SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ સામાયિકને સાધનાક્રમ અન્યત્ર કહ્યું છે કે– समता सर्वभूतेषु, संयमः शुभभावना । आतरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ॥ ‘સર્વ પ્રાણીઓ સાથે સમભાવ, સંયમ, શુભભાવના અને આર્ત તથા રૌદ્રધ્યાનને ત્યાગ, એ જ સામાયિકવ્રત છે.” આમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ ઉપરાંત બીજી ત્રણ મહત્વની વસ્તુઓ કહેવામાં આવી છે. એક તો સામાયિકના સાધકે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવે. એટલે કેઈને વૈરી-વિરોધી ન માનતાં બધાને મિત્ર ગણવા. આ સંગોમાં કેઈનું અહિત કરવાની ભાવના તે થાય જ કયાંથી ? એટલે દયાની વાત આમાં આવી ગઈ. બીજી વસ્તુ સંયમની છે. સંયમ વિના ધર્મ, અધ્યાત્મ કે એગમાં આગળ વધી શકાતું નથી. ધર્મશાસ્ત્રોએ સંયમના ૧૭ પ્રકારો માન્યા છે. પાંચ ઇન્દ્રિયને નિગ્રહ; પાંચ અવતનું વિરમણ, એટલે હિંસા, જૂ, ચોરી, મૈથુન તથા પરિગ્રહને ત્યાગ; ચાર કષાયને જય, એટલે કેાધ, માન, માયા અને લેભને પરાભવ; અને મન, વચન તથા કાયા પર પૂરે કાબુ. ત્રીજી વસ્તુ શુભ ભાવનાની છે. શુભ ભાવનાને સામાન્ય અર્થ સહુનું ભલું ઈચ્છવું તે છે. અને વિશેષ અર્થ તે શાસ્ત્રોમાં વર્ણવેલી બાર પ્રકારની તથા ચાર પ્રકારની ભાવનાએનું સેવન છે. વિશેષમાં એમ પણ કહેવાયું છે કે – जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ સા. ૧૨ લાલન થતું છ ત છે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy