________________
પ૭
તે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે માટે વ્યવહાર, એ નિશ્ચયને માટે પરમ ઉપકારી છે.
જૈન શાસનરૂપી રથને નિશ્ચય નય અને વ્યવહાર નય એમ બે ચકો છે જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રને ઈન્કાર કરનારા અગર એકમાં જ રાચનારા પણ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરાનારાએ રથને ભાંગી નાખવાનું કામ કરનાર છે.
બે પાંખ વિના જેમ પક્ષી ઉડી શકતું નથી અને બે હાથ વિના જેમ તાલી પાડી શકાતી નથી અને બે નેત્રે વિના જેમ વસ્તુનું અવલેકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જ વ્યવહારનય વિના કેવળ નિશ્ચયથી નાશ પામ્યા છે. જ્યારે કેટલાક જ નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નથી પણ સર્વ કર્મરહિત બની શક્યા નથી, એમ તીર્થકર દેએ કહ્યું છે. વ્યવહાર અને નિશ્ચય બને સાથે મળીને જ કાર્ય સાધક બને છે એ તાત્પર્ય છે.
કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વસંવર રૂપ ક્રિયાને પામ્યા વગર પરમપદ સ્વરૂપ મેક્ષને પામી શકતા નથી, તે પછી બીજાની તે શી વાત? મતલબ કે સમ્યગૂજ્ઞાન અને સમ્યગુ ક્રિયા એમ ઉભયથી મેક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મેક્ષ નથી.
અહીં મોક્ષમાર્ગમાં જ્ઞાનથી આત્મ સ્વરૂપનું જ્ઞાન લેવાનું છે અને ક્રિયાથી હિંસાદિ અશુભકિયાએથી નિવારણ