SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ આત્મા ભણી રાખો ૩૨૩ વૃદ્ધાવસ્થાને પામનારો છે અને મરણ આવ્યે તેને આધીન થનારા છે, તે તે હુ‘” કેમ હોઇ શકે? ' (૪) આત્મા પવિત્ર છે, શુદ્ધ છે, જ્યારે દેહ તા અપવિત્રતાથી ભરેલા છે, અશુચિનુ ધામ છે અને તેના દશે દરવાજેથી લીટ, લાળ, પરસેવા વગેરે ગંદકીના પ્રવાહ નિર ંતર વહ્યા કરે છે, તે તે ‘હું' કેમ હોઈ શકે ? (૫) આત્મા અન’ત જ્ઞાન, અનંત દર્શન, અન’ત ચારિત્ર અને અનંત શક્તિવાળા છે, જ્યારે શરીર તેા કઈ પણ જાણી શકતુ નથી, જોઈ શકતુ નથી, કરી શકતું નથી કે કોઇ જાતની શક્તિ ધરાવતું નથી, તે તે ‘હુ” કેમ હાઈ શકે? + તાત્પ કે આત્માનું સ્વરૂપ જુદું છે અને દેહનુ સ્વપરૂ પણ જુદુ છે, એટલે દેહને હું-આત્મા—સ્વ માની લેવાની ભૂલ કરવી ન જોઈએ. દેહનું સ્વરૂપ આત્માથી ભિન્ન છે, એટલે તેને ‘ પર ' સમજવા જોઇએ. તે જ રીતે જે વસ્તુઆ પૌદ્ગલિક છે, પુલિનિમ ત છે, તેને પણ ‘ પર ’ સમજવી જોઇએ. + શરીરમાં જે ક ંઈ કર્તૃત્વ અને શકિત દેખાય છે, તે આત્માને આભારી છે. તે પેતે જડ હોઈ કઈ કરી શકતું નથી. જો તે જાતે કરી શકતુ હોય તે મડદું તે બધુ કરી શકે, કારણ કે તે શરીરરૂપ છે, પણ તે કંઈ પણ કરી શકતું નથી, એટલે કતૃત્વ અને શકિત આત્માનાં જ માનવા ઘટે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy