________________
દ્વેષને ત્યજો
૨૦૧
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી વસ્તુ ગમતી નથી, તેનું કારણ શું ?
ઉત્તર-આપણને એક વસ્તુ ગમે છે અને બીજી ગમતી નથી, તેનુ કારણ આપણા અંતરમાં રહેલી રાગ અને દ્વેષની વૃત્તિ છે. જ્યારે આ બને વૃત્તિએને ક્ષય થાય છે, ત્યારે ગમા—અણુગમા જેવું કંઇ રહેતુ નથી.
પ્રશ્ન-આપણે બે વ્યક્તિઓને જીવનમાં પહેલી જ વાર મળતા હોઇએ, ત્યારે એક પર સ્નેહ-સદ્ભાવ જાગે છે અને બીજા પર અપ્રીતિ કે અણગમે! થાય છે, તેનુ કારણ શું?
ઉત્તર-આમ થવાનું મુખ્ય કારણ પૂર્વભવના સંબધા છે. જેની જેડે પૂર્વભવમાં સારા સબંધ બંધાયા હાય, તેને નજરે જોતાં સ્નેહ-સદ્દભાવના જાગે છે અને જેની જોડે પૂર્વભવમાં વેર બંધાયેલું હાય, તેને નજરે જોતાં અપ્રીતિ કે અણગમા જાગે છે. તે અ ંગે ભગવાન મહાવીરના જીવનની એક ઘટના જાણવા જેવી છે.
શ્રી ગૌતમ સ્વામીએ એક હાલિકને-ખેડૂતને પ્રતિબેધ કર્યાં અને તેણે સંસારને અસાર જાણી તરત જ તેમની પાસે દીક્ષા લીધી. પછી ગૌતમ સ્વામી એ શિષ્યને લઇને ભગવાન મહાવીર પાસે જવા નીકળ્યા. તે વખતે હાલિક શિષ્યે પૂછ્યું : ‘ ભગવન્! આપણે કયાં જવું છે ? ' શ્રી