________________
૨૫૬
સામાયિક-વિજ્ઞાન રોજ નવા નવા માણસને ઘરમાં ઘાલે છે અને તેમની સાથે અનેક પ્રકારની વાત કર્યા કરે છે, માટે તમારે જે વિચાર કરે હોય, તે કરો.”
આ પ્રકારની સતત ઉશ્કેરણીથી સુભટે એક ઘર, થોડું રાચરચીલું, પાંચ ગાયે અને પાંચ રૂપિયા રોકડા આપી. સુરંગીને તેના પુત્ર સેનપાલ સાથે જુદી કાઢી. | કુરંગી એકલી પડતાં પોતાનું મનમાન્યું કરવા લાગી અને સુભટ તેને તાબેદાર સેવક હોય તે જ બની ગયે. કહ્યું છે કે –
જે શૂરા, જે પંડિતા, જે શાણું ગંભીર
નારી સર્વ નચાવિયા, ત્યમ જે બાવન વીર. - હવે એક દિવસ તે નગરના રાજા વિજ્યયાત્રાએ નીકળે, તે વખતે સુભટને તેની સાથે જવાનું થયું, એટલે તેણે કુરંગીની વિદાય માગી. કુરંગીએ કહ્યું: “હે સ્વામિનાથ! તમારા વિયેગને એક એક દિવસ મને સે સો વરસ જેવડો લા લાગશે, તેથી કૃપા કરીને મને સાથે લેતા જાઓ.’
સુભટે કહ્યું “હે પ્રિયે ! લડાઈમાં તારું કામ નથી. વળી રાજાજીને એ હુકમ છે કે કોઈ પણ સ્ત્રીને યુદ્ધમાં સાથે લેવી નહિ. તેથી તું અહીં જ રહે અને ખાઈ-પીને મેજ કર. હું થોડા જ દિવસમાં પાછો આવીશ.”
સુભટના આ જવાબથી કુરંગીએ આંખમાં આંસુ લાવીને કહ્યું : “તમારી જે કંઈ આજ્ઞા હશે, તે માથે ચડાવીશ, પણ મારાથી અહીં એકલું રહેવાશે નહિ. હું તેની સાથે.