SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ અને માનને કાઢે ૨૮૫, પિળના માણસને ત્યાં આવતા કઈ પણ વ્યાવહારિક પ્રસંગે હાજરી આપતા નહિ અથવા હાજરી આપે તો નામ માત્રની. તેને લગતા કેઈ કામમાં સહાયક થતા નહિ. એવામાં તેમની માતાનું મરણ થયું, તેને સાદ પડ્યો, પણ કેઈ પિળવાળો હાજર થયે નહિ. આ વખતે તેમને ભાન આવ્યું કે મારી મેટી ભૂલ થઈ છે અને તેમણે પિળને કેટલાક કાર્યકર્તાઓને બેલાવી પિતાની ભૂલની માફી માગી તથા હવે પછી દરેક વ્યવહારમાં બરાબર ભાગ લેવાનું વચન આપ્યું, ત્યારે પાળવાળા ભેગા થયા અને તેમની માતાને સ્મશાનભૂમિએ પહોંચાડી અગ્નિદાહ દીધે. તાત્પર્ય કે અભિમાનથી વ્યવહાર બગડે છે. વ્યાપાર, રોજગાર, ધંધા કે નેકરી ઉપર પણ અભિમાનની અસર બહુ માઠી થાય છે. નમ્રતાથી જવાબ આપનારને ત્યાં ઘરાકી જામે છે અને અભિમાની તથા ઉડાઉ જવાબ આપનારને ત્યાંથી ઘરાક ચાલવા માંડે છે. મોટા સેદાઓમાં પણ આવું જ બને છે. નોકરીમાં તે નમ્રતાની ખાસ જરૂર પડે છે. ત્યાં અભિમાન આવ્યું કે નેકરીમાંથી રૂખસદ મળે છે. આ રીતે અભિમાનથી અર્થને પણ નાશ થાય છે. જેનાથી ઇન્દ્રિયોને તૃપ્તિ ઊપજે, તેને કામ કહેવામાં આવે છે. આનંદ-પ્રમોદનાં બધાં સાધનને તેમાં સમાવેશ થાય છે. અભિમાનને ઉદય થતાં આ કામસુખને પણ નાશ થાય છે. એક પિતાએ મરતી વખતે પિતાના પુત્રને ઘણું ધન વારસામાં આપ્યું. આ પુત્ર યુવાન હતો અને અભિમાની પણ હતું. તેણે પિતાની મેટાઈ બતાવવા માટે પિતાને ત્યાં
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy