SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ સામાયિક-વિજ્ઞાન. પાલન અને અમન–ચમનની પડી છે, આત્માના હિત કે કલ્યાણની કંઈ જ પડી નથી. આપણે આત્માને “હું” માને જોઈને હતે, તે કેમ ન માન્યા ? તેને ખુલાસે બકરી આ સિંહના દષ્ટાંતથી કરીશું. બકરીઆ સિંહનું દષ્ટાંત એક ભરવાડ વનમાં બકરાં ચરાવતું હતું, ત્યાં તરતનું જન્મેલું એક સિંહનું બચ્ચું તેના જેવામાં આવ્યું. તે એને ઘરે લઈ આવ્યું અને બકરાંનું દૂધ પાઈને મેટું કર્યું. અનુક્રમે તે મેટો સિંહ થયે. તે સિંહ બકરાના વાડામાં રહેતું હતું અને જ્યારે બકરાં ચરવા જાય, ત્યારે તેમની સાથે ચરવા જતા હતા. ત્યાં તે બકરાની સાથે જ હરતેફરતે, બકરાંની સાથે જ ઊઠતે-બેસત અને બકરાંની સાથે જ ખાતે–પી. આમ ઘણી વખત બકરાંની બતમાં રહેવાથી તે સિંહ પોતાને બકરે જ માનતો હતો અને પિતાને સર્વ જીવન-વ્યવહાર તે મુજબ જ ચલાવતા હતા. એક દિવસ આ બકરીઓ સિંહ અન્ય બકરાંઓ સાથે ચરવા ગયે, ત્યાં વનને બીજે સિંહ આવી ચડે અને તેણે પિતાના સ્વભાવ મુજબ ગર્જના કરી. આથી બધાં બકરાં નાસવા લાગ્યા અને તેમની સાથે બકરીઓ સિંહ પણ નાસવા લાગ્યું. એ જોઈ વનના સિંહે કહ્યું: “અરે ભાઈ! મારી ગર્જનાથી બકરાં તે નાસી જાય, પણ તું કેમ નાસે. છે? તું તે મારા જે જ સિંહ છે!
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy