SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકનો સાધનાક્રમ ૧૯૯ પરિણામે શેષ રહેલી વૃત્તિએ-વાસનાઓને ક્ષય થઈ જાય છે અને માક્ષની પ્રાપ્તિ થાય છે. આને અર્થ આપણે એમ સમજવાના કે સમત્વની સિદ્ધિ કરવી હોય તે પ્રથમ અધ્યાયની ભૂમિકા સિદ્ધ કરવી જોઈ એ, પછી ભાવનાની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ અને તે પછી ધ્યાનની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ. અમે આ ક્રમને અનુસરીને હવે પછીનાં પૃષ્ઠોમાં તે અ ંગે વિસ્તૃત વવેચન કરેલું છે. તેને શાંત-સ્થિર ચિત્તે વાંચવાથી સામાચિકના સાધનાક્રમ અંગે સ્પષ્ટ માદુન મળશે અને તે સિદ્ધિ સમીપે લઈ જશે એવે અમારા દૃઢ વિશ્વાસ છે. પ્રશ્નોત્તરી પ્રશ્ન-સામાયિકની સાધનામાં ચેોગસાધનાનાં કયાં તત્ત્વા ગોઠવાયેલાં છે ? ઉત્તર-લગભગ બધાં જ. સ્થાનપ્રતિબદ્ધતા, સૂત્ર કે મંત્રનું રટણ, સૂત્રારૂપ તત્ત્વની અનુપ્રેક્ષા અને સાલ અન તથા નિરાલ'અન ધ્યાનને સામાયિકની સાધનામાં વ્યવસ્થિત સ્થાન અપાયેલું છે. પ્રશ્ન-અષ્ટાંગ ચોગસાધનાની દૃષ્ટિએ શું પરિસ્થિતિ છે? ઉત્તર-એ દૃષ્ટિએ પણ સામાયિકની સાધના ચાગતત્ત્વાથી ભરપૂર છે. હ, પ્રશ્ન-શું સામાયિકની સાધનામાં યમ-નિયમેાને સ્વીકાર થયેલા છે ? - -
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy