SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સામાચિક—વિજ્ઞાન પણ સામાયિકનું જ એક અંગ માનવામાં આવ્યું છે. જો ગુણવાન ગુરુના વિનય કરવામાં ને આવે તે સામાયિકના લાભ થાય નહિ, સામાયિકની ક્રિયા તેમની નિશ્રામાં, તેમના માદન નીચે જ કરવાની છે, પછી તેમને વિનય કર્યાં વિના કેમ ચાલે ? વળી દેવ અને ગુરુ અને પ્રત્યે શ્રદ્ધાન્વિત થવાથી જ સામાયિકની સિદ્ધિ થાય છે, એટલે તેમને વિનય, તેમની ભક્તિ, તેમનું બહુમાન આવશ્યક છે. પ્રમાદ, અણુસમજ કે ઉપયાગની ખામીને લીધે સામાચિકની ક્રિયામાં–સાધનામાં ઘણી સ્ખલનાએ થાય છે. પરંતુ પ્રતિક્રમણને આશ્રય લેતાં એ સ્ખલના સુધરી જાય છે અને નવી સ્ખલનાએ ન થાય, તેની તકેદારી જાગે છે. આ રીતે સામાયિકની શુદ્ધિ જાળવી રાખવામાં અને તેની ધ્યેયલક્ષી પ્રવૃત્તિને ગતિ આપવામાં પ્રતિક્રમણુ ખાસ સહાય કરે છે, તેથી તેને સામાયિકના એક અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે. સામાયિક એ શુદ્ધ આધ્યાત્મિક ક્રિયા છે, પણ દેહની મમતાને લીધે તેમાં ડહેાળાણ થાય છે અને નહિ ધારેલા– નહિ પેલા દોષો ફૂટી નીકળે છે, પરંતુ કાયાત્સ તુ આલમન લેતાં દેહની એ મમતા દૂર થાય છે અને આત્મશૈાધન કરવાની અનેરી તક સાંપડે છે કે જે સામાયિકની સાધનામાં અત્યંત જરૂરી છે, તેથી કાયાત્સગને પણ સામાયિકનું એક અંગ ગણવામાં આવ્યું છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy