________________
૧૬૭
સામાયિકમાં શું ન કરાય?
ઉત્તર-રાજાઓના ઐશ્વર્ય, ભેગવિલાસ તથા રૂપશંગાર આદિ સંબંધી કથા-વાર્તા કરવી એ રાજકથા કહેવાય.
પ્રશ્ન–તેને વિકથા ગણવાનું કારણ શું છે?
ઉત્તર-આવી કથા-વાર્તાઓ સાંભળતાં મનુષ્યનું મન એશ્વર્ય તથા ભેગવિલાસ તરફ આકર્ષાય છે અને તેમાંથી અનેક જાતના અનર્થો પેદા થાય છે, તેથી તેની ગણના વિકથામાં કરવામાં આવી છે.
પ્રશ્ન-અપેક્ષારહિત વચન કેને કહેવાય ?
ઉતર–જેમાં અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓને નિષેધ કરવામાં આવ્યો હોય, તેને અપેક્ષારહિત વચન કહેવાય. દાખલા તરીકે “આ કાર્ય હું જરૂર કરીશ” અથવા
તમારું કાર્ય થશે જ આ વચને અપેક્ષારહિત છે. આપણે એક કાર્ય માટે પેજના ઘડી હેય, બનતે પ્રયત્ન કર્યો હોય અને એમ લાગતું હોય કે આ કાર્ય જરૂર થશે, છતાં છેલ્લી ઘડીએ એવી ઘટનાઓ બને છે કે કાર્ય થાય નહિ.” હાથમાં ગરમ ચાહ કે કેફીને કપ લીધે હોય, અને મઢે માંડવાની તૈયારી હોય, ત્યાં એ કપમાં માખી પડે છે અને ચાહ કે કેફી પીવાનું રખડી જાય છે. તાત્પર્ય કે આ વચન અન્ય અપેક્ષાઓ-સંભવિતતાઓથી રહિત હાઈ ખોટું પડવા સંભવ છે, તેથી નિરપેક્ષ–અપેક્ષાહિત વચનપ્રવેગ કરે નહિ, એવી મહાપુરુષની સલાહ છે. આ સ્થળે જ એમ કહીએ કે “આ કાર્ય માટે હું