________________
૩૯૮
સામાયિક-વિજ્ઞાન ધ્યાન એટલે ધર્મસ્થાન અને શુકલધ્યાનની ગણના અત્યંતર તપમાં થાય છે.
પ્રશ્નકેટલાક સ્થળે માત્ર ધ્યાન શબ્દનો જ પ્રયોગ કરેલ હોય છે, ત્યાં શું સમજવું ?
ઉત્તર- ઉપાદેયના અધિકારે દયાન શબ્દ પ્રયોગ થયેલ હોય તે ત્યાં શુભ થાન સમજવું અને હેયના અધિકારે ધ્યાન શબ્દ પ્રયોગ થયેલ હોય તો ત્યાં અશુભ ધ્યાન સમજવું.
પ્રશ્ન-ભાવનામાં અને ધ્યાનમાં ફેર છે ?
ઉત્તર-ભાવનામાં ભાવવૃદ્ધિ કે વિચારશુદ્ધિ નિમિત્તે ચિંતન હોય છે, પણ તે એકધારું હોતું નથી. જ્યારે
ધ્યાનમાં એકધારું ચિંતન હોય છે કે જેનાથી મન અમુક વખત સ્થિરતા અનુભવે છે.
પ્રનિ-શું આધ્યાન અને રૌદ્રધ્યાનમાં પણ ચિત્ત સ્થિરતા અનુભવે ખરું ?
ઉત્તર- હા. તેમાં પણ ચિત્ત ચોંટી જાય, લીન થાય, એટલે સ્થિરતા અનુભવે, પણ એ સ્થિરતા વિશેષ કમને ખેંચનારી-આત્મા સાથે બંધ પમાડનારી હોય છે.
પ્રશ્ન–આવી સ્થિરતા કેટલે વખત રહે?
ઉત્તર–વધારેમાં વધારે અંતમુહૂર્ત, એટલે કે અડતાલીશ મીનીટ.