________________
દ્વેષ અને વૈરના દાવાનલે ઉપર સદાય અમીછાંટણાં કર્યો છે. પ્રભુ! આપના સમવસરણની રચના સીને મંત્રમુગ્ધ કરી દે એવી છે, ન ષ, ન વૈર! જાણે સૌ છે દેહ. ભાવ ભૂલીને આત્માભાવમાં લીન થયા હોય એમ સમતારસમાં ઝીલતાં આપના ચરણે આવી વસે છે. સિંહને ગાય જાણે માડીજાયા ભાઈબહેનન હાય, વ્યાધ્ર અને હરણ જાણે ભાઈ ભાઈન હોય; મેર અને સર્પ જાણે એક કુળના ન હોય; એમ જન્મથી વૈરભાવ ભરેલા પ્રાણીઓ આપના ચરણે આવી શાંત થઈ જાય છે. આપના ચરણની આગળ બેસવાને રાય અને રંક, દેવ, દેવેન્દ્ર અને ચક્રવત, પાપી કે પુણ્યાત્મા સૌને એકસરખે અધિકાર છે. પ્રભુ ! આપનાં એ પરમ
સ્નેહ વર્ષાવતાં ચરણે, દુઃખ અને ઈથી ભરેલા આ સંસા૨માં મારે આધાર હજો. પ્રભુ ! લેભ અને લાલચમાં અંધ બનેલા મેં મારું આત્મભાન ભૂલીને કંઈક પાપી અને નીચ માનવીઓનાં શરણ ચૂમ્યાં છે. સાધુ, સાત અને મહંતની સેવા પણ મેં એ નમાલી લાલચ માટે કરી છે. આપના ચરણની સેવામાં આ લેભ લાલચને અંશ પણ ન હજો. પ્રભુ! આપના પગલે પગલે વેરાતી અઢળક સંપત્તિને આપે આત્મ સમૃદ્ધિના આગળ તણખલાથીય તુચ્છ ગણું છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે. મારા આ ત્મામાં એ આત્મસમૃદ્ધિને સંચાર થાય, મારી સંસારી લાલચે નાશ પામે એટલા માટે હું આપના ચરણની ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! અનંત આત્મ લક્ષ્મીના સ્વામી ! આપના ચરણે, મુજ સમ રંકનું સદાને માટે શરણું હશે !