________________
સામાયિક-વિજ્ઞાન
નિત્ય-નિરંતર મન સાથે કામ પાડવુ પડે છે અને તેની સારી– ખોટી પ્રવૃત્તિ અનુસાર સારી-ખાટી હાલતમાં મૂકાવુ પડે છે, એટલે તેના સ્વરૂપ-સ્વભાવથી વાકેફ થવું જરૂરનુ છે.
૧૮૪
ચેાગીરાજ શ્રી આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મનના સ્વરૂપ-સ્વભાવનું જે ચિત્ર દોર્યું છે, તે જાણવાનુ અહીં રસપ્રદ ઈ પડશે. તેઓ એ સ્તવનમાં કહે છેઃ
ૐ થ્રુજિત ! મનડું કમ હિન બાજે, હા કૅથજિન! મનડુ· કિમ હિન બાજે; જિમ જિમ જતન કરીને રાખુ, તિમતિમ અલગુ* ભાજે-હા !'જિન ! ૧
‘ હું કુંથુનાથ ભગવાન ! આ મનને કોઈ રીતે વશ કરી શકાતું નથી. હું જેમ જેમ તેને સાચવીને રાખું છું, તેમ તેમ તે દૂર ભાગે છે. કહા, આ સંયોગામાં હું શું કરું ? ?
તાત્પ કે મારું મન ધ્યેય સિવાય અન્ય કોઈ જગાએ જાય નહિ, એવા પ્રયત્ન કરું છું, પણ એ તેા ધ્યેયને છેડી અન્યત્ર ભાગવા માંડે છે.
એક સ્થલે સ્થિર ન રહેતા જ્યાં ત્યાં ભટકયા કરવું તેને શાસ્ત્રકારોએ ‘વિક્ષેપ’ કે ‘ચ’ચલતા' નામના દોષ ગણ્યા છે. આ ચંચલતાદોષ મનમાં કેટલા મોટા પ્રમાણમાં વ્યાપેલા છે? તેનુ નિર્દેન ખીજી ગાથામાં કરાવે છે. રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય;