________________
૧૩૪
સામાયિક-વિજ્ઞાન રીતે કરવાની હોય, તે રીતે ન કરતાં બીજી રીતે કરીએ તે એ કિયામાં ખામી ગણાય, દેષ ગણાય અને એ રીતે કિયા અશુદ્ધ થઈ ગણાય. વળી જે કિયા જ્યાં કરવાની હોય, ત્યાં ન કરતાં આગળ-પાછળ કરીએ તે ક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય અને તે કિયાને દૂષિત બનાવે. એટલે કિયા કે. સાધનામાં આ બધી બાબતનું ગ્ય માર્ગદર્શન જરૂર જોઈએ.
પ્રશ્ન-માત્ર જાણવાથી આ કિયા આવડે ખરી?
ઉત્તર-ના. તે ગુરુ કે કઈ અનુભવી પાસેથી શીખી. લેવી જોઈએ.
પ્રશ્ન-આવી કિયા શીખ્યા ન હોઈએ તે સામાયિક થઈ શકે ખરું ?
ઉત્તર-ના. જેને સામાયિક કરવું હિય-સામાયિકની સાધના કરવી હોય, તેણે સામાયિકને લગતાં સૂત્ર અને તેના અર્થો શીખી લેવા જોઈએ, તેના રહસ્યને પરિચય મેળવી લેવું જોઈએ અને તેની વિધિનું જ્ઞાન પણ મેળવી લેવું જોઈએ. વળી આ કિયા બરાબર થાય, તે માટે ગુરુ કે અનુભવી પાસેથી તે શીખી લેવી જોઈએ. તે સિવાય સામાયિક બરાબર થઈ શકે નહિ. જેને રસોઈ કરવાનું કંઈ જ્ઞાન ન હોય, તે રઈ કરવા બેસે તે કેવી રઈ કરે ?
પ્રશ્ન-સામાયિકનાં સૂત્ર આવડતા હોય, પણ તેમાં ભૂલ પડતી હોય છે ?
ઉત્તર-તે એ ભૂલ પહેલી તકે સુધારી લેવી જોઈએ.