SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાઓનું સેવન-૧ ૩પપ આવે, પરંતુ અહીં “ હૈં નથી એ વિચાર જ્ઞાનદશાથી કરવાનું છે અને તેના વડે આત્માનું અનુશાસનનિયંત્રણ કરવાનું છે, એટલે કે તેને સમજાવીને ઠેકાણે રાખવાનો છે, જેથી એ ધર્મધ્યાનની ધારામાં આવે અને આત્મકલ્યાણમાં ઉપયોગી થાય. વળી એકીભાવમાં સ્થિર થવા માટે એમ પણ વિચારવાની જરૂર છે કે મારે આત્મા એક જ શાશ્વત છે અને કર્મ જન્ય બધી વસ્તુઓ અશાશ્વત છે, અનિત્ય છે, એટલે તે મારી હોઈ શકે નહિ. માત્ર જ્ઞાન-દર્શન એ જ મારાં છે, કારણ કે તે માટે સ્વભાવ છે. આ રીતે એકત્વનું અનેક રીતે ચિંતન કરવાથી એકત્વભાવના સિદ્ધ થાય છે અને તે આત્મકલ્યાણના માર્ગ તરફ દોરી જાય છે. પ- અન્યત્વભાવના આત્મ અને અનાત્મ વસ્તુઓનું અન્યત્વ-ભિન્નત્વ ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે. જેમ એકત્વને વિચાર કરતાં વૈરાગ્ય થાય છે, તેમ અન્યત્વને વિચાર કરતાં પણ વૈરાગ્ય થાય છે. તેથી એકત્વભાવનાની જેમ અન્યત્વભાવનાનું પણ દઢતાથી ચિંતન કરવાનું છે. - મુખેથી આત્મા અને અનાત્માની વાત કરવા છતાં આપણાં હૃદયમાં આત્મા અને અનાત્માની જુદાઈ વસી નથી, અન્યથા દેહ અને માલમિલકત વગેરે પર આટલી મૂચ્છ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy