________________
૨૦૮
સામાયિક-વિજ્ઞાન
લખેલા છે, તે જિજ્ઞાસુઓએ વાંચવા-વિચારવા ચાગ્ય છે. અષ્ટાંગયોગમાં (૧) યમ, (ર) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ એ આઠ અંગા હાય છે.
अकल्येऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र, ततः कर्तुं न साम्प्रतम् ॥ १९ ॥
· ચાહે આજે કે કાલે ( અથવા આ ભવમાં કે પરભવમાં ) કેવલજ્ઞાન ઉપર્યુક્ત સામ્ય-સમભાવ વડે જ પ્રાપ્ત થશે, ખીજી કોઈ પણ રીતે નહિ, તેથી આ બાબતમાં એક ક્ષણ વાર પણ પ્રમાદ કરવા ઉચિત નથી.’
તાત્પય કે કેવલજ્ઞાનની ઈચ્છા-અભિલાષાવાળાએ બીજી બધી આળપ પાળ છેડીને સમભાવની સિદ્ધિ માટે પ્રયત્નશીલ થવુ જોઇએ.
किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । વિ-બિનેટ્ર રામાવત સ્વ જીવું મનઃ ॥૨૦॥
‘જો આપણું મન રાગ અને દ્વેષથી કલુષિત છે, તે બુદ્ધ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ કે સ્વયં જિનેન્દ્રદેવથી પણ શું ? તા કે તેમાંથી કાઈ પણ કલુષિત મનવાળાને મુક્તિ આપી શકતા નથી.’
આપણે ગમે તે દેવને માનીએ કે ભજીએ, એ બધા ચે આલંબન રૂપ છે. તરવાનુ તા આપણા પુરુષાથી જ