SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાઓનું સેવન-૧ ૩૯ મને આ દુઃખમાંથી મુક્ત કરી શકયું નહિ. હે રાજન ! એ જ મારી અનાથતા !” આ રીતે જ્યારે મેં ચારે બાજુથી અશરણતા-અસહાથતા અનુભવી, ત્યારે મને લાગ્યું કે જેને આજ સુધી હું દુઃખનિવારણનાં સાધનો માનતો, તે ખરેખર તેવાં ન હતાં. માટે એ સાધને બીજા જ હોવાં જોઈએ. એ વખતે મને યાદ આવ્યું કે પોતે કરેલાં શુભ કે અશુભ કર્મોનું ફલ અવશ્ય ભેગવવું પડે છે, માટે આ દુઃખ મારા પૂર્વકનું ફલ હોવું જોઈએ અને મારું મન કર્મના હેતુઓ શોધવા લાગ્યું. એ શોધમાં હું સમજી શકયે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ આદિ પ્રવૃત્તિઓ પાપના પંથે લઈ જનારી છે અને તેથી આ કર્મ બંધનમાંથી છૂટવું હોય તે મારે આ પાપપ્રવૃતિઓને ત્યાગ કરીને ક્ષમા, શાંતિ, શૌચ આદિ ગુણો કેળવવા જોઈએ. પરંતુ આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે હું આ દુઃખ-દર્દમાંથી મુક્ત થાઉં, એટલે તે જ વેળા મેં એ સંકલ્પ કર્યો કે “જે હું આ રોગમાંથી મુક્ત થઈશ, તે શાંત, દાંત, નિરારંભી થઈશ, અર્થાત્ સર્વ પ્રકારના આરંભ-સમારંભને છોડનારે નિગ્રંથ સાધુ બનીશ.” એ સંકલ્પ કર્યા પછી મેં સૂવાને પ્રયત્ન કર્યો કે મને તરત જ ઊંઘ આવી ગઈ અને રાત્રિ જેમ જેમ વીતતી ગઈ, તેમ તેમ મારી વેદના પણ શાંત થતી ગઈ. સવારે હું ઊઠે ત્યારે બધું દર્દ શમી ગયું હતું.'
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy