________________
ભારતાં જ મહાન
વિચાર, મિનાય. તેથી
દૃષ્ટિ આત્મા ભણું રાખે
૩૨૯ ઉચારતાં જ મેઢાની ડાકલી ફાટી રહી તે શું કરશે ? વિચારે, બંધુઓ વિચારે! વિચારે, મિત્રે વિચારે ! કદી પાંચ-પંદર માણસ આવા શબ્દો ઉચ્ચારતા હોય, તેથી તમારે પણ ઉચ્ચારવાં, એ તે આંધળું અનુકરણ છે અને તેનું પરિણામ કદી પણ સારું આવી શકે જ નહિ.
કેટલાક કહે છે કે “અમે ગૃહસ્થાવસ્થામાં છીએ તે ગૃહસ્થ તરીકેની ફરજ બજાવવી કે નહિ? જે અમે આત્મા અને અધ્યાત્મની વાર્તામાં અટવાઈ જઈએ તે એ ફરજો ચૂકી જઈએ અને અમારું ગૃહસ્થજીવન બગડે. એટલે અમે તે ન રહીએ ઘરના અને ન રહીએ ઘાટના, એવી સ્થિતિમાં આવી પડીએ. તેથી આ બાબતમાં અમારું દિલ વધતું નથી.”
આ કથન અમે બરાબર સાંભળી લીધું છે. હવે તેને ઉત્તર સાંભળે. “દરેક ગૃહસ્થે પોતાની ફરજ બરાબર સમજી લેવી જોઈએ. આ ફરજોમાં કૌટુંબિક અને સામાજિક ફરજે ઉપરાંત ધાર્મિક અને રાષ્ટ્રીય ફરજોને પણ સમાવેશ થાય છે. જે મનુષ્ય માત્ર પિતાના કુટુંબ સામે જ દષ્ટિ રાખે છે અને સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય ફરજે તરફ ઉપેક્ષા સેવે છે, તેને ઘણું શેષવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સ્થિતિમાં તે આગળ વધવાને બદલે પાછો પડે છે. કદાચ તે સામાજિક અને રાષ્ટ્રીય ફરજ બજાવે, પણ ધાર્મિક ફરજો ન બજાવે તે પણ તેની હાલત બૂરી થાય છે, કારણ