગ ૨૧૩–નરસી નાથા સ્ટ્રીટ,
મુંબઈ-૪૦૦૦૦૯ ટે. નં. ૩૩૨૬૪૪, ૩૪૪૬૪૨
Page #596
--------------------------------------------------------------------------
________________
જ્ર વંદના છન્નુંમી ઋ
သူ့
સર્વ મંગલેાનું મોંગલ છે, જે
સર્વ કલ્યાણનું કારણ છે અને જે
સર્વ ધર્મોમાં
અનેક દૃષ્ટિએ
પ્રધાનપદ ભોગવે છે. તે
જૈન ધર્મોને
અમારી
કેટ કટિ વંદના હા.
ધીરજલાલ ટોકરશી શાહ અને કુટુબીજને
લધાભાઈ ગણપત બીલ્ડીંગ, ૧૧૩-૧૫ કેશવજી નાયક રોડ, ( ચીંચ’દર ) સુ`બઈ-૪૦૦૦૦૯
Firoof. Bowls
Page #597
--------------------------------------------------------------------------
________________
%A:33:
A
%
S
A
3 વંદના પંચાશીમી ,
%
NAટ
જેમણે ધર્મ અને અધ્યાત્મના
સારરૂપે
તથા યેગના પરમ તત્વ
તરીકે સામાયિકને પૂર્ણ પ્રકાશ કર્યો,
પ
શ્રી નેમિનાથ ભગવાનને
અમારી કેટિ કેટિ વંદના હે.
આણંદજી વેલજી શેઠીઆ
નારાણનિવાસ, તીથ્થલ રેડ.
વલસાડ
(ગુજરાત) ટે. નં. ૨૫૭૧, ૨૧૭૧
AKASMATAN
Page #598
--------------------------------------------------------------------------
________________ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહનું રચેલું પ્રાણવાન પ્રતિષ્ઠિત સાહિત્ય મહાપ્રાભાવિક ઉવસગહર સ્તોત્ર (બીજી આવૃત્તિા) 10-00 ભક્તામર—રહસ્ય (બીજી આવૃત્તિ) 12-50 શ્રી ઋષિમંડલ-આરાધના (બીજી આવૃત્તિ) 1250 શ્રી પા–પદ્માવતી આરાધના (બીજી આવૃત્તિ) 7-50 સિદ્ધિદાયક સિદ્ધચક્ર 12-50 જીવવિચાર પ્રકાશિકા (બીજી આવૃત્તિ) 10-80 અપચાગી મંત્રવિજ્ઞાન (ત્રીજી આવૃત્તિ). 12-50 મંત્રચિંતામણિ (બીજી આવૃત્તિા) 12-50 મંત્રદિવાકાર (બીજી આવૃત્તિ) 12-50 જપ-ધ્યાન-રહસ્ય (બીજી આવૃતિ) 12-50 આત્મદર્શનની અમોધ વિદ્યા 10-00 શ. પં. શ્રી ધીરજલાલ શાહ જીવનદર્શન 10-00 સંક૯૫સિદ્ધિ (બીજી આવૃત્તિ) 6-00 ગણિત-ચમકારે (ત્રીજી આવૃત્તિ) 5-00 ગણિત-રહસ્ય (ત્રીજી આવૃત્તિ) 5-00 ગણિતસિદ્ધિ (બીજી આવૃત્તિ) 5-00 - પ્રાપ્તિ થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બીડીંગ, 113-15 કેશવજી નાયક રોડ, | (ચચ બંદ૨) મુંબઈ-૪૦૦ 009 આવરણ , દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧