________________
ભાવનાઓનુ સેવન ર
૩૮૧
સામાયિકના જેવા સર્વ શ્રેષ્ઠ રાજ્યેાગની સાધના કરી કેવલજ્ઞાન અને કેવલદન પ્રાપ્ત કર્યા. તથા લાખા મનુષ્યને ધર્માંપદેશ કરી તેમનું કલ્યાણુ કર્યું, તેથી એ શરીર પૂજવા યેાગ્ય ગણાયું છે. તીર્થંકર ભગવતનાં નવ અ ંગાની પૂજા થાય છે, તે દરેકનુ મહત્ત્વ શ્રી વીરવિજયજી મહારાજે નવ અંગપૂજાના દુહામાં સારી રીતે બતાવ્યુ છે, એટલે અહી તેનું વિવેચન કરતા નથી.
પ્રશ્ન-સવર અને નિર્જરા ભાવનાની વિશેષતા શી છે ? ઉત્તર-સામાયિકયેાગની સાધનામાં જે કંઇ કરવા જેવું છે, તેની પૂરી રૂપરેખા તેમાં આવી જાય છે. જ્યારે યાગ શબ્દની વિશેષ પ્રસિદ્ધિ ન હતી, ત્યારે જૈનેની યાગ પ્રણા લિકા મુખ્યત્વે સંવરમાગ તરીકે ઓળખાતી હતી. આજે પણ ઘણા સામાયિકને સંવર તરીકે ઓળખે છે.
પ્રશ્ન-સવર અને નિર્જરાની ભાવના પુષ્ટ કર્યાં પછી ધર્મની ભાવના પુષ્ટ કરવાની જરૂર રહે ખરી ?
ઉત્તર-હા. સવર અને નિરા કરતાં ધર્મ ભાવનાનુ ક્ષેત્ર ઘણું વિશાલ છે અને તે મેાક્ષસાધનાના દરેક અંગાને પુષ્ટિ આપે છે, તેથી ધર્મ ભાવનાની-ધર્મ સ્વાખ્યાતભાવનાની ખાસ જરૂર છે.
પ્રશ્ન-લેક એટલે વિશ્વ, જગત કે દુનિયાના સ્વરૂપ વિષે આજે ઘણા વિવાદ છે, એટલે તેના સ્વરૂપનું ચિંતન ન કરીએ તે ?